Page #1
--------------------------------------------------------------------------
________________
સાલંભા ધ્યાના પ્રયોગો
લેખક સંઘવી બાબુભાઇ ગીરધ૨લાલ કડીવાળા,
સુખ
772/casień
Jobસમૃદ્ધિ શક્તિ
-
• પ્રકાશક : બાબુભાઇ કડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત For Private & Personal use only allol
Page #2
--------------------------------------------------------------------------
________________
ટાઈટલ પેજના ચિત્રની સમજ
પ્રયાગ ન’. ૫
સાધકના હૃદયમાં બીરાજમાન પરમાત્મામાંથી દિવ્ય ગુણે અને શક્તિઓને વિસ્ફોટ થાય છે. (૧) પ્રેમ-કરૂણા (૨) આનંદ (૩) સુખ (૪) શંક્તિ (વીર્યગુણ) (૫) ગુણ સમૃદ્ધિનો વિરફટ થઈ સાધકમાં ફેલાય છે. સાધકના અણુએ અણુમાં તે દિવ્ય શક્તિઓ કાર્યશીલ થાય છે. તેથી સાધક સ્વયં પ્રેમ-કરૂણા આનંદ, સુખ, શક્તિ, ગુણ સમૃદ્ધિ રૂપ બને છે. જીવનને પરીપૂર્ણ સફળતા પહોંચાડનાર આ દિવ્ય પ્રયોગ મુજબનુ નિત્ય ધ્યાન કરો. સફળતાની પરાકાષ્ટાએ પહોંચી જવાશે.
For Private & Personal use on
Page #3
--------------------------------------------------------------------------
________________
DOGANAVAAAAAAAA800HHHHBS
સાલંબન ધ્યાનના પ્રગ
Practice of Jain Meditation
By Bbubhaai Kadiwala
પ્રેરક : પ. પૂ. અધ્યાત્મગી, નમસ્કાર મંત્ર સંનિષ્ઠ, યોગાત્મા, પૂ. ૫. શ્રી ભદ્રકવિજયજી મહારાજ સાહેબ
લેખક : સંઘવી બાબુભાઈ ગિરધરલાલ કડીવાળા
.: પ્રસ્તાવના : પરમ પૂજ્ય બાપજી મહારાજના સમુદાયના પરમ પૂજ્ય, પરમાત્મભાવ સનિષ્ઠ, આગમ વિશારદ
શ્રી જ મૂવિજયજી મહારાજ સાહેબ
: પ્રકાશક : બાબુભાઈ કડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ
૨૨, મહાવીરનગર, નવસારી. પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૪3
મૂલ્ય : રૂા. ૨૫-૦૦ DOM. GEGUMUMMOMMONS
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી જૈન પ્રકાશન મિ
શ્રી જશવ ́તલાલ ગીરધરલાલ ૩૦૯૪ ખત્રીની ખડકી, દાશીવાડાની પાળ, અમદાવાદ. ૩૮૦૦૦૧
(૨) સામચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતાણા. ૩૬૪૨૭૦
(૩) શ્રી સેવ ંતીલાલ થી,. જૈન ૨, મહાજન ગલી, ખીજે માળે, ઝવેરી બજાર, મુંબઈ ન. ૩. ૪૦૦૦૦૨
(૪) શ્રી અમરસીભાઈ એસ. ટી. ઝુક સ્ટેલ, શખેશ્વર તી. ૩૮૪૨૪૬
(૫) આધ્યાત્મિક સંશોધન અને યાન કેન્દ્ર C/o ભાનુભાઈ કડીવાળા
૨૨, મહાવીર નગર,
નવસારી. ૩૯૬૪૪૫ ટે. નં. ૩૧૩૬ (રહેઠાણ ) ૧૨૦૭ (સિ ),
આ પુસ્તક વાંચ્યા પછી આપના હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થાય તે સંબંધમાં પત્ર લેખકના સરનામે લખવા વિનતી છે. ખીજી આવૃત્તિમાં આપના હૃદયની ભાવના છાપવા પ્રયત્ન કરીશું.
Page #5
--------------------------------------------------------------------------
________________
ગુરુચરણરવિંદે એન જ્ઞાન પ્રદીપેન, નિરસ્યાભ્યતર તમ:
માત્મા નિમલીચકે, તસ્મ શ્રીગુરવે નમ: પરમપૂજ્ય અધ્યાત્મયોગી નમસ્કાર મહામંત્ર સન્નિષ્ઠ, પંન્યાસજી . ભગવંત શ્રી ભદ્રકવિજયજી મહારાજ સાહેબને કેટિ કોટિ વદના !
આજથી ૩૦ વર્ષ પહેલાં ભીલડીયાજી તીર્થમાં વિ. સં. ૨૦૧૩ના ચૈત્રી ઓળીની આરાધના પ્રસંગે આપનો પરિચય થયો. ત્યારથી આપે વારંવાર ભક્તિરસના અંકુર પ્રગટાવ્યા. પાંચ વર્ષ સુધી આરંભ-સમારંભના વેપારના ત્યાગને નિયમ કરાવ્યો.
વિ. સં. ૨૦૧૪ના પાનસર તીર્થે ચૈત્રી ઓળીના પ્રસંગે આપે કૃપાળુએ શ્રી વર્ધમાન તપને પાયે નંખાવી, તપધર્મને સંયોગ શિવા તથા ધ્યાનને વિધિ બતાવી સાધનામાર્ગમાં પ્રવેશ કરાશે.
વિ. સં. ૨૦૧૪ના ડીસાના ચાતુર્માસ દરમિયાન આસાની ઓળીના પ્રસંગે આપશ્રીએ અનુગ્રહ કરીને વિધિપૂર્વક એક લાખ નવકારની આરાધના કરાવી, જપયોગ, ધ્યાનયોગ અને પ્રતિદિન સિદ્ધચક્રનું આરાધન કરવાની પ્રેરણું આપી તથા પ્રસંગે પ્રસંગે પૂજન મિત્ર, યંત્રને સમન્વય કરાવી મહાન ઉપકાર કર્યો.
ત્યારબાદ આપશ્રીની વાત્સલ્યમયી પાવન નિશ્રામાં બેડા, શંખેશ્વર અને જામનગર એમ ત્રણે સ્થળે ખીરનાં એકાસણા પૂર્વક વિધિ સહિત એક એક લાખ નવકારના જાપનું અનુષ્ઠાન કરતાં આપની કૃપાથી અપૂર્વ આનંદ અનુભવ્યો. - વળી નિત્યની આરાધના તથા સિક્યક્ર પૂજન ન થાય ત્યાં સુધી પચ્ચક્ખાણ ન પારવું તે સંક૯પ કરાવી, પરમાત્માની નિષ્ઠાપૂર્વકની આરાધનાને માર્ગ બતાવી સેવકને કૃતાર્થ કર્યો.
Page #6
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૨૦૩૧–૩૨માં મૂળ વિધિથી ઉપધાન તપનું વહન કરાવી આપશ્રીએ મેાક્ષની માળા પહેરાવી સાધના માટે અપૂ ભાવેાલ્લાસ પ્રગટાવ્યા.
વિ. સ. ૨૦૧૪થી ૨૦૩૩ સુધી એટલે કે ૧૯ વર્ષ સુધી અવારનવાર આપશ્રીના સંપર્કના સતત લાભ મળતા જ રહ્યો. જ્યારે જ્યારે આપશ્રી પાસે વસવાનું થયું, ત્યારે ત્યારે આપશ્રીએ કરુણાપૂર્ણ હૃદયથી ઠીક ઠીક સમય આપીને મેહાંધકારથી વ્યાપ્ત મારાં હૃદયરૂપી નયનને જિનપ્રવચનરૂપ અમૃતનું અંજન કરાવ્યું. અનેક એકાન્ત આગ્રહની પકડમાંથી મને છેડાવ્યા. આત્માનું અને પરમાત્માનું પરમ સૌં. સમજવ્યું. “આત્મસ્વરૂપના અનુભવ પ્રાપ્ત કરવા એ આ વનનુ ધ્યેય છે.” એમ નક્કી કરાવ્યું, જિનશાસનનુ વ્યવહાર અને નિશ્ચય ઉભયાત્મક સ્વરૂપ સમજવ્યું. પરમાત્મપદની પ્રાપ્તિન ઉપાયા બતાવી, પરમાત્માના દર્શન, મિલન, પૂજન અને સ્પેનને દિવ્યમાર્ગ બતાવી આત્મામાં પરમાત્મભાવના અનુભવ પ્રાપ્ત કરવાનું તત્ત્વામૃત પાયું, અને મેાક્ષમાગે સંચરવાની દિવ્ય કળા શીખવાડીને આ દાસ ઉપર મહાન ઉપકાર કર્યો.
માતા જેમ પોતાના બાળકની સારસંભાળ રાખે, પિતા જેમ પુત્રને કેળવવા માટેની કાળજી રાખે, ગુરુ જેમ શિષ્યામાં સવિદ્યાને વિનિમય કરે અને પરમાત્મા જે રીતે પેાતાની કરુણાને પાત્ર-અપાત્રને વિચાર કર્યા સિવાય વરસાવે તે રીતે આપે મારા જેવા તુચ્છ, સંસારમાં ફસાયેલા, અવિનયી, અપરાધી અને અજ્ઞાની ધ્વની માતાની જેમ સંભાળ રાખી, પિતાની જેમ ધાર્મિક વ્યવહારના ખાધ આપ્યાં, ગુરુની જેમ મારા જીવનમાં આત્મસાધનાને માર્ગ બતાવી મારા જીવનમાં સાધનાનું સપ્રદાન કર્યું અને પરમાત્માની જેમ પ્રેમ, કરુણા અને સ્વાત્સલ્ય આપ્યાં. આ રીતે મારા ઉપરના આપશ્રીના અન ત ઉપકારને અનંત અનંત વાર પ્રણામ કરૂ , સમયે સમયે યાદ કરૂં છું. મારા જેવા સંસારના કીચડમાં ફસાયેલા એક પામર આત્માથી
Page #7
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર મહામંત્રના વિષયમાં “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર” પુસ્તક તૈયાર થયું અને નવપદ-સિદ્ધચક્રના વિષયમાં “શ્રીપાલ અને મયણના આધ્યાત્મિક જીવન રહો ” પુસ્તક તૈયાર થયું છે. તેમાં કવળ આપશ્રીની કૃપાનો જ પરમ પ્રભાવ છે.
- જૈન શાસ્ત્રો અને આપના દિવ્ય અનુભવના આધારે આપે સં. ૨૦૧૪ થી અનેક ધ્યાન પ્રયોગ શીખવવાનું શરૂ કર્યું. અને તે મુજબ આપની નિશ્રાએ સાધના કરાવતા. સાધનામાં થતા અનુંભવો ઉપરથી સાધનાના વિકાસ માટે આપ નવા નવા ધ્યાન પ્રયોગ શીખવવાની કૃપા કરતા જ રહ્યા. તે રીતે ૧૦ વર્ષ સુધી એટલે ૨૦૩૩ સુધી આપે ધ્યાન સંબંધી માર્ગદર્શન આપી મારા ઉપર દિવ્ય ઉપકાર કર્યો. - આપની પાસેથી પ્રાપ્ત થયેલ દિવ્ય સ્થાન પ્રક્રિયાને લાભ ચોગ્ય આત્માઓને પ્રાપ્ત થાય તે હેતુથી આ પુસ્તક તૈયાર થયું છે, તેમાં આપની મહાન પ્રેરણું જ કામ કરી રહી છે.
આપના લેહીને અણુએ અણુમાં નમસ્કાર મહામંત્રનું ગીત ગૂંજી રહ્યું હતું. આપના આત્માના પ્રદેશ પ્રદેશ વિશ્વ કલ્યાણની ભાવનાનું સંગીત ગુંજારવ કરતું હતું. આપના હૃદયના ધબકારે ધબકારે “અહ”ના નાદને ધ્વનિ ચાલતો હતો. :મારા આત્મકલ્યાણને માટે, મને સન્માર્ગે વાળવા માટે આપશ્રીએ અથાગ પ્રયત્ન કર્યો છે, મને ઘણું માર્ગદર્શન આપ્યું છે અને તે માગે ચાલવાનું બળ કરૂણાના સાગર, કૃપાના અવતાર, વાત્સલ્યના પરમ ભંડાર દેવાધિદેવ પરમાત્મા નિરંતર મને આપતા રહે અને મારા માટેની આપશ્રીની બધી અભિલાષાઓ પાર પડે તેવી પ્રભુને હાદિક પ્રાર્થના કરું છું.
અપને ચરણુકિંકર ૨૦૪૩, ફાગણ સુદ ૬
બાબુ કડીવાળાની ગિરનાર તીર્થ
આપના ચરણકમળમાં કોટિ કોટિ
ભાવભર્યા નમસ્કાર ! ! !
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
પરમ શાસન પ્રભાવક, ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન, નસરકાર મહામંત્ર અને નવપદના પરમ આરાધક, અધ્યાત્મયોગી, પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી મહારાજની કરણદૃષ્ટિના મહાન પ્રભાવથી “સાલખન ધ્યાનના પ્રયોગો – આ પુસ્તક પ્રગટ કરતાં અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ.
પરમ પૂજ્ય સંઘસ્થવિર પૂજ્ય બાપજી મહારાજના સમુદાયના પરમાત્મભાવ સંનિષ્ઠ, આગમ વિશારદ પૂ. જ બૂવિજયજી મહારાજ સાહેબે આ પુરતકની પ્રરતાવના લખી આપી અમારા ઉપર મહાન કૃપા કરી છે. શ્રી જિન આગમના સંશોધન અને પ્રકાશનમાં સદા રક્ત શ્રી અંબૂવિજયજી મહારાજે પિતાના હૃદયમાં રહેલ ધ્યાન શક્તિને પ્રભાવ આ પ્રસ્તાવનામાં બતાવી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે.
વર્તમાન જગતમાં ઉપલબ્ધ ભૌતિકતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી, શરીરની સગવડે ઘણું મળવા છતાં માણસ આજે માનસિક રીતે પીડાઈ રહ્યો છે. સૌ કોઈ આમાંથી છુટકારો શોધે છે. સૌ કોઈ મનની પ્રસન્નતા, શાંતિ, આનંદ, સુખ, નિર્ભયતા ઈચ્છે છે. આ બધુ કેવી રીતે મળે તે જ આપણી સમક્ષ સૌથી મટે પ્રશ્ન છે, તે માટે મનની સ્થિતિ બદલવી જરુરી છે.
મનની સ્થિતિ બદલવા આપણી પાસે “સાલંબન ધ્યાનમાં એક અદ્ભુત ઉપાય છે. આ પ્ર દ્વારા ધ્યાનમાં આપણે પરમાત્માનું સાનિધ્ય અનુભવી શકીએ છીએ. પરમાત્મા અચિંત્ય, અનંત શક્તિ, પરમ આનંદ અને અવ્યાબાધ સુખના દિવ્ય ભંડાર છે. તેનું
Page #9
--------------------------------------------------------------------------
________________
સાન્નિધ્ય અનુભવવાની, પરમાત્માનુ‘ દિવ્ય મિલન કરવાની પ્રક્રિયા આ પુસ્તકમાં બતાવવામાં આવી છે.
જેવી રીતે લેાખડના ગાળાને અગ્નિમાં રાખવામાં આવે તા તે અગ્નિના બાળવાના ગુણને ધારણ કરે છે, તેવી રીતે પરમાત્માના ધ્યાનથી ૫રમાત્મા સાથે તન્મયતા, તદ્રુપતા, અને એકતા સધાય છે. તે વખતે સાધકમાં પરમાત્માની શક્તિ કાર્યશીલ થાય છે. સાધકમાં પરમાત્માના ગુણ્ણાના આવિર્ભાવ થાય છે. વળી, આને લીધે મનુષ્યની જૂની ટેવામાં પરિવર્તન થતાં તેને નવું મન, નવું જીવન, દિવ્ય જીવન મળે છે. શાક, ચિંતા, અશાંતિ, અને ભયના સ્થાને આનંદ, સુખ, શાંતિ અને નિર્ભયતાથી પરિપૂર્ણ જીવન અનુભવાય છે.
આ પુસ્તકમાં બાળકથી માંડીને આત્મરમણતા સુધીની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા અનેક પ્રયાગા બતાવવામાં આવ્યા છે. આપણે આપણી પ્રાકૃત સ્થિતિમાંથી ઉત્તરાત્તર આગળ પ્રગતિ કરવાની છે. દરેક પેાતાની ભૂમિકા પ્રમાણે આગળ વધવાનું છે. વર્તમાન કાળમાં જગતમાં અનેક પ્રકારનાં ધ્યાન કરવામાં આવે છે. જૈન પૂર્વાચાર્યાએ ધ્યાનયેાગના વિષયમાં અનેક ગ્રંથમાં અનેક સ્થળે કહ્યું છે. પૂ. પ ભદ્ર કરવિજયજી મહારાજ સાહેબ આપણા સમયના એક પરમ ધ્યાનયોગી પુરૂષ થઈ ગયા છે. આ પુસ્તકના લેખકને તેમની પાસે ૨૩ વરસ સુધી રહેવાને સુયેાગ પ્રાપ્ત થયા હતા. આપણા પૂર્વાચાર્યો રચિત ગ્રંથ અને અનુભવના આધારે પૂજ્ય ગુરૂમહારાજ પાસેથી પ્રસાદીરૂપે અનેક અનુભવસિદ્ધ ધ્યાન પ્રક્રિયા આ પુસ્તકના લેખકને મળી હતી. વર્ષો સુધી તે ધ્યાન પ્રક્રિયાના પ્રયાગાત્મક અભ્યાસ કર્યા પૂછી, તેમાંથી પ્રાપ્ત થયેલ અનુભવનું અવલંબન લઈને આ ગ્રૂપમાં લેખકે અનેક ધ્યાન પ્રયોગા ખતાવ્યા છે. જૈન શાસનમાં જાયેંગ માટે જે પ્રક્રિયા બતાવવામાં આવી છે તે ખ઼ીને હરાઈને માન દ
4.
Page #10
--------------------------------------------------------------------------
________________
થશે જે કેાઈ આ પ્રયોગની સાધના કરશે તે જ તેના ફળ સુધી પહોંચી શકશે. ધ્યાનના ફળ સુધી પહોંચવા માટે માત્ર તેનું વાંચન કે વિચારણું પર્યાપ્ત નથી, પરંતુ ધ્યાનના પ્રયોગનું જીવનમાં નિષ્ઠાપૂર્વક આરાધના કરવાથી જ અનુભવ સુધી પહોંચી શકાય છે.
સાલંબન ધ્યાનની પ્રવેગે દ્વારા મન બદલી શકાય છે. જૂની ટેનું પરિવર્તન કરી શકાય છે. આ પુસ્તકમાં અનુભવસિદ્ધ પ્રાગે છે. આ પ્રયોગ દ્વારા જીવન પરિવર્તન થાય છે. આર્ત-રૌદ્ર ધ્યાનને સ્થાને ધર્મધ્યાન; દુઃખ, ભય, શેક, ચિંતાને બદલે સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતા; જગતના પદાર્થો તરફની આસક્તિને લીધે થતી તાણ (tention) ને સ્થાને પરમાત્મા પ્રત્યેની અભિમુખતા અને તેથી દિવ્ય આનંદ અને સુખની અનુભૂતિ; કેધ, માન, માયા, લેભથી થતા ત્રાસમાંથી છુટકારો મેળવી જીવ ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતેષને આનંદ મેળવે છે. ઈર્ષા, અસૂયા, સ્વાર્થવૃત્તિ, વિર, વિરોધના સ્થાને મિત્રી, પ્રેમ, વાત્સલ્ય, પ્રદ, કરુણાથી સાવનું હૃદય ઊભરાય છે. ભૌતિકતાને સ્થાને આધ્યાત્મિકતાના દ્વાર ખૂલે છે. અને દિવ્ય આનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિના ભંડાર આત્મતત્ત્વનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે. વ્યક્તિત્વનું કોચલું તૂટીને અમર્યાદ અમરત્વ તરફ પ્રયાણ શરૂ થાય છે. જ્યારે આપણું મન પરમાત્માના ચિંતન તરફ વળે છે, ત્યારે બધું જ સુલભ થવા લાગે છે. પરમાત્માની અનંત કરુણાશક્તિ સાધકને અમર્યાદ આનંદ અને સુખના ભંડાર આત્મામાં કેવી રીતે લઈ જાય છે તેને પ્રત્યક્ષ અનુભવ આ પુસ્તકના પ્રયોગો દ્વારા થાય છે. વળી, મિથ્યા દર્શનને સ્થાને સમ્યગ્દર્શન જાગે છે, અને આપણને વાસ્તવિક દિવ્ય જીવન લાધે છે. સાલંબન ધ્યાનના પ્રયોગો તે ચેતના ઊર્ધ્વગમનની દિવ્ય પ્રક્રિયા છે........ -- કેટલીક જગ્યાએ ધ્યાનમાં ભાવિત બની સ્થિર થવા માટે વચ્ચે
Page #11
--------------------------------------------------------------------------
________________
વચ્ચે પ્રાર્થનાઓ મૂકેલી જણાશે. ધ્યાનમય પ્રાર્થના એટલે ફરી ફરી શબ્દો ઉચ્ચારવા એમ નથી. ધ્યાનમય પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગુહ્ય વાર્તાલાપ, પરમાત્માના ગુણ અને સ્વરૂપનુ ચિંતન અને તે દ્વારા અનુભવ. પ્રાર્થના દ્વારા અંતે આત્માનુ` પરમાત્મા સાથે અનુસંધાન થાય છે.
જે
ભાવના ભવનાશિની છે. આ પુસ્તકના પ્રયોગામાં ભાવના બતાવી છે, તેમાં કેટલાક પ્રયોગામાં auto suggestion સ્વયંસૂચનની પ્રક્રિયા પણ છે. આજની ભાષામાં તેને બ્રેન વેશી ગ Brain washing કહી શકાય. જો કે ભાવના તા તેના કરતાં પણ ઊંચી વસ્તુ છે. ભાવના દ્વારા મનુષ્યના જૂના સંસ્કાર ધોવાઈ જાય છે અને નવા સસ્કારી જાગે છે.
પાણી પણ અમૃત છે. એ અમૃત છે એવુ` ભાવન કરવાથી પાણી પણ અમૃતરૂપે ફળે તેવું શ્રી કલ્યાણુમંદિર તેંાત્રમાં શ્રી સિદ્ધસેન દીવાકર સૂરીશ્વરજી મહારાજ કહે છે. ભાવના દ્વારા એક બિન્દુ એવું આવે છે કે જેનાથી જીવનની દિશા પરિવર્તન થાય છે. આ પુસ્તકમાંના પ્રયાગામાં ઘણા સ્થળે આ સિદ્ધાંતની પ્રતીતિ થશે. પ્રથમ ‘આમુખ’ વાંચ્યા પછી જ આગળ પુસ્તક વાંચવું,
શ્રી બાબુભાઈ કડીવાળાને ગુરૂકૃપા દ્વારા મળેલ ધ્યાન સાધનમાં અદ્ભુત રહસ્યાના આપ સર્વને ભાગીદાર બનાવવા માટે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. સાધના દ્વારા પ્રાપ્ત થયેલ અણુમેલ રત્નાના લાભ આપ વાચક મિત્રોને મળે તે હેતુથી જ આ પ્રકાશન કરતાં અમે દિવ્યાનદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાં લખેલ કેટલીક હકીકતા સાધના દ્વારા જ સમજાય તેવી છે. કેટલીક વસ્તુ ધ્યાન શિબિરનું આયેાજન આ પુસ્તકના લેખક દ્વારા કરવામાં આવે ત્યારે પ્રત્યક્ષ પણ સમજી શકાશે.
-
Page #12
--------------------------------------------------------------------------
________________
પૂ. પં. ભંકરવિજયજીના સ્વહસ્તે લખાયેલ ચિતનધારા” થાડા વખત પહેલાં જ અમારા આ ટ્રસ્ટ તરફથી પ્રકાશન કરવામાં આવેલું.
૧૦
શ્રી જિનશાસનની કૃતજ્ઞભાવે સેવા કરવા માટે આ પુસ્તકના પ્રકાશન માટે અમને જે તક મળી છે તે માટે દેવગુરૂના ચરણુમાં ક્રાટી કોટી પ્રણામ કરીએ છીએ.
સૌ કોઈ આ પુસ્તકના વાંચન, મનન નિદિધ્યાસન અને ધ્યાન દ્વારા આત્મકલ્યાણના પંથે આગળ વધે એ જ શુભેચ્છા.
લિ.
મહાવિદેહ’
૨૨, મહાવીર નગર, નવસારી
2. ન. ૩૧૩૬ (R) ૧૨૦૭ (O)
શાક ભાજીભાઈ કડીવાળા મેનેજીંગ ટ્રસ્ટી. બાબુભાઈ કડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ
LE
Page #13
--------------------------------------------------------------------------
________________
આ મુખ સાલંબન ધ્યાનના પ્રયોગો સમતાભાવનિષ્ઠ, પૂજ્યપાદ, પંન્યાસજી ભગવંત શ્રી. ભદ્રંકર વિજયજી મહારાજ
જેમણે જગતને મૈત્રીનું અમૃત પાયું, જેમણે જગતને યોગ-સામ્રાજયનો મહિમા સમજાવ્યો, જેમણે જગતને ખમવાની કળા શીખવાડી, જેમણે જગતને શ્રી નવકારની માયા લગાડી, જેમણે જગતને સ્યાદ્વાદને બોધ પર, જેમણે જગતને “નમનનું રહસ્ય સમજાવ્યું, જેમણે જગતને ચિંતામુક્તિને ઉપાય સમજુ, જેમણે જગતને આત્મતત્વને મહિમા સમજાવ્યું, જેમણે જગતને “આભાર”નું મૂલ્ય સમજાવ્યું, જેમણે જગતને આત્મ સમભાવનું દાન કર્યું, જેમણે જગતને અહિંસા, સંયમ અને તપને સમતામય
માર્ગ સ્વ-જીવન દ્વારા ઉપદેશ્યો, જેમણે જગતને ભદ્રંકર આત્મસ્નેહ વડે ભજવ્યું, જેમણે “શિવમસ્તુ સર્વ જગત' ની ભાવના વડે વાયુ મંડળને
સુવાસિત કર્યું જેમણે જૈનશાસ્ત્રો મુજબની અનેક ધ્યાન પ્રક્રિયા છે.... આત્માઓને શીખવાડી. જેમણે યોગ્ય આત્માઓને આત્મ અનુભવને જિનકથિત દિવ્ય.
માર્ગ બતાવ્યું,
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧
તે......
પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, ગુરૂદેવ, પન્યાસજી ભગવત, શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના સમભાવ ભાવિત શ્રી અરિહંત ધ્યાનમગ્ન આત્માને કેટિ કોટિ નમસ્કાર સાથે આ ગ્રંથ શરૂ કરવામાં આવે છે.
સાલ બન એટલે આલંબન સહિતનું ધ્યાન. શુદ્ધ આલંબનૈામાં સર્વ શ્રેષ્ડ આલન પરમાત્માનું જ છે.
અરિહંત પરમાત્મા જે ધ્યાનના કેન્દ્રમાં હોય તે સાલઅન ધ્યાન છે.
‘“પ્રયાગ’” ધ્યાન પ્રક્રિયા જાણવી એ જરૂરી છે. પણ એ જાણવા માત્રથી આપણે કાર્યસિદ્ધિ સુધી પહેાંચી શકતા નથી. ફળાદેશ સુધી પહેાંચવા માટે આપણે પ્રયાગ કરવે! જોઈએ. શાસ્ત્રીય પરિભાષામાં પ્રયાગ એટલે ક્રિયા. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું પણ છે કે જ્ઞાનયિામ્યાં મોક્ષઃ । આપણે સૌથી પ્રથમ ધ્યાનપ્રક્રિયા જાણવી જોઈએ. અનેક દૃષ્ટિબિન્દુએથી જાણવી તે જ્ઞાન કહેવાય. અને તે મુજબને પ્રયોગ (ક્રિયા) કરવા જોઈએ. આ રીતે જ્ઞાન + ક્રિયા = કાર્ય સિદ્ધિ
આપણે ક્રિયા પણ ધ્યેય શુદ્ધિપૂર્વક કરવી જોઈએ. આપણુ ધ્યેય શું હેવુ તેઈએ ? આ અ ંગે આ પુસ્તકના લેખકને વર્તમાન સમયના મહાન ધ્યાનયોગી શ્રી પ. ભદ્રંકરવિજયજી સાથે વિ. સં. ૨૦૧૩ ના ચૈત્ર સુદ ૧૩ના દિવસે જે વાર્તાલાપ થયા હતા તે આ પુસ્તકના પાંચમા પાડમાં નેવેલે છે.
પ્રભુ નામે આનંદ કંદ' ના વાકયમાં પ્રભુ નામે એ સિદ્ધાંત (principle) છે, આનદના કદ ફળ ( result ) છે. પણ આ વસ્તુ જાણવા માત્રથી કાની સિદ્ધિ થતી નથી. સિદ્ધિનું સમીકરણ ફાર્મ્યુલા છે :~
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
Principle + Application = Result. સિદ્ધાંત + પ્રયાગ = ફળને અનુભવ.
ધ્યાન’ એટલે ધ્યેયાકાર ઉપયોગ. ધ્યાન =જાપ્રય સંવિતિ !! (જ્ઞાનસાર ધ્યાનાષ્ટક) ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ અર્થાત વિનતીય જ્ઞાનના અંતર રહિત સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધ્યાનની અનેક પ્રક્રિયા અને વ્યાખ્યા આ પુસ્તકમાં આપવામાં આવી છે. ધ્યાન પ્રક્રિયા અનેક પ્રકારની એટલા માટે બતાવી છે કે એ ભિન્ન ભિન્ન રુચિવાળા અને ભિન્ન ભિન્ન પ્રકારના ક્ષયાપશમવાળા આત્માને લાગુ પડે. અને દરેક સાધક પેાતાની ચે1ગ્યતા મુજખ્મ સાધનામાં વિકાસ સાધી શકે છે.
જ્યારે આપણું મન ચિંતા, ભય, શાક, અશાંતિ, ટેન્શન (તાણુ) આદિથી પીડાતું બંધ થાય ત્યારે તે ધ્યાનને ચેાગ્ય બને છે. આજકાલ જેને લેકા ટેન્શન કહે છે તેને મહાપુરૂષા આત્ત ધ્યાન-રૌદ્રધ્યાનની પીડા કહે છે. સૌથી પ્રથમ પીડા શાંત કરવી જોઈએ. આ પીડા શાંત કરવા માટે પરમાત્માની અનંત કરુણા શક્તિની સહાયથી દુ:ખ, ભય, ચિંતા, અશાંતિ આદિમાંથી છુટકારો મેળવી સુખ, શાંતિ, આનદ અને નિર્ભયતાના અનુભવ કરવાની દિવ્ય અનુભવસિદ્ધ પ્રક્રિયા પ્રયાગ નં. ૧ માં બતાવી છે.
પરમાત્માની કરુણા શક્તિની સહાય લઈને મિલન વાસના, દુષ્ટ ભાવે અને પાપ વૃત્તિઓમાંથી કેવી રીતે છુટકાર મેળવવા તેની પ્રક્રિયા ધ્યાનપ્રયાગ ત. ૨ માં બતાવવામાં આવી છે.
ઉત્તમ ગુણેના સુવાસથી ભરપૂર આપણું જીવન કેવી રીતે બનાવી શકાય તે અંગેની ધ્યાન પ્રક્રિયા પ્રયાગ નં. ૩ માં બતાવવામાં આવી છે.
પરમાત્માના દિવ્ય પ્રકાશના આલેખન દ્વારા આનદના મહા
Page #16
--------------------------------------------------------------------------
________________
સાગર આત્મામાં સ્થિર બની આનંદનો અનુભવ કરવાની ધ્યાન પ્રક્રિયા પ્રિયેગ નં. ૪ માં બતાવવામાં આવી છે.
જગતના સર્વ જીવો સાથે મૈત્રી ભાવનું અનુસંધાન કરવાની દિવ્ય પ્રક્રિયા ધ્યાન પ્રગ નં. ૭ માં બતાવવામાં આવી છે.
અનેક દિવ્ય અનુભવ સિદ્ધ ધ્યાન પ્રક્રિયા આ પુસ્તકમાં બતાવવામાં આવી છે.
દરેક સાધકે પોતપોતાની ભૂમિકા અને યોગ્યતા મુજબ આગળ વધવું.
“શ્રીપાલ અને મયણના આધ્યાત્મિક જીવન રહો” નામનું પુસ્તક કે જેમાં જીવનની જવલંત સફળતા પ્રાપ્ત કરવાની ચાવી છે, તેનું આપે અધ્યયન કર્યું હશે.
શ્રીપાલ અને મયણા તે પિતાનું જીવન પરિપૂર્ણ રીતે સફળ કરી ગયાં. તેઓ કર્મકૃત વિચિત્ર સંજોગોમાં પણ પરમાત્માનું સતત સાનિધ્ય અનુભવતાં હતાં. તેમનું એ જીવન A Key to Radiant Success – જવલંત સફળતાની ચાવી રૂ૫ આપણે માટે પણ બની શકે છે.
જેના શરીરમાંથી કાઢને લીધે રક્તપીત વહેતું હતું તેવો પતિ મળે છતાં મયણના મુખ ઉપરની એકે રેખા વિષાદમાં બદલાઈ ન હતી. બલકે પરમાત્માની અચિંત્ય શક્તિના પ્રતાપે તેઓનાં કાર્યોની સિદ્ધિ થતી રહી. શ્રીપાલને જયારે દરિયામાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે પણ તેના હૃદયમાં તો પરમાત્માનું ધ્યાન ચાલુ રહ્યું હતું. એક વખત દુશ્મન રાજાએ ઉજજયિની નગરીને ઘેરે ઘા અને આખું નગર ભયગ્રસ્ત થયું, પણ તે વખતે કેવળ મયણુ જ નિર્ભય રહી હતી. નગરજને દુશ્મનની શક્તિનો વિચાર કરતા હતા, ત્યારે મયણું
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫
પરમાત્માની શક્તિને વિચાર કરતી હતી. નગરને રાજા, સરસેનાપતિ, લશ્કર, પ્રધાના અને નગરજતા દુશ્મનની એ શક્તિને લીધે ભયગ્રસ્ત થઈ ગયાં હતાં, તે વખતે પરમાત્માની અચિંત્ય શક્તિઓથી મયણાg મત અને હૃદય ભયું' ભર્યું રહેતુ. હાવાથી મયાસારા નગરમાં એક જ નિર્ભય હતી.
આ વિચાર માંથી સાલબત ધ્યાનના પુસ્તકનુ સર્જન થઈ શકયું છે. સાલ બને ધ્યાનના આ પુસ્તકના પ્રયાગા દ્વારા પરમાત્માની અચિંત્ય શક્તિના પ્રભાવે આપણે પણ પૂર્ણ સફળતાભર્યું જીવન બનાવી શકીએ એમ છીએ. મેક્ષ પ ંતની યાત્રા નિર્વિઘ્ન રીતે પૂરી કરી શકીએ છીએ અને આપણે સુખ, શાંતિ, આનંદ અને નિર્ભ– યતાથી પરિપૂર્ણ જીવન જીવી શકીએ છીએ.
પ્રિય વાચક મિત્રો ! તમે તમારા જીવનનું લક્ષબિન્દુ નક્કી કરી. તમારા અતિમ લક્ષનુ` સ્પષ્ટ ચિત્ર તમારી સમક્ષ ઉપસ્થિત કરા. પરમાત્માની દિવ્ય શક્તિને અચિંત્ય પ્રભાવ તમારી અંદર કા કરી રહ્યો છે, તેવું સતત સ્મરણ રાખેા અને તમારું જીવન સુખ, આનંદ, શાંતિ, નિર્ભયતા, સ` પ્રત્યે પ્રેમ અને મૈત્રો, સમૃદ્ધિ અને આરોગ્યથી ભર્યું ભર્યું બની જશે. આ પુસ્તકમાં તે માટેના પ્રયાગ બતાવ્યા છે. તેની તમારા વનમાં નિયમિત સાધના કરે. પ્રયાગમાં બતાવેલ રીતે અથવા તે તમારી આંતરપ્રેરણા મુજબ ધ્યાનમાં આગળ વધેા. તમને જે જોઈએ છે, તમારે જેવા બનવું છે તેનું -સ્પષ્ટ ચિત્ર તમારી સમક્ષ રાખેા. સફળતા તમારા હાથમાં જ છે. દા. ત., સૌથી મોટા સંકલ્પ કે “આવતા જન્મમાં વિહરમાન તીર્થંકર દેવાધિદેવ ભગવાન સીમંધર સ્વામી જ્યાં વિચરી રહ્યા છે ત્યાં તમારા જન્મ થાય. આઠે વરસની ઉંમરે તમે ભગવાનના હસ્તક દીક્ષા અંગીકાર કરા; પ્રભુ આજ્ઞા મુજબ જીવન જીવી આત્માનુભવયુક્ત ચારિત્ર પાળેલ. અને શુદ્ધ આનંદ સ્વરૂપ પ્રગટ કરે.” તમારા આવા
Page #18
--------------------------------------------------------------------------
________________
મહાન અને દિવ્ય મનોરથ જરૂર પૂર્ણ થનાર છે. ( તે માટે જુએ પ્રયોગ નં. ૩૪). આ જીવનની સામાન્ય ઘટનાથી માંડીને મેક્ષ પર્વતની સર્વ સુખસંપદાની પ્રાપ્તિ માટે તમારે શું કરવું તે પ્રયોગાત્મક રીતે આ પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે. તમારી પ્રકૃતિને અનુકૂળ હોય તે પ્રાગ તમે કરી શકે છે. આ માટે તમારી ગ્યતા કેળવવા તમારે શું કરવું જોઈએ તે પણ આ પુસ્તકમાં યોગ્ય સ્થળે. અવસરે અવસરે બતાવવામાં આવ્યું છે. જિનેશ્વરની આજ્ઞાનું પાલન તે જ યોગ્યતા છે. તમારું જીવન પ્રેમ, કરુણા, આનંદ, સુખ, શક્તિઓ અને સમૃદ્ધિથી પૂર્ણ બનાવવા માટે પરમાત્મા તમને સહાયભૂત થવા તત્પર છે. પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરે. અને પરમાત્મામાંથી આ બધી દિવ્ય શક્તિઓ વિસ્ફોટ થઈ તમારામાં ફેલાય. છે. તમે આ દિવ્ય વસ્તુઓથી પરિપૂર્ણ બની તે સ્વરૂપ બને છે. તેવી સાધના નિયમિત કરે. તમારું જીવન પ્રેમ, કરુણું, આનંદ, સુખ, શક્તિ, સમૃદ્ધિથી ભરેલું તમે અનુભવશે. (જુએ પ્રયોગ ન ૫)
જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ગભરાશે નહિ, નાસીપાસ થાઓ નહિ; પરમાત્માની અચિંત્ય શક્તિ સમક્ષ, તમારી મુશ્કેલી તે મામૂલી વસ્તુ છે. તમને જીવનમાં અમુક સંજોગોમાં extra protection વિશેષ રક્ષણની જરૂર પડે ત્યારે તમારા હૃદયમાં રહેલા પરમાત્માની દિવ્ય શક્તિને પ્રકાશ પ્રસરી તમારી ચારે બાજુ આભામંડળ રચે છે તેવી કલ્પના કરે. અને પરમાત્માની દિવ્ય શક્તિઓનું આભામંડળ તમારી ચારે તરફ છે તેવું ધ્યાન કરે. (જુઓ પ્રગ નં. ૬ અને તેની સમીક્ષા.) તમને વિશેષ રક્ષણાત્મક બળ મળશે. વળી, તમારી ચારે બાજુ રચાયેલ આભામંડળના પ્રભાવે તમારી પાસે આવનાર અશાંત મનુષ્ય શાંત બનશે. અધમ હશે તે તમારી પાસે આવતાં ધમ બનશે. દુઃખીને સુખનો અનુભવ થશે. અશ્રદ્ધાળુ હશે તે શ્રદ્ધાળુ બનશે. તમે જગતના લેકેની સાચી સેવા કરી તેમને પરમાત્માને માર્ગ બતાવી શકશે.
Page #19
--------------------------------------------------------------------------
________________
તમારી અંદર રહેલ આત્મશક્તિને કેવી રીતે પરમાત્માના ધ્યાન દ્વારા જાગૃત કરવી, જાગૃત થયેલ આત્મશક્તિને કેવી રીતે સૌમ્ય બનાવવી અને પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા આત્માના આનંદને અનુભવ કેવી રીતે માણવો અને જાગૃત શક્તિને જગતના જીવોને કલ્યાણ માટે કેવી રીતે ઉપયોગમાં લેવી તે માટે જુઓ પ્રયોગ નં. ૩૦
વકતૃત્વની અખંડ ધારા અને ધર્મના સિદ્ધાંતોના રહસ્યનું જ્ઞાન કેવી રીતે મેળવવું–તે માટે જુઓ પ્રયોગ નં. ર૭. .
આજના કરેલા ધર્મનું ફળ આજે જ કેવી રીતે પ્રાપ્ત કરવું તે માટે જુઓ પ્રાગ નં. ૧૭.
- પરમાત્માની ભક્તિ એ વિશ્વ પરનું અમૃત છે. તે ભક્તિ પરાકાષ્ઠા સુધી પહોંચાડી આત્મસાક્ષાત્કાર કેવી રીતે કરવો તે માટે જુએ પ્રયોગ નં. ૧૮.
સિદ્ધચક્ર એ Cosmic Dynamo છે. તેને ધ્યાન પ્રક્રિયા દ્વારા કેવી રીતે કાર્યશીલ operate કરો અને શ્રીપાલ અને મયણું જેવું સમૃદ્ધ, ભક્તિમય, પ્રભુમય જીવન કેવી રીતે બનાવવું તે માટે જુએ પ્રવેગ નં. ૨૨, ૨૩, ૨૪.
સારની મીઠાશનું વર્ણન કરવામાં આવે એટલે તે ખાવાનું મન થાય. પણ સાકરને સ્વાદ તે તેને ટુકડો મોંમાં મૂકવાથી જ આવે છે. તેમ આ ધ્યાનપ્રયોગો જીવનમાં પ્રેકટીકલ રૂપે કરવાથી જ તેના અમૃતમય આસ્વાદને અનુભવ થાય છે.
* આત્મશક્તિ જાગરણ (કુંડલિનીનું ઉત્થાન) સમયે અનેક પ્રકારની શારીરિક, માનસિક વિકૃતિઓ ઉત્પન્ન થાય, તેમાંથી બચવા પરમ પૂજ્ય હેમચંદ્રસૂરિજી મહારાજે બતાવેલ આ પ્રયોગ જગતના શક્તિા જાગરણના પ્રયોગોમાં સર્વ શ્રેષ્ઠ છે. ધ્યા. પ્ર. 2
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
સૌ કોઈ મહાન બનવા ઈચ્છે છે; સૌ કઈ શક્તિસંપન્ન બનવા ઇરછે છે. બધા જ તૃપ્તિ અને સમતાને આનંદ ઈચ્છી રહ્યા છે. આ માટે નીચેના નિયમો યાદ રાખે :–
(1) મહાન બનવા માટે પરમાત્માની મહાનતાને હૃદયમંદિરમાં ધારણ કરો.
(૨) શક્તિ સંપન્ન બનવા માટે પરમાત્માની અચિંત્ય શક્તિને મનમંદિરમાં ધારણ કરે.
(૩) જેટલી ભક્તિ ભગવાન પ્રત્યે હેાય તેટલી જ તૃપ્તિને અનુભવ જીવનમાં થાય છે.
(૪) જેટલી મમતા ભગવાન પ્રત્યે હોય તેટલી જ સમતાને જીવનમાં અનુભવ થાય છે.
(૫) પરમાત્માના નામને ચૈતન્યને મહાભંડાર સમજી જે મનુષ્ય નિરંતર પરમાત્માનું સમરણ કરે છે, તેને પરમાત્મા કપવૃક્ષની જેમ ફળદાયી બને છે.
આ પાંચ નિયમોનું પાલન તમારા જીવનને જવલંત સફળતા Radient Successમાં પરીણમાવશે. સફળતાનું મૂળ ક્યાં છે ? દિધ્યાન દ્વારા પરમાત્મા સાથે એકતા સાધવી.
પરમાત્માની સાથે ધ્યાનમાં એકતા થતાં, આપણે શુદ્ધ આત્મા જે અનર્ગળ આનંદ અને અનંત સુખને મહાન ભંડાર છે, તેની સાથે આપણી એકતા થાય છે, અને આત્માના અનંત સમૃદ્ધિ, આનંદ, સુખ અને શક્તિના ભંડારમાં થોડી ક્ષણ માટે સ્થિરતા થતાં જ આપણું જીવન સમૃદ્ધ બની જશે, જવલંત સફળતાનાં પાન આપણે સર કરી શકીશું. આપણું જીવન આનંદ અને સુખમય થઈ
Page #21
--------------------------------------------------------------------------
________________
છે. પરમાત્માની સાથે ધ્યાન દ્વારા એકતા કેવી રીતે સાધવી અને . તે દ્વારા અનંત સુખની ખાણું સમાન આપણું શુદ્ધ આત્મચેતન્ય. સાથે એકતા કેવી રીતે સાધવી તે આ પુસ્તકના બધા જ ધ્યાન-' સોનું લક્ષ્ય છે. ધીરજપૂર્વક દીર્ધકાળ સુધી, ખંતપૂર્વક સાધના ચાલુ રાખે. મહાનતા, સમૃદ્ધિ અને સંપત્તિ તમારી તરફ આકર્ષાઈને આવશે અને તેમાં પણ અનાસક્ત યોગ દ્વારા તમે આત્મ સમૃદ્ધિના અનંત ભંડારને પ્રાપ્ત કરશો. આત્મઅનુભવ યાને આત્મશાંતિ યાને પરમાત્માને સાક્ષાત્કાર આ પુસ્તકનો મુખ્ય હેતુ છે. તે લક્ષને મજબૂત પકડી રાખો.
બાહ્ય સંપત્તિઓ વચગાળાની પેદાશ છે. તે તે તમારી પાસે આકર્ષાઈને આવવાની જ છે. પણ તમે લક્ષને બરાબર વળગી રહે . જીવનની સર્વોત્કૃષ્ટ કક્ષાએ પહોંચવું તે જ આપણું લક્ષ છે. આત્મઅનુભવની અવસ્થા જીવનની સર્વોત્કૃષ્ટ અવસ્થા છે. આ પુસ્તકના ધ્યાનપ્રવેગે તમને આત્મઅનુભવના આનંદમાં તૃપ્ત કરી દેશે. શ્રદ્ધાપૂર્વક આગળ વધે. સફળતા તમારા હાથમાં જ છે.
તમે સ્વયં અનંત આનંદ અને ગુણના ભંડાર આત્મા છે. શક્તિને દિવ્ય ખજાને તમારામાં ભરપૂર ભર્યો છે. તેમાં પ્રવેશ કરવાની કળા તે જ સાલંબન ધ્યાનના પ્રયોગે છે. તેમાં રમતા મેળવી અમૃતને આસ્વાદ કરવા માટે જ આ પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ બધે ખજાને અધ્યાત્મયોગી પૂ. પંન્યાસ ભદ્ર કરવિજયજી મહારાજના સાનિધ્યમાં ૨૩ વરસ સુધી આ પુસ્તકના લેખક શ્રી બાબુ જઈ કડીવાળા)ને રહેવાનું થયું તે પ્રસંગે ગુરૂપ્રસાદી રૂપે મળે છે. સૌ મુમુક્ષુઓને તેને લાભ મળે તે માટે સાધના પ્રયોગોને અહીં અક્ષરદેહ આપવામાં આવ્યા છે અને જેન યોગ અધ્યાત્મ ગ્રંથોના અભ્યાસ અને ધ્યાન દ્વારા અનુભવેલાં તત્ત, પૂજ્ય ગુરૂ ભગવંત
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦.
પાસેથી આ પુસ્તકના લેખકને મળેલાં. અને આ પુસ્તકના લેખકે ૨૮ વર્ષની સાધના દ્વારા જીવનમાં જે અનુભવ અમૃત પ્રાપ્ત કર્યું તેને દિવ્ય મધુર આસ્વાદ મુમુક્ષુ આત્માઓને મળે અને પરમાત્માની દિવ્ય ભક્તિ અને ધ્યાન દ્વારા સૌ કઈ જિનેશ્વર પ્રભુના અનુગ્રહને પાત્ર બની સાધનાની સિદ્ધિ મેળવે એ જ અંતરની અભિલાષા છે.*
પૂ. પં. ભદ્રકવિજયજી મહારાજના સાનિધ્યમાં દિવ્ય રત્ન પ્રાપ્ત થયાં તેને લાભ સૌ કોઈને મળે અને ધર્મ દ્વારા પ્રાપ્ત થતું દિવ્ય સુખ, પરમ આનંદ, અલૌકિક શાંતિ સૌને મળે તે હેતુથી. આ પુસ્તક લખવામાં આવ્યું છે. આપ આ પુસ્તકમાં લખેલા પ્રગાની જીવનમાં સાધના કરશો ત્યારે આપ કઈ દિવ્ય આનંદમાં ઝૂલતા હોય તેવું આપને લાગશે. આ પુસ્તક ધીરે—ધીરે વાંચવું. પ્રયોગ કરવા માંડે અને આગળ વધે, અગર આખું પુસ્તક એક વખત સળંગ વાંચી જાઓ. પછી, બીજી વખત ધીમે-ધીમે ફરીથી વાંચીને પ્રગ કર્યું જાઓ.
આ પુસ્તક વાચકોના કરકમળમાં પૂ. પંન્યાસ ભદ્રકરવિજયની દિવ્ય ભેટ રૂપે અર્પણ કરવામાં આવે છે અને પૂજ્ય પંન્યાસજી મહારાજ તરફથી મળેલ આશીર્વાદ અને દિવ્ય રતનના આપ સ. આ પુસ્તક દ્વારા ભાગીદાર બને તેવી શુભ ઈચ્છા છે. આ પુસ્તકના પ્રયોગની સાધના આપના જીવનમાં શુભ આશીર્વાદ, મંગળમય આનંદ અને દિવ્ય સુખની લહેરે લાવશે અને આપને પરમાત્માના રક્ષણ નીચે મૂકી નિર્ભય બનાવશે.
આપણે જેવા વિચારે નિરંતર કરીએ છીએ, તેવી ચીજોનું
* પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી પાસે પાસ થયેલા કેટલાક અદ્દભુત ધ્યાન પ્રયોગ અને અનુભવો માત્ર વિશિષ્ટ કેટીના સાધકોને જ બતાવી શકાય તેવા હોવાથી આ પુસ્તકમાં રજુ કર્યા નથી.
Page #23
--------------------------------------------------------------------------
________________
આકર્ષણ આપણી તરફ થાય છે. જે આપણે પરમાત્માની અચિંત્ય શક્તિને નિરંતર વિચાર કરીશું, પરમાત્માના ગુણનું ચિંતન કરીશું, પરમાત્માનું ધ્યાન કરીશું, તો પરમાત્માની અચિંત્ય, અનંત શક્તિ આપણું અંદર કાર્યશીલ થશે અને તેથી આપણે એક સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બની શકીશું. આપણા મનમાં જે વિચારો ઘૂંટાય છે તે છેવટે ભૌતિક સ્વરૂપે પ્રગટ થાય છે. આ પુસ્તકના પ્રયોગે જેમ જેમ કરવા જશે તેમ તેમ પરમાત્માને જ નિરંતર વિચાર કરવાની ટેવ પડી જશે. તમારા જીવનમાં થતું નવસર્જન કઈ દિવ્ય અને અલૌકિક હશે. તમારું જીવન શાંતિ, આનંદ અને નિર્ભયતાથી પૂર્ણ બની જશે. આ પુસ્તકના શરૂઆતના ૧ થી ૭ પ્રગો તથા પ્રયોગ નં. ૩૪ માં લખેલ વસ્તુ વર્તમાન કાળમાં બનતી તમે કલ્પના કરજે. (આ બધું ભવિષ્યમાં બનશે તેવી કલ્પના નથી કરવાની.) એ અત્યારે જ બની રહ્યું છે તેવું વર્તમાન કાળમાં ચિંતવવું. ઉદા. તરીકે “પરમાત્માની અચિંત્ય શક્તિ મારામાં કાર્યશીલ બનશે” તેવું વિચારવાનું નથી, પરંતુ અત્યારે જ પરમાત્માની દિવ્ય શક્તિ મારી અંદર કાર્યશીલ બની છે. તેના પ્રભાવથી હું આનંદમય, સુખમય, શકિતમય બન્યો છું તેવું અનુભવવું. વસ્તુ ભૌતિક રૂપે પ્રગટ થાય તે પહેલાં મનોમય ભૂમિકા ઉપર પ્રગટેલી. તમે જુઓ. પછી પરિણામ ભૌતિકરૂપે પણ તેવું જ આવશે. પોઝીટીવ માનસ તમારી નજર સમક્ષ ઉપસ્થિત કરો", નકારાત્મક વિચાર છેડી દે.
પરમાત્મા અને આત્માના શુદ્ધ ચૈતન્ય તરફ મન કેન્દ્રિત કરે. પરમાત્માની અચિંત્ય શક્તિ તમારામાં કાર્યશીલ બનશે, આપણી વર્તમાન પરિસ્થિતિ અને પરમાત્માનું આનંદમય ધામ– એ બે વચ્ચેનું અનુસંધાન આ પુસ્તકના દયાપ્રેગે દ્વારા થશે. આ પ્રાગે તમારા અને પરમાત્મા વચ્ચે એક ચેનલરૂપ બની જશે. તમે ધ્યાન કરવા બેસે ત્યારે આગળ પાછળની
Page #24
--------------------------------------------------------------------------
________________
ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા છોડી દે. ભય, શોક, દુઃખ, અજ્ઞાન આદિ છેડીને શાંત બનીને ધ્યાન કરજે. આ કાર્યમાં પરમાત્માની કરુણ શકિત તમને મદદ કરશે. તે માટે કઈ પણ ધ્યાનપ્રયોગ કરતા પહેલાં પ્રયોગ નં. ૧ પ્રથમ કરવો. દરેક પ્રયોગમાં દર્શન પ્રથમ કરવાનું બતાવવામાં આવ્યું છે. તે દશનમાંથી સજન થશે અને સન તમને તે મુજબના સંવેદનમાં લઈ જઈ કાયસિદ્ધિ કરાવશે.
તમે ધ્યાન એટલું ઊંડાણમાં લઈ જાઓ કે જેથી તમારા આત્મામાં રહેલ અનંત આનંદ અને સુખના મહાસાગર સુધી તમે પહોંચી શકે. તે માટે પ્રયોગમાં ટપકાં ......... મૂકેલાં છે. ત્યાં સ્થિર બને અને ઊંડાણમાં જાઓ.
આ પ્રયોગો સામુદાયિક રીતે પણ થઈ શકે છે. જ્યારે કોઈ એક જ વિચાર બે કે તેથી વધુ મનુષ્યને સ્પર્શે છે, ત્યારે એક માસ્ટર માઈન્ડ બને છે. તે હેતુથી ધ્યાન શિબિરોનું પણ આયોજન ચાલી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં ૩૦ જેટલી ધ્યાન શિબિરે ઉપરાંત ૧૫૦ જેટલા ધ્યાનપ્રયોગ કરવામાં આવ્યા છે. તેમાં ૪૦ જેટલા આચાર્ય ભગવંતે, ૮૦૦ જેટલા સાધુ સાધ્વી મહારાજે અને ૩૦ થી ૪૦ હજાર જેટલા આરાધકોએ ધ્યાન શિબિરમાં ભાગ લીધો છે. આ પ્રયોગ અને પ્રક્રિયા પ્રેકટીકલ કરવાના વિષયમાં શિબિરનું આયોજન થાય ત્યારે ત્યાં આપ વધુ લાભ લઈ શકે છે. જૈન શાસનમાં સામુદાયિક આરાધના, સામુદાયિક પૂજન વગેરેનું આયોજન ચાલતું આવ્યું છે, તેની પાછળ ગંભીર રહસ્ય છે. તે આ પુસ્તકના પાન નં. ૧૧૭ માં પ્રતિમા શતક ગ્રંથના આધારે બતાવ્યું છે.
ધ્યાનપ્રયોગ દ્વારા તમારું જીવન એક નવસર્જનરૂપ બની જશે. પરમાત્માની દિવ્ય શકિત તમારા જીવનમાં કાર્યશીલ બનશે. શાંતિ,
Page #25
--------------------------------------------------------------------------
________________
આનંદ, પ્રેમ, કરુણ, શકિત, જ્ઞાન અને સુખમય તમારું જીવન બની જશે.
ટૂંકમાં તમારા જીવનના તમે અભુત કલાકાર છે. દિવ્ય -કલાત્મક જીવન બનાવો. પરમાત્માને જીવનના કેન્દ્ર સ્થાનમાં પલા. તમારું જીવન પરમાત્માના સાનિધ્યથી ભર્યું ભર્યું બની જશે.
દર્શનાત દુરિત વંસી, વંદનાત વાંછિત પ્રદર ! પૂજના પૂરક: શ્રીણાં, જિને સાક્ષાત સુરકુમઃ |
God is my Instant, Constant, Abudent supply of every potent Good :
આ પુસ્તકમાં લખેલ કેટલીક વાત એવી છે કે, જે સાધનાથી જ સમજી શકાય તેવી છે. “પૂજ્ય ગુરૂ ભગવંત ધ્યાન સિદ્ધ પુરુષ હતા.” તેમના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલ કેટલીક મૌલિક અને તાત્વિક વિચારણા આ પુસ્તકમાં છે, જે સ્થિર ચિત્તે વિચારવા સાધનાપ્રેમી વાચકે ને વિનંતી છે.
આમાની અખૂટ સંપત્તિના ખજાનાને ખેલવાની દિવ્ય ચાવીરૂપ આ પુસ્તક વાચકેનાં કરકમલમાં મૂકતાં દિવ્ય આનંદ અનુભવાય છે. જીવનમાં પરમ સુખ, દિવ્ય આનંદ અને શાંતિને અનુભવ કરવાની મહાન કળથી ભરપૂર આ પુસ્તક આપણા જીવનની અણમેલ સંપત્તિરૂપ છે.
આ પુસ્તક પ. પૂ. ભદ્રકવિજયજીની પ્રેરણાનું ફળ છે. આમાં જે કંઈ સારું છે તે તેઓશ્રી પાસેથી મળેલું છે. તેઓશ્રીની કૃપાનું ફળ છે. આમાં જે કંઈ ત્રુટિ છે તે મારી પિતાની છે.
આ પુસ્તકના લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તેની ત્રિવિધ ક્ષમા યાચું છું.
Page #26
--------------------------------------------------------------------------
________________
ગિરનારજી મહાતીર્થમાં કરૂણાસાગર નેમનાથ ભગવાનની પરમ પાવનકારી, પવિત્ર છત્રછાયામાં સાધના માટે ગિરનાર ઉપર શેકાવાને અણમોલ અવસર પ્રાપ્ત થયે, તે વખતે દેવગુરુની કૃપાથી આ પુસ્તક શ્રી નેમનાથ ભગવાનના કરૂણામય પ્રકાશમાં લખાયું છે. કૃપાનિધિ પરમાત્માને દિવ્ય પ્રકાશ આપણું સૌના હૃદયમાં નિરંતર પથરાતે રહે એ જ અભ્યર્થના.
લિ. બાબુભાઈ કડીવાળા
ના પ્રણમ વંદન.
Page #27
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
અનુક્રમણિકા પ્રથમ આમુખ અને પ્રસ્તાવના વાંચ્યા પછી જ આગળ વાંચે. હોઠ પહેલે (1) અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજીની
દેશનામાં સાલંબન યાનને ઉપદેશ. ધર્મ ક્રિયામાં પ્રાણ પૂર્તિ કરવા માટે સાલંબન
ધ્યાનની આવશ્યકતા. (૩) પરમાત્માની કરુણાને ઝીલવાની દિવ્ય કળા. ૧૧ (૪) પરમાત્માની કરુણાના દિવ્ય પ્રભાવે પીડાકારક ટેના પરિવર્તનની પ્રક્રિયા
૧૩ (૫) Ideal Reality મનોમય ભૂમિકા ઉપરનું સત્ય. ૧૬
(૬) ધ્યાનની પૂર્વ તૈયારી. પ્રયોગ નં. ૧
પરમાત્માની કરુણાના પ્રભાવે દુઃખ, ભય, શોક, ચિંતા, અશાંતિ, ટેન્શનમાંથી છુટકારો મેળવી સુખ, શાંતિ,
આનંદ અને નિર્ભયતાની પ્રાપ્તિને પ્રયોગ. પ્રાગ નં. ૨
પાપ વૃત્તિઓ, મલિન વાસનાઓ અને દુષ્ટ ભાવો નાશ
કરવાને પ્રયોગ. ઝિંગ નં. ૩
પરમાત્માના ગુણ ગંગાજળમાં સ્નાન કરી ઉત્તમ ગુણોથી પૂર્ણ ભરાઈ જવાને પ્રગ.
-
૨૪
૩૧
Page #28
--------------------------------------------------------------------------
________________
૪૪.
Y૮
પ્રાગ નં. ૪
પરમાત્માના આલંબને આત્મદર્શન અને પરમ આનંદની અનુભૂતિની પ્રક્રિયા.
૩૨. પ્રાગ નં. ૫
હૃદયમાં બિરાજમાન પરમાત્મામાંથી શકિતઓ અને ગુણેને વિસ્ફોટ થવાથી પ્રેમ, કરુણા, આનંદ, સુખ, શક્તિ અને
ગુણ સમૃદ્ધિપૂર્ણ અવસ્થાને અનુભવ કરવાની પ્રક્રિયા. ૪૧ પ્રયેગ નં. ૬ (૧) પરમાત્માને અભેદ મિલનના પૂર્ણાનંદને અનુભવ
કરવાની પ્રકિયા. (ર) પહેલા છ પ્રોગોની સમીક્ષા. (૩) ઉપમિતિ મહાગ્રંથના આધારે સમસ્ત દ્વાદશાંગ રૂપ
જિન પ્રવચનના સાર રૂપ પરમ વિશુદ્ધ એવા ધ્યાનયોગ.
પસાલંબન ધ્યાનથી ચૈતન્યની મહાશકિતઓ કાર્યશીલ
બનવાથી સામાન્ય મનુષ્ય મહામાનવ બને છે. પ્રવેગ નં. ૭
મૈત્રી ભાવનાનું ધ્યાન. પરમાત્માના મહાકરૂણું ભાવમાં આપણા ભાવને ભેળવી
દેવાને દિવ્ય પ્રવેગ (in tune with the infinite). ૧૬ પાઠ બીજો
(૧) નમસ્કાર મંત્રનું ધ્યાન. પદસ્થ ધ્યાન. ૬૧. (૨) ધ્યાન માટે આસન, મુદ્રા, દિશા, માળા સંખ્યા, સમય ૬પ
૫૪
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રયોગ ન. ૮
નવકારના અક્ષરોનું ધ્યાન કરવાની વિવિધ રીતે. ૭૦પ્રયોગ નં. ૯
નવકાર મંત્રનું કમળબદ્ધ ધ્યાન તથા વિવિધ રીતે- ૭૪ પ્રયોગ નં. ૧૦
નમસ્કાર મંત્રના ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચવાની દિવ્ય પ્રક્રિયાની ઉત્તરોત્તર પ્રગતિકારક
બાર રીતે. પ્રયોગ નં. ૧૧
(૧) સાધનામાં આવતાં વિદને શાંત કરવા માટેના પ્રયોગ.
(૨) નમસ્કાર મંત્રની અચિંત્ય શકિતઓ. પાઠ ત્રીજો
રૂપસ્થ ધ્યાન–પરમાત્માની મૂર્તિના આલંબને ધ્યાન ૧૦પ. પ્રાગ નં. ૧૨ પરમાત્માના દર્શનમાં ધ્યાન.
૧૦૮ પ્રયોગ નં. ૧૩
ધ્યાનમાં દર્શન. મગ ન. ૧૪ પૂજામાં ધ્યાન.
૧૧.૧ પ્રાગ નં. ૧૫ ધ્યાનમાં પૂજ.
૧૧૨. “પ્રતિમાશતક' ગ્રંથના આધારે પરમાત્માની મહાપૂજામાં સામુદાયિક ધ્યાન પ્રક્રિયા અને તેની ફલશ્રુતિ. ૧૧૬
૧૦૮
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૩૩
૧ ૬૩
પ્રયેાગ નં. ૧૬
સ્તવનમાં ધ્યાન, પ્રાર્થના અને સ્તુતિ દ્વારા ધ્યાન, ૧૨૦ પ્રયોગ નં. ૧૭ (૧) “અમૃત ક્રિયા—આજના કરેલા ધર્મનું ફળ આજે જ
પ્રાપ્ત કરી શકાય તેવી દિવ્ય પ્રક્રિયા. ૧૩૩ પ્રયોગ નં. ૧૮
વિશિષ્ટ આરાધકે માટે જિન ભક્તિની સર્વોચ્ચ ભૂમિકા. ૧૪૮
પરમાત્મ ભક્તિના આઠ સ્ટેજ દ્વારા આત્મઅનુભવને પ્રગ. ૧૫૪ પાઠ ચેાથે પગ ન. ૧૯
બાળકે માટે સાધનાને ખાસ પ્રયોગો. પાઠ પાંચમે યેય લક્ષ.
૧૬૬ આ પુસ્તકના લેખકને દિવ્ય ગુરૂને મેળાપ થયો ત્યારે થયેલ ધ્યેયલક્ષ સંબંધને વાર્તાલાપ. પૂજ્ય પંન્યાસજી ભદ્ર કરવિજયજી સાથે “આમ
સાક્ષાત્કાર અને ઉપયોગ” વિષયને વાર્તાલાપ. ૧૪ પાઠ છઠ્ઠો
નવપલ્લું ધ્યાન. પ્રિયેાગ નં. ૨૦
નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા, પ્રયાગ નં. ૨૧
(૧) નવપદના ધ્યાનની બીજી ભૂમિકા.
૧ ૬૭
૧૭૭
૧૮૧
૧૮૪
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૩૨૨
૨૩૭
૨૪૫
(૨) નવપદની સાધના દ્વારા વિકાસક્રમની ભૂમિકાઓ. ૨૦૮ (૩) નવપદને ધ્યાનની સર્વોચ્ચ ભૂમિકા.
૨૨૦. (૪) વિશ્વની સર્વશ્રેષ્ઠ ધ્યાન પ્રક્રિયા. પાઠ સાતમે સિદ્ધચક્રનું ધ્યાન.
૨૩૬ પ્રયેગ . ૨૨
કળશની આકૃતિથી સિદ્ધચકનું ધ્યાન. પ્રવેગ નં. ૨૩ ક૯પવૃક્ષની આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન.
૨૩૭ પ્રયોગ નં. ૨૪ (૧) ચક્રાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન.
૨૩૮. પાઠ આઠમે
અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાન. પ્રાગ નં. ૨૫
સંસાર દાવાની સ્તુતિ દ્વારા ધ્યાન. પ્રયોગ નં. ૨૬
(૧) ભક્તામર સ્તોત્રની ૧૪ મી ગાથાનું ધ્યાન. ૨૪૯ (૨) વામન અને વિરાટને મેળાપ. (૩) મનની અગાધ શક્તિ.
૨પર (૪) અનુયોગ દ્વાર સૂત્રના આધારે ઉપયોગની પ્રવર્ધમાન વિશુદ્ધિ.
૨૫૬ પાઠ નવમે
વણે માતૃકાનું ધ્યાન. પ્રાગ નં. ૨૭
(૧) બારાક્ષરીના અક્ષરનું ધ્યાન. (૨) લક્ષ્મીનું અદ્દભુત સ્વરૂપ.
२४७
૨૬ ૦
૨૬૩
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૭૭
૨૮૯
પ્રયોગ નં. ૨૮ વર્ણાક્ષરોનું વિશિષ્ટ ધ્યાન.
૨૬૯ પ્રયેાગ નં. ૨૯ ગુરૂતનું ધ્યાન.
૨૭૩ પાઠ દસમો
અર્વનું ધ્યાન. પ્રયોગ નં. ૩૦ (૧) વેગશાસ્ત્રના આધારે અહંનું ધ્યાન યાને શક્તિ જાગરણનું ધ્યાન.
- ૨૮૦ (૨) શક્તિ જાગરણ અને કુંડલિની ઉત્થાન વખતે
આવતી પ્રતિક્રિયાના નિવારણની પ્રક્રિયા. (૩) પરિશિષ્ટ ત્રણઃ કુંડલિનીના વિષયમાં જૈન
Jથેના આધારે. પાઠ અગિયારમે
નામ સ્મરણ દ્વારા ધ્યાન. પ્રયોગ નં. ૩૧ નામ સ્મરણ દ્વારા ધ્યાન.
૩૦૬ પાઠ બારમે
પિંડસ્થ ધ્યાન–યોગશાસ્ત્રના સાતમાં પ્રકાશના આધારે. ૩૧૪ પ્રયાગ નં. ૩૨
પાંચ ધારણુનું ધ્યાન. પાઠ તેરમે
સિદ્ધગિરિનું ધ્યાન.
૩૦૨
૩૦ ૩
૩૧૪
૩૨૪
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨૪
૩૩૦
૩૩૧
૩૩૭
હહ. ન
४४
३४८
૩૫ર
પ્રયોગ નં. ૩૩
સિદ્ધગિરિનું ધ્યાનની દિવ્ય પ્રક્રિયા. પાઠ ચૌદમે
મહાવિદેહનું ધ્યાન. મગ નં. ૩૪
આવતા જન્મમાં વિહરમાન તીર્થકર ભગવાન પાસે પહેાંચવા શું કરવું ? ધ્યાનમાં મહાવિદેહ તરફ પ્રયાણ. ધ્યાનમાં સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ ભાવજિનેશ્વર સિમંધર સ્વામીનું દર્શન. પરમાત્માની સસ્પેન્ દર્શનની દેશના. સમ્ય દર્શનની ધ્યાનમાં પ્રાપ્તિ. પરમાત્માના ચારિત્ર ધર્મની દેશના. પરમાત્મા પાસે ચારિત્ર પ્રાપ્ત કરવું. પરમાત્માની ક્ષપક શ્રેણુની દેશના. ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનની ભાવના. પરમાત્મા સિમંધરસ્વામીની છેલ્લી દેશના. વિશિષ્ટ ભાવોથી ભાવિત બની મૂળ સ્થળ ઉપર આવવું. સમાધિ વિચાર ગ્રંથમાંથી બારમા દેવલોકના દેવનું દષ્ટાંત. આપણે કલ્પના શક્તિ વડે રચાતું ચિત્ર ભવિષ્યમાં થનાર આપણું સ્થિતિને નમુનો છે. પ્રેમનું અમૃત અને જ્ઞાનને પ્રકાશ. સમાપ્તિ એટલે સમગૂ પ્રકારે પ્રાપ્તિ. સવ કર્મ પ્રણાશક ધ્યાન વિધિ. વાંચકોને ઉદ્દેશીને લેખકને પ્રેમભર્યો પત્ર.
૩૫૩
૩પ૭
૩૫૯
છ
૩૬૫
३६७
૩૬૯
૩૭૨ ૩૭૪ ૩૭૭ ૩૭૯ ૩૮૯
Page #34
--------------------------------------------------------------------------
________________
श्री ऋषभदेवस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । श्री महावीरस्वामिने नमः ।
श्री गौतमस्वामिने नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजी
Gભ્ય નમ: पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजी
पादपझेभ्यो नमः । सद्गुरुदेवपूज्यपादमुनिराजश्रीभुवनविजयजी
पादपद्मभ्यो नमः ।
એક બોલ
પરમાત્માની કૃપાથી માનવ જન્મમાં પ્રાપ્ત થયેલી અત્યંતમાં અત્યંત મહત્ત્વની શક્તિ હોય તો તે ધ્યાન છે.
ધ્યાન શબ્દથી અત્યંત સ્થિર અધ્યવસાયને જ ન લેતાં, અનુપ્રેક્ષા, વિચારના દીર્ઘકાલીન પ્રવાહ તથા સ્થિર અધ્યવસાયોને પણ ધ્યાન શબ્દથી લઈશું તો સમજાશે કે જીવનના સર્વાગીણ શ્રેષ્ઠ. ઘડતરમાં ધ્યાન જ અત્યંત ઉપયોગી થઈ શકે તેમ છે.
ધ્યાન વિષે ઘણા ભ્રામક ખ્યાલો જગતમાં પ્રવર્તે છે. તેમજ ધ્યાન વિષે ઘણે ઉપેક્ષાભાવ પણ પ્રવર્તે છે. ધ્યાન એ આપણું કામ, નહિ, આ સમયમાં સાચું સ્થાન હોઈ શકે નહિ, ધ્યાન અને ક્રિયાને મેળ ખાય નહિ, ધ્યાન આવે એટલે ક્રિયા છૂટી જાય, ધ્યાન આવે એટલે આચારમાં શૈથિલ્ય આવે, ધ્યાન આવે એટલે ઉન્માર્ગે ચડી જવાય ઈત્યાદિ અનેક પ્રકારના ખ્યાલો આ જગતમાં તથા શ્રી સંઘમાં પ્રવર્તે છે. પરંતુ સાચા અર્થમાં ધ્યાન આવે તે હકીકતમાં આવું
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૩
કંઈ છે જ નહિ. સાચા અર્થમાં જ્યાન આવે તા ક્રિયા છૂટી જતી નથી, પણુ સમજપૂર્વકની ક્રિયા થતી હાવાથી ક્રિયા ઘણી પ્રાણવાન બની જાય છે, માટે જ આપણા પૂના મહાપુરૂષાએ જ્ઞાનસહિત ક્રિયા માટે
જ્ઞાની શ્વાસેાચ્છવાસમે
કરે કર્મના ખેડુ, અન્નાની કરે તેહુ.” આ રીતે અત્યંત આદરપૂર્વીક ગુણગાન ગાયાં છે.
પૂર્વ કિડ વરસાં લગે
વળી, ક્રિયા એટલે શું? એ પણુ આપણે સમજવું જોઈશે, ક્રિયાકાંડ તા ક્રિયાનુ` સ્થૂલ સ્વરૂપ છે. વિષય-કષાયના ત્યાગ દ્વારા આત્મરમણતામાં જ્યારે એ ક્રિયાકાંડ પરિણમે છે ત્યારે એ ક્રિયાયોગ બની જાય છે. પુદ્ગલરમણુતા, વિષયરમણુતા, કષાયરમણતા તથા આસ્રવરમણતાને ત્યાગ કરીને આત્મરમણતામાં-પરમાત્મરમણુતામાં તન્મય થવું એ પણ ઉત્તમ ભૂમિકાની ખરેખર એક ક્રિયા જ છે. અમુક ઉત્તમ ભૂમિકાએ પહેાંચ્યા પછી વિભાવા ઘટી જાય અને સ્વભાવદશામાં રમણુતા વધારે પ્રગટે તેથી કઈ ક્રિયા છૂટી ગઈ ન કહેભાય. ક્રિયાને પ્રાણવાન બનાવવા માટે પણ જ્ઞાન અને ધ્યાન ઘણાં જરૂરી છે.
વિષય અને કષાયેાના ધ્યાનથી આ જીવ અનાદિ કાળથી સંસારમાં જકડાયા છે, અનેક દુર્ગુણાથી ખરડાયા છે, અનંત વાસનાઓથી ઘેરાયેા છે અને અનંત યાતના ચાર ગતિમાં પામ્યા છે, તેની સામે જો પરમાત્માનું પવિત્ર ધ્યાન આવે તા બધા જ કલેશાના ક્રમે ક્રમે અંત આવી જાય.
એ માટે જિનેશ્વર પરમાત્માના શાસનમાં શુભ ધ્યાનના ભિન્ન ભિન્ન અનેક માર્ગો સુચવેલા છે. યાગશાસ્ત્રના ૬ થી ૧૨ પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ આચાય ભગવાનશ્રી હેમચદ્રસૂરીશ્વરજી મહારાજે ધ્યાનના અનેક અનેક પ્રકારે વધુ વેલા છે.
ધ્યા. પ્ર 3
* પ્રસ્તાવના લેખક પ. પુ. શ્રી જખૂવિજયજી મહારાજ.
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૪
જીવનને સાર્થક કરવા માટે તથા સુખી થવા માટે, જીવનમાં ડગલે અને પગલે વિવિધ સદ્દગુણેની, સામર્થ્યની, તથા પવિત્રતાની જરૂર પડે છે. ખરેખર કહીએ તો, સદ્ગુણો, પવિત્રતા તથા પર માત્માની પ્રાપ્તિ માટે જ આપણે આ જન્મ છે અને આપણું આ જીવન છે.
વિવિધ પ્રકારની વાસનાઓ તથા વિવિધ પ્રકારના દુર્ગુણેમાંથી છૂટીને સદ્ગુણો તથા પવિત્રતા પ્રગટાવવા માટે, પ્રસંગે પ્રસંગે આવશ્યક સામર્થ્ય માટે, જીવનના યુગ ક્ષેમ માટે તથા પરમાત્માને અંદરબહાર સર્વત્ર પ્રાપ્ત કરત્રા માટે શાસ્ત્રમાં વર્ણવેલી ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓને નજર સમક્ષ રાખીને ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓને શ્રી બાબુભાઈ કડીવાળાએ સાલખન ધ્યાનના પ્રયોગે આ પુસ્તકમાં શાસ્ત્રાધારે ગુરૂકૃપાથી તેમજ સ્વાનુભવના આધારે સુંદર રીતે વર્ણવી છે.
સુશ્રાવક બાબુભાઈ કડીવાળા વર્ષોથી ધ્યાનમાર્ગના ખૂબ સુંદર ઉપાસક છે. આ પુસ્તકમાં બહુ સરળ શૈલીથી તેમણે ધ્યાનના અનેક અનેક માર્ગો વર્ણવેલા છે કે જેથી સામાન્ય માનવી પણ સહેલાઈથી સમજી શકે. આ વિવિધ પ્રણાલિકાઓમાં, તદ્દન પ્રાથમિક કક્ષાથી પ્રારંભી ચરમ કક્ષા સુધીના અનેક માર્ગો વર્ણવેલા છે. મને લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં આ વિષયનું આવું વિશાળ અને સર્વગ્રાહી આ પ્રથમ જ પ્રકાશન હશે.
