Book Title: Agam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 504
________________ શતક-૩૦, ઉદેસો-૧ ૫૦૧ દ્રષ્ટિ મન:પર્યવજ્ઞાનીની જેમ વૈમાનિકનું આયુષ બાંધે છે. કણપાક્ષિકોની જેમ મિથ્યાદ્રષ્ટિ જાણવા. સમ્યુગ્મિથ્યાદ્રષ્ટિ એક પણ આયુષ બાંધતા નથી, અને તેઓને નૈરયિકોની જેમ છેલ્લા બે સમવસરણો જાણવા. જ્ઞાની અને યાવતુ-અવધિજ્ઞાની સમ્યવૃષ્ટિની જેમ જાણવા. અજ્ઞાની અને યાવતુ- વિર્ભાગજ્ઞાની કૃષ્ણપાક્ષિકોની જેમ જાણવા. બાકીના યાવતુ-અનાકાર ઉપયોગવાળા સુધી અને બધાને લેશ્યાવાળાની જેમ જાણવું. જેમ પંચેદ્રિય તિર્યંચયોનિકોની વક્તવ્યતા કહી છે એમ મનુષ્યોની પણ વક્ત વ્યતા કહેવી. પરન્તુ મન:પર્યવજ્ઞાની અને નોસંજ્ઞામાં ઉપયુક્ત જીવોને સમ્યવૃષ્ટિ તિર્યંચયોનિકની જેમ જાણવું.લેશ્યરહિત,કેવળજ્ઞાની,વેદરહિત,કષાયરહિત અને યોગ રહિત જીવો ઔધિક જીવોની જેમ આયુષ બાંધતા નથી. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુર- કુમારોની જેમ સમજવું. હે ભગવન્! શું ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? હે ગૌતમ! તેઓ ભવસિદ્ધિક છે પણ અભવસિદ્ધિક નથી. હે ભગવન્! શું અક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. એ જ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી સંબંધે પણ સમજવું. હે ભગવન્!લેશ્યાવાળા ક્રિયાવાદી જીવો શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? હે ગૌતમ ! તેઓ ભવસિદ્ધિક છે, પણ અભવસિદ્ધિક નથી. વેશ્યાવાળા અક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. એમ અજ્ઞાનવાદી અને વિનય વાદી સંબંધે પણ જાણવું. જેમ વેશ્યાવાળા કહ્યા તેમ યાવતુ-શુક્લલેશ્યાવાળા પણ સમજવા.લેશ્યરહિત ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છે, પણ અભવસિદ્ધિક નથી. એ પ્રમાણે એ અભિલાપવડે કૃષ્ણપાક્ષિક જીવો [ક્રિયાવાદી સિવાયના ત્રણે સમવસર ણોમાં વિકલ્પ (ભવસિદ્ધિક) જાણવા. શુક્લપાક્ષિક જીવો ચારે સમવસરણોમાં ભવ સિદ્ધિક છે, સમ્યષ્ટિ લેડ્યા વિનાના જીવોની જેમ જાણવા, મિથ્યાવૃષ્ટિ કૃષ્ણપા ક્ષિકોની જેમ જાણવા અને સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ અજ્ઞાનવાદી અને વિનયવાદી-એ બન્ને સમવસરણોમાં લેક્ષારહિત જીવોની જેમ જાણવા. જ્ઞાની અને યાવતુ-કેવલજ્ઞાની જીવો ભવસિદ્ધિક જાણવા, અજ્ઞાની અને વાવતુ-વિર્ભાગજ્ઞાની જીવો કષ્ણપાક્ષિકની જેમ બન્ને પ્રકારના સમજવા. આહારસંજ્ઞામાં, યાવતું પરિગ્રહસંજ્ઞામાં ઉપયોગવાળા લેશ્યાવાળા જીવોની જેમ જાણવા. નોસંજ્ઞામાં ઉપયુક્ત જીવો સમ્યવૃષ્ટિની જેમ જાણવા. વેદવાળા અને યાવતુ નપુંસકદવાળા વેશ્યાવાળાની જેમ બન્ને પ્રકારના જાણવા. વેદરહિત જીવો સમ્યગૃષ્ટિની પેઠે સમજવા. કષાયવાળા અને યાવતુ-લોભક પાયવાળાને વેશ્યાવાળાની જેમ જાણવું. કષાય રહિત જીવોને સમ્યગ્દષ્ટિ જીવોની જેમ જાણવું.યોગવાળા,યાવતુ-કાયયોગવાળા જીવોને સમ્યગૃષ્ટિ જીવોની જેમ સમજવા. સાકાર-જ્ઞાનોપયોગવાળા અને અનાકાર-દર્શનોપયોગવાળા જીવો લેશ્યાયુક્ત જીવો ની જેમ જાણવા. એ પ્રમાણે નૈરયિકો પણ કહેવા. વિશેષ એ કે, જેને જે હોય તેને તે જાણવું. એ રીતે અસુરકુમારો અને વાવતુ-સ્વનિતકુમારો સંબંધે પણ જાણવું. પૃથિવીકાયિકો બધા સ્થાનકોમાં વચલા બને સમવસરણોમાં ભવસિદ્ધિકો અને અભવસિદ્ધિકો હોય છે. એ રીતે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી સમજવું. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે પણ એજ રીતે જાણવું. વિશેષ એ કે, તેઓને સમ્યકત્વ, અવધિજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં બન્ને વચલાં સમવસરણોને આશ્રયી ભવસિદ્ધિકો કહેવા, પંચેન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532