Book Title: Agam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 521
________________ ૫૧૮ ભગવઈ - ૩૫/૧/૧/૧૦૪૫ કલ્યોજદ્વાપરયુગ્મમાં છે, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. હે ભગવન્! કલ્યોજકલ્યોજરાશિપ્રમાણ એકેદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? ઉપપાત પૂર્વની પેઠે જાણવો. પરિમાણ-પાંચ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. (શતકઃ ૩૫ શતકશતક-૧- ઉદેશક ૨-૧૧-) [૧૦૪૬] હે ભગવન્જેને ઉત્પન્ન થયાને પહેલો સમય થયો છે એવા કૃતયુગ્મકૃતયુગ્મરાશિરૂપ એકેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમજ સોળ વાર પાઠના કથનપૂર્વક બીજો ઉદ્દેશક કહેવો. બાકી બધું તેમજ કહેવું. પરન્તુ દસ બાબત વિશેષતા છે. તેઓની અવગાહના- જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. આયુષકર્મના અબંધક હોય છે. આયુષ કર્મના અનુદીરક હોય છે. ઉછુવાસવાળા નથી, નિઃશ્વાસવાળા નથી અને ઉચ્છવાસનિઃ શ્વાસવાળા પણ નથી. સાત પ્રકારના કર્મ બંધક હોય છે, હે ભગવન્! પ્રથમ સમયે ઉત્પન્ન થએલા કતયુગ્મકતયુગ્મરાશિરૂપ એકેંદ્રિયો એક સમય સુધી હોય. એ રીતે સ્થિતિ સંબંધે પણ સમજવું. તેઓને આદિના બે સમુઘાતો હોય છે. સમુદ્યાતવાળા સંબંધે અને ઉદ્વર્તના સંબંધે અસંભવ હોવાથી પૂછવાનું નથી અને બાકી બધું સોળે મહાયુગ્મોમાં તેજ પ્રમાણે જાણવું, [૧૦૪૭-૧૦પ૦ હે ભગવનું ! અપ્રથમ સમયના- કતયુગ્મકતયુગ્મ રાશિરૂપ એકેપ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમજ આ ઉદ્દેશક પણ સોળે મહાયુગ્મોમાં સમજવો. ચરમ સમયના કૃતયુગ્મકતયુગ્મરૂપ એકેંદ્રિયો સંબંધે જેમાં પ્રથમ સમય સંબંધે ઉદ્દેશક કહ્યો તેમ અહીં કહેવું. પણ દેવો અહીં ઉત્પન્ન થતા નથી. તેજલેશ્યા સંબંધે પૂછવાનું નથી. બાકી બધું તેમજ જાણવું.અચરમસમય કૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિયો જેમ પ્રથમ સમય સંબંધે ઉદ્દેશક કહ્યો છે તેમજ બધુ કહેવું. પ્રથમ સમયના કૃતયુગ્મકતયુગ્મપ્રમાણ એકેંદ્રિયો જેમાં પ્રથમ સમય સંબંધી ઉદ્દેશક કહ્યો છે તેમજ બધું જાણવું. [૧૦૫૧-૧૦પ૬] હે ભગવન્! પ્રથમ-અપ્રથમ સમયવર્તી કૃતયુગ્મકૃતયુગ્મરૂપ એકેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ પ્રથમ સમય સંબંધી ઉદ્દેશક કહ્યો તેમજ અહીં પણ કહેવું પ્રથમ-ચરમસમયવર્તી કૃતયુગ્મકતયુગ્મરાશિરૂપ એકેન્દ્રિયો જેમ ચરમઉદ્દેશક કહ્યો તેમજ બાકીનું બધું જાણવું. પ્રથમ-અચરમસમયવર્તી કતયુગ્મકતયુગ્મશિરૂપ એકેન્દ્રિયો જેમ બીજો ઉદ્દેશક કહ્યો તેમજ બધું સમજવું. ચરમચરમસમયવર્તી કૃતયુગ્મકૃતયુગ્મરૂપ એકેન્દ્રિયો જેમ ચોથો ઉદ્દેશક કહ્યો તેમજ બધું જાણવું. ચરમ-અચરમસમ- યવર્તી કૃતયુગ્મકતયુગ્મરાશિરૂપ એકેન્દ્રિયો જેમાં પ્રથમ સમય સંબંધે ઉદ્દેશક કહ્યો તેમજ બધું જાણવું. છે. એ રીતે એ અગિયાર ઉદ્દેશકો કહેવા. પહેલો, ત્રીજો અને પાંચમો સરખા પાઠ વાળા છે, અને બાકીના આઠ ઉદ્દેશકો સરખા પાઠવાળા છે, પરન્તુ ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં દેવો ઉપજતા નથી અને તેઓને તેજલેશ્યા નથી. શતક ૩૫/૧ ઉદેસાઃ ૨ થી ૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532