પહેલાં તો, વાચક આ ધ્યાનના પ્રયોગોને બરાબર સમજી લે, પછી પિતાના ક્ષપશમ પ્રમાણે પોતાને રૂચે તેવા કઈ પણ પ્રયોગને પસંદ કરીને અતિ આદરથી પરમાત્માનું શરણ અને સ્મરણ કરવા પૂર્વક નિયમિત રીતે અમલમાં મૂકે. તે આદરપૂર્વક નિરંતર અભ્યાસથી તેને અવશ્યમેવ આધ્યાત્મિક તથા વ્યાવહારિક લાભ મળશે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૫
વિચારમાં મહાન શક્તિ રહેલી છે, આ વાત સર્વત્ર સ્વીકાર પામેલી છે. છેલ્લાં સો-દોઢ વર્ષથી New Thought movement પશ્ચિમના દેશોમાં શરૂ થયેલી છે. અને વિચારશકિત વિષે ઘણાં જ પુસ્તકે ત્યાં લખાયેલાં છે. ગુજરાતી સાહિત્યમાં વિશ્વવંદ્યનાં (છોટાલાલ માસ્તરના) વિચારરત્નરાશિ વગેરે પુસ્તકમાં પણ વિચારોની શકિત વિષે ઘણું લખાયેલું છે. આપણું પૂર્વાચાર્યોએ ધ્યાનના સામર્થ્ય વિષે જે વર્ણવ્યું છે તેનું જ આ વિસ્તરણ છે.
ધ્યાનની વાત કેટલીક વાર માણસને ભ્રમણારૂપ અથવા તે મિથ્યા કલ્પનારૂપ લાગે છે. પરંતુ હકીકત જુદી છે. ધ્યાનમાની એ પ્રણાલિકા જ છે. માણસને જેવા થવાની ઈચ્છા હોય તેવા તત્ત્વનું ધ્યાન તેણે કરવું જ જોઈએ. જે પ્રાપ્ત કરવાની તેની ઈચ્છા હોય તેનું ચિત્ર તેણે સુરેખ રીતે ચિત્તમાં–ચતન્યમાં રાખવું જ જોઈએ. ચૈતન્ય અનંત શકિતઓને ભંડાર છે.
ભારતીય દર્શનશાસ્ત્રોમાં વિજ્ઞાનવાદનું એક દર્શન છે. વિજ્ઞાનવાદના મત પ્રમાણે વિજ્ઞાન જ (ચૈતન્ય જ) અર્થનું રૂપ ધારણ કરે છે. નયચક્રમાં કહ્યું છે કે વિજ્ઞાનવાદ એ ઉપગ-એવંભૂતનયને પ્રકાર છે. દર્શનશાસ્ત્રોના વિજ્ઞાનવાદને અહીં સહેલાઈથી સમજાવી શકાય તેમ નથી, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્મા, પરમાત્માના ગુણે તથા પરમાત્માની મંગળકારી પાવનશકિતઓને જે આપણે આપણું વિજ્ઞાનને (ચૈતન્યને) વિષય બનાવીએ અને એમાં સતત રમણતા કેળવીએ તે આપણું વિજ્ઞાન (આપણું ચૈતન્ય) જ તે રૂપે પરિણામ પામવાની અદ્દભુત પ્રચંડ શકિત ધરાવે છે. આપણા વિજ્ઞાનને (આપણું ચિતન્યને) તે તે રૂપે કેળવવું એ જ ધ્યાનને વિષય છે. પહેલાં જે Ideal Reality ભાવના સત્યરૂપે સૂકમ અવસ્થામાં હતું તે સતત ભાવનાથી સ્થૂલરૂપે પરિણામ પામે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
આ જ વાત વાચક પ્રવર ઉપાધ્યાયશ્રી યશવિજયજી મહારાજે આ શબ્દોમાં કહી છે –
અરિહંતપદ યાતે થકે, દબ્રહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરો આતમા, અરિહંત રૂપી થાય રે.
વીર જિણેસર ઉપદિશે. તત્ત્વાનુશાસન ગ્રંથના રચયિતાએ આ વાત સ્પષ્ટ કહી છે કે આ કાળે પણ ધ્યાન છે, ધ્યાન એ ભ્રાંતિ નથી. પણ વિશિષ્ટ પ્રકારનું સત્ય છે.
વાચકે ! અનેક વર્ષોના અનુભવી અને સાધક સુશ્રાવક બાબુભાઈ કડીવાળાના હાથે લખાયેલા આ ધ્યાનવિષયક પુસ્તકનું હાર્દિક સ્વાગત કરશે તેમ જ તેને યથાગ્ય અમલ કરીને વાચકે ! પરમાત્માની પરમ કૃપાથી સગુણ, પવિત્ર, આધ્યાત્મિક શક્તિઓથી સમર્થ તથા અત્યંતર સમૃદ્ધિઓથી સમૃદ્ધ બનીને સચ્ચિદાનંદમય પરમાત્માને પ્રાપ્ત કરીને શીઘ્રમેવ સિદ્ધપરમાત્મા રૂપે વિરાજમાન થશે, એ શુભેરછા.
શ્રી સિદ્ધક્ષેત્ર–પાલિતાણે વિશાનીમા જૈન ઉપાશ્રય. રૌત્રી પૂર્ણિમા, વિક્રમ સંવત ૨૦૪૩ વીર સંવત ૨૫૧૩
પૂ. આ.દે. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વર
પટ્ટાલંકારપૂ. આ. દેવશ્રી વિજય મેઘસૂરીશ્વર
શિષ્યપૂ. ગુ. મુ. શ્રી ભુવનવિજયાન્તવાસી
મુનિ જ બૂવિજય
Page #39
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકમાં ઉપયોગમાં લેવાયેલા આધારભૂત
ગ્રંથોની સૂચિ ગ્રંથનું નામ
રચયિતા (૧) સિરિ સિરિવાલ કહા આ. ભગવંતશ્રી રત્નશેખરસૂરીશ્વરજી (૨) કલ્યાણ મંદિર સ્તોત્ર આ. ભગવંત સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી (૩) નિશિથસૂત્ર
પૂર્વાચાર્ય કૃત (૪) વંદિતા સૂત્ર
Wવીર કૃત (૫) મોટી શાંતિ (૬) અજિતનાથ ભગવાનવું સ્તવન શ્રી મેહનવિજયજી (૭) શાંતિનાથ ભગવાનનું સ્તવન શ્રી ઉદયરત્નસૂરીશ્વરજી (૮) ચોવીસી
મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મ. (૯) વાસી
ઉ. શ્રી માનવિજયજી મહારાજ (૧૦) સાડા ત્રણસો ગાથાનું સ્તવન મહે. શ્રી યશોવિજયજી મહારાજ (૧૧) ઉપમિતિ ભવપ્રપંચો કથા શ્રી સિદ્ધર્ષિ ગણિ (૧૨) ચોવીસી
શ્રી દેવચંદ્રજી મહારાજ (૧૩) આઠ દૃષ્ટિની સજઝાય મહાપાધ્યાય શ્રી યશોવિજયજી (૧૪) અધ્યાત્મ કલ્પદ્રુમ મુનીશ્રી સુંદરસૂરિશ્વરજી (૧૫) પંચસૂત્ર
શ્રી ચિરંજનાચાર્ય (૧૬) ગદષ્ટિ સમુચ્ચય આ. ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી (૧૭) અધ્યાત્મ યેગી પં. ભદ્રકવિજયજી રચિત
સાહિત્ય તથા હસ્તલિખિત ડાયરીઓ (૧૮) ચગશાસ્ત્ર
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મ. (૧૮) સિદ્ધહેમશબ્દાનુશાસન (ર) શ્રી પંચપરમેષ્ઠિ ગીતા ઉ. યશોવિજયજી કૃત (૨૧) શ્રીપાલ રાસ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી તથા
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ (૨૨) પરમેષ્ટિ વિદ્યા યંત્ર કલ્પ શ્રી સિંહતિલકસૂરીશ્વરજી
Page #40
--------------------------------------------------------------------------
________________
(૨૩) સકલાત્ સૂત્ર ( ત્રિષ્ટિશલાકા ચરિત્ર)
૩૮
(૨૪) ભગવતીસૂત્ર (૨૫) સારમે...લખ્યા (૨૬) ગુણસ્થાનક ક્રમાહ (૨૭) પ્રતિમા શતક (૨૮) સ્તવના, પદો વગેરે (૨૯) શ્રી શત્રુ ંજય સ્તંત્ર
(૩૦) વીરવિજયજી કૃત પૂજા શ્રી વીરવિજયજી મહારાજ
(૪૧) નવપદની પૂજ
(૪૨) નવપદની પૂજ (૪૩) નવપદની પૂજા (૪૪) શ્રી લલિત વિસ્તરા (૪૫) શ્રી ભગવતી સૂત્ર (૪૬) સ`સાર દાવાનલ સ્તુતિ (૪૭) ભકતામર સ્તાત્ર (૪૮) શ્રી અનુયાગ દ્વાર સૂત્ર
આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી
(૩૧) સ્નાત્ર પૂજા (૩ર) સ્તવના
(૩૩) ત્રિશષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર (૩૪) અતીત અનાગત ચાવીસી (૩૫) તત્ત્વાનુશાસન (૩૬) યાડશક પ્રકરણ (૩૭) સવાસેા ગાથાનું સ્તવન (૩૮) સિદ્ધચક્ર પૂજન વિધિ (૩૯) શક્રસ્તવ (૪૦) નવપદની પૂજ
મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી
મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી
,,
""
શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી
શ્રી હેમચદ્રાચાય જી
શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી નાગસેનાચાજી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી અજ્ઞાત
શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહે।પાધ્યાય શ્રી યશેાવિજયજી શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી
શ્રી પદ્મવિજયજી મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી અભયદેવસૂરીશ્વરજી ટીકા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી માનતુ ંગસૂરીશ્વરજી મહારાજ શ્રી મલ્લધારી હેમચંદ્રસૂરીશ્વરજી
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૯ (૪૮) સિદ્ધ માતૃકાભિધ ધર્મ પ્રકરણ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી (૫૦) તત્ત્વસાર દીપકી
ભટ્ટારક સકલકતિ મહારાજ (૫૧) શ્રી મંત્રરાજ રહસ્ય શ્રી સિંહતિલકસૂરીશ્વરજી (પર) પાતંજલ ચોગસૂત્ર
મહર્ષિ પતંજલિ (૫૩) ચાવીસી
શ્રી આનંદધનજી (૫૪) શ્રી સવજ્ઞાષ્ટક
શ્રી મુનિ સુંદરસૂરીશ્વરજી (૫૫) શ્રી કાવ્ય શિક્ષા શ્રી વિનયચંદ્રસૂરીશ્વરજી (૫૬) શ્રી ધ્યાન દંડક સ્તુતિ (ગુણસ્થાનક ક્રમારે ટીકા) (૫૭) અધ્યાત્મ માતૃકા
અજ્ઞાત (૫૮) શારદા સ્તવાષ્ટક મુનિ શ્રી સુંદરસૂરીશ્વરજી
છ ધ્યાનમાળા ૫. મહાશ્રાવક શ્રી નેમિદાસજી (૬૦) જિન સહસ્ત્રનામ સ્તોત્ર પંડીત આશાધરજી (૬૧) દયાશ્રય
શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજી (૬૨) દ્વાત્રિશ કાત્રિશિકા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી (૩) પ્રતિમાશતક પજ્ઞ વૃત્તિ (૬૩) જ્ઞાનસાર (૬૪) શુદ્ધોપયોગ ગ્રંથ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી (૬૫) સમવસરણ સ્તવ શ્રી ધર્મ કીર્તિસૂરીશ્વરજી મહારાજ (૬૬) સિદ્ધપ્રાલત ટીકા
અજ્ઞાત (૬૭) અધ્યાત્મ ગીતા
શ્રી દેવચંદ્રજી મહારાજ (૬૮) ૧૨૫ ગાથાનું સ્તવન મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. (૬૮) પદ સંગ્રહ
શ્રી આનંદઘનજી મહારાજ (૭૦) ભજન સંગ્રહ
શ્રી મીરાંબાઈ (૭૧) ક્ષેત્ર સમાસ (૭૨) આગમસાર ગ્રંથ
શ્રી દેવચંદ્રજી મહારાજ (૭૩) અમૃતવેલીની સજઝાય ઉ. યશવિજયજી કૃત (૭૪) દેવવંદને માળા
પૂ. પદ્મવિજયજી કૃત (૭૫) સમાધિ વિચાર
અજ્ઞાત (૭૬) સમવસરણ સ્તવન શ્રી દેવચંદ્રજી મહારાજ (૭૭) પાર્શ્વનાથ ચરિત્ર
શ્રી દેવભદ્રાચાર્ય વિરચિત
Page #42
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક અશુદ્ધ
શુદ્ધ પાનું ૫૦ લીટી ૧૭ Imtinite Infinite પાનુ ૬૭ લીટી ૩-૪ એપાઈન્ટમેન્ટ એપેઈન્ટમેન્ટ પાનું ૯૬ લીટી ૨૦ – અહીંથી અનુસંધાન પાના ૧૦૦ ઉપર
લીટી પાંચમી. પાનું ૧૧૧ લીટી ૭ પછી પાનું ૧૧૮ ની છેલ્લી છ લીટી અને
પાનું ૧૧૯ વાંચ્યા પછી અહીંથી આગળ વાંચવું. પાનું ૧૧૬ લીટી ૧૮
જાવધાન થવષ્યને પાનું ૧૬૦ લીટી ૧૪-૧પ-૧૬ આ પ્રમાણે વાંચે જ્યાં સુધી મનને
સાચી જગ્યા મળતી નથી ત્યાં સુધી ઠરીને ઠામ બેસતું નથી, તેના માટે સાચી જગ્યા અરિહંતના
ચરણકમળ છે. પાનું ૧૬૦ લીટી ૧૦
ચતન્ય
ચૈતન્ય પાનું ૧૭૫ લીટી ૧૨
બને પાનું ૧૭૫ લીટી ૧૩ ઉપયેગને ઉપગ તે પાનું ૧૯૦ લીટી ૧૫ આ જીવ
સર્વ જીવ પાનું ૨૫૮ લીટી ૩ મહારાસ્તુ મહત્તરાસુત પાનું ૨૭૦ લીટી ૧૨. પાનું ૨૭૧ લીટી ૭
य પાનું ૨૮૬ લીટી ૪ પાન ૩૨૩ લીટી ૧૩ આત્મા
આત્મામાં પાનું ૩૨૭ લીટી ૧૪
પરમામાં પરમાત્મામાં પાનું ૩૪૩ લીટી ૧૦
૧૦૦૦૦ પાનું ૩૪૩ લીટી ૧૨
સ હજાર પાંચ હજાર પાનું ૩પર લીટી ૨૦ સિત્ત
હુય પાનું ૩પ૭ લીટી ૬
વિભાર
વિભોર પાનું ૩૬૦ લીકી ૭ અનુભવશું અનુભવવું
ભને
૧ ૦ ૦ ૦
Page #43
--------------------------------------------------------------------------
________________
GOOG ૐ હ્રી અહૂઁ નમ: સાલઅન ધ્યાનના પ્રયાગા
પાઠ પહેલેા
DDDDDDDDDD
અનત લબ્ધિના નિધાન શ્રી ગૌતમ ગણધર ભગવંત રાજગૃહી નગરીએ પધાર્યા છે. શ્રેણિક મહારાજા વગેરે ઉત્તમ જના દેશના સાંભળવા માટે આવ્યા છે. પદાને ઉદ્દેશીને ગૌતમ મહારાજા અનંત કલ્યાણકારિણી, સર્વ પાપ પ્રણાશિની, માહતિમિર વિનાશિની, પરમ આનંદ પ્રદાયિની, કલ્યાણ પરપરા વર્ધિની, કર્મ કાષ્ટ દાહિની, ભવ સ’તાપહારિણી, સકલ જીવ સંજીવની, જીવનન્ત્યાત પ્રકાશિની, સુમધુર એવી દિવ્ય વાણીમાં ઉપદેશ આપી રહ્યા છે
દૃશ દૃષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો પછી પાંચ પ્રકારના પ્રમાદના ત્યાગ કરીને નિરંતર સુધર્મકામાં રત રહેવુ..
ધર્મના ચાર પ્રકાર છે. ધનુ' વ ન કરતાં ગૌતમ ગણધર ભગવાત કહે છે
सो धम्मो चउभेओ उबइठ्ठो सयलजिणवरिंदेहिं । दाणं सीलं च तवो, भावोऽवि अ तस्तिमे भेया ॥ १८ ॥
Page #44
--------------------------------------------------------------------------
________________
तत्थ वि भावेण विणा दाणं न हु सिद्धिसाहणं होई । सीलं पि भाववियलं, विहलं चिय होइ लोगंमि ॥ १९ ॥ भावं विणा तवो वि हु, भवोहवित्थारकारणं चेव । તા નિયમg૪, સુવિશુદ્ધ હો ચડ્યો | ૨૦ | भावो वि मणो विसओ, मणं च अइदुजयं निरालंबं । તો તરત નિયમr€, હિય સારુંai gai | ૨૨ / आलंबणाणि जइवि हु, बहुप्पयाराणि संति सत्थेसु । તવિ ટુ નવપયજ્ઞા, કુપા વિતિ નાગુ . રર | अरिहंतसिद्धायरिया, उज्झाया साहुणो अ सम्मत्तं । नाणं चरणं च तवो, इय पयनवगं मुणेयव्वं ॥ २३ ॥
–શ્રી રત્નશેખરસૂરિ વિરચિત સિરિ સિરિવાલ કડા. (સિરિ સિરિવાલ કહા શ્લોક ૧૮ થી ૨૨ ને અર્થ) :૧. સર્વ તીર્થકર ભગવતેએ ચાર પ્રકારને ધમ ઉપ
દેશેલે છેઃ દાન, શીલ, તપ અને ભાવ. ધર્મના આ
ચાર પ્રકાર છે. ૧૮ છે ૨. એમાં પણ ભાવ વિનાનો ધર્મ સિદ્ધિને સાધી આપ
ના૨ થતું નથી. એ જ રીતે ભાવ વિહોણું શીલ પણ
લેકમાં નિષ્ફળ જાય છે. ૧૯ છે ૩. સુવિશુદ્ધ ભાવ વિનાને તપ પણ ભાવવૃદ્ધિનું કારણ
બને છે. તેથી પિતાના ભાવને સુવિશુદ્ધ કરે
જોઈએ. જે ૨૦ છે ૪. ભાવ પણ મનને વિષય છે અને આલંબન રહિત
મનને જીતવું ઘણું મુશ્કેલ છે. તેથી મનને વશ
Page #45
--------------------------------------------------------------------------
________________
કરવા આલબનવાનું સાલંબન ધ્યાન કહેલું છે.
(બતાવેલું છે). તે ૨૧ | ૫. જો કે શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં આલંબને કહેલાં
છે. તે પણ નવપદના ધ્યાનને પ્રધાન આલંબન તરીકે જિનેશ્વર ભગવતેએ ગયું છે. જે ૨૨ છે ૬. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન,
જ્ઞાન, ચારિત્ર અને તપ આ નવપદે એ સાલંબન ધ્યાન માટેનું પ્રધાન આલંબન છે.
“સિરિ સિરિવાલ કહા” નામના ગ્રંથમાં ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજ ઉપદેશ આપે છે કે, દશ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગ કરીને નિરંતર સધર્મ -કર્મમાં રક્ત રહેવું. પછી ચાર પ્રકારના ધર્મનું વર્ણન કરતાં કહે છે કે, દાન, શીલ, તપ અને ભાવ નામના ચાર પ્રકારના ધર્મમાં ભાવ ધર્મ મુખ્ય છે. ભાવ વગરનું કરેલું દાન, શીલ કે તપ નિષ્ફળ જાય છે અને ભાવવૃદ્ધિનું કારણ બને છે. માટે દાન, શીલ, તપ આદિ ધર્મના અનુષ્ઠાને ભાવપૂર્વક કરવાં જોઈએ ભાવ એ મનનો વિષય છે. આલંબન વગરનું મન અતિ દુજય છે. તે મનનું નિયમન કરવા માટે સાલંબન ધ્યાન બતાવ્યું છે.
મનના બે પ્રકારના દેષ છે. એક ચંચળતા અને બીજી મલિનતા. મન ચંચળ હોવા છતાં જે મનને અનુકૂળ કે ગમતું આલંબન મળે તે તે સ્થિર થઈ શકે છે, પણ
Page #46
--------------------------------------------------------------------------
________________
જો આલંબન અશુદ્ધ હાય તા મન મલિન થાય છે. ધન, શ્રી આદિ જગતના આલંબને! મનની મલિનતામાં વૃદ્ધિ કરે છે. માટે મલિનતા દૂર કરવા અને ચ ંચળતાને બદલે સ્થિરતા લાવવા મનને શુદ્ધ આલ અનને વિષે બાંધવુ જોઇએ.
એવાં શુદ્ધ અલખના જિનશાસનમાં અનેક પ્રકારનાં છે, તેમાં અરિહંત આદિ નવપદ એ સર્વ શ્રેષ્ઠ આલંબન છે, માટે આપણે નિરંતર નવપદનુ ધ્યાન કરવુ જોઈએ. નવપદના ધ્યાનથી આત્મામાં ભાવધમ ઉત્પન્ન થાય છે. ભાવ સહિત કરેલ સ ધર્માનુષ્ઠાન મેાક્ષના હેતુ અને છે. ટૂંકમાં શ્રી ગૌતમ ગણધર ભગવાનના આશય એ છે કે ધર્માનુષ્ઠાના તથા ધની ક્રિયાઓને ભાવપૂર્વકની બનાવવા માટે અરિહુંત આદિ પદાનું સાલખન ધ્યાન કરવુ જોઇએ.
************** इलिका भ्रमरोध्यानात, भ्रमरोत्वं यथाश्नुते । તથા ધ્યાયને પામાન, પરમાત્મત્વમાનુયાત્ ।!! ભ્રમરીના ધ્યાનથી ઈલિકા જેમ ભ્રમરીપણાને કેડ પામે છે તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા પરમાત્મપણાને પામે છે.
(નમસ્કાર ચિંતામણિ )
****
Page #47
--------------------------------------------------------------------------
________________
ધ્યાન પ્રયાગ અંગે પ્રાસંગિક
અરિહત આદિ પદોના ધ્યાનથી સામાયિક, પ્રતિક્રમણ, પૂજા આદિ સર્વ ધર્મ ક્રિયામાં પ્રાણપૂર્તિ થાય છે. કહ્યું છે કે ચશ્માત્ ત્રિયા પ્રતિષ્ટન્તિ ન માવસ્યા । ( કલ્યાણ મ`દિર સ્તાત્ર.) ભાવ વગર કરેલી ક્રિયા ફળદાયી બની શકતી નથી. એટલે કે ભાવ વગરની ક્રિયા નિષ્ફળ જાય છે અને ભાવ તા ભગવાન ગૌતમ સ્વામીના કહેવા મુજબ મનનેા શિષય છે અને આલંબન વગરનું મન અતિ દુય છે. તે મનનું નિયમન કરવા માટે ભગવત ગૌતમસ્વામીજી અરિ'ત આદિ પદોનું સાલબને ધ્યાન બતાવે છે. એટલે કે ધ ક્રિયાને ભાવસહિતની બનાવવા માટે, ધ ક્રિયામાં પ્રાણપૂર્તિ કરવા માટે, ધક્રિયાને મેક્ષ હેતુક બનાવવા માટે, અરિહંત આદિ પદેનુ ધ્યાન અતિ જરૂરી છે. ઉપયેાગ શૂન્યપણે, ભાવશૂન્યપણે થતી ક્રિયામાં ભાવપ્રાણ પૂરવા માટે અરિહંત આદિ પદાનું ધ્યાન આપણી આરાધનાનુ મુખ્ય અગ બની જાય છે.
જગતના પદાર્થોને સ્થાને પરમાત્માને ધ્યાનના વિષય બનાવવા એ જગતની સર્વોત્તમ કળા છે.
અરિહંત પરમાત્મા આપણા પ્રાણથી પણ અધિક છે. તેમના અનંત ઉપકાર, તેમનામાં રહેલી અચિંત્ય તારક શક્તિ,
Page #48
--------------------------------------------------------------------------
________________
આપણુ જેવા અનાથ દશામાં સંસારમાં અથડાતા જીવને એક માત્ર શરણ આપવાનું તેમનું સામર્થ્ય આદિ જોતાં એક ક્ષણ તેમને ભૂલવા ન જોઈએ. ક્ષણે ક્ષણે તેમનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, મરણ, ધ્યાન અને આજ્ઞાપાલન આપણું પરમ કર્તવ્ય છે. અરિહંત પદનું ધ્યાન માતાના દૂધની જેમ પરમ હિતકારક છે. અરિહંત પદનું ધ્યાન કરવું તે આપણી પવિત્ર ફરજ છે. નવપદમાં કેન્દ્રસ્થાને અરિહંત પરમાત્મા છે. ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ આલબન અરિહંત પરમાત્મા છે અને આવા કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર અરિહંત પરમાત્મા જેમાં આલંબન રૂપ છે તેવું ધ્યાન તેને સાલંબન યાન કહેવાય છે.
દરેક મનુષ્ય ધ્યાન કરી રહ્યો છે, માત્ર સાધના કરનાર જ ધ્યાન કરે છે તેવું નથી પ્રત્યેક જીવ દયાન કરે છે. આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે જ ધ્યાન થાય છે તેવું નથી. રાત અને દિવસ આપણું ધ્યાન ચાલુ જ છે. જગતના પદાર્થોનું ધ્યાન આપણે નિરંતર કરીએ જ છીએ. વિષયને–પદાર્થોને પ્રાપ્ત કરવાનું અને તેની સુરક્ષા કરવાનું ધ્યાન ચાલુ છે. જ્ઞાની પુરૂષ તેને આર્તધ્યાન, રૌદ્રધ્યાન કહે છે. આપણે આવા ધ્યાનથી ટેવાઈ ગયા છીએ. તેના કારણે નિરંતર આપણું મન ભય, શેક, ચિંતા અને ટેન્શનથી વ્યગ્ર રહે છે. આવા પ્રકારની લાગણીથી આપણે નિરંતર પીડાઈ રહ્યા છીએ. આવા પ્રકારનું ટેન્શન -તાણુ, તેનું કારણ પણ ધ્યાન છે. તેમાંથી છૂટ
Page #49
--------------------------------------------------------------------------
________________
વાને ઉપાય પણ ધ્યાન છે. આપણું આકર્ષણ જગતના પદાર્થોને બદલે પરમાત્મા તરફ થાય ત્યારે ધર્મધ્યાન શરૂ થાય છે. હકીકતમાં આવા પુસ્તકે કે ધ્યાનના પ્રયોગ દિશા પરિવર્તન માટે જ છે. જે દિશામાં અત્યારે ધ્યાનની ધારા વહી રહી છે તે બદલીને પરમાત્મા અને આત્મચિતન્ય તરફ ધ્યાનની ધારાને લઈ જવા માટેના પ્રોગો આપણે કરવાના છે. આપણું મન એકાગ્ર જરૂર થાય છે. જે વસ્તુ ઉપર એકાગ્ર થતું હતું તે વસ્તુને object બદલવાને છે. જગતના પદાર્થોના બદલે ધ્યાનને વિષય પરમાત્મા અને આત્મચેતન્ય આવા પ્રયોગોથી બને છે. સાકર મીઠી છે તેવું ૧૦૦ પાનાનું પુસ્તક વાંચવું જુદે વિષય છે અને સાકરને ટુકડે મેઢામાં નાખીને સ્વાદનો અનુભવ કર તે જુદે વિષય છે. અહી સ્વાદને અનુભવ કરવાની પ્રક્રિયા બતાવી છે.
આધ્યાન, રૌદ્રધ્યાન, ભય, શાક, ચિંતા આદિમાંથી છૂટવા માટેની ધ્યાન પ્રક્રિયા પ્રાગ નં. ૧ માં છે. તેમાં જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ, પરમાત્માની કૃપાથી પૂર્ણ ભરાઈ જઈએ, પરમાત્માની કરૂણની દિવ્ય શક્તિથી ભાવિત બનીએપ્રભુની કરૂણા માં સ્નાન કરતાં કરતાં સ્થિરતાપૂર્વક ધ્યાન કરીએ ત્યારે પરમાત્માની અરિહંત શક્તિ આપણું અંદર કાર્યશીલ થાય છે અને આ પણું આંતરમન સુધી પહોંચી આપણે વિચાર અને ટેનું પરિવર્તન કરે છે. તે વખતે સેલ્ફ એટો સજેસન (Self Auto suggestion)
Page #50
--------------------------------------------------------------------------
________________
દ્વારા આપણે જાતને આપણે સ્વયં સૂચના આપીએ છીએ. મને કઈ ચિંતા નથી, દુઃખ નથી, ભય નથી, ટેન્શન નથી. હું સુખમાં છું, આનંદમાં છું, શાન્તિમાં છું........ ...................આ સ્વયં સૂચના જેટલા ઊંડાણમાં આપણા આંતરમનને સ્પર્શે છે; તેટલી આપણી જૂની ટેવ જલ્દી પરિવર્તન પામે છે. આ પ્રયોગથી કઈ પણ કારણ વગર ભય અને ચિંતા કરવાની જૂની ટેવ બદલાય છે. આપણું આંતરમનને ઉપરના ભાવે સ્પર્શવાથી ગમે તેવા સંજોગેમાં પણ આપણે સુખ, શાંતિ અને આનંદમાં રહેવા ટેવાઈ જઈશું. આ પ્રયોગમાં જેટલું વધારે ભાવિત બનાય તેટલું શીધ્ર પરિવર્તન થાય છે. કોઈ પણ વસ્તુને ભાવિત કરવાથી તેના ગુણધર્મ બદલાઈ જાય છે. અનાજને આગ ઉપર રાંધવાથી ભાવિત થાય છે. પાણી, દૂધ વગેરેને ગરમ કરવાથી ભાવિત થાય છે.
કલ્યાણ મંદિર તેત્રની ૧૭ મી ગાથામાં સિદ્ધસેના દિવાકરસૂરીજી મહારાજ કહે છે કે પાણીને અમૃત રૂપે ભાવિત કરવાથી તે અમૃત તુલ્ય કાર્ય કરે છે. આ રીતે આપણા મનને ભાવિત કરવાનું છે. હું નિરંતર પરમાત્માની કરૂણામાં સ્નાન કરું છું. હવે મને ભય, શેક, ચિંતા, આર્તધ્યાન, રૌદ્રધ્યાન સ્પશી પણ નહીં શકે. હું સદા-સર્વદા સુખ, શાન્તિ, આનંદમાં રહીશ. આ ભાવથી ભાવિત થવાથી સ્વભાવ પરિવર્તન થાય છે. ચિંતા અને ભયગ્રસ્ત બનવાની જની ટેવ બદલાય છે અને તેને બદલે શાન્તિ અને
Page #51
--------------------------------------------------------------------------
________________
આનદમાં રહેવાની ટેવ પડે છે. પરમાત્માની કરૂણા શક્તિની સહાય લઈને આપણે ટેવાને બદલી શકીએ છીએ. અત્યારે ખીસ્સામાંથી રૂમાલ પડી જાય તેવી નાની ખાખતમાં પણુ આપણે ભયગ્રસ્ત બનીએ છીએ. હવે આવા પ્રયાગા વારવાર નિયમિત કરવાથી આભ તૂટી પડે તેા પણ આપણે સ્વસ્થ રહી શકીએ તેવુ. પરિવર્તન આપણામાં આવે છે. તે માટે નિયમિત સાધનાની જરૂર છે.
આ પ્રયાગાના અભ્યાસક્રમ આપણી વૃત્તિએનુ મૂળમાંથી રૂપાંતર કરે છે. જગતના પાર્ઘામાં સુખ અને આનંદ શેાધવા સૌ પ્રયત્ન કરે છે અને તેમાંથી સુખ, આનંદ મળતાં નથી તેથી પીડાય છે. હવે આ વૃત્તિનું મૂળમાંથી પરિવર્તન પ્રત્યેાગ નં. ચાર, પાંચ અને છ થી થાય છે. ખરી રીતે આપણને જરૂર છે સુખ અને આનંદની. તે ક્યાં છે તે ખબર નહીં હાવાથી આપણે પીડાઈએ છીએ. આનંદ અને સુખના ભંડાર આત્મામાં છે. આનંદ અને સુખના પૂર્ણ પ્રગટ ભ`ડાર પરમાત્મામાં પ્રત્યક્ષ છે. તેથી આનંદની, સુખની, ઇચ્છાવાળા સાધકના પ્રેમ પરમાત્મા તરફ વળે છે. કારણ કે પરમાત્મા પ્રગટ આનંદના ભંડાર છે અને તેમના આલંબને આપણા આત્મામાં રહેલાં સુખ અને આનંદના અનુભવ થાય છે. તેથી સાધકના પ્રેમ પરમાત્મા તરફે વહેતા રહે છે. અને તે પરમાત્મા પ્રત્યેના પ્રેમ જ પરમાનંદ સ્વરૂપ ખની અનુભૂતિમાં આવે છે.
આવી રીતે
પ્રચેાગન',
ચાર અને
પાંચમાં
Page #52
--------------------------------------------------------------------------
________________
બતાવેલ ધ્યાન વારંવાર, નિયમિત, શુદ્ધ ભાવથી કરવામાં આવે છે ત્યારે મનની ગતિ પણ આનંદના ભંડાર આત્મા તરફ થતાં દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. આ રીતે ધ્યાન દ્વારા દિવ્ય આનંદની અનુભૂતિ કરીને બહાર આવેલું મન તે આનંદને ફરી ફરીને ઝંખે છે. તેથી પ્રગટ પરમાનંદના પૂર્ણ ભંડાર અને આપણું પોતાના પરમ આનંદ અને દિવ્ય સુખના એક માત્ર હેતુ રૂપ પરમાત્માનું સ્મરણ -ધ્યાન સહજ બની જાય છે. જે રીતે અત્યારે જગતના વિષયે અને પદાર્થોનું ધ્યાન સહજ રીતે વિના પ્રયત્ન થાય છે, તે રીતે આવા ધ્યાનના પ્રયોગોનું નિયમિત આરાધન કરવાથી પરમાત્માનું સ્મરણ અને ધ્યાન સહજ બની જશે.
- आत्माऽयमहतो ध्यानात् परमात्मत्वमश्नुते ।
रसं विद्धं यथा ताम्र, स्वर्णत्वमधिगच्छति ॥१७॥ છે જેમ રસથી વિંધાયેલું તાંબું સુવર્ણપણાને પામે જ છે, તેમ આ આત્મા શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનથી પરમાત્મપણાને પામે છે.
(નમસ્કાર ચિંતામણિ)
இவைகவேகன். வேவேவேவேவே கைவைகள்
:13''
Page #53
--------------------------------------------------------------------------
________________
Receptive attitude towards Paramatma. પરમાત્માની કરૂણને ઝીલવાની દિવ્ય કળા
अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम; तस्मात् कारूण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर.
અરિહંત પરમાત્માને અને આપણે સંબંધ અનંતકાળથી ચાલ્યો આવે છે. પરમાત્મા કરૂણાના કરનાર છે. આપણે તેમની કરૂણાના પાત્ર છીએ. પરમાત્મા કરૂણાના નિધાન છે, કૃપાના અવતાર છે, દયાના સમુદ્ર છે, વાત્સલ્યના ભંડાર છે. જગતના સર્વ જીવ ઉપર એક ધારી કરૂણા તે વરસાવી રહ્યા છે. “સ્વયંભૂરમણ સ્પર્ધિ કરૂણારસ વારિણ” સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરે તેવા અનંત કરૂણના નિધાન અરિહંત પરમાત્મા છે. જે સમયે આપણે નિગોદમાં હતા, આપણી જાતનું આપણને ભાન પણ ન. હતું; તે સમયે આપણો એ દુઃખમાંથી છૂટકારો કેમ થાય? તે આપણા માટે વિચાર કરનાર કેઈ હાય તે અરિહંત પરમાત્મા છે. નરક, તિર્યંચ આદિ ગતિમાં આપણે પીડાઈ રહ્યા હતા તેવા સમયે આપણે એ પીડા કેમ નાશ પામે અને આપણને પરિપૂર્ણ સુખ કેમ પ્રાપ્ત થાય તે આપણા માટે ભાવ કરનાર કોઈ હોય તે અરિહંત પરમાત્મા છે. ઝાડના પાંદડા જેવી તુચ્છ હાલતમાં જ્યારે આપણે હતા તે સમયે આપણી એવી તુચ્છ અવસ્થામાં
Page #54
--------------------------------------------------------------------------
________________
૧૨
પણ સિદ્ધ ભગવંતના જેવું ચૈતન્ય છુપાયેલું છે તેનું મૂલ્યાંકન કરનાર અને આપણું એ શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય તે માટે માર્ગ બતાવનાર કેઈ હોય તો તીર્થંકર પરમાત્મા છે. આ રીતે અનંત કાળથી અરિહંત પરમાત્માને અને આપણે સંબંધ ચાલતો આવે છે. તે સંબંધનું અજ્ઞાન હોવાને કારણે આપણે હજુ ભવભ્રમણથી પીડાઈ રહ્યા છીએ. વરસાદ પડતા હોય ત્યારે જેનું પાત્ર ઊંધું હોય તેનું પાત્ર ખાલી રહે છે, અને જેનું પાત્ર સીધું હોય તેનું પાત્રપછી તે પાત્ર થાળી જેવડું હોય, વાટકી જેવડું હોય કે સરોવર જેવડું હાય-બધું જ ભરાઈ જાય છે. પ્રભુની કરૂણા તે સર્વત્ર એક ધારી, એક સરખી નિરંતર વરસી રહી છે. તે કરૂણાને જે મનુષ્ય પોતાના હૃદયમાં ઝીલે છે તેને પ્રભુની આ મહા કરૂણાને સક્રિય લાભ મળે છે. આજ સુધી આપણે Non-Receptive Attitude અગ્રહણશીલવૃત્તિવાળા હતા તેવા આપણા હૃદયને ગ્રહણશીલ વૃત્તિવાળું (Receptive Attitude) કેવી રીતે બનાવવું, તે માટે પરમાત્માની કરૂણાને ઝીલવાની દિવ્ય પ્રક્રિયા પ્રયોગ ન. ૧ માં બતાવી છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
પરમાત્માની કરૂણાના દિવ્ય પ્રભાવે પીડાકારક
ટેના પરિવર્તનની પ્રક્રિયા
Froin Tention to Peace જેવી રીતે હિપ્નોટીઝમના ડોકટરે દરદીને ટેબલ ઉપર સુવાડી તેને સૂચન ( suggestion) આપે છે: “ તું સાજે થઈ ગયું છે. તારી તબિયત એકદમ સારી થઈ ગઈ છે. તું દેડતો થઈ ગયે છે વગેરે વગેરે.” આવી સૂચના દરદીને તેના આંતરમન સુધી સ્પશે છે ત્યારે તે અશક્ત, માણસ પણ દેડવા માંડે છે. તે રીતે આપણને પણ વિના કારણ ભયગ્રસ્ત બની જવાની, ચિંતા કરવાની, શેક કરવાની, દીનદુઃખી બની જવાની, અશાન્ત થઈ જવાની, આત. રૌદ્ર ધ્યાન કરવાની પીડાકારક ટેવ પડી ગયેલ છે. તે
માંથી છૂટવા માટે આપણે આજ સુધી ઘણા પ્રયત્ન કર્યા છે. પરંતુ તેમાં આપણને સફળતા મળી નથી. હવે આપણે પરમાત્માની કરૂણાની સહાય લઈને સ્વયં સૂચનાના પ્રાગ દ્વારા તે જુની ટેનું પરિવર્તન કરીશું. પરમાત્માની કરૂણું જ્યારે આપણા આંતરમનને સ્પર્શે છે ત્યારે સ્વયં સૂચના (auto suggestion) દ્વારા શેક, દુઃખ, ભય, ચિંતા, અશાન્તિમાંથી છૂટકારો થાય છે. (ટેનું પરિવર્તન થાય છે.) અને સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાનો અનુભવ ભગવાનની કરૂણાના દિવ્ય પ્રભાવે થાય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૪
ભાવની અસરકારકતા
આપણે ધ્યાન સમયે આંખ બંધ કરીને જે કાંઈ દૃશ્ય જોઈએ છીએ, જે કાંઈ ભાવથી ભાવિત બનીએ છીએ, જે કાંઈ સકલ્પ કરીએ છીએ તેની આપણા ઉપર શું અસર થાય છે ?
એક યાગી પુરૂષ હિમાલયની ગુફામાં બેઠા છે. ઠંડીમાં થરથરતા એક માણુસ યાગી પુરૂષ પાસે આવી પ્રાર્થના કરે છે, “હું ઠંડીમાં ધ્રૂજી રહ્યો છું. કાંઇ ઉપાય કરી નહીં તા ઠંડંડીમાં થીજી જઈશ.” તે વખતે યાગી પુરૂષ ་૨૨ બીજથી પેાતાની જાતનુ' અગ્નિ સ્વરૂપે ધ્યાન કરે છે, અને 'ડીથી ધ્રૂજતા માણસને પેાતાના કિરણા આપે છે. તેનાથી ધ્રૂજતા માણસની ઠંડી દૂર થાય છે. આ દૃષ્ટાન્ત શુ' બતાવે છે ? દિવાસળી ચાંપીને અગ્નિ સળગેલા કાઈ એ જોયા નથી; પરંતુ ઠ'ડી દૂર થવાનુ" કાર્ય (Result) થવાથી અગ્નિ પ્રગટ થયા હતા તે પશુ કબૂલ કરવું પડે છે. તે રીતે પ્રભુની કરૂણારૂપી અગ્નિમાં આપણી પાપવૃત્તિએ, દુષ્ટ ભાવા અને મલિન વાસનાએને આપણે નિત્ય ખળતી જોઇશું અને પ્રજ્વલિત અગ્નિ જ્વાળામાં પાપ વૃત્તિઓને મળીને ભસ્મીભૂત થતી જોઇશુ, તા જરૂર આપણી વાસના અને પાપવૃત્તિએ શાન્ત થઇ જતી આપણે જીવનમાં અનુભવીશું. નિશીથ સૂત્રમાં સમ્યક્ત્વના અતિચાર ‘શકા' ઉપર એક ઉદાહરણ આવે છે. એક માતાના બે પુત્રા હતા. એક પૂર્વની સ્ત્રીના અને એક પાતાના હતા. મા બન્નેને રાખ
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૫
આપતી; જેમાં મગના કે બીજા કાઈ ધાન્યના ફેાતરાં આવતાં હતાં. ઔરસ પુત્ર સમજતા હતા કે મારી મા મને સારી જ વસ્તુ આપે છે. એરમાન પુત્ર માનતા હતા કે મરેલી માખીવાળી વસ્તુ મારી મા આપે છે. સતત આ ચિંતનથી એ રાગી થયા. એની ચેતના રાગીષ્ટ થઈ. છેવટે એ મૃત્યુ પામ્યા. મગના ફોતરાં પણ મરેલી માખી રૂપ ચિંતન કરવાથી તે મૃત્યુને આપનાર અન્યા. જે વસ્તુને જે ભાવથી ભાવિત કરવામાં આવે છે તે રૂપ ફળને તે આપે છે. કલ્યાણુ મદિર સ્તાત્રમાં સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી
કહે છે.
आत्मामनीषिभिरयं त्वदभेदबुध्ध्या, ध्याती जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः । पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं;
किं नाम नो विषविकारमपाकरोति ॥
(કલ્યાણ મંદિર ગાથા-૧૭)
હું જિનેશ્વર ભગવંત ! પાણી પણ અમૃત છે-અમૃત છે-તે રીતે ચિંતન કરવાથી એટલે કે અમૃત બુદ્ધિએ ચિતવેલુ પાણી પણ જેમ ઝેર ઉતારે છે; તે રીતે હે પ્રભુ ! તમારી સાથે અભેદ ભાવે ધ્યાન કરવાથી કર્મોંમળ રૂપ ઝેર ઉતરીને આ આત્મા પરમાત્મા થાય છે.
જે ભાવથી પરમાત્માનુ' યાન કરવામાં આવે છે તે રીતે પરમાત્મા અવશ્ય ફળદાયી થાય છે.
હવે આપણે ધ્યાન પ્રયાગમાં પ્રવેશીએ. સાકરની
Page #58
--------------------------------------------------------------------------
________________
મીઠાશનું ઘણું વર્ણન કર્યું. હવે સાકરને ટુકડે મોઢામાં નાખી મીઠાશનો સ્વાદ માણીએ.
Ideal Reality : (મનોમય ભૂમિકા ઉપરનું સત્ય) ભગવાન મહાવીરસ્વામી ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. નિર્વાણ પામી મોક્ષે ગયા. તે Historical Reality
અતિહાસિક સત્ય છે. તે જાણવા માટે ઘણું ઉપયોગી છે, જ્યારે પરમાત્માની ભક્તિ, ઉપાસના, ધ્યાન સમયે Ideal Reality મને મય ભૂમિકા ઉપરનું સત્ય કામ આવે છે. દા. ત., મહેસાણામાં સીમંધરસ્વામીનું મંદિર છે. ત્યાં અત્યારે આપણે જઈને પૂજા-સેવા કરી શકીએ છીએ, તે ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય (Objective Reality) કહેવાય. આજથી ૨૦ વર્ષ પહેલાં તે સ્થળે જંગલ હતું. તે વખતે એક સંત પુરૂષના મનમાં વિચાર ઉત્પન્ન થયે કે એક મોટું મંદિર હોવું જોઈએ, તેમાં મોટા સીમંધરસ્વામી ભગવાન બિરાજમાન હોવા જોઈએ વગેરે. ૨૦ વર્ષ પહેલાં સંત પુરૂષનાં મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે મનેમય ભૂમિકા ઉપરનું સત્ય (Ideal Reality) છે. જે સંત પુરૂષના મનમાં ૨૦ વર્ષ પહેલાં તે મંદિર ન આવ્યું હેત, તે અત્યારે ત્યાં જંગલ હત અગર બીજું કાંઈ હોત. સંત પુરૂષના મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે Ideal Reality--મનામય ભૂમિકા ઉપરનું સત્ય છે.
જગતમાં જેટલાં યુદ્ધ થયાં તેમાં સૌથી પહેલાં મનુધ્યનાં મનમાં યુદ્ધ થાય છે. તે પછી ઘણા વખત પછી રણ
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૭
મેદાનમાં યુદ્ધ થાય છે. મનમાં ઉત્પન્ન થયેલુ યુદ્ધ Ideal Realityનુ યુદ્ધ છે. રણમેદાનમાં ખેલાતું યુદ્ધ Objective Reality નું યુદ્ધ છે. (ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય.)
આપણે દુકાન કે કારખાનું કરવુ હોય ત્યારે દુકાન કે કારખાનું સૌથી પ્રથમ આપણા મનમાં ઉપસ્થિત થાય છે. તે પછી આપણે જગ્યા ખરીદીએ છીએ. તેમાં વેપાર, નફા વગેરે થાય છે. નફા કરતી દુકાન કે કારખાનુ તે (Objective Reality ) ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય છે. અને મનમાં ઉપસ્થિત થયેલ દુકાન કે કારખાનુ' તે Ideal Reality) મનેામય ભૂમિકા ઉપરનું સત્ય છે. જો આપણા મનમાં તે દુકાન કે કારખાનુ ન આવ્યુ. હાત તા આપણે કદી દુકાન કે કારખાનાના માલિક બની શકત નહીં.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભેલા હતા. મહાર કોઈ દુશ્મન સાથે યુદ્ધ ખેલાતું ન હતું. કોઈ શસ્ત્ર પણ ન હતાં, છતાં પ્રસન્નચંદ્ર રાજના મનમાં ખેલાતુ યુદ્ધ તે (Ideal Reality) મનામય ભૂમિકા ઉપરનું સત્ય છે. કારણ તે મનનું યુદ્ધ સાતમી નરક સુધી પહેાંચાડવાને સમર્થ હતુ.. તે યુદ્ધના ભાવમાં પલટો આવતાં, આત્મધ્યાનમાં ચઢતાં તે કેવળજ્ઞાન સુધી પહોંચી શકથા. ચૌદ રાજલાકના બન્ને છેડા સુધી પહેોંચાડવાનું સામર્થ્ય પ્રસન્નચંદ્ર રાષિના મનની અંદર ચાલી રહેલ આવામાં હતુ.
ધ્યા. પ્ર. ૨
Page #60
--------------------------------------------------------------------------
________________
આ દષ્ટાંતો ઉપરથી એક વસ્તુ સમજાય છે કે, ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય, પહેલાં તે મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે પરમાત્મા પણ પહેલાં આપણું મનમાં ઉપસ્થિત થાય છે, મેક્ષ પણ પહેલાં આપણું મનમાં ઉત્પન્ન થાય છે, પછી સાચે મોક્ષ પ્રગટ થાય છે. કેઈ મનુષ્ય સંકલ્પ કરે કે, “આવતા જન્મમાં મારે મહાવિદેહ ક્ષેત્રમાં-સીમંધરસ્વામી ભગવાન વિચરે છે, તે ક્ષેત્રમાં મનુષ્ય તરીકે જન્મ લે છે. આઠ વર્ષની ઉંમરે હું ભગવાન પાસે દીક્ષા લઈશ અને પરમાત્મા સીમંધરસ્વામીની આજ્ઞા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ.” આ મહાન સંકલ્પ સિદ્ધ કરવા માટે અત્યારે આ જનમમાં શું કરવું જોઈએ ? અત્યારે જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ ભગવાન સીમંધરસ્વામીજીના સમવસરણમાં આપણે બેઠેલા છીએ તેવું ચિત્ર સ્પષ્ટ આપણી સામે ઉપસ્થિત કરી, તેમાં સ્થિર બનવું. “ભગવાનની દેશના આપણે સાંભળીએ છીએ. તે દેશના આપણુ અણુએ અણુમાં પરિણામ પામે છે. આપણે પરમાત્મા પાસે દીક્ષા લઈએ છીએ. પ્રભુના કહેવા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. આવું સ્પષ્ટ ચિત્ર નિત્ય આપણે નજર સામે રાખીએ અને તેવા ભાવથી ભાવિત બની ધ્યાન કરીએ, તે આપણે ઉપરને સંકલ્પ સિદ્ધ થઈ શકે.
આ રીતે ભગવાન સૌથી પ્રથમ આપણા મનમાં મનેમય સત્યરૂપે, ઉપસ્થિત થાય છે. (Ideal Reality )
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૯
મક્ષ પણ આપણા મનમાં મનમય સત્યરૂપે ઉત્પન્ન થાય છે, (Ideal Reality)
જે વિચાર આપણું મનમાં વારંવાર ઘૂંટાય છે, તે છેવટે ભૌતિકરૂપ ધારણ કરે છે અને કાર્ય સિદ્ધિ થાય છે.
દાણું ધૂળમાં મળી જાય ત્યારે છોડ થાય છે. આ Sાં કીડા મરીને ભ્રમર થાય છે. નદી પિતાનું રૂપ છોડીને
એ સાગર થાય છે. તેમ ઈટને નમસ્કાર પિતાને ભૂલી E ઈષ્ટ સ્વરૂપ થવા માટે છે. પિતાને ભૂલવાથી બેટ છે
જતી નથી, પણ નવું ઉગ્ર સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ
Page #62
--------------------------------------------------------------------------
________________
ધ્યાનની પૂર્વ તૈયારી
(પ્રયોગ ૧ થી ૭ માટે) (૧) બને ત્યાં સુધી સામાયિક લઈને બેસવું અગર જનમંદિર, ઉપાશ્રય કે ઘરમાં શાન્ત સ્થળે બેસવું. સામાયિકમાં બેસવાથી વધુ લાભ થાય છે. કારણ કે સામાયિકમાં વચ્ચે ઉઠવાનું કે વિક્ષેપ થવાનું નિમિત્ત આવતું નથી.
(૨) પદ્માસને બેસી શકાય તે વધુ સારૂ અગર સુખાસને બેસવું.
(૩) પૂર્વ અગર ઉત્તર દિશા સન્મુખ બેસવું. જિનમંદિરમાં પરમાત્માની સામે બેસીએ તે દિશાનું મહત્ત્વ રહેતું નથી.
(૪) ઉનના આસન (કટાસણા) ઉપર બેસવાથી વધુ અનુકુળ પડે છે, બને ત્યાં સુધી આસન પણ સફેદ રાખવું.
(૫) જિન આજ્ઞા મુજબ પિતાના ગુણસ્થાનકને અનુરૂપ અનુષ્ઠાનોમાં રક્ત રહેનારને ધ્યાન જલદી લાગુ પડે છે.
(૬) શુદ્ધ વ્યવહારનું પાલન કરનારને ધ્યાન શિદ્ર સિદ્ધિ આપે છે. (૭) ધ્યાન કરતાં પહેલાં જગતના સર્વ જીવો સાથે
mu na મિત્રભાવથી ભાવિત બનવું. જીવમાત્રનું કલ્યાણ ઈરછવું.
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૧.
જીવમાત્રને આત્મ સમાન જાણે તેમની સાથે મિત્રી પૂર્ણ વ્યવહાર કરનારને ધ્યાન જલ્દી લાગુ પડે છે.
મિત્રી ભાવનાના શ્લોક ખામેમિ સવ્વ જીવે, સવે જીવા ખમંતુ મે; મિત્તો મે સવ ભૂએસ, વેરં મર્જ ન કેણઈ. શિવમસ્તુ સર્વ જગત , પરહિતનિતા ભવતુ ભૂતગણાઃ દેવા પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લેકઃ
(૮) હઠ સહજ રીતે બંધ રાખવા, દાંત એક બીજાને અડે નહિ તે રીતે રાખવા.
(૯) આંખ બંધ રાખવી, સામેથી પ્રકાશ આવતે હોય તેવા સ્થળે બેસવું નહિ.
મંત્રનું અભેદ ચિન્તન તે મંત્રાથની પ્રાપ્તિ છે ને તેને સંભેદ પ્રણિધાન અને મંત્રાર્થનું અભેદ ચિન્તન 1 તે મંત્ર ચિતન્યની પ્રાપ્તિ છે, તેને અભેદ પ્રણિધાન
Page #64
--------------------------------------------------------------------------
________________
સાલંબન ધ્યાનના પ્રયોગ ધ્યાન શરૂ કર્યા પહેલાની પ્રાર્થના (મંદ સ્વરે ગાવું) (૧) દયાસિધુ, દયાસિબ્ધ, દયા કરજે, દયા કરજે,
હવે આ જંજીરામાંથી, મને જલદી છૂટે કરજે, નથી આ તાપ સહેવાતે, ભભૂકી કર્મની જ્વાળા,
વરસાવી પ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે. (૨) જેની પ્રથમ ઝરતી, સૌમ્ય આનંદ આપે,
જેની વાણું અમૃત ઝરતી, દર્દ સંતાપ કાપે; જેની કાયા પ્રથમ ઝરતી, શાન્તિને બેધ આપે, એવું મીઠું સ્મરણ પ્રભુનું, પંથનો થાક કાપે. તારકતા તુજ માંહે રે, શ્રવણે સાંભળી, તે જાણે હું આવ્યો છું, દીન દયાળ જે; તુજ કરૂણાની લહેરે રે, મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ, આગળ કૃપાળ જે.
દર્શન દ્વારા મનશાન્તિને પ્રગ (રાગ નં. ૧ થી ૭ ની પૂર્વ ભૂમિકાના પ્રયોગો
જીવની બે શક્તિ છે. એક દર્શન શક્તિ, બીજી જ્ઞાન શક્તિ. તે બંને પ્રગોમાં હોય ત્યારે તેને દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. દર્શન સામાન્યને ગ્રહણ કરે છે તેથી વિકલ્પ રહિત હોય છે. જ્ઞાન વિશેષને ગ્રહણ કરે છે તેથી વિકલ્પ સહિત હોય છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૩
મનમાં ચાલતી વિચારોની દેડ શાન્ત કરવા સૌથી પ્રથમ આપણે દર્શનને પ્રયાગ કરીશું. આપણું સામે ભગવાનની મૂર્તિ અગર ચિત્રપટ છે. ખૂલ્લાં નેત્રથી આપણે ભગવાનના દર્શન કરીશું. માત્ર દર્શન કરવાનું છે. મનને પણ દર્શનમાં જોડવાનું છે. જે વિચાર કરીશું તે દર્શન બંધ થઈ જશે, અને દર્શન કરીશું તે વિચાર શાંત થઈ જશે. ત્રણ મિનિટ ખૂલ્લાં નેત્રથી આપણે ભગવાનનું દર્શન કરવાનું છે. ત્રણ મિનિટના દર્શનમાં વિચારોની દોડ આપણા મનમાં શાન્ત થશે.
પ્રાણશુદ્ધિનો પ્રયોગ :પ્રાણુનું પ્રતિક છે શ્વાસોશ્વાસ.
આંખ બંધ કરીને શ્વાસે શ્વાસ ચાલે છે તેનું નિરીક્ષણ કરવું. શ્વાસ લેતાં “અરિ અને શ્વાસ મૂકતાં હંત” આ રીતે પ્રત્યેક શ્વાસે શ્વાસમાં “અરિહંત પદનું સ્મરણ ત્રણ મિનિટ સુધી કરવું, તેનાથી પ્રાણુ શુદ્ધ થાય છે. જરા પ્રાગપૂર્વક શ્વાસ ધીમે ધીમે લેવા અને ધીમે ધીમે મૂકવા. લોહીની શુદ્ધિ-હૃદય શુદ્ધિનો પગ
સામાન્ય રીતે તંદુરસ્ત મનુષ્યના અંદાજે ૭૦ જેટલા હદયના ધબકારા એક મિનિટમાં થાય છે. પ્રત્યેક ધબકારે અંદાજે ૮૦ c. c. જેટલું લોહી હૃદયમાંથી પસાર થાય છે. સામાન્ય રીતે આપણું શરીરમાં પાંચ કીલો જેટલું લેહી
Page #66
--------------------------------------------------------------------------
________________
હોય છે તે બધા જ લેહને હયમાંથી પસાર થતાં એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે. પ્રત્યેક ધબકારે અરિહંત પદનું સ્મરણ કરીને આપણું હૃદયમાંથી પસાર થતા લેહીને અરિહંત ભાવથી વાસિત કરવાનું છે. જે રીતે વૈદ્યરાજે નાડી પકડીને ધબકારા ગણે છે, તે રીતે આપણે આપણી નાડી ઉપર આંગળી મૂકીને હૃદયમાં થતા ધબકારા સાંભળી શકીએ છીએ. હૃદયના પ્રત્યેક ધબકારે
અરિહંત” “અરિહંત” તે રીતે આપણે સમરણ કરવાનું છે. હદયમાંથી પસાર થતું લેહી (પ્રત્યેક ધબકારે “અરિહંત પદના સ્મરણથી) અરિહંત ભાવથી વાસિત બની જશે. ત્રણ મિનિટ સુધી આપણે હૃદયના પ્રત્યેક ધબકારે
અરિહંત પદનું સ્મરણ કરવાનું છે, જેથી આપણી નાડીઓમાં અરિહંત ભાવ વાસિત લેહી વહેતું થઈ જશે. ધ્યાનમાં પ્રવેશ:–(પ્રાગ નં. ૧) –
હવે આપણે આંખો બંધ કરી દઈએ છીએ, આપણું સામે આપણને પરમાત્મા દેખાય છે. આપણું સામે કરૂણામય પ્રભુનું આપણે દર્શન કરી રહ્યા છીએ.
પરમાત્મા કરૂણ સ્વરૂપ છે. ....
તેમના નેત્રમાંથી સફેદ દૂધ જેવી કરૂણાની ધારા વહી રહી છે. .. .. •• •
* કદાચ સામે પરમાત્મા ન દેખાય કે ઝાંખા દેખાય તોપણ દેખાય છે તે ભાવ રાખવો.
૧. ટપકાં મૂક્યાં છે તે દશ્ય જોવામાં થેડી ક્ષણ સ્થિર રહેવું તે બતાવવા માટે છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રભુના નેત્રમાંથી વરસતી કરૂણુની ધારા આપણા ઉપર પડી રહી છે, તેમાં આપણે સ્નાન કરીએ છીએ . . . ... .... (આવું દશ્ય જેવું.)
સફેદ દૂધ જેવી ધારા વહી રહી છે... ... .
આપણું મસ્તકના મધ્ય ભાગમાંથી કરૂણાની ધારા આપણા શરીરમાં પડી રહી છે.. ... ... ......
આપણું હૃદય (આજ સુધી ઉંધું Non Receiptive) હતું તે સીધું કમળ જેવું બન્યું છે. (Receiptive Attitude). ••• .. •••
પરમાત્માની દિવ્ય કરૂણાની ધારા આપણા કમળ જેવા હૃદયમાં પડે છે અને હૃદય ભરાઈ રહ્યું છે. - (આવું અનુભવવું)
હદય ભરાઈ અને ઉભરાઈ રહ્યું છે... ... (A)
પ્રભુની કરૂણા હૃદયમાં ભરાઈ અને ઉભરાય છે. અને આપણું શરીરમાં ફેલાય છે... ... ... ...
આપણું શરીર પ્રભુની મહા કરૂણાથી ભરાઈ ગયું.
આપણું લોહીના અણુએ અણુમાં પરમાત્માની કરૂણા વ્યાપ્ત બની ગઈ..... ... ... ... "
A. આવું દશ્ય થેડી ક્ષણ જેવું. ધીમે ધીમે આવો અનુભવ થવાને શરૂ થશે. જ્યાં ... ... આવાં ટપકાં મૂક્યાં છે ત્યાં દશ્ય જોવું. ધ્યાનમાં દર્શન, સંકલ્પ અને સંવેદન ( અનુભવ) . મુખ્યતયા આવશે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૨૬
વ્યાપક બની ગઈ....
પરમાત્માની કરૂણામાં
આપણા આત્માના પ્રદેશે પ્રદેશે પ્રભુની કરૂણા ....(આવા ભાવ કરવા). અચિંત્ય શક્તિ છે, સવ દુઃખ નિવારણ કરવાની, સર્વ શાક, ભય, ચિંતાથી મુક્ત કરવાની શક્તિ પરમાત્માની આ મહા કરૂણામાં છે. સર્વ સુખ, શાન્તિ, આનંદ અને નિભ યતાના અનુભવ કરાવવાની શક્તિ પરમાત્માની કામાં છે. ( આવા સ ́કલ્પ કરવા. ) પરમાત્માની કરૂણા શક્તિને આપણે સપૂર્ણ આધીન ખની જઈએ છીએ. પરમાત્માની સપૂર્ણ અને ખિનશરતી શરણાગતિ ( Complete uncomditidnal surrender ) સ્વીકારીએ છીએ.
....
જોરથી વરસે છે ભગવાનની કરૂણા.... આપણે તેમાં સ્નાન કરીએ છીએ.... પરમાત્માની કરૂણા આપણા આંતરમન સુધી સ્પર્શે છે. પરમાત્માની કરૂ આપણા હૃદયના ઉંડાણ સુધી
સ્પર્શે છે.
તેના પ્રભાવથી આપણી જૂની ટેવામાં પરીવર્તન થવુ શરૂ થાય છે,
8000
પરમાત્માની કરૂણાના દીવ્ય પ્રભાવે :—
મને કોઈ દુ:ખ નથી. મારાં સર્વ દુઃખ નાશ પામી ગયાં x x x x (B)
B. x x x આવી નિશાની સ્વય‘સૂચના ( Auto Sugge-
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૭
મને કાઈ ભય નથી. × ૪ ×
મને કોઈ રાગ નથી. × ૪ (આવુ' સંવેદન કરવું). પરમાત્માની કરૂણામાં સ્નાન કરવાથી મારા સઘળા રાગ, શાક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયા છે × ૪ ( આવુ. સ`વેદન કરવુ.)
જોરથી વરસે છે. ભગવાનની કરૂણા.... તેમાં હું સ્નાન કરી રહ્યો છુ..... ....તેના પ્રભાવે:હું સુખથી ભરાઈ રહ્યો છું. મને સુખના અનુભવ થઈ રહ્યો છે × × × ( આવું અનુભવવુ' ) ભરાઈ રહ્યો છું મને
X ×
×
X
આનંદ આનંદ–આનદ્રથી પૂર્ણ આનંદના અનુભવ થાય છે × × હું નિર્ભીય અની ગયા શાંતિ-શાંતિ-શાંતિનેા અનુભવ થાય છે × × × આનંદ અને નિર્ભયતાથી પૂ × (આવુ. અનુભવવુ' ).
પૂછ્યું
હું સુખ, શાંતિ, ભરાઈ ગયા છું × ×
×
1800
X
પરમાત્માની કાના પ્રભાવે મારાં સવ રાગ, શાક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયા છે. હું સુખ, શાંતિ આનન્દ્વ અને નિભ યતામાં બેઠો છુ' x X
X
....
stion) દરેક વિચાર આંતરમન સુધી સ્પર્શી થાય તે રીતે ભાવિત બનવુ. પેાતાની જાતને સૂચના આપવી તે સ્વયંસૂચના છે. ૧૦થી ૩૦ સેકંડ સુધી દરેક ભાવ ધારી રાખવેા. તે રીતે કરવાથી અંત-રંગ ભાવનું પરીવર્તન થાય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
હું જ્યાં પણ હોઈશ, જ્યારે પણ હઈશ સર્વત્ર ભગવાનની કરૂણા વરસી રહી છે. તેમાં હું નિરંતર સ્નાન કરતે રહીશ. તેના પ્રભાવે દુઃખ, ભય, ચિંતા, અશાંતિ મને સ્પશી પણ નહીં શકે.
હુ સદા સર્વદા સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતામાં જ રહીશ .....
જોરથી વરસે છે ભગવાનની કરૂણા, તેમાં સ્નાન કરીએ છીએ .... - • • •
• • (નીચેની પ્રાર્થના, ધ્યાનમાંથી બહાર આવવું હોય તે મેટેથી ગાવાની છે આગળ ધ્યાન ચાલુ રાખવું હોય તે મનમાં પ્રાર્થનાના ભાવને ભાવિત કરે.)
કરૂણ દષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જે. મનવાંછિત ફળીયા રે તુજ આલંબને, કર જોડીને સેવક કહે મન રંગ જે. કરૂણાસાગર પ્રભુ ! આજે હું ધન્ય બન્યું. કૃત પુણ્ય બન્ય. આજ આપની કરૂણાને પાત્ર બન્યું. પ્રભુનું દર્શન કરી આનંદથી આપણું હૈયું નાચી રહ્યું છે . ” પગ નં. ૨ –
આંખો બંધ રાખેલી છે તે બંધ જ રાખવી. સામે પરમાત્મા દેખાય છે...(આપણે દર્શન કરીએ
Page #71
--------------------------------------------------------------------------
________________
છીએ ત્યારે વિકલ્પ શાન્ત થાય છે. માત્ર દર્શન કરવું. દર્શન કરતાં કાંઈ વિચારવું નહીં).
કરૂણામય પરમાત્માનું આપણે દર્શન કરીએ છીએ. - હે દિવ્ય કરૂણાશક્તિ રૂપ પરમાત્મા ! આપ તે સર્વ દેષ, પાપ અને વાસનાથી મુક્ત છે. હું તો પાપવૃત્તિથી ભરેલો છું, મલીન વાસનાઓ હજુ પણ મને સતાવી રહી છે. દુષ્ટ ભાવે હજુ પણ મને પીડા આપી રહ્યા છે. હું તે ક્રોધ કષાયને ભરીયે, તુ તે ઉપશમ રસને દરિયો, હું મનથી ન મુકું માન, તું છે માન રહીત ભગવાન; હું તે મોહ તણે વશ પડી, તે તે સઘળા મેહને હણ, મને માયાએ મુક્યો પાશી, તું તે નિબંધન અવિનાશી.
(આ પ્રાર્થનાના ભાવે મનમાં ભાવિત કરવા )
હે દયામય પ્રભુ! આપ કાંઈ ઉપાય કરો જેનાથી મારી પાપવૃત્તિઓ નાશ પામે, મારી મલીન વાસનાઓ અને દુષ્ટ ભાવે નાશ પામે.
પરમાત્માની કરૂણા–અગ્નિજવાળાનું સ્વરૂપ ધારણ કરે છે...... ... તે અગ્નિજ્વાળા આપણી તરફ આવી રહી છે.... ... ... (આવું દશ્ય જેવું).
અગ્નિજવાળા આપણી ચારે તરફ વીંટળાઈ વળી છે.” તે પ્રભુની કરૂણા અઝિનમાં આપણી પા૫
Page #72
--------------------------------------------------------------------------
________________
વૃત્તિઓ, મલીન વાસનાએ અને દુષ્ટ ભાવા મળી ૧....(આવું દૃશ્ય જોવુ).
રહ્યા છે....
અગ્નિજવાળા પ્રજવલિત અની છે....(આવું દૃશ્ય જોવું).
....
2008
પ્રચર્ડ અગ્નિ જ્વાળામાં બધાં પાપે! ખતમ થઇ રહ્યા છે. બળીને ભસ્મ થઈ રહ્યા છે. તે આપણે જોઇએ છીએ.... ....(આવું સવેદન કરવુ), ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, ઇર્ષા, અસૂયા, સ્વાર્થવૃત્તિ, દોષદૃષ્ટિ, હિંસા, ચારી, અસત્ય, મૈથુન, પરિગ્રહવૃત્તિ, આત ધ્યાન, રૌદ્રધ્યાન, વિષયવાસના બધુ જ ખળીને ભસ્મ થઈ રહ્યું છે....
....
૩૦
....
....
****
....(સકલ્પ કરવા)*
પ્રચંડ અગ્નિ જ્વાળામાં બધું જ બની રહ્યુ છે (અગ્નિની ધારણા અધું જ બળીને ભસ્મ થાય ત્યાં સુધી ઘેાડી મિનિટો પકડી રાખવી.)
બળીને ભસ્મ થઈ ગઈ પાપવૃત્તિઓ, મલીન વાસના અને દુષ્ટ ભાવે.... ખળવાની વસ્તુ ખતમ થવાથી અગ્નિ શાંત થઈ રહ્યો છે.
....
***
૧. ...આવાં ટપકાં જ્યાં છે ત્યાં થેડી ક્ષણ તે દૃશ્ય જોવામાં સ્થિર બનવું. ધીમે ધીમે એવા અનુભવ થશે.
જે દોષ આપણુને વધુ હેરાન કરતા હોય તેને ખતમ થતા જોવા. હમેશાં આ પ્રક્રિયા કરવાથી પાપવૃત્તિએ ઓછી થઈ જતી અનુભવાશે.
....
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૧
ધીમે ધીમે અગ્નિ શાંત થઇ ગયા.... અગ્નિ શાંત થઈ ગયા છે....
ગયા છીએ.
પાપથી આપણે એકદમ હળવા થઈ મલીન વાસનાઓ અને દુષ્ટ ભાવા ચાલ્યા ગયા છે.... પ્રયાગ ન. ૩ :
સામે પરમાત્મા બીરાજમાન છે....
આપણે અનત ગુણના ભડાર પરમાત્માનું દર્શન કરીએ છીએ....
....
....
....
....
....
હે કરૂણામય પ્રભુ ! આપ તેા અનંત ગુણના પરમ નિધાન છે. હું તેા ગુણહીન છુ. મારામાં એક સદ્ગુણુ નથી, તે મને ઉત્તમ ગુણાથી પૂછ્યુ કર....
પણ ઉત્તમ ભરવા કૃપાં
....
....
....
....
પરમાત્માના સર્વ અંગેામાંથી ગુણાને વરસાદ પડવા શરૂ થયે....
IV
....
....
....
પ્રભુના ગુણુ ગંગાજળના ધાધ આપણા ઉપર પડી રહ્યો છે તેમાં આપણે સ્નાન કરીએ છીએ.... તુમ ગુણ ગણુ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન ધંધા આદરૂ, નિશદિન તારા ગુણ ગાઉં રે.... ગીરૂ ૨ ગુણુ તુમ તા.
પ્રભુના ગુણુ ગંગાજળમાં આપણે સ્નાન કરીને નિર્મળ IV. આવું દૃશ્ય જોવુ... અને અનુભવવું ......આવી નિશાની હાય ત્યાં આ રીતે દૃશ્ય જોવ અને અનુભવવ.
....
....
Page #74
--------------------------------------------------------------------------
________________
બનીયે છીએ.... ... ...(આવું સંવેદન કરવું).
પ્રભુનું ગુણ ગંગાજળ આપણા મસ્તકમાંથી આપણું અંદર પ્રવેશ કરે છે... ... ... ... - પ્રભુના ગુણ ગંગાજળથી આપણે ભરાઈએ છીએ
... .. (આવું દશ્ય જેવું). આપણે ઉત્તમ ગુણોથી ભરાઈ રહ્યા છીએ.... ....
.. .....(આવું દૃશ્ય જેવું). ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, દયા, દાન, પરેપકાર, કૃતજ્ઞતા, મિત્રી, પ્રદ, કરૂણા, મા ધ્યસ્થ, દાન, દયા પર પકાર આદી ઉત્તમ ગુણેથી આપણે ભરાઈ રહ્યા છીએ.
આપણે અનંત ગુણેથી પૂર્ણ ભરાઈ ગયા છીએ. ••• •
• • • • • • • •
. (સંક૯યપૂર્વક આવું અનુભવવું). પ્રયાગ ન. ૪ :–
અનંત તેજોમય પરમાત્મા આપણી સામે બીરાજમાન છે. આપણે પરમાત્માનું દર્શન કરીએ છીએ....
હે કરૂણામય આત્મસ્વરૂપના દાતા પ્રભુ ! આપનામાંથી વરસતી સફેદ દૂધ જેવી કરૂણાની ધારામાં સ્નાન કરવાથી મારાં રોગ, શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયા. સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતાનો અનુભવ થયો. આપની કરૂણારૂપ અગ્નિ જ્વાળામાં મારાં બધા પાપે અને વાસનાઓ બળીને ભસ્મ થઈ ગયા.
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૩
આપના સર્વાંગામાંથી વરસતા ગુણાના વરસાદમાં સ્નાન કરવાથી હું અનંત ગુણુાથી પૂર્ણ ભરાઇ ગયા
હવે તીવ્ર ઇચ્છા છે-આત્મશનની. આપ આત્મદન કરાવે, જેથી તૃપ્તિના પરમ આનંદ અનુભવી શકું.
અસત્યા માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઉ"ડા અધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણ્ણા હું છુ. તા, તુજ દરશના દાન દઈ જા. કરૂણામય પરમાત્મા !
અન'તકાળથી મિથ્યાત્વના- અસતના ' પંથ ઉપર વિચરી રહ્યો છુ'. પ્રભુ ! તા સમ્યગ્દર્શનનુ દાન આપીને સત્યના પથ બતાવા અજ્ઞાન રૂપી ભયંકર અધકારમાં અટવાઈ રહ્યો છું... પ્રભુ ! તા સમ્યજ્ઞાનનું દાન આપીને આત્માને પરમ પ્રકાશના માગ અતાવા. અવિરતિના પાપથી ક્ષણે ક્ષણે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યો છું, તા હૈ પરમાત્મા ! સમ્યગ્ ચારિત્ર પન્નુ દાન આપી આત્માના અનુભવના પરમ અમૃતમય પથ બતાવા. આપના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું દર્શન આપી તૃપ્તિના પરમાનંદમાં લઈ જાઓ....
પ્રભુએ આપણો પ્રાર્થના સાંભળી.
A ...આવી નિશાની હોય ત્યાં આવું દૃશ્ય ઘેાડી ક્ષણે જોઈ રહેવુ.
ધ્યા. પ્ર. ૩
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૪ પરમાત્મામાંથી (સૂર્યના બિંબમાંથી નિકળતા પ્રકાશની જેમ) દિવ્ય તેજપુંજ નીકળી આપણી તરફ આવી રહ્યો છે......
પરમાત્મામાંથી નીકળેલ પ્રકાશ આપણી ચારે તરફ વીંટળાઈ વળે છે. પરમાત્માના દિવ્ય પ્રકાશમાં આપણે બેઠેલા છીએ.
અનુભવવું.) પરમાત્મામાંથી નીકળેલ દિવ્ય પ્રકાશ આપણને ભેદીને પસાર થાય છે. આપણુ આરપાર તે પ્રકાશ પસાર થઈ રહ્યો છે....
.....(આવું દશ્ય જેવું) તે પ્રકાશમાં આપણા આત્માને “એકસ રે” લેવાય છે.(B)
તેમાં શરીરને ફેટે નથી આવતું. આત્માને લાગેલાં કર્મને ફેટ નથી આવતું. રાગદ્વેષ આદિ ભાવ કર્મને ફેટે નથી આવતું.
પરમાત્માના દિવ્ય પ્રકાશમાં શુદ્ધ આત્માને ‘એકસ રે” લેવાય છે.
(B) જે રીતે ડોકટર “એકસ રે' લે છે તેમાં કપડાને ફેટ નથી આવતો, ચામડીને નથી આવતો, માંસ, લોહીને ફેટે નથી આવતો, ફક્ત હાડકાને જ ફેટે આવે છે. તે રીતે અહીં આત્માને ‘એકસ રે લેવાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૩પ
તેમાં આપણા આત્માના સ્વરૂપનું આપણેદન કરીએ છીએ.......
પરમાત્માના જેવું જ વિશુદ્ધ આત્મચૈતન્ય આપણા દર રહેલુ છે તેના દર્શનમાં આપણે સ્થિર બનીએ ીએ (C)..........
પરમાત્માની દિવ્ય વાણી સંભળાય છે................ હે વત્સ ! દેહ (શરીર) તારૂ સ્વરૂપ નથી, તું તા કહથી ભિન્ન ચેતન્ય સ્વરૂપ આત્મા છે..
જગતમાં દૃશ્યમાન પુદ્ગલ-પદાર્થો તારૂ રૂપ નથી, વનાથી ભિન્ન તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે..
પુદ્દગલ (જડ)નું લક્ષણુ શબ્દ, રૂપ, · રસ, ગંધ અને પશ છે........
તારૂ-ચૈતન્યનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય અને ઉપયાગ છે.....
