________________
શું સાધન બાકી રહ્યું !
યમ આવે એમ કહ્યું છે. બીજી સૃષ્ટિમાં નિયમ પંચ—શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરનું ઘ્યાન—આવે છે એમ કહ્યું છે.
૨૫
સંયમ—પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મનના નિગ્રહરૂપ એમ છ પ્રકારે અને છકાય જીવની રક્ષા મળી બાર પ્રકારે પાળે.
ત્યાગ ને વૈરાગ્યમાં શો ફેર ? ત્યાગ એટલે કોઈ બાહ્ય વસ્તુ અથવા અંતરના વિભાવ ભાવને છોડવા તે. અને વૈરાગ્ય એટલે વિ+રાગ=રાગ નહીં તે, એટલે આસક્તિરહિત થવું. વસ્તુ છોડે પણ આસક્તિ રહે એમ બને. જો આસક્તિ એટલે રાગને દૂર કરે તો જ તે વસ્તુનો ત્યાગ ટકે. તેથી આસક્તિ છે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. ત્યાગ અને વૈરાગ્ય ઉત્કૃષ્ટ રીતે બધાં વખાણે તેવો કર્યો. બધું છોડીને જંગલમાં એકલો તદ્દન મૌનપણે રહ્યો. છતાં જ્ઞાન ન હતું ત્યાં સુધી સંકલ્પવિકલ્પરૂપ અંતર્વાચા તો હોય જ. વૈરાગ્ય પણ ઉપરનો જ હોય, કારણકે જ્ઞાનગર્ભિત નથી. વળી કહે છે કે પદ્માસન એવું દૃઢ લગાવ્યું કે ચળે નહીં.
મનપૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યાઁ હિ તપે, ઉરસેંહિ ઉદાૌં લહી સર્પે. ૨
૧. ત્યાગ—આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ‘ત્યાગ’ કહે છે.’’
—શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૬૯
વૈરાગ્ય—‘ગૃકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે —શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૦૬
‘વૈરાગ્ય’ છે.’’