Book Title: Samaysara Siddhi 2
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 576
________________ ગાથા ૩૭ ૫૬૧ નિર્મમત્વ કહે છે, ધર્મ અધર્મ આદિ છએ દ્રવ્ય પ્રત્યે, ૫૨ જીવ પ્રત્યે, સિદ્ધ પ્રત્યે, આહાહાહા... પંચપરમેષ્ઠિ પ્રત્યે, એ ૫૨ જીવ છે મારે અને એને શું સંબંધ ? આહાહાહા ! ,, ટીકાઃ– સ્વયં, પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તેના અનુભવથી પ્રગટ થયેલ છે, “નિવા૨ણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે’ ચૈતન્ય રસવાળો પ્રભુ એની શક્તિની વ્યક્તતા જે પ્રગટ થઈ, આહાહાહા... એ પ્રગટ થયેલ છે. ૫૨ને કા૨ણે નહીં એ પોતાના નિજ રસથી જ જે પ્રગટ થયેલ છે. આહાહા... પર્યાયમાં સમ્યગ્દર્શન જ્ઞાન થયું એ નિજ રસથી પ્રગટ થયું છે. કોઈ નિમિત્તના સંબંધના કારણે પ્રગટ થયું છે એમ નહીં. આહાહાહા... ગુરુના ઉપદેશથી પ્રગટ થયું છે એમ નહીં. આહાહા ! આવી વાતું. મારો પ્રભુ નિજ૨સથી ભરેલો છે અને નિજરસથી પ્રગટ થાય છે, પોતાના સ્વભાવના સામર્થ્યથી પર્યાયમાં પ્રગટ સમ્યગ્દર્શન જ્ઞાન આદિ થાય છે. આહાહાહા... નિવારણ ન કરી શકાય એવો ફેલાવ છે. જેની નિજરસની શક્તિની પ્રગટતા ભગવાન આત્માની એને કોઈ રોકી શકે નહીં જગતમાં, એવો જેનો વિસ્તાર છે. ભગવાન ચૈતન્ય સ્વભાવ દરિયો છે, સમુદ્ર છે, એ પર્યાયમાં સ્વયં રસથી ઊછળે છે. આહાહા ! એ ચૈતન્ય સરોવ૨ ભગવાન સમુદ્ર એની વર્તમાન પર્યાયમાં જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એ નિજ૨સથી ફેલાય છે. આહાહાહા... ૫૨ને કા૨ણે નહીં વ્યવહાર હતો માટે ફેલાય છે નિજ૨સથી એ નહીં, આરે રે... આવી વાત છે. અત્યારે તો એ જ રાડો છે લોકોની, બસ વ્યવહા૨ કરો તો નિશ્ચય થશે, વ્યવહા૨ ક૨ો તો નિશ્ચય થશે એવી પ્રરૂપણા, મિથ્યાપ્રરૂપણા છે એ. આહાહાહા... સમજાય છે કાંઈ ? નિજ૨સથી પ્રગટ થયેલ છે ભગવાન આત્મા. આહાહા ! શું કહ્યું સમજાણું ? આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપનો સાગર, આહાહા... તેની સન્મુખ થતાં આશ્રય લઈને નિજરસથી પર્યાય પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદસ્વરૂપ એ નિજરસથી પ્રગટ થાય છે. કોઈ વ્યવહા૨થી થાય છે, અને નિમિત્તથી થાય છે, એમ વસ્તુના સ્વરૂપમાં નથી. આહાહાહા ! આવું છે. નીચે કહ્યું છે જરી, જે ધર્માદિ દ્રવ્યો મારાં નથી, હું એક છું એવું ઉપયોગ જ જાણે છે, એ ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે. એ બીજો અર્થ જરી બતાવ્યો પણ ખરેખર તો આત્મા જ આત્માને જાણે છે બસ. આહાહા... આત્મા ઉપયોગથી જાણે છે. એમેય ભેદ છે. એ તો આત્મારામ, આત્મારામ આત્મામાં ૨મતો જાણે છે. આહાહાહા... “સમસ્ત પદાર્થોને ગ્રસવાનો” કહે છે, પોતાના જ્ઞાન સ્વભાવનો જે રસ પર્યાયમાં પ્રગટ થાય એને સર્વ પદાર્થોને ગળી જવાનો, જાણવાનો એનો સ્વભાવ છે. આહાહાહા ! જેમ કોળીયો ગળી જાય છે અંદર, એમ છ પદાર્થો જે ૫૨ છે અનંત તીર્થંકરો, અનંત સિદ્ધો, પંચ૫૨મેષ્ઠિ અનંત ૫૨માણુ, અનંત ૫૨દ્રવ્ય, એ બધાને જાણવાનો એટલે ગળી જવાનો સ્વભાવ છે. આહાહાહા. જેનો સ્વભાવ છે, ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવમાંથી પ્રગટેલી પર્યાય, એ પર્યાયને બધા અનંત દ્રવ્યોને ગળી જવું જાણી લેવું એવો એનો સ્વભાવ છે. આહાહા ! “એવી પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે” જોયું ? એવી પ્રચંડ તીવ્ર ચિન્માત્ર શક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી એવી ચૈતન્યમાત્રની શક્તિ વડે એ કોળીયો કરી ગયા છ દ્રવ્યોને તો !

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643