પુદ્ગલ રૂપી છે, તું અરૂપી છે... જ્ઞાનાવરણી આદિ કમ-પુદ્દગલ છે, તેનાથી ભિન્ન તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે.........
તું જે ભાષા મલે છે તે પણ ભાષાવણાના પુ ગલા છે, તેનાથી ભિન્ન તું આત્મરૂપ છે.............. (C) ચેડી ક્ષણ આત્મદર્શનમાં સ્થિર બની અનુભવ કરવેા.
****** ..
Page #78
--------------------------------------------------------------------------
________________
૩૬
મનથી જે તે વિચાર કરે છે તે મને વગણના પુદગલ છે, તેનાથી ભિન્ન તું ચિતન્ય સ્વરૂપ આત્મા છે.
તું બહાર જોઈ રહ્યો છે, જરા અંદર જે, અનત આનંદ અને સુખને મહાસાગર તારી અંદર (તારા આમામાં) પૂર્ણ ભરેલે છે........
જેવું મારું સ્વરૂપ છે તેવું જ તારૂં સ્વરૂપ છે .
તારા અંદરના આનંદના મહાસાગરમાં ડુબકી મારા પરમાનંદને અનુભવ થશે.
આપણે આત્માના આનંદના મહાસાગરમાં લીન બનીએ છીએ...
|
-
...........
.................... ................. દિવ્ય આનંદને આપણે અનુભવ કરીએ છીએ.”
.................(સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું.) સાકર દુધમાં ઓગળી જાય તેમ મન આત્માના પરમાનંદમાં ઓગળી ગયું છે.................
આનંદના મહાસાગરમાં આપણે વિલીન થઈ ગયા છીએ............................( સ્થિરતા પૂર્વક ધ્યાન કરવું)
વિચારે શાંત કરી આત્મિક આનંદના મહાસાગરમાં વિલીન બનવું, અનુભવ કરે. બને તેટલે વધુ સમય સ્થિર રહેવું.
Page #79
--------------------------------------------------------------------------
________________
૦૭
આત્માના પરમ આનંદરસને આજે અનુભવ કરી હા છીએ.”
.........
oooo
......
પરમાત્માના આલબને અનંત સુખ, પરમ આનંદ, નિત શક્તિ, કેવળજ્ઞાન આદિ અનંત ગુણ સમૃદ્ધિથી { આપણુ આત્માનો અનુભવ થઈ રહ્યો છે. -
-
તા
.
૦
૦
૦
,
,
,
, ,
,
,
•
,
,
,
, ,
, ,
,
,
,
,
,
Page #80
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રભુ મેરે તું સબ ખાતે પુરા, પરકી આશ કહાં કરે પ્રીતમ, એ ટ્વીન ખાતે અધુરા....
આપણે આત્મા સાથે વિચાર કરીએ છીએ. પ્રભુ ! તું સવ વાતે પૂર્ણ છે.
પર વસ્તુની આશા તું શા માટે કરે છે ? તારા અંદર શુ. આછું' છે ?
આનંદ અને સુખ માટે આજ સુધી આપણે બહાર શેાધતા હતા. જગતના પદાર્થમાં સુખ છે તેમ સમજી દોડતા હતા. આજે પ્રભુની કૃપા થઈ. સુખ અને આનંદના મહાસાગર, પરમાત્માએ આપણા આત્માના અંદર બતાવ્યા, અનુભવ કરાવ્યા.
પરસંગ ત્યાગ,
લાગ નિજરંગશુ આનંદ વેલી અંકુરા.
....
હું જીવાત્મા ! પરના સંગ છેડીને, આત્માના રગમાં લાગી જા, આનંદથી પૂર્ણ ભરાઈ
જઈશ....
આજે પામ્યા પરમ પદના, મીથા આજે ભ્રમણુ ભવના, દુઃખા સવે ક્ષય થઈ ગયાં, ખુલ્યાં ખુલ્યાં સકલ સુખના,
....
પથ તારી કૃપાથી, દિવ્ય તારી કૃપાથી; દેવ તારી કૃપાથી, દ્વાર તારી કૃપાથી. ( પ્રયાગ નં. ૪ પૂર્ણ.)
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૯
પ્રયાગ ન. ૧ વિશેષ નોંધ :~
–
આપણને વિના કારણુ ભયગ્રસ્ત બની જવાની ચિંતા (ટેન્શન) કરવાની, શાક કરવાની ટેવ પડી ગઈ છે, જેને જ્ઞાની પુરૂષા આત્તધ્યાન, રૌદ્રધ્યાનની પીડા કહે છે.
આ પ્રયાગથી પરમાત્માની કરૂણાની સહાયથી સ્વયં સૂચના દ્વારા આપણી ટેવમાં પરિવર્તન આવે છે. દરેક સ'જોગમાં સમતા કેળવવાની ટેવ કેળવાય છે. ગમે તે સંજોગામાં સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતાના અનુભવ કરી શકાય છે. આખા દિવસ આપણે ૫રમાત્માની કરૂણામાં જ વસીએ છીએ તેવી સભાનતા રહે છે. આ પ્રયાગ દરરાજ કરવાથી જીવન શાંત અને આનંદમય બને છે અને આત્ત. રૌદ્રધ્યાનની પીડા (ટેન્શન) શાંત થઈ જાય છે. ઉપરાંત આત્ત રૌદ્ર ધ્યાનના પ્રસંગેામાં પણ પરમાત્માના મરણુ રૂપ ધર્મ ધ્યાન થઈ શકે છે.
અહીં કરૂણાથી પૂર્ણ ભરાયા પછી મત્રી ભાવનાનુ ધ્યાન ખાસ કરવું, જેથી દિવ્ય આનંદ અનુભવાશે. મૈત્રી ભાવનાનુ ધ્યાન પ્રયાગ નં. ૭ મુજબ કરવું.
પ્રયાગ નં. ૨ વિશેષ નોંધ :——
આ પ્રયાગ દરરાજ વ્યવસ્થિત કરવાથી પાપવૃત્તિઓ, મલીન વાસનાઓ અને દુષ્ટ ભાવનાએ ધીમે ધીમે ઓછી થવા માંડે છે. કોઈ દોષ દા. ત. ક્રોધ' આપણને વધુ હેરાન કરતા હાય તા ક્રોધને મળતા ખરાખર જેવા. અનીને
6
Page #82
--------------------------------------------------------------------------
________________
ભસ્મ થાય ત્યાં સુધી જે. તેનાથી ક્રોધના નિમિત્તોમાં પણ શાંત રહેવાની ટેવ પડી જશે. પ્રયોગ ન ૩ વિશેષ નોંધ :–
આ પ્રયોગ દરરોજ કરવાથી પ્રભુના પ્રભાવે સદ્દગુણ આપણામાં ખીલવા માંડે છે. જે ગુણની આપણને જરૂર હાય દા. ત. “ઉદારતા”. તે ઉદારતાથી આપણે પૂર્ણ ભરાઈએ છીએ તે ખાસ સંકલ્પ કર. પ્રયોગ નં. ૪ વિશેષ નોંધ :
આ પ્રયોગથી સંવેગ અને નિવેદ ગુણો વિકાસ થાય છે. “હું પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છું તે લક્ષણ ભેદથી પુદ્દગલની ભિન્નતા ભાવિત થવાથી પાંચ ઇદ્રિના વિષયનો અને સંસારના સુખને રસ “હેય ’–છોડવા જેવો લાગે છે. તે રસ ઘટવા માંડે છે અને આત્માના શુદ્ધ આનંદ સ્વરૂપને અનુભવ કરવાની લગની લાગે છે જેથી સંવેગ ગુણ વૃદ્ધિ પામે છે. મેક્ષની તીવ્ર ઈચ્છા એટલે મોક્ષમાં જ ઉપાદેય બુદ્ધિ થાય છે. સંસારના સુખ ઉપર રાગ ઘટતું જાય છે. મોક્ષનો એટલે આત્માના પરમાનંદની પ્રાપ્તિને રસ વધતો જાય છે. આત્માની અંદર આનંદ અને સુખને મહાસાગર ભરેલો પડ્યો છે તેનું ભાન થતાં, તે આનંદની પ્રાપ્તિ માટે તાલાવેલી જાગે છે. - જગતના પદાર્થોમાં સુખ માનીને આપણું મન દેડે છે, પરંતુ આ પ્રયોગથી આત્મામાં રહેલ પૂર્ણ સુખ અને આનંદના મહાસાગરને અનુભવ થાય છે. તેમાં મનની ગતિ
Page #83
--------------------------------------------------------------------------
________________
૪૧
(ઉપયોગ) આનંદના મહાસાગર એવા આત્મા તરફ઼ થાય છે, અને દિવ્ય આનંદ અનુભવીને બહાર આવેલું આપણું મન ફરી ફરીને તે દિવ્ય આનંદને ઝંખે છે. મનનું આકર્ષણ જગતના પદાર્થોને બદલે પરમાત્મા અને આત્મા તરફ થાય છે. જસ પભુ ધ્યાયે, મહારસ પાયે, અવર રસે નહિ રાચું; અંતરંગ ફરી દરિશન તેરે, તુજ ગુણ રસ સંગ માચું,
પરમાત્માના ધ્યાનથી પરમ સુખનો રસ અનુભવાય છે, ત્યારે જગતના પદાર્થોનાં સુખને રસ ઘટી જાય છે અને છેવટે એ નાશ પામે છે. પરમાત્માના આલંબને દિવ્ય રસ અનુભવવા માટેની ઝંખના ચાલુ જ રહે છે. તેથી પરમાત્માનું સ્મરણ-ધ્યાન સહજ બની જાય છે. મગ નં. ૫ :–
વાલેશ્વર સુણે વિનતી, તું મુજ પ્રાણ આધાર; તુજ વિણ હું ન રહી શકું, જેમ બાળક વિણ માત રે.
(પૂ. ૩. યશોવિજયજી કૃત વીર પ્રભુનું સ્તવન) ' હે કરુણાનિધાન પ્રભુ ! હૃદય મંદિરીયે પધારે. તમે મારા પ્રાણુ, ત્રાણ, શરણ આધાર છે. જેમ બાળક મા વગર રહી ન શકે તેમ પ્રભુ! એક ક્ષણ પણ તમારા વગર રહી ન શકું તેવી મારી સ્થિતિ છે. હવે મુજ મંદિરમાં પ્રભુ આવી વસે છે, પામું પાસું પરમાનંદ, પ્રભુ ! પધારો પધારો અને સેવકને પરમાનંદથી ભરી દે.
Page #84
--------------------------------------------------------------------------
________________
અરજી સુણી મન આવીયા રે, વીર જીણુંદ દયાળ રે, રમજો મુજ મન મંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશદિન રે.
પરમાત્મા હૃદય-મંદિરમાં પધારે છે........(આવું દશ્ય આપણે જોઈ રહ્યાં છીએ.)
હૃદય-મંદિરમાં પરમાત્મા બિરાજમાન થાય છે.
જે દિશામાં આપણું મુખ છે તે દિશામાં પરમાભાનું મુખ છે...
હૃદયમાં બિરાજમાન પરમાત્માનું આપણે ધ્યાન કરીએ છીએ. ૧. પરમાત્મા પ્રેમ અને કરુણાના ભંડાર છે. તેમના
માંથી પ્રેમ અને કરુણાના ફુવારા ઊડી આપણી અંદર ફેલાય છે...... આપણે પ્રેમથી ભરાઈ એ છીએ................... આપણે પ્રેમ સ્વરૂપ બનીએ છીએ..........(આવું સંવેદન અને અનુભવ આપણને થઈ રહ્યો છે.) પરમાત્મા આનંદના ભંડાર છે................. પરમાત્મામાંથી આનંદના ફુવારા ઊડે છે.................. આપણી અંદર ફેલાય છે........... આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ.............. આપણે આનંદ સ્વરુપ બનીએ છીએ............(આવું આપણે અનુભવી રહ્યાં છીએ.)
Page #85
--------------------------------------------------------------------------
________________
૩.
પરમાત્મા અનંત સુખના નિધાન છે. પરમાત્મામાંથી સુખનાં ભાવે નિકળી આપણી અંદર ફેલાય છે.... આપણે સુખથી પૂર્ણ ભરાઈએ છીએ.... આપણે સુખ સ્વરૂપ બનીએ છીએ.... ( આ અનુભવ આપણને થઈ રહ્યો છે.) પરમાત્મા શક્તિના ભંડાર છે. (અનંત વીર્ય તે શક્તિ છે.)............ પરમાત્મામાંથી શક્તિને પ્રકાશ નીકળી આપણી અંદર ફેલાય છે. આપણે શક્તિ સ્વરૂપ બનીએ છીએ... (આવું સંવેદન આપણને થાય છે.) પરમાત્મા કેવળજ્ઞાન આદિ ગુણ સમૃદ્ધિના ભંડાર છે. પરમાત્મામાંથી ગુણ સમૃદ્ધિના ફુવારા ઊડે છે અને આપણી અંદર ફેલાય છે.......... આપણે સમૃદ્ધિથી ભરાઈએ છીએ.... આપણે સમૃદ્ધિવાન બનીએ છીએ....................
હૃદયમાં બિરાજમાન પ્રભુના અનુગ્રહથી આપણે પ્રેમ આનંદ, સુખ, શક્તિ અને ગુણ સમૃદ્ધિથી પૂર્ણ ભરાઈ ગયા તેવા સંક૯પપૂર્વક અનુભવ થઈ રહ્યો છે...............
.
•
•
•
•
•
:
:
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રયોગ નં ૬:–
હદયમાં બિરાજમાન પરમાત્માનું આપણે ધ્યાન ધરીએ છીએ.... ....પછી આપણે પ્રભુને વિનંતિ કરીએ છીએપ્રભુ! મારી સાથે એક રૂપ થઈ પ્રસન્ન થાઓ. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ધીમે ધીમે મોટું રૂપ ધારણ કરે
છે.....
........
આપણું દેહ પ્રમાણ બની જાય છે................
પરમાત્માના અસંખ્ય આત્મપ્રદેશો આપણે આત્માના અસંખ્ય પ્રદેશો સાથે એક રૂપ થાય છે.....
પરમાત્માને પ્રત્યેક આત્મપ્રદેશ અનંત સુખ અને અનંત ગુણથી પૂર્ણ છે.
આ એક એક અનંત ગુણ અને સુખથી પૂર્ણ પરમાત્માને આત્મપ્રદેશ આપણું એક એક આત્મપ્રદેશ સાથે મળતાં આપણે દિવ્ય સ્વરૂપ બની જઈએ છીએ....
આપણે પૂર્ણતાનો અનુભવ કરીએ છીએ............ આપણે પૂર્ણ સ્વરૂપમાં સ્થિર બનીએ છીએ.
••••••
(એટલે સમય સ્થિર રહી શકાય ત્યાં સુધી સ્થિર રહી આનંદ અનુભવીએ છીએ.)
Page #87
--------------------------------------------------------------------------
________________
૪૫
પરમાત્માની દિવ્યશક્તિ મારા લેહીના અણુઓ-અણુમાં કાર્યશીલ બની ગઈ છે.....
મારી ચારે તમ્ફ દીવ્ય શક્તિઓનું આભા મંડલ બન્યું છે.......
અંતમાં પરમાત્મા હૃદયમાં બિરાજેલા છે તેનું દર્શન કરીએ છીએ...
હૃદયમાં બિરાજેલા પરમાત્માને નિરંતર હદયમાં ધારણ કરીશ.
•••••••••• ધ્યાન પૂરું થાય તે સમયની પ્રાર્થનાદાદા તારી મુખમુદ્રાને, અમીય નજરે નિહાળી રહ્યો, તારા નયનેમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયે, તુજ મૂર્તિમાં મસ્ત બનીને, આમિક આનંદ માણી રહ્યો.
મુજ નેત્ર રૂપ ચકેરને તું, ચંદ્ર રૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હું, આનંદ ઉદધિમાં પડયો. જે ભાગ્યશાળી હાથમાં, ચિંતામણિ આવી પડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં, જે તેને નવ સાંપડે? કલ્પવૃક્ષ અને ચિંતામણિ સમા પ્રભુ આજે મળ્યા, હદય મંદિરીએ પ્રભુ પધાર્યા. રમજે મુજ મનમંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશદિન રે.
હદયમંદિરમાં પધારી પ્રભુએ પ્રેમપૂર્વક આપણી અંદર તેમની શક્તિઓનું આપણને દાન આપ્યું.
Page #88
--------------------------------------------------------------------------
________________
૪
પ્રત્યેાગ ન'. ૫ વિશેષ નોંધઃ—
પરમાત્મા હૃદયમાં પધારતાં પરમાત્માની િ શક્તિઓના આપણામાં વિસ્ફાટ થાય છે. આપણા લેાહીના અણુએ અણુમાં પરમાત્માની ક્રિષ્ય શક્તિઓ કાર્યશીલ હાય તેવુ' અનુભવાય છે. હૃદયમાં બિરાજમાન પરમાત્માની દિવ્ય શક્તિઓ-પ્રેમ, આનંદ, સુખ, શક્તિ, ( વીય ગુણ ) સમૃદ્ધિના પ્રકાશનું આભામ'ડળ આપણી ચારે બાજુ રચાય છે. જેનાથી જગતના જીવાને આપણું જીવન ઉપકારક અને છે. આપણી નજીકમાં આવનાર દુ:ખીના દુ:ખ ઘટે છે, અશાન્ત મનુષ્ય શાન્ત થાય છે. શ્રદ્ધાવિહીન મનુષ્યને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ધર્માંના પરિણામ થાય છે. આ પ્રયાગ નિયમિત કરવાથી સામાન્ય મનુષ્યમાંથી આપણે મહામાનવ ખની શકીએ છીએ. Self contered આપણી ચેતના God-Contered અને છે.
પ્રયાગ નં. ૬ વિશેષ નાંધ :
અહીં પરમાત્માનુ' અને મીલન છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અભેદ પ્રણિધાનને તાત્ત્વિક નમસ્કાર કહે છે. આ તાત્ત્વિક નમસ્કાર એટલે નમવું, નમવું એટલે પરણમવું, પરિણમવુ એટલે તત્ સ્વરૂપ અનવું, તદાકાર ઉપયેાગે પરિણમવું, તન્મય થવું, તદ્રુપ થવું. તત્ સ્વરૂપ બનવુ એટલે તે રૂપ હોવાના અનુભવ કરવા. તદ્ રૂપ બનવુ એટલે તે રૂપ થઈને સ્થિર બનવું. આવા અનુભવ કરવાની આ દિવ્ય પ્રક્રિયા છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
લ
ધ્યાતા યાન દયેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમશે મીલઘું, વાચક યશ કહે હેજે હળશું.
(ઉ. યશવિજયજીકૃત વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન)
અહીં મહાપુરૂષનું કહેવું છે “જેવી રીતે દૂધમાં સાકર નાખીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે, તે રીતે ખીર નીર પર તુમશું મલશું એટલે હે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા! આપના આવા અભેદ મીલન દ્વારા અમે પણ હેજે હળશું એટલે પરમાનંદને-અનુભવ કરીશું અર્થાત્ આપનું અભેદ મીલન તે જ આત્મ સાક્ષાતકાર એટલે આત્મ અનુભવની પ્રક્રિયા છે. આ અનુભવ કરવાના લક્ષથી આ પ્રવેગ નં. ૫ અને ૬ દરરોજ કરવા માટે મુમુક્ષુ આત્માઓને ખાસ વિનંતિ છે.
જેમ જેમ સ્થિરતાપૂર્વક પરમાત્માનું ધ્યાન થશે તેમ તેમ આત્માના અનુભવની દિશામાં આપણે આગળ વધી શકીશું. તુજ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહીએ,
ઈમ મીલવું પણ સુલભ જ કહીએ. માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળી એક તાને.
(અભિનંદન જીન સ્તવન.) પૂર્વાચાર્યોએ અનુભવ-રસ ચાખે છે અને તે આત્માનુભવ રસ ચખાડવા માટે આપણને પરમાત્મ ભક્તિધ્યાન આદિને દિવ્ય માર્ગ બતાવ્યો છે. શ્રદ્ધા પૂર્વક તે જીનકથિત માગે આપણે નિષ્ઠાપૂર્વક પુરૂષાર્થ કરવો.
Page #90
--------------------------------------------------------------------------
________________
સમીક્ષા :
મહોપાધ્યાય શ્રીયવિજયજી મહારાજ સાડાત્રણસે. ગાથાના સીમંધર સ્વામીના સ્તવનમાં નય, નિક્ષેપ, સપ્તભંગી, વ્યવહાર, નિશ્ચય, ઉત્સર્ગ, અપવાદ વગેરે સવ રીતે ભક્તિ કર્યા પછી ઉપસંહાર કરતાં છેવટે કહે છે કે
તું પ્રભુ જે વસે હર્ષભર હીયલડે. તે સકલ પાપની બંધ તૂટે; ઊગતે ગગન સૂરજ તેણે મંડલે,
દહ દિશિ જિમ તિમિર પડલ ફૂટે.
હે કરુણાસાગર પરમાત્મા ! તું જે મારા હૃદયમંદિરમાં આનંદપૂર્વક વસે તે મારા સકલ પાપના બંધ તૂટી જાય, કારણ કે પાપરૂપી અંધકાર ત્યાં સુધી જ રહી શકે છે કે જ્યાં સુધી પરમાત્મારૂપ સૂર્યને ઉદય થત નથી. અર્થાત્ જેમ સૂર્યને ઉદય થતાં દશે દિશામાં અધકારના પડલ ફૂટી જાય છે, તે રીતે પરમાત્મા રૂપ સૂર્યને ઉદય જ્યારે જીવાત્માના હૃદયમાં થાય છે, ત્યારે સકલ પાપ પલાયન થઈ જાય છે.
કહેવાને ભાવાર્થ એ છે કે પરમાત્માની ભક્તિ, નમસ્કાર, ઉપાસના, દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, મરણાદિ દ્વારા પરમ રસનો અનુભવ થાય છે. ઈન્દ્રિયોના અને કષાયના રસે કરતાં અનેકગણે ચડિયાતે પરમાત્મસ્વરૂપને રસાનુભવ થાય ત્યારે, જગતના સર્વ રસ, નીરસ બની જાય છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
ખરી રીતે તે પાંચ ઇન્દ્રિયાના અને કષાયાના રસે તે રસ નથી, પણ આભાસ માત્ર છે. છતાં અનાદિ મિથ્યા માહના કારણે જીવને વિષયકષાયમાં રસ પડે છે અને તે રસ કરતાં અતિ ઉચ્ચ કાંટીના પરમાત્મ-ધ્યાનના રસ પ્રાપ્ત થાય છે ત્યારે તુચ્છ રસા નાશ પામી જાય છે. જશ પ્રભુ ધ્યાયે મહારસ પાયે, અવર રસે નિવ રાચું; અંતરંગ ક્રસ્ચા દરશન તેરૈના, તુજ ગુણુ રસ સંગ માચું.
'
ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજ ઉપર્યુક્ત પક્તિમાં કહે છે કે પ્રભુ, તારા ધ્યાનના મહારસ આજે પીધેા. તેથી મીજા રસ ફિક્કા પડી ગયા. અંતરગમાં તારા સ્વરૂપનું... દČન મળ્યું, હવે તારા સિવાય મારે બીજી કાંઈ ન જોઈ એ, તું જ મારુ' સસ્ત્ર છે, તું જ મારું સ્વરૂપ છે.
આ પ્રમાણે પરમાત્મ-સ્વરૂપના ઉપલક્ષણથી આત્મસ્વરૂપના-પરમાનદના રસાસ્વાદ ચાખ્યા પછી જ જગતના બધા રસામાંથી સાધકનું મન ઊઠી જાય છે. તે જ વાત ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવતાં છેલ્લે કહે છે કે
યા. પ્ર. ૪
વેગળા મત તુજે દેવ મુજ મન થકી, કમળના વન થકી જેમ પરાગે; ચમક પાષાણુ જેમ લેાહને ખી'ચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૫૦
હે દીન દયાળ, શરણાગતવત્સલ, કૃપાસિંધુ પરમાત્મા ! તુ મારા મનમાંથી જરા પણ ખસતા નહિં, તું નિર'તર મારો મનમંદિરમાં વસશે. જેમ કમળના વનથી પરાગ અલગ ન રહી શકે તેમ તારા સ્વરૂપની મહેક નિત્ય મારા મનમ`દિરમાં હાજો. તારુ' નિર'તર સ્મરણ કરવા માટે સમગ્ર આગમને સાર “નમા અરિહંતાણુ ' મત્ર નિત્ય મારા મનમદિરમાં વસેા તેવી હું તને વિનંતી કરું છું.
પરમ પૂજ્ય શ્રી સિદ્ધષિ ગણિ મહારાન્ત ઉમિતિ ભવપ્રપ ચાકથામાં સમગ્ર દ્વાદશાંગીના સાર શું છે તે જણાવતાં કહે છે કે
तस्मात् सर्वस्य सारोस्य द्वादशांगस्य सुंदर ! ध्यानयोग परं शुद्धः स हि साध्यो मुमुक्षुणा ||
હું સૌમ્ય ! આ સમસ્ત દ્વાદશાંગ રૂપ જિન પ્રવચનના સાર પરમ વિશુદ્ધ એવા ધ્યાનયેાગ છે. મુમુક્ષુઓએ તે ધ્યાનયેાગને સાધવા જોઈ એ.
मूलोत्तरगुणाः सर्वे, सर्वा चैव बहिष्क्रियः । मुनीनां श्रावकाणां च ध्यानयोगार्थमीरिता ॥
સર્વે મૂલ ગુણ અને સર્વે ઉત્તર ગુણા તથા સર્વ આદ્ય ક્રિયા કે જે મુનિએ અને શ્રાવકા માટે વિહિત છે, તે બધી ધ્યાનયેાગ માટે પ્રરૂપિત કરવામાં આવી છે. વિશુદ્ધ ધ્યેય-પરમાત્મા અરિહંત દેવનું ધ્યાન અને તે દ્વારા આત્મ સ્વરૂપના અનુભવ અને છેવટે આત્મ
Page #93
--------------------------------------------------------------------------
________________
૫૧
સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે લક્ષાંક સુધી પહાંચવાનુ છે, તે માટે પોતાના ગુણસ્થાનકને અનુરૂપ જિન આજ્ઞા પ્રમાણે ધર્મક્રિયા-અનુષ્ઠાને ભાવપૂર્વક-ઉપયાગ જોડવા પૂર્વક કરીને એટલે કે ધ્યાનપૂર્વક કરીને પરમાત્માને હૃદયમ`દિરમાં યધરાવી પરમાત્માનું ધ્યાન કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે.
આજે પામ્યા પરમ પદનો, પથ તારી કૃપાથી, મીટવા આજે ભ્રમણુ ભવનાં, દિવ્ય તારી કૃપાથી; દુઃખા સર્વ ક્ષય થઈ ગયા, દેવ તારી કૃપાથી ખુલ્યાં ખુલ્યાં સકલ સુખનાં, દ્વાર તારી કૃપાથી
આજ સુધી સુખ જગતના પદાર્થોમાં ભરેલું છે તેવી સમજ હતી અને તેના કારણે સુખ માટે આપણે જગતના પદાર્થોની પાછળ દાડતા હતા, પર ́તુ આજે પરમાત્માની કરૂણા આપણા ઉપર વરસી. પરમાત્માની કાને આપણા હૃદયમા આપણે ઝીલી તેના કારણે આપણી બુદ્ધિ શુદ્ધ થઈ. સિંચજે તુ સદા વિપુલ કરૂણા રસે, મુજ મને શુદ્ધ મતિ કલ્પવેલી, જ્ઞાન દર્શન કુસુમ ચરણુવર મંજરી, મુક્તિ ફળ આપશે તે અકેલી. (ઉ. યશેાવિજયકૃત ૩૫૦ ગાથાનું સ્તવન,) પ્રભુના કરૂણા રસના સિંચનથી આપણી બુદ્ધિ શુદ્ધ થવાથી અને પરમાત્માના ધ્યાન દ્વારા સુખ આનંદના મહાસાગર આપણા આત્મામાં પૂર્ણ ભરેલા છે તેની સભાનતા, સહૃણા, પ્રતીતિ અને યત્કિંચિત્ અનુભવ થતાં આત્મિક સુખનાં દ્વાર ખુલ્લાં થઈ ગયાં. ( ખુલ્યાં ખુલ્યાં સકલ સુખનાં દ્વાર તારી કૃપાથી. ) જગતના પદ્યાર્થીમાં સુખ
Page #94
--------------------------------------------------------------------------
________________
પર
બુદ્ધિ હતી તેના બદલે પરમાત્મા અને આત્મામાં સુઇ બુદ્ધિ ઉત્પન્ન થઈ.
મનને એક સ્વભાવ છે કે જ્યાં પોતે અધિક સુખ માન્યું છે તે તરફ દોડયા જ કરે છે. નાનું ઘર હોય તે મોટું મેળવવા, થોડા પૈસા હોય તે વધુ મેળવવા, પિતાની માનેલી સુખની વધુ સામગ્રી મેળવવા મનની દેટ નિરત ચાલુ છે. પરંતુ સાલંબન ધ્યાનના પ્રયોગ દ્વારા પરમાં ત્માના દિવ્ય પ્રકાશના આલંબને મનની ગતિ (ઉપયોગી પરમ આનંદના ભંડાર આત્મા તરફ થતાં દિવ્ય આનંદને અનુભૂતિ થાય છે. આ રીતે દિવ્ય આનંદની અનુભૂતિ કરી બહાર આવેલું મન તે આનંદને ફરી ફરી ઝંખે છે કારણ કે ધ્યાન દ્વારા મળેલ પરમ આનંદ અને સુખ એટલું ઉરચ કક્ષાના હોય છે કે પાંચ ઇંદ્રિય અને કષાય જનિત સુખ જે માત્ર સુખાભાસ છે તે આત્મિક સુખની પાસે અતિ તુચ્છ ભાસે છે. તેથી આપણું મન આત્મિક સુધી અને આનંદને વારંવાર ઝંખે છે. તે આત્મિક સુખ અને આનંદ માટેના પરમ આલંબન રૂપ પરમાત્માનું સ્મરણ ધ્યાન, પૂજન, નમસ્કાર, મંત્ર જાપ-આદિ સહજ ભારે સ્થિરતાથી થાય છે. પરમાત્માની આજ્ઞા મુજબની સર્વ ધર્મ કિયામાં રસ અને ભાવ ઉત્પન્ન થાય છે. સર્વ ધર્મક્રિયામ પ્રાણપૂર્તિ થાય છે. મારો આતમા તુજ થકી નીપજે,
માહરી સંપદા સયલ મુજ સંપજે,
Page #95
--------------------------------------------------------------------------
________________
પર
તેણે મનમંદિરે ધર્મ પ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.
(ધર્મનાથ ભગવાનનું સ્તવન) માહરૂં પૂર્ણાનંદ પ્રગટ કરવા ભણી રે, પુષ્ટાલંબન રૂપ, સેવા પ્રભુજી તણી રે, દેવચંદ્ર જિનચંદ ભક્તિ મનમેં ધરે રે, અવ્યાબાધ અનંત અક્ષય પદ આદરો રે.
(મલ્લીનાથ ભગવાનનું સ્તવન) આ રીતે સાલંબન ધ્યાન દ્વારા આત્મિક સુખ અને માનંદ સૌને પ્રાપ્ત થાય છે તે હેતુથી આ પુસ્તકમાં અનેક શરીય આધારો સહિત તત્ત્વ દર્શાવ્યું છે. સાકર મીઠી. છે તેવું ૧૦૦ પાનાનું પુસ્તક વાંચ્યાથી સાકરની મીઠાશનું જેટલું જ્ઞાન થાય છે તેના કરતાં સાકરની એક કાંકરી મોઢામાં નાંખવાથી પ્રત્યક્ષ મીઠાશનો અનુભવ થાય છે. માત્ર આ પુસ્તક વાંચવાથી કે વાંચીને સારૂ લાગવાથી ભિ જરૂર છે, પરંતુ કાર્ય સિદ્ધિ તે આપણે ધ્યાનખારાધના કરીએ અને અનુભવ સુધી પહોંચીએ ત્યારે જ કાય અને તેને સાચો આસ્વાદ આવે. માટે ઉ. યશેવિજયજી મહારાજ કહે છે – ભાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી; કિ અનુભવ વિણ ધ્યાન તણું સુખ, કેમ કહીએ નરનારી રે,
ભવિકા વિર વચન એમ જાણે. (ઉ. યશોવિજયજીકૃત આઠ દષ્ટિની સજઝાયમાંથી.)
Page #96
--------------------------------------------------------------------------
________________
૫૪
સાલંબન ધ્યાનના આપણે પ્રયોગ કરીએ છીએ તે શું છે?
સૌથી પ્રથમ આપણે સ્થિર આસને બેઠા એટલે કાયાને પરમાત્મ ધ્યાન માટે સ્થિર કરી, વાણીથી પરમામાની સ્તુતિ કરી તેથી વાણું પવિત્ર બની, મનથી પરમાત્માનું ચિંતન કર્યું તેથી મન પવિત્ર-નિર્મળ બન્યું, મન, વચન, કાયા પવિત્ર થવાથી ચિત્તની વિશુદ્ધિ થઈ ચિત્ત વિશુદ્ધ થવાથી ભાવ અને વેશ્યા વિશુદ્ધ થયાં.
લેશ્યા કૃષ્ણ, નીલ, કપોત, અશુભ હતી તે ધ્યાન દ્વારા ભાવ વિશુદ્ધ થવાથી લેશ્યા વિશુદ્ધ થઈ એટલે તેજે, પત્ર અને શુકલ લેશ્યા થઈ. વેશ્યા અને ભાવ વિશુદ્ધ થંવાથી અધ્યવસાય નિર્મળ થયા. અને અધ્યવસાય નિર્મળ થવાથી કષાય પાતળા પડયા અને કષા પાતળા પડવાથી આત્માના દિવ્ય પ્રકાશને આંશિક અનુભવ થયે.
આવી રીતે આપણે બહારથી અંદર ગયા અને આત્મિક આનંદ અનુભવ્યો. હવે અંદરથી બહાર જવાના પ્રસંગે ધ્યાનમાં છેલ્લું દશ્ય પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે તેવું તેનું દર્શન અને ધ્યાન કરવાનું છે. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ચોવીસે કલાક આ પણા હૃદયમાં બિરાજમાન છે, તેનું સ્મરણ રાખવાનું છે. તે સ્મરણ માટે “નમે અરિહંતાણુ”નું નિરંતર સમરણ કરવાનું છે. - પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે તેવા સ્મરણથી તેમને દિવ્ય પ્રકાશ ચોવીસે કલાક આપણામાં પ્રકાશિત રહેશે. પરમાત્માના પ્રકાશથી કષાયનું મંડળ ચોવીસે
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૫
કલાક પાતળું રહેશે. (તીવ્ર કષાય કે આસક્તિ આપણે કરી શકીશું નહી) તેનાથી અધ્યવસાય નિર્મળ રહેશે. અધ્યવસાય નિર્મળ રહેવાથી લડ્યા અને ભાવ વિશુદ્ધ રહેશે અને લેશ્યા-ભાવ વિશુદ્ધ રહેવાથી ચિત્ત વિશુદ્ધ રહેશે. ચિત્તની વિશુદ્ધિથી મન-વચન-કાયાના ચોગેનું પ્રવર્તન ન આજ્ઞાને અનુરૂપ રહેશે અને તેનાથી આપણું આખુ જીવન વિશુદ્ધ થશે.
આ રીતે મેક્ષ માર્ગની એક દિવ્ય પ્રક્રિયા આપણે કરીએ છીએ. આપણું સમગ્ર જીવનનું પરિવર્તન કરી આપણું જીવન દિવ્ય બનાવવાની અભૂત ક્રિયા જે આ પુસ્તકના લેખકને અધ્યાત્મ યેગી અનુભવસિદ્ધ મહાપુરૂષ પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી મહારાજ સાહેબના ૨૩ વર્ષના સાનિધ્ય દરમ્યાન પ્રાપ્ત થયેલી તે અહીં રજુ કરી છે.
આ રીતે દરરોજ અનુકૂળતા મુજબ સાલંબન ધ્યાન થાને પરમાત્મ ઉપાસના-ભક્તિ કરવા માટે જીજ્ઞાસુ આત્માઓને ખાસ વિનંતિ છે –આ પ્રયોગનું મૂળ છે પરમાત્માનું સાનિધ્ય અનુભવવું. પરમાત્માના સાનિધ્યથી આપણું જીવન દિવ્ય બને છે. દા. ત. લોઢામાં બાળવાને કઈ ગુણ નથી, પરંતુ લોઢાને અરિનના સંગમાં રાખવામાં આવે તે લોઢામાં અગ્નિને બાળવાને ગુણ પ્રગટ થાય છે. તે રીતે પરમાત્માના ધ્યાનથી પરમાત્માના ગુણે સાધકમાં આવિર્ભાવ પામે છે. ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, પામે ભવને પાછ” પરમાત્માનું સાનિધ્ય અનુભવવાથી પરમાત્માની દિવ્ય શક્તિઓ આપણાં જીવનમાં કાર્યશીલ બને
Page #98
--------------------------------------------------------------------------
________________
છે. અને સામાન્ય મનુષ્ય મહામાનવ બને છે. સૌ કોઈ પરમાત્મ-ઉપાસના ભક્તિ-ધ્યાનની આરાધના કરી સ્વ-પર કલ્યાણને માગ સાથે તે જ અભ્યર્થના. “હદય કમલમેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વહુ”
ધ્યાન-આરાધના સાથે જીન આજ્ઞા પૂર્વક ક્રિયાને પણ જીજ્ઞાસુ આત્માઓ જીવનમાં ધારણ કરી મોક્ષ માગના સાચા સાધક બને તે જ અંતરની અભિલાષા. પ્રાગ નં. ૭ :–
કરૂણારસમાં સ્નાન કર્યા પછી આપણા ભાવને પરમાત્માના આ મહાકરૂણું ભાવમાં ભેળવી દેવાનો દિવ્ય પ્રયોગ નીચે મુજબ :–
પરમાત્માના કરૂણા રસમાં સ્નાન કરવાના પરિણામે અને પરમાત્માની કરૂણા સક્રિય રૂપે (પ્રાગ નં. ૧ ની સાધનાથી) કાર્યશીલ બનવાથી આપણે રેગ, શેક, દુખ, ભય, ચિંતા, અશાંતિ નાશ પામી ગયાં. આપણે સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાથી ભરાઈ ગયા છીએ. હવે આગળ પ્રયોગ :–
પરમાત્માની કરૂણાને સફેદ દૂધ જે ધેધ જોરથી પડે છે. આપણા અંદર કરણા પૂર્ણ ભરાઈ ગયા છે. હવે અંદર જગ્યા નથી અને બહારથી ધોધ પડે છે...........
........(આવું દશ્ય જોવું, સંવેદન કરવું)
...........(થોડો સમય જોયા કરવું.)
new ,
Page #99
--------------------------------------------------------------------------
________________
૫૭.
કરૂણા ભાવને એક કુવારે આપણું બ્રહ્મરંધ્ર (મસ્તકના મધ્ય ભાગ)માંથી ઉડે છે. તે ઉપર ઉંચે ને ઉચે જાય છે.............................( આવું દશ્ય જેવું.)
તે કુવા છેક લોકના અંત ભાગ સુધી પહોંચે છે... - ૪૫ લાખ જન પહેળે થઈ સમગ્ર વિશ્વ ઉપર વરસે છે. . પ્રવેગ :
આવા મહાકરૂણાના નિધાન, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર પરમાત્માની કરૂણ જગતના જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારકી સુધી વરસી રહી છે. ચૌદ રાજલોક પરમાત્માની કરૂણાથી પરિપ્લાવિત થઈ રહ્યું છે..........
(આવું દશ્ય આપણે જોઈએ છીએ.) અતિ અદ્દભુત અને આનંદમય દશ્ય આપણે જોઈએ છીએ..............તેનાથી આપણું હૃદયમાં ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે. આપણા હૃદયમાં પણ સર્વ જીવ સાથે મિત્રીભાવ ઉલ્લસિત થાય છે. આપણી જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના પણ પરમાત્માની કરૂણું સાથે મળે છે............
અદ્દભુત ભાલ્લાસ આપણામાં પ્રગટે છે.........
સર્વ જીવનું કલ્યાણ થાઓ... સર્વ જ દુખ મુક્ત બને. ..................... સર્વ જીવેનાં પાપ નાશ પામે...........
-
-
Page #100
--------------------------------------------------------------------------
________________
૫૮
સર્વ જીવાને પરમાત્માનુ· શાસન મળેા.........
બધા જ આધિબીજને પામે.
સને માક્ષ મળે ........
સર્વ જીવ મારા આત્માની સમાન છે............. મને સવ પ્રત્યે મત્રી છે........
મને સવ પ્રત્યે સ્નેહભાવ છે.......
સર્વ જીવા સત્તાએ પરમાત્મતુલ્ય છે............. પરમાનદના કંદ છે અને અનંત ગુણુના વૃં છે.... સ` જીવ પ્રત્યે મને પૂર્ણ પ્રેમ છે.............. સ... કલ્યાણ-મંગળ થાએ. સૌને આનંદ થાઓ.... સર્વાં જીવા પ્રભુની કરૂણાના પાત્ર છે, તેથી મારા પરમ બાંધવ છે.
સર્વ જીવ ઉપર કરૂણાને વરસતી જોવી........પ્રભુની કરૂણામાં આપણા કરૂણાભાવ ભેગા ભળ્યેા છે. પ્રભુની કરુણાના મહાસાગરમાં આપણા બિન્દુરૂપ ભાવ ભળી જાય છે. ભર્યા. “ ઉદક બિન્દુ સાયર 77 (In tune with Intinite) આવી અવસ્થા છે.......(આવુ. સંવેદન કરવુ.) આપણું અલગ વ્યક્તિત્વ ઓગળી ગયું છે...... સમષ્ટિમાં આપણે ભળી ગયા છીએ...... વિશ્વમય પરમાત્મા એ આપણું સ`સ્વ છે............. મૈત્રીભાવના પરમ આનંદ આપણે અનુભવીએ છીએ........
Page #101
--------------------------------------------------------------------------
________________
પહે
પ્રત્યેાગ ૭ ની વિશેષ નોંધ :—
આ આરાધના કરવાથી સર્વ જીવ પ્રત્યે-પ્રેમ, કરૂણા, મૈત્રી વિકસિત થાય છે. ક્રોધ, માન, માયા, લાભ આદિ કષાયેા પાતળા પડે છે, અને સાધના સમયે દિવ્ય આનંદ થાય છે. કોઈ સાથે વર, અમૈત્રી થઇ હાય તા તેના પ્રતિ કરૂણા ખાસ વરસાવવી. તેથી આપણા વિરાધના ભાવા બદલાઈ જશે. પરસ્પર મૈત્રી ઉત્પન્ન થશે.
·
અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહ્યુ છે :—— -(મૂળ શ્લાક નમસ્કાર ચિંતામણી પાનું ૧૬ )
विश्व जंतुषु यदि क्षणमेकं, साम्यतो भजसि मानस मैत्रीं । तत्सुखं परम मंत्र परत्रा, प्यश्नुषे न यदभूत्तव जातु ॥ હું મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરિહતચિતા રૂપ મત્રીભાવ ભાવીશ તા તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તે' કી અનુભવ્યું નહિ હોય.
ધ્યાનમાં વિક્ષેપ આવે ત્યારે આ મૈત્રી ભાવનાનુ ધ્યાન કરવું. કારણ કે મૈત્રી આદિ ભાવે। ધ્યાનને રસાચણની માફક પુષ્ટ કરે છે.
ધ્યાન તૂટી જાય ત્યારે આ રીતે મંત્રી ભાવનાનુ ધ્યાન ખાસ કરવું.
Page #102
--------------------------------------------------------------------------
________________
ભાવના
અખંડ આનંદને વરસાવનાર હે પ્રભુ! મારા જીવનમાં તારું આગમન થયા પછી હવે સંતાપ મને તપાવી નહિ શકે.
હવે શોક મને પ્રજાની નહિ શકે.
હે કરૂણામય ! તારામાંથી વરસતી અનંત સુખની વર્ષોમાં સ્નાન કર્યા પછી હવે દુઃખ મને દીન નહિ બનાવી શકે.
આપત્તિ મને દુઃખી નહિ કરી શકે.
હે વાત્સલ્ય મૂર્તિ પરમાત્મા! પ્રશમ રસ પૂર્ણ તારા સ્વરૂપમાં સમાઈ જવાથી હવે અશાન્તિ-અજપે મને સતાવી નહિ શકે.
ચિંતા મને સ્પર્શ પણ નહિ શકે. હે અભયદયાણુ ગુણના સ્વામી પરમાત્મા !
તારામાં શ્રદ્ધાનો અભાવ એ જ ભયનું સ્વરૂપ છે તેવું જાણ્યા પછી અને તારૂં શરણ લીધા પછી ભય જેવી કિઈ ચીજનું અસ્તિત્વ મારે માટે નથી.
હે કૃપામય પ્રભુ! તારી કરૂણાનું પાત્ર બનેલા મને સદા સુખ, શાન્તિ, અને આનંદ નિર્ભયતા જ છે.
Open your self in an aspiration towards the gives of delight with in the divin element,
Page #103
--------------------------------------------------------------------------
________________
G
ૐ હ્રી અાઁ નમ: સાલઅન ધ્યાનના પ્રયાગા
પાઠ બીજે
®©ÐÐ
નમસ્કાર મહામંત્રનું ધ્યાન
નમસ્કાર મત્રની આરાધના એ મહાન આધ્યાત્મિક સાધના છે. તેની વિશેષતા એ છે કે તે સાધના આબાલવૃદ્ધ, રાજા અને રક, ચાગી અને ભાગી, સવ કાઇ કરી શકે છે. ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં, સુખમાં કે દુઃખમાં સર્વ સમયે, નવકારનુ` સ્મરણ કરી શકાય છે. જન્મતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે, જીવનભર પણ નવકાર ગણવામાં આવે છે, મરતાં પણ નવકાર સ`ભળાવવામાં આવે છે. માતાના દૂધની જેમ નવકાર સૌને લાભ કરે છે. સર્વ પાપનું મૂળ અહુ'કાર છે. નમસ્કાર ભાવથી અહં - કારનેા અંત End of egoism આવે છે.
D)
ધનું મૂળ વિનય છે. વિનય નમસ્કારથી આવે છે.. તેથી નમસ્કાર મહાન છે.
નમસ્કાર સર્વ પાપના નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપની
DO
Page #104
--------------------------------------------------------------------------
________________
- પ્રાપ્તિ કરાવે છે કે જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મંગલ છે. , જગતમાં અનેક મંગલ છે. કેઈ ગાયને મંગલ માને છે. કેઈ કુંકુમને મંગલ માને છે. કોઈ કન્યાને મંગલ મને છે. કેઈ કુંભને મગળ માને છે. પણ શ્રેષ્ઠ મંગળ કયું?
આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શ્રેષ્ઠ મંગલ (Essence of extremity છે, જે નવકારની આરાધનાથી મળે છે. નવકારની આરાધનાથી પાપને પ્રણાશ અને પુણ્યનો પ્રક થાય છે. સુખનું સર્જન અને દુઃખનું વિસર્જન થાય છે. raglal Cazide Dissolution of disorder 242 મંગલનું મંડાણ થાય છે. સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું દરીકરણ શ્રી નવકારથી થાય છે. ઈચ્છાઓનું ઊર્ધ્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે. શ્રી નવકાર એ વિશ્વેશ્વરને વિનંતી છે, જેનાથી અનંતના આશીર્વાદ મળે છે. શ્રી નવકાર એ સર્વેશ્વરની શરણાગતિને મંત્ર છે, જેનાથી પૂર્ણતાને પરમાનંદ (Delight of Divinity) પ્રગટે છે.
શ્રી નવકાર ધર્મધ્યાનને ધેધ છે, જેનાથી ચિંતાનું ચૂરણ, આપત્તિઓનું અવમૂલ્યન, સૌભાગ્યની સમાપ્તિ, આત્મસિદ્ધિનું આયેાજન, અવિનાશીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ પરમાત્મા સાથેને દિવ્ય પ્રણય છે. જેનાથી પૂર્ણતાનો પરમાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર શેકનો સંહારક, ભવનો ભંજનહાર અને ચિંતા ચૂરનાર છે, જેના વડે જીવનમાં શાશ્વતપણાને
Page #105
--------------------------------------------------------------------------
________________
સંદેશે સમજાય છે, અને પરમેષિઓ સાથેના તમય, તદ્રપ ભાવથી (In tune with Infinite ) આપણા આત્માને પરમેષ્ઠિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિએનું સોપાન શ્રી નવકાર છે. જગતનું સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ, આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે.
આવા સર્વોત્કૃષ્ટ મહામંત્રનું સ્મરણ, જાપ કે ધ્યાન કરતી વખતે આપણું મન ફરે છે તેવી સર્વ સામાન્ય ફરિયાદ સર્વત્ર છે. આપણા પરમ ઈષ્ટ મંત્રના સ્મરણ વખતે આપણું મન ફરે–બીજે જાય તે આપણા મનની ખુબ જ દુઃખ ભરી-દર્દ ભરી હાલત છે. જ્ઞાની પુરૂષે પણ કહે છે– મનુષ્યનું મન મોટા ભાગે આધ્યાન, રૌદ્રધ્યાનથી પીડાઈ રહ્યું છે. ભય, શેક અને ચિંતાની લાગણીથી વ્યગ્ર રહે. વાના સ્વભાવવાળું બની ગયું છે પરંતુ તે કિલષ્ટ સ્વભાવવાળા મનુષ્યના મનમાં પણ જ્યારે ભગવાનને પ્રવેશ થાય છે ત્યારે તે મન શાંત, આનંદી અને નિર્ભય બની જાય છે. મનમાં પરમાત્માને લાવવા માટે અનેકવિધ ઉપાય મહાપુરૂષોએ બતાવ્યા છે.
નામ રહે આવી મળે, મન ભીતર ભગવાન, મંત્રબળે જેમ દેવતા, હાલે કીધ આહાન.
શ્રી માનવિજયજીત પદ્મપ્રભુનું સ્તવન. જેમ કોઈ મંત્ર-દેવતાનું આહ્વાન કરવાથી મંત્રદેવતાને હાજર થવું પડે છે, તેમ પ્રભના ના મરૂપ મંત્રને
Page #106
--------------------------------------------------------------------------
________________
સ્મરણ કરવાથી પરમાત્મા આપણું મનમંદિરમાં મળવા માટે આવે છે.
નામ અને નામી કથંચિત અભેદ સંબંધ છે. લાડુ’ શબ્દ બોલવાથી તેને દેખાવ, સ્વાદ, બધું નજર સમક્ષ આવે છે. “રસગુલ્લાં” શબ્દ બોલીએ છીએ ત્યારે કેટલાક રસલુપી માણસને મોઢામાં પાણી આવે છે, તે બતાવે છે કે વસ્તુના નામને વસ્તુ સાથે સીધે સંબંધ છે. તેવી રીતે “અરિહંત” એવા નામને સાક્ષાત અરિહંત પરમાત્મા સાથે સીધો સંબંધ છે. માટે કહ્યું છે કે –
નામ હે આવી મળે, મન ભીતર ભગવાન
માટે પરમાત્માને મેળવવાની તીવ્ર ઝંખના Dynamic Desire આપણામાં ઉત્પન કરવી અને તે ઝંખના પૂર્ણ કરવા માટે ચારે નિક્ષેપે ત્રિવિધ ત્રિવિધે પ્રભુભક્તિ કરવી (Divotion to Divinity).
જેનશાસનમાં ચાર નિક્ષેપાનું અદભૂત તત્વજ્ઞાન છે. ભાવ નિક્ષેપો તે અતિ ઉપકારી છે જ, પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ પણ એટલા જ ઉપકારી છે.
પ્રથમ ભૂમિકા નમસ્કાર મંત્રની આરાધના તે નામ નિક્ષેપની આરાધના છે. જેને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રમાં પદસ્થ ધ્યાન કહે છે.
પ્રથમ નમસ્કાર મંત્રના જાપ વિષયક કેટલીક મહત્ત્વની
Page #107
--------------------------------------------------------------------------
________________
૬૫
વિચારણા કર્યા પછી નમસ્કાર મંત્રના ધ્યાન વિષયમાં વિચારીશું. આરાધના શરૂ કરતાં નીચેની ખાખતાનુ લક્ષ આપવું.
આસન અને મુદ્રા :——આસન ઊનનું સફેદ રંગનુ બેસવા માટે રાખવું. એક જ સ્થાન ઉપર બેસી આરાધના કરવી. બહારગામ જવાનું થાય ત્યારે એસવાનું આસન સાથે રાખવું. પદ્માસને બેસી શકાય તે વધારે સારૂ છે, અગર અધ પદ્માસને બેસવું, અગર સુખાસને પણ એસી શકાય. હાડ બંધ રાખવા. દાંત એકબીજાને અડાડવા નહિ. જીભ દાંતને અડે નહિ તે રીતે મુખમાં ઉપરના ભાગમાં ચીટકેલી રાખવી. દરેક ધ્યાન પ્રત્યેાગમાં આ મુદ્રા રાખવાથી વિશેષ પ્રતિ થશે.
દિશા :—પૂર્વ અગર ઉત્તર સન્મુખ મુખ રાખીને આરાધના કરવી. જયારે જિનમંદિરમાં આરાધના કરતા હોઇએ ત્યારે ભગવાનની સન્મુખ બેસીને કરવી. ત્યાં દિશાની ગૌણુતા છે.
માલા :-સફેદ સુતર અગર સ્ફટિકની રાખવી. જે માળા નવકાર ગણવા માટે રાખી હાય તેનાથી ખીજો મંત્ર જપવા નહી.
માળા વડે થાડા દિવસેા જાપ કર્યા પછી નદ્યાવત્ત શંખાવથી મંત્ર ગણવાના અભ્યાસ પાડવા. નંદ્યાવત્તથી ૧૨ ની સખ્યા જમણા હાથ ઉપર ગણવી, અને શ‘ખાવતથી
ધ્યા. પ્ર. ૫
Page #108
--------------------------------------------------------------------------
________________
૬૬
ડાબે હાથે નવની સખ્યા ગણવી. આ રીતે ૧૨ ની સંખ્યા નવ વખત ગણવાથી ૧૦૮ થશે.
ડાબા હાથે શ`ખાવત
૩
૪
८
પ
૬
૨
d
જમણા હાથે નદ્રાવત
૩
ર
૧
૪
9
.
૫
સંખ્યા :— ઓછામાં ઓછી ૧૦૮ ની સંખ્યા નવકારના જાપ માટે નિયમિત રાખવી. અનુકૂળતા હોય તા વધુ સખ્યાના સ‘કલ્પ રાખવા.
ર
૧૧
૧૦
સમય :—નિશ્ચિત સમયે આરાધના કરવી. અને ત્યાં સુધી દરરાજની આરાધનાને સમય એક જ રાખવા. સૂર્યોદય પહેલાંની છ ઘડી અને ત્રણ સખ્યા શ્રેષ્ઠ સમય ગણાય.
ત્રિસંધ્યા આ પ્રમાણે (૧) સૂર્યનાં ઉદય પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૨) મધ્યાહ્ન પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૩) સૂર્યાસ્ત પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (એક ઘડી એટલે ૨૪ મિનિટ સમજવી.) અગર સૂર્યોદય પહેલાંની ૪૮ મિનિટ અને સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ મધ્યાહ્ને ઉપર મુજબ પણ લઈ શકાય. સવારના સમય વધુ અનુકૂળ છે. નવકાર તા સસમયે ગણવાના હોય છે. વિશેષ આરાધના માટે ઉપર મુજમ સમજવુ,
Page #109
--------------------------------------------------------------------------
________________
જે નિશ્ચિત સમય આરાધના માટે નક્કી કર્યો હોય તે સમયે બીજા કેઈને એપાઈન્ટમેન્ટ આપવી નહી. કારણ કે તે સમયે પરમાત્માની સાથે એપોઈન્ટમેન્ટ અપાઈ ગયેલી હોય છે. Appointment with Most High.
આ રીતે અમુક ચોક્કસ આસને અને મુદ્રાએ, એકસ જગ્યાએ, ચક્કસ સંખ્યામાં, ચેકકસ સમયે ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બંધાય છે. જાપમાં સારી રીતે લીનતા ઉત્પન્ન થાય છે. આ નિશ્ચિત આરાધનાના સ્થાને બીજી કઈ વ્યક્તિ આરાધના કિરવા બેસે તે તેનું ધ્યાન પણ તે વાતાવરણના કારણે સ્થિર બની જાય છે. મુન્ના મુન્નો સવિલ્હેરો, ઉતારસિવિશે (પંચસૂત્ર) સંકલેશ હોય ત્યારે નવકાર વારંકાર જપવો, સંકલેશ ન હોય ત્યારે પણ ત્રણ સંધ્યાએ મિવશ્ય જપ.
નવકારના ધ્યાનની બીજી ભૂમિકા
આ રીતે નવકાર મંત્રની આરાધના શરૂ કર્યા પછી ધીમે ધીમે આંખ બંધ કરીને મંત્રના અક્ષરે નજરની સામે લાવવા પ્રયત્ન કરે. છે આંખ બંધ કરીને આપણું ઈષ્ટ મંત્રના અક્ષરે કે આપણું ઈષ્ટદેવની મૂતિ નજરની સામે આવે ચાંથી ધ્યાનની શરૂઆત થાય છે. ઉપગ જોડાય છે ત્યારે મંત્રાક્ષરો કે મૂર્તિ દેખાય છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं; योग बीजमनुत्तमम् ।।
(ગદષ્ટિ સમુચ્ચય.) પ્રથમ ગુણ સ્થાનકે માર્ગ સન્મુખ બનેલા સાધકને સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ક્રમમાં સૂર પુરંદર હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જિનેશ્વર ભગવંત પ્રત્યે કુશલ ચિત્ત અને પરમાત્માના નમસ્કારને ચેગનું અનુપમ બીજ કહે છે. અપુનબંધક અવસ્થામાં આવેલ આરાધક નમસ્કાર અને જિનભક્તિ દ્વારા રોગમાં પ્રવેશે છે. યેગનું અનુપમ બીજ પ્રથમ ગુણસ્થાનકે શરૂ થાય છે.
ઉ. યશોવિજયજી મહારાજ આઠ દૃષ્ટિમાં બીજી તારા દૃષ્ટિમાં આવેલ જીવને ઈશ્વરનું ધ્યાન હોય છે તેવું બતાવે છે. સમ્યક્ત્વ પામવા માટેની પ્રક્રિયામાં ઇધર ધ્યાન મહત્વનું અંગ છે. દશન તારા દષ્ટિમાં મનમોહન મેરે,
ગેમય અગ્નિ સમાન રે મનમોહન મેરે શૌચ સંતોષ ને તપ ભલું, મનમોહન મેરે,
સજજાય ઈશ્વર ધ્યાન રે મનમોહન મેરે. અધ્યાત્મયોગી પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના હરતાક્ષરમાં મંત્ર જપ અને મૂર્તિના ધ્યાનનું સ્વરૂ૫ :–
Page #111
--------------------------------------------------------------------------
________________
મંત્ર અને મૂર્તિનું મહત્વ –
જ્ઞાનતિથી પ્રભુ મૂર્તિનાં દર્શન થાય છે અને અનાહત નાદથી પ્રભુનામના મંત્રને જાપ થાય છે.
જયતિ દર્શનનું આલંબન જિનમૂર્તિ છે અને નાદાનસંધાનનું આલંબન નામ મંત્ર છે. " नादबिन्दु कलाऽभ्यासात्
ज्योतिरुत्पद्यते पुनः । तत्प्राप्तौ च मनुष्याणां
ગાયને ઘરમં છે ? ” મંત્રવડે નાદ, બિન્દુ, કલાને પુનઃ પુનઃ અભ્યાસ થાય છે. નાદ અને કલાના અભ્યાસથી જોતિ ઉત્પન્ન થાય છે, તે ચિન્મય જ્ઞાન તિ આત્માનું સ્વરૂપ છે, તેની ઉપલબ્ધિ થવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે.
મંત્રજાપ સ્વાધ્યાય સ્વરૂપ છે અને મૂર્તિનું દર્શન ધ્યાન સ્વરૂપ છે, સ્વાધ્યાયથી ધ્યાન અને ધ્યાનથી સ્વાધ્યાયને પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી આત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. આત્મા નાદ અને જ્યોતિ સ્વરૂપ છે, તેનું પ્રકટીકરણ મંત્ર અને મૂર્તિના અનુક્રમે જાપ અને ધ્યાન વડે સુલભ બને છે. નાદનું આલંબન મંત્ર છે અને જ્યોતિનું આલબન મૂર્તિ છે, તત્ત્વદષ્ટા પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ
–સ્વહસ્તલિખિત ડાયરીમાંથી.
Page #112
--------------------------------------------------------------------------
________________
ઉપયાગ જોડવા પૂર્વકની પ્રત્યેક ક્રિયા યાન રૂપ અને છે. નવકારના અક્ષરોને આંખ બંધ કરીને નજરની સામે લાવવા માટે નીચે મુજબ પ્રયાગ કરવા.
પ્રયાગ નં. ૮ :~
જાપ-પ્રથમ નવકારવાળી આદિના આલંબનથી, શ`ખાવત્ત, નદ્યાવર્ત્ત આદિથી, અને પછી હૃદયકમળમાં નવકારના અક્ષરાની ધારણાથી કરવા. અક્ષરાની ધારણાને અભ્યાસ કરવાની રીત આ પ્રમાણે છે.
અક્ષરા લેવાની પ્રથમ રીત
મહામત્રોના અક્ષરા સાથે આપણા ચિત્તનું જોડાણ થાય તે માટે શરૂઆતમાં કાળા રંગ ઉપર સફેદ અક્ષરાવાળું છાપેલુ` કા` સામે રાખી વાંચવું.
એક વખત અડસઠ અક્ષરા વુઉંચાય ત્યારે એક જાપ થયા ગણાય. અક્ષરા વાંચતી વખતે જે અક્ષરે વંચાતા હાય તે અક્ષર ઉપર જ દૃષ્ટિના ઉપયોગ પણ રાખવા, કારણ કે આપણને આ મહામત્ર આલ્યાવસ્થાથી સામાન્ય રીતે પ્રાપ્ત થયેલા હાવાથી અતિપરિચિત અનેલે હૈય છે. તેથી દષ્ટિને ઉપ ચેાગ 7' વાંચતી વખતે મોં ઉપર ‘માઁ' વાંચતી વખતે ત્ર' ઉપર, અને ' વાંચતી વખતે ‘' ઉપર (‘ન' વાંચતી વખતે ‘તા' ઉપર અને તા’ વાંચતી વખતે ‘ન’ ઉપર) એમ ઉપયેગ અને જાપનું ઉચ્ચારણ આગળ પાછળ થઇ જવા સંભવ છે. એવું ન
Page #113
--------------------------------------------------------------------------
________________
૭૧
થઈ જાય તે માટે નાનું બાળક માત્ર બારાખડી જ આવડતી હોય અને વાંચતું હોય તે રીતે, ...... ............. ... હૈં.....તા...... !
એમ છુટું છુટું વાંચવું. ધીમે ધીમે અભ્યાસ વધતાં શીધ્ર વાંચતી વેળા પણ ઉચ્ચારણ અને દષ્ટિનો ઉપયેાગ સાથે રહેશે. આ રીતે વાંચીને જાપને અભ્યાસ ચાલુ રહેતા થોડા સમય પછી આંખ બંધ કર્યા પછી પણ અક્ષરે દેખાવા માંડશે. તે પછી હૃદયરૂપી કેરા કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પિતાના નામની જેમ પંચપરમેષ્ઠિના નામને લખતા હોઈએ તેવી રીતે એકાગ્રતાથી જાપ કર. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તે પણ દયેય તો તે જ રાખવું જેથી દિન-પ્રતિદિન સ્થિરતા વધતી જશે.
અક્ષરો જોવા માટેની બીજી રીત
ઉપરની રીત મુજબ જાપ નિયમિત કરવા ઉપરાંત નેત્રો બંધ કરીને અક્ષરે નજર સમક્ષ લાવવા માટે બીજા પણ પ્રચંગે છે. જેમ કે-નેત્રો બંધ કરીને સામે એક કાળું પાટીયું ધારવું, પછી ધારણથી જ હાથમાં ચાકનો કકડો લઈને તેના ઉપર “નમો' એમ ધારણાથી લખવું એટલે લખેલું દેખાશે. ન દેખાય ત્યાં સુધી ફરી ફરીને એ
Page #114
--------------------------------------------------------------------------
________________
૭ર
રીતે પ્રયત્ન કરો. પછી અરિહંતાઈ લખવું. ફરી ફરી પ્રયત્ન કરવાથી તે દેખાશે. આ રીતે નવે પદ માટે પ્રયત્ન કર. અક્ષરે જોવા માટે આવે પ્રયત્ન દરાજ થેડે વખત કરો અને પ્રયત્નની સાથે પ્રથમની રીત પ્રમાણેને જાપ પણ ચાલુ જ રાખ,
અક્ષરો જોવાની ત્રીજી રીત હીરાના દાગીના બનાવવાવાળા પહેલાં ચાંદીના ખાં બનાવે છે તેવું નમો અરિહંતાણંનું ચાંદીનું બેખું બનાવવું. તેમાં હીરા સેટ કરવાના બાકી છે.
પછી સફેદ હીરાને એક ઢગલો ઘાર, પછી આંખે મીંચીને ધારણાથી તેમાંથી હીરા લઈ એક એક હીરો ક્રમશઃ ચાંદીના ખોખામાં મૂકતા નવકારના “નનો આકાર બનાવ. એ રીતે “ના” આદિ બધા અક્ષરો ધારણથી બનાવવા. તે અક્ષર સફેદ હીરા જેવા ચળકતા દેખાશે. પછી
નમો સિદ્ધાણં'ના ચાંદીના બેખામાં માણેક, ત્રીજા પદમાં પિખરાજ, ચોથા પદમાં નીલમ, પાંચમાં પદમાં શનીના રત્ન જડવાં. આ રીતે કલર જેવાને અભ્યાસ પડશે. એ રીતે દરેક પદના અક્ષરે સ્પષ્ટ દેખાવા શરૂ થયા પછી બીજી આગળની રીતે વધુ અનુકૂળ પડે છે અને સાધનામાં ઝડપી વિકાસ શરૂ થાય છે. અક્ષરે ન દેખાય તે પણ ઉપરની રીતે જાપ ઉપયોગી છે, તેથી એકાગ્રતા તે કેળ
Page #115
--------------------------------------------------------------------------
________________
श्री नमस्कार महामंत्र
नमो अरिहंताएं नमो सिद्धाए नमो प्रायरियाएां नमो उवज्झायाणं नमो लोएसव्वसाहूणं एसो पंचनमुक्करो, सव्वपावप्पऍगासगो मंगलाएगं च सव्वेसिं पढमं हवइ मंगलं "
प्रयोग न'.-८
पृष्ठ नं. ७०
Page #116
--------------------------------------------------------------------------
________________
Page #117
--------------------------------------------------------------------------
________________
e Only
प्रयोग नं.
पढमं हवइ मंगलं
नमो लोए सव्वसाहरां
मंगलाएणं च सव्वेसि
8000
- पृष्ठ ७५
नमो सिध्दा
नमो अरिहंताणं
नमो उवज्झायाणं
एसो पंच नमुक्का
नमो प्रायरियाएं
सव्वपावप्पणासणा
Ootis
20mi
00
901
7400
Page #118
--------------------------------------------------------------------------
________________
Page #119
--------------------------------------------------------------------------
________________
૭૩
વાયજ છે. માટે તે પ્રયત્ન ચાલુ રાખવા. આ પ્રયત્નની સાથે પહેલી રીત પ્રમાણેના જાપ પણ ચાલુ જ રાખવા.
કદાચ શરૂઆતમાં અક્ષરા ન દેખાય તે પણ અક્ષર દેખાય છે તેવા જ ભાવ રાખવા. ધીમે ધીમે સ્પષ્ટ અક્ષરેશ દેખાશે. અક્ષરા ચળકતા દેખાવા શરૂ થાય ત્યારે સાધનાની-ધ્યાનની શરૂઆત થઈ છે તેમ સમજવું. અક્ષરેશ દેખાય છે ત્યારે મંત્ર સાથે સંબંધ બધાય છે. મંત્રમાં આપણું ચૈતન્ય ભળે છે. આપણા આત્મ પ્રદેશેામાં અક્ષર ધ્યાનથી એક કન થાય છે જેનાથી અનાદિના માહનીય કર્મના સંસ્કારા મંદ થાય છે. આત્માના શુદ્ધ ચૈતન્યની દિશામાં વિકાસ થાય છે. આ રીતે નમસ્કાર મત્રની ચૂલિકાના ચાર પદોમાં બતાવેલ ફળના અનુભવ શરૂ થાય છે. આવું મહત્વનું ધ્યાન બાળકેા પણ કરી શકે છે. સફેદ ચળકતા સ્ફટિક જેવા અક્ષરો દેખાવા શરૂ થયા પછી બીજો પ્રયાગ નીચે મુજબ કરવા.
ધારણાથી માનસિક પૂજન
ત્રણ નવકારનાં ૨૭ પદેથી ભગવાનની પ્રતિમાની પૂજા ધારણાથી એ વખત નીચેના ક્રમે કરવી.
(૧) જમણા પગના અંગુઠે, (૨) ડાબા પગને અ‘ગુઠો, (૩) જમણેા જાનુ, (૪) ડાબેા જાનુ, (૫) જમણું કાંડુ, (૬) ડાબુ કાંડુ, (૭) જમણા ખભેા, (૮) ડાબે ખભા, (૯) શિરશિખા, એ દરેક સ્થાન ઉપર નવકારના એક એક પદને ખેલ
Page #120
--------------------------------------------------------------------------
________________
૭૪
વાથી અહીં એક નવકાર પૂરો થશે પછી (૧૦) ભાલપ્રદેશ, બીજા નવકારનું પહેલું પદ અહીં આવશે. પછી (૧૧) કંઠ, (૧૨) હૃદય, (૧૩) નાભિકમળ, (૧૪) હથેળી, પુનઃ (૧૫) જમણા પગનો અંગુઠા, (૧૬) ડાબા પગને અંગુઠે, (૧૭) જમણે જાનુ, (૧૮) ડાબે જાન, અહીં બીજે નવકાર પૂરો થશે અને ત્યાંથી નાભિ સુધી દરેક સ્થાન પર એક એક પદ ગણતાં ત્રીજો નવકાર પૂરો થશે. આ રીતે દર્શન, પૂજન, વિગેરે કરતી વખતે, તેમ જ ધારણથી પ્રતિમા કલ્પીને પણ ત્રણ નવકાર ગણવા, એથી એકાગ્રતાને અભ્યાસ કેળવાય છે. ચિત્તની એકાગ્રતાના અભ્યાસ માટે અહીં તો માત્ર “
દિસૂચન” કર્યું છે. જે રીતે સાધકની ચિત્તવૃત્તિ પરમેષ્ઠિઓના ધ્યાનમાં એકાગ્ર બને તે રીતિએ આ અને આવા પ્રકારના બીજા પણ જરૂરી પ્રયત્નો કરવા પ્રયત્નશીલ બનવું એ તાત્પર્ય છે.
કહ્યું છે કે “ભ્યાસઃ વાળ ફાસ્ટમાવત' અર્થાત ક્રિયાને અભ્યાસ કાર્યમાં કુશલતા પ્રગટાવે છે. જે બાળકને એકડે ઘુંટતાં મહિનાઓ વીતે છે, તેવા બાળકે પણ રાજના અભ્યાસથી સમર્થ વિદ્વાન બન્યાનાં દૃષ્ટાંતો મળે છે. તેમ પ્રારંભમાં મુકેલ જણાતું પણ જાપ અને ધ્યાન સતત અભ્યાસ થયા પછી સુકર બની જાય છે, માટે સાધકે જાપ તથા ધ્યાનમાં પ્રગતિ સાધવા માટે તેને અભ્યાસ સતત ચાલુ રાખવે. પ્રવેગ નં. ૯ :–
ચેગિસમ્રાટુ પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી એગશાસ્ત્રના
Page #121
--------------------------------------------------------------------------
________________
૭૫
આઠમાં પ્રકાશમાં પદસ્થ ધ્યાનનું વર્ણન કરતાં જણાવે છે કે
तथा पुण्यतमं मन्त्र, जगत्रितययावनम् । योगी पंचपरमेष्ठि-नमस्कारं विचिन्तयेत् ॥१॥
-ત્રણ જગતને પવિત્ર કરનાર અને અત્યંત પવિત્ર એવા પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રને સાધકે વિશેષ પ્રકારે ચિંતવ.
अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्र', पवित्र चिन्तयेत् ततः ॥२॥ सिद्धादिकचतुष्कं च, दिपत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् ॥३॥
– આઠ પાંખડીનું વેત કમળ ચિંતવવું, તે કમળની કણિકામાં એટલે મધ્ય ભાગમાં, સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર “નમો અરિતાને ચિંતવ, પછી સિદ્ધાદિક ચાર મંત્રને દિશાઓના પત્રમાં અનુક્રમે ચિંતવવા અને ચૂલિકાના ચાર પદોને વિદિશાનાં પત્રમાં ચિંતવવા.
શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરવા માટે કણિકા સહિત અષ્ટદલ કમલમાં શ્રી નમસ્કાર મહામંત્રના નવ પદની કેવી રીતે સ્થાપના કરવી તેને ખ્યાલ આવે તે માટે અહીં તેનું ચિત્ર મૂકવામાં આવ્યું છે.
પિંડસ્થ અને પદસ્થ ધ્યાન આકૃતિ અને રંગના ખ્યાલ વિના થઈ શકતું નથી, એટલે અક્ષરે બને તેટલા સુંદર અને મરોડદાર કઃપવા અને પરમેષ્ટિઓના વર્ગ પ્રમાણે તેને દયાન
Page #122
--------------------------------------------------------------------------
________________
૭૬
'
ધરવું. અર્થાત્ નો વિસ્તાણં' પદમાં ચંદ્રની જ્યેાત્સ્ના સમાન વેત વર્ણાને ચિંતવવા. ‘નમો સિદ્ધાળ’’પદમાં અરુણુની પ્રભા સમાન રક્ત (લાલ) વર્ણને ચિંતવવા. નમો આયરિયાન’ પદમાં સુવર્ણ સમાન પીળા વર્ણને ચિંતવવા. ‘નમો રુવન્નાયાળ' પદમાં નીલમ રત્ન સમાન લીલા વર્ણોને ચિતવવા અને ‘ નમો હોઇ સચ્ચાળ પદમાં અજન સમાન શ્યામ વર્ણો ચિંતવવા. આ અક્ષશ જ્યારે ખરાખર સ્પષ્ટ અને સ્થિર દેખાય, તથા તેના રંગે! બદલાઈ ન જાય, ત્યારે આપણું મન તેના પર સ્થિર થયું. સમજવું. આ રીતે જ્યારે અક્ષરા પર મનની સ્થિરતા બરાબર થાય છે, ત્યારે એ અક્ષરોમાંથી પ્રકાશની રેખાએ ફૂટતી જણાય છે અને છેવટે તે અદ્ભુત જ્યેાતિય બની જાય છે. અક્ષરાને જ્યાતિમય નિહાળતાં પરમ આનંદ આવે છે અને આપણું હૃદયકમળ જે અધોમુખ હાય છે, તે ઉધ્વમુખ થવા માંડે છે.
નમસ્કાર મંત્રના અક્ષરા તે સામાન્ય અક્ષરા નથી પરતુ ભવઅટવીમાં ભૂલા પડેલા પથિકના માદક છે. નવકારના અક્ષરા અજરામર પદને અપાવનાર જડીબુટ્ટી છે. નવકારના અક્ષરોના જાપ અને ધ્યાન એ આત્મ-અનુભવની દિવ્ય પ્રક્રિયાના મંગલમય સેાપાન છે, ચિતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ કરતાં અધિક ફળદાયી છે. નવકારના પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિદ્યાઓના વાસ છે. પ્રત્યેક અક્ષરના અધિષ્ઠાયકા છે.
ધ્યાન વખતે નીચે પ્રમાણે ભાવના કરી આત્માને
Page #123
--------------------------------------------------------------------------
________________
ભાવિત કર. પિતાના મનને નીચેના વિચારોથી પુષ્ટ કરવું,
પ્રણિધાન હે પરમ મંગળ નવકાર ! તારા શરણે આ Pર આવેલો હું એટલું જ માગું છું કે તારા અચિત્ર ને પ્રભાવથી નિયમિત, અખંડે રીતે, ઉત્સાહથી છે અને એકાગ્રતા સાથે પરમપદની પ્રાપ્તિના 3 ઉદ્દેશથી તને આરાધવાનું સામર્થ્ય મારામાં રેડ આજે પ્રગટે ! બસ, તે સિવાય બીજું કંઈ પણ રે
મારે જોઈતું નથી,
મેરુપર્વત જેટલું સેનું, વિશાળ સામ્રાજ્ય, દેવલોક આદિ સંપદાઓ આ બધું મળવું સુલભ છે પણ ભવચકમાં ભાવથી નમસ્કાર મંત્ર મળ અતિ દુર્લભ છે. માટે જાપ વખતે મનને સમજાવવું. “હે મન ! આ નવકાર શું ચિંતામણિ છે, કામધેનું છે, કલ્પવૃક્ષ છે? ના. નવકાર તે આ સર્વથી અધિક છે. કારણ કે ચિંતામણિ, કલ્પવૃક્ષ આદિ કપેલી વસ્તુ આપે છે. પણ નવકાર તે અકલ્પનીય એવું મોક્ષ આપે છે, માટે હે મન ! તને હું ભાવથી વિનંતિ કરું છું કે તે નમસ્કાર મંત્રના સ્મરણમાં જરા પણ પ્રમાદ કરીશ નહીં.”
Page #124
--------------------------------------------------------------------------
________________
નવકારની સાધનાની ત્રીજી ભૂમિકા Continuous Concentration and Meditation
Towards Most High. જગતની સર્વોચ્ચ શક્તિ પ્રત્યે એકાગ્રતા
અને ધ્યાન રૂપ-નમસ્કાર તાત્વિક નમસ્કારનું સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામના ગ્રંથમાં બતાવેલું છે.
