________________
શતક-૩, ઉદેસો-૧ અને નિઃશ્રેયસનો ઇચ્છુક છે, માટે હે ગૌતમ! તે સનકુમાર ઈદ્ર ભવસિદ્ધક છે યાવતુ-તે ચરમ છે, પણ અચરમ નથી. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ સનકુમારની સ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે? હે ગૌતમ ! તેની સ્થિતિ સાત સાગરોપમની કહી છે હે ભગવન! તેની આવરદા પૂરી થયા પછી તે, દેવલોકથી ચ્યવી યાવતુ-ક્યાં ઉત્પન થશે? હે ગૌતમ! તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવતુ-તેનાં સર્વ દુઃખનો નાશ કરશે. હે ભગવન્! તે એ પ્રમાણે છે.
[૧૬૮-૧૬૯] તિષ્યક શ્રમણનો તપ છઠ્ઠ અને એક માસનું અનશન છે. કુરુદત્ત શ્રમણનો તપ અઠ્ઠમ અને અડધા માસનું અનશન છે. તિષ્યક શ્રમણનો સાધુ પર્યાય આઠ વર્ષનો અને કુરુદત્ત શ્રમણનો સાધુ પર્યાય છ માસનો છે અર્થાતુ એ બે શ્રમણોને લગતી બીના આ ઉદ્દેશકમાં આવી છે. બીજી વિગત-વિમાનોની ઉંચાઈ, ઈદ્રનું ઈદ્રની પાસે જવું, જોવું, સંલાપ, કાર્ય. વિવાદની ઉત્પતિ, તેનો નિવેડો અને સનકુમારમાં ભવ્યપણે, એ બીનાઓ પણ આ ઉદ્દેશકમાં કહી છે. મોકા સમાપ્ત | [શતક ૩-નાઉદેસાઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ]
(-ઉદ્દેશક૨:-) [૧૭૦) તે કાળે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. યાવતું સભા પર્યપાસના કરે છે. તે કાળે તે સમયે અસુરેંદ્ર, અસુરરાજ ચમર, ચમરચાનામની રાજધાનીમાં સુધમસભામાં અમર નામના સિંહાસનમાં બેઠેલો તથા ચોસઠહજાર સામાનિક દેવોથી વીંટાએલો (તે) નાટ્યવિધિને દેખાડીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. હે ભગવન્!' એમ કહી ભગવનું ગૌતમ, શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, અને આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીની નીચે અસુરકુમાર દેવો રહે છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી એ પ્રમાણે યાવત-સાતમી પૃથિવીની નીચે સૌધર્મકલ્પ તથા બીજા કલ્પોની નીચે અસુરકુમાર દેવો રહેતા નથી. હે ભગવન્! ઈષત્રાગભારા પૃથિવીની નીચે અસુરકુમાર દેવો રહે છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન! ત્યારે ક્યું એવું પ્રસિદ્ધ સ્થાન છે કે, જ્યાં અસુરકુમાર દેવો નિવાસ કરે છે ? હે ગૌતમ ! એક લાખ અને એશીહજાર યોજનની જાડાઈવાળા આ રત્નપ્રભા પૃથિવીના મધ્યભાગે તે અસુરકુમાર દેવો રહે છે. અહીં અસુરકુમાર દેવો સંબંધી વક્તવ્યતા કહેવી. અને તેઓ દિવ્યભોગોને ભોગવતા વિહરે છે. હે ભગવનું તે અસરકારોમાં એવું સામર્થ્ય છે કે તેઓ પોતાના સ્થાનથી નીચે જઈ શકે ? હે ગૌતમ હા. સામર્થ્ય છે. હે ભગવન્! તે અસુરકુમારો પોતાના સ્થાનથી કેટલા ભાગસુધી નીચે જઈ શકે છે? હે ગૌતમ ! સાતમી પૃથિવી સુધી. તેઓની નીચે જવાની માત્ર આટલી શક્તિ છે. પરંતુ તેઓ ત્યાંસુધી કોઇવાર ગયા નથી, જશે નહિં, અને જાતા પણ નથી. કિંતુ ત્રીજી પૃથિવી સુધી જાય છે, ગયા છે અને જશે પણ ખરા. હે ભગવન્તે અસુરકુમારો ત્રીજી પૃથિવીસુધી જાય છે, ગયા છે, અને જશે તેનું શું કારણ? હે ગૌતમ! પોતાના પૂર્વના વૈરીને વેદના દેવા, પોતાના જૂના સોબતીઓને સુખી કરવા એ કારણથી અસુરકુમાર દેવો ત્રીજી પૃથિવી સુધી ગયા છે, જાય છે તથા જશે.
હે ભગવન્! તે અસુરકુમારોમાં એવું સામર્થ્ય છે કે તેઓ પોતાના સ્થાનથી તિછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org