________________
0.
નિત્યનિયમાદિ પાઠ પણ ઇચ્છે. તેથી તેનાં વ્રત પચખાણ તેને સંસારી સુખો પ્રાપ્ત કરાવી તેમાં આસક્ત કરી પાપ બંઘાવી ચાર ગતિમાં રખડાવે છે. સમક્તિ વગર સર્વ વૃથા છે ! મિથ્યાત્વીનું બધું સંસારાર્થે છે, મોક્ષાર્થે નથી. માટે પ્રથમ ભેદજ્ઞાન જોઈએ. સમકિતીને વિષયભોગો અગ્નિ જેવા લાગે, માટે ન ઇચ્છે.
કેવળ નહીં બ્રહ્મચર્યથી,........... કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪
સર્વથી ઉત્કૃષ્ટ વ્રત બ્રહ્મચર્ય તથા સાધુપણું, તેથી પણ જ્ઞાન થતું નથી. પરંતુ “જ્ઞાન કેવળથી કળો.” કેવળ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ સર્વ વિભાવથી રહિત–દેહાદિ પર પદાર્થોમાં આત્માનો આભાસ થઈ રહ્યો છે તેથી રહિત–શાશ્વત ચૈતન્ય સ્વરૂપ એવો કેવળ માત્ર આત્મા જ, શુદ્ધાત્મા. આત્મસિદ્ધિમાં કહ્યું છે–
“આત્મા સતુ ચૈતન્યમય, સર્વાભાસ રહિત;
જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ તે રીત.” દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્માનું જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન જાણવું.
શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ શાસ્ત્રોના વિશેષ જ્ઞાન સહિત જેણે આત્માને જાણ્યો છે