તે મૂળ પાઠ નીચે મુજબ છે.
'अहं इत्येतदक्षरम, परमेश्वरस्य परमेष्ठिनो वाचकम्, सिद्धचक्रस्यादिबीजम्, सकलागमोपनिषदभुतम्,
વિદત્તવિવાદિનમ, अखिल दृष्टादृष्टफलसंकल्पकल्पद्रुमोपमम, आशास्त्राध्ययना
ध्यापनावधि प्रणिधेयम् । प्रणिधान' चानेनाऽऽत्मनः सर्वतः संभेदस्तदभिधेयेन चाभेदः
वयमपिचैतच्छास्त्रारम्भे प्रणिदध्महे । अयमेव हि तात्विको नमस्कार इति ॥१॥
અ” એ અક્ષર પરમેશ્વર એવા પરમેષ્ટિને વાચક છે, સકલ રાગાદિ મલરૂપ કલંકથી રહિત, સર્વ જીવોને યોગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિસ્વરૂપ, દેવાધિદેવ, સર્વજ્ઞ, એવા પરમાત્મા અરિહંત દેવને વાચક
Page #125
--------------------------------------------------------------------------
________________
૭૦
અ” મંત્ર છે.
આ અહનું આલંબન, પ્રણિધાન માટે સર્વશ્રેષ્ઠ છે. તે પ્રણિધાનના બે પ્રકારે છે –
(૧) સંભેદ પ્રણિધાન (૨) અભેદ પ્રણિધાન.
સંભેદ પ્રણિધાન –અહં રૂપ વાચક પદ સાથે ધ્યાતાને સંશ્લિષ્ટ સંબંધ તે સંભેદ પ્રણિધાન.
અભેદ પ્રણિધાન :–અહ“અક્ષરના અભિધેય જે પ્રથમ પરમેષ્ટિ તેમની સાથે ધ્યાતાના આત્માને સર્વ પ્રકારે એકીભાવ અથવા અક્યતા તે અભેદ પ્રણિધાન છે.
આવું અભેદ પ્રણિધાન જ વિદ્ગોને નિર્મૂળ કરવામાં સૌથી અધિક સમર્થ છે. તેથી જ તે પરમાત્મસ્વરૂપ
અહ”ના આ અભેદ પ્રણિધાનને તાત્વિક નમસ્કાર કહેવામાં આવે છે.
ટૂંકમાં સંભેદ એટલે ચારે બાજુ “અહ” શબ્દથી આપણા આત્માને વીંટળાયેલો જોવે. અર્થાત્ પોતાના આત્માનો અહંની મધ્યમાં ન્યાસ (સ્થાપન) કરો.
અભેદ એટલે પિતાના આત્માનું અરિહંતરૂપ ધ્યાન કરવું.
બ્સભેદ અભેદ પ્રણિધાનનું વર્ણન યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવેચનના આધારે લખ્યું છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૮૦
નમસ્કારનું ઉપર મુજબ તાત્ત્વિક સ્વરૂપ કલિકાલસજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવાને ખતાવ્યું છે, તેનું રહસ્ય જ્યારે સાધના દ્વારા સમજાય છે, ત્યારે સર્વે પાપ (કર્માને) મૂળમાંથી ઊખેડી નાખવાની અને શ્રેષ્ઠ મહગલ રૂપ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિંત્ય શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે.
સભેદ પ્રણિધાનમાં પરમેષ્ઠિ પદોનું આલંબન હાય છે અને મત્ર પદામાં ચિત્તવૃત્તિની એકતાનતા સાધવાની હાય છે અથવા મંત્રો સાથે સાધકે તન્મયીભાવ સાધવાના હોય છે.
નમસ્કાર મંત્રના જાપ અને ધ્યાન દ્વારા વિશિષ્ટ અનુભવેા થાય છે, તેમાંના કેટલાક નીચે મુજબ છે.
નવકાર મંત્રનાં નવપદોને જ્યારે આપણે તીવ્ર એકાગ્રતાથી જાપ કરીએ છીએ અને મનમાં અધિષ્ઠિત પચ પરમેષ્ઠિ ભગવંતા સાથે તન્મય બની જઇએ છીએ ત્યારે કોઇ અગમ્ય પ્રદેશમાં આપણા પ્રવેશ થાય છે. પ્રારંભમાં મંત્રના અક્ષરા સફેદ ચળકતા જોવા અને તેમા એકાગ્ર બનવુ જોઇએ અને તીવ્રપણે મંત્રના અક્ષરોમાં એકાગ્ર થતાં તે અક્ષરાનાં દ્વાર ખૂલી જતાં તેમાંથી નીકળતા અમૃતના ફુવારામાં સ્નાન કરતાં આપણા સઘળા રાગ, શાક, દુઃખ, ભય, ચિંતા નાશ થઇ જતાં હોય એવું અને સુખ, શાન્તિ, આનંદ અને નિયતાથી આપણે પૂર્ણ ભરાઈ જતા હાઈ એ તેવું અનુભવાશે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૮૧
પરમાત્માની મૂર્તિનું પણુ આ રીતે ધ્યાન થતાં પરમાત્માના નેત્રમાંથી વરસતા કરુણામૃતના વરસાદમાં સ્નાન કરતાં આપણે દિવ્ય આનંદથી છલકાઈ જઈશુ’.
મ'ત્રના અક્ષરેામાંથી નીકળતી અગ્નિજ્વાળામાં આપણાં બધાં જ પાા, દુષ્ટ વૃત્તિઓ અને મલિન વાસનાએ મળીને ભસ્મ થતી આપણે અનુભવીશું.
માક્ષરમાંથી વરસતા ગુણ્ણાના વરસાદમાં સ્નાન કરતાં કરતાં આપણે અનેક ગુણાથી પૂર્ણ ભરાઈ જઈશું.
મ'ત્રાક્ષરી અને પરમાત્માનાં સર્વાગામાંથી નીકળતા દિવ્ય પ્રકાશમાં પરમાત્માના પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન થશે. અને તે પ્રકાશ જ્યારે આપણને (આપણા આત્માને) ભેદીને પસાર થાય છે, ત્યારે તે પ્રકાશના દિવ્ય તેજમાં ઈંહથી ભિન્ન, કેવળજ્ઞાન આદિ ગુણ લક્ષ્મીથી ચુક્ત, અનંત આનંદસ્વરૂપ, અવ્યાબાધ સુખથી પૂર્ણ, અર્ચિત્ય શક્તિના ભડાર સ્વરૂપ આપણા શુદ્ધ આત્માનું દન થાય તેવી દિવ્ય પળે આવશે.
પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલ અને સ્વઆત્માના દિવ્ય રવરૂપનું દર્શીન થવુ તે જ સાચા નમસ્કાર છે, તેને જ સાચા પુરુષા કહેવાય. તેનુ જ જીવન ધન્ય છે કે જે પરમાત્માના આલંબને સ્વ-આત્માનો અનુભવ કરે છે.
પ્યા. પ્ર. ૬
Page #128
--------------------------------------------------------------------------
________________
તે જ મહાન આત્માઓનું જીવન ધન્ય છે, જે અરિહંત આદિ પદેના ઉપગમાં સદા લીન છે.
નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્યતે, જીવિત તાસ પવિત્ત.
આ રીતે નવકારની આરાધનામાં પ્રગતિ સાધતાં આપણે સાધનામાં આગળ વધીએ છીએ. હવે નવકારની વિશેષ આરાધના માટેના પ્રયોગ જોઈએ.
નવકારની સાધનાના વિશિષ્ટ પ્રયોગ ધ્યાન પ્રોગ નં. ૧૦ :–
નવકારની આરાધનાની ૧૨ રીતે અહીં બતાવી છે, જે આ જીવનમાં આત્મ-સાક્ષાત્કાર અને ભવાંતરમાં યોગ્ય સામગ્રી-સરયોગ મળતાં કેવળજ્ઞાન અપાવે છે.
જિનશાસનમાં કઈ પણ મહત્વના પ્રસંગે ૧૨ નવકાર ગણવાની પરંપરા ચાલતી આવે છે. દીક્ષા લેવાનો પ્રસંગ હોય ત્યારે નાણુ માંડવામાં આવે છે, ચતુર્મુખ ભગવાનની ત્રણ પ્રદક્ષિણા દરેક ભગવાનની સામે એક એક નવકાર ગણુને કરવામાં આવે છે.
આ રીતે ઉપધાનને પ્રવેશપ્રસંગે, કઈ વ્રત લેવું હોય ત્યારે, તીર્થમાળાના પ્રસંગે આ જ રીતે દરેક ભગવાનની સામે એક નવકાર ગણવાથી ચતુર્મુખ ભગવાન સામે કુલ ચાર નવકાર એક પ્રદક્ષિણામાં થાય. એવી ત્રણ પ્રદક્ષિણામાં ૧૨ નવકાર ગણવાની પરંપરા જિનશાસનમાં
Page #129
--------------------------------------------------------------------------
________________
ચાલતી આવે છે. અહીં પણ નવકાર ગણુવાની (૧૨) આર રીતે બતાવી છે,
(૧) ત્રણ યોગ :
<3
મન માર
મનયાગ, વચનયાગ, કાયયેાગ જોડવાપૂર્વક પ્રથમ નવકાર ગણવા. કાયાને સ્થિર કરી, નમસ્કારમાં જોડવી. વચનથી નવકારના પદાનું ઉચ્ચારણ કરવુ, મનને જગતની ચીજોમાંથો ભટકતું પાછું વાળીને નમસ્કારના સ્મરણમાં
સ્થિર કરવું.
(૨) ત્રણ કરણ ઃ
A
B
C
કરણ,
કરાવણુ, અનુમાદન.
A કરણ એટલે ઉપર મુજખ મનયાગ, વચનયાગ, કાયયોગ જોડીને કરવુ.
B કરાવણ એટલે મને આવેા જગતના સર્વોત્તમ મહામત્ર શ્રી નવકાર મળ્યા, તે નવકાર સર્વાંને મળેા. જગતના અનંત જીવાને નમસ્કાર મંત્ર-પૉંચ પરમેષ્ઠિ મંત્ર, પ્રભુનું શાસન મળ્યુ નથી તે સને મળે! તેવી ભાવના – તે કરાવણુ.
C અનુમાદન, ત્રણ ભુવનમાં ત્રણે કાળ અસંખ્ય આત્મા એ પરમિષ્ઠ નમસ્કારની આરાધના કરતા હાય છે, તે સર્વનું અનુમેદન કરવું, ત્રણ કરણમાં જગતના સર્વ જીવ સાથે અનુસધાન થાય છે, જેને મળ્યા છે તેનું અનુમાદન, નથી મળ્યા તેને મળેા તેવી ભાવના, તેમાં સમગ્ર વિશ્વના
Page #130
--------------------------------------------------------------------------
________________
નજીવોને સંબંધ થાય છે. મિટ્યાદિ ભાવોથી ભાવિત થવું તે ધ્યાનના અનુસંધાન માટેનું પરમ રસાયણ છે.
मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥
(ગશાસ્ત્ર ચોથે પ્રકાશ) મિત્રી, પ્રમદ, કરુણા, માધ્યચ્ય આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રાજવી, કેમ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે. (૩) દશે પ્રાણ જેડવાપૂર્વક નમસ્કાર કરવો –
આપણું દશે પ્રાણ જગતની અન્ય વસ્તુઓમાં જોડાયેલા છે, ત્યાંથી છોડાવી, દશે પ્રાણુ પરમેષ્ટિ નમસ્કારમાં જોડવા. પાંચ ઈન્દ્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણ છે.
નમસ્કાર વખતે પાંચ ઈન્દ્રિયોના ઉત્કૃષ્ટ પ્રશરત વિષયને અનુભવ કરવો.
અરિહંત પરમાત્માની વાણું પાંત્રીસ ગુણથી યુક્ત હોય છે. ભગવાન સુમધુર માલકોષ રાગમાં સમવસરણની મધ્યમાં બેસીને દેશના આપે છે. પ્રભુની દેશનાના શબ્દમાં શ્રોત્રિયને જોડવી. સિદ્ધ ભગવતેના મહાસૌન્દર્યથી ભરપૂર જાતિસ્વરૂપ અદ્દભુત-અરૂપી એવા રૂપને નિહાળવામાં નેન્દ્રિયને જોડવી. આચાર્ય ભગવતેના શીલની સુગંધમાં ધ્રાણેન્દ્રિયને જોડવી. ઉપાધ્યાય ભગવંતના સ્વાધ્યાયના
Page #131
--------------------------------------------------------------------------
________________
સુમધુર રસમાં રસનેન્દ્રિયને જોડવી. સાધુ ભગવતેના અતિ મધુર શાતિ આપનાર સ્પર્શમાં સ્પર્શેન્દ્રિયને જોડવી.
ઉપરના પાંચ સર્વોત્તમ વિષયમાં પાંચે ઈન્દ્રિય જોડાઈ -જવી જોઈએ. મનબળ, વચનબળ, કાયબળને નમસ્કારમાં વિશેષ સ્થિરતાવાળું બનાવવું. શ્વાસેવાસને પણ તેમાં જ વણી લે અને આયુષ્યબળના પ્રતીક રૂપે હૃદયના ધબકારામાં નમસ્કારને વણી લે. આ રીતે દશે પ્રાણ નમસ્કારમાં જોડવા. (૪) સાત ધાતુ જોડાય તે રીતે નમસ્કાર કરે –
રંગ લાગ્યો સાતે ધાત પ્રભુશું રંગ લાગ્યો”
નમસ્કારના સ્મરણ વખતે સાતે ધાતુ પ્રભુસ્મરણમાં જોડાઈ જવી જોઈએ. “અહો ! હું ધન્ય છું, કૃતપુ છું કે આજે મને ભવચક્રમાં અતિ દુર્લભ એ નમસ્કાર મંત્ર સમરણ કરવા માટે મળે છે ! કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અતિ પ્રભાવશાળી પરમેષ્ઠિ પદેના સ્મરણમાં હે પ્રાણ ! હે મન ! હે મારા શરીરની સાતે ધાતુઓ! તેમાં જોડાઈ જાઓ. આજે અનંતકાળનું દુઃખરિદ્રશ્ય અને દર્ભાગ્યનાશ કરવાનો અવસર મળ્યો છે. આજે સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતા તથા આત્મઅનુભવ પ્રાપ્ત કરવા પરમેષ્ઠિઓનો અતિ કીમતી વેગ મળ્યો છે. તે તમે સર્વ સાવધાન થઈ નમસ્કારમાં રક્ત બને.” આવી કોઈ વિશિષ્ટ ભાવની શરૂઆતમાં કરી લેવી, જેથી લિસિત થયેલી સાતે ધાતુ નમસ્કારમાં જોડાઈ જાય.
Page #132
--------------------------------------------------------------------------
________________
e
(૫) સાડાત્રણ કરોડ રામરાજી વિકસ્વર થવાપૂર્ણાંક નમસ્કાર કરવા :
મયણાસુંદરીને અમૃતક્રિયા વખતે શમાંચ થયા છે, અતિશય આશ્ચર્ય, સ‘ભ્રમ, અહેઃભાવ, અતિ બહુમાન અને અત્યંત આદર જ્યારે થાય છે, ત્યારે રેશમાંચ” થાય છે. અને તે અમૃતક્રિયાનું લક્ષણ છે, આંધળાને ચક્ષુની પ્રાપ્તિ થાય છે. નિર્ધન મનુષ્યને નિધાનની પ્રાપ્તિ થાય છે, જન્મથી મહારાગીને આરાગ્યની પ્રાપ્તિ થાય છે, ત્યારે જેવુ આશ્ચર્ય, અહાભાવ અને આનંદ થાય તેવુ. આશ્ચય અહોભાવ અને આનંદ, પરમેષ્ઠિ ભગવંતાના નમસ્કાર વખતે થાય છે અને ત્યારે હષ થી સમગ્ર રામરાજી વિકસ્વર થાય છે.
આપણને પરમ ઈષ્ટ કલ્પવૃક્ષ કે ચિંતામણિ સમાન વસ્તુ મળે ત્યારે રામાંચ અને વિસ્મય થાય છે, તે રીતે પરમ ઇષ્ટ નવકાર પ્રાપ્ત થવાથી રામરાજી વિકસ્વર થઈ જાય ત્યારે પ્રત્યેક રામ નવકારને પાકારે છે, તેવા ભાવ ધારણ કરવા. નવકાર ગણાય છે એક વખત, પરંતુ પ્રત્યેક શમમાં વ્યાપક તેની અસર હાવાથી ફળ મળે છે સાડા ગુ કરાડ વખત ગણવાનુ
(૬) આત્માના અસ ખ્ય પ્રદેશે. નવકારમાં લીન અન્યા છે, નવકાર આપણા આત્માના પ્રદેશે-પ્રદેશે વ્યાપ્ત બની ગયા છે તેવા ભાવ ધારણ કરવા. આવા ભાવથી નવકાર ગણાશે એક વખત પણ આત્માના પ્રત્યેક પ્રદેશે
Page #133
--------------------------------------------------------------------------
________________
તે વ્યાપ્ત હેવાથી ફળ મળશે અસંખ્ય વખત ગણવાનું, કારણ કે અસંખ્ય વખત ગણાય તેટલી વિશુદ્ધિ તે વખતે થાય છે. | (૭) અહીંથી હવે અક્ષર અક્ષર રૂપ ધારણ કરશે. ૭થી ૧૨ સુધીના નમસ્કારમાં નીચે મુજબ ભાવ આવશે :
નમવું એટલે પરિણમવું. પરિણમવું એટલે તત્ સ્વરૂપ બનવું, તદાકાર, ઉપયોગે પરિણમવું, તત્ સ્વરૂપ બનવું એટલે તે રૂપ હોવાનો અનુભવ કરવો. અને છેવટે તદ્રુપ બનવું એટલે તે રૂપ થઈને રહેવું. અહીં પાંચે પરમેષ્ઠિઓને અરિહંત પ્રભુમાં સમાવી લેવા.
આપણું આત્માના ક્ષયપશમ ભાવના જે ગુણો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ અમુક અંશે ખુલા છે. તે અત્યારે વિભાવમાં પડેલા છે. પરપુદ્ગલ અનુયાયી બનેલા છે. તે ક્ષપશમ ભાવના ગુણોને પરમાત્મ-સ્વરૂપના અનુયાયી બનાવીને છેવટે આત્મસ્વરૂપના અનુયાયી બનાવવા.
એટલે પ્રથમ પરમાત્મ-સ્વરૂપના અવલંબનવાળું આપણું ચૈતન્ય બનાવવાનું છે. પરમાત્મ-સ્વરૂપ અનુયાયી આપણી ચેતના બનાવવાની છે. પરપુદગલના રંગે રંગાયેલી આપણી ચેતનાને પરમાત્મગુણેના રંગે રંગાયેલી બનાવવાની. છે. તેની પ્રક્રિયા ૭મા નવકારથી શરૂ થાય છે.
સાતમે નમસ્કાર ક્ષપશમ ભાવથી અંશતઃ ખુલલા. થયેલા આપણા જ્ઞાન અને દશનગુણને પરમાત્મસ્વરૂપમાં
Page #134
--------------------------------------------------------------------------
________________
૮ર
જેડવાપૂર્વક કરવાનું છે. જ્ઞાનગુણનું કાર્ય “જાણવાનું ” છે. દર્શનગુણનું કાર્ય “રુચિ” કરવાનું છે. તે જ્ઞાનદર્શન બંને ગુણેને પરમ વિશુદ્ધ પરમાત્મતત્તવમાં જોડવા. પરમાત્માના અનંત ઉપકારો અને પરમાત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપને જાણી તેમાં જ રુચિ કરવી. તેમાં જ ભક્તિના પ્રકર્ષપૂર્વક પ્રેમ કરે. | (૮) પશમ ભાવથી અંશતઃ ખુલ્લા થયેલા આપણા ચારિત્રગુણને પરમાત્મસ્વરૂપમાં જોડવાપૂર્વક આઠમો નમસ્કાર કરવો. ચારિત્રગુણનું કાર્ય રમણતા કરવાનું છે. અત્યારે રમણતા પરપુદ્ગલમાં એટલે કે વિભાવમાં છે, ત્યાંથી છોડાવી સ્વભાવમાં સ્થિર એવા પરમાત્મ-સ્વરૂપમાં આપણે રમણતા કરવાની છે. રમણતા કરવાની શક્તિને (ચારિત્રગુણને) પરમાત્મામાં જેડવી, એટલે પરમાત્માના ગુણ-પરમાત્માના ઉપકાર, પરમાત્માના પરમવિશુદ્ધ કેવળજ્ઞાન, પરમાનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિ આદિમાં રમણતા કરવી તે આઠમે નમસ્કાર છે.
(૯) આત્મા અનંત શક્તિને ધણું છે. તેમને કેટલેક ભાગ ક્ષપશમ ભાવથી અત્યારે ખુલ્લો છે. તે ક્ષપશમ ભાવની શક્તિને પરમાત્મતત્વમાં રમણતા, તદ્રપતા, તમયતાના કાર્યમાં ફેરવવી, એટલે આપણી સંપૂર્ણ શક્તિને પરમાત્મતત્વ સાથે તન્મય, તદ્રુપ બનાવવી, તે નવમે નમસ્કાર છે. ઉપગને પરમાત્મ આકારે પરિણુમાવ. (In tune with infinite.) જે રીતે સાકર, દૂધમાં
Page #135
--------------------------------------------------------------------------
________________
નાખવાથી ઓગળી જાય છે, તે રીતે મનને પરમાત્માનો સ્વરૂપમાં એગાળી નાખવું. To harmonise
Self with Divine Power.
૮૯
કહ્યુ` છે કે :~
“ દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે.
શુદ્ધ સ્વરૂપી રૂપે
પ્રભુ પ્રભુતા લયલીન, તન્મયી રે,
તસુ આસ્વાદન પીન ”
our
( પીન એટલે પુષ્ટ )
૭-૮
- શ્રી દેવચંદ્રજી કૃત ૧૨મા ભગવાનનું સ્તવન.' આ ત્રણ નમસ્કારમાં આપણુ ચૈતન્ય પરમાત્માના સ્વરૂપમાં તન્મય, તદ્રુપ બન્યું છે. આપણુ· ચેતન્ય સ`પૂર્ણ પણે પરમાત્માના સ્વરૂપમાં લીન, તદ્રુપ, પરમાત્મ-સ્વરૂપને અવલ' એવું અને, ત્યાં સુધી ૭-૮-૯માં કહ્યા મુજમની આરાધના કરવી.
અહી' સાધકની પરિણત્તિ આ પ્રમાણે છે. આત્માના ક્ષાપશમ ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીય ગુણ તે સર્વ પ્રભુની પ્રભુતાથી લીન થયા છે. બહુમાન અરિહંતનુ છે. રુચિ અરિહંત પ્રભુના અનંત ગુણુ-સ્વરૂપમાં છે. ઉપચેાગ અરિહંતના સ્વરૂપમાં લીન છે. રમણતા પરમાત્માના સ્વરૂપમાં જ છે, વીય શક્તિ-જિનભક્તિને વિષે જ કાર્ય શીલ છે. અહી' ક્ષયાપશમ ભાવની આત્મગુણની સર્વ પ્રવૃત્તિ અરિહંત પરમાત્માના ગુણ્ણાને વિષે તન્મયપણુ પામી છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૦) સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા કહે છે કે –
ક્ષાપશમિક ગુણ સવ થયા તુજ ગુણ રસી, સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલસી.”
અહીં સુધી અરિહંત આકાર ઉપયોગ હતો. હવે ઉપયોગ આકાર આત્મામાં પ્રવેશ થાય છે.
પરમાત્મ ઉપગમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાચે એકત્વ-અભેદ ધ્યાન અહીં શરૂ થયું છે. શુદ્ધ તત્વ રસ રંગી ચેતના રે,
પામે આત્મ સ્વભાવ; આત્માલંબી નિજ ગુણ સાધતો રે,
પ્રગટે પૂજ્ય સ્વભાવ.” ( શ્રી દેવચંદ્રજી કૃત ૧૨ મા ભગવાનનું સ્તવન હવે અત્યારે આપણો આત્મા અરિહંત આકારવાળે બને છે, કારણ કે જે ઉપયોગમાં આપણે સ્થિર બનીએ. છીએ, તે આકારવાળે આપણો આત્મા થાય છે.
અત્યારે આપણે ઉપયોગ પરમાત્મ આકારમાં સ્થિર-- તાને પામે છે, તે પરમાત્મ આકારવાળા બનેલા આપણા આત્માને આપણે જોઈએ છીએ. પરમાત્માના ઉપયોગમાં પરિણમેલા એટલે વિશુદ્ધ આત્મચેતન્યમાં લીન બનેલા.
ક ઉપગથી ઉપગવાન આત્મા અભિન્ન (એક) છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
આપણા આત્માને આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ, તે દર્શનજ્ઞાનના ઉપગપૂર્વક ૧૦મો નમસ્કાર થયે.
(૧૧) ચારિત્ર એટલે આત્મરમણુતાપૂર્વક ૧૧ મે નમસ્કાર છે. પરમાત્મા વિશુદ્ધ આત્મચેતન્ય સ્વરૂપ છે. અને આપણો આત્મા તદાકાર રૂપે તેમાં પરિણમેલો છે, એટલે કે આપણે આત્મા વિશુદ્ધ આત્મચેતન્ય રૂપે પરિ ણમેલ છે, તેમાં ચારિગુણ જોડવાથી આત્મરમણતા હવે હવે શરૂ થઈ છે. ઉપર મુજબ પરમાત્માના અને ઉપલક્ષણથી આપણા આત્મસ્વરૂપમાં રમણતાપૂર્વક ૧૧મે નમસ્કાર થયે.
(૧૨) વીર્યગુણ જેટલા અંશે ખુલ્લો છે તે ક્ષયોપશમભાવી વીર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણને સહકારી બને છે અને તેનાથી સ્વરૂપ સ્થિરત્વની શક્તિ પ્રાપ્ત થાય છે.
ક્ષાપશમિક ગુણ સર્વ થયા તુજ ગુણ રસી, સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલસી.”
વીર્યગુણ (દર્શન, જ્ઞાન, ચારિત્રને સહકારી બનવાથી) આત્મસત્તામાં રમણતા-તન્મયતા તદ્રુપતા અને એકતા માટેની શક્તિ વ્યક્ત કરે છે. અહીં આત્મસ્વરૂપમાં રમશુતા, તન્મયતા, સ્થિરતા આવે છે. તે સ્થિરતા અંતર્મુહૂર્ત ટકે તે ક્ષણશ્રેણી મંડાઈ કેવળજ્ઞાન થાય. તેથી કહ્યું કે,
હવે સંપૂરણ સિદ્ધિ તણી શી વાર છે, દેવચંદ્ર જિનરાજ જગત આધાર છે.” આ વસ્તુ પૂજ્ય શ્રી દેવચંદ્રજી મહારાજના પિતાના
Page #138
--------------------------------------------------------------------------
________________
૯૨
લખેલ ટખામાં આ રીતે છેઃ “એમ શુદ્ધ નિર્મલ તત્ત્વ શ્રી અરિહ'તદેવ સિદ્ધ ભગવાન તેના રસે (સાધકની ચેતના) રંગાણી તેહના ગુણની ભેગી જે મારે (સાધકની) ચેતનામયી અન્ય વિકલ્પ ટાળી અનુભવ ભાવના સહિત પ્રભુ સ્વરૂપે (સાધકની ચેતના) રસીલી થઈ તે વારે તે ચેતના, પેાતાના આત્મસ્વભાવને પામે. આત્મસ્વભાવ રુચિ (સમ્યગ્ દર્શન) આત્મસ્વભાવ ઉપયાગી (સમ્યગ્ જ્ઞાન) આત્મસ્વભાવ રમણી (સમ્યગ્ ચારિત્ર) આત્મા અનુભવી થાય........ એટલે પહેલા હુ... (પરમાત્મા જેવા જ) અનંત ગુણી છું એ નિર્ધારરૂપ સમ્યગ્ દર્શીન પ્રકાશે, સ્યાદ્વાદ સત્તાનુ ભાસન (જ્ઞાન) થાય, પછી જે સત્તા પ્રગટી તેહનેા (તેમાં) રમણુ અનુભવ ચારિત્ર ગુણ પ્રગટે, પછી નિરાવરણ કેવળજ્ઞાન નીપજે (પ્રગટે) એ પરમ પૂજ્ય શ્રી અરિહંતને પૂજવાથી પાત્તાને પૂજ્ય સ્વભાવ પ્રગટે.
“ (જિનવર પૂજા ૨ તે નિજ પૂજના રે) ” નવકારની સાધનાની ૧૨ રીતે આપણે જોઈ.
એક પછી એક ચઢતી ભૂમિકાની આરાધના આપણા જીવનમાં વિકસિત થતી જાય તેવા સંકલ્પપૂર્વક આગળ વધવુ, પરમાત્મા આપણને જરૂર સહાય કરશે. પરમાત્મા તા કલ્પવૃક્ષ છે. તેમનાં ચરણ કમળમાં કરેલ શુભ સૌંકલ્પ અવશ્ય ફળદાયી બને છે.
કેટલુંક વધુ તત્ત્વજ્ઞાન જોઈશું એટલે નવકારની
Page #139
--------------------------------------------------------------------------
________________
૯૩
અચિંત્ય શક્તિ ઉપર આપણને પૂર્ણ શ્રદ્ધા અને સાધના. દ્વારા અનુભવ પણ થશે.
નમ = About turn પાછા ફરવું. (દુન્યવી વસ્તુ. સંબંધના વિચારમાંથી).
અરિહંતાણું = Turning towards the Divinity
દુન્યવી વસ્તુઓ સંબંધી વિચારમાંથી પરમાત્મા તરફના પ્રયાણને મંત્ર છેઃ “નમો અરિહંતાણું.”
Namo is the turning point from fruta to FTHT. Namo is the turning point from subconscious to superconsious.
આપણા ચિતન્યને પરદ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય)ના સંબંધમાંથી છોડાવવાની અને આત્મ-સ્વરૂપમાં સ્થિર કરવાની પ્રક્રિયા “નમો અરિહંતાણું”ના ધ્યાનમાં છે.
નમવું = પરિણમવું.
પરિણમવું = તત્ સ્વરૂપ બનવું, (તદાકાર ઉપગે પરિણમવું)
તત્ સ્વરૂપ બનવું = તે રૂપ હેવાને અનુભવ કરે, અને છેવટે તે રૂપ થઈને સ્થિર રહેવું.
પરમાનંદને અનુભવવાની પ્રક્રિયા નમસ્કાર ભાવમાં છે. પરમાત્માના ધ્યાન દ્વારા પરમાત્માની પૂર્ણતાને દિવ્ય પ્રકાશ આપણા અંતરઆત્મામાં ઝીલી શકાય છે, અને તે દ્વારા આતમસ્વરૂપના અનુભવરૂ૫ રત્નત્રયીમાં રમણતા.
Page #140
--------------------------------------------------------------------------
________________
અને તત્વત્રિયીને ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય છે અને તેના પરમાનંદનું અનુભવન સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે.
નમે એટલે પરરૂપેણ નાસ્તિત્વ. અરિહંતાણું એટલે સ્વરૂપેણ અસ્તિત્વ. નમ એટલે વિભાવમાંથી છૂટવું.
અરિહંતાણું એટલે સ્વભાવમાં સ્થિર થવું. નમ એટલે પરભાવનું વિમરણ. અરિહંતાણું એટલે સ્વભાવમાં રમશું. નમે એટલે બહિરાત્મભાવને ત્યાગ.
અરિહંતાણું એટલે અંતરાત્મભાવ દ્વારા પરમાત્મ- ભાવને અનુભવ.
મે એટલે અહંકારને નાશ End of Egoism. અરિહંતાણું એટલે નમસ્કારની પરાકાષ્ઠા. નમે એટલે સંસારની અસારતાની કબૂલાત. અરિહંતાણું એટલે મેક્ષ જ સાર છે, તેવી સભાનતા. નમે એટલે જડ-ચેતન્યનું ભેદ વિજ્ઞાન.
અરિહંતાણું એટલે ચિતન્યને સારભૂત સમજી તેમાં સ્થિર થવાની પ્રક્રિયા.
મે એટલે પરિધમાંથી (circumference) એટલે કે સંસારના વિચારોમાંથી છૂટવું.
Page #141
--------------------------------------------------------------------------
________________
અરિહંતાણું એટલે મધ્યબિન્દુ center (આત્મા)માં સ્થિર થવું.
ન = approach (પ્રયાણ). અરિહંતાણું = towards absoluteness (પૂર્ણતા
તરસ્ફ.) ન = Direction (લક્ષ્ય કેન્દ્રિત કરવું) સિદ્ધાણું = towards destination (ધ્યેય તરફ.)
આ બંને પદેના ધ્યાન દ્વારા પરમાત્મા સાથે એકત્વ (oneness with Immortality) સધાય છે. માટે નમસ્કાર મંત્રના નમસ્કાર્ય શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ ભગવતેમાં વૃત્તિઓને વિલીન કરવાથી, અર્થાત્ જેવી રીતે સાકરને દૂધમાં નાખવાથી, તે દૂધમાં ઓગળી એકમેક થઈ જાય છે, તે રીતે મનને પરમાત્મામાં ઓગાળી નાખવાથી પરમાત્મામાં (જે ઉપલક્ષણથી આપણું પિતાનું જ સ્વરૂપ છે) એટલે આત્મામાં મન તદાકાર રૂપે પરિ
મવાથી શાશ્વત, સિદ્ધ, બુદ્ધ, નિરંજન, નિષ્કલંક, શુદ્ધ, ચિદાનંદઘન, ચેતન સ્વરૂપ, અનંત અવ્યાબાધ સુખ
સ્વરૂપ, અનલ આનંદના દિવ્ય ભંડારરવરૂપ આત્મસ્વરૂપમાં તમયતા, તદ્રુપતા, એક વ અને સ્થિરતા રૂપ મહાન સિદ્ધિનું ફળ પ્રાપ્ત થાય છે, અને ત્યારે જ આત્મઅનુભવ દ્વારા પરમાનંદનો આસ્વાદ મળે છે.
નમો અરિહંતાણું is the Master Key to enter
Page #142
--------------------------------------------------------------------------
________________
the boundless ocean of joy within our Divine: self. “નમો અરિહંતાણું” આપણા આત્મામાં રહેલા અમર્યાદ આનંદના મહાસાગરમાં પ્રવેશ કરવાનું પરમ દ્વાર છે, “નમે અરિહંતાણું” પરમતત્વના અનુભવ માટેનું મહાન સૂત્ર છે.
નમસ્કાર મહામંત્રની આરાધનાને વિષય સરળ પણ છે અને અતિગહન પણ છે. નમસ્કાર મંત્રના જાપની. સાધનામાંથી ધ્યાન દ્વારા નમસ્કાર મંત્ર આત્માના અનુભવ સુધી કેવી રીતે લઈ જાય છે તે આપણે જોયું. પિતાની ભૂમિકા અનુસાર સાધકે આગળ વધવા પ્રયત્ન કરો.
આ વિષયમાં વધુ જાણવાની જીજ્ઞાસાવાળા મુમુક્ષુ આત્માઓએ શ્રી નમસ્કાર મહામંત્રના પરમ સાધક અધ્યાત્મ યેગી પૂજ્ય પંન્યાસજી ભદ્રકવિજયજી મહારાજનું લખેલું સાહિત્ય ખાસ વાંચવું. આ મહાપુરૂષના સાનિધ્ય દરમ્યાન નમસ્કાર વિષયક જે તાત્ત્વિક વિચારશ્રેણિ પ્રાપ્ત થયેલી તે પણ “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર લેખક બાબુભાઈ કડીવાળા” પુસ્તક રૂપે બહાર પડેલ છે.
નમસ્કાર મંત્ર વિષયક કે વિશિષ્ટ વિચારણું આ પુસ્તકમાં કરવામાં આવી છે તેમાંના કેટલાક મુદ્દા નીચે
મુજબ છે.
નમરકાર મંત્રનું ધ્યાન પ્રયોગાત્મક અભ્યાસ
(૧) પ્રાથમિક ભૂમિકા –આસન અને મુદ્રા દિશા, માળા, સંખ્યા અને સમય આ વિષયમાં લક્ષ આપી નિયન મિત નમસ્કાર મંત્રનો જાપ કરો.
Page #143
--------------------------------------------------------------------------
________________
(૨) ધ્યાનાભ્યાસની રીત :—નવકારના અક્ષશ છાપેલુ કાર્ડ વાંચવું.
આંખ બંધ કરીને અક્ષરે જોવા પ્રયત્ન કરવા,
આંખ બંધ કરીને ‘નમા અરિહંતાણુ” એવા અક્ષરાજોવા માટે ચાંદીના ખાખામાં હીરા સેટ કરવા માનસિક પ્રયાગ કરવા. અષ્ટદલ કમલમાં નવકારના અક્ષરે જોવા પૂર્વક
જાપ અને ધ્યાન કરવું.
(૩) ધ્યાન અને સંવેદન :——
A પ્રણિધાન પૂર્વક ભાવના કરવી.
B મ’ત્રાક્ષરાને સફેદ ચળકતા જોવા અને તેમાં એકાગ્ર બનવું.
C મ`ત્રાક્ષના દ્વાર ખુઠ્ઠી જતાં તેમાંથી નીકળતા અમૃતના ફુવારામાં સ્નાન કરવું,
D મત્રાક્ષામાંથી નીકળતી અગ્નિજ્વાળામાં પાપ વૃત્તિઓનુ દહન,
E મંત્રાક્ષરીમાંથી વરસતા ગુણાના વરસાદમાં ઉત્તમ ગુણાથી ભરાઇ જવું'.
F મ'ત્રાક્ષાના દિવ્ય પ્રકાશમાં આત્મદર્શનની દિવ્ય પળાના અનુભવ કરવા.
(૪) નવકારની ધ્યાન સાધનના વિશિષ્ટ પ્રયાગા.
ધ્યા. પ્ર. ૭
Page #144
--------------------------------------------------------------------------
________________
૯૮
(i) ત્રણ ચાગ જોડવા પૂર્વક. (ii) ત્રણ કરણ સહિત.
(iii) દૃશ પ્રાણ જોડવા પૂર્વક.
(iv) સાત ધાતુ જોડાઈ જવા પૂર્વક.
(v) સાડા ત્રણ ક્રોડ રામરાજી વિકસ્વર થવા પૂર્વક. (vi) આત્માના અસંખ્ય પ્રદેશે નવકારમાં લીન થવા પૂર્વક.
(vii) યાનાભ્યાસ :-અરિહંત આકાર ઉપયાગ, ક્ષયાપશમ ભાવથી અ'શતઃ ખુલ્લા થયેલા જ્ઞાન દન ગુણુને પરમાત્મામાં જોડવા પૂર્વક.
(viii) ચારિત્ર ગુણને પરમાત્મામાં જોડવા પૂર્વક. ( પરમાત્મ સ્વરૂપમાં રમણુતા. )
(ix) ક્ષયાપશમ ભાવી અંશતઃ ખુલ્લી આત્મશક્તિનુ પરમાત્મામાં સ્થિર કરવા પૂર્વક
(x) ઉપયાગ આકાર આત્મા. જ્ઞાનાપયેાગ, દર્શનાર્યેાગ આત્મસ્વરૂપમાં લીન. (xi) આત્મ સ્વરૂપમાં રમણુતાનું ધ્યાન. આત્મ સ્વરૂપમાં વિયંસ્ફુરણા પૂર્ણાંકનું ધ્યાન. (xii) આત્મ સાક્ષાત્કારના દિવ્ય અનુભવ, નમસ્કાર મંત્રના ઉપકાર અને શક્તિઓનુ ચિંતન.
Page #145
--------------------------------------------------------------------------
________________
મગ નં૧૧:–
સાધનામાં આવતાં વિદનો શાંત કરવા માટેનો પ્રવેગ :
(૧) આઠ પાંખડીવાળા કમળની ચિંતવના કરવી. - (૨) કમળની કણિકામાં સૂર્યના તેજ સ્વરૂપ પિતાના આમાને સ્થાપન કરો.
(૩) આઠ પાંખડીઓમાં કમશઃ 3 નમે અરિહતાણું. - આ આઠ અક્ષરે સ્થાપન કરવા. આઠ દિવસ સુધી આ પ્રમાણે સ્થાપન કરી નીચે મુજબ વિધિ કરવી.
(૪) પ્રથમ દિવસે છ લખેલું છે તે પાંદડી તરફ લક્ષ રાખી છે નમે અરિહંતાણુંને ૧૧૦૦ વખત જાપ કર.
(૫) બીજા દિવસે જે લખેલું છે તે પાંખડી તરફ લક્ષ રાખી નમે અરિહંતાણને ૧૧૦૦ વખત જાપ કર.
(૬) તે પ્રમાણે આઠ દિવસ સુધી એક એક પાંખડી તરફ લક્ષ રાખી દરરોજ ૧૧૦૦ વખત જાપ કર.
(૭) ધ્યાન સ્થિર કરી મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની મહા મંગલકારી વિદન વિનાશક શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ધ્યાન પૂર્વક જાપ કરે.
(૮) આ ધ્યાન પૂર્વકના જાપથી સાધનામાં આવતા વિદને નાશ પામે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦૦
(૯) જાપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પર માત્મામાં દયાન સ્થિર રાખી જપ કર. જન્મ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની ઉપસ્થિતિ કાર્યસિદ્ધિનું પ્રધાન અંગ છે.
શ્રી નમસ્કાર મંત્રની અચિંત્ય શક્તિઓ Economically Effective-Shree NAMASKAR Maha Mantra. અર્થશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક શ્રી નમસ્કાર મહામંત્ર. Constitutionally Correct. . બંધારણની દૃષ્ટિએ શાશ્વત સત્ય. Politically perfect... રાજકીય દષ્ટિબિંદુમાં સર્વોત્કૃષ્ટતા. Mathematically Mature
ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ શ્રી નવકાર. Psychologically Sensitive.
માનસશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક. Astrologically Assured.
જ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ વાસ્તવિક સત્ય શ્રી નવકાર Geographically Genuine.
ભૌગોલિક દૃષ્ટિએ સર્વોચ્ચ-શ્રી નમસ્કાર મહામંત્રScience of Supremacy. આત્મવિજ્ઞાનને પ્રયોગ.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૧
Computor of Cosmic Communion Shree NAVKAR.
વિશ્વ સાથે સમત્વયાગ સાધવાની મહાન પ્રક્રિયા રૂપ શ્રી નવકાર.
Art of life – NAMASKAR.
-
નમસ્કાર એ જીવનની કળા છે.
Foundation of Faith-Shree Namaskar. શ્રદ્ધાના પાયે-શ્રી નમસ્કાર મહામંત્ર.
Fulfilment of Faith.
શ્રદ્ધાની સરવાણી-શ્રી નવકાર.
Creator of Charactership. ચારિત્રગુણના સર્જક-શ્રી નવકાર.
Produces of Peace. શાંતિપ્રદાયક-નમસ્કાર મહામત્ર,
International Prayer–Shree Navakat, સકલ વિશ્વને માન્ય મત્ર-શ્રી નવકાર.
Turning point from Sub-conscious to Super-conscious.
વિભાવમાંથી સ્વભાવમાં જવાની પ્રક્રિયા ‘નમા' પદમાં છે. Generator of Joy-Shree Namaskar Mantra. આનંદને ઉત્પાદક-નમસ્કાર મંત્ર.
Master Key to enter in to the boundless Ocean of Joy-within our Divine self. ‘મા અરિહંતાણ’-પરમાનમાં પ્રવેશનુ પરમઢાર
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૦૨
Direct Discipline towards Divinity. “ સર્વોત્તમ શિસ્ત ’–શ્રી નવકાર,
Divine Song of Soul-Shree NAVAKAR. આત્માનું દ્દિગ્ન્ય સંગીત-શ્રી નવકાર.
Direct dialling to Divinity.
પરમાત્મા સાથે સીધી વાતચીત કરવાની કળા નર્મદ અરિહંતાણુંમાં છે.
Hot line to Parmatma Shree NAVAKAR.
પરમાત્મા સાથેના જોડાણની પ્રક્રિયા સ્વરૂપ શ્રી નવકાર. Supramental Seminar of Supreme Authorities —Shree Navakar and Navpad.
વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓના ભડાર-નવકાર અને નવપદા.
Intellectually Appealing.
બુદ્ધિને સંતોષ આપનાર–શ્રી નવકાર.
Surrender to Supremacy-NAMASKAR MANTRA.
સર્વોચ્ચની શરણાગતિ-નમસ્કારમ`ત્ર.
End of Anxiety. ચિંતાચૂરક-શ્રી નવકાર.
Dissolution of Difficulties, દુ:ખવિનાશક શ્રી નવકાર.
Supermost Art and Secret of Cosmos.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૩
વિશ્વની સર્વોત્કૃષ્ટ કળા અને સિદ્ધિઓનું ગુપ્ત રહસ્ય નમસ્કાર ભાવમાં છે. A Key to Cosmic Secret~NAMASKAR. આત્માના ગુપ્ત ભંડારની ચાવી નમસ્કાર છે. “NAMO' is entering in to Abundant energy.
અચિંત્ય શક્તિના વિધાનનું પ્રવેશદ્વાર નમસ્કાર ભાવ છે. Higher Mathematics.
સર્વોચ્ચ ગણિત-શ્રી નવકાર. A Key to Radiant-Success-Shree Navkar.
જવલંત સફળતાની ચાવી-શ્રી નવકાર. Royal Road to Self-Realisation. આત્મસાક્ષાત્કારનો રાજમાર્ગ, Scientifically Secured-Shree NAVAKAR.
and NAVPAD. નવકાર અને નવપદે એ વિશ્વ ઉપરનું સ્વયં સિદ્ધ, સર્વોત્કૃષ્ટ મહાવિજ્ઞાન છે. Cosmic Dynamo of Sels-Realisation. આત્મસાક્ષાત્કારની અનુભવસિદ્ધ પ્રક્રિયા. Spirititually Supreme-Shree NAVAKAR. સર્વોત્તમ આધ્યાત્મિક શાસ્ત્ર-શ્રી નવકાર, Essence of Agam-Shree NAVAKAR.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪
ચૌદપૂર્વને સાર-શ્રી નવકાર.
આ મુદ્દાઓની વિસ્તૃત વિવેચન માટે આ પુસ્તક વાંચે “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર” લેખક બાબુભાઈ કડીવાળા.
પરિશિષ્ટ પરમેષ્ટિ વિદ્યાયંત્રકલ્પમાં બતાવેલ ધયાનમાં આવતા વિદનોને નાશ કરવાનો પ્રયોગ.
शाम्यन्ति जन्तवः क्षुद्रा व्यन्तरा ध्यानघातिनः । तद् वक्ष्येऽष्टदिकपत्रे गर्भ सूर्यमहः स्वकम् ॥ ४९ ॥ 'ॐ नमो अरिहंताणं' क्रमात् पूर्वादिपत्रगम् । રામેશ: ઘરાત ૦ | દાનાતરાયાઃ સાધ્યનિત મન્નચ0 vમાવતઃ | कार्य सप्रणवो भवेयः सिद्धये प्रणवं विना ॥ ५१ ॥
આઠ દિશારૂપ પત્રની મધ્ય (કર્ણિકા)માં સૂર્યના તેજ સ્વરૂપ પિતાને સ્થાપન કરો અને “ૐ નમો અરિહંતાણું” (એ મંત્રીને ક્રમશઃ પૂર્વ આદિ પ્રત્યેક દિશામાં તેમ જ વિદિશામાં સ્થાપન કરે અને તેને પ્રત્યેક દિશામાં એકેક દિવસે અગિયારસો વાર જાપ કરવો જોઈએ. આ મંત્રના પ્રભાવથી ધ્યાન કરતી વેળા આવતા અંતરાયે શમી જાય છે. (ઈહલૌકિક) કાર્ય માટે (સકામ ધ્યાન કરવું હોય તે') પ્રણવ-૩%” પૂર્વક ધ્યાન કરવું અને સિદ્ધિને માટે (નિષ્કામ ધ્યાન માટે) પ્રણવ' વિના તેનું ધ્યાન કરવું ૪૯-૫૧
Page #151
--------------------------------------------------------------------------
________________
જે ᏊᏯᏍ
ૐ હી અહુઁ નમ:
સાલઅન ધ્યાનના પ્રયાગા
પાઠ ત્રીજે
DDDDDDDDDDDD
પરમાત્માની સ્મૃતિનું ધ્યાન યાને રૂપસ્થ ધ્યાન
सकलाऽहत्प्रतिष्ठानमधिष्ठानं शिवश्रिथः । भूर्भुवः स्वत्रयीशान - मार्हन्त्यं प्रणिदध्महे ॥ १ ॥
नामाऽऽकृतिद्रव्यभावैः, पुनत त्रिजगज्जनम् । ક્ષેત્રે જાહે ૨ સર્વાશ્મ-ન્નત: સમુવાKÈ || ૨ ||
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચ'દ્રસૂરીશ્વરજી મહારાજા સકલા ત્ તેાત્ર ઉપરના શ્લોકોમાં ફરમાવે છે કે:
(૧) “સ અરિહંતામાં રહેલા મેાક્ષરૂપી લક્ષ્મીના કારણભૂત, પાતાળલેાક, મનુષ્યàાક અને દેવલાક એ ત્રણેના સ્વામી એવા અરિહતપણાનુ અમે ધ્યાન કરીએ છીએ.
(૨) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનિક્ષેપ વડે ત્રણ જગતના લાકને પવિત્ર કરનાર એવા, સક્ષેત્ર અને સવ કાળને વિષે અરિતાને અમે સારી રીતે સેવીએ છીએ.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૦૬
આન્ત્ય એક ત્રિભુવનવ્યાપી શક્તિ વિશેષ છે અને તેને આધીન વિશ્વચક્ર ચાલી રહ્યું છે. પ્રાણીમાત્રની આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું કાર્ય આહત્ત્વ પ્રદર્શિત ધર્મચક્રના આધારે અનાદિ અનંતકાળ પર્યંત સતત ચાલી રહ્યું છે. આન્ય સકલ અરિહંતામાં છે અને તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. અરિહંત પરમાત્માને સ્થાપના નિક્ષેપ એટલે પ્રતિમા (મૂર્તિ )નુ ધ્યાન, આ પ્રકરણમાં આપણે જોઇશુ તેને રૂપસ્થ ધ્યાન ચેાગશાસ્ત્રમાં કહ્યુ` છે.
જિનેશ્વરદેવની મૂતિ દ્વારા-અમૃત્ત એવા પરમાત્માના મૂર્ત સ્વરૂપનું દર્શીન થાય છે. તેથી મૂર્તિના માધ્યમ દ્વારા આરાધક આત્મા પરમાત્મ-તત્ત્વનુ' મીલન કરે છે. સર્વોત્તમ દ્રબ્યાથી પ્રભુની મૂર્તિની પૂજા કરે છે. ભગવાનના ત્રિભુવન તારક અદ્ભુત સ્વરૂપને દેખી નૃત્ય કરે છે. પરમાત્માના સ્તાત્ર–સ્તવન વિગેરે દ્વારા પરમાત્મા સાથે તન્મયતા સાધે છે. “જિન પ્રતિમા જિન સારિખી ' વિગેરે વચના દ્વારા શાસ્ત્રકાર મહર્ષિઓએ જિનેશ્વરની પ્રતિમાની પૂજાનું ફળ સાક્ષાત્ ભગવાનની પૂજા જેટલુ' જ ખતાળ્યુ છે. આત્માના શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપના અનુભવ કરવા માટે જિનભક્તિ સૌથી સરળ માર્ગ છે.
""
*
“ જૈના ઇશ્વરને સ્વીકારતા નથી” આવા આક્ષેપ અજાણ ન તરફથી થઇ રહ્યો છે. તેને સારામાં સારા રદીયા જૈનાના સ્તુતિ સ્તાત્ર સાહિત્ય વડે આપી શકાય છે. આ બે ગાથામાં પ્રાણીમાત્રની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના મૂળમાં અરિહંત પરમાત્મા છે, તે સ્પષ્ટ સમજાય છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૭
સકલ આગમ શાસ્ત્રોનુ અવગાહન કરીને મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ ફરમાવે છે કેઃ—
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती - बीजं, परमानंदसंपदाम् ॥
શ્રુતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારના સાર મેં પ્રાપ્ત કર્યો છે કે પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ-માક્ષ લક્ષ્મીનુ ખીજ છે.
दर्शनात् दूरितध्वंसी, वंदनात् वांछितप्रदः पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥
જિનેશ્વર ભગવંત કલ્પવૃક્ષની જેમ ફળ આપનારા છે. સાધક જ્યારે દર્શન, પૂજન, વંદન. દ્વારા પરમાત્મા સાથેના નિકટના સખધમાં આવે છે, પાતાના મન-વચનકાયાના ચાગાને પ્રભુ ભક્તિમાં ભાવાલ્લાસ પૂર્વક પ્રવર્તાવે છે, ત્યારે સર્વ સ'પત્તિએ અને સિદ્ધિઓ તેના હાથમાં આવીને વસે છે અને આત્માના પરમાનંદના ભાક્તા મને છે. God is my instand constant abundant supply of every Potent Good. પરમાત્માનું દર્શન અને ધ્યાન ( ભૂમિકા પહેલી) પ્રભુ દરિશન સુખ સ’પદ્મા, પ્રભુ દરિશન નવનિધ; પ્રભુ દરિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ દન. દેવદેવસ્ચ, દર્શન, પાપ નાશન; દર્શન સ્વગ સેાપાન, દર્શન...માક્ષ સાધન
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જીવની બે શક્તિ છે દશન અને જ્ઞાન. આ બન્ને જ્યારે પ્રયોગમાં હોય ત્યારે તેને દર્શન ઉપગ, જ્ઞાન ઉપયોગ કહેવાય છે. દર્શન સામાન્યને ગ્રહણ કરે છે તેથી વિકલ્પ રહિત હોય છે. જ્ઞાન વિશેષને ગ્રહણ કરે છે તેથી વિકલ્પ સહિત હોય છે. પ્રાગ નં. ૧૨ દશનમાં ધ્યાન :–
પરમાત્માના મંદિરમાં જઈ પ્રભુ મૂર્તિ આગળ, અગર સામે પરમાત્માનું ચિત્ર અગર પટ રાખીને દર્શન કરવું. દર્શન ખુલ્લાં નેત્રથી કરવું. તે વખતે કાંઈ પણ વિચારવાનું નથી. મનને પણ દર્શનમાં રેકવાનું છે. ઘેડીક મિનિટ અનિમિષ નેત્રે (પિપરું હલાવ્યા સિવાય) પરમાત્માની સામે જોઈ રહેવું. દર્શન કરવું, માત્ર દર્શન જ કરવું બીજું કાંઈ નહિ. થોડી ક્ષણમાં મન શાન્ત થઈ જશે. આનંદનો અનુભવ થશે. જયારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે વિચાર શાન્ત હોય છે. જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે દર્શન બંધ થઈ જાય છે. આ પ્રયોગ પાંચથી પંદર મિનિટ સુધી નિયમિત કરવાથી મન શાન્ત થશે. આનંદ અનુભવાશે. દષ્ટિની શુદ્ધિ થશે. પ્રયેાગ નં. ૧૩ ધ્યાનમાં દર્શન –
આંખ બંધ કરીને સામે હતા તેવા જ ભગવાન જેવા પ્રયત્ન કરો. થોડા દિવસમાં બંધ આંખે તેવા જ ભગવાન દેખાવા શરૂ થશે.
Page #155
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦
પ્રયોગ નંબર (૧૨)માં દર્શનમાં સ્થાન છે. દર્શન સિવાય બીજી કઈ પણ વસ્તુમાં ધ્યાન ન હોય તેવું દર્શન અદ્દભુત આનંદની અનુભૂતિ કરાવે છે. હવે પગ નંબર (૧૩)માં ધ્યાનમાં દર્શન છે. બીજા ધ્યાન પ્રયોગમાં ધ્યાનમાં દશન વારંવાર આવે છે તે માટે આ પ્રાગનો અભ્યાસ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાનો છે. આંખ બંધ કરીને પર માત્માનાં દર્શન કરવાને અભ્યાસ કર. પરમાત્મા આંખ બંધ કરીને કદાચ ઝાંખા દેખાય, ન દેખાય તે પણ ભગવાન સામે છે જ તે સંકલ્પ રાખો. ધીમે ધીમે આંખ બંધ કરીને હાલતા-ચાલતા બોલતા ભગવાન દેખાવા માંડશે. આંખ બંધ કરીને ભગવાન દેખાય ત્યારે દશનમાં ચૈતન્ય જાગૃત થાય છે.
ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા “પ્રતિમાશતક' નામના ગ્રંથમાં લખે છે –
नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव स्फुरति । हृदयमिवाऽनुप्रविशति, मधुरालापमिवाऽनुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते; तेन च सर्वकल्याणसिद्धिः, तत्कथं निक्षेपत्रयादरं विना भावनिक्षेपादरः ? भावोल्लासस्य तदधीनत्वता ।। | ભાવાનુવાદ : નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ હદયમાં સ્થિર થવાથી ભગવાન જાણે સાક્ષાત્ સામે દેખાય છે, જાણે હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે, મધુરાલાપથી જાણે આપણે સાથે બેલી રહ્યા છે, જાણે આખા શરીરમાં ભગવાન
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૧૦
વ્યાપી ગયા હય, જાણે તન્મય ભાવને પામ્યા હોય તેવું અનુભવાય છે તેથી સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે. માટે ત્રણ નિક્ષેપના આદરથી જ ભાવ નિક્ષેપને આદર થઈ શકે છે, અને ભાલ્લાસ વધે છે.
મહાપુરુષોએ આ રીતે પરમાત્માને ચારે નિક્ષેપે હૃદયમાં સ્થિર કરવા અને તે દ્વારા થતા વિશિષ્ટ અનુભને જીવનમાં અનુભવવા ઉપદેશ આપેલ છે. ઉપરના શાસ્ત્રવચનો સાક્ષી પૂરે છે કે ભગવાન આપણું હૃદયમાં પ્રવેશે છે, આપણી સાથે મધુર વાર્તાલાપ કરે છે, આખા શરીરમાં વ્યાપી જાય છે. આ અમૃત અનુભવ કરવો તે જ માનવજીવનનું લક્ષ્ય છે.
ધીમે ધીમે આપણને પણ આ જ અનુભવ થશે. દર્શન પ્રયોગ નં. ૧૨ અને પ્રયોગ નં. ૧૩ નિયમિત ચાલુ રાખવાથી જરૂર આવે અનુભવ થશે.
ઉપાધ્યાયજી યશવિજયજી મહારાજા ભરૂચ બંદરે સાધના કરવા માટે ગયા. અઠ્ઠમ તપ કર્યો. દેવાધિદેવ મુનિસુવ્રત સ્વામી ભગવાનના મંદિરમાં ત્રણ દિવસ આરાધના કરી. છેલ્લા દિવસે અનુભવ થયો. તેમનું સ્તવન બનાવ્યું.
આજ સફળ દિન મુજ તણે, મુનિસુવ્રત દીઠા; ભાંગી તે ભાવઠ ભવ તણી, દિવસ દુરિતના નીઠા; આંગણે કહ૫વેલી ફળી, ઘન અમીયન વુડયા આ૫ માગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિત તુઠા.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૧
નિયતિ હિતદાન સન્મુખ હુએ, સ્વપુણ્યાય સાથે, જશ કહે સાહેબે મુતિનું, કરિયું તિલક નિજ હાથે, આજે મારા દિવસ સફળ થયા, આજે મને પ્રભુનુ દૃન થયું. આજે ભવની ભાવઠ ભાંગી ગઈ. દુઃખના દિવસેા હવે પૂરા થયા. ઘણા વખતની પરમાત્મ-દૃર્શનની મારી ઇચ્છા પૂરી થઈ. આજે મારે આંગણે કલ્પવેલી ફળી. આજ મારા આંગણામાં અમૃતના વરસાદ થયા. પ્રયાગ ન. ૧૪:
પરમાત્માની પૂજાના પ્રયાગ પૂજામાં ધ્યાન” ( ભૂમિકા મીજી.)
જિનમંદિરમાં પૂજા નિત્ય નિયમિત સ્વદ્રવ્યથી કરવી. તેમાં કદી પ્રમાદ ન કરવા. પૂજાની દરેક પ્રક્રિયામાં ધ્યાન છે. થાડાક ભાવા નીચે મુજબ કરવાથી અદ્ભૂત ભાવ ઉત્પન્ન થશે. આજે કરવાથી આજે જ દિવ્ય અનુભવ થશે.
અભિષેક પૂજા :—દૂધથી ભરેલા કળશથી પ્રભુજીને અભિષેક કરતાં મસ્તક ઉપરથી દૂધની ધારા કરવી. તે જાણે કરૂણાની ધારાએ પ્રભુના અંગોને સ્પર્શીને સમગ્ર પૃથ્વીને પાવન કરે છે તેવા ભાવ કરવા.
જળ કળશથી અભિષેક પ્રભુજીના જમણા ચરણના અંગુઠે આપણુ` સસ્ત્ર ભગવાનને સમર્પિત કરતા હાઇએ તેવા ભાવ સાથે કરવા.
કેસર ચ'નૢનથી પૂજા એ આપણી જાત ભગવાનને
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સમં ણુ કરવાનુ` માધ્યમ છે. જે આંગળીથી ભગવાનની પૂજા કરીએ છીએ તે આંગળીને કેસરમાં રાખી સકલ્પ કરવા કે, મને આ જીવનમાં જે કાંઈ મન, વચન, કાયા, ધન આદ્ધિ મળ્યાં છે તે સવ આ કેસર રૂપી માધ્યમ દ્વારા હું પરમાત્માને સમર્પણુ કરૂં છું. તે કેસરવાળી આંગળી પ્રભુના ચરણના અ`ગુઠા ઉપર ૧૫-૨૦ સેકન્ડ સુધી રાખી આ સમર્પણુના ભાવ કરવા. થેાડી સેકન્ડમાં જ પરમાત્મામાંથી શક્તિના પ્રવાહ નિકળી આપણા અંદર તે આંગળી દ્વારા જ પ્રવેશ કરવા શરૂ થાય છે તેવા અનુભવ થશે.
પુષ્પ પૂજાઃ— -એક સુદર અખંડ પુષ્પ અને હાથ વડે લઈ ભાવના કરવી. “ હે કરૂણાનિધાન પરમાત્મા ! આ પુષ્પ મારા હૃદયના ભાવાનું પ્રતીક છે. એ કુલ નથી પરંતુ મારૂં સર્વાંસ્વ છે. આ પુષ્પરૂપી પ્રતીક દ્વારા માર્` સસ્વ હું આપના ચરણમાં સમર્પિત કરૂ છું. આવા ભાવથી ભાવિત અની પુષ્પ પ્રભુના ચરણે સમર્પિત કરીશું ત્યારે ફાઈ અલૌકિક ભાવ આવશે. આ રીતે અષ્ટ પ્રકારી પૂજા ઉત્તમ સામગ્રી વડે ઉત્કૃષ્ટ ભાવપૂર્વક કરવી. ઉપયાગ પૂજા વખતે ભગવાનમાં જ રાખવા. તે પછી હવે બતાવવામાં આવે છે તે ધ્યાનમાં પૂજા ” કરવી. પ્રયાગ નં. ૧૫:
}
પરમાત્માની પૂજાનો પ્રયાગ “ધ્યાનમાં પૂજા મનથી જગતની સર્વોત્તમ સામગ્રી વડે પૂજા કરવી. સિદ્ધગિરિ ઉપર આદેશ્વર ભગવાનની અગર શ ંખેશ્વર
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૩
જઈ પાર્શ્વનાથ દાદાની અગર જે અનુકૂળ પડે તે પરમાત્માની પ્રતિમાની કલ્પનાથી સર્વોત્તમ દ્રવ્યેાથી પૂજા કરવી.
દા. ત. સિદ્ધગિરિ ઉપર યુગાદિ આદેશ્વર દાદાની પૂજા કરવા માટે સિદ્ધગિરિ ઉપર દાદાના મદિરે કલ્પનાથી પહોંચ્યા છીએ.
દાદાના મંદિરમાં પ્રવેશ કરતાં પરમાત્માનું દર્શન કરી પાવન થઈએ છીએ.
પૂર્ણાનંદમય મહાયમય, કૈવલ્યચિર્દમય રૂપાતીતમય સ્વરૂપરમણું, સ્વાભાવિકી શ્રીમય’ જ્ઞાનેઘોતમય· કૃપારસમય, સ્યાદ્વાદ વિદ્યાલય શ્રી સિદ્ધાચલ તી રાજમનિશ, વન્દેવ્ડમાદીશ્વર
આ પ્રમાણે સ્તુતિ કરી અતિ વીર્યાદાસ, આનંદ, સભ્રમપૂર્વક ભગવાનના ગર્ભગૃહમાં પ્રવેશ કરી પૂજામાં ટ્વીન ખનવું
પૂજાની સામગ્રી કલ્પનાથી ભેગી કરવી. ( આપણે અત્યારે ત્રણ જગતનાં અધિપતિ છીએ. આપણી ઇચ્છા મુજબ સ સામગ્રી હાજર થાય છે તેવા ભાવ કરવા.)
(૧) સાનાના, હીરાના, મણી, માણેકના કળશે. (૨) માગધ, વરદામ આદિ તીર્થોના જળ.
(૩) દેવદુષ્ય વજ્રના બનાવેલા અંગવસ્ત્ર.
(૪) મલયાચલ પર્વત ઉપર રહેલા ચંદનના વૃક્ષના
જ્યા. પ્ર. ૮
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ચંદન રસથી ભરેલા સુવર્ણના રત્નજડીત કટેરા, કેસર કસ્તુરી, બરાસ આદિથી મિશ્રિત વિલેપન.
(૫) નંદનવનના પુષ્પ. (૬) હીરા, માણેક, મોતી આદિ અંગરચના માટે.
(૭) સુવર્ણના રત્નજડિત ધૂપધાનામાં સુગંધી ભરપૂર કુણાગરૂ ધૂપ.
(૮) રત્નમણિના દીપક. (૯) મોતીના અક્ષત. (૧૦) સર્વોત્તમ પ્રકારના ટ્રસ પૂર્ણ નિવેદ્ય. (૧૧) કલ્પવૃક્ષના ફળ. (૧૨) રત્નની આરતી અને મંગળ દીપક. (૧૩) રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચામર.
સર્વોત્તમ સામગ્રી કલ્પનાથી એકઠી કરી, તેનાથી હવે માનસિક પૂજા શરૂ કરવી.
આ પ્રયોગ નં. ૧૪માં બતાવ્યા પ્રમાણે જળ પૂજાથી પુષ્પ પૂજા સુધી સર્વોત્તમ સામગ્રીથી પૂજા કલ્પનાથી કરવી. જાણે સાક્ષાત કરતા હોઈએ તેવા ભાવથી ભાવિત બનવું. પુષ્પ પૂજા સાથે હીરા, માણેક, મેતી આદિથી અંગ રચના કરી ચારે તરફ ફુલ બેઠવવા. ચારે તરફ ફુલની દિવ્ય સુગંધ આવી રહી છે.
સુવર્ણના રત્નજડિત ધૂપધાનામાં કૃષ્ણાગર વગેરે સર્વોત્તમ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧૫
સુગંધિ ધૂપ વડે પૂજા કરવી. ધૂપધાનામાં ધૂપ બળે છે તે ખરેખર ધૂપ નથી બળતે પણ આપણું પાપ બળે છે તે અનુભવ કર. આરતી મંગળ દી કર.
કરૂણાના સાગર પરમાત્માને કેવળજ્ઞાન થયું, તે સમયે જગતમાં મહાન ઉદ્યત થયે. તે ઉદ્યોતના પ્રતીક રૂપે પરમાત્માની આગળ પ્રગટ કરવામાં આવેલ આ દીપક અમારા અજ્ઞાન અંધકારને નાશ કરીને અમને મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને આપનારે બને છે તેવા ભાવોથી સભર બનવું.
અક્ષત પૂજા અક્ષય એવા આત્મસ્વરૂપને આપે છે તેવા ભાવથી ભાવિત બનવું. ષટ્રસ ભેજનના થાળ પ્રભુજીની આગળ ધરાવી અણુહારી મેક્ષપદની ભાવના કરવી. કલ્પવૃક્ષના ફળથી પ્રભુજીની પૂજા કરવી.
“કલ્પતરૂના ફળ લાવીને જે જીનવર પૂજે, કાળ અનાદિ કર્મ તે સંચિત સત્તાથી ધ્રુજે.” ફળ પૂજા વીતરાગની રે, કરતાં પાપ પલાય સલુણે.” આવા ભાવથી ભાવિત બનવું.
સુવર્ણના રત્નજડિત ચારે બંને હાથમાં લઈ નૃત્ય કરવું. તે વખતે શરીરનું પણ ભાન ભુલાઈ જાય છે. આ પ્રમાણે કલ્પનાથી પણ જાણે સાક્ષાત્ દેવાધિદેવની પૂજા કરતા હોઈએ તેવા ભાવથી પૂજા કરવી.
નોંધ :–કેઈએ એવું ન સમજવું કે કલ્પનાથી
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પૂજા કરીશુ તે ચાલશે. મદિરમાં જઈ ને અષ્ટપ્રકારી પૂજાની શું જરૂર ? એટલા માટે જ અહીં પૂજામાં ધ્યાન પ્રયાગ નં. ૧૪માં પ્રથમ બતાવ્યું. આપણી યથાશક્તિ સામગ્રીથી પૂજા કરવી. હવે વધુ સર્વોત્તમ સામગ્રીથી પૂજા કરવી છ તે। આ પ્રયાગ ન. ૧૫માં ખતાવ્યા પ્રમાણે કલ્પનાથી ઉત્તમ સામગ્રીથી પૂજા કરવી.
દ્રવ્ય પૂજા અદ્ભૂત ફળાને આપે છે તે પ્રચલિત છે, તેથી વિસ્તારના ભયે અહીં લખ્યું નથી. અન્યત્ર ગ્રંથામાંથી જોઈ લેવુ'. અધ્યાત્મ યાગી પૂજય પંન્યાસ પ્રવર ભદ્ર કરવિજયજી મહારાજનાં જીનભક્તિ અને પ્રતિમા પૂજન આ બન્ને પુસ્તકો આ વિષયમાં ખાસ વાંચવા જેવા છે.
જૈન શાસનમાં તે સામુદાયિક માટી પૂજા જેવી કે અષ્ટોત્તરી સ્નાત્ર, શાંતિ સ્નાત્ર, સિદ્ધચક્ર પૂજન, અદ્ મહાપૂજન આદિ અનેક માટી પૂજાએ થાય છે. સર્વોત્તમ દ્રવ્યેા લાવીને આવી માટી પૂજા શા માટે કરવામાં આવે છે તે બાબતમાં મહાપાધ્યાય યશે.વિજયજી મહારાજાના પ્રતિમાશતક નામના ગ્રંથમાં ફરમાવે છે.
पूजापूजकपूज्य सङ्गतगुणध्यानावधानक्षणे । मैत्री सत्त्वगुणेष्वनेन विधिना भव्यः सुखीस्तादिति । वैर व्याधि विरोध मत्सर मद, क्रोधैश्च नोपप्लवस्तत्को नाम गुणो न दोषदलनो, द्रव्यस्तवोप्रक्रमे ॥ ३३॥ नानासङघसमागमात्सुकृत वत्स द्गन्धहस्तिव्रज । स्वस्तिप्रश्नपरंपरापरिचयादप्यद्भूतोद्भावना ||
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૭ विणावेणुमृदङ्गसङ्गमचमत्काराच्च नृत्योत्सवे स्फाराहदगुणलीनताभिनयनाद् भेदभ्रमप्लावना ॥३॥
(તમારાત) આ સામુદાયિક સંઘ મળીને કરે છે તે મેટી પૂજામાં-પૂજા, પૂજક અને પૂજ્ય. દષ્ટા, દશ્ય અને દગ. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય—એ ત્રણેની એકતા સધાય છે. આ રીતે ધ્યાતા આપણે આત્મા છે, ધ્યેય પરમાત્મા છે, અને પૂજા દ્વારા ધ્યાન પ્રક્રિયા ચાલે છે તે સમયે ધ્યાતાનું ચેતન્ય ધ્યેયમાં નિષ્ટ થઈ જાય છે ત્યારે ધ્યાતાના હૃદયમાં સકલ ભવ્ય લોક સુખી થાઓ તે મિત્રીભાવ ઉત્પન્ન થાય છે. આજ સુધી ધ્યાતા એટલે આપણું હૃદયમાં “મને સુખ મળે અને મારું દુઃખ ટળ” એટલો જ ભાવ હતે પરંતુ પ્રાણીમાત્રના કલ્યાણ ભાવની પરાકાષ્ઠાએ પહોંચેલા અરિહંત પરમાત્માની પૂજા અને ધ્યાન દ્વારા આપણું હૃદયમાં
સકલ ભવ્ય લેક સુખી થાઓ” તે મિત્રી ભાવ ઉત્પન્ન થાય છે. - વૈર, વિરોધ, મદ, મત્સર આદિ દેશે આ પૂજા દ્વારા શાંત થઈ જાય છે. કયો એવો દેશ છે કે આ પૂજા દ્વારા શાંત થતો ન હોય? અર્થાત પરમાત્માની મોટી પૂજા અને તે દ્વારા થતું પરમાત્માનું ધ્યાન અને તે દ્વારા થતી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાથી સર્વ પ્રયજન સિદ્ધ થાય છે.
પરમાત્માની આવી મેટી પૂજામાં જુદા જુદા સ્થળેથી સંઘ આવે છે અને તે એકઠા થયેલાં સંઘના પુણ્યાત્માઓ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૧૮
એક બીજાને પરિચય સાધે છે. તે વખતે અદ્દભુત ભાવ ઉત્પન્ન થાય છે. વીણું, વેણું, મૃદંગ આદિની સાથે ગીત નૃત્ય અને વાજીંત્રના નાદ સાથે પરમાત્માના ગુણગાન ગવાય છે. તે વખતે બધાનું મન પરમાત્માના ગુણોના વિષે લીનતા પામે છે. “મે અમ દઢાવના" તે વખતે ભેદને ભ્રમ ભાંગીને ભુક્કો થઈ જાય છે. પરમાત્મા અને આપણા આત્મા વચ્ચેના ભેદને ભ્રમ ભાંગી જાય છે. એકતા સધાય છે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે –
આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સવ પ્રયજન સિદ્ધ થવાનું કારણ એ છે કે આ શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમાપ્તિ થાય છે.
આવી મેટી પૂજા અને તેમાં થતું પરમાત્માનું સામુ દાયિક ધ્યાન કેટલું અદભૂત છે તે આ શ્લેકેના મર્મ જાણ્યા પછી પૂજા દ્વારા થતું ધ્યાન આપણા જીવનનું મહત્વનું અંગ બની જાય છે.
જેમ માણસ રમવા બેઠે હોય અને મા પાસે પડે અને કાર્ય સિદ્ધ થઈ જાય છે, તે રીતે આજ મારી પરમાત્મદર્શનની ઝંખના પૂરી થઈ, સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયાં. સમ્યગ્દષ્ટિ દેવે પણ તુષ્ટમાન થયા. પાંચ કારણ અનુકૂળ થઈ ગયાં. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. આ પાંચ કારણ મળે ત્યારે કાર્ય થાય છે પરંતુ એ પાંચે
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૯
કારણ ઉપર આધિપત્ય કાનુ છે ? મહાપુરુષ કહે છે કે કાળ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળાં તારાં દાસા રે; મુખ્ય હેતુ તું માક્ષના, એ મુજને સખળ વિશ્વાસા રે.
આ પાંચ કારણા ઉપર નિમિત્તરૂપે બલવત્તરતા અરિહંત પરમાત્માની છે. જે મનુષ્યનું મન અરિહંત પરમાત્માની સાથે તદાકાર ઉપયેાગે પરિણમે, તેને પાંચે કારણેા આધીન બની જાય છે અને પાંચે કારણા અનુકૂળ બનવાથી આજે પરમાત્મા મારી પાસે આવ્યા. અને મારા કપાળમાં મુક્તિનું તિલક કરી ગયા. મહાપુરુષોએ આવુ અનુભવ્યુ છે. જીવનમાં આપણે પણ પરમાત્માને મેળવવાના સ’કલ્પ કરીએ છીએ, તેા પરમાત્મા આપણને પણ અવશ્ય મળે.
જશ કહે સાહેબે ગતિનું', કરીયુ તિલકનિજ હાથે” પરમાત્માએ મુક્તિનું તિલક પેાતાના હાથે કર્યું છે.
ભગવાનની મૂર્તિને જે મનુષ્ય પથ્થર માને છે તેને પથ્થર જેટલું જ ફળ મળે છે. પ્રભુની મૂર્તિને જે મનુષ્ય મૂર્તિ માને છે તેને તે સાક્ષાત્ સતિના હેતુ અને છે. અને પ્રભુનો મૂર્તિને જે સાક્ષાત્ પરમાત્મા માને છે તેને તે પરમાત્મા કલ્પવૃક્ષની જેમ જીવનમાં ફળે છે. ફળના આધાર વસ્તુ પ્રત્યે આપણા હૃદયમાં કેવા ભાવ રહેા છે તેના ઉપર આધારિત છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
( ભૂમિકા ત્રીજી )
આ પ્રમાણે પૂજા કર્યા પછી ચૈત્યવંદન કરવું અને પરમાત્માના સ્તવનમાં ધ્યાન કરવુ.
પ્રયાગ નં. ૧૬ :
www
૧૨૦
એકાદ સ્તવન આપણે જોઈ એ. સ્તવન અને ધ્યાન.
( સ્તવનમાં ધ્યાન. )
ગિરૂઆરે ગુણુ તુમ તણા, શ્રી વર્ધમાન જીતરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, માહરી નિર્મળ થાયે કાયા રે.
