________________
૧૭.
પત્રાંક-૬૪૨ આટલું... આ બધું મને છે. આ બધાની વચ્ચે હું છું. હવે એમાં રહીને એ બધા કાર્યો કરીને એની ઉપાધિ રાખી અને પછી સ્વરૂપસ્થિરતા કેવી રીતે કરવાનો હતો ? એ બધાથી ભિન્ન પડડ્યા વિના, એ બધાની ઉપાધિ છોડ્યા વિના પોતે કોઈ સ્થિરતા પ્રાપ્ત કરી શકે એવું કોઈ રીતે બની શકે નહિ.
જ્ઞાનીઓ તો ગૃહસ્થમાં કે રાજકાજમાં હોય તોપણ આ Practice તો એમની ચાલ હોય છે. બીજી બાજુ વિચારીએ તો. અંદરમાં એમની Practice ચાલુ હોય છે કે ઉદયાધીન જે કાંઈ પરિણામો થયા તેમ છતાં અંદરમાં ગાંઠ મારેલી હોય છે કે હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. મારે કાંઈ લેવા-દેવા નથી. આટલા જે કાંઈ ઉદયાધીન પરિણામ થયા તે પણ વ્યર્થ થયા છે. આત્માને એથી જરાય લાભ નથી. જેટલો કોઈ પુરુષાર્થ વહેંચાઈને એ બાજુના પરિણામ ગયા એટલું નુકસાન છે.
એકવાર “ગુરુદેવશ્રીની સાથે એકાંત ચર્ચામાં એવી વાત નીકળી હતી કે, આ બીજાને સમજાવવાનો વિકલ્પ ઊઠે છે... પોતે તો રોજ વ્યાખ્યાન આપતા ને ? આ બીજાને સમજાવવાનો વિકલ્પ ઊઠે છે એમાં પણ એટલો પુરુષાર્થ વહેંચાઈને ઈ બાજુ જાય છે. જે પુરુષાર્થનો પર્યાય છે એમાં એક ભાગ વહેંચાઈ જાય છે કે બીજાને સમજાવવાનો વિકલ્પ ઊઠે છે. એમાં પણ એટલો પુરુષાર્થ વહેંચાઈ છે. એ વાત અનુકૂળ નથી. આત્માને એ વાત અનુકૂળ નથી. બનતા સુધી વાત તો કાંઈક ‘દ્રવ્યદૃષ્ટિપ્રકાશની “સોગાનીજી' સંબંધી ચાલી હતી. એમાં એક ચર્ચાનો મુદ્દો છે. “સુનનેવાલકો ઔર) સમજાનેવાલે કો દોનોં કો અપને અપને ભાવમેં નુકસાન હૈ.” કેમકે બંનેના પરિણામ બહાર ગયા. પરિણામ જેટલો બહાર જાય... ઉપયોગ બહાર નીકલા કી યમકા દૂત સમજો.” જ્યાં સુધી બાહ્યવૃત્તિ ઉપર આ સિદ્ધાંત તીરની જેમ લાગે નહિ ને, ત્યાં સુધી એ વૃત્તિ ઉપર ઘા પડે એવું નથી. બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય પરિણામનો જે રસ છે એ રસ ઉપર તીર લાગે એવી રીતે લાગવું જોઈએ. ત્યાં સુધી એ લક્ષ નહિ છૂટે. અને બાહ્ય લક્ષે છે ત્યાં સુધી અંતરલક્ષી પરિણામ નહિ થાય. એકવાર તો લક્ષ તૂટી જવું જોઈએ. જ્ઞાનીઓને લક્ષ તૂટી ગયું છે. અને એટલા માટે જે પરિણામ જેટલા અંશે બહાર જાય છે એના ઉપર એમનો નિષેધ ચાલુ રહે છે. અને એ નિષેધ ચાલતો હોવાને લીધે એમના બાહ્ય પરિણામમાં ઘાસણી ચાલું છે. ઘસાતો જાય એને ઘાસણી કહે છે. ચાલતી ક્રિયામાં એ ઘાસણી એમની ચાલુ છે. એ ઘસાતા-ઘસાતા ભૂંસાઈ જશે.
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી