________________
૧૦૪
તારંગાજી વગેરે તીર્થોના અંગે ધાર્મિક ઝઘડાઓને મહત્વનું સ્વરૂપ આપી આપણે શ્વેતામ્બરો અને દિગમ્બરો લાખો રૂપિયાની ખુવારી કર્યો જઈએ છીએ. તેટલાથી જ નહિ અટકતાં વળી ચારૂપના એક નજીવા કેસે મોટું સ્વરૂપ ધારણ કરેલ અને આ કેસમાં આપણે
સ્માર્તા પક્ષવાળાઓ સામે તકરારમાં ઉતરવું પડેલ. બંને પક્ષેને હજારે રૂપિયાના ખર્ચમાં ઉતરવું પડયું છે અને કેમ ભવિષ્યમાં કેવું સ્વરૂપ લેશે તે સમજી શકાતું નહતું, કોર્ટથી ગમે તે પ્રકારનો ફેસલો થાય તે પણ બંને પક્ષ વચ્ચે હમેશને માટે વિરોધ રહે તે દેખાવ થઈ પડયો હતો. ચારૂપ કેસમાં બંને તરફથી કામ કરતા પાટણના આગેવાને સમાધાનીથી નિકાલ ન કરે તે પાટણની પ્રજા વચ્ચે કાયમને માટે કુસંપ રહે તેવે દેખાવ નજરે પડતું હતું, ગાયકવાડ સરકારના ભાઈ મે. સંપતરાવ ગાયકવાડે. બંને પક્ષો વચ્ચે આ તકરારનું સમાધાનીથી નિરાકરણ કરાવવા ઘણી જ મહેનત કરેલ પરંતુ તે બર આવી નહોતી. વડોદરા રાજ્યની વરિષ્ટ કોર્ટ સુધી આ તકરાર ગઈ હતી, પરંતુ આખરે બંને પક્ષવાળાઓને કંઈક સારી પ્રેરણા થવાથી શેઠ પુનમચંદજી કરમચંદજી કોટાવાળાને પંચાતનામું લખી આપવામાં આવેલ તે આધારે તેમણે ઠરાવ કરી ઘણીજ કુનેહથી આ તકરારને અંત આણેલ છે.
. તેઓ સાહેબ જૈન છતાં પણ સામા પક્ષવાળાઓને તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ હોવાથી તેઓ તેમને પંચ તરીકે નીકાલ લાવવાનું સોંપવા માટે લલચાયા હતા અને આખરે આપણા જૈન ભાઈઓને જે ઉત્કટ ઇચ્છા–મહાદેવને આપણા દેરાસરમાંથી બહાર કાઢવાની હતી તે-પાર પડી છે.
ગઈ તા. ૪-૩-૧૭ના જૈન પત્રના અંકમાં શેઠ સાહેબે કરેલ એવોર્ડ' પ્રસિધ્ધ થયેલ છે તે વાંચક વર્ગ ધ્યાન દઈને વાંચી જેછે હશે અને જે ન વાં હોય તે ફરીથી વાંચી જોવાની અને આપણી કઈ વિરૂધ્ધ જાય તેવી હકીકત છે કે કેમ અગર કંઈ શાસ્ત્ર વિરૂધ્ધ લખાયું છે કે કેમ તેની ખાત્રી કરવા ભલામણ કરીએ છીએ. અમને લાગે છે કે એ એવોર્ડ-ચુકાદો ઘણ કુનેહથી સંતવિકારક અને બંને પક્ષને ન્યાય મળે તેવી રીતે કરે છે અને તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com