હે કરુણા નિધાન પરમાત્મા ! હું અનત ગુણના પ્રભુ ! આપના ગુણા અનંત છે. આપના ગુણ્ણાગિરિવર જેટલા છે. પરમાત્માના ગુણેાને હિમાલય પર્યંત જેવા માટા પહાડ છે. ૮ વમાન ” એટલે વધતુ છે માનપ્રમાણ જેનુ' એટલે અનતા અનંત ગુણ છે પ્રભુના, તેના પ્રતીકરૂપે આપણી સામે હિમાલય જેવડા પ્રભુના ગુણના ઢગલા છે તેવુ દૃશ્ય આપણે જોઇએ છીએ. પરમાત્માના ગુણાના સમૂહને જોતાં આપણે અદ્ભુત આન'માં આવી ગયા છીએ. આપણા રામે રામ વિકસ્વર થઈ ગયાં છે.
તુમ ગુણ ગણુ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ ધાઉ' રે; અવર ન ધેા આદરૂ, નિશદિન તારા ગુણ ગાઉં રે.
પરમાત્માના ગુણુ રૂપી હિમાલય ઉપરથી ગગાનદીના ધોધ પડે છે. પ્રભુના તે ગુણુ ગગાના ધોધ આપણા ઉપર પડે છે. ( તેવું દૃશ્ય આપણે જોઈ એ છીએ.)................
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૧
પ્રભુના ગુણુ ગંગાજળમાં આપણે સ્નાન કરીએ છીએ. ( આવુ. સંવેદન કરવું'................
ગુણુ ગંગાજળમાં સ્નાન કરવાથી આપણે નિર્મળ પવિત્ર બનીએ છીએ..................આવું સ ́વેદન કરવું, )
પ્રભુના ગુણુ ગંગાજળને ધેાધ આપણા ઉપર પડે છે તેમાં સ્નાન કરી આપણે પવિત્ર બનીએ છીએ. (આવું પાંચ દશ મિનિટ સુધી અનુભવવુ,)...........
........
પરમાત્માનું ગુણુ ગંગાજળ આપણા મસ્તકમાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે............(આવુ' દૃશ્ય જોવુ')
આપણું આખું શરીર પરમાત્માના ગુણાથી ભરાય છે તેવુ અનુભવવુ.........(થેાડી ક્ષણ આવા અનુભવ કરવા) આપણે ઉત્તમ ગુણેાથી ભરાઈ ગયા તેવા સ‘કલ્પ કરવે..........
ઉત્તમ ગુણૢાથી ભરાઇ જતાં આપણી નિર્મળતા વધવા લાગી. પવિત્રતા વધવા લાગી. રામાંચ અને આન’દના અનુભવ થવા લાગ્યા.
પરમાત્માના ગુણુ ગંગાજળમાં સ્નાન કરી આપણે આનંદથી ભરાઈ ગયા.....(આવા ભાવાપૂર્ણાંક ધ્યાન કરવુ.) ઝીલ્યા જે ગંગાજળે તે, છીલ્લર જળનવ પેસે રે; જે માલતી ફુલે માહીયા, તે બાવલ જઈ નવ એસે રે.
ગી
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પરમાત્માના ગુણ ગંગાજળમાં પવિત્ર બની આનંદ અનુભવ્યું. હવે ખાચિયાના જળમાં કેણ સ્નાન કરે ? સંસારના વિષય રસને કેણ સેવે ? પાંચે ઈન્દ્રિયોના વિષ
ના રસ કરતાં અધિક રસ આજે પરમાત્માનું ધ્યાન કરતાં આવ્યા, હવે તુચ્છ રસમાં કોણ જાય ! માલતીનું કુલ મળ્યા પછી બાવળીએ જઈને કેણ બેસે ? જગતના પદાર્થોમાં સુખ અને આનંદ આપણે જીવ શેતે હવે, પણ તેમાં સુખ કે આનંદ હતે નહી. છતાં સુખ અને આનંદ છે તેમ સમજી દોડતું હતું, પરંતુ આજે પ્રત્યક્ષ પરમાત્માના ધ્યાનને આનંદ આવ્યું, હવે જગતના રસ ફિક્કા પડી ગયા. જશ પ્રભુ ધ્યાયે મહારસ પાયો, અવર રસે નવિ રાચું; અંતરંગ ફર દરિસન તેરે, તુજ ગુણ રસ સંગ માચું.
પરમાત્માની ભક્તિ, નમસ્કાર, ઉપાસના, દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સ્મરણાદિ દ્વારા પરમ રસને અનુભવ થાય છે. ઈન્દ્રિયેના અને કષાયના રસ કરતાં અનેકગણે ચડિયાતે પરમાત્મ-સ્વરૂપને સાનુભવ થાય ત્યારે, જગતના સર્વ રસ નીરસ બની જાય છે.
ખરી રીતે તે પાંચ ઈન્દ્રિયોના અને કષાયના રસે તે રસ નથી, પણ આભાસ માત્ર છે. છતાં અનાદિ મિથ્યા મેહના કારણે જીવને વિષયકષાયમાં રસ પડે છે અને તે રસ કરતાં અતિ ઉચ્ચ કોટીને પરમાત્મ-ધ્યાનને રસ પ્રાપ્ત થાય છે ત્યારે તુચ્છ રસો નાશ પામી જાય છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩
ઉપાધ્યાયજી શ્રી અશેવિજયજી મહારાજ ઉપર્યુક્ત પંક્તિમાં કહે છે કે પ્રભુ, તારા ધ્યાનને મહારસ આજે પીધો. હવે બીજા રસ ફિક્કા પડી ગયા. અંતરંગમાં તારા સ્વરૂપનું દર્શન મળ્યું, હવે તારા સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. તું જ મારું સર્વસ્વ છે, તું જ મારું સ્વરૂપ છે.
આ પ્રમાણે પરમાત્મ-સ્વરૂપને ઉપલક્ષણથી આત્મસ્વરૂપના-પરમાનંદનો રસાસ્વાદ ચાખ્યા પછી જ જગતના બધારામાંથી સાધકનું મન ઊઠી જાય છે. તું ગતિ, તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધાર રે.
હે કરૂણાનિધાન પ્રભુ ! તું જ મારું સર્વસ્વ છે. તું જ માતા, પિતા, નેતા, બંધુ, પ્રાણ આધાર છે. તારા આનંબને જ મારૂં શુદ્ધ ચિતન્ય પ્રગટ થાય છે. તું જ મારે જીવન આધાર છે. મારો આતમા તુજ થકી નિપજે,
માહરી સંપદા સયલ મુજ સંપજે; તેણે મન મંદિરે ધમ પ્રભુ ધ્યાઈએ,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. મારા અંદર, આત્મામાં અનંત સુખ અને આનંદનું નિધાન છે. અને તે નિધાનની પ્રાપ્તિ પરમાત્માના આલબને જ થાય છે. માટે નિરંતર પરમાત્માનું સ્મરણ-ધ્યાન કરવું. એ જ સિદ્ધિના પરમ સુખની પ્રાપ્તિને ઉપાય છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આ રીતે સ્તવનમાં ધ્યાન કરી શકાય. પછી સ્તવન આપણું માટે ફક્ત ગાવાની વસ્તુ નહી પણું અનુભવવાની વસ્તુ બની રહેશે. અને સ્તવનોમાં રહેલા ભાવનો અનુભવ થતો જશે તેમ પરમાત્માના ગુણગાન દ્વારા પરમાત્માનું ધ્યાન અને પરમાત્માના ધ્યાન દ્વારા આત્મ અનુભવ સુધી પહોંચવાનાં દ્વાર ખુલતાં જશે.
આ વિષયક બીજા સ્તવનની કડીઓ વિચારી તે મુજબ ધ્યાન કરીએ. જૈન દર્શનની વિશિષ્ટ કોટિની આધ્યાત્મિક
સ્તવન પદ્ધતિ A wonderful Arr of Spiritual Prayer in Jainism :
આપણું પૂર્વાચાર્યોએ આત્મ-સાક્ષાત્કારની દિવ્ય પ્રક્રિયાથી ભરપૂર પરમાત્માનાં સ્તવનેની રચના કરી, જૈન શાસનમાં મહાન ઉપકારક કાર્ય કર્યું છે. મહાપુરુષોએ આત્મસ્વરૂપના અનુભવની કળા સ્તવને દ્વારા સકળ સંઘમાં વ્યાપક બનાવી છે. જેમ કે – “જે હવે મુજ શક્તિ ઈસી,
સવી જીવ કરું શાસન રસી, શુચિ રસ ઢલતે તિહાં બાંધતા,
તીર્થકર નામ નિકાચતા.”
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૫
સ
પ્રભુ સ્નાત્ર મહોત્સવની આ પક્તિએ લાખા કરાડા વખત શ્રી સંઘમાં ગવાઈ ગયા પછી તીર્થંકર નામ કના ઉપાર્જનના હેતુ ‘સવી જીવ કરું શાસન રસી ’ની ભાવના છે, તે આપણુ` બાળક પણ જાણે છે. જગતના જાના કલ્યાણ ભાવની પરાકાષ્ટાએ પહેાંચેલા છે તે આપણા ભગવાન છે, એ તત્ત્વ સર્વ સામાન્ય સૌને યાદ રહે તેવી વસ્તુ અની ગઈ છે. જૈન સંઘમાં આજે પણ હુજારા આત્માએ આ ૫ક્તિ આન દિવસેાર બનીને ગાય છે. પ્રભુ-ભક્તિના સ્તવનમાં આત્માનુભવ ભરેલા છે તે જરા ઊંડાણમાં જતાં જ ખ્યાલ આવે છે.
મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજના એક રતવન ઉપર થોડી વિચારણા કરીએ.
સ્વામી તુમે કાંઈ કામણ કીધું,
ચિત્તડુ' અમારુ ચારી લીધું. અમે પણ તુમશું કામણ કરશું,
ભકતે ગ્રહી મન ઘરમાં ધરશું; સાહિમા વાસુપૂજ્ય જિષ્ણુ દા.
માહના વાસુપૂજ્ય જિષ્ણુ દા.
હે કરુણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્ય રસના ભંડાર, અરિહંત પરમાત્મા ! તમારા અદ્ભુત સ્વરૂપે અમારા ઉપર કામણ કર્યુ છે. તમારી લેાકેાત્તર ઉપકારકતા, તમારી અનંત કરુણામય અમૃતઝરતી દૃષ્ટિ અમે નિગેાદમાં રહેતા ત્યારથી જ એટલે કે અન`તકાળથી
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૨૬
તમારી અમને તારવાની વિશ્વકલ્યાણકારી ભાવનાએ અર્થાત્ આપના આવા મહાન ગુણાએ અમારું ચિત્ત ચેારી લીધું છે.
હે પ્રભુ ! તમે છેલ્લાથી ત્રીજા ભવે સમ્યક્ દનની અસાધારણ નિર્મળ કક્ષાએ પહોંચ્યા ત્યારે અનંત દુઃખમાં સખડતા જગતના અનતા જીવા પ્રત્યેના આપના હૃદયમાં કરુણાભાવ પરાકાષ્ટાએ પહેાંયેા હતે.
66
“ અહા ! આ વિશ્વમા જિનેશ્વર ભગવ'તનું અનંત કલ્યાણકારી શાસન વિદ્યમાન હોવા છતાં, મિથ્યાત્વ આદિ માહાંધકારના કારણે જગતના જીવાત દુઃખી થઈ રહ્યા છે. જો મને કોઈ એવી શક્તિ પ્રાપ્ત થઈ જાય તા જગતના સર્વ જીવાને જીન શાસનની આરાધના કરાવવા – દ્વારા નિસગથી જ્યાં અનંત સુખ છે એવા – માક્ષની પ્રાપ્તિ કરાવનાર અનુ', આ ભાવનાની સર્વોચ્ચ કક્ષાએ (Climax) પહોંચીને, આપે તીથકર નામકર્મ નિકાચિત કર્યુ”, વચ્ચે એક ભવ કરી, પૃથ્વી તળ ઉપર આપે જગતના ઉદ્ધાર માટે સર્વસ્વના ત્યાગ કર્યો. જગતના ઉદ્ધાર માટે અનિવાર્ય એવુ તીર્થ સ્થાપવા માટે જરૂરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપે ઉપસર્ગો અને પરિષહા સહન કરી ક્ષેપકશ્રેણી માંડી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને વિશ્વ ઉદ્ધારક એવું તીર્થ સ્થાપ્યું. અતિશયે અને પ્રાતિહાર્યથી યુક્ત એવા આપે સમવસરણમાં એસી, પાંત્રીસ ગુણાથી યુક્ત, ચેાજનગામિની, સ આનંદદાયિની સર્વ પાપપ્રણાશિની, માહિતિમવિનાશિની, કલ્યાણપર પરાવની, માહવિનિવારિણી, કમ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૭
કષ્ટદાહિની, ભવસંતાપહારિણી, સકલસ’જીવની, જીવનજ્યાતિપ્રકાશિની અનંત કલ્યાણકારિણી, માલકાષરાગમયી, એવી દિવ્ય દેશના આપી.
આપની આવી ઉપકાર સ‘પદા જાણી અમે એવા નિશ્ચય કર્યો છે કે, વિશ્વમાં સૌથી વધારે નિટના સ્નેહી સ્વજન અમારા માટે તમે એક જ છે. તેથી હવે અમારુ' મન તમારા સિવાય બીજે કયાંય લાગતુ નથી.
વળી આપનુ` મૂળ સ્વરૂપ-આત્માનુ દિબ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ, આપનુ` કેવળજ્ઞાન, આત્માનું અનંત શક્તિયુક્ત ગુણુમય સ્વરૂપ, શુદ્ધ ચિદાનધન ચેતન સ્વરૂપ દેખી, હવે અમે એવા વિચાર કર્યો છે કે અમે પણ ભક્તિનુ કામણુ કરીને આપને અમારા મનરૂપી ઘરમાં સદા રાખીશું. અમારા મનમાં એવી ભક્તિ ધારણ કરીશું, કે તમે ક્ષણુ પણ ત્યાંથી ખસી ન શકે. અમારા સ્મરણપટ ઉપર તમને સદા ધારણ કરી રાખીશુ અને આપને બિરાજમાન કરીને અમારા મનમદિરને આપના ગુણાથી વાસિત કરીને દિવ્ય રીતે શણગારીશું.
66
મન ઘરમાં ધરીયા ઘર શાભા, દેખત નિત્ય રહેશે। થિર થાભા; મન વૈકુઠ અકુતિ ભકતે, ાગી ભાખે અનુભવ યુકતે. '
""
અકુતિ ભક્તિ દ્વારા એટલે અમારા ઉપયોગને *ઠિત થવા દીધા સિવાય, એટલે અરિહંત આકાર ઉપ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ગના સતત પ્રયોગ દ્વારા અમે આપની એવી ભક્તિ કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે ઉપયોગને આપના સ્વરૂપમાં જોડવા દ્વારા જે રીતે પરમાત્મ-સ્વરૂપને અનુભવ કર્યો તે રીતે અમે પણ અનુભવ કરીશું. ફલેશેવાસિત મન સંસાર
ફલેશ રહિત મન તે ભવપાર; ફલેશેવાસિત મન એટલે અશુદ્ધ ઉપગ, કર્મકૃત વસ્તુઓ અને બનાવમાં સુખ-દુખનો અનુભવ કરતું અમારું મન, તેમજ રાગદ્વેષ રૂપે પરિણમેલું અમારું મન તે જ સંસાર છે.
કર્મફળનું ભકતૃત્વ (સુખ-દુઃખ) અને રાગદ્વેષનું કતૃત્વ – આ બંને અશુદ્ધ ઉપગનાં કારણો છે. તે બંને છેડીને ઉપયોગ જ્યારે પરમાત્મા આકારે પરિણમે છે, ત્યારે જ ભવસાગરને અંત આવે છે.
(“લેશ રહિત મન તે ભવપાર ) જે વિશુદ્ધ મન ઘર તમે આયા. પ્રભુ તે અમે નવનિધિ ઋદ્ધિ પાયા.”
પરમાત્મ-ઉપગમાં જ્યારે આપણે સ્થિર બનીએ છીએ, એટલે કર્મ ફળનું કુતૃત્વ અને રાગદ્વેષનું કર્તવ રૂપ અશુદ્ધ ભાવ છેડીને આપણા ઉપયોગને પરમાત્મા આકારે (ઉ૫લક્ષણથી આત્મા આકારે) પરિણુમાવીને તેમાં
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૯
સ્થિર બનીએ છીએ ત્યારે કેવળજ્ઞાન આદિ નવ ક્ષાયિક લબ્ધિએ રૂપ નવ નિધાનની પ્રાપ્તિ થાય છે.
“ ધ્યાતા ધ્યેય ધ્યાન સવિ એકે, ભેદ છેદ કરશુ હવે ટેકે;
ખીર નીર પરે તુમશુ' મીલક્ષુ', વાચક જશ કહે હેજે હળળ્યુ.”
ધ્યાતા આપણા આત્મા છે, ધ્યેય પરમાત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે.
જે સમયે ધ્યાતાનુ ચૈતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ જાય છે, ધ્યાતાના ઉપયાગ ધ્યેયાકાર રૂપે પરિણમે છે, ધ્યાતા જ્યારે ધ્યેયમાં તદાકાર રૂપે તન્મય-તદ્રુપ બને છે, ત્યારે ધ્યાતા અને ધ્યેય વચ્ચેના ભેદના છેદ્ય થઈ, ધ્યાતા પાતે જ આગમથી ભાવ નિક્ષેપે પરમાત્મ-રૂપ થાય છે.
જેવી રીતે દૂધમાં સાકર નાખીએ છીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે. તે રીતે ખીર-નીર પેઠે તુમશુ' મીલશુ. એટલે હું વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા! આપના આવા અભેદ મિલન દ્વારા અમે પણે હેજે હલશું એટલે પરમાન દુના અનુભવ કરીશું, અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિએ આપનુ અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપના અનુભવની પ્રક્રિયા છે.
ધ્યા. પ્ર. ૯
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આવા આત્મ-અનુભવની પ્રકિયા, આપણું મહાપુરુષોએ રચેલાં પ્રભુસ્તુતિ-સ્તવમાં વારંવાર આપણે જોઈએ છીએ. અનુભવરસનું અમૃત મહાપુરુષોએ ચાખ્યું છે, અને અથ આત્માઓને અનુભવ અમૃત ચખાડવા તવનમાં તેને માર્ગ બતાવ્યો છે, તેના ચેડાં ઉદાહરણ આપણે જોઈએ ?
પૂ. ઉપા. શ્રી માનવિજયજી મ. રચિત અજિતનાથ ભગવાનનું સ્તવન “અજિત જિનેશ્વર ચરણની સેવા, હેવાએ હું હળીએ; કહીએ અણચાખ્યો પણ અનુભવ, રસને ટાણે મળીયે. તું અનુભવ રસ દેવા સમરથ, હું પણ અરથી તેહને, પ્રભુની મહેરે તે રસ ચાખે, અંતરંગ સુખ પામ્યા.”
અનુભવ–અમૃતનું પાન કરવા માટે પરમાત્મા એ જ પુષ્ટ નિમિત્ત છે, આપણે ચૈતન્યને પરમાત્મ-સ્વરૂપ અનુયાયી બનાવીએ તે જ અનુભવ-અમૃત મળે તેમ છે.
શ્રી ચિદાનંદજી મહારાજ નેમનાથ ભગવાનના સ્તવનમાં પણ કહે છે.
“પણ તુમ દરિશન ચોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હે સહુ કમ વિનાશ.”
પરમાત્મદર્શન એ જ આત્માનુભવને પ્રકાશ પ્રાપ્ત કરવાની કળા છે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૧
મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ પણ એ જ વસ્તુ બતાવે છે. તુજ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહીએ,
ઈમ મિલવું પણ સુલભ જ કહીએ; માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળીઓ એકતાને.
(અભિનંદન જિન સ્તવન) વિમલ વિમલ મિલી રહ્યા, ભેદભાવ રહ્યો નહીં માનવિજય ઉવજઝાયને, અનુભવ સુખ થયે ત્યાંહી.
પૂર્વાચાર્યોએ અનુભવ-રસ ચાખે છે અને તે રસ ચખાડવા આપણને પરમાત્મભક્તિ–ધ્યાન આદિનો દિવ્ય માર્ગ બતાવ્યો છે,
પરમ પૂજ્ય જ્ઞાનવિમલસૂરિજી કૃત સુમતિનાથ ભગવાનના સ્તવનમાં: તુજ સ્વરૂપ જબ ધ્યાવે, તબ આતમ અનુભવ પાવે; જે અનુભવ રૂપ જોવે, તે મોહ તિમિરને વે.
અનાદિના મોહનીય કર્મના સંસ્કારોને મૂળમાંથી નષ્ટ કરવા માટે પરમાત્મધ્યાન દિવ્ય ઉપાય છે. કાયા કષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરે રે, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણે રે.
(ઉ. યશવિજયજીકૃત અરનાથ ભગવાનનું સ્તવન) જિનશાસનમાં સ્તવને, પૂજાએ આદિ દ્વારા મહા
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પુરુષાએ આત્માનુભવની ગંભીર પ્રક્રિયાને સરળતાપૂર્વક ખતાની આપણા જેવા બાળજીવા ઉપર મહાઉપકાર કર્યો છે. ‘સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભકતે અમ મનમાંહે પેઠા.’
99
આપણા મૂળ સ્તવનની આ પક્તિમાં અદ્દભુત ભાવ છે, ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી માક્ષમાં ગયા; વર્તમાન ભરતક્ષેત્રમાં વિહરમાન તીર્થંકર કાઈ હાજર નથી, આપણે ગમે તેટલી પ્રાર્થના કરીએ તે આપણી પ્રાર્થના કાણુ સાંભળશે ? મેાક્ષમાં ગયેલ ભગવાન આવે કેવી રીતે અને આપણું યાગ-ક્ષેમ થાય શી રીતે ? મહાપુરુષા કહે છે ભગવાન ભલે ગમે તેટલા દૂર હાય પણ અમારા હૃદયમાં જ્યારે સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાત્મા અમારા મનમદિરમાં હાજર છે, પૂર્વાચાર્યાંની આવી અદ્ભુત સ્તવન-પદ્ધતિ જોઈ આપણું હૃદય આનંદથી નાચી ઊઠે છે. અહાભાવનુ' આશ્ચર્ય ઉત્પન્ન થાય છે.
સ્તવન અને ધ્યાન એ વિષયમાં સ્તત્રન કરતી વખતે ગાવા તરફ જ લક્ષને આપવાનું છે. વળી સુમધુર કંઠે ભાવવાહી ગાવું તે તા ઘણું જ ઉપયાગી છે. પણ સ્તવન ગાવા ઉપરાંત તેના શબ્દોમાં કહેલા ભાવાથી ભાવિત બની તેમાં લખેલા ભાવાના અનુભવ કરવા તે મહત્ત્વનું છે.
શાન્તિ જીનેશ્વર સાચા સાહી, શાન્તિકરણ ઇન કલીમે હા જીનજી
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૩
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
ધ્યાન ધરૂં પલપલમેં સાહીબજી. તું મેરા મનમેં, તું મેરા દિલમેં”
આ ભાવથી ભાવવિભોર બની પરમાત્મા આપણા મન અને શરીરમાં વ્યાપી જતા હોય તેવું અનુભવવું અને આપણા મન અને શરીરમાં વ્યાપી ગયેલા પરમાત્માના ધ્યાનમાં આપણે લીન બની જઈએ તેવી સ્થિતિમાં પ્રવેશ કરવો.”
એક બીજું દૃષ્ટાંત જોઈ એ. પગ ને. ૧૭ “અમૃતક્રિયા
દુશ્મન રાજાએ ઉજજૈની નગરીની ચારે તરફ માટે ઘેરે નાખે છે. ઉજજેની નગરીના દરવાજા રાજાએ બંધ કરી દીધા છે. આખું નગર ભયગ્રસ્ત બની ગયું છે. દુશ્મનનું સેન્ટ જોઈ સૌ કોઈ ચિંતાતુર બની ગયા છે. ઉજજૈની નગરીમાં જ શ્રીપાલના માતાજી કમલપ્રભા અને મયણાસુંદરી રહેલાં છે.
માતા કમલપ્રભા પુત્રવધૂ મયણાસુંદરીને કહે છે :“હે પુત્રી કેઈ બળવાન દુમન રાજાના સૈન્ય આપણા નગરને ઘેરો ઘાલ્યો છે. આખું નગર અત્યારે ભયગ્રસ્ત બની ગયું છે. સર્વત્ર એક જ વાત ચાલે છે, દુશ્મન રાજાનું સન્ય ઘણું મોટું છે. આપણું ઉપર મહાન આપત્તિ આવી છે. નગરજનેનું શું થશે ? વળી હે પુત્રી ! તારો,
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રિયતમ પરદેશ ગયો છે. તેને ઘણા દીવસ વીતી ગયા છે. તેને આવવાનો વાયદે પણ પૂરે થઈ ગયા છે પણ હજુ આવેલ નથી. આપણે નગરજનોનું શું થશે તેની ચિંતાથી હું બહુ દુઃખી છુ.”
તે વખતે મયણાં કહે છે –
માયણ રે બોલે મ કર બેદ, મ ધરે ભય મનમાં પરચકનો જી. “હે માતાજી! જરા પણ ખેદ ન કરશે. દુશ્મન રાજાનો ભય જરા પણ મનમાં ધારણ કરશે મા.”
નવપદ ધ્યાને રે પાપ પલાય, દુરિત ન ચાલે છે ગ્રહ વકને જી. નવપદના ધ્યાનના પ્રભાવથી સઘળાંએ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ગમે તેવા બળવાન દુશ્મન હોય, તેની શક્તિ પણ નવપદની પાસે ક્ષીણ થઈ જાય છે.
વળી મયણાસુંદરી કહે છે: “મનુષ્યના માથે સાત પ્રકારના ભય નિરંતર ઝઝુમી રહ્યા છે. દુશ્મનને ભય, જંગલી પશુઓને ભય, વ્યાધિને ભય, મૃત્યુને ભય, જેલખાનાને ભય, આજીવિકાને ભય, આબરૂને ભય. આ સાતે પ્રકારના ભય આપણે સર્વના ઉપર રહેલા છે, પરંતુ આ સાતે પ્રકારના ભય
જાય રે જપતાં નવપદ જાપ, લહે રે સંપત્તિ ઈહભવ પરભવે છે.
આ સાતે પ્રકારના ભય નવપદને જાપ જપતાં એટલે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૫
કે પરમાત્મા હ્રદય મંદિરમાં આવતાં જ તત્કાળ નાશ પામી જાય છે અને સ‘પત્તિઓ, સિદ્ધિઓ અને લક્ષ્મીએ નવપદ્મના આરાધકોની પાસે આવીને વસે છે.
મયણાસુંદરીના કહેવાના ભાવાર્થ એ છે કે, દુન્યવી મુશ્કેલીઓમાં મનુષ્યને હેરાન કરવાની જેટલી શક્તિ છે, તેના કરતાં અન’તગુણી શક્તિ પરમાત્માની ભક્તિમાં તે મુશ્કેલીઓ દૂર કરવાની છે. પરમાત્મા મનમદિરમાં આવતાં શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તેથી અશુભ કમ શુભમાં સક્રમણ થઈ જાય છે, અશુભને સ્થિતિ અને રસ ઘટી જાય છે, શુભમાં સ્થિતિ અને રસ વધી જાય છે, વગેરે કારણેાથી જિનભક્તિમાં અંતરાયને તેાડવાની અદ્દભૂત શક્તિ છે. માટે માતાજી! જરાપણ ચિંતા ન કરશેા.
જૈન મહાભારતના એક પ્રસંગ આપણને અહીં ખૂબ ઉપયાગી છે.
પાંચ પાંડવા, દ્રૌપદી અને કુંતામાતાજીએ ઘણી ઘણી યાતના ભાગવી છે. દુઃખના અંત હજુ પણ આવતા નથી. જંગલમાં રહેલાં છે તે વખતે એક વિદ્યાધર મુનિરાજ પધારે છે, 'તામાતા મુનિરાજને પૂછે છે, “હવે દુઃખના અંત કથારે આવશે ? મારા પુત્રા અને દ્રૌપદીનુ દુઃખ મારાથી હવે સહન થતું નથી.”
મુનિરાજ કહે છે – “ હુવે પછીના આઠ દિવસ હુ પશુ ભયંકર દુઃખ તમારા ઉપર આવી રહ્યું છે.”
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૩૬
કુંતામાતાના કહેવાથી તે મુનિરાજ દુઃખમાંથી છૂટવાના ઉપાય બતાવે છે.
મુનિરાજે બતાવેલા ઉપાય મુજબ સાતે જણા આઠ દિવસના ઉપવાસ કરે છે અને પરમાત્મા અરિહંત દેવનાં સ્મરણ અને ધ્યાનમાં આઠ દિવસ લીન થઈ જાય છે.
ખીજી તરફ દુર્યોધનની છાવણીમાં હવે દુર્યોધન ખૂબ અકળાઇ ગયા છે. બધા પ્રયત્ના અજમાવી જોયા, પણ પાંડવા દરેકમાંથી ખચી જાય છે. હવે ગમે તે રીતે પાંડવેાના માથાં નીચે પડવા જોઇએ. સર્વ ઉપાયા શેાધે છે, સવને પૂછે છે. એક ઉપાય પાંડવાને મારી નાંખવાને મળ્યા. એક રાક્ષસીને સાધવાની છે. તે રાક્ષસી પાંડવાનુ મૃત્યુ કરાવી શકશે. રાક્ષસીને સાધી પાંડવાના પ્રાણ લેવા માટે માકલી છે, તે વખતે જ કુંતામાતાને વિદ્યાધર મુનિ મળે છે. અને આઠ દિવસના ઉપવાસ કરી પાચ પાંડવે, દ્રૌપદી અને કુંતામાતા પરમાત્માના ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. રાક્ષસી પ્રાણ લેવા આવી, પણ તપ અને ધ્યાનના પ્રભાવથી કઈ કરી શકતી નથી. થાકીને આઠમા દિવસે પાછી ચાલી ગઇ. અહીં નવમા દિવસે સવારે પારણા માટે તૈયારી કરી છે. તે વખતે વિદ્યાધર મુનિરાજ પધારે છે. તેમને વહેારાવે છે. ધ્રુવા પાંચ ઢીબ્યની વૃષ્ટિ કરે છે, મુનિરાજ કહે છે, “ દુર્યોધને માકલેલી રાક્ષસી તમારા પ્રાણ લેવા આવી પણ તમારા ધર્મના પ્રભાવથી તેનુ કાંઇ ચાલ્યું નથી. હવે સકના સમય તમારા માટે પૂરા થયા છે.”
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૭
આ દષ્ટાંતથી આપણને સમજાશે કે, જિનભક્તિમાં અંતરાયને તેડવાની કેવી અજોડ શક્તિ છે !
Fear is the faith in evils. ovladi zufolge પદાર્થોની શ્રદ્ધામાંથી ભયનું સર્જન થાય છે. કેટલાંક ગામનાં નામ એવા હોય છે દા. ત. ગેઝારીયા, લાંઘણજ, સાયલા, મરોલી વગેરે એ ગામ કોઈ માણસ સવારે જતા હોય અને કઈ પૂછે કે, કયા ગામ જાઓ છે ? તે કહેશે કે, ભગતના ગામ જાઉં છું. સ્ટેશન ઉપર જાઉં છું. પણ તે ગામનું નામ કઈ લેશે નહિ. કારણ કે તે ગામનું નામ લઈશું તો દિવસ ખરાબ જશે. મમ્મણ શેઠનું નામ લઈશું તે ખાવા નહિ મળે, તેમાં માણસને શ્રદ્ધા છે. મમ્મણ શેઠના નામમાં ખાવા ન મળે તેવી શક્તિ છે તે પ્રભુ મહાવીરના નામમાં કાંઈ શક્તિ છે કે નહિ? ગૌતમ ગણધરના નામમાં કોઈ શક્તિ છે કે નહિ? આ બાબત આપણે કદી વિચારી નથી. “પ્રભુ નામે આનંદ કંદ” “ગૌતમ નામે નવે નિધાન” એ જીવનમાં અનુભવવાની વસ્તુ છે.
Where there is faith in God, Fear has no power.
આપણી શ્રદ્ધા જ્યારે પરમાત્મા, નવપદ, સિદ્ધચક, આપણે આત્મા વગેરે ઉપર કેન્દ્રિત થાય છે તે વખતે સર્વ ભય તત્કાલ નાશ પામી જાય છે.
Where there is God, there is only Good. જ્યાં પરમાત્મા હોય ત્યાં બધું સારું જ હોય છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૩૮
Fear nothing but lack of faith in God. પરમાત્મામાં શ્રદ્ધાને અભાવ એનું જ નામ ભય છે.
આખા નગરના લોકો દુશ્મનમાં કેટલી શક્તિ છે તેને વિચાર કરતા હતા તેથી તે ભયગ્રસ્ત બની ગયા છે. મયણ પરમાત્મામાં કેટલી અચિંત્ય શક્તિ છે તેનો વિચાર કરતી હતી તેથી એક મયણા જ આખા નગરમાં નિર્ભય છે. જે વસ્તુનો માણસ નિરંતર પિતાના મનમાં વિચાર કરતો હોય છે તે વસ્તુ તેના જીવનમાં અવશ્ય ફળદાયી થાય છે. ખરાબ વિચાર કરે છે તેને ખરાબ રૂપે તે ફળે છે. સારા વિચારો કરે છે તેને સારા રૂપે ફળે છે. જે જિનેશ્વર ભગવંતના નિરંતર વિચાર કરે છે તેના જીવનમાં પરમાત્મા કલ્પવૃક્ષની જેમ ફળદાયી બને છે. તે માટે શ્રીપાળ અને મયણાનું પ્રત્યક્ષ દષ્ટાંત આપણે જોઈ રહ્યા છીએ.
મયણાએ કહ્યું, નવપદના પ્રભાવથી સર્વ ભયો નાશ પામી જાય છે. ત્યારે માતા પૂછે છે “પુત્રી ! નવપદને આવે અચિંત્ય પ્રભાવ છે, તેનું તારી પાસે પ્રમાણ શું છે ? ત્યારે મયણું કહે છે –
બીજા રે જે કેણ પ્રમાણે, અનુભવ જાગ્યો મુજને એ વાતને છે; હુઓ રે પૂજાને અનુપમભાવ.
આજ રે સંધ્યાએ જગતાતને છે.”
માતાજી! શાસ્ત્રમાં તે નવપદના પ્રભાવનું વર્ણન અનેક સ્થળોએ આવે છે. પરંતુ મને પોતાને જ એ વાતને
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૮
આજે અનુભવ થયો છે. આજ સંધ્યાકાળે હું ભગવાનના મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. સંધ્યાકાળે પરમાત્માનાં આરતી મંગળ દી અને ધૂપ પૂજા કરતાં મારા હૃદયમાં એવા અદ્દભુત ભાવ ઉત્પન્ન થયા કે જેના પ્રભાવથી આપણું સવ ભયે આજે જ નાશ પામી જવા જોઈએ.”
માતા પૂછે છે, “હે મારી વહાલી પુત્રવધૂ! તને પૂજામાં કે અનુપમ ભાવ આવ્યો ત્યારે મયણા કહે છે-“આજે મને અમૃતક્રિયાને પરિણામ મારા હૃદયમાં ઉત્પન્ન થયે છે.” અમૃતકિયાના સાત લક્ષણે મયણુંસુંદરી અહી બતાવે છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે આ સાત લક્ષણે યુક્ત ભગવાનની પૂજા અગર ધર્મનું કઈ પણ અનુષ્ઠાન જે થઈ જાય છે તો આજના કરેલા ધર્મના ફળ માટે આવતા ભવ સુધી નહીં પરંતુ આવતી કાલ સુધી પણ રાહ જોવાની જરૂર નથી. “અમૃતક્રિયા સિદ્ધિરૂપ, તુત ફળે છે-તિહાં નથી આંતરાજી” આજના કરેલા ધર્મનું ફળ આજે જ પ્રાપ્ત થાય છે.
અમૃતકિયાના સાત લક્ષણે મયણાસુંદરી બતાવે છે. આપણે પણ પરમાત્માની ભક્તિ આવા અમૃતકિયાના લક્ષણે ચુક્ત કરવાની છે. ધ્યાનપૂર્વક આ લક્ષણે આપણે સૌએ હદયમાં ધારણ કરવાના છે.
પ્રથમ લક્ષણ તદ્દગતચિત્ત, જે વખતે જે ક્રિયા ચાલતી હોય તેમાં મન, વચન, કાયાના પેગેની સ્થિરતા.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૪૦
બીજું લક્ષણ -સમયવિધાન. સમય એટલે શાસ્ત્રમાં જિનેશ્વર ભગવંતોએ જે ક્રિયા જે વિધિ મુજબ જે સમયે કરવાની કહી છે તે કિયા તે વિધિ મુજબ તે સમયે કરવામાં આવે તે સમયવિધાન.
ત્રીજું લક્ષણ-ભવને ભય. જન્મા તરેડપિ તવ પાદયુગ ન દેવ! મન્ય મયા મહિતમીહિત-દાનદક્ષમ; તેને જન્મનિ મુનીશ! પરાભવાનાં, જાત નિકેતનમહ મથિતા-શયાનામ.
(કલ્યાણમંદિર સ્તોત્ર ગાથા ૩૬) મનુષ્ય જયારે અણુચિંતવી મુશકેલીમાં ફસાઈ જાય છે ત્યારે તેના હૃદયમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
મારા આશયનું મથન કરી નાખે તેવી ઉપાધિઓથી હું શા માટે ઘેરાઈ રહ્યો છું ! મારા મર્મસ્થાનને ભેદી નાખે તેવાં દુખે શા માટે મને ઘેરી રહ્યાં છે? હું ધારું છું કાંઈ અને એના કરતાં વિપરીત પ્રકારના બનાવો શા માટે મારા જીવનમાં બની રહ્યાં છે ?”
પૂજ્ય સિદ્ધસેન દિવાકરસુરીશ્વરજી મહારાજા આ પ્રશ્નોને ઉકેલ કલ્યાણમંદિર સ્તોત્રમાં બતાવી રહ્યા છે. “જન્માંતરેડપિ તવ પાદયુગન દેવ,મન્ય મયા મહિત મીહિત-દાનદક્ષમ, હે સકલ મનવાંછિત પૂર્ણ કરવાને સમર્થ એવા જિનેશ્વર ભગવંત! હે કલપવૃક્ષ ચિંતામણિ અને કામધેન કરતાં પણ અધિક ફળદાતા પરમાત્મા !
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૩
આપના ચરણકમળને પૂર્વ જન્મમાં ભાવપૂર્વક કદી પણ મે' સેવ્યા નથી. નહી. તે આ ભવમાં મારી આવી હાલત કદી હાઈ શકે નહીં.
આકિણ તાડાપે મહતાપ નિરોક્ષિતાઽષિ, નૂત ન ચૈતસિ મયા વિદ્યુતાડિસ ભા, જાતાઽસ્મ તેન જનબાન્ધવ! દુઃખ-પાત્ર, યસ્માક્રિયાઃ પ્રતિફલન્તિ ન ભાવશૂન્યાઃ !
હે કરૂણાના સાગર, કૃપાના અવતાર, પરમાત્મા ! પૂર્વજન્મમાં મેં આપને સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે, આપનું દર્શન પણ કર્યું... છે, પરંતુ આપને ભાવપૂર્વક હૃદયમાં મેં કદી ધારણ કર્યા નથી. તેથી જ આ ભવમાં હુ દુ:ખનુ ભાજન બન્યા છું. અને આ જન્મમાં પણ જે મે આપને ભાવપૂર્વક હૃદયમાં ધારણ ન કર્યા તે! ભવચક્રમાં મારા શેાધ્યા ટુકડા પણ હાથ નહીં આવે. અનંતકાળ દુર્ગતિના ફેરા સિવાય મારી કોઈ ગતિ નથી. આ છે ભવને ભય.
જેવી રીતે કાંટાથી કાંટાનું નિવારણ થાય છે, ઝેરથી ઝેરના નાશ કરાય છે, તેવી રીતે ભયથી ભયના નાશ થાય છે. સાત પ્રકારના ભયનુ નિવારણ કરવા માટે મહાપુરૂષોએ આઠમા ભય બતાવ્યા તે ભવભ્રમણના ભય છે. સાત પ્રકારના ભય આપણી વર્તમાન નાનકડી જિંગી સબધીના છે. આઠમા-ભવભ્રમણને ભય અનંતકાળના આપણા ભાવી સંબધના છે. અન`તકાળના આપણા ભાવી
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સબંધી વિચાર ઉત્પન્ન થતાં વર્તમાન જીવનની પાંચપચ્ચીસ વરસની નાનકડી જિંદગી સંબધીના ભય આપણા મનમાંથી નીકળી જાય છે. ભવભ્રમણના ભય તે અમૃતક્રિયાનુ' ત્રીજું લક્ષણ થયું.
ચાથું લક્ષણ છે ભાવની વૃદ્ધિ. ભવભ્રમણના ભય ઉત્પન્ન થતાં જ ભવભ્રમણના ભયનુ નિવારણુ કરનારા એકમાત્ર અરિહ ́ત પરમાત્મા જ છે. તે આપણું સર્વસ્વ બની જાય છે. પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન અને આજ્ઞાપાલન કરતી વખતે ભાવેહ્વાસ વધી જાય તેને ભાવની વૃદ્ધિ કહેવાય છે. હે કરૂણાસાગર પરમાત્મા ! આપનું દર્શન, પૂજન, ધ્યાન કરતાં આજે હું આપની કરૂણાને પાત્ર બન્યા, આજે મારાં સવ દુઃખ દૌર્ભાગ્ય નાશ પામી ગયાં, આજે સવ ચિ'તાએ ચૂણ થઈ ગઈ, આજે સર્વ ભય નાશ પામી ગયા, આજે સર્વ પાપો દૂર થઈ ગયાં. આજે મહાન મહાયને હું પામ્યા, આજે મને સુખશાન્તિ અને આનંદના અનુભવ થયેા, આજે મારા સ મનારથ પૂર્ણ થઈ ગયા, આજે આત્માનાં પ્રદેશે પ્રદેશે અમૃત વડે હું છંટાયેા, આજે મારા આત્માના ઇતિહાસની સુવર્ણમય પળ પ્રાપ્ત થઈ, આજે મને કલ્પવૃક્ષ કામધેનુ અને ચિતાર્માણની પ્રાપ્તિ થઈ.
આ રીતે ક્ષણે ક્ષણે આત્મામાં ભાવાલ્લાસ વધતા જતા હોય, તે છે “ ભાવની વૃદ્ધિ” રૂપ અમૃતક્રિયાનું ચાથું લક્ષણ,
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૩
પાંચમું લક્ષણ “વિસ્મય” એટલે આશ્ચર્ય.
આંધળા મનુષ્યને ચક્ષુની પ્રાપ્તિ થાય, દરિદ્રી માણે સને ધનના પંજની પ્રાપ્તિ થાય ત્યારે જેવું આશ્ચર્ય થાય તેવું આશ્ચર્ય પરમાત્માનાં દર્શન વખતે થાય તે અમૃતક્રિયાનું પાંચમું લક્ષણ છે.
છઠું લક્ષણ પુલક એટલે રોમાંચ.
પરમાત્માના ગુણે, પરમાત્માની આપણને તારવાની અચિંત્ય શક્તિ, પરમાત્માનું સ્વરૂપ, તેનું ચિંતન કરતાં રેમરાજી વિકવર થઈ જાય તે રોમાંચ, અમૃતક્રિયાનું છઠું લક્ષણ છે.
સાતમું લક્ષણ પ્રમોદ એટલે આનંદ.
પરમાત્માનું પૂજન ધ્યાન વગેરે કરતી વખતે આનંદથી હૃદય ભરાઈ જાય. જેવું પરત્માનું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ સત્તાએ આપણું પિતાના અંદર રહેલું છે તે આત્મ સ્વરૂપને પરમાત્માનું દર્શન, વંદન, પૂજન, સ્તવન, ધ્યાન કરતી વખતે યત્કિંચિત્ અનુભવ થતાં જે આનંદ અનુભવાય છે, તે અમૃતક્રિયાનું સાતમું લક્ષણ છે.
અમૃતકિયાના સાત લક્ષણે યુક્ત પરમાત્માની પૂજા અગર ધમનું કઈ પણ અનુષ્ઠાન થઈ જાય છે, ત્યારે આજના કરેલા ધર્મનું ફળ આજે જ પ્રાપ્ત થાય છે.
ગમે તે ભયંકર રોગ થયે હેય પરંતુ ઔષધમાં જે અમૃત મળી જાય છે તે બીજા કેઈ ઔષધની જરૂર
Page #190
--------------------------------------------------------------------------
________________
રહેતી નથી. તેમ ભવચક્રમાં એક જ વખત આવી અમૃતકિયા પ્રાપ્ત થઈ જાય છે તે મોક્ષે જવામાં કઈ વસ્તુ આડે આવતી નથી. મયણે કહે છે -
એહવે રે પૂજામાં મુજ ભાવ, આવ્યો રે ભાગ્યે ધ્યાન સેહામ છે; હર્ષિય ન માયે મન આણંદ, ખિણ ખિણ હવે પુલક નિ:કારણજી.
આજે પૂજામાં મને આવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થયે. તે ભાવમાં સુંદર રીતે પરમાત્માનું ધ્યાન થયું તે પરમાત્માની પૂજા અને ધ્યાનને આનંદ હજી પણ મારા હૃદયમાં ઊભરાય છે. સંધ્યાકાળે કરેલી પૂજાને આનંદ હજી મધ્યરાત્રીએ પણ મારા હૃદયમાં ઊભરાઈ રહ્યો છે. ક્ષણે ક્ષણે અત્યારે પણ રોમાંચ થાય છે.
પરમાત્માની આરતી મંગળદી અને ધૂપની પૂજ, તથા તે પૂજા વખતની ભાવના, અને તે ભાવનામાં થયેલું ધ્યાન, અને તે ધ્યાનનો આનંદ...બધુએ મયણનું અલૌકિક છે, અદ્દભુત છે, આશ્ચર્યકારી છે.
માયણ પિતાની સાસુ કમળાપ્રભાને કહે છે: “હે માતાજી! હે મારા વહાલાં સાસુજી ! આજે સંધ્યાકાળે પરમાત્માની પૂજા કરતી વખતે મારા હૃદયમાં આવા અમુતકિયાના ભાવે આવ્યા અને તે ભાવમાં મેં પરમાત્માનું
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૫
ધ્યાન કર્યું અને તે ધ્યાનમાં અદ્દભુત આનન્દ્વ અનુભવ્યા. તે સધ્યાકાળની પૂજાના આનંદ હજી પણ મારા હૃદયમાં ઊભરાય છે. વિના કારણે ક્ષણ ક્ષણ રામાંચ થાય છે. વળી આ અમૃતક્રિયા તુરત જ ફળવાવાળી છે. તેના ફળમાં આજ અને કાલ જેટલુ પણ અતર નથી. બીજી રે અમૃતક્રિયા સિદ્ધિરૂપ, તુરત મૂળે તિહાં નહિ આંતરેજી; કુરકે રે વામ નયન રાજ, આજ મિલે છે . વાલિ’ભ માહરાજી.
વળી મારું ડાબું નેત્ર અને ડાબુ અંગ પણ ફરકે છે. તેથી હું માતાજી! તમે ધ્યાન દઈને સાંભળેા. મારા પ્રિયતમ હમણાં જ અહીં પધારશે.
મયાએ કહ્યું કે, “મારા પ્રિયતમ હમણાં જ પારવા જોઇએ” ત્યારે સાસુ કમળપ્રભા કહે છે – કમળપ્રભા કહે વત્સ સાચ,
તાહરી જીભે અમૃત વસે સદાજી. તાહરૂ ૨ વચન હાથે સુપ્રમાણુ,
ત્રિવિધ પ્રત્યય છે તે સાધ્યા મુદ્દાજી.
"
“ હે વત્સ ! હું મારી વહાલી પુત્રવધૂ! તું જ્યારથી મારા ઘરમાં આવી છે ત્યારથી નિરંતર તારા મુખમાંથી અમૃત ઝરી રહ્યું છે. જ્યારે પણ તુ' કાંઇ બેલે છે ત્યારે સૌને આનંદ આપનારી ખને છે. હે પુત્રી! તું જ્યારે લગ્ન
મા. પ્ર. ૧૦
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪૬
કરીને આવી તે વખતે તારે પતિ કઢના રેગથી ગ્રસ્ત હતે. તે શ્રીપાલને તે નવપદની આરાધનામાં જેડ. નવપદના પ્રભાવથી શ્રીપાલની આબરૂ સર્વત્ર વિસ્તૃત બની, તેમાં મુખ્ય નિમિત્ત કારણ હે પુત્રી ! તું છે. તું મારા ઘરની પરમ લક્ષમી છે. તે આજે મન વચન અને કાયાના મેગે પૂર્વક વિવિધ ત્રિવિધે પરમાત્માની ભક્તિ કરી છે. તારું વચન જરૂર પ્રમાણ થશે. તારે પ્રિયતમ તને હમણું જ પ્રાપ્ત થશે.
કરવા રે વચન પ્રિયાનું સાચ, કહે રે શ્રીપાલ તે બાર ઉઘાડિયેજ.
જાણે પોતાની પ્રિયતમાનું વચન સત્ય કરવા માટે ન હોય ! તે રીતે બારણાની બહાર ઊભા રહીને સાસુ વહુને વાર્તાલાપ સાંભળી આનંદિત બનેલા શ્રીપાલ કહે છે : બારણું ખોલો.” કમળપ્રભા કહે, એ સૂતની વાણું,
મયણુ કહે, જિનમત ન મુધા હુયેજ” તે વખતે અંદર કમળપ્રભા કહે છે: આ તો મારા પુત્રનો અવાજ છે. અત્યારે મધ્યરાત્રીએ તે ક્યાંથી આવ્યા? તે તે પરદેશ ગયેલો હતો. મયણું કહે છે: “માતાજી! પરમાત્માનું દર્શન કદી પણ નિષ્ફળ જતું નથી ! આજે સંધ્યાકાળે જ પરમાત્માની ભક્તિ કરતાં મારા હૃદયમાં ભાવ આવે તેથી મને ખાત્રી હતી કે આજે મારા પ્રિયતમ જરૂર પધારશે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૭
મનું બારણું ખોલે છે. શ્રીપાલ અંદર આવી માતાના ચરણમાં નમસ્કાર કરે છે. માતા આશીર્વાદ આપે છે. મયણું વિશેષ વિનય વડે પતિને પ્રણામ કરે છે. શ્રીપાલ મનહર પ્રેમભર્યા વચન વડે મયણાને બોલાવે છે.
આપણે પણ પરમાત્માની પૂજા વખતે આ અમૃતકિયાના સાત લક્ષણથી ભાવિત બની ધ્યાનમાં સ્થિર બનીએ તે પૂજાનાં પ્રત્યક્ષ ફળ માટે આવતા ભવ સુધી નહિ, આવતી કાલ સુધી પણ રાહ જોવાની જરૂર નથી.
આ રીતે અમૃતક્રિયાનાં આઠ લક્ષણ પૂર્વક પૂજા વખતે ધ્યાન કરવું.
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, બિસર ગઈ દુનિયા તનમનકી, અચિરાસુત ગુનગાનમેં.
પરમાત્માના ધ્યાનમાં આપણે લીન બની ગયા. પરમાત્મ ધ્યાનના પ્રભાવથી આપણું દુઃખ, દુર્ભાગ્ય, ચિંતા, ભય, અશાંતિ ફર થઈ ગયા. સુખ, શાંતિ આનંદનો અનુભવ થયે..... પરમાત્માના ધ્યાનના પ્રભાવથી આવું અનુભવવું. પ્રત્યેક ભાવથી ભાવિત બનવું અને અનુભવ કર. છેવટે આ રીતે પ્રભુના સ્તવન, ગુણગાન, તે દ્વારા થતું ધ્યાન આત્માના પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ કરાવશે. આ પદ્ધતિથી સ્તવન કરવાથી સ્તવનના ભાવની અનુપ્રેક્ષા દ્વારા ધ્યાનમાં પ્રવેશ કરી છેવટે આત્માનુભવ સુધી પહોંચી શકાશે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૪૮
વિશિષ્ટ આરાધકે માટે જીનભક્તિની સર્વોચ્ચ ભૂમિકા
પરમાત્માની સાથે તન્મય બનવાની પ્રક્રિયા.
અનંતકાળથી આપણી ચેતના પરપુગલ સગે પુદ્ગલ અનુયાયી બની છે. આદર બહુમાન પરપુદગલનું છે. રૂચિ પરપુદગલમાં છે. રમણતા, તન્મયતા, તદ્રુપતા, એકવતા પુદ્દગલ સાથે છે. આપણું ચેતના વિભાવ દશામાં પુદ્ગલ પરિણામી બનેલી છે. આ વિભાવ પરિણતિ આપણો મૂળ ધર્મ નથી, તેથી તેનું નિવારણ કરવાના ઉપાય કરીએ તે તે જાય તેમ છે. તેને ઉપાય વિચારતાં જે તેને આપણા શુદ્ધ સ્વરૂપ સાથે જોડવા પ્રયત્ન કરીએ તે ટકી શકીએ તેમ નથી. અને આત્મા પુદ્ગલના સંગે કર્મના બંધને વધારે છે. માટે જેમનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે તેવા શુદ્ધ, પૂર્ણ અને પરમાનંદ સ્વરૂપ પરમાત્મા સાથે આપણી ચેતનાનું જોડાણ થાય તો આપણી ચેતના આત્મસ્વરૂપ અનુયાયી બને છે. અને તે જ આત્માનુભવ કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ શક્ય બને છે.
અનંત કાળથી પુદગલ અનુયાયી બનેલી આપણી ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવાને ઉપાય આપણી ચેતનાને પરમાત્મ સ્વરૂપ અનુયાયં બનાવવી તે છે. પરમાત્માના ગુણને રંગે રંગાયેલી આપણી ચેતના કેવી રીતે બનાવવી ? પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪૯ કેવી રીતે થાય? પરમાત્મ ગુણરસિક આપણી ચેતના કેવી રીતે બનાવવી?
અનંત કાળથી જીવને પુદગલનું (જડ પદાર્થનું) આદર અને બહુમાન છે. તે પલટાવને પરમાત્મા અરિહંત દેવના ગુણો પ્રત્યે આદર બહુમાન કરવું. પરમાત્માના ગુણોના મુખ્ય ત્રણ વિભાગ છે.
પહેલે વિભાગ ઉપકાર સંપદા-પરમાત્મા કરણના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર, અશરણના શરણ, અનાથના નાથ, અનંત જીવોના પરમ ઉદ્ધારક, મહાસાર્થવાહ, મહાગપ, મહાનિર્યામક, મહામાહણ આદિ ગુણોનું ભાવપૂર્વક ચિંતન કરવું.
બીજી અતિશય સંપદા– ૭૪ અતિશ, ૩૫ વાણના ગુણો, પ્રાતિહાર્યો, સમોસરણની ઋદ્ધિ આદિનું ચિંતન કરવું.
ત્રીજી મૂલગુણસંપદા–શુદ્ધ આત્મચેતન્ય પ્રગટ થવાથી પરમાત્મામાં જે જે અનંત ગુણ સંપદા પ્રગટ થઈ છે તેનું ચિંતન કરવું. સ્વરૂપરમણી, સ્વરૂપભેગી, સ્વરૂપાનંદી, અનંતગુણ સમૃદ્ધિના નિધાન, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણલક્ષ્મીના સ્વામી, અચિંત્ય શક્તિના ભંડાર, અનંત વીર્ય આદિ ગુણોથી યુક્ત, એકાંતિક –આત્યંતિક-અનંતઅવ્યાબાધ – સ્વતંત્ર-સ્વાધીન એવા પરમ સુખથી પરિપૂર્ણ – - એક અતિશય, પ્રાતિહા આદિનું વર્ણન આ પુસ્તકમાં છેલ્લા ૩૪ મા પ્રગમાં છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પરમાત્મસ્વરૂપના વિચાર કરતાં જીવનું અનંત કાળનું પુદ્ગલ ઉપરનુ' આદર બહુમાન પલટાઈ ને પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે.
માહુરી આતમા તુ જ થકી નિપજે, માહરી સંપદા સયલ મુજસ'પજે, તેણે મનમંદિરે ધર્મપ્રભુ ધ્યાઈએ,
૫૨મ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. શ્રી દેવચદ્રજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન.
હે વીતરાગ, સજ્ઞ અરિહંત પરમાત્મા ! તમારા નિમિત્તે જ મારું અવ્યાબાધ સુખ મને પ્રાપ્ત થશે. તમારા નિમિત્તે જ હું મારા આત્માની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકીશ. તે સિવાય બીજે કાઈ ઉપાય નથી. મારા પરમાનદને પ્રાપ્ત કરવા માટે હું અરિહંત પરમાત્મા ! તમે એક જ આધાર છે, પ્રાણ, ત્રાણુ, શરણુ છેા.
માહરૂ પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણી રે;
પુષ્ટાલ અન રૂપ સેવ પ્રભુજી તણી રે. દેવચંદ્ર જીનચંદ્ર ભક્તિ મનમેં ધરા ૨;
અવ્યાખાધ અનત અક્ષયપદ આદી રે. શ્રી દેવચંદ્રજી કૃત મલ્લિનાથ સ્તવન.
આ રીતે આપણું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રગટ કરવા માટે અરિહંત પરમાત્મા જ પુષ્પાલ અન છે તેવા દૃઢ નિર્ધાર કરી રૂચિ પરમાત્મામાં કરવી.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૧
રૂચિ અનુયાયી વીય થાય છે તેથી ફિચ પાત્મામાં થતાં વીય સ્ફુરણા પરમાત્મ ભક્તિને વિષે થશે.
પ્રભુ મુદ્રાને યાગ પ્રભુ પ્રભુતા લખે, દ્રવ્યતણે સાધ સ્વસ'પત્તિ ઓળખે; ઓળખતાં મહુમાન સહિત રૂચિ પણુ વધે, રૂચિ અનુયાયી વીય ચરણ ધારા સધે.
શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનુ સ્તવન.
જીવને જ્યારે અન'તકાળે મહાપુણ્યાયે અનંત કના નિગમ થતાં અરિહંત પરમાત્માના મેળાપ થાય છે, અરિહંત પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થાય છે. ત્યારે જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવુ જ સ્વરૂપ સત્તાએ પેાતાના અંદર રહેલું છે તેની સભાનતા થાય છે. પ્રભુની પ્રભુતાની ઓળખાણ થતાં પોતાની અંદર પણ તેવી જ અવ્યાખાધ સુખ, પરમાનંદ, અનંત શક્તિ, કેવળજ્ઞાન આદિ ગુણુ લક્ષ્મી રહેલી છે તેનું ભાન થાય છે. અને તે સ્વરૂપ (સત્તા) પ્રાપ્ત કરવાની ઝંખના થાય છે. કહ્યુ છે કે—
દીઠા સુવિધિ જીણુંદ સમાધિ રસે ભર્યાં,
ભાસ્યા આત્મસ્વરૂપ અનાદિના વિસă; સકલ વિભાવ ઉપાધિ થકી મન એસ;
સત્તા સાધન મા ભણી એ સંચર્યાં.
શ્રી દેવચંદ્રજી કૃત નવમાં ભગવાનનું સ્તવન. આત્માના અનંત આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૫૨
તીવ્ર ઝંખના થતાં તે માટેના પરમ કારણે પરમાત્મા પેાતાનું સર્વસ્વ બની જાય છે. એ જ આપણા માતા, પિતા, નેતા, ખ', પ્રાણ, ત્રાણુ, શરણ, આધાર રૂપ ભાસે છે. રૂચિ પરમાત્મામાં, વીય સ્ફુરણા પરમાત્મ ભક્તિમાં, રમણતા પરમાત્માના સ્વરૂપમાં, તન્મયતા, તદ્રુપતા અને એકત્વતા પરમાત્મામાં ઉત્પન્ન થાય છે. અને તે એકત્વતા પ્રભુ સાથે ઉત્પન્ન થતાં પરમાનન્દ્વની પ્રાપ્તિ થાય છે.
કહ્યુ છે કેઃ—
સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો,
દેવચ’દ્ર એકત્વે સેવનથી વરે રે લોલ. રે આ પ્રમાણેના માર્ગ જોતાં અરિહંત પરમાત્માના ધ્યાનની સાધનાના ક્રમ નીચે મુજબ નક્કી થાય છે.
(૧) આદર (૨) બહુમાન (૩) રૂચિ (૪) વીસ્ફુરણા (૫) રમણતા (૬) તન્મયતા (૭) તનૂપતા
(૮) એકત્વતા.
આ આઠ સ્ટેજની સાધના પરિપૂર્ણ બને છે. હકીકતમાં આપણા ક્ષયાપશમભાવી જે આત્મગુણા ખુલ્લા છે તેને પ્રભુની પ્રભુતા સાથે જોડવા તે આપણી સાધના છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીય આદિ આપણા આત્માના ગુણા ક્ષયાપશમ ભાવે અત્યારે અશતઃ ખુલ્લા છે. દર્શીન એટલે રૂચિ, જ્ઞાન એટલે જાણવું, ચારિત્ર એટલે રમણતા કરવી, વીર્ય એટલે શક્તિ ફારવવી,
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૩
આ બધી આત્મશક્તિ અત્યારે વિભાવ દશામાં પર પુદ્ગલ અનુયાયી, પુદગલ પરિણામી બનેલી છે. બહુમાન પુદ્ગલનું છે, રૂચિ પુદગલમાં છે, રમણતા પુદગલમાં છે. પરંતુ જીવનમાં જ્યારે અરિહંત પરમાત્મા પરમ નિમિત્ત મળે છે. અને જીવ જ્યારે પરમાત્માને સર્વસ્વ માની પિતાના ક્ષયોપશમભાવી ગુણેને પરમાત્મામાં જોડે છે, એટલે કે રૂચિ (દર્શન ગુણ) પરમાત્માના સ્વરૂપમાં, ભાસન (જ્ઞાન) પરમાત્માના ગુણેનું, રમણતા (ચારિત્ર) પરમાત્માના (સ્વરૂપ) ગુણમાં, વીર્યશક્તિ પરમાત્મ ભક્તિ-યાન આદિમાં જડે છે ત્યારે–પરમાત્મ સ્વરૂપ અનુયાયી ચેતના બને છે. પરમાત્મ ગુણના રંગે રંગાયેલી આપણી ચેતના બને છે. પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય બને છે. કહ્યું છે કે – દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન, શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીન. પૂજના તે કીજે બારમા જન તણી.
શ્રી દેવચંદ્રજી કૃત બારમા ભગવાનનું સ્તવન. આ રીતે આત્માના પશમભાવી ગુણે દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય આદિ પ્રભુની પ્રભુતામાં લીન બને છે ત્યારે-શુદ્ધ આત્મ ચિતન્યને પ્રાપ્ત થયેલા પરમાત્માના સ્વરૂપમાં રૂચિ, રમણતા, તમયતા, તદ્રુપતા, એકતા પ્રાપ્ત થાય છે.
શુદ્ધ તત્વ રસ રંગી ચેતના, પામે આત્મ સ્વભાવ; | આત્માલંબી નિજ ગુણ સાધતે, પ્રગટે પૂજ્ય સ્વભાવ.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૪
આ રીતે શુદ્ધ નિર્મલ તત્વ શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન તેના રસમાં આપણું ચિતન્ય જ્યારે રંગાય છે, એટલે પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચતન્ય જ્યારે બને છે, ઉપગ સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને અવલંબેલો હોય છે, ત્યારે ઉપગથી આપણે આત્મા અભિન્ન હોવાથી આત્મસ્વરૂપમાં રૂચિ (સમ્યગૂ દર્શન), આત્મસ્વરૂપમાં ઉપગી (જ્ઞાન), આત્મસ્વરૂપ રમણી (સમ્યગૂ ચારિત્ર) આપણે આત્મા બને છે. આત્મ અનુભવને પરમ આનંદ ત્યારે અનુભવાય છે તેને દિવ્ય પ્રાગ નીચે મુજબ છે.
પરમાત્મ ભકિતના આઠ સ્ટેજ દ્વારા આત્માનુભવને પ્રગઃ - ૧૮
આંખ બંધ કરીને પરમાત્મા આપણી સામે બિરાજમાન છે તેવું દશ્ય જેવું. નીચે મુજબ અનુભવ કરતા જવું અને આગળ વધવું. પરમાત્માના અનંત ગુણના સ્વરૂપને આપણે યાદ કરીએ છીએ....ઉપકાર સંપદા, અતિશય સંપદા અને મૂળ ગુણ સંપદાના પરમાત્માના અનંત ગુણેનું ચિંતન કરવું અને આપણા મૂળ ચિતન્યના પરમાનંદ સુધી પહોંચાડવાની પરમાત્માની દિવ્ય શક્તિથી ભાવિત બનવું. આ રીતે ભાવિત થવાથી આપણને પ્રભુ પ્રત્યે (૧) અત્યંત આદર અને
(૨) બહુમાન
ભાવિત
થાય છે........અત્યારે
પરમા
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૫૫
ત્માના આદર અને બહુમાનવાની આપણી ચેતના
છે.(આવું અનુભવવું.) (૩) પરમાત્માના સ્વરૂપ પ્રત્યે અંતરંગમાં રૂચિ પ્રેમ
ઉત્પન્ન થાય છે........ (આવું અનુભવવું.) (૪) આપણી વીર્યશક્તિ પરમાત્મા પ્રત્યે સ્કુરાયમાન
થાય છે. (૫) પરમાત્માના ગુણોમાં રમણુતા થાય છે........
.......આવું અનુભવવું. ....... પરમાત્માના સ્વરૂપમાં
રમણતા થઈ રહી છે. (૬) અત્યારે આપણે પરમાત્માના સ્વરૂપમાં તન્મય છીએ. (૭) આપણે પરમાત્મામાં તપ બની જઈએ. (૮) ધ્યાનમાં પરમાત્મા સાથે એકત્ર થયું છે.
આપણી ચેતના પરમાત્મામાં તદાકાર ઉપયોગ પરિણામ પામી ગઈ છે. જે રીતે દૂધમાં સાકર ઓગળી જાય તે રીતે અત્યારે આપણું મન પરમાત્મામાં ઓગળી ગયું છે.
અત્યારે આપણી ચેતના સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને અવલબેલી છે. અત્યારે આપણે ઉગ (ધ્યાન) સંપૂર્ણ પણે પરમાત્મામાં લીન છે
ધ્યાન કરવું.) આવી સ્થિતિ થોડી વાર સ્થિરતાપૂર્વક અનુભવવી.)
પૂર્ણ પણે ઉપગ પરમાત્માના ધ્યાનમાં જોડેલ રાખો ............
•
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૫૬ પરમાત્મ સ્વરૂપમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાથે એકત્વ-અભેદ ધ્યાન ચાલી રહ્યું છે.
જે ઉપયોગમાં આપણે લીન બનીએ છીએ તે આકારવાળો આપણે આત્મા થાય છે. તેથી હવે અત્યારે આપણે આમા અરિહંત આકારવાળે બન્યો છે. (આવું અનુભવવું) (ઉપયોગથી ઉપગવાન આત્મા અભિન્ન છે.)
હવે અરિહંતમાં લીન બનેલા અને તેથી અરિહંત આકારવાળા આપણા આત્માને આપણે જોઈએ છીએ.............
અરિહંત આકારવાળા બનેલા આપણું આત્માનું આપણે ધ્યાન કરીએ છીએ. આપણો ઉપયોગ, “અરિહંત આકારવાળા બનેલા આપણા આત્માના સ્વરૂપમાં સ્થિર બનવાથી આત્માનુભવની સ્થિતિમાં આપણે અત્યારે છીએ
. (આવું અનુભવવું.) પરમ આનંદ અને સુખને અનુભવ થઈ રહ્યો છે.” .......... થોડી ક્ષણ આ સ્થિતિમાં સ્થિર બનવું... ઉપયોગ બદલાય તે ફરી ફરી સ્થિર કરવા પ્રયત્ન કરે. ......... પ્રયત્ન ચાલુ રાખ............ આત્માના અનુભવની સ્થિતિમાં અત્યારે આપણું ચૈતન્ય છે..............
..... પરમ આનંદ અને સુખ આપણે અનુભવી રહ્યા છીએ.
આનંદ અમૃતરસ પીવે............... ફરી ફરી પી. ....... અમૃતથી ભરાઈ જશે.
૩ શાન્તિ શાન્તિ શાન્તિ...
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૭
પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલંબને સ્વ આત્મ ના દિવ્ય સ્વરૂપનું દર્શન થયું તે જ સાચે નમસ્કાર છે, તેને જ સાચે પુરૂષાર્થ કહેવાય છે. તેનું જ જીવન ધન્ય છે કે જે પરમાત્માના આલંબને સ્વ આત્માનો અનુભવ કરે છે.
તે જ મહાન આત્માઓનું જીવન ધન્ય છે, જે અરિહત આદિ પદના ઉપયોગમાં સદા લીન છે.
તે જ સાચી સાધના છે, જેમાં પરમાત્માનું આલંબન લઈને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવામાં આવે છે.
અહીં પ્રશ્ન થાય છે કે જે આપણે આત્મા અરિહંત કે સિદ્ધ નથી તો જે જે નથી, તેમાં તેવાની માન્યતા રૂપ બ્રાન્તિ તે નથીને ?
આ પ્રશ્ન અને ઉત્તર અક્ષરશઃ “નમસ્કાર સ્વાધ્યાય પૃ. ૨૩૦ માં નીચે મુજબ છે.
तन्नचोद्यं यतोऽस्वाभिर्भावार्हन्नयमर्पितः । स चाहध्याननिष्ठात्मा, ततस्तत्रैव तद् ग्रहः ॥१८९।। परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति । अर्हध्यानाविष्टो भावार्हन् स्यात्स्वयं तस्मात् ॥१९०।। येन भावेन यद् रुपं ध्यायत्यात्मानमात्मवित् । तेन तन्मयतां याति, सोपाधिः स्फटिको यथा ॥१९॥
તવાનુશાસન લેક ૧૮૮-૧૯૦–૧૯૧
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આ લેકેનું તાત્પર્ય એ છે કે ઉપર જે શંકા કરી તે કરવા યોગ્ય નથી. કારણ કે અમે અમારા આત્માની ભાવ-અરિહંત રૂપે અર્પણ (ચિંતવના) કરીએ છીએ. અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે આગમથી ભાવઅરિહંત છે, તેથી સતતમાં તદ્દગ્રહરૂપ બ્રાતિ નથી, કિન્તુ તમાં (તેમાં )જ તતની (તેની) યથાર્થ માન્યતા છે. ૧૮૯.
જે (અરિહંતાદિ) ભાવ વડે આત્મા પરિણમે છે તે (અરિહંતાદિ) ભાવ વડે તે આત્મા તન્મય (અરિહંતાદિમય) બને છે; તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એ આત્મા તે (અરિહંત ભાવ) થકી પોતે જ ભાવઅરિહંત થાય છે. ઉપાધિ સહિત એવા સ્ફટિક રત્નની જેમ આત્મજ્ઞ પુરુષ જે (અરિહંતાદિ) ભાવ વડે જે (અરિહંતાદિ) રૂપે આત્માનું ધ્યાન કરે છે, તે (અરિહંતાદ) ભાવ વડે તન્મયતા (તદ્દભાવરૂપતા)ને પામે છે, (અર્થાત્ જેમ સ્ફટિક-મણિ પિતાની સામે રહેલી વસ્તુનું રૂપ ધારણ કરે છે, તેમ આત્મા પણ ધ્યાન વડે ધ્યેયમય બને છે.) ૧૯૦-૧૯૧.
આ રીતે અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવે આત્મા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આ વાત જાણ્યા પછી એક ક્ષણ પણ આપણે અરિહંત પરમાત્માના મરણ, જાપ કે ધ્યાન સિવાય રહી શકતા નથી. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા, ઉપ
ગની સ્થિરતા કરવાની છે, દૂધમાં સાકર ઓગળી જાય, તેમ મનને પરમાત્મામાં ઓગાળી દેવાનું છે. અને એ રીતે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આપણા આત્મમાં શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થાય, તે લક્ષ્યબિંદુને સિદ્ધ કરવાનું છે.
તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલો છે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ોડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે –
આ જિનેશ્વર ભગવંત જ્યારે હદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયજન સિદ્ધ થવાનું કારણ એ છે કે આ શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે.
આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આમાં જ્યારે સવજ્ઞના સ્વરૂપમાં ઉપગવાળો બને છે, ત્યારે તેને અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જે થાય છે. એ નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વતે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે.
(નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ર૯૩) આ રીતે પરમાત્મ–સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચિતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જે એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચિતન્ય પરમાત્મરૂપ આ રીતે બનતું હોય તે તેથી વધુ આપણું આ જીવનમાં શું કમાઈ શકવાના હતા ? અર્થાત્ સૌથી વધુ કમાણીને આ વ્યાપાર છે, તેને છેડીને બીજે વ્યાપાર કરવો તે કલ્પવૃક્ષને છોડીને બાવળિયાને પકડવા જેવું છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬૦ - આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મ-પદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારું છે. Meditation on Most High છે. માટે જ કહ્યું છે કે, તારું ધ્યાન તે સમકિત રૂપ,
તેહિ જ જ્ઞાનને ચારિત્ર તેહ છે જ, તેહથી જાયે સઘળાં હો પાપ,
ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોય પછે છે. ઉપાધ્યાય યશોવિજયજી મ. કૃત–શાંતિનાથ ભગવાનનું સ્તવન. અરિહંત પરમાત્માનું ધ્યાન સમ્યગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ છે. તેનાથી સર્વ પાપને નાશ થાય છે અને ધ્યાતા પિતે ધ્યેય એટલે પરમાત્મસ્વરૂપને પામે છે.
-
મનની ચંચળતાનું રહસ્ય
જ્યાં સુધી મનને સાચી જગ્યા મળતી નથી, ઠરીને ઠામ બેસતું નથી, ત્યાં સુધી તેના માટે સાચી જગ્યા અરિહંતના ચરણકમળ છે. એકવાર જીનના ચરણકમળના સેવનથી અનુભવ રસનો પરમ આનંદ ચાખ્યો તે પછી મન દેવાદેડી છોડી દેશે. અમીરસનો કટોરો મળ્યા પછી ઝેર પીવા કેણ તૈયાર થશે!
સાચું સુખ, શાન્તિ કે આનંદ જગતના પદાર્થોમાં નથી પરંતુ આત્મા અને પરમાત્માના મિલનમાં છે. Super most art is to realise oneness with Supreme Power.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૧
પ્રયોગાત્મક ધ્યાનાભ્યાસ પરમાત્માની મૂર્તિનું ધ્યાન યાને પસ્થ ધ્યાન (૧) દર્શનમાં ધ્યાન–
ખુલ્લા નેત્રથી પરમાત્માનું દર્શન કરવું. મનને દર્શનમાં રોકી રાખવું.
વિચારની શાંત અવસ્થા અને આનંદ અનુભવ. (૨) ધ્યાનમાં દર્શન.
આંખ બંધ કરીને પરમાત્માનું દર્શન કરવું.. (વારંવાર અભ્યાસ કરવો.) દર્શનમાં ચિતન્ય જાગૃત થતાં. હાલતાં, ચાલતાં, બેલતાં, હૃદયમાં બિરાજમાન, આપણી સામે એકમેક ભળી જતા પરમાત્માને અનુભવ. પૂજામાં ધ્યાન– અભિષેક, કેસર, પુષ્પ પૂજામાં ધ્યાન બતાવ્યા
મુજબ કરવું. (૪) ધ્યાનમાં પૂજા દ્વારા વિશિષ્ટ અનુભવ અને ભાવના
કરવી. સ્તવનમાં દયાન– A સ્તવન ગાતી વખતે તેની પંક્તિના ભાવોમાં પ્રભુ
ભક્તિ અને ધ્યાનના રસને અનુભવ કર. ધ્યા. પ્ર. ૧૧
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૬૨
B પરમાત્માના સ્તવન દ્વારા યાન અને ધ્યાન દ્વારા
આત્માનુભવ સુધી પહોંચવું. (૬) અમૃતકિયાના આઠ લક્ષણ પૂર્વક પૂજા અને ધ્યાન
કરવું. (૭) પરમાત્મ સ્વરૂપને અવલબેલું આપણું ચિતન્ય,
પરમાત્માના ગુણેના રંગે રંગાયેલી આપણી ચેતના
પરમાત્મ ગુણ રસિક બનાવવી. (૮) તે માટે આદર, બહુમાન, રૂચિ, વીર્યરકુરણ, તન્મયતા,
તદ્રુપતા, એકતવ આ સ્ટેજની સાધનાને પ્રગ
કર .. (૯) આ પ્રયોગ દ્વારા આત્માના અનુભવને પરમાનંદ
પ્રાપ્ત કર.
AHMEDABAD
ગુરુ વિના જ્ઞાન નથી જ્ઞાન વિના શ્રદ્ધા નથી. શ્રદ્ધા વિના ભક્તિ નથી. ભક્તિ વિના મુક્તિ નથી.
માટે બધાના મૂળમાં ગુરુ છે. ગુરુનો વેગ પરમછે. ગુરુ પરમાત્માને સંબંધ કરાવી આપે છે.
આS A
Page #209
--------------------------------------------------------------------------
________________
ૐ હ્રીં હૂઁ નમ: સાલઅન ધ્યાનના પ્રાગા
પાઠ ચેાથે
®©ÐÐÐÐ
પ્રયાગ ન. ૧૯ :
સાધનાના પ્રત્યેાગા બાળક માટે ખાસ (સવને લાગુ પડે છે.)
માની ગેાદમાં આળકની જેમ હું પ્રભુની ગાદમાં એડા છુ............ ( આવું દૃશ્ય જોવું ) મને પરમાત્માનું અસીમ વાત્સલ્ય પ્રાપ્ત થયુ છે. ( પરમાત્માના વાત્સલ્ય રસમાં આપણે સ્નાન કરીએ છીએ.............એવુ. અનુભવવુ.)
*****.....
*********
DDDD
(પરમાત્મા મારા મસ્તક ઉપર હાથ ફેરવી રહ્યા છે તેવુ અનુભવવું.)
તેથી હું પૂર્ણ પણે આપત્તિ રહિત બન્યા ......... (આંતર મન સુધી આ વિચાર ઊંડે ઉતારવા.) (આટા સજેસન છે. )
મારાં સવ રાગ, શાક, દુઃખ, ભય, ચિંતા ચાલ્યાં ગયાં છે................. ( ઍટા સજેસન છે. )
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૬૪
મારા અંદર સુખની વર્ષા થઈ રહી છે......... (આંતર મન સુધી આ વિચાર ઊંડા ઉતારીને તેવા જ અનુભવ કરવા. )
હું આનંદથી ગદિત થઇ ગયા ........... (આન્તર મન સુધી આ વિચાર ઊડા ઉતારીને તવા જ અનુભવ કરવા. )
પરમાત્માના પ્રકાશથી મારા મેરામ પુલિકત થઈ ગયાં છે............. ( આંતર મન સુધી આ વિચાર ઊડા ઉતારીને તેવા જ અનુભવ કરવા )
હું પરમ શાંતિનો અનુભવ કરી રહ્યો છુ............. (આંતર મન સુધી આ વિચાર ઊડા ઉતારીને તેવા જ અનુભવ કરવા. )
મારા જીવનના દ્વાર મે' પ્રભુના હાથમાં સોંપી દીધે છે.................. આવા સ`કલ્પ કરવા. )
પરમાત્માની કરુણા સદા અને સર્વત્ર વરસી રહી છે, તે પ્રભુની કરુણામાં જ હું નિરંતર વસુ છુ................. તેથી સદા સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતામાં .......... ( આવુ" અનુભવવું. )
( હૃદયની ઊંડી શ્રદ્ધા જ ફળે છે. શ્રદ્ધા અને વિશ્વાસ નહી. કલ્પેલાં શુભ પરિણામા લાવે છે. )
નીચેનુ' ગીત ગાવું (સમર્પણુ ગીત ).
૧ અખ સાંપ દીયા ઇસ જીવનક, ભગવાન તુમ્હારે ચરણેાંમ', મે...હું શરણાગત પ્રભુ તેરા, રહે। ધ્યાન તુમ્હારે ચરણેાંમે'. (૨)
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૬૫
૨ મેરા નિશ્ચય બસ એક વહી, મેં તુમ ચરણકા પૂજારી બનું,
અર્પણ કર હું દુનિયાભરકા, સબ પ્યાર તુમ્હારે ચરણેમેં (૨) ૩ જે જગમેં રહું તે એસે રહું, જયું જલમેં કમલકા ફૂલ રહે,
હૈમન વચ કાય હૃદય અર્પણ, ભગવાન તુમ્હારે ચરણોમેં.(૨) ૪ જહાં તક સંસારમેં ભ્રમણ કરું, તુજ ચરણેમેં જીવન કે ધરું;
તુમ સ્વામિ મેં સેવક તેરા. ધરૂં ધ્યાન તુમ્હારે ચરણેમેં (૨) ૫ મે નિર્ભય હું તુજ ચરણમેં, આનંદ મંગલ હૈ જીવનમેં,
આતમ અનુભવની સંપત્તિ, મિલ ગઈ હૈ પ્રભુ તુજ ભક્તિમે(૨) ૬ મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મેં, ઇસ સેવકકી એક રગરગકા, હો તાર તુમ્હારે હાથમેં (૨)
નિદ્રા લેતી વખતે ભગવાનના ખોળામાં માથું મૂકીને ઉંઘી જવું.
બાળકે માટે ધ્યાન પ્રયોગો – બીજા પાઠમાં પ્રયોગ નં. ૮ :
આંખ બંધ કરી નવકારના અક્ષરે જેવાને પ્રગ
તે બાળકને પણ લાગુ પડી શકે તેવે છે. ત્રીજા પાઠમાં પ્રાગ નં. ૧૨ :
ખુલ્લા નેત્રથી ભગવાનનું દર્શન. . પ્રયોગ નં. ૧૩ : આંખ બંધ કરીને ભગવાનના દર્શન માટે
પ્રયોગ. ઉપરના ત્રણે પ્રયોગે બાળક માટે કરી શકાય તેવા છે. પાઠશાળામાં પણ ઉપરના ધ્યાનના ચિત્રો રાખી પ્રયોગ શીખવાડી શકાય.
Page #212
--------------------------------------------------------------------------
________________
ૐ હ્રી અહૈ નમ: સાલંબન ધ્યાનના પ્રયોગ
પાઠ પાંચમે
淡淡吸汲张汲汲汲汲汲汲汲汲汲汲汲汲汲汲汲縣
ધ્યેય-લક્ષ
૨૦૧૩ના ચિત્ર મહિનાની ભીલડીયાજી મહાતીર્થમા શાશ્વતી ઓળીની આરાધનાને મહામંગળકારી પ્રસંગ છે. ત્યાં અધ્યાત્મ યોગી ૫. ભદ્રકરવિજયજી મહારાજની પરમ પાવનકારી નિશ્રામાં શાશ્વતી ઓળીનું આરાધન ચાલી રહ્યું છે.
- સાધક પૂજ્ય ગુરુ મહારાજના પ્રવચનેથી ખૂબ પ્રભાવિત થયેલ છે. હજુ સાધકને પૂજ્ય ગુરુ મહારાજને પ્રથમ પરિચય છે. છતાં પૂ. ગુરુ મહારાજની મહાનતા, વાત્સત્યભાવ અને અધ્યાત્મની ઉચ્ચ અવસ્થાના પ્રભાવથી સાધકના હૃદયમાં પવિત્ર ભાવેનું બીજારોપણ શરૂ થયું છે.
* પૂ. પં. ભદ્રંકર વિજયજી મહારાજને પૂ. ગુરુ મહારાજની ટુંકા નામથી સંબોધન કરવામાં આવશે અને આ પુસ્તકના લખનાર બાબુભાઈ કડીવાળા તે “સાધકના ટૂંકા નામથી સંબોધન કરવામાં આવશે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૭
આ ઓળીમાં જ ૨૦૧૩ના ચૈત્ર સુદ ૧૩ ના બપોરે એક વિશિષ્ટ પ્રસંગ બન્યા
પ્રશ્ન “સાધક – જીવનનું લક્ષાંક શું રાખવું ?
ઉત્તર, પૂ. ગુરુ મહારાજ – અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતે એ “આમ સ્વરૂપની પ્રાપ્તિ” એ જીવનનું લક્ષાંક બતાવ્યું છે. સંપૂર્ણ પણે “આમ સ્વરૂપની પ્રાપ્તિ આ જન્મમાં શક્ય નથી, અપેક્ષિત સામગ્રી પ્રાપ્ત થયે બીજા જન્મમાં થશે. વર્તમાન જીવનનું લક્ષ્યબિદુ “આત્મ સ્વરુપનો અનુભવ કરે? તે રાખવું. ભગવાનના દર્શન, પૂજનથી માંડીને સંયમજીવન સુધીની બધી ધર્મ પ્રવૃત્તિનું લક્ષાંક “આત્મા અનુભવ” પ્રાપ્ત કરે તે છે.
સાધક :– તે લક્ષાંક શા માટે રાખવું જોઈએ? પૂ. ગુરૂ મહારાજ–
જીવની પાંચ મુખ્ય ઈચ્છાઓ છે –
(૧) જીવની પહેલી ઈચ્છા જીવવાની છે. એક વર્ષની ઉંમર થઈ હોય, છતાં થોડું વધારે જીવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. દેવલોકમાં પલ્યોપમ, સાગરોપમનાં આયુષ્ય હોય છે, છતાં મૃત્યુ આવે છે તે ગમતું નથી. સૌથી મોટું આયુષ્ય અનુત્તર વિમાનવાસી દેવોને હોય છે, છતાં ત્યાં પણ મૃત્યુ આવે છે. જીવની સૌથી પ્રબળ ઇચ્છા “જીવવાની છે, છતાં તે કદી પૂરી થતી નથી. મૃત્યુ ક્યારે પણ ન
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૬૮
આવે અને શાશ્વત જીવન મળે તે માટે આપણું મૂળભૂત આત્મસ્વરૂપ પ્રગટ કરવું જરૂરી છે. આપણું આત્મ
સ્વરૂપે પ્રગટયા પછી જ અજરામર શાશ્વત જીવન મળે છે અને આપણી શાશ્વત જીવનની ઈચ્છા પૂરી થાય છે.
(૨) જીવની બીજી ઈચ્છા જ્ઞાન મેળવવાની છે. આપણે આખું ભારત ફરી આવીએ, છ ખંડની પૃથ્વીની પ્રદક્ષિણે કરી આવીએ, તે પણ નવું જાણવાની (જ્ઞાન મેળવવાની ઈચ્છા પૂરી થતી નથી. અખિલ બ્રહ્માંડ ખૂદી વળીએ તે પણ જ્ઞાન મેળવવાની ઈચ્છા સંપૂર્ણ થતી નથી. આપણું અંદર એક જ્ઞાન એવું બેઠું છે કે જેના વડે સર્વ જીવ અને સર્વ યુગલના ત્રણ કાળના સર્વ પર્યાયોને એક સમયમાં જાણી શકાય. આ લે કાલોક પ્રકાશક જ્ઞાન પ્રગટ થયા સિવાય જીવની જ્ઞાન મેળવવાની ઈચ્છા કદી પણ પૂરી થતી નથી. માટે જ્ઞાન મેળવવાની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે.
(૩) જીવની ત્રીજી ઈચ્છા સુખ મેળવવાની છે. જીવને એવા સુખની ઈચ્છા છે કે મારા કરતાં કેઈની પાસે અધિક સુખ ન હોવું જોઈએ. આપણી પાસે એક કોડ છે, પણ બાજુવાળા પાસે સવા કોડ છે; તે આપણે એક કોડનું સુખ ભોગવી શકતા નથી. વળી આપણે એવું સુખ જોઈએ છે કે જે મળ્યા પછી કદી પણ જાય નહીં અને જેમાં જરા પણ દુઃખનું મિશ્રણ ન હોય. આવા સુખની પ્રાપ્તિની
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯
તીવ્ર ઈચ્છા જીવને હાય છે, પણ તે કદી પૂરી થતી નથી. અનત અવ્યાબાધ સુખના પરમ ભ`ડાર આત્મામાં પરિપૂર્ણ રહેલા છે. સિદ્ધના જીવાને કોઈ ને એછું કે અધિક સુખ હાતુ' નથી. બધાને સરખુ હોય છે. તે મળ્યા પછી કદી પણ જતું નથી, તેની વચ્ચે કદી પણ દુ:ખ આવતુ નથી. સિદ્ધભગવ’તેના જેવું જ અનંત સુખ આપણા આત્મામાં રહેલુ છે. આવુ આપણું આત્મસ્વરુપ પ્રગટ કરીએ તેા જ સુખ મેળવવાની ઇચ્છા પરિપૂર્ણ થાય છે.
(૪) જીવની ચેાથી ઇચ્છા સ્વતંત્ર બનવાની છે. આપણે પરતંત્રતામાંથી છૂટવા રાતદિવસ પ્રયત્ન કરીએ છીએ. બધી જ બાહ્ય સ્વતંત્રતા મેળવ્યા પછી પણ આ શરીરનું અધન એવા પ્રકારનુ` છે કે શરીર માટે રેાટલી જોઈએ. તે માટે અનાજ જોઇએ, તે માટે પૈસા જોઇએ. ઘઉં. પકવનાર જોઈએ. રેાટલીના બનાવનાર જોઇ એ. આમ શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ. માટે આપણું અશરીરી મૂળ સ્વરૂપ પ્રગટ કરવાનુ છે. આપણે અ-શરીરી અનીએ તે જ સ્વતંત્રતાની ઇચ્છા પરિપૂર્ણ થાય.
(૫) જીવની છેલ્લી ઇચ્છા-અધા મને આધીન રહેવા જોઈ એ.’આ ઇચ્છાની તૃપ્તિ માટે જગતમાં વિશ્વયુદ્ધો ખેલાયાં છે, પણ તે કદી પૂરી થતી નથી. એક કેવળજ્ઞાનની અવસ્થા જ એવી છે કે કેવળજ્ઞાનીએ પેાતાના જ્ઞાનમાં એક હજાર વર્ષ પછી આવા બનાવ ખનશે કે અમુક જીવાત્મા
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૭૦
એક હજાર વર્ષ પછી આ કાર્ય કરશે એમ જોયું હોય તે તે પ્રમાણે જ બનાવ બને છે અને તે જીવાત્મા તે પ્રમાણે જ કરે છે. એટલે હકીકતમાં સમગ્ર વિશ્વ અપેક્ષાએ કેવળજ્ઞાનીએ એમના જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે ચાલે છે. તેમના જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ છે, એવું એક નયથી કહી શકાય. એટલે આપણે કેવલજ્ઞાન પ્રગટ કરીએ તે આપણું જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ ચાલે.
આ રીતે આપણું મૂળ રૂપ જે અનંતજ્ઞાન, અવ્યાબાધ સુખ, અનંત આનંદ, અનંત શક્તિમય અને શાશ્વત છે, તે પ્રગટ થાય ત્યારે જ સર્વ પ્રજન સિદ્ધ થાય છે. માટે આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે જ પરમ ધ્યેય-લક્ષ્ય છે. પૂર્ણ પણે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આજે આપણું પાસે પરિપૂર્ણ સામગ્રી નથી. માટે વર્તમાન જીવનનું દયેય – લક્ષ્ય આત્માનુભવ કરાવે. અને હવે પછીના જન્મનું લક્ષ્યાંક પૂર્ણ આત્મચેતન્ય પ્રગટ કરવું તે છે.
સાધક :–આ જીવનનું ધ્યેય-લક્ષ આત્મસ્વરૂપને અનુભવ કરે, તે દયેય સુધી પહોંચવા માટે સામાન્ય શરૂઆત કેવી રીતે કરવી?
પૂ. ગુરુ મહારાજ :– જેમનું શુદ્ધ ચિતન્ય સ્વરૂપે પ્રગટ થયું છે તેવા પરમેષ્ટિ ભગવંતો સાથે સંબંધ જોડવાથી આ કાર્ય સિદ્ધ થાય છે. પરમેષ્ટિ સાથે સંબંધ જોડવા માટે પ્રથમ શરૂઆત નમસ્કાર મહામંત્રની આરા
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૧
ધનાથી કરવી. સાથે પરમાત્માનું દશન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન અને આજ્ઞાપાલન દ્વારા કાર્યસિદ્ધિ થાય છે. - ઉપરોક્ત હકીકત આપણું જીવનનું લક્ષાંક નક્કી કરવા માટે અદભૂત પ્રેરણા આપે છે. આ પુસ્તકમાં આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચવાના લક્ષપૂર્વકની પ્રક્રિયાઓ, છે, એટલું ખાસ યાદ રાખવું કે આપણે જે ભૂમિકા ઉપર છીએ તે ભૂમિકાને અનુરૂપ વ્યવહાર ધમની સર્વ ક્રિયામાં રક્ત રહેનાર જ આગળ વધી શકે છે. પહેલા ગુણસ્થાનકે રહેલ માર્ગાનુસારીતાના ગુણોમાં, એથે ગુણસ્થાનકે રહેલ સાધક સમ્યગૂ દર્શનને આચારમાં, પાંચમે ગુણસ્થાનકે રહેલ સાધક શ્રાવકેચિત ક્રિયા અને કર્તવ્યોમાં, છઠ્ઠા ગુણસ્થાનકે રહેલ સાધુ ભગવંતે સાધુને ચોગ્ય સામાચારીના પાલનમાં સ્થિર હોય તે જ આત્માના અનુભવની દિશામાં આગળ વધે છે. કહ્યું છે કે –
નિશ્ચય દૃષ્ટિ હદયે ધરી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રને પાર.
(સવાસે ગાથાનું સ્તવન) વળી આ ગ્રંથમાં પ્રથમ ભૂમિકા, બીજી ભૂમિકા, ત્રીજી ભૂમિકા એમ દરેક આરાધનાના વિભાગે છે. આપણે
જ્યાં હોઈએ ત્યાંથી આગળ વધવાનું છે. વાંચનાર ભિન્ન ભિન્ન રૂચિવાળા અને ભિન્ન ભિન્ન પશમવાળા હોય છે. જેને જે પ્રક્રિયા લાગુ પડે તેમાં તેને ત્યાંથી આગળ વધવાનું છે. સમ્યગુભાવે પુરૂષાર્થ કરનાર દેવગુરૂ કૃપાથી
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૭૨
જરૂર આગળ વધે છે. આપણે પણ આપણી ભૂમિકા અનુસાર આગળ વધીએ.
ધ્યેય – લક્ષ
–
(6
આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે લક્ષ છે. આત્મસ્વરૂપના અનુભવ તે આ જન્મમાં જ કરવા છે. ’ આ નિશાન મજબૂત બાંધી તેના તરફ ચાલવા નિરંતર પ્રયત્ન કરીએ. આપણા આ મહાન નિર્ણયને ડાલાવવા માટે અનેક વિના આડાં આવશે. અનેક લાલચા આવીને ઉભી રહેશે. વિવધ પ્રકારના ચમત્કારો અનુભવવાની ઇચ્છાઓ થશે, ચમત્કાર કરીને પેાતાના અહુને પેાષવાની અનેક તમન્ના જાગશે. પરંતુ તે તરફ જરા પણ લલચાયા આપણે મૂળ લક્ષને મૂકીને બીજી દિશામાં ગયા – નિશ્ચયમાંથી ડગ્યા તે જરૂર સમજવું કે વહેલા મેડા પતનના માગે પહેાંચી જવાશે અને પછી આત્માના અનુભવરસના પરમાનંદને અનુભવવાનાં લક્ષાંકને હજારા માઈલનું અંતર પડી જશે અને તે પછી હજારો વર્ષ કે હજારા ભવા પછી પણ મૂળ માર્ગ કયારે મળશે તે નક્કી નથી. કારણુ કે માહ, અજ્ઞાન, મમતા, ઇન્દ્રિયાના વિષયા, અહ વૃત્તિનું પેષણ ઘણા જ આકર્ષક છે અને આત્મભાનને ભૂલાવનારા છે અને આપણા સત્ય નિશાનથી દૂર ખે'ચી જનારા છે. માટે સૂક્ષ્મ ચિંતન કરી લક્ષમાં જ સ્થિરતા કેળવવા પૂ પ્રયત્ન કરવા.
દ્રોણાચાર્ય પાંડવા અને કૌરવાને પરીક્ષા લેવા માટે
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૩
બાલાવ્યા. ઝાડ ઉપરની પૂતળીની ડાબી આંખ વીંધવાની હતી. એક પછી એક બધાને પૂછ્યું: “તમને શું દેખાય છે?” “બધું જ દેખાય છે. તેમ દરેકે કહ્યું. છેલ્લે અર્જુનને પૂછ્યું, ત્યારે અને કહ્યું : “લક્ષ્ય સિવાય કંઈ પણ દેખાતું નથી.” ગુરુએ આજ્ઞા કરી અને અર્જુને લક્ષ્ય વધ્યું; અર્થાત્ જ્યાં સુધી લક્ષ્ય (પરમાત્મા) સિવાય બીજું બધું જ દેખાતું બંધ ન થાય, ત્યાં સુધી પરમાત્મા મળતા નથી. બીજા બધામાંથી વૃત્તિઓ નીકળી ન જાય, ત્યાં સુધી પરમાત્માના દર્શન થતાં નથી. દર્શનની સાચી લગની, પરમાત્માના મિલનની તીવ્ર ઝંખના અને તેના માટે જ સર્વ પ્રયત્ન થાય ત્યારે પરમાત્મા મળ્યા સિવાય રહેતા નથી.
ધ્યેય-લક્ષ, પરમાત્માની પ્રાપ્તિ કે પરમાત્મ દર્શન, આમદશન, આત્માનુભવ, આત્મસાક્ષાત્કાર આ સર્વ એકાર્થી વચને છે. આપણે લક્ષ પ્રત્યે સદા જાગૃત રહેવું જરૂરી છે. (૧) આ જન્મનું લક્ષાંક આત્માનુભવ. - હવે પછીના જન્મનું લક્ષાંક આત્મસ્વરૂપનું સંપૂર્ણ
પ્રગટીકરણ (૨) આપણું ભૂમિકાને અનુરૂપ વ્યવહાર ધર્મની ક્રિયામાં
રક્ત રહી આમાનુભવ આ જન્મમાં જ કરવા
માટે પુરુષાર્થ કરવો. (૩) આ ગ્રંથમાં જુદી જુદી ભૂમિકા બતાવી છે. આપણે
જ્યાં હોઈએ ત્યાંથી સાધનામાં આગળ વધવું.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ચમત્કાર, અહંષક લાલચો, દુન્યવી આકર્ષણે વગેરે આત્મભાન ભૂલાવનાર તત્ત્વમાં લપટાયા વગર આત્માનુભવ આ જન્મમાં જ કરે છે તેવું
મજબુત લક્ષાંક રાખવું. (૫) લક્ષ પ્રત્યે સંપૂર્ણ જાગૃતી રાખવી. પૂજ્ય પન્યાસજી ભદ્રકવિજયજી સાથેનો વાર્તાલાપ
આત્મસાક્ષાત્કાર અને ઉપયોગ
અરિહંત આકાર ઉપયોગ આત્મસાક્ષાત્કારની સાધધનામાં મહત્વનું અંગ શા માટે?
પ્રથમ પરમાત્મામાં ઉપયોગી લીન કર જોઈએ. તે માટે પરમાત્મામાં આદર, બહુમાન, ઋચિ, વીર્ય ફુરણા, તન્મયતા, તદ્રુપતા, એકત્વતા, સાધવી જોઈએ. પરમાત્માના ધ્યાનમાં લીન બનવાથી અરિહંતાકાર ઉપયોગ થાય છે. (આત્માને જ્ઞાનગુણુ સક્રિય હોય તેને ઉપયોગ કહેવાય.) (ઉપયોગ એટલે સામાન્ય અર્થમાં એટેન્સન કહેવાય.)
અરિહંતાકાર આપણે ઉપયોગ બને છે તે વખતે ઉપયોગથી અભિન્ન એવા આપણા આત્મામાં લીન બની શકાય છે. ઉપગ શુદ્ધ થવાથી આપણે પર્યાય જે મલીન છે તે શુદ્ધ થાય છે. પર્યાય શુદ્ધ થવાથી પર્યાયવાન આપણું આત્મમાં લીન થઈ શકાય છે. આપણા મલીન પર્યાયને શુદ્ધ કરવા માટે અરિહંતાકાર ઉપગ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૫
કરવા જોઈએ. કરવા જોઇએ, અરિહ‘તાકાર ઉપયાગ વખતે ઉપયાગવાન આત્માના પર્યાય શુદ્ધ થાય છે.
પેાતાના આલંબનમાં ગાઢ રુપે સંલગ્ન થવાના કારણે ધ્યાતાનું ચિત્ત ની પ્રકલ્પ થઈ જાય તે ચિત્ત ધ્યાન કહેવાય છે.
ઉપયાગ એ જ્ઞાન-જ્યાતિ છે. આપણે કઇ વસ્તુને નિરખીએ છીએ તે વખતે તે વસ્તુને આપણે નથી જોતા પણ વસ્તુ ધ્માકાર અનેલા આપણા ઉપયાગને જોઈ એ છીએ. કલ્પનાથી પરમાત્માને આપણે જોઈએ છીએ તે વખતે પરમાત્મા આકાર અનેલા આપણા ઉપયાગને જોઈ એ છીએ. તે વખતે આપણા ઉપયાગ પરમાત્મા આકારવાળા ભને છે. અને ઉપયાગથી આત્મા અભિન્ન હાવાથી આપણા આત્મા જ પરમાત્મા આકારવાળા ભને છે. તે વખતે આત્મદર્શન થાય છે. આંખને જોવા માટે અરિસે જોઇએ. આત્માનુ' દર્શન કરવા માટે પરમાત્માને જોવા જોઇએ.
ધ્યેયાકાર ઉપયાગને ધ્યાન છે. વિજાતીય જ્ઞાન જ્યાં નથી અને સજાતીય જ્ઞાનની ધારા છે તે ધ્યાન' છે.
માતીની માળા બનાવીએ તેમાં મણકા તે પર્યાય છે. દારા તે ઉપયાગ (ગુણ ) છે. તેની માળા તૈયાર થાય તે દ્રવ્ય છે. મણકાને દારામાં પરાવવાની ક્રીયા વ્યવસ્થીત થવી જોઈએ, ઉપયાગ પરમાત્મક આકાર વ્યવસ્થીત થવા જોઇએ. માળા તૈયાર થયા પછી મણકા, દ્વારા વીગેરેનુ
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ધ્યાન રાખવાનું નથી. માળા પહેરવાનું સુખ ભેગવવાનું છે. તે રીતે આરહેતાકાર ઉપયોગ બન્યા છી અને ઉપગ આકાર આમામાં આવ્યા પછી (વિકલ્પ છેડીને) આત્મામાં પરમાનંદને અનુભવ કરવાનો છે. ઉપગ – આત્મા અને પરમાત્માને જોડી આપનાર પૂલ છે.
ધ્યાનભંગ શાથી થાય છે?
દેર કા હોવાથી મણકા વીખરાઈ જાય છે. દેરો વણીને મજબુત કરવો જોઈએ, એટલે કે ઉપયોગને પરમાત્મામાં વધુ લીન અને સ્થિર કર્યા પછી ઉપયોગથી અભિન્ન એવા આત્મામાં આવતાં વધુ સ્થિરતા અને આત્માના આનંદને અનુભવ થશે.
D
O YO
: AM વર્ષો સુધી જપ કર્યા. માળા ફેરવી છતાં મનમાં પવિત્રતાનું એક કિરણ પણ ન ફુછ્યું, કામ કોપરૂપી દુશ્મને પર વિજય ન મળ્યો, એક અણુ જેટલે પણ રાગ ઘટક્યો નહિ, તે સુવર્ણ ભસ્મને બદલે પત્થર ભસ્મ ખાધી અથવા અંદર કેઈ છૂપે વિકાર હતું તે સુવર્ણ ભસ્મની શક્તિને ખાઈ ગયો.
Page #223
--------------------------------------------------------------------------
________________
૩૪ હું અહં નમઃ
સાલંબન યાનના પ્રયોગ
wasababua sodkopaswa
Samosa
indowsphasino
પાઠ છઠ્ઠો
નવપદનું ધ્યાન ભિન્ન ભિન્ન રુચિવાળા અને ભિન્ન ભિન્ન પ્રકારના ક્ષયરામવાળા આત્માઓને જે પ્રક્રિયા લાગુ પડે તેમાં તેઓ આગળ વધી શકે તે હેતુથી આ પુસ્તકમાં પરમાત્મ ઉપાસના, ભક્તિ અને સાલંબન ધ્યાનના અનેક પ્રયોગ અને પ્રક્રિયાઓ બતાવી છે.
શરૂઆતમાં સાલંબન ધ્યાન પ્રયોગો બતાવ્યા છે. બીજા પાઠમાં નમસ્કાર મહામંત્રના જાપની પ્રથમ ભૂમિકા બતાવી છે. જાપમાં સ્થિરતા માટેની પ્રક્રિયા બતાવી છે. બીજી ભૂમિકામાં મંત્રાક્ષરોને સફેદ ચળકતા અને તે પછી જુદા જુદા રંગવાળા જેવાની અને તે રીતે મંત્રાક્ષરોમાં ચિતન્ય જગાડવાની પ્રક્રિયા બતાવી છે. અક્ષરોમાં ચિતન્ય જાગૃત થતાં થતા અનુભવો બતાવ્યા છે. ત્રીજી ભૂમિકામાં ધ્યા. પ્ર. ૧૨
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૭૮
તાત્વિક નમસ્કારનું સ્વરૂપ બતાવી જુદી જુદી બાર રીતે નવકારની આરાધના અને ધ્યાન દ્વારા આત્મ અનુભવ, આત્માના પરમાનંદની અનુભૂતિ સુધીની પ્રક્રિયા બતાવી છે. નમસ્કાર મંત્રનું ધ્યાન તેને પદસ્થ ધ્યાનનું સ્વરૂપ કહેવાય છે, તે પરમાત્માના નામનિક્ષેપની સાધના છે.
ત્રીજા પાઠમાં પરમાત્માનું મૂર્તિરૂપે દર્શન, પૂજન, સ્તવન અને ધ્યાન બતાવ્યું છે. પ્રથમ ભૂમિકામાં દર્શન અને ધ્યાનની પ્રક્રિયા બતાવી છે, બીજી ભૂમિકામાં પરમાત્માની પૂજાની ધ્યાન પ્રક્રિયા બતાવી છે. ત્રીજી ભૂમિકામાં પરમાત્માના સ્તવનમાં ધ્યાનની પ્રક્રિયા બતાવી છે. વિશિષ્ટ સાધકે માટે જિનભક્તિ દ્વારા આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયા બતાવી છે.
ચેથા પાઠમાં બાળકો માટેનું સહેલું ધ્યાન બતાવ્યું છે.
પાંચમા પાઠમાં જીવનનું ધ્યેય-લક્ષ શું રાખવું? તે માટે આ પુસ્તકના લેખકને ૨૦૧૩ માં ભીલડીયાજી તીર્થમાં ચૈત્ર મહિનાની આયંબિલની ઓળી પ્રસંગે અધ્યાત્મ યોગી પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજ સાથે થયેલ વાર્તાલાપ બતાવી – આ જીવનનું લક્ષાંક “આત્મઅનુભવ કર” – અને આવતા જીવનનું લક્ષાંક “પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ કરવું ” તે નિર્ણિત કર્યું.
તે પછી હવે પાંચમા-છઠ્ઠા પાઠમાં નવપદની આરાધના ધ્યાન આપણે જોઈએ.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૭૮
A Key to Radiant Success જવલંત સફળતાની ચાવી શ્રી નવપદની આરાધના બતાવી છે. નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકામાં રોજની નવપદની આરાધના છે. બીજી ભૂમિકામાં નવપદનું દયાન. ત્રીજી ભૂમિકામાં સાધન નાના છ સ્ટેજમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનું ધ્યાન બતાવ્યું છે. અને નવપદના ધ્યાન દ્વારા આત્મ અનુભવની પ્રક્રિયા બતાવી. છેલ્લે સાતમા-આઠમા પાઠમાં સિદ્ધચક્રનું ધ્યાન બતાવ્યું છે. તે ત્રણ પ્રકારે– કલાકાર આકૃતિ રૂપ, કલ્પવૃક્ષાકાર આકૃતિ રૂપ અને ચક્રાકાર આકૃતિ રૂપે બતાવ્યું છે.
આપણે હવે નવપદનું ધ્યાન કરીએ,
નવપદની આરાધનામાં વિકાસ સાધીએ. * Supramental Seminar of Supreme *
Authorities-Shree Navpad. વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓનો ભંડાર : નવપદે”
નવપદનું ધ્યાન અરિહંત ભગવંતે ઉપકારના ભંડાર છે. સિદ્ધ ભગવતે સુખના ભંડાર છે. આચાર્ય ભગવંત આચારના ભંડાર છે. ઉપાધ્યાય ભગવતે વિનયના ભંડાર છે.
સાધુ ભગવંતે સહાયના ભંડાર છે. પાંચેય પરમેષ્ટિએ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપમય છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સમ્યગદર્શન (Real and Creative Faith) સભાવનાઓને ભંડાર છે.
447232311t (Real and Creative Knowledge ) સદ્દવિચારોને ભંડાર છે.
સમ્યગચારિત્ર (Real and Creative Character) સદ્દવર્તનને ભંડાર છે.
સમ્યગૂતપ સંતેષને ભંડાર છે.
આ નવે પદે જગતનાં ઉત્કૃષ્ટ મહાનિધાને છે. છેલ્લાં ચાર પદો પંચ પરમેષ્ટિઓમાં ઉત્કૃષ્ટ રીતે રહેલાં છે. જગતની સર્વોત્તમ મહાવિભૂતિઓને સત્સમાગમ, સત્સંગ કરવાનું સ્થાન નવપદો છે. નવપદની આરાધના વખતે જગતના ત્રણે કાળના અનંત અરિહંત ભગવંતે, અનંત સિદ્ધ ભગવતે, અનંત આચાર્ય ભગવંતે, અનંત ઉપાધ્યાય ભગવંતો અને અનંત સાધુ ભગવંતોને સત્સમાગમ થાય છે. આવી અનંત ઉપકારી મહાન વ્યક્તિઓને મેળાપ નવપદ અને નમસ્કાર મંત્રમાં થાય છે.
" एतदाराधनात् सम्यगाराध्यं जिनशासनम् यतः शासनसर्वस्वमेतदेव निगद्यते । एभ्यो नवपदेभ्योऽन्यत् नास्ति तत्त्वं जिनागमे ततो नवपदी ज्ञेया सदा ध्येया च धीधनैः ।।"
(સિદ્ધચક્ર પૂજન વિધિ) આ નવપદનું આરાધન કરવાથી સમગ્ર જિનશાસનનું આરાધના થાય છે, કારણ કે આ નવપદે એ જ જિન
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૧
શાસનનું સર્વસ્વ છે. સમગ્ર જિનાગમમાં નવપદ સિવાય બીજું કોઈ પણ તત્ત્વ રહેલું નથી. માટે બુદ્ધિમાન જનોએ નવપદનું સમ્યગ્ન પ્રકારે જ્ઞાન મેળવીને, નિરંતર તેનું ધ્યાન કરવું તે જ સમ્યગૂ બુદ્ધિનું પરમ ફળ છે.
આવા નવપદેમાં આપણે શ્રી પાલ અને મયણાની જેમ કેવી રીતે લીન બનવું તે વિષે વિચારણું કરીએ.
નવપદની આરાધના અને ધ્યાન નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા:
નવપદની આરાધના જિનશાસનમાં ખૂબ જ પ્રચલિત છે. જેની શરૂઆત પ્રથમ ભૂમિકામાં આ રીતે કરીએ. દરાજની આરાધના – પ્રાગ નં. ૨૦
(૧) નવપદ (દેરાસરમાં નવપદને ગટ્ટો-મૂતિ હેય છે તે) ની અષ્ટપ્રકારી પૂજા.
(૨) નવપદના નવ સાથિયા.
(૩) નવપદનાં નવ ખમાસમણાં. (‘અરિહંતપદ ધ્યાને થો વગેરે દુહા બેલીને) (૪) નવપદની નવ માળાને જાપ.
» હી નમો અરિહંતાણું : હી નમો સિધાણું ૩હી નમે આયરિયાણું % હી નમે ઉવજઝાયાણું
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ૐ હી નમા લેાએ સવ્વસાહૂણ ૐ હ્રી નમે દસણુસ્સ
૩ હી નમા નાણસ્સ ૐ હ્રી નમા ચારિત્તસ ૐ હી નમા તવસ
(૫) ઇચ્છાકારેણ સસિહ ભગવન્ ! નવપદ આરાધનાથ કાઉસગ્ગ કરૂ ? એ રીતે નવપદની આરાધના નિમિત્તે નવ લાગસનો કાઉસગ્ગ
(૬) નવપદનું' ચૈત્યવદન, અનુકૂળતા હાય તા સ્તવનમાં ઉપાધ્યાય યÀવજયજી વિરચિત નવપદની એક પૂજા ગાવી. પહેલા દિવસે અરિહંત પટ્ટની પૂજા, બીજા દિવસે સિદ્ધપદની પૂજા. આ રીતે દશમા દિવસે ફરીથી અરિહંત પદની પૂજા આવશે.
(૭) શ્રાવકેાચિત નવકારશી, ચેાવિહાર, અભક્ષ્ય ત્યાગ આદિ નિયમિત કરવા.
(૮) આયંબિલની આળી આવે ત્યારે ઓળી કરવી. (૯) નવપદનુ· ધ્યાન નિયમિત કરવુ.
(૧૦) આળી સિવાયના દિવસેમાં ઉપરના સ્ટેજની આરાધના નિયમિત ચાલુ રાખવી. કારણ કે એક પથ્થરને આપણે ઊંચે ઊંચકીએ, તેવી રીતે આય બિલની આળીમાં આરાધના દ્વારા આપણા આત્માને ઊંચે ઊંચકીએ છીએ; પરંતુ એળી પૂરી થાય એટલે પાછે. નીચે હતા ત્યાં જ મૂકી
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૩
દઈએ છીએ. તેથી બીજી ઓળીમાં આત્માને ફરીથી પાછો નીચેથી ઊચકા પડે. પરંતુ ઊંચે ઊચકેલ પથ્થરની નીચે જે ટેકો મૂકી દઈએ તે બીજી વખત ત્યાંથી આગળ ઊંચે લઈ જવાય. તે રીતે ઓળી પૂરી થયા પછી દરરોજના જીવનમાં ઉપરની આરાધના ચાલુ રાખીએ તે બીજી ઓળી આવે ત્યારે ત્યાંથી આગળ ઊંચે જવાય. નવો વિકાસ સાધી શકાય. આ રીતે નવપદની આરાધના નિયમિત રોજના જીવનમાં ચાલુ રાખવી.
નવપદના ધ્યાનના વિષયમાં હવે વધુ વિચારીએ -
જૈન સંઘમાં નવપદની ઓળીની આરાધના મોટા પ્રમાણમાં થઈ રહી છે. હજારોની સંખ્યામાં ઓળીની આરાધના સર્વત્ર થાય છે. આપણા સંઘના યુવાન વર્ગમાં પણ ઓળીની આરાધના માટે અદ્ભુત આકર્ષણ વધી રહ્યું છે તે આપણું ભાવી શુભ છે તેનું સૂચક છે. હવે આટલે સુધી પહોંચ્યા પછી આ નવપદજીની આરાધના ઉપયોગ જોડવાપૂર્વકની કરીએ તે વધુ ઉદ્યોતના પંથે આપણે આગળ વધી શકીશું, તે નિઃસંશય છે. ઉપગ જોડવાપૂર્વકની ક્રિયા કરવી તે ધ્યાન છે. ઉપગ અન્યત્ર ફરતે હેય અને ખમાસમણાં પણ લેવાતાં હોય અને માળા પણ ગણતી હોય, તેનું ફળ આપે છે. સંપૂર્ણ ફળ મેળવવા ઉપયોગની સ્થિરતાપૂર્વક કિયા કરવી જરૂરી છે. નવપદના ધ્યાનની બીજી ભૂમિકા –
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૮૪
અરિહંતપદનું ધ્યાન :- પ્રયાગ નં. ૨૧.
જે અરિહંત પરમાત્મા આપણા પરમ ઉદ્ધારક છે, આપણા પ્રત્યે પૂર્ણ પ્રેમ અને કરુણાથી ભરેલા છે, જે પરાપ કારની પરિસીમાને પહેાંચી ગયા છે તેમના પ્રત્યે જેટલી કૃતજ્ઞતા આપણા હૃદયમાં ભાવિત થાય છે, તેટલા આપણે વધારે તેમની કરુણાના પાત્ર બનીએ છીએ. વરસાદ પડતા હાય ત્યારે જેનું પાત્ર ઊંધુ... હાય, તેનુ પાત્ર ખાલી રહે છે. જેનુ પાત્ર સીધું હાય, તેનું પાત્ર ભરાય છે; પછી પાત્ર વાટકા જેવડુ હોય કે થાળી જેવડુ હાય કે પછી સરાવર જેવડુ હાય, બધુ જ ભરાઈ જાય છે. પરમાત્માની કરુણા તે સ જીવા પર એકસરખી-એકધારી રહેલી છે. જે જીવાત્મા તે કરુણાને પોતાના હૃદયમાં ઝીલે છે, તેને તે કરુણાને પૂર્ણ લાભ મળે છે. પ્રભુની તે કરુણાને આપણા હૃદયમાં ઝીલવાના મ ંત્ર છે : ‘નમે અરિહંતાણં.' તે મંત્ર દ્વારા પરમાત્માની કરુણાને આપણા હૃદયમાં ઝીલવાની યાગ્યતાના વિકાસ થાય છે. Receptive attitude (ગ્રતુણશીલ વૃત્તિ) જેને પ્રાપ્ત થાય છે, તે પ્રભુની કરુણાના સપૂણૅ પાત્ર અને છે. તેના જીવનમાં પરમાત્માની કરુણા કાર્યશીલ બની જાય છે. આ રીતે પરમાત્માની કરુણા એ મહાન શક્તિ છે. તે નિરંતર આપણને સહાય કરી રહી છે.
પ્રયાગ :— પરમાત્મા અરિહંત દેવ આપણી સમક્ષ બિરાજમાન છે.
કરુણાના પૂર્ણ નિધાન છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
तिजयविजयचक्कू सिद्धचक्कं नमामि श्री सिद्धचक्र महायन्त्रम्॥
दी नमो सिद्धाणं
gी णमो दसणस्स
श्रीनमा आरित
आरहलार
अद्वौ णमो
तवस्स
अली नमो लोए सव्वसाहन
दी नमो आयरियाणं
नाणस्स
द्वी णमो
many
प
उही नमो उयज्झायाण
'हायपहाध्याण
11. us963
Page #232
--------------------------------------------------------------------------
________________
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૫
તેમના નેત્રમાંથી કરુણાની સફેદ દૂધ જેવી ધારા વહી રહી છે.
તેમાં આપણે સ્નાન કરીએ છીએ.
પરમાત્માની કરુણ આપણું મસ્તકમાંથી આપણું શરીરમાં પ્રવેશ કરે છે.
આપણું હૃદય પૂર્ણ ભરાય છે. આખા શરીરમાં કરુણું વ્યાપક બની જાય છે.
તેના પ્રભાવથી આપણું શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામે છે.
આપણે સુખ, શાંતિ અને આનંદ અનુભવ કરીએ છીએ.
આવું દશ્ય નજરની સામે રાખી “જી હી નમો અરિહતાણ” પદને જાપ કરો. જાપની એક માળા થયા પછી પણ ઉપરનું દશ્ય નજર સામે રાખી પ્રભુની કરુણામાં થોડે સમય સ્નાન કરવું. વિશેષ વિગતવાર પ્રયોગો આ પુસ્તકમાં અન્યત્ર છે તેથી અહીં વધુ વિગત લીધી નથી. સિદ્ધપદનું ધ્યાન:
સિદ્ધ ભગવતે સર્વ કર્મઆવરણથી મુક્ત બનેલા છે. તેઓ અનંત, અવ્યાબાધ, સ્વતંત્ર, સ્વાધીન એવા સુખમાં સદા નિમન છે, નિષ્કલંક છે, નિરામય છે અને અનર્ગળ આનંદના દિવ્ય ભંડાર છે. સ્વરૂપમાં રમનારા, સ્વરૂપના ભેગી અને સ્વરૂપસ્થિરત્વવાળા સચ્ચિદાનંદ રૂપ છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૫
અનંત સિદ્ધ ભગવંતા તેમના કેવળજ્ઞાનમાં વિશ્વના સર્વ જડ-ચૈતન્યના ત્રણે કાળના સર્વ પર્યાયાને જુએ છે અને જાણે છે. પરંતુ જગતના માણસાની જોવાની રીત જુદી છે, અને પરમાત્માની જોવાની રીત જુદી છે. પરમાત્મા કઈ ષ્ટિથી જગતને જુએ છે, તે શ્રી દેવચ`દ્રજી મહારાજ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં આ પ્રમાણે કહે છે :
“તુમ પ્રભુ જાણંગ રીતિ સવ જગ દેખતા, નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા, પરપરણિત અદ્વેષપણે ઉવેખતા.”
અનંત સિદ્ધ ભગવંતા અત્યારે જ આપણને જોઈ રહ્યા છે, પરંતુ તે આપણી વિભાવદશા, દેખભરી હાલત, પરપરિણતિઓ વગેરે પાપથી ખરડાયેલી આપણી વર્તમાન અવસ્થાની ઉપેક્ષા કરે છે અને ‘નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા.' પ્રત્યેક જીવમાં સત્તાએ રહેલું જે શુદ્ધ સ્વરૂપ છે, તેનું મૂલ્યાંકન કરે છે.
'
દલતયા પરમાત્માં એવ જીવાત્મા.”
CC
સત્તાથી દરેક જીવાત્મા પરમાત્મા સ્વરૂપ છે, અર્થાત્ આપણી અંદર સત્તાથી તેમના જેવું જ જે પૂર્ણ રૂપ રહેલુ છે, તે રૂપમાં અનંત સિદ્ધ ભગવંતા આપણને જોઈ રહ્યા છે. એટલે તેમના ઉપયાગમાં આપણુ' શુદ્ધ સ્વરૂપ છે અને જિનાગમના આલંબનથી જ્યારે આપણા ઉપયાગમાં તેમનુ શુદ્ધ સ્વરૂપ આવે છે, ત્યારે આપણા અને તેમના એક વૈજ્ઞાનિક સબંધ થાય છે. તેમના ઉપયેાગમાં આપણું
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૮૭
શુદ્ધ સ્વરૂપ અને આપણું ઉપયોગમાં તેમનું શુદ્ધ સ્વરૂપ આવતાં એક વિશિષ્ટ સંબંધ થાય છે, જેમાંથી આપણી અંદર રહેલા તેમના જેવા જ શુદ્ધ સ્વરૂપની સભાનતા ઉત્પન્ન થાય છે.
શુદ્ધ સ્વરૂપની સભાનતા (Awareness in Absoluteness) થતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, અને તેનો ઉપાય પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, સ્મરણ, ધ્યાન અને આજ્ઞાપાલન જ છે. તેથી પરમાત્મા આપણું સર્વસ્વ બની જાય છે. પરમાત્મા જ આપણું પ્રાણ, ત્રાણ, શરણ, આધાર બની જાય છે. તે જ આપણુ માતા, પિતા, નેતા અને બંધુ છે.
त्वं मे माता पिता नेता, देवो घर्मा गुरुः परः । प्राणाः स्वर्गाऽपवर्गश्च, सत्त्वं तत्त्वं गतिर्मतिः ॥
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત શકસ્તવ. વિશ્વમાં દર્શન કરવા લાયક, વંદન કરવા લાયક, પૂજન કરવા લાયક, સ્તવન કરવા લાયક કઈ હોય તો તે અરિહંત અને સિદ્ધ ભગવંત જ છે, તેવા ભાવથી સાધકનું હૃદય પરિપૂર્ણ ભરાય છે, સાધકની સર્વ વૃત્તિ અને પ્રવૃત્તિ પરમાત્મા ભણી ખેંચાય છે, તથા પર વસ્તુ પ્રત્યે જે આદર અને બહુમાન હતું તે પરમાત્મા પ્રત્યે ઉત્પન્ન થાય છે. રૂચિ પરમાત્માના સ્વરૂપમાં, રમણતા પરમાત્માના ગુણોમાં, તમયતા–તદ્રુપતા અને એકત્વ પરમાત્મામાં સધાય. છે, અને છેવટે Absorption in Atmaswarup–સવ
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૮૮
વૃત્તિઓ પરમાત્મામાં અને ઉપલક્ષણથી આત્મસ્વરૂપમાં fasira 417 3-Relaxation in Reality ( in real self) જેને આ માનવ જીવનનું પરમ અમૃત કહેવાય છે.
સાકરને દૂધમાં નાખવાથી તે ઓગળી જાય છે, તેમ મન આત્મા કે પરમાત્મામાં ઓગળી જાય, મન આત્મઉપગે-આત્મારૂપે પરિણમે તે જ સિદ્ધપદની પ્રાપ્તિને ઉપાય છે. આપણે સિદ્ધપદની પ્રાપ્તિના પરમ હેતુભૂત અનંત ગુણના નિધાન સિદ્ધભગવંતની ઉપાસના કરવાની છે. પ્રવેગ :–
સિદ્ધ ભગવતે અનંત ગુણના નિધાન છે. તે સિદ્ધ પરમાત્મા આપણી સમક્ષ બિરાજમાન છે.”
આપણે અનંતગુણના ભંડાર પરમાત્માનું દર્શન કરીએ છીએ........
હે કરુણામય પ્રભુ! આપ તે અનંત ગુણના પરમ નિધાન છે. મને અનંત ગુણથી ભરી દેવા કૃપા કરે......
પરમાત્માના સવ અંગોમાંથી ગુણને વરસાદ પડ શરૂ થયો છે
.(આવું દશ્ય જેવું.) પ્રભુના ગુણરૂપી ગંગાજળને ધોધ આપણા ઉપર પડી રહ્યો છે......... . (આવું સંવેદન કરવું.) તુમ ગુણગણુ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે, અવર ન ધંધે આદરું, નિશદિન તેરા ગુણ ગાઉં રે.
ગરુઆરે ગુણ તુમ તણું.........
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮૯
પ્રભુના ગુણરૂપી ગંગાજળમાં આપણે સ્નાન કરીને નિર્મળ બનીએ છીએ .... (શેડો સમય સ્થિર બની આવું સંવેદન કરવું.)
પ્રભુના ગુણરૂપી ગંગાજળ આપણા મસ્તકમાંથી આપણી અંદર પ્રવેશ કરે છે............. આપણે ઉત્તમ ગુણોથી ભરાઈ રહ્યા છીએ............................................ (આવું દૃશ્ય જેવું.)
પ્રભુના ગુણ ગંગાજળમાં સનાન કરતાં કરતાં “ હીન સિદ્ધાણં' પદને મંત્ર જાપ કરો. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દયા, દાન, પરોપકાર, કૃતજ્ઞતા, મિત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ ઉત્તમ ગુણેથી આપણે ભરાઈ ગયા છીએ................આપણે અનંત ગુણેથી પૂર્ણ ભરાઈ ગયા.
(સંકલ્પપૂર્વક આવું અનુભવવું) આચાર્યપદનું ધ્યાન :
પંચાચારનું પાલન કરનારા અને કરાવનારા, જિનેશ્વર ભગવંતના શાસનનો જગતમાં વિસ્તાર કરનારા, છત્રીસ ગુણના ભંડાર, આચાર્ય ભગવંતની આરાધના આપણે કરવાની છે. આચાર્ય ભગવંતની આરાધના કરવાથી આચારપાલનનું બળ આપણને પ્રાપ્ત થાય છે. પ્રવેગ :–
સવ આચાર્યોના પ્રતિનિધિ ગૌતમ ગણધર ભગવંત આપણુ સમક્ષ બિરાજમાન છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૦૦
Peos
પીળા વર્ણવાળા (સોના જેવા વર્ણવાળા) ગૌતમ મહારાજાનું ધ્યાન કરવું.
ગૌતમ મહારાજામાંથી પીળા વર્ણને પ્રકાશ નીકળે છે...............
........ ( આવું દશ્ય જેવું) તે પ્રકાશને આપણું અંતરામામાં ઝીલીએ છીએ. તે પ્રકાશ આપણા આખા શરીરમાં અને આત્મપ્રદેશમાં ફેલાય છે...
તેમાંથી આપણને આચારપાલનનું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે તે સંકલ્પ કર. આચાર્ય પદનો મંત્ર છ હી” નમો આયરિયાણું ”ને જાપ ઉપરના દશ્યના દર્શન અને સંવેદન પૂર્વક કર.
તે પછી અનંત લબ્ધિના નિધાન ગૌતમ મહારાજાના પીળા વર્ણના પ્રકાશથી આપણને આચારપાલનનું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે તે સંકલ્પ થેડી ક્ષણ માટે સ્થિર કરીને ધ્યાન કરવું. (આપણે કેઈ નિયમ લીધો હોય અને નિયમ પાળવા માટે આપણું મન જ્યારે ડામાડોળ થાય તે સમયે ઉપર મુજબને પ્રયોગ કરવાથી આપણા વ્રતનિયમમાં સ્થિરતા આવે છે.) બીજી રીતે પણ આ પ્રયોગ કરી શકાય. બીજી રીત :–
શ્રી ગૌતમ ગણધર ભગવત આપણું હૃદયમાં બિરા-જમાન છે.
હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજાનું ધ્યાન કરવું..
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૯૧
હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજામાંથી પીળા વર્ણના પ્રકાશ નીકળે છે............ તે પ્રકાશ આપણા આત્મપ્રદેશામાં ફેલાય છે............. (આવુ` સંવેદન કરવુ.) તે પ્રકાશના કિરણેાના દિવ્ય પ્રભાવથી આપણને આચારપાલનનું ખળ પ્રાપ્ત થાય છે
(આવા સ’કલ્પપૂર્વક સવેદન કરવું.) આવું ધ્યાન થોડો સમય અનુકૂળતા મુજબ કરવું. આ પ્રયાગથી આચારપાલનનુ ખળ પ્રાપ્ત થાય છે.
ઉપાધ્યાય પદનું ધ્યાન :
ઉપાધ્યાય ભગવતા વિનય ગુણના ભંડાર છે. દ્વાદશાંગી – શ્રુતજ્ઞાનનું અધ્યયન કરનારા અને કરાવનારા છે. ઉપાધ્યાય ભગવતાના હૃદયમાં એવા પ્રકારના કરુણાભાવ હોય છે કે મૂખ એવા મનુષ્ય પણ જે ઉપાધ્યાય ભગવંતને શરણે જાય તા પંડિત બને છે. પથ્થર જેવા જડ મનુષ્ય પણ ઉપાધ્યાય ભગવંતની ઉપાસના કરે તે! તેનામાં પશુ જ્ઞાનરૂપી અકુરા ઊગે છે.
“ જે ઉવજ્ઝાય સદા તે નમતાં, નાવે ભવભય Àાગ
આવા ઉપાધ્યાય ભગવ‘તને નમસ્કાર કરવાથી ભવભયના શાક અને ચિંતા ચાલ્યાં જાય છે. સ’સારના આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતા જીવા જ્યારે ઉપાધ્યાય ભગવતના શરણે જાય છે ત્યારે ખાવનાચંદનની જેમ શીતળતાના અનુભવ કરે છે. આથી ઉપાધ્યાય ભગવંતાની
22
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ઃઃ
આપણે ઉપાસના કરવાની છે. તેના મંત્ર છે – “ ૩% હી નમા ઉવજ્ઝાયાણુ,” ઉપાધ્યાય ભગવંતાની ઉપાસના કરવાથી જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન આપણે પુસ્તકામાંથી, શિક્ષકો પાસેથી અગર ખીજે ગમે ત્યાંથી મેળવી શકીએ છીએ, પરતુ તે જ્ઞાન મેાક્ષહેતુક અની શકતુ નથી. ઉપાધ્યાય ભગવંતની ઉપાસના દ્વારા તેમના જે અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તે અનુગ્રહ દ્વારા થેાડું પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તે પણિત જ્ઞાન થાય છે, અને માક્ષહેતુક અને છે,
પ્રયાગ :—
નીલમ રત્નના વર્ણવાળા ઉપાધ્યાય ભગવાન આપણી સમક્ષ બિરાજમાન છે..............
(આવું દૃશ્ય આંખ બંધ કરીને નજર સામે લાવવું.)
તે ઉપાધ્યાય ભગવંતમાંથી લીલા વના પ્રકાશ નીકળે
.............
તે પ્રકાશ આપણે ઝીલીએ છીએ...........
તે પ્રકાશ આપણા આત્મપ્રદેશામાં ફેલાય છે.............. તે પ્રકાશના પ્રભાવથી આપણને જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે................. આવા સંકલ્પ કરીને અનુભવ કરવા.) (આપણા હૃદયમાં લીલા વર્ણવાળા ઉપાધ્યાય ભગવત બિરાજમાન છે. તેમાંથી પ્રકાશ નીકળી આપણી અંદર ફેલાય છે તે રીતે પણ કરી શકાય.)
Page #241
--------------------------------------------------------------------------
________________
સાધુપદનું ધ્યાન –
જેઓ જિનેશ્વર ભગવંતની આજ્ઞાને અનુરૂપ જીવન જીવવાવાળા છે, જે કંચન-કામિનીના ત્યાગી છે, પાંચ મહાવતેને જે ધારણ કરનારા છે એવા સાધુ ભગવંતોની આપણે આરાધના કરવાની છે.
સકલ વિષય વિષ વારીને, નિકામી નિઃસંગીજી, ભવદવ તાપ શમાવતા, આતમ સાધન રંગીજી.
(શ્રી દેવચંદ્રજી કૃત સાધુપદની પૂજામાંથી.) વિષયનું ઝેર જેમને નિવારણ થઈ ગયું છે, નિષ્કામી એટલે આત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવા સિવાય જેમને કોઈ ઈરછા બાકી નથી, સકલ મુદ્દગલ સંગને ત્યાગ કરવાને જેમણે નિર્ણય કર્યો છે, જેમને ભવરૂપી દાવાનળ શાંત થઈ ગયું છે અને જેમની પાસે જનારને ભવ દાવાનળ પણ શાંત થઈ જાય છે, જે આત્મસાધનામાં સદા રક્ત છે તેવા સાધુ ભગવંતેની આપણે ઉપાસના કરવાની છે. મુનિરાજ કરૂણસિંધુ ત્રિભુવન-બંધુ પ્રણમું હિત ભણી.
(સાધુ પદની પૂજા.) મુનિરાજ કરૂણાના સિંધુ છે. ત્રણ જગતના પરમ બાંધવ છે. સુરિ પુરંદર હરિભદ્રસૂરિ મહારાજા “લલિત વિસ્તરા” ગ્રંથમાં “ધમ્મદયાણું” પાઠની ટીકામાં સાધુપદની વ્યાખ્યા કરે છે – ધ્યા. પ્ર. ૧૩
Page #242
--------------------------------------------------------------------------
________________
सामायिकादिगतविशुद्धक्रिया अभिव्यंग्य सकल सत्त्वहिताशय अमृत लक्षण स्वपरिणाम एव साधुधर्मः ।
સર્વ જીવોના હિતના આશયરૂપ આત્મામાં ઉત્પન્ન થયેલા (અજરામર પદને અપાવવાવાળા) અમૃતલક્ષણ પરિણામને સાધુ ભગવંતે સામાયિક આદિ વિશુદ્ધ ક્રિયા દ્વારા અભિવ્યક્ત કરે છે. તેવા સાધુભગવંતે સાધુધર્મનું પાલન કરનારા, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા અને દશ પ્રકારના યતિધર્મનું વહન કરનારા છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, સત્ય, શૌચ, અકિંચન, તપ, સંયમ, બ્રહ્મચર્ય – આ દશ પ્રકારના ધર્મને સાધુ ભગવંત જીવનમાં ધારણ કરે છે. દશ પ્રકારના ધર્મના પ્રભાવનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજા યેગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં ધમ ભાવનાના અધિકારમાં કહે છેઃ “આ પૃથ્વી નિરાધાર ટકી રહી છે, સૂર્ય, ચંદ્ર નિયમિત ગતિ કરે છે, સમુદ્ર પિતાની મર્યાદા મૂકતા નથી વગેરે વિશ્વનું આ બધું તંત્ર દશ પ્રકારના યતિધર્મના પ્રભાવથી વ્યવસ્થિત ચાલે છે.” આવા સાધુ ભગવંતો આપણી આરાધનામાં સહાય કરનારા છે. આપણને પણ આવું સાધુપણું કયારે પ્રાપ્ત થાય! તે સંકલ્પ કરીને “ હી નમે એ સવ્વસાહૂણું.” આ પ્રમાણે માળા ગણવી. માળા ગણતી વખતે નીચેનું દશ્ય નજર સામે રાખવું. પ્રયોગ :
સકલસવહિતાશય રૂપ અમૃત પરિણામ જેમને
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૫
નિર'તર છે એવા સાધુભગવ'તના નીલ આકાશ જેવા વ કલ્પવા. એવા સાધુભગવંત આપણી સમક્ષ બિરાજમાન છે. તેમનામાંથી નીલ વર્ણ ના પ્રકાશ નીકળે છે............. તે પ્રકાશ આપણા અતરાત્મામાં ઝીલીએ છીએ.... તે પ્રકાશ આપણા આત્મપ્રદેશમાં ફેલાય છે.... તેમાંથી સકલસત્ત્વહિતાશય અમૃત પરિણામ પ્રાપ્ત થાય છે. તે પરિણામથી સમિતિ, ગુપ્તિનું પાલન, મહાત્રતાનુ પાલન તથા દશ યતિધર્મોની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય છે.
સમ્યગ્રંદન :
જે જિનેશ્વર ભગવંતાએ કહેલુ છે તે જ સત્ય અને શકા વગરનું છે- આવા શ્રદ્ધાના પરિણામ તે સમ્યગ્દન છે. સમ્યગ્દન ગુણુના અધિકારી બનવા માટે આપણને આ જીવનમાં જે જ્ઞાન અને શ્રદ્ધા મળ્યાં છે તેનું માપ કાઢવુ જોઈ એ.
મેટા ભાગે મનુષ્ય પોતાને મળેલાં જ્ઞાન અને બુદ્ધિના અહંકારમાં રાચતા હોય છે. ચાર દિવસ પહેલાં મારે કર્યુ ભાજન કર્યુ હતું? ભીંતની પાછળ શું છે ? ક્ષણ પછી શું બનવાનું છે? પાતાના ઘરની સીડીનાં કેટલા પગથિયાં છે ? આટલુ પણુ જેને જ્ઞાન નથી, તેવા મનુષ્ય આ બુદ્ધિવાદના જમાનામાં પેાતાને મળેલ અલ્પ જ્ઞાન અને બુદ્ધિ ઉપર મુસ્તાક હોય છે. પરંતુ ખીજબુદ્ધિના ધણી ગૌતમ
Page #244
--------------------------------------------------------------------------
________________
ગણધર ભગવંતની બુદ્ધિ પાસે આપણી બુદ્ધિ કેટલી અતિ અ૫. કેવળજ્ઞાની ભગવંતેના જ્ઞાનની પાસે આપણું જ્ઞાન કેટલું? અતિ અલ્પ. આવી આપણી અ૮૫ બુદ્ધિ અને અલ્પજ્ઞાનના મદમાંથી છૂટવા માટે શું કરવું? અતિ નિર્મળ બુદ્ધિ અને પરિપૂર્ણ જ્ઞાનને વરેલા પરમાત્માનું આલંબન લેવું અને તેમના પરિપૂર્ણ જ્ઞાન પાસે પોતે કેટલે અલ્પ જ્ઞાનવાળે છે તથા પિતાની બુદ્ધિ કેટલી વિચિત્ર વાસનાઓથી ખરડાયેલી છે તેનું ભાન થતાં પરમાત્મા તીર્થંકર દેવનું કથન એ જ તેની શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. “તમે જ ઉના 4 નિર્દિ ” એ ભાવ પ્રગટ થ શરૂ થાય છે. પોતાની બુદ્ધિ અને જ્ઞાનને અહંકાર છોડીને મનુષ્ય જ્યારે વીતરાગ સર્વજ્ઞ તીર્થકર પરમાત્માએ કહેલાં તત્ત્વને સમજવા માટે પિતાની બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કરે છે, ત્યારે તે સમ્યગદર્શન ગુણ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે.
સમ્યગદશનની બીજી ભૂમિકા પણ એટલી જ સહેલી છે. “શુદ્ધ દેવ ગુરૂ ધમ પરીક્ષા સદ્દતણું પરિણામ.” સુદેવ, સુગુરૂ, સુધમ ઉપર પૂર્ણ શ્રદ્ધા તે સમ્યગ્ગદર્શનની બીજી ભૂમિકા છે.
સમ્યગદર્શનની ત્રીજી ભૂમિકા આત્મ અનુભવરૂપ સમ્યગદર્શન છે. આતમજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ.”
(પદ્મવિજય કૃત સમ્યગ્રદર્શનની પૂજા.)
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૯૭
આ આત્મ અનુભવરૂપ સમ્યગુદશનની પ્રાપ્તિ માટે મેહનીય કર્મની સાત પ્રકૃતિને ક્ષયે પશમ થવો જરૂરી છે. (ક્ષપશમ સમકિત વખતે સમકિત મેહનીયને ઉદય અને બીજી છ પ્રકૃતિને ક્ષપશમ હોય છે.) તે માટે જડ અને ચૈતન્યના ભેદવિજ્ઞાનની જરૂર પડે છે. પુદ્ગલ વિનાશી છે, હું અવિનાશી છું. પુગલનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે, મારું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપગ છે. પુદ્ગલ જડ છે, હું ચિંતન્ય સ્વરૂપ છું. આવું જડ-ચેતન્યનું ભેદવિજ્ઞાન દશન મોહનીયના ક્ષપશમનું કારણ છે. તેમાં પુદ્ગલથી ભિન્નતા ભાવિત થાય છે. અને ચૈતન્યથી એકતા ભાવિત થાય છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ મારું સ્વરૂપ સત્તાએ છે અને મારી અંદર જેવું ચૈતન્ય છે, તેવું જ ચૈતન્ય જગતના જીવમાત્રમાં છે. તેવી ભાવનાથી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવ ઉત્પન્ન થાય છે અને મંત્રી આદિ ભાથી ભાવિત બનાય છે, જેનાથી અનંતાનુબંધી કષાયને ક્ષપશમ થઈ આત્મ અનુભવરૂપ સમ્યગદર્શન ગુણને અનુભવ થાય છે.
આ રીતે સમ્યગદર્શનની આરાધનાથી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવથી–મૈત્રીભાવથી ભાવિત બનાય છે, અને આપણી અંદર રહેલા પરમાત્માના જેવા જ શુદ્ધ આત્મચૈતન્યની સહણ, પ્રતીતિ અને કિંચિત્ અનુભવ પણ થાય છે. આપણી અંદર રહેલા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ અને
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૯૮ અનુભવ માટે જિનભક્તિ એ તેનું અનુષ્ઠાન છે, અને સર્વ જીવ આત્મ સમાન છે, તે માટે જીવવી એ અનુષ્ઠાન છે–આવું આત્મઅનુભવ રૂ૫ સમ્યગદર્શન આપણને પણ પ્રાપ્ત થાય તે માટે સમ્યગદર્શનની આરાધના કરવાની છે, સમ્યગજ્ઞાન, સમ્યગુચારિત્ર, અને સભ્યતપ-હવે પછીના આ ત્રણે પદને પાય સમ્યગુદર્શન છે. તેનું ધ્યાન કેવી રીતે કરવું, તે જોઈએ. આ ધ્યાન પ્રક્રિયાથી વિકસિત સમ્યગુદર્શન છેવટે સમ્યગ્રચારિત્રમાં પરિણામ પામે છે. અને આ પ્રક્રિયાથી શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય આદિ સમ્યગુદર્શનના લક્ષણો અનુભવાય છે.
मैत्री प्रमोद कारुण्य माध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपस्कतुं तद्धि तस्य रसायनम् ॥
(યોગશાસ્ત્ર-ચોથ પ્રકાશ.) મિત્રી, પ્રમોદ, કરુણા, માયસ્થ આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રયજવી. કારણ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે.
આ દૃષ્ટિએ આપણે જે ધ્યાન કરવા ઈચ્છીએ છીએ તેના પ્રારંભમાં મિત્રી આદિ ભાવથી ભાવિત બનવું જરૂરી છે. પ્રયોગ :–
આવા મહાકરૂણાના નિધાન, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યસન ભંડાર પરમાત્માની કરૂણ જગતના જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારકી સુધી વરસી રહી છે. ચૌદ રાજલક પરમાત્માની કરૂણાથી
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૯૯
પરિપ્લાવિત થઈ રહ્યું છે.......................
(આવું દશ્ય આપણે જોઈએ છીએ.) અતિ અદભુત અને આનંદમય દશ્ય આપણે જોઈએ છીએ. તેનાથી આપણું હૃદયમાં ભાલ્લાસ ઉત્પન્ન થાય છે. આપણા હૃદયમાં પણ સર્વ જીવ સાથે મૈત્રીભાવ ઉલ્લસિત થાય છે. આપણે જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના પણ પરમાત્માની કરૂણ સાથે મળે છે............
અદ્દભુત ભાલ્લાસ આપણામાં પ્રગટે છે................
સર્વ જેનું કલ્યાણ થાઓ............... સવ જ દુખ મુક્ત બને.... ....... સવ જેનાં પાપ નાશ પામે................. સર્વ જીવોને પરમાત્માનું શાસન મળે............... બધા જ બાધિબીજને પામે........................ સર્વને મોક્ષ મળે .... આ જીવ મારા આત્માની સમાન છે. મને સર્વ પ્રત્યે મૈત્રી છે.... મને સર્વ પ્રત્યે નેહભાવ છે........... સર્વ જી સત્તાએ પરમાત્મતુલ્ય છે.............. પરમાનંદ કંદ છે અને અનંત ગુણના વૃંદ છે.” સર્વ જીવ પ્રત્યે મને પૂર્ણ પ્રેમ છે...... સર્વનું કલ્યાણ-મંગળ થાઓ. સૌને આનંદ થાઓ..
-
-
-
- -
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સર્વ જી પ્રભુની કરૂણના પાત્ર છે, તેથી મારા પરમ બાંધવ છે.
સર્વ જીવ ઉપર કરૂણાને વરસતી જેવી...પ્રભુની કરૂણામાં આપણે કરૂણભાવ ભેગે મળ્યો છે. પ્રભુની કરુણાના મહાસાગરમાં આપણે બિન્દુરૂપ ભાવ ભળી જાય છે.
દિક બિન્દુ સાયર ભર્યો.” (In tune with Infinite) આવી અવસ્થા છે......(આવું સંવેદન કરવું.) આપણું અલગ વ્યક્તિત્વ એગળી ગયું છે.......... ... સમષ્ટિમાં આપણે ભળી ગયા છીએ.......................... વિશ્વમય પરમાત્મા એ આપણું સર્વસ્વ છે............... મૈત્રીભાવને પરમ આનંદ આપણે અનુભવીએ છીએ.”
નોંધ: આ રીતે મિત્રીભાવનાનું ધ્યાન કરવાથી જગતના જીવો પ્રત્યે સ્નેહપરિણામ – સર્વના હિતની બુદ્ધિ વધતી જાય છે. તેનાથી જીવનમાં અનુકંપા, દયા, દાન, પરેપકાર આદિ ગુણે ખીલે છે. છેવટે તે જગતના જીવે પ્રત્યેનો આત્મસમાન ભાવ, અહિંસાદિ વ્રતો, ક્ષમાદિ ધર્મો, સમિતિ, ગુપ્તિના પાલનમાં પરિ– ગુમવા રૂપ ચારિત્રધર્મને ખેંચી લાવે છે.
આ આરાધના નિત્ય કરવાથી સર્વ જીવો પ્રત્યે પ્રેમ, કરુણા, મિત્રી વિકસિત થાય છે. ક્રોધ, માન, માયા આદિ કષા પાતળા પડે છે અને સાધના સમયે દિવ્ય આનંદ
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૧
અને સુખને અનુભવ થાય છે. જેની સાથે વેર, અમૈત્રી થઈ હોય તેના ઉપર કરુણું ખાસ વરસાવવી; તેથી સામાના ભાવો બદલાઈ જશે. પરસ્પર મિત્રી ઉત્પન્ન થશે.
આ મૈત્રીભાવનાની આરાધના – ધ્યાનથી સમ્યગદર્શનનાં શમ અને અનુકંપા ગુણ વૃદ્ધિ પામે છે. શમ અને અનુકંપા સમ્યગદર્શનનાં લક્ષણ છે.
સમ્યગદર્શનના ધ્યાનને બીજો પ્રવેગ :-આ પુસ્તકના પગ નંબર ચાર પ્રમાણે કરો.
તેનાથી સમ્યગુદર્શન સમયે આત્મસ્વરૂપની પ્રતીતિ અને કિંચિત્ અનુભવ થાય છે. આત્મસ્વરૂપના આનંદને થડે રસ ચાખ્યા પછી જીવ નિરંતર તેની ઝંખના કરે છે. આ અનુભવ કરવા માટે પ્રવેગ નંબર ચાર મુજબ ધ્યાન કરવું.
આત્મરમણતાને પરમાનંદ તે સર્વ સંગ છોડ્યા પછી ચારિત્રધર્મમાં જ મળે. તે કારણે ચારિત્રપદ પ્રાપ્તિની તીવ્ર ઝંખના થાય છે. “સાધુ ધર્માભિલાષાશય રૂપ શ્રાવક ધર્મ” સાધુધર્મની તીવ્ર અભિલાષા રૂપ શ્રાવકામ આવે છે. જેમાં શ્રાવકધર્મને અનુરૂપ ક્રિયા-અનુષ્ઠાનની રૂચિ વધતી જાય છે. સમ્યક્ત્વની અને શ્રાવકધર્મની આચરણમાં ઉત્સાહ વધતું જાય છે. કારણ કે જેમ જેમ તેની જિનાજ્ઞાપાલનની રૂચિ વધે છે, તેમ તેમ આત્મા અનુભવ અને મોક્ષની પ્રાપ્તિ માટેની ચગ્યતા વધતી જાય છે. અને છેવટે “સંયમ કબ મિલે ? મેં સમકિત ગુણઠાણ ગવારા, આતમસે કરત
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૦૨
વિચારા” આ વિચાર તેને ચારિત્રપદમાં ખેંચી જાય છે. સમ્યક્ત્વ છેવટે ચારિત્રમાં પરિણમે છે. સયાજ્ઞાન પદ :–
જીવનને કેઈપણ મહત્ત્વનો નિર્ણય કૃતજ્ઞાનના આલંબને કરવામાં આવે છે. શ્રુતજ્ઞાનને અભ્યાસ કરવાથી વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને વિવેકથી જીવનને સાચે નિર્ણય આપણે કરી શકીએ છીએ. આપણે આ જીવનમાં શું કરવું અને શું ન કરવું? કઈ વસ્તુ મેળવવી અને કઈ વસ્તુ છેડી દેવી? શું ખાવું અને શું ન ખાવું? આવા પ્રશ્નોને નિર્ણય જે આપણી બુદ્ધિથી કરવા જઈએ, તે આપણે બુદ્ધિ મિથ્યામાહથી વાસિત હોવાથી આપણી બુદ્ધિથી કરેલા નિર્ણય ખોટા અને અધૂરા થાય છે. માટે હેય અને ઉપાદેય, કતવ્ય અને અકર્તવ્ય, ભક્ષ્ય અને અભક્ષ્ય, તેને નિર્ણય શ્રુતજ્ઞાનને આલંબને કરવામાં આવે છે. તે શ્રુતજ્ઞાન જ્યારે ઊંડું ચિંતન સ્વરૂપ બને છે ત્યારે તે ભાવનાજ્ઞાન બને છે અને ભાવનાજ્ઞાન જ્યારે પરમેષિપદોના ધ્યાન સ્વરૂપ બને છે ત્યારે અનુભવજ્ઞાન બને છે. આવું અનુભવજ્ઞાન–જેમાં શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવને પરમાનંદ હોય છે તે માટેનો ધ્યાનપ્રવેગ સમ્યગુદર્શનમાં બતાવ્યો. તે વધારે ઊંડાણમાં જઈ કરવાનું હોય છે. અગર બીજા અનેક પ્રકારે આત્મઅનુભવ રૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સમ્યગચારિત્ર પદ;
સમ્યગદષ્ટિ આત્માના હૃદયમાં નિરંતર ભાવ રહે છે
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦૩
કે સર્વ જી આત્મસમાન હોવા છતાં, હું સર્વ જીવ સાથે. આત્મસમાન ભાવે વર્તન કરી શકતા નથી, તેથી મને ક્યારે જિનેશ્વર ભગવંતોએ કહેલો ચારિત્રધર્મ પ્રાપ્ત થાય અને સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે હું વર્તન કરવાવાળા બનું? બીજી તરફ સમ્યગૃષ્ટિ આત્મા પોતાના આત્મામાં પરમાત્માના જેવું જ સ્વરૂપ સત્તામાં રહેલું છે તે જાણીને તે સ્વરૂપનો અનુભવ કરવા માટે નિરંતર પરમાત્માની ભક્તિ, અજ્ઞાપાલન આદિમાં રક્ત હોવા છતાં સંસારમાં અનેક પ્રકારની વિટંબણુ હોવાથી સંપૂર્ણપણે પરમાત્મા સાથે ધ્યાનની એકતા દ્વારા પરમાનંદને અનુભવ અને સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરી શકતો નથી. તેથી સમ્યગૃષ્ટિ આત્મા ઝંખે છે કે ક્યારે મને પરમાત્માએ કહેલ (પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂપ) ચારિત્ર ધર્મ પ્રાપ્ત થાય અને પૂર્ણ પણે પરમાત્માની આજ્ઞાનું પાલન કરી પરમાત્મા સાથે અભેદ ધ્યાન સિદ્ધ કરી, આત્મસ્વરૂપ રમણુતારૂપ શુદ્ધચારિત્રના પરમાનંદને અનુભવ કરું?
ઉપાધ્યાય યશોવિજયજી કૃત “સમ્યગ્રદર્શનની પૂજામાં “નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ કરણ રુચિતા ઉછળે” એટલે સમ્યગૃષ્ટિ આત્માને પિતાની શુદ્ધ આત્મસત્તાને. અનુભવ કરવાની તીવ્ર ઈચ્છા ઉછાળા મારે છે, પં. પદ્મવિજયજી કૃત “સમ્યગદશન”ની પૂજામાં
પ્રભુ નિર્મળ દર્શન કીજીએ; આતમજ્ઞાનકો અનુભવદર્શન સરસ સુધારસ પીજીએ.”
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૦૪
એટલે કે “હે પ્રભુ! મારું દર્શન-સમ્યક્ત્વ નિર્મળ કરે. આત્મસ્વરૂપનો અનુભવ તે સમ્યગદર્શન છે, તે સમ્યગદર્શનરૂપ ઉત્તમ અમૃતરસનું પાન કરીએ.”
સમ્યગદર્શન ગુણસ્થાનકે રહેલ આત્મા ભાવના કરે છે?
“સંયમ કબ મીલે? સસનેહી પ્યારા હૈ. ચું સમકિત ગુણઠાણ ગવારા, આતમ કરત વિચારા હે.
સંયમ કબ મીલે ?” સમ્યગદષ્ટિ આત્માની આવી નિર્મળ પવિત્ર ઝંખના છેવટે શુદ્ધ ચારિત્રરૂપે પરિણમે છે અને સમિતિ ગુપ્તિના પાલન, મહાવ્રતો અને ક્ષમાદિ ધર્મો દ્વારા સર્વ જી સાથે આત્મસમાન શુક્ર વ્યવહાર ઉત્પન્ન થાય છે; અને પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા સ્વરૂપદમણુતા અને તે દ્વારા પરમાનંદના અનુભવરૂપ નિશ્ચય ચારિત્રરૂપે આત્મા સ્થિર બને છે. તે વખતે સ્વરૂપ રમણતાના પરમાનંદના અનુભવનું સુખ બાર માસના ચારિત્ર પર્યાયવાળાને અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખને અનુભવ કરાવે છે. “બાર માસ પર્યાયે જેહને, અનુભવ સુખ અતિક્રમીએ.”
(ઉ. યશોવિજયજી કૃત નવપદ પૂજા) જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતે રે.” ચારિત્ર ગુણ વળી વળી નમે, તવ રમણ જસુ મૂલો છે.”
( ચારિત્રપદની પજા)
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૫
આવા નિર્મળ સ્વરૂપ રમણતા રૂપ શુદ્ધ ચારિત્રના. મૂળમાં સમ્યગુદશન છે. અને સમ્યગદર્શનની નિમળતા અરિહંતાદિ પરમેષ્ઠિઓના ધ્યાન, ઉપાસના અને આજ્ઞાપાલન દ્વારા થાય છે.
પરમાનંદની પરાકાષ્ટાએ પહોંચેલા પરમાત્માનું સ્મરણ, દર્શન, પૂજન, વંદન, સ્તવન અને ધ્યાન સાધકને પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ છે.
શરૂઆતમાં તે આપણે જીવ બાહ્ય વસ્તુઓમાં સુખ અને આનંદ માટે દેડતા હોય છે અને રાત-દિવસ તે માટે જ પ્રયત્નશીલ હોય છે. પરંતુ જીવનમાં જ્યારે સદ્દગુરૂની કૃપા દ્વારા પરમાત્મસ્વરૂપને પિછાને છે અને જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ પિતાનું સ્વરૂપ છે –એવું જાણે છે, ત્યારે તેના જીવનમાં સાચે રાહ ઊઘડે છે.
“પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે; દ્રવ્ય તણે સાધમ્ય સ્વસંપત્તિ ઓળખે.”
પરમાત્મા સાથે આત્મદ્રવ્યનું સાધર્મિકપણું ખ્યાલમાં લાવીને, પોતાની અંદર અનંત સુખ અને આનંદનું નિધાન રહ્યું છે તેવી ઓળખાણ સાધકને થાય છે.
ઓળખતાં બહુ માન સહિત રુચિ પણ વધે, રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.”
આજ સુધી આદર-બહુમાન મુદ્દગલનું છે, રુચિ પર પુદ્ગલની છે, વીર્ય પરઅનુયાયી છે, રમણતા પરવસ્તુમાં
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૦૬
છે, આપણું આખી ચેતના પુદ્ગલ અનુયાયી બની ગઈ છે. તે ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવા માટે જેનું સંપૂર્ણ શુદ્ધ પરમાનંદ સ્વરૂપે પ્રગટ થયું છે, તેવા પરમાત્માનું આલંબન લેવું પડે છે. પરમાત્મસ્વરૂપને અવલખેલું આપણું ચિંતન્ય, પરમાત્મ ગુણના રંગે રંગાયેલી આપણું ચેતના, પરમાત્મગુણ રસિક બનેલી આપણી ચેતના, છેવટે આત્મસ્વરૂપ અનુયાયી બની શકે છે. તેથી પરમાત્મા મોક્ષ પ્રાપ્તિના પુષ્ટ નિમિત્ત છે. તે જ એક આધાર, પ્રાણ, ત્રાણ, શરણ છે. તે જ એક દશન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સ્મરણ કરવા લાયક છે - તે ભાવ પ્રગટ થતાં અનાદિથી પુગલ અનુયાયી બનેલું ચૈતન્ય, પરમાત્મા તરફ આદર, બહુમાન, રુચિવાળું બને છે. પરમાત્માના ગુણોમાં રુચિ થતાં, રુચિ અનુયાયી વીર્ય તે નિયમ મુજબ આત્માની બધી શક્તિઓ પરમાત્માની નિકટ દિશામાં કાર્યશીલ બને છે. દશન જ્ઞાનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન, શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીન. પૂજના તે કીજે રે બારમા જિનતણ.
( શ્રી દેવચંદ્રજી કૃત) પશમ ભાવે અંશતઃ ખુલ્લાં થયેલાં આપણાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય જે પરપુગલ અનુયાયી હતાં, તે પરમાત્મ અનુયાયી બને છે અને પરમાત્મામાં તન્મયતા, તક્ષતા, એકતા ઉત્પન્ન થાય છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૦૭
શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતના, પામે આત્મસ્વભાવ.”
પરમાત્મ તત્વ સાથે એકત્વ સાધતાં પોતાના આત્મામાં રહેલા પરમાનંદમાં પ્રવેશ થાય છે, અને તેમાં સ્થિરતા થતાં, આત્મસ્વરૂપને અનુભવ થાય છે. તે અનુભવ જ વિશ્વ ઉપરનું પરમ અમૃત છે. આવા પરમામૃતનું પાન કરવું તે માનવજીવનનું પરમ લક્ષ્ય છે. તે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ચારિત્રપદની પ્રાપ્તિની તીવ્ર અભિલાષાપૂર્વક “ ૩૪ હી નમે ચારિત્તરસ” પદનો જાપ કરો – આ રીતે ચારિત્રપદની આરાધના કરવી. સમ્યગદર્શન પદમાં બતાવેલ પરમાત્મ ધ્યાન અને મિત્રીભાવનાનું ધ્યાન વિકસિત થતાં છેવટે ચારિત્રમાં પરિણામ પામે છે. તે વખતે સ્વરૂપ રમણતા રૂપ ચારિત્રને પરમાનંદ અનુભવાય છે. આવું ચારિત્ર આપણને પણ પ્રાપ્ત થાય તેવા લક્ષ્યપૂર્વક ચારિત્રપદનું આરાધન કરવું. સમ્યગ્રત૫ પદ :–
છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારને તપ છે; જેનું ફળ મિક્ષ પદ છે. ઈન્દ્ર અને ચકવતીની સંપત્તિ એ જેનું ફૂલ છે. સમતારૂપ અમૂલ્ય જેને રસ (મકરંદ) છે, તે તપને જ્ઞાની પુરુષ કલ્પવૃક્ષ સરીખું કહે છે. કહ્યું છે કેફળ શિવસુખ મહેસું, સુર નરવર સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરતરૂ સરિખે વંદુ, સમ મકરંદ અમૂલ રે.
ભવિકા સિદ્ધચક પદ વંદે. વંદીને આનંદે રે ભવિકા, નાવે ભવભવ ફેદ રે ભવિકા; ટાળે દુરિતહ દંદ રે ભવિકા, સેવે ચોસઠ ઈન્દ રે ભવિકા;
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉપશમ રસને કંદ રે ભવિકા, જિમ ચિરકાલે નંદો રે ભવિકા શ્રી શ્રીપાલે સેવ્ય રે ભવિકા, મયણાએ આરાધો રે ભવિકા.
સિદ્ધચક પદ વંદો.
(નવપદની પૂજા આ તપપદ જગતનું સર્વોત્કૃષ્ટ મંગલ છે. તે તપ ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે. કર્મ નિકાચિત પણ ક્ષય થાયે, ક્ષમા સહિત જે કરતાં.”
આવી અપૂર્વ ભાવપૂર્વક તપ પદને મંત્ર જપ “૩૪ હી નમે તલસ્ટકરો.
તાવિક રીતે ઈચછાઓના નિરોધરૂપ સંવર કરી, મન, વચન, કાયાની એકાગ્રતાથી સમતારસમાં પરિણમન કરી, આત્મા પોતાના ગુણોને ભેગા કરી સ્વરૂપમાં રમણતા કરે તે જ તપ છે.
સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના છેલ્લે સ્વરૂપરમાણુતામાંથી સ્વરૂપસ્થિરતા રૂપે તપપદમાં પરિણમશે.
ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે.
આ રીતે નવપદનું ધ્યાન આપણે સૌ આરાધીએ. આપણું ભૂમિકાને અનુરૂપ કિયા - અનુષ્ઠાન પૂર્વક નવપદનું ધ્યાન નવ ભવમાં મોક્ષને આપનાર બને છે.
જ્ઞાન વિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દુરિત ગમાવે, વિશ્વ જયકાર પાવે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૮
પૂ. જ્ઞાનવિમલસૂરીશ્વરજી કહે છે – આ સિદ્ધચક્રના પ્રભાવે સર્વ દુઃખ અને કર્મને ક્ષય થઈ પરમ આનંદમય આત્મસ્વરૂપ પ્રગટ થાય છે.
ઈસ્યા નવપદ ધ્યાનને જેહ ધ્યાયે,
સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે.
આ નવપદના ધ્યાનને આપણે નિરંતર ધ્યાઈએ; જેનાથી પરમાનંદમય આત્મસ્વરૂપનો અનુભવ અને છેવટે તેની પ્રાપ્તિ થાય છે. એમ નવપદ યુતે તિહાં લીનો, હુએ તન્મય શ્રીપાલ.
શ્રીપાલ અને મયણાએ નવપદનું ધ્યાન કર્યું હતું. આપણે પણ આપણી ભૂમિકા મુજબ નવપદની સર્વ પ્રકારે આરાધનાપૂર્વક ધ્યાન કરીએ.
નવપદની આરાધનાનું મૂળ આત્મભાવ છે. નવપદમાં આત્મા છે અને આત્મામાં નવપદ છે. આ વસ્તુને આપણે વિશેષ રૂપે સમજીએ. નવપદની સાધના દ્વારા વિકાસકમની ભૂમિકાઓ :
Observation of Absoluteness નવપદમાં આપણુ આમાના પૂર્ણ સ્વરૂપનું દર્શન:
જ્યારે આપણે પરમાત્માનું દર્શન કરીએ છીએ, ત્યારે અનંતકાળથી (એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અનંત ભામાં) વિસરાઈ ગયેલું આપણું પિતાનું આત્મવ્યા. પ્ર. ૧૪
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૦
છે
સ્વરૂપ છે, તેની સભાનતા થાય છે. મહાપુરુષે કહ્યુ “ દીઠા સુવિધિ જિષ્ણુંદ સમાધિરસે ભર્યા, ભાયેા આત્મસ્વરૂપ અનાદિના વીસ.”
જ્યારે દેવાધિદેવ પરમાત્માનું દન કરીએ છીએ ત્યારે આપણને આપણું પેાતાનું પરમાત્મા જેવું જ વિસરાઈ ગયેલું મૂળ સ્વરૂપ યાદ આવે છે. પરમાત્માનું દર્શન કે સ્મરણ તે આપણા પેાતાના જ Absoluteપૂર્ણરવરૂપનું Observation-żન છે. નવપદા એ આપણાં પેાતાનાં જ નવ દિવ્ય રૂપે છે.
Determination of Destination
ધ્યેયના નિષ્ણુય
પરમાત્માના દર્શનથી, તેમના જેવા જ આપણા આત્મસ્વરૂપની સભાનતા થાય છે. અને ‘સત્તાએ આપણા આત્મામાં પરમાત્માના જેવા જ અનંત સુખ અને આનંદના ખજાના છે તેવુ... સમજાય છે, ત્યારે મારે હવે તે જ જોઈએ? તેવા વિચાર આવે છે. પછી તે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું. તેવુ' ધ્યેય નક્કી થાય છે.
"
<
પ્રભુ મુદ્રાને ચાગ, પ્રભુ પ્રભુતા લખે; દ્રવ્ય તણે સાધર્મી સ્વ-સપત્તિ ઓળખે, એળખતાં બહુમાન, સહિત રુચિ પણ વધે, રુચિ અનુયાયી વીય, ચરણુધારા સધે. ( શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન. )
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧૧
"
માટે ‘નમા સિદ્ધાણુ” તે સવ ચૈયાનું મૂળ – ધ્યેય બિંદુ છે. પ્રાપ્ત કરવા લાયક શું છે? તેના નિણ્ય નમ સિદ્ધાણું'ના ધ્યાન દ્વારા થાય છે.
અત્યારે તા માત્ર આપણુ' ધ્યેય એટલું જ છે કે મારી પાસે ૧૦ લાખ અને પાડાશી પાસે ૨૦ લાખ છે, તે મારે ૨૦ લાખ ભેગા કરવા. આપણે ૨૦ લાખ ભેગા કરવા જઈએ છીએ, ત્યાં તે પાડોશી પાસે ૪૦ લાખ થઈ જાય છે. એટલે આપણે પણ ૪૦ લાખ ભેગા કરવા જઇએ છીએ. અને આપણી પાસે ૪૦ લાખ થાય, ત્યાં તે પાડાશી પાસે ક્રોડ થઈ જાય છે. એટલે આપણે પણ ક્રોડ ભેગા કરવા જઈએ છીએ. ત્યાં વચ્ચે આયુષ્ય પૂરુ થઈ જાય છે, અગર તે પૈસા આપણી પાસે પૂરતા થઈ જાય છે ત્યારે અસે-ચારસા માણસના સર્કલમાં – જેમાં આપણે વસીએ છીએ તેમાં ‘અમે કાંઈ જેવા તેવા નથી’ એવુ સાબિત કરવા પાછળ દોડીએ છીએ. ‘ બીજા કરતાં અમે પણ ચઢિચાતા છીએ' તેવુ* સાખિત કરવા માનવજીવનનેા માટા ભાગના સમય ખર્ચાય છે.
આ કાંઈ માનવજીવનનું ધ્યેય નથી. પરંતુ જ્યારે મનુષ્ય પરમાત્માનું સ્વરૂપ જાણે છે અને તેવું જ સ્વરૂપ પાતાની અંદર રહેલુ છે અને તે પ્રાપ્ત થઈ શકે તેમ છે, તેવું જ્ઞાન તેને અરિહંત – સિદ્ધ ભગવંતાનાં દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સ્મરણુ રૂપ નમસ્કારભાવથી થાય છે, ત્યારે મનુષ્ય પેાતાનું આત્મસ્વરૂપ પ્રગટ કરવું તેવુ' ધ્યેય-લક્ષ્ય
-
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૨
નક્કી કરે છે. જો કે આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું ધ્યેય પૂર્ણપણે
જીવનમાં પ્રાપ્ત થઈ શકે તેમ નથી, કારણ કે અત્યારે આપણી પાસે તે માટેની પરિપૂર્ણ સામગ્રી નથી, પરંતુ આ જીવનમાં તે ધ્યેયને પહોંચવા માટે ક્યાં સુધી જઈ શકાય તેમ છે ?
તે બધા જ્ઞાની પુરુષને એક જ અભિપ્રાય છે કે આ જીવનમાં આત્માનુભવ, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર કરી શકાય છે અને તે દ્વારા પરમાનંદને અનુભવ થઈ શકે છે. તથા ભવાન્તરમાં અનુકૂળ સંગ-સામગ્રી મળતાં પૂર્ણ આત્મસ્વરૂપે પ્રગટ કરી શકાય છે. વર્તમાનમાં જીવનનું લક્ષ્યબિંદુ આત્મસાક્ષાત્કાર દ્વારા પરમાનંદને અનુભવ, અને ભવાન્તરનું લક્ષ્યબિંદુ પૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવી તે આ રીતે નિર્ણત થાય છે. તેને જ Dynamic desire of Destination - મેક્ષની તીવ્ર ઈરછા (સંવેગ) કહેવાય છે. નવપદનું જ સ્વરૂપ છે તેવું જ દિવ્ય સ્વરૂપ મારા અંદર છે અને મારે હવે તે જ જોઈએ છે તેવા ધ્યેયને નિર્ણય નવપદના આલંબને થાય છે.
1. Architect of Originality. મૂળભૂત આત્મચેતન્ય પ્રગટ કરવાનો પ્રયુ પ્રિન્ટ
આત્મસ્વરૂપ પ્રગટ કરવું એ જ એક માનવજીવનનું ધ્યેયબિન્દુ છે તેવો નિર્ણય પરમાત્મદર્શન તથા અરિહંત અને સિદ્ધપદના ધ્યાન દ્વારા થાય છે. મકાન બાંધવા.
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૩
–
નિષ્ક્રય કર્યો પછી આર્કિટેકટની પાસે નશે! આપણે કરાવીએ છીએ. અને લૌકિક આર્કિટેકટની કળાને સારી રીતે જાણનાર Civil Engineer મકાન બાંધતાં પહેલાં blue print – નકશા તૈયાર કરી આપે છે. તે રીતે આઠે દ્રશ્યકર્માંના અને ભાવકમ ( રાગ-દ્વેષ-માહ અને અજ્ઞાન)ના અંધનમાં રહેલા આપણા આત્માને પ્રથમ ગુણસ્થાનકથી આરમાં ગુણસ્થાનકના અંત ભાગ સુધી પહોંચાડવાના blue print – નકશેા નવપદના ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે. આર્કિટેકટની સર્વોત્કૃષ્ટ કળા જે આપણા મૂળ સ્વરૂપ સુધી પહોંચાડે છે, તે કળા નમસ્કાર મહાસત્ર અને નવપદમાં રહેલી છે.
-
પ્રથમ ગુણસ્થાનકથી ચતુર્થાં ગુણસ્થાનકે કેવી રીતે પહોંચવું ? ચરમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણુ રૂપ મહા સમાધિ, અનિવૃત્તિકરણ અને અંતરકરણ દ્વારા સમ્યગ્દર્શન કેવી રીતે પ્રાપ્ત કરવું? પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકની આરાધના દ્વારા અપ્રમત્ત ગુણસ્થાનકના સ્પર્શ રૂપ આત્મરમણતાના પરમાનંદને કેવી રીતે અનુભવવા અને ક્ષપકશ્રેણી દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયના પૃથક્ પૃથક્ અને છેવટે એકત્વ રૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાન દ્વારા અભેદ્ય રત્નત્રયીને સ્પશી ‘સ્વરૂપે એકત્વપણે પરિણમી, ઘાતી કર્મોના કરી' કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવુ* તે Architect of Originality at Blue Print નકશા નવપદ્યના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. (વિશેષ વિગત માટે જુએ પ્રયાગ નં, ૩૪.)
Bow
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૧૪,
Organization To Immortality ધ્યેય-લક્ષ્યને પહોંચવા માટેની વ્યવસ્થાશક્તિ
મકાન માટે નકશે તૈયાર થયા પછી, તે નકશે ખીસામાં લઈને ફરવાથી મકાન બંધાતું નથી. તે માટે વ્યવસ્થાશક્તિ (Organization Power)ની જરૂર પડે છે, તેમ નવપદના ધ્યાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિને kધુ પ્રિન્ટ નકશે પ્રાપ્ત થયા પછી સાધના માટેની વ્યવસ્થાશક્તિ (Organization Powet)ની જરૂર પડે છે. તે આત્મસ્વરૂપ પ્રાપ્તિ માટે ઉત્સાહ (વ્યવરથાશક્તિ) નવપદની વિશેષ આરાધના અને ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે.
Business Organization – વ્યાપારનું વ્યવસ્થાતંત્ર શીખવા માટે ઘણું માણસો અમેરિકા જાય છે, પરંતુ આપણું પિતાનું શાશ્વત, આનંદમય, અચિંત્ય શક્તિયુક્ત, અવ્યાખાધ સુખમય સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરવું તે કળા શીખવી જરૂરી છે અને તેનું શિક્ષણ નવપદના ધ્યાનમાંથી મળે છે. અને તે પછી જીવનમાં Science of Supremacy (આત્મવિજ્ઞાનના પ્રયોગ દ્વારા (Realisation of Realily) (આત્મ-સ્વરૂપને અનુભવ પ્રાપ્ત થાય છે. ... Scientifically Secured - shree NAVPAD નવપદે એ વિશ્વ ઉપરનું સ્વયંસિદ્ધ, સર્વોત્કૃષ્ટ
- મહાવિજ્ઞાન છે. અનંત કરુણામય પ્રભુ શ્રી મહાવીર ભગવડ દેશનામાં કહે છે કે –
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૧૫
“આરાધનાનું મૂળ, જસ, આતમભાવ અહં; તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ.”
શ્રી નવપદમાં આત્મા છે, અને આત્મામાં નવપદે છે. નવપદમાં આત્મા અને આત્મામાં નવપદોને અનુભવ કરવા માટે ભગવાન દેશનામાં આગળ કહે છે કે –
યેય સમાપતિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણે તિણે નવપદ છે આતમા, જાણે કોઈ સુજાણ.”
પહેલી નજરે આપણને એવું લાગે છે કે નવપદમાં આત્માને અને આત્મામાં નવપદોને અનુભવ કરે એ બહુ કઠિન કાર્ય છે. તે અનુભવ કરવા માટે તે હિમાલયની ગુફામાં યેગી બનીને બેસવું પડે, પરંતુ તેવું કરવાની કોઈ જરૂર નથી. તે અનુભવ કરવા માટે જિનાગમ અને જિનબિંબ (મૂર્તિ)નું આલંબન લેવાની જરૂર છે. નવપદમાં આત્માને સહેલાઈથી સમજવા માટે એક દષ્ટાંત જોઈએ -
એક શેડ જિનમંદિરમાં પૂજા કરવા માટે ગયા. તેમના ઘેર મહેમાન આવ્યા. મહેમાને શેઠાણીને પૂછયું કે, શેઠ
ક્યાં ગયા છે? શેઠાણીએ કહ્યું કે શેઠ અત્યારે વકીલને ઘેર ગયા છે. છેડી વારમાં શેઠ જિનમંદિરથી પૂજાના કપડામાં પૂજાની સામગ્રી સાથે ઘેર આવ્યા. મહેમાને જિનમંદિરેથી શેઠને આવતાં જઈને શેઠાણીને કહ્યું કે શેઠ તે જિનમંદિરથી આવે છે! ત્યારે શેઠાણીએ કહ્યું કે શેઠને પૂછો ઃ જિનમંદિરમાં હતા, તે વખતે તેમનું ધ્યાન ક્યાં
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૧૬
હતું ? શેઠે કબૂલ કર્યું" કે તે મંદિરમાં હતા, ત્યારે તેમનુ ધ્યાન ફાઈની પાસે પૈસા લહેણા હતા તે વસૂલ કરવા માટે વકીલની સલાહ લેવામાં હતું. શેઠ હતા તા જિનમ'દિરમાં, પણ તેમનુ ધ્યાન, તેમનેા ઉપયાગ (Attention) વકીલમાં હતા. તેથી શેઠ વકીલને ઘેર ગયા હતા, તેવું આપણે કહીએ છીએ. એટલે જ્યાં ઉપયેગ ત્યાં આત્મા, જેમાં ધ્યાન તેમાં આત્મા – આવેા નિયમ આમાંથી નીકળે છે.
-
હવે આપણા ઉપયાગ, આપણુ‘ ધ્યાન નવપદમાં હોય ત્યારે, આપણા આત્મા કયાં છે? એના ઉત્તર સ્પષ્ટ છે કે જ્યારે આપણે આપણા ઉપયાગ નવપદમાં લીન કરીએ છીએ ત્યારે આપણેા આત્મા નવપદમાં છે. હવે, આત્મામાં નવપદા કેવી રીતે છે તે દૃષ્ટાંતથી જોઈ એ.
એક માણસ ચશ્માને જોવામાં લીન ખની ગયા. તે જોવામાં તન્મયતદ્રુપ બની ગયા, તે વખતે તેના આત્માએ ચશ્માના આકાર ધારણ કર્યાં.
સિનેમાની નટીના દૃશ્યમાં તન્મય, બનેલે માણસ તે નટીના ધ્યાનથી પેાતાના આત્માને તે સિનેમાની નટીના આકારે પરિણમાવે છે. એવી જ રીતે ક્રોધના, માનના, માયાના, લાભના ઉપયેગમાં પેાતાના આત્માને પરિમાવે છે, ત્યારે આત્મા ક્રોધી, માની, માયાવી, અને લાભી આકારે પરિણમે છે, તે જ ન્યાય ભગવાનના મંદિરમાં છે. પરમાત્માના મંદિરમાં જઈ, ત્યારે આપણે આપણા ઉપયાગ પરમાત્મામાં સ્થિર કરીએ
''
Page #265
--------------------------------------------------------------------------
________________
છીએ, પરમાત્મામાં તદાકાર ઉપચેાગે સ્થિર રહીએ છીએ, ત્યારે આપણા આત્મા પરમાત્માના આકાર ધારણ કરે છે. જ્યારે આપણે નવપદના ધ્યાનમાં તન્મય, તદ્રુપ, તદાકારરૂપે રહીએ છીએ, ત્યારે આપણા આત્મા નવપદના આકાર વાળેા અને છે. એટલે કે આપણા આત્મા નવપદ્મના ઉપયાગમાંં સ્થિર થાય છે, ત્યારે આપણા આત્મામાં નવપદો છે. જે સમયે ઉપયાગ સ્થિર થવાથી નવપદ્મમાં આત્મા છે, તે જ સમયે આત્મામાં નવપદે છે. objectively એટલે નિમિત્ત દૃષ્ટિબિન્દુથી નવપદ્મમાં આત્મા છે; અને subjectively એટલે ઉપાદાન િિબન્દુથી આત્મામાં નવપદો છે.
પ્રભુ મહાવીરે ખતાવેલુ આ તત્ત્વજ્ઞાન જગત ઉપરનું સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme Science છે.
૨૧૭
જે (અરિહંત આદિ) ભાવ વડે આત્મા પરિણમે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તન્મય ( અરિહુંતાદિમય) અને છે. તેથી અરિહંતના ધ્યામમાં નિષ્ઠ એવા આત્મા તે (અરિહંત ભાવ) થકી પોતે જ ભાવ અરિહંત (આગમથી) થાય છે.
એટલા માટે ભગવાન મહાવીર પરમાત્મા અહી
કહે છે
-
૮ ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણુ; તેણે નવપદ છે આતમા, જાણે કાઈ સુજાણું.”
ધ્યેય નવપદ્મ છે. ધ્યાતા આપણા આત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૧૮
જાય છે, જે સમયે ધ્યાતાના ઉપયેગ ધ્યેયાકારે પરિણમે છે, તે સમયે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદને અનુભવ થાય છે.
આજ સુધીમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદના ધ્યાનથી અનંત આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આજે પણ તેના ધ્યાનથી આપણી ભૂમિકાને ઉચિત આત્મ સ્વરૂપના અનુભવ ( Realisation of Reality ) પ્રાપ્ત કરી શકીએ છીએ. તે માટે પ્રયોગાત્મક સાધના કરવી પડે.
જગતનું સુપ્રીમ સાયન્સ હાથમાં આવ્યા પછી, તે પ્રયાગના કાગળ ખીસામાં લઇને ફ્રીએ તા પણ કાર્યસિદ્ધિ થતી નથી. કાર્યસિદ્ધિ માટે સ્વયં પ્રયાગ કરવા પડે છે. દા. ત., પ્રભુ નામે આનદ ક” આ વાકથમાં પ્રભુનું નામ તે પ્રિન્સીપલ (સિદ્ધાંત) છે, અને આનદના કઃ રીઝલ્ટ (ફળ) છે. આ એ વસ્તુ યાદ કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી પણ આ કાર્યસિદ્ધિની ફાર્મ્યુલા છે.
Principle + Application = Result સિદ્ધાંત – પ્રયાગ = ફળ
એપ્લીકેશન – પ્રયાગ દ્વારા જ કાર્યસિદ્ધિ થાય છે.
–
કેમેસ્ટ્રીની નાનામાં નાની ફોર્મ્યુલા – H2O= water એ ભાગ હાઇડ્રોજન + એક ભાગ એક્સીજન = પાણી હવે એક ખાટલામાં હાઇડ્રોજન અને એક ખાટલામાં એક્સીજન ભરીને દસ વર્ષોં રાખીએ તે પણ પાણી બનતું
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૧૯
નથી. તે પ્રયોગની સિદ્ધિ માટે હાઈડ્રોજન અને એફસીજનનું સર્જન કરવું પડે છે. તે રીતે પરમાત્મા તેમના ઠેકાણે અને આપણે આપણા ઠેકાણે – તે પ્રમાણે વર્ષો સુધી પ્રયત્ન કરીએ તે પણ કાર્યસિદ્ધિ ન થાય. પરમાત્મા અને આપણા આત્માને મેળાપ થ જઈ એ. ધ્યાન દ્વારા, ઉપગ દ્વારા પરમાત્મા અને આપણે આત્માનું જોડાણ થાય છે ત્યારે કાર્યસિદ્ધિ થાય છે.
સમજપૂર્વક આપણો ઉપયોગ નવપદમાં જેડીએ તે વખતે નવપદમાં આત્માને અને વધુ સ્થિરતા આવતાં આત્મામાં નવપદને અનુભવ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીની જેમ આપણે પણ કરી શકીએ છીએ. - નવપદના એક-એક પદનું છૂટું ધ્યાન કરી, છેવટે નવપદનું ભેગું ધ્યાન કરવું. હદયમાં આઠ પાંખડીવાળા કમળની. આકૃતિ ક૯૫વી. તેમાં કર્ણિકામાં અરિહંત પદ, ચાર દિશાની. ચાર પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને. તપ-આ રીતે કમળાકારે નવપદનું ધ્યાન આત્માનુભવ. સુધી લઈ જશે.
શ્રીપાલ મહારાજાને જીવનમાં જે સિદ્ધિઓ પ્રાપ્તથઈ તથા નવમા ભવે મોક્ષ પર્યત પહોંચી શકશે તેના મૂળમાં પ્રભુ મહાવીરસ્વામીએ બતાવેલી આ નવપદમાં આત્મા અને આત્મામાં નવપદની પ્રત્યક્ષ અનુભવસિધિ. સાધના છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૨૦
નવપદના ધ્યાનની સર્વોચ્ચ ભૂમિકા શ્રીપાલના રાસમાં મહાવીર સ્વામી દેશનામાં કહે છે – અરિહંત પદ ધ્યાત થકો, દવહ ગુણ પજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. મહાવીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે.
' વીર જિનેશ્વર ઉપદિશે. અરિહંત પરમાત્માના ધ્યાનમાં જે સમયે ધ્યાતા (ધ્યાન કરનાર) સ્થિર બની જાય છે, જે સમયે ધ્યાતાને ઉપગ દયેય – પરમાત્મામાં તન્મય – તદ્રુપ થઈ જાય છે, તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલા સમય પૂરતું ધ્યાતા આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ બને છે. ઉપરની પ્રભુ મહાવીરની દેશનામાં સાલંબન ધ્યાન બતાવ્યું છે. તે આપણે વિગતથી સમજીએ.
આવું “સાલંબન ધ્યાન” એટલે કે પરમાત્માના આકારે ઉપગને પરિણુમાવવાની કળા શીખવી અને હમેશાં તે મુજબ આરાધના કરવી તે આપણી ચેતનાની ઊદવ ગમનની મહાન પ્રક્રિયા છે. જેનશાસનની ધ્યાન પ્રક્રિયા ટૂંકાણમાં માત્ર ચાર જ નાના વાક્યોમાં આવી જાય છે.
૧. આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૨. આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૩. અરિહંતાકાર ઉપયોગ. ૪. ઉપગાકાર આમા.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૨
(૧) સમવસરણમાં બિરાજમાન જગતના જીના કલ્યાણ માટે ઉપદેશ આપી રહેલા સાક્ષાત અરિહંત પરમાત્મા તે નોઆગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે.
(૨) તે પરમાત્માના ધ્યાનમાં તદ્રુપ બનેલો ધ્યાતા તે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે.
(૩) અરિહંત પરમાત્માના ઉપયોગમાં તદાકારપણે પરિણામ પામવું તે અરિહંતાકાર ઉપગ છે.
(૪) જે વખતે ધ્યાતા અરિહંતના ઉપયોગમાં તદ્રુપ હોય છે, તે સમયે ધ્યાતાનો આત્મા અરિહંતના આકારવાળો બને છે.
ત્રીજા નંબરના કાર્ય માટે આપણે પુરૂષાર્થ કરવાનો હોય છે. આપણે ઉપયોગ અરિહંતાકાર બનાવ – એટલે કે અરિહંત પરમાત્માના (ધ્યાનમાં) ઉપયોગમાં સ્થિર બનવું.
જે સમયે ધ્યાતાનો ઉપયોગ વ્યય એટલે પરમાત્મામાં લીન બની જાય છે, તે સમયે ધ્યાતા પિતે આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે, એટલે કે ધ્યાતાનું ચિતન્ય. (ધ્યાન સમયે) થેયાકાર એટલે અરિહંતાકારવાળું બને છે.
અરિહંત પદ તે થક, દવહ ગુણ પજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. આ બે પંક્તિમાં આગમથી ભાવનિક્ષેપે પરમા
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ત્માનું ધ્યાન થયું. તેનાથી ધ્યાતાનું ચિતન્ય અરિહંતાકારવાળું બન્યું.
હવે આગમથી ભાવનિક્ષેપે પરમાત્માનું ધ્યાન બીજી પંક્તિમાં પરમાત્મા બતાવે છે –
આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ.”
અરિહંતાકાર બનેલા પોતાના આત્માનું ધ્યાન જ્યારે થાય છે, ત્યારે મેક્ષપર્યંતની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં અરિહંતના ધ્યાનથી આપણે આત્મા આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે, અને અરિહંતાકાર બનેલા આપણું આત્માનું ધ્યાન સવ આત્મસંપત્તિઓ પ્રાપ્ત કરાવે છે.
પહેલી બે પંક્તિમાં ધ્યેય પરમાત્મા છે, ધ્યાતા આપણે આત્મા છે, ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચિતન્ય ધ્યેયમાં નિષ્ઠતમય-તપ થઈ જાય છે, ત્યારે ધ્યાતાનું ચિતન્ય ધ્યેય એટલે પરમાત્મા આકારવાળું બને છે.
હવે બીજી બે કડીમાં ધ્યેય શું છે?
અરિહંતના ધ્યાનમાં તદ્રુપ બનવાથી ધ્યાતાને ઉપગરૂપ પર્યાય (અવસ્થા) અરિહંતાકાર બન્યું. ધ્યાતામાં પિતાને અરિહંતાકાર બનેલે ધ્યાન પર્યાય તે ધ્યેય છે. ધ્યાતા આત્મા પોતે છે, અને પોતાના ઉપર મુજબના પર્યાયનું ધ્યાન કરે છે. પર્યાયથી દ્રવ્ય અભિન્ન
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૨૩
છે, એટલે આત્મા જ્યારે અરિહંતાકાર બનેલા પોતાના પર્યાયનું ધ્યાન કરે છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને દયેય ત્રણે એક થઈ ગયાં. એટલે કે –
(૧) ધ્યાન કરનારે આત્મા તે દ્રવ્ય.
(૨) ધ્યાતાનો પિતાને અરિહંતાકાર બનેલે પર્યાય તે ધ્યેય. અને
(૩) ધ્યાન પણ આત્માના ગુણના સ્વરૂપનું જ છે.
આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાય – ત્રણેની એકતા થાય છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય – ત્રણેની એકતા એટલે સમાપત્તિ થાય છે. જ્યારે આત્મા આત્માનું ધ્યાન કરે છે, ત્યારે સર્વ આત્મસિદ્ધિઓ આવીને મળે છે. માટે પહેલાં જ પ્રભુએ કહ્યું કે –
ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ.” સિદ્ધપદનું ધ્યાન –
રૂપાતીત સ્વભાવ છે, કેવળ દંસણુ નાણું રે, તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધગુણ ખાણી રે.
વીર જિનેશ્વર ઉપદિશે. કેવળજ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, નિરંજન, નિરાકાર, અવ્યાબાધ સુખસ્વરૂપ, અનંત આનંદમય, અચિંત્ય શક્તિ ચુક્ત, નિરાકાર જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવંતની ધારણા કરવી.
તે પછી આવા સિદ્ધભગવતનું ધ્યાન કરવું. ધ્યાતા
Page #272
--------------------------------------------------------------------------
________________
२२४
જ્યારે ધ્યાનમાં સ્થિર બની જાય છે, ત્યારે ધ્યાતાના ઉપયાગ ધ્યેયાકાર સિદ્ધ પરમાત્માના આકારવાળા બને છે. ઉપ૨ાગથી ઉપયાગવાન આત્મા અભિન્ન હૈાય છે. સિદ્ધ પરમાત્માના આકારવાળા બનેલા પેાતાના ઉપયેાગ (રૂપ પર્યાય)નુ ધ્યાન કરતી વખતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાપત્તિ થાય છે. ટૂંકમાં સિદ્ધ પરમાત્મારૂપે પેાતાના આત્માનુ ધ્યાન કરવું. સર્વ આત્મસપત્તિ તેનાથી પ્રાપ્ત થાય છે. ( અનુભવાય છે. )
•
અહીં પ્રભુ મહાવીરદેવે પરમાત્માનું આલેખન લઈને તેના આધારે પેાતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવાનું બતાવ્યું,
આ રીતે અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવા આત્મા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આ વાત જાણ્યા પછી એક ક્ષણ પણ આપણે અરિહંત પરમાત્માના સ્મરણ, જાપ કે ધ્યાન સિવાય રહી શકતા નથી.. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા, ઉપયાગની સ્થિરતા કરવાની છે. દૂધમાં સાકર ઓગળી જાય, તેમ મનને પરમાત્મામાં એગાળી દેવાનુ છે. અને એ રીતે આપણા આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ થાય, તે લક્ષ્ય. ખિ'દુને સિદ્ધ કરવાનુ છે.
તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલા છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા • મેડિશક પ્રકરણ નામના ગ્રંથમાં કુરમાવે છે કે
6.
-
""
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૨૫
:
આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સપ્રયાજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે.
આ સમરસાપત્તિ ચેાગીએની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જ્યારે સજ્ઞના સ્વરૂપમાં ઉપયાગવાળા અને છે, ત્યારે તેના અન્યત્ર ઉપયાગ ન હેાવાથી તે સ્વય' સજ્ઞ જેવા થાય છે. એવા નિયમ છે કે જે જે વસ્તુના ઉપયેાગમાં આત્મા જે વર્તે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. ( નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૨૯૩) આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયાગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણુ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચૈતન્ય પરમાત્મારૂપ આ રીતે બનતું હાય તે તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા ? અર્થાત્ સૌથી વધુ કમાણીના આ વ્યાપાર છે. તેને છેાડીને બીજો વ્યાપાર કરવા તે કલ્પવૃક્ષને છેડીને ખાવળિયાને પકડવા જેવુ છે.
આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મ-પદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારૂ* છે. Meditation on Most High છે.
જ્યા. પ્ર. ૧૫
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૨૬
આચાર્યપદનું ધ્યાન –
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે, પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે.
મહાવીર જિનેશ્વર મહા સૂરિમંત્રને જ પનારા, શુભ ધ્યાન કરનારા આચાર્યપદનું ધ્યાન કરવાથી ધ્યાતા પોતે આગમથી ભાવ નિક્ષેપે આચાર્ય થાય છે. ઉપાધ્યાયપદનું ધ્યાન :
તપ સાચે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગ બ્રાતા રે.
વીર જિનેશ્વર, તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત, બાર અંગનું ધ્યાન કરનારા જગતના પરમ બાંધવ સમાન ઉપાધ્યાયપદનું ધ્યાન કરવાથી ધ્યાતા પિતે આગમથી ભાવનિક્ષેપે ઉપાધ્યાય બને છે. સાધુપદનું ધ્યાન –
અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમા, શું મૂડે શું લાગે છે.
વીર જિનેશ્વર જે નિરંતર અપ્રમત્તપણે મોક્ષમાર્ગની સાધના કરે છે, શુભ કે અશુભ કર્મના કારણે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની બાહ્ય પરિસ્થિતિ વચ્ચે પણ જે રાગ, દ્વેષ, સુખ,
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૭
દુઃખ અનુભવતા નથી, તેવા સમસ્વભાવમાં સ્થિર સાધુપદનું ધ્યાન કરવાથી સ્વયં આત્મા આગમથી ભાવનિક્ષેપ સાધુ બને છે. સમ્યગદર્શન –
શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહી જ આતમાં, શું હેય નામ ધરાવે છે.
વીર જિનેશ્વર મોહનીય કર્મની પ્રથમ સાત પ્રકૃતિના પશમ દ્વારા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા આદિ ગુણો પ્રગટ થાય છે. આ આત્મા તે સમ્યગદર્શન છે. સમ્યગજ્ઞાન –
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય છે, તે હુએ એહી જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે.
વીર જિનેશ્વર, આત્માના જ્ઞાન ગુણને રોકનારૂં જે કમ છે, તેને ક્ષોપશમ થવાથી આત્માને જ્ઞાન ગુણ પ્રગટ થાય છે. આવો આત્મા તે જ્ઞાન છે. ચારિત્રપદ –
જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેયા શુદ્ધ અલંકર્યો, માહ વને નવિ ભમતે રે.
વીર જિનેશ્વર આત્મા સિવાયના અન્ય પદાર્થોને મોહનું વન સમજીને
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૨૮
આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં જેની વૃત્તિ કદી પણ જતી નથી, જે શુદ્ધ લેશ્યા અને શુદ્ધ ભાવાથી અલ'કૃત છે, અને જે આત્માના શુદ્ધ ચૈતન્યમાં રમણતાના પરમાનંદ્ય નિર'તર અનુભવે છે – આવા આત્મા તે ચારિત્ર છે. પરમાત્માના ધ્યાનના અભેદ્ય દ્વારા પેાતાના આત્માના વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રમણતાને પરમાનંદ જે અનુભવે છે – આવા આત્મા તે ચારિત્ર છે. સ્વરૂપ રમણતાના પર માનના સુખને અનુભવતાં બાર મહિનાના ચારિત્ર પર્યાયમાં અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખના અનુભવ હાય છે.
ત૫૫૬:
ઇચ્છારાધે સવરી, પરિણતી સમતા ચેગે રે તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભેાગે રે. વીર જિનેશ્વર
આત્મસ્વરૂપના અનુભવનુ' જે સુખ છે તેની તુલનામાં જગતનુ` કોઈ સુખ આવી શકતું નથી. અને આવા સુખના જીવનમાં અનુભવ થયા પછી જગતના કોઈ પદાથ ની ઇચ્છા રહેતી નથી. સત્તામાં પડેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે પણ જે સાધક આત્મા રાગ-દ્વેષ રૂપે, સુખ-દુઃખ રૂપે પરિણમતા નથી, પણ સમતાભાવમાં પરિણમે છે—તેવા આત્મા જે નિજ ગુણુના ભાગમાં પ્રવર્તે છે – તે આત્મા જ તપ છે.
―
નિજ ગુણના ભાગ આત્મા કેવી રીતે કરતા હશે?
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સાતમા સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા, પરમાત્મા પરમાનંદનો ભંગ કેવી રીતે કરે છે તે બતાવે છે. અનંત ભગગુણ પરમાત્મામાં પૂર્ણપણે પ્રગટ થયેલો છે; તે પરમાત્મા શાને ભેગા કરે છે? આત્માના ગુણોને (નિજ ગુણને) ભેગ કરે છે. આત્મામાં રહેલા અનંત ગુણે એકબીજાને સહકારી હેય. છે. નિજ ગુણના ભાગમાં અનંતવીર્ય ગુણ સહકારી બને છે, તેથી અનંત આસ્વાદપૂર્વક નિજ ગુણને ભેગ શુદ્ધ આત્મામાં હોય છે. વળી તેમાં ચારિત્રગુણ સહકારી બને છે. ચારિત્રનું કાર્ય રમણતા કરવાનું હોય છે. તેથી અનંત રમણતા પૂર્વક, અનંત આસ્વાદપૂર્વક, અનંત ગુણેના, અનંત ભેગના પરમાનંદનું અનંત સુખ પરમાત્મામાં પૂર્ણપણે અવ્યાબાધપણે રહેલું છે. આવા પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું દિવ્ય સુખમય સ્વરૂપ જોઈને આપણને આપણું અંદર પરમાત્મા જેવા જ આત્મસ્વરૂપનું ભાન થાય છે, અને તેવા સ્વરૂપની પ્રાપ્તિ અને અનુભવની તીવ્ર ઝંખના થાય છે.
શુદ્ધ આત્માના અનંત આનંદમય સ્વરૂપને અનુભવ અને પ્રાપ્તિ કરવાની ઝંખના થતાં તીવ્ર સંવેગ ભાવે સમ્યગદર્શન સ્પર્શે છે, તે વખતે એક જ ઝંખના રહે છે –
ત્યાગીને સવિ પ૨પરિણતી રસ રીઝ જે, જાગી છે નિજ આત્મ અનુભવ ઈષ્ટતા જે. (શ્રી દેવચંદ્રજી કૃત નમિનાથ ભગવાનનું સ્તવન)
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩૦
આત્મઅનુભવ એ જ પરમ ઈષ્ટ–પ્રાપ્તવ્ય લાગે છે, અને વિભાવ ઉપાધિથી મન પાછું ફરે છે. આત્મસ્વરૂપની અનુભવ પ્રાપ્તિના માર્ગે પ્રયાણ શરૂ થાય છે. અને તે આપણા લક્ષ્યબિન્ને સિદ્ધ કરવા માટે પ્રભુ મહાવીરસ્વામીએ આ રીતે નવપદનું ધ્યાન અને આરાધના બતાવી છે.
પ્રભુ મહાવીરની દેશનાની આ પંક્તિઓ આયંબિલની ઓળીમાં પ્રદક્ષિણા, ખમાસમણામાં સર્વત્ર ગાવામાં આવે છે. આપણા પૂર્વાચાર્યો અને તેમાં વિશેષ રીતે મહા પાધ્યાય થશેવિજયજી મહારાજાએ આવીનવપદમાં આત્મા અને આત્મામાં નવપદ જેવી ગંભીર વસ્તુ ખમાસમણાં અને પ્રદક્ષિણામાં
ઠવીને શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે. હજારે, લાખે, કરોડો વખત પ્રભુ મહાવીરની દેશનાના આ દુહા જૈનસંઘમાં ગાવાઈ રહ્યા છે. તેને મર્મ જ્યારે આપણી સમજમાં આવે ત્યારે આપણી સાધનામાં પરમાત્માને દિવ્ય પ્રકાશ પથરાય છે. આયંબિલની ઓળીમાં થતી કિયા કેટલી અદ્દભુત અને મહત્વની છે, તે હવે આપણને સમજાય છે.
સકલ જૈનસંઘમાં આયંબિલની ઓળીની વિધિ પૂર્વકની આરાધના થાય તે માટે વર્તમાન આચાર્ય ભગવતે અને ઉપકારી સાધુ-સાધ્વી ભગવતેએ ખૂબ અનુમોદીય પ્રયત્ન કર્યો છે. તેનાં મીઠાં ફળ આજે આપણે જોઈએ છીએ કે હજારો અને લાખોની સંખ્યામાં ઓળી
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩૧
કરનારા પુણ્યશાળીએ આજે જૈનસ'ઘમાં છે. તે ક્રિયાનું એક-એક ખમાસમણું લેતી વખતે ગાવામાં આવતી પ્રભુ મહાવીરની દેશનાની પક્તિએ કેટલી અદ્ભુત છે ! આપણે સૌ તેમાં રહેલુ તત્ત્વ સમજીએ અને તેની ઊંડી સમજપૂવ કની આરાધના કરી, આપણે આત્માના અનુભવ અને પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ એ જ અભ્યર્થના....
આ પ્રમાણેની ગભીરતા સમજ્યા નવ દુહા મેલી રાજ નવ ખમાસમણાં ત્યારે કેવા આનંદ આવશે! ક્રિયા શરૂ તેના મમ સમજાય છે, અને મમ સમજાયા પછી સાચા આનંદ આવે છે. તેને જ ધ્યાન કહેવાય. ઉપચાગ જોડવાપૂર્ણાંકની ક્રિયાને ધ્યાન કહેવાય.
પછી, હવે આ
આપણે લઈ એ
કર્યો પછી જ
આગમ નાઆગમ તળેા, ભાવ તે જાણા સાચા રે; આતમભાવે થિર હાજો, પરભાવે મત રાચા રે.
પરભાવ એટલે આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં આપણી વૃત્તિએ લઇ જવી તે. આ પરભાવ ભવસંસારમાં રખડાવનાર છે તેવુ. સમજી પરભાવમાંથી વૃત્તિઓ પાછી ખેંચી લઈ, આત્મસ્વરૂપમાં સ્થિરતાવાળી અનાવવી. તે અનાવવા માટે શુદ્ધ આત્મચૈતન્ય જેમનું પ્રગટ થયુ છે, તેવા અરિહંત, સિદ્ધ ભગવાનમાં ઉપયાગ જોડવા તેને નાઆગમથી પરમાત્માનુ· ધ્યાન કહેવાય. અને તે દ્વારા આપણા આત્મા પરમાત્માના આકારવાળા અને છે. આગ
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૩૨
મથી ભાવનિક્ષેપે પરમાત્માના આકારવાળા અનેલા આપણા આત્માનું ધ્યાન શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરાવે છે.
જગતભરમાં અત્યારે ધ્યાનનું આકર્ષણ વધતું જાય છે. અનેક આશ્રમા, મઠ, શિખિરા વગેરેમાં ધ્યાન પ્રક્રિયા બતાવવામાં આવે છે, પરંતુ પ્રભુ મહાવીરે ખતાવેલી આ ધ્યાનપ્રક્રિયા જગતભરમાં સર્વ શ્રેષ્ઠ ધ્યાનપ્રક્રિયા છે; અને તે શીઘ્ર આત્માની અનુભૂતિ સુધી લઈ જાય છે,
અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટ માંહે ઋદ્ધિ દાખી રે; એમ નવપદ્મ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી રે. વીર જિનેશ્વર૦
જ્યારે આત્મસાક્ષીએ નવપદનુ ધ્યાન કરવામાં આવે છે, ત્યારે સર્વ સંપત્તિએ, સિદ્ધિ અને મેાક્ષ પર્યંતની સર્વ સ’પદાઓનુ` કેન્દ્ર નવપદમાં રહેલું અનુભવાય છે.
જિનેશ્વર ભગવંતાએ અસખ્ય ચેાગે મેાક્ષની પ્રાપ્તિ માટે ખતાવ્યા છે. તેમાં નવપદ્મની આરાધના તે મુખ્ય ધારી માગ છે, કારણ કે નવપદના આલંબનથી આત્મધ્યાન પ્રાપ્ત થાય છે. આત્મધ્યાનથી આત્મસ્વરૂપના અનુભવ અને છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ આપણુ' મૂળભૂત લક્ષ્ય છે. જિનશાસનની કોઈ પણ આરાધના આત્મસ્વરૂપની પ્રાપ્તિ (મેાક્ષ) માટે જ કરવામાં આવે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપના અનુભવ કરવાની જરૂર પડે છે, (જે
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૩૩
આ જીવનમાં શકય છે.) આત્મસ્વરૂપના અનુભવ કરવા માટે આત્મધ્યાનની જરૂર પડે છે.
પરંતુ ભક્તિના પરિણામ સિવાય જ હું આત્મા છું, પૂણુ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું.” તેવું સીધું શુદ્ધ નયનુ ધ્યાન કરવા જતાં, આપણી ભૂમિકા ન હેાવાથી ભ્રમ ઊભા થાય છે.
ભક્તિ એ માતા છે. જ્ઞાન એ પુત્ર છે. જ્ઞાનરૂપી પુત્ર માટે ભક્તિરૂપી માતાની અનિવાર્ય આવશ્યકતા છે. તેટલા માટે કહ્યું કે -
“ એહ તણે અવલંબને આતમધ્યાન પ્રમાણેા ૨” નવપદના આલેખનથી જે ‘ આત્મધ્યાન પ્રાપ્ત થાય છે તે માક્ષના હેતુ અને છે, અને નવપદનું આલંબન લેવા માટે અહિંત-ભક્તિ, નવપદનું' ધ્યાન, સિદ્ધચક્રનું પૂજન, નમસ્કાર મંત્રની સાધના વગેરે અનેક અનુષ્ઠાના કરવામાં આવે છે, જેનાથી પરમાત્માનું ધ્યાન થાય છે, અને પરમાત્માનું ધ્યાન તે જ આત્મધ્યાન છે.
>
નવપદના ધ્યાનાભ્યાસની પ્રક્રીયા
(૧) નવપદના મહિમાથી ભાવિત બનવું. (ર) પ્રથમ ભૂમિકાની આરાધના વ્યવસ્થિત કરવી, (૩) નવપદનું ધ્યાન
(A) અરિહંત પદનું ધ્યાન :- પરમાત્માનો કરૂણાને હૃદયમાં ઝીલવા પૂર્વક કરવું અને ભય, શેક,
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ચિંતા, અશાતિમાંથી મુક્ત બનવું. સુખ,શાન્તિ,
આનંદ અને નિર્ભયતાને અનુભવ કર. (B) સિદધપદનું ધ્યાન – પરમાત્માના ગુણ ગંગા
જળમાં સ્નાન કરી ઉત્તમ ગુણોથી ભરાઈ જવું. (C) આચાર્યપદનું ધ્યાન – ગૌતમસ્વામીમાંથી
નીકળતા પીળા વર્ણના પ્રકાશને અંતરાત્મામાં ઝીલવો અને તેના થી આચાર પાલનનું બળ
પ્રાપ્ત થાય છે તેવું ધ્યાન કરવું. (D) ઉપાધ્યાય પદનું ધ્યાન –ઉપાધ્યાય ભગવંતના
લીલા વર્ણના પ્રકાશને આપણું અંતરાત્મામાં ઝીલ. તેનાથી જ્ઞાનની પરિણતી પ્રાપ્ત થાય
છે, તે સંકલ્પપૂર્વક ધ્યાન કરવું. (E) સાધુપદનું ધ્યાન – નીલ વર્ણન સાધુ
ભગવંતના “પ્રકાશને અંતરાત્મામાં ઝીલ. તેનાથી સકલ સરવ હતાશયને ભાવ પ્રાપ્ત થાય તેવા સંકલ્પપૂર્વક ધ્યાન કરવું. મૈત્રી ભાવનાનું ધ્યાન સમ્યગદર્શન માટે કરવું. જીવ માત્રના કલ્યાણના ભાવથી ભાવિત બની આનંદ અનુભવ, જીવો પ્રત્યેના પ્રેમના ભાવનું ધ્યાન કરવું.. સમ્યગ્ગદર્શન – પરમાત્માના દિવ્ય પ્રકાશમાં આત્મસ્વરૂપનું દર્શન કરવું. આત્માના આનં
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૩૫
દના મહાસાગરમાં ડૂબકી મારી આનંદને
અનુભવ કરવો. પ્રયોગ નં. ૪ મુજબ કરવું. (G) સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્રપદના ધ્યાન માટે
સૂર્યનું બિંબ હૃદયમાં પ્રકાશિત થઈ આત્મપ્રદેશમાં જ્ઞાન, દર્શન, ચારિત્રને પ્રકાશ ફેલાવે છે, તેથી આપણે સ્વયં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ
બનીએ છીએ તેવું ધ્યાન કરવું. (H) નવપદનું છૂટું છૂટું ધ્યાન કર્યા પછી હૃદયમાં
આઠ પાંખડીવાળું કમળ કલપી, કર્ણિકામાં અરિહંતપદ અને આઠ પાંખડીમાં આઠ પદો
સ્થાપી ધ્યાન કરવું. (1) આત્મામાં નવપદે અને નવપદમાં આત્મા
તેવું ધ્યાન સિદ્ધ કરવું. (J) “અરિહંતપદ ધ્યા, થકે” વગેરે પદેનું આલં
બન લઈને તે પછી આપણા આત્માનું નવપદરૂપે ધ્યાન કરવું. જ્યારે આત્મા આત્માનું ધ્યાન કરે છે ત્યારે કેવળજ્ઞાન આદિ ગુણ સંપત્તિને
માલિક બને છે. આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે,
' વીર જિનેશ્વર ઉપદિશે.”
Page #284
--------------------------------------------------------------------------
________________
૩૪ હૃી અહૈ નમ: સાલંબન ધ્યાનના પ્રયોગ
પાઠ સાતમે
સિદ્ધચકનું ધ્યાન ज्ञानवद्भिः समाम्नातं वज्रस्वाम्यादिभिः स्फुटं । विद्यावादात्समुदधृत्य बीजभूतं शिवश्रियः ॥ ७५ ॥ जन्मदावहुताशस्य प्रशांतिनववारिदं । गुरुपदेशाद्विज्ञाय सिद्धचक्रं विचिन्तयेत् ॥ ७६ ॥
(ગશાસ્ત્ર : અષ્ટમ પ્રકાશક ૭૫–૭૬) વિદ્યા પ્રવાદથી ઉદ્ધાર કરીને, વાસ્વામિ આદિ જ્ઞાની પુરુષોએ પ્રગટપણે મેક્ષ લક્ષમીના બીજ સરખું માનેલું અને જન્મમરણાદિ દાવાનળને પ્રશાંત કરવાને નવીન જલધર (મેઘ) સમાન, સિદ્ધચકને ગુરુના ઉપદેશથી જાણીને (કર્મક્ષય માટે) ચિંતવવું.
અધ્યાત્મયોગી અનુભવજ્ઞાની પૂ. પં. શ્રી ભદ્રકર વિજયજી મ. પાસેથી સિદ્ધચક્રજીનું ધ્યાન ત્રણ પ્રકારે જાણવા મળ્યું છે. (૧) કલશાકારે. (૨) કલ્પવૃક્ષ આકારે (૩) ચક્રાકારે સિદ્ધચક્રનું ધ્યાન કરાય છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૩૭
(૧) કળશ આકૃતિથી સિદ્ધચક્રનુ ધ્યાન — પ્રયાગ ન. ૨૨
ચિત્રમાં આપેલ આકૃતિ મુજબ પ્રથમ વલયમાં આઠ પાંખડીવાળા કમળની કણિકામાં વચ્ચે અરિહંત અને ચાર દિશાની ચાર પાંખડીમાં સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ-આ પ્રમાણે નવપદની સ્થાપના કરવી. બીજા વલયમાં અષ્ટ વ, ત્રીજા વલયમાં અડતાલીસ લબ્ધિપદો અને ચેાથા વલયમાં આઠ રૂપાદુકા. તે પછીના વલયામાં જયાદિ આઠ દેવીએ, અઢાર અધિષ્ઠાયક દેવા, સાળ વિદ્યાદેવીએ, ચાવીસ યક્ષક્ષિણીએ ગોળાકારમાં લેવાં, તે પછી ચાર દિક્ષામાં ચાર દ્વારપાળ, ચાર વીર ગોઠવવા. દશ દિશામાં દશ દિક્પાલ, કંઠમાં નવ નિધિ અને નીચે મૂળમાં નવ ગ્રહ-આ રીતે કળશની આકૃતિમાં જગતનાં સર્વ ઉત્કૃષ્ટ પદો-અમૃતમય પદો રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી ચિદ્ધચક્રનું ધ્યાન કરવું.
અગર ઉપરના બધા પદોની ધારણા અનુકૂળ ન લાગે તે કળશ આકૃતિમાં જગતનાં સર્વ અમૃતમય ઉત્તમ પદ્મા રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનુ ધ્યાન કરવું.
(૨) કલ્પવૃક્ષની આકૃતિથી સિચક્રનું ધ્યાન :— પ્રયાગ ન, ૨૩
“જો ધૂરિ સિર અરિહંત, મૂલ દૃઢ પીઠ પડિફ્રેંચે.”
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૩૮
કલ્પવૃક્ષના મૂળમાં અરિહંત પદ . સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-આ ચાર પદે કલ્પવૃક્ષની મુખ્ય શાખાઓ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તેની પ્રશાખાઓ છે. અષ્ટવર્ગ, અડતાલીસ લબ્ધિ દે, આઠ ગુરૂ પાદુકા કલ્પવૃક્ષનાં પાંદડાં છે. જયાદિ આઠ દેવીઓ, અઢાર અધિષ્ઠાયક, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણ, ચાર દ્વારપાળ, ચાર વીર, દશ દિકપાલ, નવ ગ્રહ અને નવ નિધિ-આ તે વૃક્ષનાં ફૂલ છે. મોક્ષ એનું ફળ છે. “સે સિદ્ધચક્ક ગુરૂ કમ્પતરૂ, અહ મન વછિય ફલ દિયે”
આવું સિદ્ધચકરૂપ કલ્પવૃક્ષ અમારા સકલ મનવાંછિત પૂર્ણ કરે. આમ કલ્પવૃક્ષ આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. (૩) ચકાકાર આકૃતિથી સિદ્ધચકનું ધ્યાન – પગ ન ૨૪
તિય વિજય ચકર્મ સિદ્ધચક્ક નમામિ.” તીર્થકર ભગવાનની આગળ ધર્મચક્ર હોય છે, ચકવતી આગળ ચક્રરત્ન હોય છે, તેમ સિદ્ધચક્રના આરાધકે ચક્રાકારે સિદ્ધચક યંત્રને પિતાની આગળ રાખી સિદ્ધચકજીનું ધ્યાન કરે છે. આવી આકૃતિવાળા સિદ્ધચકનું ધ્યાન કરવાથી જેમ ચકવતી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે, તેમ સિદ્ધચકના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે.
ચક્રી ચક્ર ને રથ બલે, સાધે સયલ છ ખંડ લાલ રે, તેમ સિદ્ધચક પ્રભાવથી, તે જ પ્રતાપ અખંડ લાલ રે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૩૮
મયણું ને શ્રીપાલજી, જપતાં બહુ ફલ લીધ લાલ રે, ગુણ જશવંત જિતેન્દ્ર, જ્ઞાન વિનેદ પ્રસિદ્ધ લાલ રે.
આમ ત્રણ પ્રકારે સિદ્ધચક્રનું ધ્યાન કરવાનું ફળ ગૌતમ ગણધર ભગવંત કહે છે કે –
સિદ્ધચકના ધ્યાને રે, સંકટ ભય ન આવે, કહે ગૌતમ વાણું રે, અમૃત પદ પાવે. સિદ્ધચક્રને ભજીયે રે, કે ભવિણ ભાવ ધરી. આ પ્રમાણે ત્રણ રીતે સિદ્ધચક્રનું ધ્યાન કરવું.
આ ત્રણે રીતે ધ્યાન કરવાથી જગતની સર્વોત્કૃષ્ટ સર્વ શક્તિઓનું ધ્યાન થઈ જાય છે. તેનું ફળ અચિંત્ય છે. “સિરિ સિરિવાલ કહા” અને “શ્રીપાલ મહારાજાના રાસ'માં તેનું ઘણું મહત્વ બતાવ્યું છે.
વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ “શ્રીપાલ અને મયણના આધ્યાત્િમક જીવન રહો” લેખકઃ બાબુભાઈ કડીવાળા-આ પુસ્તક વાંચવા ખાસ ભલામણ છે.
શ્રીપાલ અને મયણાનું વૃત્તાંત જૈન સંઘમાં નવપદ સિદ્ધચક્રની આરાધના માટે ખૂબ જ પ્રચલિત છે.
શ્રીપાલ અને મયણાની જીવન સિધ્ધિઓના મૂળમાં છૂપાયેલ સાધનાના રહસ્યને આ પુસ્તકમાં ખેલવામાં આવ્યાં છે. આત્માની અખૂટ સંપત્તિના ખજાનાને ખેલવાની દિવ્ય કળા આ પુસ્તકમાં બતાવવામાં આવી છે.
આ પુસ્તકના લેખક શ્રી બાબુભાઈ કડીવાળાએ ૨૩
Page #288
--------------------------------------------------------------------------
________________
વર્ષ સુધી અધ્યાત્મયેગી પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી મહારાજશ્રીના સાંનિધ્યમાં રહી સાધના સંબંધી જે અણમેલ રને પ્રાપ્ત કર્યા છે, તે રહસ્યને નિચેડ સાધના અને ધ્યાન દ્વારા અનુભવ કરી આ પુસ્તકમાં બતાવ્યા છે.
શ્રીપાલ અને મયણાની સાધનાના રહસ્યોને જીવનમાં ઉતારી આપણા જીવનને વામનમાંથી વિરાટ બનાવવાની, સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બનવાની, અને વ્યક્તિત્વના કેચલાને તેડી અમરતત્વના દ્વાર ખોલવાની કળાથી ભરપૂર આ પુસ્તક આપણું જીવનની અણુમેલ સંપત્તિરૂપ છે.
આ પુસ્તકમાં શ્રીપાલ અને મયણાની જીવનસિદ્ધિએના મૂળમાં કેવા પ્રકારની સાધના અને ધ્યાન રહેલાં છે –તે તત્ત્વ વૈજ્ઞાનિક પદ્ધતિથી બતાવવામાં આવ્યું છે. શ્રીપાલ અને મયણાના જીવનના દિવ્ય પ્રસંગેના આલંબને આપણે પણ અશાન્તિ, ભય, શેક, ચિંતા અને આત ધ્યાનની પીડાથી મુક્ત બનીને, આત્માના શુદ્ધ ચિતન્યને અનુભવ કરી શકીએ તેવી કળા અને અનુભવસિદ્ધ પ્રક્રિયા આ પુસ્તકમાં બતાવી છે.
શ્રી નવપદજી અને સિદ્ધચક્રજી ઉપર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઊંડા સંશાધનરૂપ આ પુસ્તકમાં રજૂ થયેલ તાત્વિક વિચારણા સમજુ મુમુક્ષુ વર્ગને અરિહંત પરમાત્મા, નવપદે, સિદ્ધચક અને નમસ્કાર મંત્ર પ્રત્યે ભક્તિ અને આરાધક ભાવ જગાડવા માટે પ્રેરણારૂપ બનશે. પુસ્તકના પાને પાને પરમાત્મા ભક્તિની રસગગા વહી રહી છે, જે વિવેકી
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪૧
વાચકના મનમાલિત્યને શુદ્ધ કરવાનું અચિંત્ય સામર્થ્ય ધરાવે છે. પુસ્તકની ભાષા સરળ છે; તેટલી જ સુવાગ્યે છે. ઠેર ઠેર શાસ્ત્ર આધારે ટાંકીને પુરતકને પ્રમાણભૂત પૂરતી કાળજી રખાઈ છે.
In human plan there is scarcity of every thing, In Divine plan there is infinite supply.
મનુષ્યના સ્તર ઉપર દરેક ચીજની અછત છે; અને પરમાત્માના સ્તર ઉપર અનંતની ઉપસ્થિતિ છે–તે સત્ય -શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન રહસ્ય-આ પુસ્તકમાં વિજ્ઞાનિક દષ્ટિએ લેખકે બતાવ્યું છે.
સકલ મંત્રતંત્રમંત્રાધિરાજરાજેશ્વર
શ્રી સિદ્ધચક્રજીનો અભુત મહિમા અને ચત્ર નમતે ૨, ચત્ર સ્તુત્તે નમત્તે જ जना मनोवाञ्छितमाप्नुवन्ति, श्री सिद्धचक्रं तदहं नमामि ॥
જેનું દર્શન કરવાથી, વંદન કરવાથી, પૂજન કરવાથી, સ્તવન કરવાથી, ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી સકલ મનવાંછિત પૂર્ણ થાય છે; એવા આ સિદ્ધચક્રજી ભગવાનને અમે અંતરઆત્માથી ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. इत्यति त्रिदशगोमणिद्रुमो - यत्प्रभावपटलं शिवप्रदम् । अहंदादिसमलकृतं पदैः सिद्धचक्रमिदमस्तु नः श्रिये ॥
કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અધિક પ્રભાવશાળી અરિહંત આદિ પદે જેમાં અલંકત ધ્યા. પ્ર. ૧૬
Page #290
--------------------------------------------------------------------------
________________
ર૪૨
થયેલાં છે, તેવું આ સિદ્ધચક મહાયંત્ર અમને મોક્ષ ફળને આપનારૂં થાઓ.
(સિદ્ધચક પૂજન વિધિઃ સિદ્ધચક્ર સ્તોત્ર શ્લેક ૮-૯).
આ સિદ્ધચક એ કલ્પવૃક્ષ છે; કારણ કે તેની આરાધના કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. આ સિદ્ધચક ચિંતામણિ છે; કારણ કે સકલ ચિતિત વસ્તુઓને આપનાર બને છે. આ સિદ્ધચક્ર કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અધિક પ્રભાવશાળી છે, કારણ કે કલ્પનાતીત, વચનાતીત એવા આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને આ જન્મમાં જ અનુભવ, અને ભવાંતરમાં આત્માના પૂર્ણ શુદ્ધ ચિતન્યને પ્રગટ કરનાર બને છે. જેવી રીતે ચકવતી રાજા ચકરત્નના આધારે છ ખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે કરે છે, તે જ રીતે સિદ્ધચક્રનો આરાધક સિદ્ધચક ભગવાનના પ્રભાવથી ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. ચકવર્તી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે અને સિદ્ધચક્રના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય મળે છે. यस्य प्रभावाद्विजयो जगत्यां
सप्तांगराज्यं भूवि भूरिभाग्यम् । __ परत्र देवेन्द्रनरेन्द्रता स्यात् __ तत् सिद्धचक्रं विदधातु सिद्धिम् ॥
(સિદ્ધચક્ર પૂજન વિધિમંગલાચરણ) જેના મહાપ્રભાવ વડે વિશ્વમાં સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે, સાત અંગવાળું વિશાળ રાજ્ય પ્રાપ્ત થાય છે, પર
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૪૩
લાકમાં દેવેન્દ્ર અને નરેન્દ્રની પદવી પ્રાપ્ત થાય છે, એવું આ સિદ્ધચક્ર મહાયત્ર અમને સિદ્ધ આપે. किं बहूक्तेन भो भव्याः, अस्यैवाराधकैर्नरैः । तीर्थकृन्नामकर्माऽपि, हेलया समुपार्जते ॥
( સિદ્ધચક્ર પૂજન વિધિ–ત્રીજી ચાવીશી-છેલ્લા શ્લેાક. ) આ સિદ્ધચક્રજીના ગુણાનુ` બહુ વર્ણન કરવાથી શું? અર્થાત્ આ સિદ્ધચક્રજીની આરાધનના પ્રભાવથી તેના આરાધક ત્રણ ભુવનને પૂજનિક એવુ તીથંકર નામકમ ક્ષણ માત્રમાં ઉપાર્જન કરે છે. માટે જ શ્રીપાલના રાસમાં બીજા ખંડમાં વિદ્યાધર મુનિરાજની દેશનામાં કહ્યું છે
•
નવપદ મહિમા તિહાં વણુ વેજી, સેવા ભવિક સિદ્ધચક્ર રે; ઇંડુભવ પર ભવ લહિએ એહુથીજી, લીલા લહેર અથ રે.
દેશનામાં નવપદ્મના મહિમાનું વર્ણન કરે છે : હું ભવ્ય જીવા ! તમે સકલ મંત્રત યંત્રાધિરાજ રાજેશ્વર, સકલ મનવાંછિતપૂર્ણ કરનાર, ચિ'તામણિ અને કલ્પવૃક્ષ કરતાં અધિક પ્રભાવશાળી એવા સિદ્ધચક્ર ભગવાનની સેવા કરી. તેમની સેવાથી આ લાક અને પરલોકમાં સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે.
દુઃખ દેહગ સિવ ઉપશમેજી, પગ પગ પામે ઋદ્ધિ રસાલ રે; એ નવપદ આરાધતાંજી, જિમ જગ કુંવર શ્રીપાલ રે.”
આ સિચક્ર ભગવ`તના પ્રભાવથી સર્વ દુ:ખ અને દૌર્ભાગ્ય નાશ પામે છે, સ` ચિંતાઓ ચૂ થઈ જાય છે, સવ ભય, શાક અને ઉપાધિથી
Page #292
--------------------------------------------------------------------------
________________
મુક્ત બની જવાય છે, સુખ, શાનિત, આનંદ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે, આત્માના પૂર્ણ શુદ્ધ ચિતન્યને અનુભવ અને પ્રાપ્તિ થાય છે. બહે ભવ્ય આત્માઓ! જે રીતે શ્રીપાલ મહારાજાએ નવપદમય સિદ્ધચકનું આરાધન કર્યું, તે રીતે તમે પણ આરાધના કરો. તેના પ્રભાવથી તમે મેક્ષ પયતની સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ, લક્ષીઓ અને શક્તિઓને પ્રાપ્ત કરશે.”
સિધ્ધચકને ધ્યાનાભ્યાસ : (૧) કલશાકાર આકૃતિથી સિદ્ધચકનું ધ્યાન. (૨) કલ્પવૃક્ષાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન. (૩) ચક્રાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન. જ) સિદ્ધચકનો મહિમા આત્મામાં ભાવિત કર. (૫) ચોવીસે કલાક ત્રણમાંથી ગમે તે આકૃતિવાળા
સિદ્ધચક ભગવાનનું સ્મરણ રાખવું. જીવનના દરેક પ્રસંગમાં સિદ્ધચકને આગળ રાખવું. તે જે માર્ગ બતાવે તે માર્ગે ચાલવું.
God is my Instant Constant Abundant Supply of every potent Good.
સંપત્તિઓ અને સિદ્ધિઓનું પુરવઠા કેન્દ્ર પરમાત્મા છે. (નવકારનું પુસ્તક અનુક્રમણીકા આઈટમ નં. ૮૬ પાનું ૧૩)
Page #293
--------------------------------------------------------------------------
________________
ૐ હ્રી અહીઁ નમ:
સાલઅન ધ્યાનના પ્રયાગા
પાઠ આઠમા
અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાન પૂર્વાચાય રચિત સૂત્રો, સ્તવના, સ્તુતિ, સ્તોત્રો દ્વારા ધ્યાન.
પ્રતિક્રમણ જિનશાસનની આવશ્યક અને અદ્ભુત સાધનાની પ્રક્રિયા છે. તેમાં આવતાં સૂત્રો ધ્યાનમય છે. જૈનશાસનની પ્રત્યેક ક્રિયા ધ્યાનમય છે. આવી આવશ્યક ક્રિયા પ્રાણવાન બને, ઉપયાગ જોડવાપૂર્વકની બને, ભાવવાહી અને તે રીતે કરવામાં આવે તે મેક્ષ માની સાધનામાં અદ્દભુત વિકાસ થાય.
પ્રતિક્રમણમાં જેટલા કાઉસગ્ગ આવે છે, તે તા દરેક આરાધકે સ્વય' જ કરવા પડે છે. તેમાં આવતા લેસ્સ કે નવકાર પણ સાચા ગણી શકતા નથી તેવી ઘણાની પરિસ્થિતિ છે. તેથી નવકાર અને લેગસના કાઉસગ્સ કેવી
Page #294
--------------------------------------------------------------------------
________________
રીતે કરવાથી સ્થિરતા આવે તે પ્રક્રિયા બતાવવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે.
એક ઘરડાં માજી દરરોજ પ્રતિક્રમણ કરે છે. તેમનાં ઘરની સામેના ભાગમાં ઉપાશ્રય છે. વરચે મોટો રેડ ક્રોસ કરવો પડે છે. રોડ ખૂબ ટ્રાફીકવાળે છે, છતાં ઘરડાં માજી દરરેજ રોડ ક્રોસ કરીને ઉપાશ્રયે પ્રતિક્રમણ કરવા જાય છે. માજી ભણેલાં નથી. સૂત્રોના અર્થ પણ ખબર નથી. છતાં “મારા ભગવાને કહ્યું છે માટે હું પ્રતિક્રમણ કરૂં છું.” તેથી શ્રદ્ધાથી કરે છે. ઘરના માણસે કહે છે, “મા, તમે આ રીતે રસ્તો ક્રોસ કરીને જાએ છે, રસ્તામાં કઈ દિવસ મેટર નીચે આવી જશે, ઘરે બેસી રહે તે સારૂં.” માજી કહે છે: “એક દિવસ મરવાનું તે છે જ. પરંતુ મારા ભગવાને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તે હું નહીં છોડું.
આ પ્રમાણે ઘરડાં માજીના પ્રતિક્રમણની કિમત કેટલી.
જ્ઞાની પુરૂષો કહે છે – “પરમાત્માએ કહ્યું છે માટે કરૂં છું.” તે જિનાજ્ઞાપાલનને અધ્યવસાય માજીને મોક્ષ પયત પહોંચાડનાર છે.
આ પણી પવિત્ર ક્રિયાની આટલી મહાન કિંમત છે. તેને આપણે હૃદયમાં અંકિત કરવાની છે. હવે અત્યારે બુદ્ધિવાદ વધે. સમજીને ક્રિયા કરીએ તો રસ આવે તેમ કહેવાય છે. અને તે સાચું પણ છે. સમજીને કિયા કરવી તે આપણા પિતાના માટે છે. (બીજાની ટીકા કરવા માટે નહી.) લેગસ્ટ, નમુત્થણે, જકિંચિ વગેરે કેવાં
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૪૭
અદ્દભુત સૂત્રો છે! તે દરેકને આપણે તેમાં રહેલાં અર્થભાવનાપૂર્વક કહીએ તે આપણને રસ જરૂર પડશે. આપણી ક્રિયા પ્રાણવાન બનશે. આ રીતે કરવાથી ક્રિયા કરવાને રસ જાગશે અને ક્રિયા કરનારની સંખ્યા પણ વધશે.
આપણું પૂજ્યો અને વડીલોને નમ્રતાપૂર્વક વિનંતિ છે કે પ્રતિકમણનાં સૂત્રો બાબતમાં વધુ પ્રકાશ પાડે તેવાં ચિત્રો સાથેનું સાહિત્ય બહાર પાડે તો આપણી પવિત્ર ક્રિયામાં જરૂર રસ વધે.
આ વિષયમાં સુંદર ગ્રંથ તિયાર કરી શકાય. જેમાં પૂર્વાચાર્ય રચિત સૂત્રો, સ્તવને, સ્તુતિઓ, તેત્રો વગેરેનું ધ્યાનપૂર્વક ઉચ્ચારણ કરી તે દરેકનું ધ્યાન કરી શકાય તેવી. પ્રક્રિયા બતાવી શકાય.
આપણે સ્વયં આપણી બુધિ અનુસાર વિકાસ કરી શકીએ અને સૂત્રોના આલંબને ધ્યાન કરી શકીએ.
