Book Title: Samaysara Siddhi 2
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 613
________________ ૫૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ આંહી કહે છે, આહાહા... કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હું પ્રભુ ચૈતન્યમાત્ર ઝળહળ જ્યોતિ પ્રકાશનો, ચૈતન્યજ્યોતિના નૂરના તેજનું પૂર એવો હું આત્મા, એ મારા અનુભવથી જણાય છે. આહા ! છે? કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એ રાગથી નહીં, હું આવો જે ચૈતન્યમાત્ર જ્યોતિ છું એ ચૈતન્યમાત્ર જ્યોતિની પરિણતિથી હું જણાઉં છું. મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહા... અહીંયાં તો મતિ ને શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ ગણી નાંખ્યું છે. આહાહાહાહા! જેને આત્માને જાણવા માટે મતિ શ્રુતજ્ઞાનની અપેક્ષા છે, પણ એ સિવાય રાગ અને મનની પણ જેને અપેક્ષા નથી. આહાહાહા ! અરેરે ! મારા જ અનુભવથી, એ શબ્દ પડ્યો છે “જ' પડ્યો છે. મારા જ, એટલે ચૈતન્યમાત્રજ્યોતિ એના સ્વભાવની પરિણતિથી જ મને મારો અનુભવ છે. આહા! મારા જ, છે? અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહાહાહા ! આ તો ધીરાના કામ છે બાપા! હું ચૈતન્યમાત્ર જ્યોતિ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહાહા ! મારા આત્માના શાંત ને વીતરાગી પર્યાયરૂપ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આવી વાત છે ભાઈ ! આહાહાહાહા ! આ કાલ તો લેવાણું 'તું ફરીથી લેવાણું, આ “અહં” ની વ્યાખ્યા છે “અહં” ની આ વ્યાખ્યા છે. “એક્કો” ની પછી આવશે. આહાહાહાહા! સમજાણું કાંઈ? ન્યાંય “અહં” ની વ્યાખ્યા કરી છે તોંતેરમાં “અહં” હું આ પ્રત્યક્ષ અનાદિ અનંત ચૈતન્ય પ્રત્યક્ષ જ્યોતિમાત્ર છું. આહાહા ! ત્યાં એમ લીધું છે. અમૃતચંદ્રઆચાર્યની ટીકા ગજબ છે, સંતોએ ગજબ કામ કર્યા છે. આહાહા ! દિગંબર સંત હોં! આહા!(શ્રોતાબીજા કોણ સંત છે?) બીજા કોઈ છે જ નહીં. આહાહા! સાદી ભાષા, સાદો ભગવાન રાગ વિનાનો. એને સમજાવ્યો છે પ્રભુ, તું કોણ છો ભાઈ? આહાહાહા ! બાળક હો કે સ્ત્રી કે પુરુષ હો, એ તો દેહનાં નામ – ચાળાં છે બધા. ભગવાન, અંદર જે ભગવાન છે એ બાળક ક્યાં ને વૃદ્ધ ક્યાં યુવાન ક્યાં ને સ્ત્રી ક્યાં પુરુષ ક્યાં? એ તો ચૈતન્યમાત્ર જ્યોતિ તે આત્મા, હું છું એ મારા અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, એમ કહે છે. આહાહાહાહા ! એ મારી વીતરાગી અનુભવ દશા, એનાથી હું પ્રત્યક્ષ જણાઉં છું. આહાહાહાહા ! આવી વાત છે પ્રભુ, આવો મારગ છે. એને સાંભળવા મળે નહીં ભાઈ ! એને ક્યારે વિચારે? શું કરે ? આહાહા ! એવી દુર્લભ ચીજ થઈ પડી અત્યારે, અત્યારે તો આ શુભજોગ છે, એ જ બધું છે, અત્યારે આ શુદ્ધઉપયોગ ને એવું છે જ નહીં. અરે ભગવાન, આ પંચમકાળના સંતો, પંચમકાળનો શ્રોતા, એને કહે છે ને પંચમકાળનો શ્રોતા, આ રીતે સમજે છે. પંચમકાળનો શ્રોતા છે ને આ. આહાહાહા.. હું, મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એ હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂ૫ આત્મા – જ્યોતિ સ્વરૂપ આત્મા, જ્યોતિવાળોય નહીં. ચૈતન્યમાત્ર જ્યોતિ સ્વરૂપ આત્મા છું. આહાહાહાહા.. કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહાહાહા! મારી નિર્મળ પર્યાયથી મારા સ્વભાવની નિર્મળ પર્યાયથી મને પ્રત્યક્ષ જણાય છે. આહા! હું જે છું નિર્મળપર્યાયવાળો એ નિર્મળપર્યાયથી હું જણાઉં છું રાગ ને નિમિત્તથી ને વિકલ્પથી નહીં. આહાહા! નહીં, ન કહ્યું,

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643