Book Title: Agam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 509
________________ પ૦૬ ભગવાઈ-૩૩/૧ થી ૧૧/૧૦૧૮ (-શતક-૩૩:-) -શતકશતક ૧ - [૧૦૧૮] હે ભગવન્! એકેન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! પાંચ.પૃથિવીકાયિક અને યાવતુ-વનસ્પતિકાયિક.પૃથિવીકાયિક જીવો બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ પૃથિવીકાયિક અને બાદર પૃથિવીકાયિક સૂક્ષ્મપૃથિવીકાયિક જીવો બે પ્રકાર ના કહ્યા છે. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક. બાદર પૃથિવીકાયિકો ઉપર કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે અપ્નાયિકોના પણ ચાર ભેદ કહેવા. એ રીતે યાવતુ-વસ્પતિકાયિક સુધી સમજવું.હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કમપ્રકૃતિઓ હોય ? હે ગૌતમ ! તેઓને આઠ કર્મપ્રકૃતિઓ હોય. જ્ઞાનાવરણીય અને યાવતુ-અંતરાય. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોને આઠ કર્મપ્રક તિઓ હોય છે.સાનાવરણીય અને યાવતુ-અંતરાય. હે ભગવનું ! અપયપ્તિ બાદર પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ હોય? હે ગૌતમ ! પૂર્વ પ્રમાણે જાણવું. પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોને કર્મ પ્રકતિઓ હોય ? પૂર્વની પ્રમાણેજ જાણવું. એ રીતે એ ક્રમથી યાવતુ-પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો સુધી સમજવું. હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવિકાયિકો સાત કર્યપ્રકૃતિઓ અને આઠ કમપ્રકૃતિઓ બાંધે છે. જ્યારે સાત કર્યપ્રકૃતિઓ બાંધે ત્યારે આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓ બાંધે અને જ્યારે આઠ કર્મપ્રકૃતિઓને બાંધે ત્યારે પરિપૂર્ણ આઠે કર્મ પ્રકૃતિઓ બાંધે. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોની પ્રકૃતિ સંબંધે પૂર્વ પ્રમાણે જાણવું. તથા એ રીતે સર્વ એકેન્દ્રિય સંબંધે દેડકો કહેવા. યાવતું પર્યાપ્તિ બાદર વનસ્પતિકાયિકો કર્મપ્રવૃતિઓ એજ પ્રમાણે જાણવું.અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિકાયિકો ચૌદ કર્મપ્રવૃતિઓ વેદે. જ્ઞાનાવરણીય અને યાવતુ- અંતરાય, તથા શ્રàજિયાવરણ, ચક્ષુરિંદ્રિયાવરણ, ધ્રાણેઢિયાવરણ, જિલૅન્દ્રિયાવરણ, સ્ત્રીવેદાવરણ અને પુરુષવેદાવરણ. એ રીતે, સૂક્ષ્મબાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના ચાર ભેદપૂર્વક યાવતુ-પર્યાપ્ત બાદર વનસ્પતિ કાયિક સુધી સમજવું. યાવત્ પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો ઉપર પ્રમાણે ચૌદ કર્મપ્રકતિઓને વેદે છે. [૧૦૧] હે ભગવન્! અનંતરોપાન એકેંદ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે- પૃથિવીકાયિક, યાવતુ-વનસ્પતિ કાયિક અનંતરોપપન પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને બાદર પૃથિવીકાયિકો. એ પ્રમાણે બે ભેદ વડે યાવતુ-વનસ્પતિ કાયિક સુધી સમજવું. અનન્તરોપપન સૂક્ષ્મપૃથિવીકાયિકોને આઠ કર્મપ્રવૃતિઓ કહી છે. જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય. અનન્તરોપપન બાદર પૃથિવીકાયિકોનેઆઠ કર્મપ્ર કૃતિઓ કહી છે. જ્ઞાનાવરણીય યાવતુ-અંતરાય. એ પ્રમાણે યાવતુ- અનંત- રોપાન બાદર વનસ્પતિકાયિક સંબંધે જાણવું. અનન્તરોપપન સૂક્ષ્મ પૃથિવીકાયિકો આયુષ સિવાય સાત કર્મપ્રકૃતિઓ બાંધે છે. એ પ્રમાણે યાવતુ અનંતરોપપન બાદરવનસ્પતિ કાયિક સુધી જાણવું. અનન્તરોપપન સૂક્ષ્મ પૃથિવીકાયિકો ચૌદ કર્યપ્રકૃતિઓને વેદે છે. જ્ઞાનાવરણીય અને યાવત્-પુરુષવેદાવરણ. એ પ્રમાણે યાવતુ-અનંતરોપપન બાદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532