________________
૩૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨
*વ,
ગાથા - ૨૭ થી ૩૦ શ્લોક - ૨૫-૨૬
***** T T
नयविभागानभिज्ञोऽसि -
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को । ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो ।। २७ ।। व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः।
न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः।।२७।। इह खलु परस्परावगाढावस्थायामात्मशरीरयोः
समावर्तितावस्थायां
कनककलधौतयोरेकस्कन्धव्यवहारवद्व्यवहारमात्रेणैवैकत्वं, न पुनर्निश्चयतः, निश्चयतो ह्यात्मशरीरयोरुपयोगानुपयोगस्वभावयोः कनककलधौतयोः पीतपाण्डुरत्वादिस्वभावयोरिवात्यन्तव्यतिरिक्तत्वेनैकार्थत्वानुपपत्तेः नानात्वमेवेति । एवं हि किल नयविभागः। ततो
व्यवहारनयेनैव शरीरस्तवनेनात्मस्तवनमूपपन्नम्।
ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નયવિભાગને જાણતો નથી. તે નયવિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છેઃ
જીવ-દેહ બન્ને એક છે-વ્યવહારનયનું વચન આ;
પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ૨૭.
જ
ગાથાર્થ:-[ વ્યવહારનય: ] વ્યવહારનય તો [ ભાષતે ] એમ કહે છે કે [ નીવ: વેહ: 7]જીવ અને દેહ[y: વતુ]એક જ[ભવતિ ]છે; [તુ ] પણ[નિશ્ચયસ્ય ]નિશ્ચયનયનું કહેવું છે કે [ નીવ: વેદ: વ ] જીવ અને દેહ[ વા પિ ] કદી પણ[ાર્થ: ] એક પદાર્થ ન]નથી.
ટીકાઃ- જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક ક૨વાથી એકપિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહા૨ છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શ૨ી૨નું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શ૨ી૨ને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે. માટે વ્યવહા૨નયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે.
ભાવાર્થ:- વ્યવહા૨નય તો આત્મા અને શ૨ી૨ને એક કહે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહા૨નયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે.