Book Title: Nitya Niyamadi Path
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯૧
१६ સામાયિક પાઠ
9. પ્રતિક્રમણ કર્મ કાલ અનંત ભ્રામ્યો જગમેં સહિયે દુઃખ ભારી, જન્મ મરણ નિત કિયે પાપકો હૈ અધિકારી; કોડિ ભવાંતરમાંહિ મિલન દુર્લભ સામાયિક, ઘન્ય આજ મેં ભયો જોગ મિલિયો સુખદાયક. ૧
અનંત કાળથી આ જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. ત્યાં મહા ભયંકર દુઃખોને ભોગવી રહ્યો છે. જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ અનંત દુઃખ અનંતકાળથી અનંતથી અનંત વાર ભોગવ્યા કરે છે. તે સર્વ દુઃખ ભોગવવાના કારણરૂપ અજ્ઞાન આદિ અનેક દોષ-પાપનું પોતે ભાજન થયેલા છે. (અર્થાત્ અનંત દોષ-પાપથી જ આ પરિભ્રમણનાં દુઃખ ચાલુ રહ્યાં છે.) તે દોષને દૂર કરનાર અને શુદ્ધ આત્મસ્વભાવને પ્રગટાવનાર સામાયિક કરોડો ભવોમાં પણ મળવું દુર્લભ છે. તે સામાયિક કરવાનો સુખદાયક જોગ, અવસર મને આજે મળ્યો છે તેથી અહો ! આજે હું અત્યંત ઘન્યરૂપ છું, કૃતાર્થ છું. મારો આ કાળ લેખાનો છે, સફળ છે.
૧. પૂર્વે લાગેલા દોષથી પાછા હઠવું તે. ૨. રાગદ્વેષ રહિત સમભાવરૂપ આત્મસ્વભાવમાં રહેવું તે.

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362