Book Title: Agam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 475
________________ ૪૭૨ ભગવાઈ- ૨૫/-પ૮૯૪ પલ્યોપમો તે સંખ્યાતી આવલિકારૂપ નથી, પણ કદાચ અસંખ્યાતી અને કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે યાવતુ-ઉત્સર્પિણીઓ સુધી જાણવું. હે ભગવન્! પુદ્ગ પરિવર્તે શું સંખ્યાતી આવલિકારૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. અનંત આવલિકારૂપ છે. તો શું સંખ્યાતા આનપ્રાણરૂપ છે કે અસંખ્યાતા આનપ્રાણરૂપ છે.ત્યાદિ પ્રશ્ન. આવલિકા ની જેમ આનપ્રાણ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એ પૂવક્ત ગમ-પાઠવડે યાવતુ-શીર્ષપ્રહેલિકા સુધી સમજવું. હે ભગવન્! સાગરોપમ શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે સંખ્યાતા પલ્યોપમરૂપ છે, એ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણી સંબધે પણ જાણવું. હે ભગવન્! પુદ્ગલપરિવર્ત શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અનંત પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. સાગરોપમનો કદાચ સંખ્યાતા પલ્યોપમરૂપ હોય છે, કદાચ અસંખ્યાતા પલ્યોપમરૂપ હોય છે અને કદાચ અનંત પલ્યોપમરૂપ પણ હોય છે. એ પ્રમાણે યાવતુ-અવસર્પિણી તથા ઉત્સર્પિણી સંબંધે પણ જાણવું. હે ભગવન્! પુદ્ગલપરિવર્તે શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે અનંત પલ્યોપમરૂપ છે. હે ભગવન્! અવસર્પિણી શું સંખ્યાતા સાગરોપમો છેઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પલ્યોપમની જેમ સાગરોપમની પણ વક્તવ્યતા કહેવી. હે ભગવન્! પુદ્ગલપરિવર્ત શું સંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. પુદ્ગલપરિવત હે ગૌતમ ! તે અનંત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ છે. હે ભગવન્! અતીતાદ્ધા-ભૂતકાળ એ શું સંખ્યાતા પુદ્ગલપરિવતો છે-ઇત્યાદિ પ્રશ્ન. તે અનંત પુલપરિવત છે. એ પ્રમાણે અનાગત કાળ અને સદ્ધિા વિશે પણ જાણવું. [૮૯૫] હે ભગવન્! અનાગતાદ્ધા-ભવિષ્યકાળ શું સંખ્યાતા અતીતાદ્ધારૂપ છે, અસંખ્યાતા અતીતાદ્ધારૂપ છે કે અનંત તીતાદ્ધારૂપ છે? હે ગૌતમ ! ભવિષ્યકાળ અતી તાદ્ધા-ભૂતકાળથી અનાગતાદ્ધા-ભવિષ્યકાળ એક સમય અધિક છે અને ભવિષ્ય કાળ કરતાં ભૂતકાળ એક સમય ન્યૂન છે.અતીતાદ્ધા-ભૂતકાળ કરતાં સવદ્ધા કાંઈક અધિક બમણો છે, અને અતીતાદ્ધા-ભૂતકાળ સવદ્ધા કરતાં કાંઈક ન્યૂન અર્ધભાગરૂપ છે. ભવિષ્યકાળ કરતાં સવદ્ધિા કાંઈક ન્યૂન બમણો છે, અને અનાગતાદ્ધા સવદ્ધા કરતાં કાંઇક અધિક અરધો છે. [૮૯૬) હે ભગવન્! નિગોદો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારનાનિગોદો અને નિગોદજીવો. નિગોદો બે પ્રકારના સૂક્ષ્મનિગોદ અને બાદરનિગોદ. એ પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે બધા નિગોદો કહેવા. [૮૯૭] હે ભગવન્! નામ-ભાવ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! નામ-ભાવ છ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે-ઔદયિક, યાવતુ-સાંનિપાતિક. હે ભગવનું ! ઔદયિક નામ-ભાવ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું ઉદય ઉદયનિષ્પન્ન. એ પ્રમાણે બધું સત્તરમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં ભાવ સંબધે કહ્યું છે તે પ્રમાણે અહિં પણ કહેવું. પણ તેમાં વિશેષ પ્રમાણે છે ત્યાં ભાવ સંબધે કહ્યું છે અને અહીં નામ સંબંધે યાવતુ-સંનિપાતિક સુધી કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532