દા. ત. “સંસાર દાવાનલ દાહ નીરં” આ દિવ્ય લેાક સંબંધી ભાવના–ધ્યાન આ પ્રમાણે કરી શકાય – પ્રયાગ નં. ૨૫:–
સંસારરૂપી દાવાનળ સળગી રહ્યો છે. ભયંકર આત ધ્યાન અને રૌદ્રધ્યાનથી સૌ પીડાઈ રહ્યાં છે. ભયંકર હિંસા અને પાપના કારણે સંસાર દાવાનળમાં આપણે દાઝી રહ્યા છીએ. આ સંસાર દાવાનળને દાહ આપણને ભયંકર વેદના આપી રહ્યો છે, કેઈ બચાવે તેમ નથી. તે
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૪૮
રિથતિમાં કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, અશરણના શરણ, અનાથના નાથ પ્રભુ મહાવીર પરમાત્માના દર્શન થાય છે. પ્રભુ સંસાર દાવાનળમાં દાઝી રહેલા જીવોને શીતળ જળનો છંટકાવ કરે છે. આપણું લક્ષ્ય પ્રભુ તરફ ખેંચાયું. સહારાના રણમાં પાણી મળે તેમ ભયંકર યાતનામાંથી આપણને ઉગારનાર કરૂણાના સાગર પ્રભુ મળ્યા. પ્રભુ અમૃતજળને છંટકાવ કરે છે. પ્રભુમાંથી કરૂણરસને ધેધ પડે છે. “સ્વયંભૂરમણસ્પર્ધા, કરૂણારસ વારિણ” કરૂણાના ધંધમાં આપણે સ્નાન કરીએ છીએ. આપણે સંસારને દાહજવર શાંત થાય છે. સંસારના મમત્વમાંથી છૂટીને પ્રભુનું મમત્વ સર્જન થયું. આજ સુધી આપણે સંસારની માયાજાળમાં એટલા આસક્ત હતા કે શીતળ જળરૂપી કરૂણરસ વરસાવનાર પ્રભુના કરૂણરસને ઝીલવા માટે હૃદય પણ ઊંધું રહ્યું. કરૂણાને ધોધમાર વરસાદ તે પડત હતે; પરંતુ આપણું હૃદયપાત્ર ઊંધું હતું તેથી ખાલી રહ્યું અને સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિને અંત ન આવ્યું.
આજે પરમાત્મા અરિહંત દેવની વરસતી કરૂણુને ઝીલવા માટે આપણું હૃદયપાત્ર સમ્મુખ બન્યું.
પ્રભુની કરૂણાથી આપણું હૃદય ભરાઈ ગયું........ હૃદયમાંથી ઉભરાઈને કરૂણ આપણું આખા શરીરમાં અને આત્મપ્રદેશમાં વ્યાપક બની ગઈ.
Deepo
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૯
આપણો દાહજ્વર શાંત થયે, આ-રૌદ્ર ધ્યાનની પીડા શમી ગઈ....... ભય, ચિંતા, દુઃખમાંથી છુટકારો મળે....
હજુ આપણે તે પ્રભુની કરૂણામાં સ્નાન કરવાનું ચાલુ રાખ્યું છે. તેના પ્રભાવથી શાન્તિ, આનંદ, સુખને અનુભવ થયો. આ રીતે સંસાર દાવાનલ નીર” આ સૂત્રનું ધ્યાન કરી શકીએ. અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાનની બીજી એક
રીત જોઇએ. ધ્યાનપ્રયોગ નં. ૨૬
વામન અને વિરાટને મેળાપ ભક્તામર સ્તોત્ર ૧૪મી ગાથા – સંપૂર્ણ મંડલ શશાંકકલાકલાપ
શુભ્રાગુણાસ્ત્રિભૂવને તવ લંઘનિત યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેકં, .
કસ્તાન્નિવારયતિ સંચરતે યથેષ્ટમી હે શરદપૂર્ણિમાના ચંદ્રની કલાના પૂર્ણ નિધાન પરમાત્મા ! તમારા શુભ્ર – ઉજજવલ ગુણ ત્રણ ભુવનને ઉલંઘન કરી ગયા છે. કાલેકમાં પ્રસરી ગયા છે. ચૌદ રાજકમાં સર્વત્ર આપે છે, સર્વત્ર આપની હાજરી છે. તેથી સર્વેશ્વર, જીવેશ્વર, લોકેશ્વર, અખિલ બ્રહ્માંડના
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સાર્વભૌમ ચકાધીશ્વર એવા હે પરમાત્મા ! આપને જ જે આશ્રય કરે છે તેને પિતાનું ઈચ્છિત સ્થાન એટલે મક્ષપર્યત પહોંચવામાં કેણ રોકી શકે?
હે કરૂણાસાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, અશરણના શરણ, અનાથના નાથ, પરમાત્મા ! આપનું કેવળજ્ઞાન લોકને ઓળંગીને અલેક સુધી પહોંચી ગયું છે. આપને લેાકાલોક પ્રકાશક કેવળજ્ઞાન ગુણ પૂર્ણપણે લેક અને અલોકમાં પહોંચી ગયો છે. ચંદ્રને લોકની ઉપમા છે. ચંદ્રની આસપાસ જે સંપૂર્ણ મંડલ (આભામંડલ) હોય છે, તેને અલોકની ઉપમા છે. આવું લોકાલોક વ્યાપી પર માત્માનું વિરાટ સ્વરૂપ છે. (કેવલી સમુદ્રઘાત વખતે કેવળજ્ઞાની પરમાત્માના આત્મપ્રદેશે લેકવ્યાપી બને છે. અને તેમનું કેવળજ્ઞાન તે લોક અને અલોક સુધી પહોંચેલું સદા માટે હોય છે.) પરમાત્મા કાલોક પ્રકાશક જ્ઞાનવાળા હોવાથી લોકસ્વરૂપ જેવી આકૃતિવાળા હોય છે અને ચૌદ રાજકની આજુબાજુ અલક છે અને અલોકમાં પણ પરમાત્માને જ્ઞાનપ્રકાશ હોવાથી તે પ્રકાશ સંપૂર્ણ મડલ જેવું લાગે છે, અલક મંડલથી યુક્ત, લોકસ્વરૂપ પરમાત્મા વિરાટ સ્વરૂપ છે. તેમના ચરણકમળમાં નિજ (આપણે) આત્મા નમસ્કાર કરતે અનુભવાય ત્યારે વામન અને વિરાટનું મિલન થતુ હોય તેવું લાગે છે. તે વખતે વિરાટ સ્વરૂપ પરમાત્માને અનુગ્રહ અને વામનરૂપ આપણે ભક્તિને પ્રકષ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૫૧ -અન્નેનો મેળાપ થાય છે ત્યારે પરમાત્માની અચિંત્ય શક્તિના અનુગ્રહના પ્રભાવે વામન સ્વરૂપ આપણે વિરાટ સ્વરૂપનો અનુભવ કરી શકીએ છીએ; આવું ધ્યાન કરવું. તે ધ્યાન પ્રભાવથી પરમાત્માના જેવું આપણું અંદર રહેલા વિરાટ સ્વરૂપનું પ્રગટીકરણ થાય છે.
કસ્તાનિવારયતિ સંચરતે યથેષ્ટમ” આ પંક્તિ છેવટે ફળીભૂત થાય છે.
હવે તાત્વિક દ્રષ્ટિએ આ વસ્તુ વિચારીએ.
ત્રણ જગતના ઈશ એવા અરિહંત પ્રભુને જે આશ્રય કરે છે તેને પરમાત્માના આલંબને પિતાના આત્માના પૂર્ણ સ્વરૂપની સભાનતા થાય છે. પરમાત્માના જેવું જ પૂર્ણ સ્વરૂપ પોતાના અંદર રહેલ તેવી પ્રતીતિ થાય છે તેથી પૂર્ણ થવાનો પુરૂષાર્થ પ્રગટે છે. પિતાની પૂર્ણતા પ્રત્યક્ષ થાય છે, પિતાની પૂર્ણતા ઉપર શ્રદ્ધાપૂર્વકને પૂજ્યભાવ પ્રગટે છે. પૂર્ણતા હૃદયમાં સ્થિર થાય છે તેને મુક્તિમાં જતાં કોણ રોકી શકે ? અર્થાત્ આપનો આશ્રય એ જ મુક્તિને રાહ છે. પરમાત્માની અને ઉપલક્ષણથી પિતાના આત્માની પૂર્ણતાને લક્ષ્યમાં લાવવાની આ વાત જે સાધક આત્માને ફાવી ગઈ છે, તેના લક્ષ્યમાં પૂર્ણ પરમાત્મ તત્ત્વ નિરંતર હોય છે. પરમાત્માની સાથે એકાકારતા થાય તે કિયા અને તે જ ધ્યાન ચાલુ રહે છે અને તે જ કરવા લાયક લાગે છે. જેને આ શુદ્ધ નિર્ણય થાય છે તેને વ્યવહાર પ્રધાન બની જાય છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
પર
આવી રીતે શાસ્ત્રની કઈ પણ પંક્તિ લઈ અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાનમાં સ્થિર બની શકાય છે........
આ રીતે પૂર્વાચાર્યો રચિત સૂત્રો, સ્તવને, સ્તોત્રનું આલંબન લઈ આપણે પરમાત્માને આપણું જીવનમાં કેન્દ્ર સ્થાનમાં લાવીએ. ખમાસમણું વગેરે કિયા વખતે કેવા પ્રકારનું ધ્યાન કરવું? તે માટે નવપદની આરાધનાની ત્રીજી ભૂમિકામાં “અરિહંતપદ ધ્યાને થકે” વગેરેનું વર્ણન આ પુસ્તકમાં જ વાંચે. તે મુજબ ક્રિયા કરવાથી દરેક ક્રિયા ધ્યાનમય બની જશે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ દયાનમાં ઊભા હતા. બહાર કોઈ યુદ્ધ ન હતું, શસ્ત્ર ન હતાં, દુશ્મન પણ ન હતા, પરંતુ ધ્યાનમાં ઊભેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં દુશ્મન સાથે યુદ્ધ ચાલતું હતું. તે વખતે સાતમી નરકનાં દળીયાં એકઠાં થયાં. ધ્યાનમાં યુદ્ધ કરતાં શસ્ત્ર ખૂટી પડ્યાં. માથા ઉપરથી મુગટ લઈને શત્રુને મારૂં તે વિચાર કરી માથા ઉપર હાથ મૂકે છે, પરંતુ માથું મુંડન કરેલું છે. “હું સાધુ છું”—એ ભાન આવ્યું. રાજ્ય મારું સ્વરૂપ નથી, પુત્ર મારૂં સ્વરૂપ નથી. હું તો સચ્ચિદાનંદ આત્મસ્વરૂપ છું. એ ભાવનાએ ચડ્યા. સર્વાર્થસિદ્ધ વિમાન સુધી પહોંચાય તેવા ભાવથી ભાવિત બન્યા છે. તે ભાવમાં પણ વૃદ્ધિ થઈ, કેવળજ્ઞાન પ્રગટ થયું.
મનુષ્યના મનમાં ચાલતી વિચારની ઘટમાળમાં ચૌદ રાજલેકના બને છેડા સુધી
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૫૩
પશવાની શક્તિ છે! આપણા મનમાં નિરંતર જગતના પદાર્થોનું ધ્યાન ચાલુ છે. તે ધ્યાનને જગતના પદાર્થોમાંથી છેડાવો પરમાત્મા તરફ વાળી લેવામાં આવે તે આપણું જીવન દિવ્ય બની જાય. સામાન્ય મનુષ્યમાંથી આપણે મહામાનવ બની શકીએ, વામનમાંથી વિરાટ બની શકીએ. આમાના શુદ્ધ ચિતન્ય સુધી પહોંચવાની આપણી યાત્રા. અદ્દભુત રીતે આગળ વધે.
આ ગ્રંથનું લક્ષ્યાંક એટલું જ છે કે આપણું મન, જગતના પદાર્થોના વિચારોમાંથી છૂટીને પરમાત્મામાં સ્થિર બને. આપણા મનના બે દેષ છે. એક ચંચળતા, બીજે મલિનતા. ચંચળતા એ એ દેષ છે કે મનગમતું આલંબન મળે છે ત્યારે મન સ્થિર થાય છે. દા. ત., ધન, સ્ત્રી આદિ જગતના પદાર્થોમાં આપણું મન સ્થિર થાય છે; પરંતુ તે આલંબન અશુદ્ધ હોવાથી આપણું મનની મલિનતા વધી જાય છે. માટે શુદ્ધ આલંબનના વિષે મનને બાંધવું જોઈએ. એવું “સિરિ સિરિવાલ કહાની પીઠિકામાં ગૌતમ ગણધર ભગવંત કહે છે. શુદ્ધ આલબનોમાં નવપદ સર્વશ્રેષ્ઠ આલંબન છે. નવપદના કેન્દ્ર સ્થાનમાં રહેલા અરિહંત પરમાત્મા સર્વોત્કૃષ્ટ આલંબન છે. ટૂંકમાં આપણું ધ્યાનનો વિષય અત્યારે જગતના પદાર્થો છે. હવે ધ્યાનનો વિષય પરમાત્માને કેવી રીતે બનાવવા તે માટેના પ્રયોગોમાં હવે આપણે વધુ આગળ વધી પરમાત્માને આપણું જીવનના કેન્દ્ર સ્થાનમાં રાખીએ.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાનાભ્યાસ (૧) સ*સાર દાવાનળમાં મળી રહેલા જીવા ઉપર પ્રભુ મહાવીર કરૂણારસનું સિ ́ચન કરે છે તેવું ધ્યાન કરવું. આપણે પણુ ભગવાનના કરૂણારસમાં સ્નાન કરવુ.
(૨) લાકાલાક સ્વરૂપ – વિરાટ સ્વરૂપ પરમાત્માના ચરણકમળમાં વામનરૂપે નમસ્કાર કરતી આપણી જાતને અનુભવવી. પરમાત્માના અચિત્ય પ્રભાવથી આપણે પણ વામનમાંથી વિરાટ સ્વરૂપ અનીએ છીએ તેવા અનુભવ કરવા.
(૩) વિરાટ પરમાત્માના આલ અને આપણા અંદર રહેલા વિરાટ સ્વરૂપને ભાવિત કરી, તેને પ્રગટ કરવાના પુરૂષાર્થ કરવા.
(૪) મનુષ્યના મનમાં ચાલતી વિચારની ઘટમાળામાં ચૌદ રાજલેાકના અને છેડાને સ્પર્શવાની શક્તિ છે. વિચારધારાને જગતના પદાર્થોમાંથી પાછી ફેરવીને પરમાત્મા તરફ લાવવાની પ્રક્રિયા સાલ અને ધ્યાનના પ્રયાગેામાં આવે છે.
""
(૫) અરિહંત આદિ પદાની આરાધનામાં ખમાસમણાંવગેરેના દુહા – “ અરિહંતપદ્ય ધ્યાતા થકા ” વગેરેનું ઊંડું ચિંતન કરી, ખમાસમણાં આદિ ક્રિયાને માક્ષલક્ષી બનાવવી.
Page #303
--------------------------------------------------------------------------
________________
૫૫
પરિશિષ્ટ 1
શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં લાકેત્તર ભાવાશ્યકનું જે માર્મિક સ્વરૂપ દર્શાવાયુ છે, તેમાંના કેટલેાક અ’શ-ધ્યાન, સ્મરણ કે વિચિન્તન પ્રક્રિયાને પણ લાગુ પાડી શકાય તેવા હાવાથી તે પ્રસ્તુત વિષયને અનુકૂળ થાય એ રીતે અહીં આપેલ છે :
ધ્યાનાદિ ક્રિયા કરનાર સાધક આવા હેાવા જોઇએઃ—
૧
२
૩
૪
૫
તતેિ, તમને, તત્ઝેલ્લે, તાત્તિ, ત્તિવ્યવ્યવત્તાને,
१
७
८
तदट्ठोवउत्ते, तदप्पिअकरणे, तब्भावणाभाविए,
कत्थइ मणं अकरेमाणे.
તચિંત, તમન, તલેશ્ય, તવસિત, તત્તીત્રાધ્યવસાન, તòપયુક્ત, તદર્પિતકરણ, તદ્દભાવના ભાવિત (ધ્યેય સિવાય) બીજે કચાંય પણ મનને ન કરતા.
૯
अण्णत्थ
૧. ચિત (Attention) = તેમાં ( તે ધ્યાનાદિમાં ) ચિત્તવાળા ( સામાન્યેાપયેાગવાળા )
૨. તમન (Interest) = તે ( ધ્યાનાદિ)માં મનવાળા ( વિશેષ ઉપયેગવાળા )
૩. તલેશ્ય ( Desire ) = તેમાં લેશ્યાવાળા (શુભ પરિણામવાળા )
૪. તચવસિત (will) તેમાં અધ્યવસિતવાળા ( ક્રિયાને
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સુંદર રીતે પરિપૂર્ણ કરવાના ઉત્સાહ અથવા નિશ્ચયવાળે) ૫. તત્તીત્રાધ્યાવસન (Imagination)= તેમાં તીવ્ર (પ્રારંભ
કાળથી માંડીને પ્રતિ ક્ષણ પ્રકર્ષને પામતા) દ. તદર્થોપયુક્ત (Awareness) = અત્યંત પ્રશસ્ત સંવે
ગથી વિશુદ્ધ થતો હેઈને તેના અર્થમાં ઉપગવાળે. ૭. તદપિતકરણ (Visualisation) = જેના મન, વચન અને
કાયારૂપ કરો તે ધ્યાનાદિમાં અત્યંત અતિ
-સુનિયુક્ત થઈ ગયાં છે એવો. ૮. તદ્દભાવનાભાવિત (Indentification) = તેની ભાવ
નાથી ભાવિત, તેના પુનઃ પુનઃ અભ્યાસથી ભાવિત. ૯. બીજે કયાંય પણ મનને ન કરતે – (Absorption)
= પ્રસ્તુત ધ્યાનાદિ ક્રિયાથી ભિન્ન એવી ક્રિયાદિમાં મનને ન જવા દેતે. સારાંશ એ છે કે –
(૧) સામાન્યપયોગ રૂપ ચિત્ત, (૨) વિશેષપગ રૂપ મન, (૩) શુભ પરિણામ રૂપ લેશ્યા, (૪) કિયાને સંપાદિત કરવામાં દૃઢ નિશ્ચય અને પ્રવર્ધમાન ઉત્સાહારૂપ અધ્યવસિત, (૫) ક્રિયાના પ્રારંભથી જ પ્રતિ ક્ષણ પ્રકર્ષને પામતા પ્રયત્નરૂપ તીવ્રાધ્યવસાન, (૬) અત્યંત પ્રશસ્ત સંવેગથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિ સહિત અર્થોપગ, (૭)
Page #305
--------------------------------------------------------------------------
________________
ર૫૭
મન, વચન અને કાયારૂપ કરણની સમર્પિતતા, (૮) તેની ભાવનાથી ભાવિતપણું અને (૯) પ્રસ્તુત કિયા સિવાયના વિષયમાં મનની અપ્રવૃત્તિ–આ નવથી સહિત એવા ધ્યાનાદિ શીવ્રતઃ સિદ્ધિને આપનારા છે.
અથવા આ બધા વિશેષણે એક જ અર્થ વાળા (ઉપગ અર્થવાળા) સમજવા; પણ ઉત્તરોત્તર વિશેષણમાં પ્રસ્તુત ઉપગની પ્રવર્ધમાન વિશુદ્ધિ સમજવી.
ટૂંક સાર –ઉપગ જ્યારે ઉત્તરોત્તર એકાગ્રતાપૂર્વક ધ્યેયમાં સ્થિર થતો જાય, ત્યારે છેવટે ઉપગથી ઉપગવાન (ધ્યાતા આત્મા) અભિન્ન બને છે. તેથી ધ્યાતા પિતે જ શ્રેયાકાર બને છે અને શ્રેયાકાર (પરમાત્મ આકાર) બનેલે ધ્યાતા તે સમયે પરમાત્માથી અભિન્ન પિતાના આત્માને અનુભવ કરે છે.
23;
XXX હું આત્મા છું તેવી જાગૃતિપૂર્વક જે કાંઈ થશે તે ભૂલ વિનાનું હશે.
પ્રભુના નામનું સ્મરણ એટલે પિતાના નામનું વિમરણ.
'
S:ો
છે કેes
યા. પ્ર. ૧૭
Page #306
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ II સ્વાધ્યાય દ્વારા પરમાત્માની હૃદયમાં પ્રતિષ્ઠા याकिनीमहत्तरासूनु-भवविरहाङ्क-भगवत्-श्रीहरिभद्रसूरि
कृत-'षोडशकप्रकरण' संदर्भ अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् , नियमात्सर्वार्थसंसिद्धिः ॥ २॥१४॥ चिन्तामणिः परोऽसौं, तेनैव भवति समरसापत्तिः । सैषेह योगिमाता, निर्वाणफलप्रदा प्रोक्ता ॥ २ ॥ १५ ॥
અનુવાદ આ જિન પ્રવચન જ્યારે હૃદયમાં સ્વાધ્યાયાદિ દ્વારા પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે પરમાર્થથી શ્રી જિનેશ્વર પરમાત્મા જ હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે અને જ્યારે શ્રી જિનેશ્વર ભગવંત હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે અવશ્યમેવ સર્વપ્રયજનેની સિદ્ધિ થાય છે. પર-૧૪
સર્વ પ્રયજનોની સિદ્ધિ થવાનું કારણ એ છે કે આ શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિન્તામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે. આ સમરસાપતિ વેગીઓની માતા છે અને નિર્વાણફલની પ્રસાધક છે. (આત્મા જ્યારે સર્વજ્ઞના સ્વરૂપમાં ઉપયોગવાળો બને છે ત્યારે તેને અન્યત્ર ઉપયોગ ન
Page #307
--------------------------------------------------------------------------
________________
હાવાથી તે સ્વયં સત્તરૂપ થાય છે. નર્યાવશેષ એમ માને છે કે જે જે વસ્તુના ઉપયેાગમાં આત્મા વર્તે છે તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. જેમ નિળ સ્ફટિકમણિમાં ઉપાધિ (જેનું મણિમાં પ્રતિબિમ્બ પડે તે વસ્તુ) પ્રતિબિશ્ચિંત દેખાય છે અને તે મણિ ઉપાધિના વર્ણાદિને ધારણ કરે છે, તેમ નિળ આત્મા પણ ધ્યાન વડે પરમાત્યરૂપતાને ધારણ કરે છે. એ જ સમાત્તિ. અથવા ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા પણ સમાપત્તિ કહેવાય છે.) ॥ ૨-૧૫ k
X
૨૫૯
*
AAAAAAAAAAAAAA
GNÆ
આનદને પ્રેમી આત્મા પ્રગટ આનંદના ભડાર પરમાત્મા પ્રત્યે પ્રેમ કરે છે. તેના તે પરમાત્મપ્રેમ પોતે જ પરમાનંદ સ્વરૂપ બની આત્માને આનંદથી ભરી દે છે.
*
આત્મ અનુભૂતિ પહેાંચવા માટે તે સ્થિતિએ પહેાંચેલાનુ સ્મરણ, ધ્યાન, વિચિંતન આવશ્યક છે. સ્મરણ આદિ વડે તે સ્થિતિએ પહેાંચેલાના અનુગ્રહ પ્રાપ્ત થાય છે.
અહુના નમસ્કાર અને ધ્યાન વડે સંકુચિત અહંનું કાચક્ષુ' ફૂટી જાય છે. અને અમરતત્ત્વના દ્વાર ખુલ્લાં થાય છે. ?? ക
Y
Page #308
--------------------------------------------------------------------------
________________
ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ &
૩% હા અહં નમ: સાલંબન દયાનના પ્રોગો
CUSANTIAGS:6568
પાઠ નવમો SMMMMMMMMMMMMMMMMMMMM
વર્ણ માતૃકાનું ધ્યાન કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં પહેલા ચાર શ્લોકમાં વણે માતૃકાના દયાનનો વિધિ બતાવ્યો છે. પ્રાગ નં. ર૭
શ્રી સિદ્ધચયંત્રમાં નવપદ પછી બીજા નંબરનું સ્થાન (બારાક્ષરીના ૪૯ અક્ષરો) વર્ણ માતૃકાને આપવામાં આવ્યું છે. બારાક્ષરી (બારાખડી) ના ૩ થી ૪ સુધીના ૪૯ અક્ષરો જે સ્કૂલમાં ભણાવવામાં આવે છે તેને યોગના
છે “અનાદિ સિદ્ધ વર્ણમાતૃકા”ના નામથી સંબોધન કરે છે. તેનું વર્ણન નીચે મુજબ છે.
(૧) આત્માની જ્ઞાનશક્તિ તે જ માતૃકા છે.
(૨) માતૃકા જ્ઞાનશક્તિરૂપ હોવાથી તેને “વિશ્વબોધ વિધાયિની” એટલે કે સર્વે પદાર્થોનો બંધ કરાવનાર કહેવામાં આવે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૬૧
(૩) તે બુદ્ધિમાન પુરુષના જ્ઞાનમય તેજનું માતાની જેમ જતન, પારેવાલન અને વિશાધન કરનારી હેવાથી, માતૃકા કહેવાય છે.
(૪) માતૃકા આત્માની પરમ તિ છે.
(૫) બારાક્ષરીના અ થી હ સુધી ૪૯ અક્ષરનું રોગશાસ્ત્રમાં બતાવેલ આવું ધ્યાન કરનાર સાધક શ્રતજ્ઞાનને પારગામી થાય છે. આ ૪૯ અક્ષરે Raw Material – ખાણમાં રહેલા કાચા હીરાના સ્થાને છે અને જિનાગમ Polishd – તૈયાર હીરા સમાન છે. આ ૪૯ અક્ષરોના ધ્યાનમાં તન્મય બનનાર સાધકને સકલ આગમમાં રહેલાં રહસ્ય, હાથમાં રહેલાં આમળાની જેમ સ્પષ્ટ અનુભવમાં આવે છે.
(૬) કેઈપણ શબ્દ અગર ભાષા ૪૯ અક્ષરોમાંથી અને છે. જિનેશ્વર ભગવંતની વાણી ૪૯ અક્ષરોમાંથી ગૂંથાય છે. ગણધર ભગવંતે દ્વાદશાંગીની રચના ૪૯ અક્ષ
ના જુદી જુદી રીતે સંકલન દ્વારા કરે છે. જગતને સર્વ લૌકિક અને લેકેત્તર વ્યવહાર ચલાવનારી મહાશક્તિ તે આ ૪૯ અક્ષર રૂ૫ વર્ણમાલા છે. તેનું ધ્યાન કરનારને અપ્રતિમ વાણને પ્રવાહ મળે છે. ( Influent Flow ) વર્ણમાલાનું ધ્યાન કરનારને કાંઈ પણ કહેવું હોય તે શબ્દ શોધ પડતો નથી. શબ્દને તેની પાછળ દોડતા આવવું પડે છે. એક હજાર વકતૃત્વની કળા (Art of Speaking) ના પુસ્તકો વાંચવાથી જે વક્તત્વ કળા માટેનું જ્ઞાન મળે
Page #310
--------------------------------------------------------------------------
________________
ર
છે, તે કરતાં અનેકગણું અધિક વકતૃત્વકળાનું જ્ઞાન ૪૯ અક્ષરાના ધ્યાનમાંથી મળે છે. કારણ કે સવ ભાષા અને શબ્દો ૪૯ અક્ષરમાંથી ઉત્પન્ન થાય છે (માત્ર ધર્મોપદેશ માટે જ આ પ્રયોગથી પ્રાપ્ત થતી શક્તિના ઉપયાગ કરવા વિનતી છે.) તેના ધ્યાનના વિધિ નીચે મુજબ છે
www
સાધક આત્મા
નાભિકંદ ( મણીપૂર ચક્ર)સ્થાનમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં સાળ સ્વને અત્યંત સ્થિરતાપૂર્વક ચિ'તવે. ( ૧૬ સ્વરે આ પ્રમાણે – ૪, ગ્રા, ૬, , ૩, , , ૠ, ē, રૃ, રૂ, ઘે, કો, ઔ, સં. . )
(૨) તે પછી હૃદયસ્થાન (અનાહત ચક્ર)માં ચાવીસ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં થી મ સુધીના ૨૪વર્ણને ચિતવે. અને તે કમળની કણિકામાં ‘મ' ચિંતવે. ૨૪ વર્ષો આ પ્રમાણે - ( %, ૬, ૧, ઘ, ઙ, ચ, છે, ñ Ü, ગ, ૨, ૩, ૩, ૪, ૫, તે, થ, લ, વૈં, ૧, ૫, હું, વ, મૈં. )
W
"
(૩) તે પછી મુખસ્થાનમાં આઠ પાંખડીવાળુ કમળ ચિ'તવવુ. તેમાં ય થી ૪ સુધીના આઠ વર્ણી ચિંતવે. આઠ વર્ણી આ પ્રમાણે – ( ૨, ૨, ૩, વ, રા, ૫, F, હૈં).
આ પ્રકારે નિત્ય વિધિપૂર્વક સ્મરણ કરતા સાધક શ્રુતજ્ઞાનના પારગામી થાય છે, અપ્રતિમ વાક્ચાતુર્ય ને મેળવે છે, મહાપુરુષાના પૂજા સત્કારને પામે છે, અને ઉત્તમ પુરુષાએ પ્રાપ્ત કરેલ ગતિ (માક્ષ)ને પામે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૩
—
આ પ્રમાણે નાભિકમળમાં ૧૬ સ્વરા,
હૃદયકમળમાં
થી મેં સુધી ૨૫ વર્ગો,
અને મુખકમળમાં ૨ થી ૪ સુધી ૮ વર્ણોનુ* ધ્યાન કરવું.
ઉપરોક્ત ધ્યાન પ્રયાગ અને તેના ફળાદેશ સમજતાં કઈ પણ મુમુક્ષુ આત્માને આ પ્રયોગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય તે સહેજ સ્વાભાવિક છે. માત્ર જગતના પદાર્થોની પાછળ આપણી ચેતના અંધાયેલી હાવાથી શાસ્ત્રકાર મહર્ષિએ બતાવેલ આવી તદ્ન સરળ અને અદ્ભુત સાધના તરફ આપણું લક્ષ ખેં'ચાયું નથી. એક વખત આ વણુ માતૃકાની સાધના જીવનમાં શરૂ થયા પછી અનુભવથી જ તેના લાભ સમજાય છે. આપણે તે માત્ર કરસી નેટમાં જ લક્ષ્મીનુ સ્વરૂપ જોયું છે; પરંતુ લક્ષ્મી કયાં કયાં વસે છે તે મહાપુરુષ કહે છે —
---
લક્ષ્મીના દિવ્ય પ્રકારો
जिह्वाग्रे शास्त्रलक्ष्मी करतल कमले दान पूजादि लक्ष्मी, दोर्दण्डे वीर्यलक्ष्मी हृदय सरसिजे, सत्य कारुण्य लक्ष्मी । खड़गाये शौर्यलक्ष्मी नयन कमलयोः क्षेम सौभाग्य लक्ष्मी, सर्वाङ्गे सौख्य लक्ष्मी, भवतु मम विभो ! मोक्षलक्ष्मी च प्रान्ते ॥
જીભના અગ્રભાગ ઉપર શાસ્ર રૂપી લક્ષ્મી, કરકમલ (હાથ )માં દાન અને પૂજા રૂપી લક્ષ્મી, અને ભુજાઓમાં શક્તિ રૂપી લક્ષ્મી,
Page #312
--------------------------------------------------------------------------
________________
૧૬૪
હૃદયમાં સત્ય અને કરૂણા રૂપી લક્ષ્મી, તલવારના અગ્રભાગ (રક્ષણ માટે) શૌય રૂપી લક્ષ્મી, નયન કમલ (નેત્ર)માંસના કલ્યાણ રૂપ ભાવ અને સૌભાગ્ય રૂપી લક્ષ્મી,
શરીરના સવ અંગામાં સુખાકારી (આરોગ્ય)રૂપ લક્ષ્મી, અંતે માક્ષરૂપી લક્ષ્મી આપના પ્રભાવથી
હે પ્રભુ ! મને મળે.
આ શ્લેાક ઉપરથી ઉપરથી લક્ષ્મીનું અનેક પ્રકારનું સ્વરૂપ જાણ્યા પછી સમજાય છે કે માત્ર પૈસા, હીરા, સેાનું વગેરેમાં જ આપણી ચેતના બાંધવા જેવી નથી, પણ જગતમાં અનેક ઉત્તમ તત્ત્વા પણ પ્રાપ્ત કરવા લાયક છે. મહાપુરુષ કહે છે કે નિત્ય વિધિપૂર્વક માત્ર બારાખડીના અક્ષરાની સરળ અને સહેલી ધ્યાનની સાધના કાર, (૧) શ્રુતજ્ઞાનના પારગામી થાય છે. (ર) અપ્રતિમ વાચાતુને મેળવે છે. (૩) મહાપુરુષાના સત્કારને પામે છે. (૪) ઉત્તમ પુરુષાએ પ્રાપ્ત કરેલ ગતિ (માક્ષ) ને પામે છે.
મુમુક્ષુ વાચકા ! આપ શાંતિથી વિચારો કે, આપણા ઉદ્ધાર માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ આવી અનુભવસિદ્ધ ધ્યાન પ્રક્રિયા ખતાવી આપણાં ઉપર કેટલેા મહાન ઉપકાર કર્યો છે ! પૂ. પ. અધ્યામયેાગી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે આ પુસ્તકના લેખકને આ પ્રયાગ ૨૦૧૬ ની સાલમાં બતાવેલા અને
Page #313
--------------------------------------------------------------------------
________________
वर्णाक्षर ध्यान
३ मुखपद्मम्
हृध्यपद्मम्
२
नाभिकन्दपद्मम्
ww
आ
अ
P
ध न प
适
अ
茶
4
अ
PRA
2
5
IS
A
A
10
Is
પૃષ્ઠ નં. ૨૭૨
પ્રયોગ નં. ૨૭
Page #314
--------------------------------------------------------------------------
________________
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬૫
નિત્ય તેની સાધના કરવા પ્રેરણા આપેલી. આ પછીના ચેગશાસ્ત્રના આઠમા પ્રકાશના પાંચમાથી ખાવીશમા શ્ર્લાક સુધીની સાધના પણ ૨૦૧૯ માં અતાવી, નિત્ય સાધના કરવા પ્રેરણા આપેલી. જે ગુરૂકૃપાથી આજ પર્યંત ચાલુ રહી શકી છે.
આ દિવ્ય પ્રક્રિયામાં યાગ્ય આત્માએ રસ લઈ માક્ષમાર્ગની સાધનામાં આગળ વધે તે જ અભ્યર્થના.... વિશેષ પ્રેરણા માટે કેટલીક શાસ્ત્રીય હકીકત નીચે મુજબ છે.
(૧) શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત ‘સિદ્ધમાતૃકાભિધ ધર્મ પ્રકરણ' ગત સંદર્ભ :-~~ महं स्मरामि ||
मातृकां તથાદિ
षोडशच्छदजुषि स्वरमालां नाभिकन्दकमले विचरन्तीम् । चिन्तयेदथ सकणिकपझे द्वादशद्वयदले हृदि वर्णान् ||५७ || अष्टपत्रयुजि वक्त्रसरोजे यादिवर्णनिकरं प्रणिदध्यात् । संस्मरन्निति जिताक्षकषायो मातृकाम सकलविन्मनुजः ચાલૂ || ૮ || તે માતૃકાનું હું ત્રણ પ્રકારે ( ત્રણ કમળામાં) સ્મરણ
કરૂ છુ.
તે આ રીતે—
(૧) નાભિક દસ્થાને સાળ પાંખડીવાળા કમળમાં વિચરતી સ્વરમાળાને ચિંતવે. તથા
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૬૬
(૨) હૃદયસ્થાને ચાવીસ પાંખડીવાળા કણિકા સહિત કમળમાં વર્ગોને ( ૪ થી ૬ સુધીના ૨૫ વ્ય‘જનાને ) અને (૩) આઠ પુત્રવાળા મુખકમળમાં ય આદિ - સમૂહ (૨ થી ૪ સુધીના વર્ણ ) નુ* પ્રણિધાન કરે.
ઇન્દ્રિયા અને કષાયાને જીતનાર પુરુષ જે નિર્દિષ્ટ રીતે માતૃકાનુ` સંસ્મરણ કરે તેા તે સજ્ઞ થાય. सुधियां चिन्मयधाम्नो जननात् परिपालनात् विशोधनतः । श्री सिद्धमातृकै कमलश्रीजयति मातेव ॥ ५९ ॥
આવી રીતે ત્રણ કમળેામાં રાલતી એવી સિદ્ધમાતૃકા બુદ્ધિમાન પુરૂષાના જ્ઞાનમય તેજનુ જતન, પરિપાલન અને વિશેાધન કરનારી હાવાથી માતાની જેમ જયવંતી વતે છે.
(૨) ભટ્ટારક સકલ કીર્તિ વિરચિત ‘તત્ત્વાર્થ સારદ્વીપક ’સંદર્ભ :
ध्यायेदनादिसिद्धान्तविख्यातां वर्णमातृकाम् । आदिनाथमुखोत्पन्नां विश्वागमविधायिनीम् ॥ ३५ ॥
શ્રી આદિનાથ ભગવ ́તના મુખથી નિકળેલી, સઘળાં આગમાની રચના કરનારી અને અનાદિ સિદ્ધાંતમાં વિખ્યાત એવી વહુ માતૃકા (સિદ્ધમાતૃકા ) નું ધ્યાન કરવું જોઈએ. (૩)શ્રી સિ‘તિલકસૂરિ વિરચિત મંત્રરાજ રહેસ્ય’ સ‘દઃ
षोडश चतुरधिविंशतिरष्टौ नाभौ दलानि हृदि मूनि । આયં દાન્તે વળી: રાઉ-જ઼ા નમઃ પ્રમથાઃ ॥ ૪૪૮ હે
Page #317
--------------------------------------------------------------------------
________________
२६७
બિન્દુ અને કલામાંથી ઉત્પન્ન થયેલાં ' થી દૂ સુધીના (૪૯) વી ચિતવવા. તે આ રીતે - ‘સ્ત્ર’ થી ‘:’ સુધીના સાળ સ્વરા નાભિકમળના સેાળ દળામાં, ‘’ થી ‘મ’ સુધીના ચાવીશ વ્યંજના હૃદયકમળના ચાવીશ લેામાં તથા ‘મ” કણિકામાં અને 'વ' થી ‘૪' સુધીના આઠ વ્યજને મૂધસ્થાનના આઠ લેામાં ચિંતવવા. (૪૪૮)
उक्तंच
कमलदलोदरमध्ये ध्यायन् वर्णाननादिसंसिद्धान् । નાિિવષયવોયો, યાતુ: સંતે જાજાનું || કo || કહ્યું છે કે —
અનાદિ સંસિદ્ધ વર્ણાનુ કમલપત્રામાં જે ધ્યાન કરે છે તેને નષ્ટ (ચેારાયેલી) વસ્તુ વગેરે વિષયનું જ્ઞાન અલ્પકાળમાં થાય છે. (૪૫૧)
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત યેાગશાસ્ત્રના મૂળ શ્લેાકેા અ સાથે
यत्पदानि पवित्राणि, समालम्ब्य विधीयते । તસ્પર્થ સમાન્યાતં, જ્યાનં સિદ્ધાન્તવારને: // ? ||
પવિત્ર, પાપના વિનાશ કરનાર, નાનાવિધ સિદ્ધિઓને આપનાર પદ્મ-મ་ત્રાક્ષર લઈને જે ધ્યાન કરાય છે, તેને સિદ્ધાંત પારગ-ચૌદ પૂર્વે ધર ગણુધરા પદસ્થ ધ્યાન કહે છે. (૧) હવે ત્રણ લેાકેા વડે વિશેષ કહે છે :
तत्र षोडशपत्राढ्ये नाभिकंदगतांबुजे । ઘરમાાં થાપત્ર' ભ્રમતી પરિચિતચેત્ || ૨ ||
Page #318
--------------------------------------------------------------------------
________________
૧૬૯
'चतुर्विंशतिपत्रं च हृदि पद्मं सकर्णिकम् | वर्णान्यथाक्रमं तत्र चिंतयेत्पंचविंशतिम् ॥ ३ ॥
वक्त्राब्जेऽष्टदले वर्णाष्टकमन्यत्ततः स्मरेत् । संस्मरन् मातृकामेव स्याछूतज्ञानपारगः ॥ ४ ॥
.
',
નાભિક પર રહેલા સેાળ પાંખડીવાળા પ્રથમ કમળના દરેક પત્ર પર સાળ સ્વરની પક્તિ (ત્ર, જ્ઞ, રૂ, મૈં, ૩, ૭, , શ્રૃ, ૯, રૃ, ૫, ૫, શો, બૌ, Ä, : ) ભ્રમણુ કરતી ચિતવવી. હૃદયમાં રહેલા, ચાવીસ પાંખડીવાળા કણિકા સહિત કમળમાં અનુક્રમે વ્યંજનના ક વ, ીક ૬, ૭, ચ, છે, જ્ઞ. શ્ર્વ, અ,૨, ૩, ૩, ૪, ૫, ત, થ, , ધ, ૧, ૫, જૂ, વ, મ, મૈં ચિ'તવવા, તેમાં આદિના ચાવીસ પાંખડીઓમાં અને પચીસમા (F) કણ કામાં ચિંતવવા, તથા મુખમાં ( મેઢામાં ) આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરવી. તેમાં ત્રીજા બાકીના આઠ વર્ણી ૫, ૬, ૭, ૧, A, ૧, ૬, ૪ સ્મરવા. આ પ્રમાણે આ માતૃકાને સ્મરણ કરતા-ચિંતવન-ધ્યાન કરતા શ્રુતજ્ઞાનના પારગામી થાય. ( ૨, ૩, ૪.)
માતૃકાના ધ્યાનનું ફળ
ध्यायतोऽनादिसं सिद्धान् वर्णनेतान्यथाविधि । नष्टादिविषयेज्ञानं ध्यातुरुत्पद्यते क्षणात् ॥ ५ ॥
અનાદિ સિદ્ધ આ આકારાદિ વર્ણન' વિધિપૂર્વક (પૂર્વ અતાવેલ ત્રણે કમળામાં ગેાઠવીને એકાગ્રતાપૂર્વક) ધ્યાન
Page #319
--------------------------------------------------------------------------
________________
કરતાં થોડા વખતમાં ધ્યાન કરવાવાળાને નષ્ટાદિ સંબંધી (ગયું–આવ્યું, થયું–થવાનું–થતું, જીવિત અને મરણાદિ સંબંધી) જ્ઞાન ઉત્પન્ન થાય છે. ૫
( યોગશાસ્ત્ર, અષ્ટમપ્રકાશ. લે. ૧, ૨, ૩, ૪, ૫)
- વર્ણમાતૃકાને ધ્યાનાભ્યાસ (૧) નાભિ કમળમાં સળ પાંખડીવાળા કમળમાં સોળ
સ્વર મ, આ આદિનું ધ્યાન કરવું. (૨) હદયમાં ચાવીસ પાંખડીવાળા કમળમાં થી મ
સુધીના ૨૪ વ્યંજનેનું ધ્યાન કરવું અને કણિકામાં
“જ” નું ધ્યાન કરવું. (૩) મુખ કમળમાં થી સુધીના આઠ અક્ષરનું આઠ
પાંખડીવાળા કમળમાં ધ્યાન કરવું. આ ધ્યાનથી આગમમાં રહેલાં રહસ્ય હાથમાં રહેલાં આમળાની જેમ સ્પષ્ટ સમજાય છે. આ ધ્યાનથી વાણીને અવિહડ પ્રવાહ (Influent Flow) પ્રાપ્ત થાય છે.
વર્ણાક્ષાનું વિશિષ્ટ રીતે ધ્યાન. પગ નં. ૨૮ :–
અનાદિ સિદ્ધ વર્ણમાતૃકાનું ધ્યાન વિશિષ્ટ સાધકે માટે હવે જોઈએ.
આ. શ્રી સિંહતિલકસૂરીશ્વરજી મહારાજાએ “પરમે
Page #320
--------------------------------------------------------------------------
________________
२७०
વિદ્યા યંત્ર-કલ્પ” નામના ગ્રંથમાં આ વસ્તુ ખતાવેલી છે. આત્મદર્શનના અને યાન વિષયક ગ્રંથામાં ઘણા સ્થાને આ વસ્તુ છે. Serpent Power નામના ચેગ વિષયક ગ્રંથમાં આ વસ્તુ સવિસ્તર વર્ણવેલી છે,
પ. પૂ. ૫. અધ્યાત્મયાગી ભદ્રંકરવિજયજી મહારાજશ્રીએ આ પુસ્તકના લેખકને ૨૦૧૯ના મોટામાંઢાના ચાતુર્માસ દરમ્યાન આ પ્રયાગ બતાવેલે, જે આજ પર્યંત ચાલુ છે.
(૧) મૂલાધાર ચક્ર:- સ્થાન-ગુઢા મૂલ. તેમાં ચાર દલવાળુ` કમળ ચિ'તવવુ, કમળના વણું (૨*ગ) લાલ છે. તે કમળની ચાર પાંખડીમાં ૬, રા, ૬, સ આ ચાર અક્ષર ચિ'તવવા. આ ચાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં હ્ર પૃથ્વી ખીજ ચિંતવુ. મૈં, રા, હૈં, મૈં આ પ્રમાણે અહી અને હવે પછીના અક્ષરી પણ બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે.
(૨) સ્વાધિષ્ઠાન ચક્ર :- આ ચક્રનું સ્થાન પેઢુમાં (લિંગમૂલ) છે. તેમાં છ પાંખડીવાળું કમળ ચિંતવું. કમળના વણુ (રંગ) અરૂણુ (ઊગતા સૂર્ય જેવા) છે. તેની પાંખડીઓમાં વધુ મેં, મ, ચ, ૨, ૪ અનુક્રમે ચિંતવવા.
આ કમળની કણિકામાં હૈં વરૂણ (જલ) ખીજ ચિ'તવવુ.. ( અક્ષરા બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે. )
(૩) મણિપુર ચક્ર :- આ ચક્રનું સ્થાન નાભિ છે. તેમાં સફેદ વવાળુ દશ પાંખડીનું કમળ ચિંતવવું. તે પાંખડીઓમાં અનુક્રમે ૩, ૪, ગ, સ, થ, હૈં, ધ, ન, 1,
.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૭૧
ચિંતવવા. આ કમળની કણિકામાં અગ્નિ બીજ જે ચિંતવવું.
(૪) અનાહત ચક :- આ ચક્રનું સ્થાન હૃદય છે. તેમાં ૧૨ પાંખડીવાળું કમળ ચિંતવવું કમળને વર્ણ પીળે છે. તેમાં વ, ઉં, ૪, ૫, ૩. ચ, છ, , , ગ, ૨, ૩ આ બાર અક્ષર અનુકમે ચિંતવવા. તેની કર્ણિકામાં વાયુ બીજ 7 ચિંતવવું.
(૫) વિશુદ્ધ ચક્ર :-આ ચક્રનું સ્થાન કંઠ છે. તેમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેને વર્ણ (રંગ) સફેદ છે. તેમાં દરેક પાંખડીમાં અનુકમે , , , , ૩, ૪, ત્રા, *, ૪, ૮, , , મો, શૌ, , ઝ:-આ ૧૬ સ્વર ચિંતવવા. આ કમળની કર્ણિકામાં આકાશ તત્ત્વ હૈં ચિંતવવું.
(૬) આજ્ઞાચક :- આ ચક્રનું સ્થાન ધૂમધ્ય છે. તેમાં બે પાંખડીવાળું કમળ છે. તેનો વર્ણ (રંગ) લાલ છે. તેમાં હ, ક્ષ-આ અક્ષર અનુક્રમે ચિંતવવા. આ કમળની કર્ણિકામાં મહાતત્વ * ચિંતવે. તેમાં ગુરૂ તવની વિશેષ સાધના થાય છે. જેની નોંધ આ પ્રયોગના છેલ્લે લીધી છે. ૩ અર્ધમાગધીને લે.
(૭) સહસ્ત્રદલ પદ્ય અથવા સહસ્ત્રાર ચક:આ ચક્રનું સ્થાન સહસ્ત્રાર (મગજ) બ્રહ્મરંધ્ર છે. તેમાં એક હજાર પાંખડીવાળું કમળ છે. તેનો વર્ણ સફેદ છે. તે કમળની કણિકામાં મંત્રાધિરાજ લઈ બિરાજમાન
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૦૨
છે. તે કમળના બહારના ગાળાકારની પાંખડીએમાં પહેલા રાઉન્ડમાં ઉપરના કુલ ૫૦ અક્ષરા ૬ થી ક્ષ સુધીના ચિતવવા. ચિતવવા. પછી દર ખીજા રાઉન્ડમાં ક્રીથી ૫૦ અક્ષર ચિતવવા. આ પ્રમાણે ૨૦ રાઉન્ડ કરવા. તેમાં કુલ એક હુજાર પાંખડીમાં ૨૦ વખત ૫૦ અક્ષરા આવશે. છેલ્લા રાઉન્ડ કણિકામાં રહેલા અહુની આજુબાજુ આવશે. કમળના મહારના રાઉન્ડથી ચિતવતાં ચિંતવતાં અંદર છેલ્લે ૨૦ મા રાઉન્ડમાં કણિકામાં રહેલા સુધી પહેાંચવાનુ છે. તે પછી બ્રહ્મર પ્રેમાં અહુનું
ધ્યાન કરવું. આ ધ્યાનના અગણિત લાભા છે. અના ધ્યાનમાં તન્મય બની, ઉપયાગ અ‘માં સ્થિર કરી, સભેદ પ્રણિધાન કરવુ', તે પછી આપણા આત્માનું અહુ રૂપે ધ્યાન કરવુ. એટલે પહેલાં સભેદ પ્રણિધાન કર્યો પછી અભેદ્ય પ્રણિધાન કરવુ.... એટલે આપણા આત્માનું અહ રૂપે ધ્યાન કરવુ. આ ધ્યાનથી આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકાય છે. ( અહુ' મંત્રાધિરાજ વિષયમાં વધુ વિવેચન આ પુસ્તકમાં યાગશાસ્ત્ર ૯-૧૬ શ્લાકની ધ્યાન પ્રક્રિયા પાઠ દશમા પ્રયાગ નં. ૩૦માં છે. )
પ્રભુના નામરૂપ મ`ત્રને ચૈતન્યને મહા ભડાર સમજી ઉપાસના, જપ કે ધ્યાન કરવામાં આવે છે ત્યારે પરમાત્મા કલ્પવૃક્ષની જેમ તત્કાળ ફળદાયી થાય છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
Page #324
--------------------------------------------------------------------------
________________
વાર્શમાતૃકાનું વિશિષ્ટ ધ્યાન
ષટુ ચક સહસ્ત્રદલ પદ્મ એ શૂન્યચક્ર બ્દિદલ પદ્મ થી આરાચક્ર ષોડાદલપદ્મ - MS વિશુદ્ધા૨વ્યચક્ર
પ્રયોગ નં. ૨૮ પૃષ્ઠ ૨૯૯
દ્વાદશદલપ,
(અનાહત ચક
(Bhaves yren 13žk
tehnzione In
મણિપુરચકચક
સ્વાધિષ્ઠાનચક્ર
આધારચક્ર
Page #325
--------------------------------------------------------------------------
________________
પ્રયોંગ નં. ૨૯ પૃષ્ઠ ૨૭૪ ,
N
:
૦
S
છે
0
તે
શૈાતમ છાણધરની જ્ઞા.ન. હક્તિ પૂ. ગુરુદેવ
ભટ્ટ ક૨વ્યંજયજી) Hો એકમંત થાય છે. અને પૂ.ગુરુદેવ અનુગ્રહપૂર્વક સાધકને શા.સ્થાકિત આપે છે.
Jan Education Intenational
Page #326
--------------------------------------------------------------------------
________________
Page #327
--------------------------------------------------------------------------
________________
ગુરૂચરણાવિ દે
ચેન જ્ઞાનપ્રદીપેન, નિરસ્યાન્યતર તમઃ । મમાત્મા નિમ્ લીચક્રે, તસ્મૈ શ્રીગુરવે નમઃ ।
ગુરૂપદ
ભક્તિ વિના મુક્તિ નથી, શ્રદ્ધા વિના ભક્તિ નથી.
શ્રદ્ધા માટે જ્ઞાન જોઈએ, જ્ઞાન ગુરૂવિનય વિના જ્ઞાન નથી, જ્ઞાન શ્રદ્ધા વિના ભક્તિ નથી, ભક્તિ
માટે ગુરૂ જોઈ એ. વિના શ્રદ્ધા નથી. વિના મુક્તિ નથી.
મુક્તિ વિના સુખ નથી.
તેથી ખધાના મૂળમાં ગુરૂ છે,
ગુરૂ તત્ત્વને મુખ્ય બનાવ્યા વિના જીવનમાં એક પણ સદ્ગુણુ સાચા સ્વરૂપમાં પ્રાપ્ત થતે! નથી. અહંકારને છેડવા માટે જે વિનય ગુણુ અતિ જરૂરી છે, તે સદ્ગુરુને આધિન છે. સદ્ગુરૂની કૃપા વડે પરમ ગુરૂ (પરમાત્મા )ને પામી શકાય છે. પરમ ગુરૂના (પરમાત્માના) સબધ કરાવી આપે તે જ સદ્ગુરૂ છે. ભક્તિ સદ્ગુરૂને સ્વાધીન છે. મુક્તિ પરમગુરૂને આધિન છે. વિનય ગુણની પરાકાષ્ઠા એટલે અનત લબ્ધિનિધાન શ્રી ગૌતમ સ્વામી મહારાજ. શ્રી ગૌતમ સ્વામીનુ ધ્યાન દ્વારા અનુસધાન કરવાને આ દ્રિવ્ય પ્રયાગ છે.
વ્યા. પ્ર. ૧૮
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૦૪
આજ્ઞાચક્રમાં ગુરૂતત્ત્વનું વિશેષ ધ્યાન ઃ—
પ્રયાગ ન. ૨૯
આજ્ઞાચક્રમાં બે પાંખડીવાળું કમળ છે. કમળના ર'ગ લાલ છે. બે પાંખડીમાં “ૐ” “ક્ષ” અક્ષરો છે. ાણકામાં ૐના બિન્દુમાં ગૌતમસ્વામીનુ' પીળા વણુ થી દૈર્યાન કરવું. તેના પેટાળમાં આપણા આત્માનું સ્થાપન કરવું. અને બિન્દુમાં બિરાજમાન ગૌતમસ્વામીમાંથી જ્ઞાનામૃતની વૃષ્ટિ થાય છે. તેમાં ૐના પેટાળમાં રહેલા આપણા આત્મા સ્નાન કરે છે, તે જ્ઞાનામૃતને ગ્રહણ કરે છે. અને પોતે સ્વયં જ્ઞાનસ્વરૂપ અને છે. આવું ધ્યાન કરવુ. આ ધ્યાનમાં પરમગુરૂ ગૌતમસ્વામીજી ભગવંત સાથે સીધેા સંબંધ જોડાય છે. ધ્યાન કરતી વખતે ૩ અધ માગધી લિપીના લેવા.
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભડાર; શ્રી ગુરૂ ગૌતમ સમરીયે, વાંછિત ફળ દાતાર.
બીજી રીતે પણ આ ધ્યાન કરી શકાય, ના હિંદુમાં પરમગુરૂ ગૌતમસ્વામી બિરાજમાન છે. ના પેટાળમાં આપણા વર્તમાન જીવનના ગુરૂ છે અને તે ગુરૂના ચરણકમળમાં આપણે। આત્મા છે. ગૌતસ્વામીમાંથી વરસતા જ્ઞાનામૃતના પ્રભાવથી ના પેટાળમાં રહેલા આપણા વર્તમાન જીવનના ગુરૂમાં વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે. અને તેમના ચરણકમળમાં રહેલા આપણામાં તે
Page #329
--------------------------------------------------------------------------
________________
ર૭૫
શક્તિનું પ્રદાન ગુરૂ કરે છે તેવું ધ્યાન પણ કરી શકાય, આ રીતે ગુરૂતત્વની ઉપાસના અને ધ્યાન કરવું.
જ્ઞાનતિમિરાજાનાં, જ્ઞાનાન્નનાદાચા नेत्रमुन्मीलितं येन, तस्मै श्री गुरवे नमः ॥ गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरवे नमः ।। ध्यानमूलं गुरोमूर्तिः, पूजामूलं गुरोः पदाम् । मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोः कृपा । પ્રવચન અંજન જે સદગુરૂ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન.
ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું.” (મહાગી આનંદઘનજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન.)
અજ્ઞાનરૂપી અંધકારથી બિડાઈ ગયેલાં આપણું નેત્રમાં સદ્દગુરૂ જ્યારે પરમાત્માએ પ્રકાશેલા પ્રવચનનું અંજન કરે છે, ત્યારે પરમ નિધાનનું દર્શન થાય છે. આત્માની નવ ભાયિક લબ્ધિરૂપી મહા નવનિધાન આપણું આત્માની અંદર જ રહેલાં છે. જ્યારે જીવનમાં ગુરૂ ઉપાસના દ્વારા, ગુરૂકૃપા પ્રાપ્ત થાય છે ત્યારે ગુરૂકૃપાથી આ નવનિધાનનું દર્શન આપણે આત્મામાં થાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત દાન, અનંત લાભ, અનંત ભેગ, અનંત ઉપગ, અનંત સુખ–આ નવ નિધાન આપણુ આત્મામાં રહેલાં
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૭૬
છે. તેનું દર્શન સદ્દગુરૂની કૃપાથી થાય છે. અને આપણું અંદર આ મહાનિધાન આત્માની ક્ષાયિક લબ્ધિઓ રૂપે રહેલાં છે તેનું ભાન આપણને જ્યારે થાય છે, ત્યારે તે આત્માના દિવ્ય સ્વરૂપને અનુભવ અને પ્રાપ્તિની ઝંખના આપણને થાય છે. અને તે માટેને પુરૂષાર્થ પણ દેવ, ગુરૂની કૃપાથી શરૂ થાય છે. અને તે માટે પુરૂષાર્થમાં જ્યારે સાધક આગળ વધી પરમાત્માની સાથે અભેદ ધ્યાનની અવસ્થામાં આવે છે, ત્યારે “હૃદય નયન નિહાળે જગધણી.” ધ્યાન દ્વારા હૃદયમાં પરમાત્માનું અને પિતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન–અનુભવ થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન, અનુભવ કે સાક્ષાત્કાર એ જ આ વિશ્વ ઉપરનું અમૃત છે. બધી સાધના તેના માટે જ કરવાની છે. તે જ આપણું લક્ષબિન્દુ છે. તે માટેનો પુરૂષાર્થ તે જ મોક્ષમાર્ગને સાચો પુરૂષાર્થ છે. અને તેને મહિમા અપરંપાર છે. મોક્ષ પર્વતની સર્વ સંપદા અને સિદ્ધિઓનું પ્રાપ્તિસ્થાન પણ તે જ છે. ધ્યાનાભાસવર્ણાક્ષરેનું વિશિષ્ટ ધ્યાન નીચે પ્રમાણે ચકોમાં વર્ણાક્ષરોનું ધ્યાન કરવું.
સ્થાન મૂલાધાર ચક :–-વ, શ, ષ, સ
ગુદામૂલ સ્વાધિષ્ઠાન ચક્ર – બ, ભ, મ, ય, ૨, લ લીંગમૂલ મણિપૂર ચક્રઃ– ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ નાભિ
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૭૭
અનાહત :——ક, ખ, ગ, ઘ, ઙે, ચ, છ, જ, ઝ, ગ, ટે, કે હૃદય
વિશુદ્ધ ચક્ર :~ ૧૬ સ્વર
કઠે
આજ્ઞાચક :— હું, ક્ષ
સહસ્રાર ઃ એક હજાર
કરવુ .
થાય છે.
ભ્રમધ્ય
પાંખડીવાળા કમળમાં અક્ષર
કુલ ૧૦૦૦ અક્ષર.
ઉપર મુજબ ધ્યાન કરી અહુનું અભેદ્ય ધ્યાન
૫૦ × ૨૦ રાઉડમાં કણિકામાં ( અહુ
•
આ ધ્યાનથી મેાક્ષ પર્યંતની સર્વ સ‘પદ્માએની પ્રાપ્તિ
આજ્ઞાચક્રમાં ગુરૂતત્ત્વનું વિશેષ ધ્યાન કરવું, 螺
*****
તમને જીવનમાં અમુક સ`જોગામાં Extra Protection -વિશેષ રક્ષણની જરૂર પડે ત્યારે તમારા હૃદયમાં રહેલ પરમાત્માની દિવ્ય શક્તિએના પ્રકાશ તમારી ચારે તરફ આભામંડલ રચે છે તેની કલ્પના કરી અને પરમાત્માની દિવ્ય શક્તિઓનુ આભામ'ડલ તમારી ચારે તરફ છે તેવુ ધ્યાન કરો. (જુએ પ્રયાગ ન, ૬ અને તેની સમીક્ષા. ) XXXXXXXXXXX
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૪ હું અહીં નમઃ
હી: 22:18. sts.
સાલંબન ધ્યાનના પ્રયોગો
પાઠ દસમે
don
અહ”નું ધ્યાન યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશના આધારે “અ”ના ધ્યાનના આલંબને આત્મસાક્ષાત્કારની અનુભવ પ્રક્રિયા :–
તાત્વિક નમસ્કારનું સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથમાં બતાવેલું છે. તે મૂળ પાઠ નીચે મુજબ છે.
अह 'अहं इत्येतदक्षरम्, परमेश्वरस्य परमेष्ठिनो वाचकम, सिद्धचक्रस्यादिबीजम्, सकलागमोपनिषद्भूतम्,
૩ષવિદMવિધાતનામ, વિદછાદgશરુસંઘવાદુમામH, 2ારા બ્રાધ્યયન
ध्यापनावधि प्रणिधेयम् ।
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૦૯
प्रणिधानं चानेनाऽऽत्मनः सर्वतः संभेदस्तदभिधेयेन चाभेदः वयमपिचैतच्छाखारम्भे प्रणिदध्महे ।
अयमेव हि तात्विको नमस्कार इति ॥ १ ॥ ઊર્દ” એ અક્ષર પરમેશ્વર એવા પરમેષ્ઠિના વાચક છ. સકલ રાગાદિ મલરૂપ કલ‘કથી રહિત, સર્વાં જીવાના યાગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્ગ્યાતિસ્વરૂપ દેવાધિદેવ, સર્વજ્ઞ, એવા પરમાત્મા અરિહંત દેવના વાચક અ” મંત્ર છે.
આ અ.નુ. આલંબન, પ્રણિધાન માટે સશ્રેષ્ઠ છે. તે પ્રણિધાનના બે પ્રકારો છે :—— *(૧) સંભેદ પ્રણિધાન, (૨) અભેદ પ્રણિધાન. સભેદ પ્રણિધાન અ ́રૂપ વાચક પદ સાથે યાતાના સશ્લિષ્ટ સબંધ તે સ‘ભેદ પ્રણિધાન.
-:
અભેદ મણિધાન :— અહુ' અક્ષરના અભિધેય જે પ્રથમ પરમેષ્ઠિ છે, તેમની સાથે ધ્યાતાના આત્માના સવ પ્રકારે એકીભાવ અથવા એકથતા તે અભેદ્ર પ્રણિધાન છે.
આવું અભેદ પ્રણિધાન જ વિઘ્નાને નિમૂ ળ કરવામાં સૌથી અધિક સમ છે. તેથી જ તે પરમાત્મરૂપ “અહુ'”ના આ અભેદ પ્રણિધાનને તાત્ત્વિક નમસ્કાર કહેવામાં આવે છે.
સભેદ અભેદ પ્રણિધાનનું વર્ણન યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવેચનના આધારે લખ્યુ છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ટૂંકમાં સંભેદ એટલે ચારે બાજુ “અહ” શબ્દથી આપણા આત્માને વીંટળાયેલો છે. અર્થાત્ પિતાના આત્માનો અહંની મધ્યમાં ન્યાસ (સ્થાપન) કરો.
અભેદ એટલે પિતાના આત્માનું અરિહંતરૂપે ધ્યાન કરવું.
નમસ્કારનું ઉપર મુજબ તાત્તિવક સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવાને બતાવ્યું છે. તેનું રહસ્ય જ્યારે સાધના દ્વારા સમજાય છે, ત્યારે સર્વે પાપ (કર્મોને) મૂળમાંથી ઉખેડી નાખવાની અને શ્રેષ્ઠ મંગલ રૂપ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિંત્ય શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે.
સભેદ પ્રણિધાનમાં પરમેષ્ઠિ પદોનું આલંબન હેય છે અને મંત્રી પદેમાં ચિત્તવૃત્તિની એકતાનતા સાધવાની હોય છે અથવા મંત્રપદે સાથે સાધકે તન્મયીભાવ સાધવાને હોય છે. अहमित्येतदक्षरं परमेश्वरस्य परमेष्ठिनो वाचकं सिद्धचकस्यादिबीज सकलागमोपनिषद्भूतं अशेषविघ्न विघातनिध्नं, अलिदृष्टादृष्टफलसंकल्पकल्पद्रुमोपमम् ॥ १४१ ॥
“અમ’ એ પરમેશ્વર પરમેષ્ઠિનું વાચક છે, સિદ્ધચકનું આદિ બીજ છે, સકલ આગમનું રહસ્ય છે, સર્વ વિદનેનું વિનાશક છે અને દષ્ટ–અદષ્ટ સર્વ ફળને એકી સાથે પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષ સમાન છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૧
अर्हमित्यक्षरं यस्य, चित्ते स्फुरति सर्वदा । પરં બ્રહ્મ તતઃ રાત્રાનઃ સોધિપતિ || ૪૨ ॥ અહંમ એ પ્રમાણેના અક્ષર જેના ચિત્તને વિષે સદા સ્કુરાયમાન થાય છે, તે આત્મા શબ્દબ્રહ્મના ધ્યાનથી પરબ્રહ્મને અવશ્ય પ્રાપ્ત કરે છે.
પ્રાથમિક વિધિ : (મચાગન', ૩૦) અ.નુ ધ્યાન.
(૧) ધ્યાનમાં બેસતાં પહેલાં કાયાની સ્વસ્થતા કરવી અને મન પરમાત્મ મરણું આદિ દ્વારા પ્રસન્ન કરવું.
(૨) બને ત્યાં સુધી પદ્માસને બેસવુ. ન ફાવે તે સુખાસને બેસવું.
(૩) કાચાને સુસ્થિર રાખવી.
(૪) પૂર્વ અગર ઉત્તર દિશા તરફ મુખ રાખવુ, (જિન મદિરમાં પરમાત્મા સન્મુખ બેસવું તે પૂર્વ દિશા ગણાય છે. )
(૫) અને હોઠ સુશ્લિષ્ટ (બંધ) રાખવા,
(૬) દાંતાને પરસ્પર અડાડવા નહીં. જીભ દાંતને અડાડવી નહીં. જીભ મુખમાં ઉપરના ભાગમાં ચિટકાડી રાખવી.
(૭) ફાવે તા ત્રણ વખત પ્રાણાયામ કરવા. શ્ર્વાસ લેતાં (પૂરક) વાયુ સાથે પ્રકાશની કલ્પના કરી, તે પ્રકાશ મૂલાધાર ચક્ર સુધી જાય છે અને શ્વાસ મૂકતાં (રેચક) તે વાયુ સાથે રાગ-દ્વેષ બહાર વી નાખવાની કલ્પના કરવી.
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્વાસ લેતાં ઉત્તમ તત્વે પ્રવેશ પામે છે અને શ્વાસ મૂકતાં વિધાતક ત (રાગદ્વેષ આદિ) બહાર નીકળે છે તેવું ચિંતવવું. આ પ્રક્રિયા પ્રાણાયામથી ત્રણ વખત કરવી. (જે
આ પ્રક્રિયા ન કરી શકે તો પણ ચાલી શકે છે. તે પછી કુંભક કરે.)
(૮) આજે પરમાત્માને મેળાપ થવાને છે તે ભાવથી મનને પ્રસન્નતા અને આનંદમાં લાવવું.
(૯) “તીર્થકર ગણધર પ્રસાદાત્ એષ ગઃ ફલતુ ફલતુ”.
“તીર્થકર અને ગણધર ભગવે તેના અનુગ્રહથી આ સાધના ફળદાયી બને”. તેવી ભાવના ત્રણ વખત કરવી.
કકકકક ध्यानं चैकाग्र्यसंवित्ति ।
–શ્રી જ્ઞાનસાર સ્થાનાષ્ટક ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ, અર્થાત વિજાતીય જ્ઞાનના અંતર રહિત સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધારણામાં જ્ઞાનની વચ્ચે વચ્ચે વિરછેદ પામે છે, જ્યારે ધ્યાનમાં તેવું થતું નથી. પાતંજલ યંગસૂત્રમાં પણ કહ્યું છે કે – ‘ત્તર વૈશતાવતા દગામ ' અર્થા-ધારણાના વિષયમાં ચિત્તની વૃત્તિઓના પ્રવાહને તેલની ધારાની જેમ અવિ. છિન્નપણે ચાલુ રાખવે તે ધ્યાન છે. એક
ઝલક 2 2૯
Page #337
--------------------------------------------------------------------------
________________
કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રાચાર્ય રચિત અહના ધ્યાન માટેના યેાગશાસ્ત્રના આઠમા પ્રકાશના શ્લાકા
अथवा नाभिकंदाधः पद्ममष्टदलं स्मरेत् । स्वरालिकेसरं रम्यं वर्गाष्टकयुतैर्दलैः ॥ ६ ॥ दलसंधिषु सर्वेषु सिद्धस्तुतिविराजितम् । दलाग्रेषु समग्रेषु मायाप्रणवपावितम् ॥ ७ ॥ तस्यांतरंति मंत्रर्णमाद्यवर्णपुरस्कृतम् । रेफाक्रांत कलाबिन्दुरम्यं प्रालेयनिर्मलम् ॥ ८ ॥ अर्हमित्यक्षरं प्राणप्रांतसंस्पर्श पावनम् । ह्रस्वं दीधे प्लुतं सूक्ष्ममतिसूक्ष्मं ततः परम् ॥ ९ ॥ ग्रंथीन् विदारयन्नाभिकंठहृदूघंटिकादिकान् । सुसूक्ष्मध्वनिना मध्यमार्गयायि स्मरेत्ततः ॥ १० ॥ अथ तस्यांतरात्मानं प्लाव्यमानं विचितयेत् । बिदुतप्तकलानिर्यत् क्षीरगौरामृतोर्मिभिः ॥ ११ ॥ ततः सुधारसः स्रुतषोडशाब्जदलोदरे । आत्मानं न्यस्य पत्रेषु विद्यादेवीश्च षोडशः || १२ || स्फुरत् स्फटिकभृंगार-क्षरत्क्षीरासितामृतैः । आभिराप्लाव्यमानं स्वं चिरं चित्ते विचितयेत् ||१३|| अथास्य मंत्रराजस्याभिधेयं परमेष्ठिनम् । अर्हतं मूर्द्धनि ध्यायेत् शुद्धस्फटिकनिर्मलम ॥ १४ ॥ सद्ध्यानावेशतः सोहं सोहमित्याऽऽलपन्मुहुः । निःशंकमेकतां विद्यादात्मनः परमात्मनः ॥ १५ ॥
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ततोनीरागमद्वेषममोहं सर्वदर्शिनम् ।
सुराच्य समवसृतौ कुर्वाणं धर्मदेशनाम् ॥ १६ ॥ અહં "પદનું સ્મરણ :
(૧) નાભિકંદની નીચે આઠ પાંખડીવાળું કમળ ચિંતવવું. (ધારણ કરવી.)
(૨) આઠ પાંખડીમાં અષ્ટ વર્ગની ક્રમસર સ્થાપના કરવી.
(i) અ વગ (ii) 8 વર્ગ (iii) ૪ વગ (IV) ૪ વર્ગ (v) ત વર્ગ (vi) વર્ગ. (vi) ૪ વર્ગ (viii) વગે. એક પાંખડીમાં એક વર્ગ સ્થાપન કર.
(૩) તે આઠ પાંખડીઓની સંધીમાં (એક પાંખડી અને બીજી પાંખડીનું આંતરૂં તે સંધી) “હી” સ્થાપન કર.
(૪) આઠ પાંખડીના અગ્ર ભાગ ઉપર ૩ઝ હી સ્થાપન કરવા.
(૫) આ કમળની કર્ણિકાના મધ્ય ભાગમાં અણું અક્ષર અમૃત સમાન નિર્મળ છે તેમ ચિંતવવું.
(૬) અહ" અક્ષર મનથી સમરણ કરવા માત્રથી પવિત્ર કરનાર છે. અહં અક્ષર પ્રથમ પરમેષ્ઠિ અરિહંત પર
* કદાચ આ બધું જ ચિંતવવું ન ફાવે તો નાભિકંદમાં અહ” મંત્રાધિરાજનું સ્મરણ કરવું.
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૮૫
માત્માના વાચક છે. તે અરિહંત પરમાત્મા પરમ બ્રહ્માસ્વરૂપ છે.
જેના ચિત્તમાં ‘અહું” અક્ષર સદા સ્ફુરે છે, તે કેવળજ્ઞાનને સહજ રીતે પ્રાપ્ત કરી શકે છે. ( ઉ. યશેાવિજયજી. )
અહુ" અક્ષર સિદ્ધચક્રનુ' પરમ અહુ અક્ષરના અ સાક્ષાત્
હાવાથી સુખ કરે છે.
સ્કુરાયમાન રેફ (૨) સંપૂર્ણ રત્નત્રયને સકલિત
કરે છે.
(પ્રધાન) ખીજ છે. અમૃતમય
મૂતિ
‘” માહસહિત કમના સમૂહને એક સાથે હણી
નાખે છે.
આવા • અહું” અક્ષરનું કમળની કણિકામાં ધ્યાન
કરવુ,
(૭) અહં' અક્ષરને નાભિકદથી પ્રાણશક્તિ સાથે પ્રારંધ્રમાં લઈ જવા છે તેવા સ`કલ્પ કરવા.
અ અક્ષરનું બ્રહ્મરંધ્ર સુધી પહોંચવુ... :
(૧) અર્જુ' અક્ષરનું નાદ અને પ્રાણ સાથે બ્રહ્મરંધ્ર તરફ ગમન હવે શરૂ થાય છે.
(ર) પ્રથમ હસ્વ ૬ ના ઉચ્ચારણ વડે મણિપૂરચક્ર (નાભિચક્ર)નુ` ભેદન થાય છે તેવી ભાવના કરવી.
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૮
(૩) પછી હૈં ના દીઘ ઉચ્ચારણ વડે હયગ્રંથિ (અનાહતચક્ર)નુ' ભેદન થાય છે તેવી ભાવના કરવો.
(૪) તે પછી કઠની ઘટિકા (વિશુદ્ધચક્ર)નું ભેદન મંત્રરાજ અહુ નામના પ્યુત ઉચ્ચાર વડે થાય છે તેવી ભાવના કરવી.
(૫) તે પછી બ્રૂમધ્ય (આજ્ઞાચક્ર) માં અહીઁ મંત્રના બિન્દુ ( મૈં નું અનુસ્વરાત્મક ઉચ્ચારણ ) ના ઉચ્ચારણ વડે આજ્ઞાચક્રનુ` ભેદન થાય છે એવું ચિંતવવુ.
(૬) અહી' અક્ષર, હવે અનક્ષર ભાવને પામે છે. નાદ (અવાજ) પ્રકાશમાં પરાવર્તન (ટ્રાન્સફર) થાય છે. આજ્ઞાચક્રથી (લલાટના અગ્રભાગથી) બ્રહ્મરંધ્ર સુધી નાદ અ`શના ઉચ્ચારણ વડે સૂક્ષ્મ ધ્વનિ (પ્રકાશરૂપ બનેલેા) વચ્ચેના ચક્રોનું સેશ્વન કરતા બ્રહ્મર બ્રમાં પહેાંચે છે તેવુ' ચિંતવવું.
ભાવના
(૭) આ પ્રમાણે પ્રક્રિયા કરવી, અગર કરવી. અને બ્રહ્મરધ્રમાં અ. અક્ષરનું સ્મરણ કરવું.
(૮) પ્રાણમાં મળ અભ્યાસ વડે ઉત્પન્ન થાય છે. અને અભ્યાસ વડે બળવાન બનેલા પ્રાણુ, જ્યારે ધ્વનિ સહિત હ્રસ્વ, દીર્ઘ, વ્રુત, સૂક્ષ્મ, અતિસૂમ ધ્વનિ સહિત અહુ" અક્ષર સાથે ઉપર જાય છે, ત્યારે ગ્રંથિઓને ભેદવામાં ક્રમે ક્રમે સફળતા મળી શકે છે.
(૯) બ્રહ્મરંધ્રમાં પહોંચેલ મંત્રાધિરાજ' અહું’માં મનને સ્થિર કરી ધ્યાન કરવું,
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૮૭
(૧૦) હવે અહી બ્રહ્મરધ્રમાં અતિ સૂક્ષ્મ સ્વરૂપે લય પામેલા અર્જુના ધ્યાનની અતિશય તન્મયતા થવાથી બ્રહ્મર ધ્રમાંથી અ· અક્ષરની તપ્ત કલામાંથી અમૃતની વર્ષા થાય છે. પ્રકાશમય મંત્રનું સ્વરૂપ હવે અમૃતરૂપે પરાવર્તન (ટ્રાન્સફર) થાય છે. અમૃતવર્ષા પ્રારધમાંથી નીચેની તરફ પ્રવાહિત થાય છે. તે વર્ષામાં અંતરઆત્માને સિ ચાતા-ભી જાતા-તરમેળ થતેા ચિતવવા.
(૧૧) તે અમૃતથી એક સરાવર અને છે અને તેમાંથી એક સેાળ પાંખડીવાળુ કમળ બહાર આવે છે.
(૧૨) નાભિ સ્થાને સરોવરની સપાટી ઉપર આ સફેદ કમળ ૧૬ પાંખડીવાળુ છે. તેની કણિકામાં આપણા આત્માને સ્થાપન કરવા.
(૧૩) કમળની ૧૬ પાંખડીએમાં ૧૬ વિદ્યાદેવીએ છે.
આ વિદ્યાદેવીઓના હાથમાં સ્ફટિક રત્નના કળશે। છે. તેમાં અમૃત ભરેલુ છે. તે કળશેામાંથી ઝરતા અમૃતથી, કમળની કણિકામાં રહેલેા આપણા આત્મા પ્લાવિત થઈ રહ્યો છે તેવું ઘણા વખત સુધી ચિ'તવવુ.
(૧૪) વિદ્યાદેવીએ અ-વિદ્યાના નાશ કરનારી શક્તિ વિશેષ છે. (અવિદ્યા એટલે દેહમાં આત્મત્વની બ્રાંતિ).
વિદ્યાદેવી “માતા” આપણા આત્માને ઉદ્દેશીને “તારા * સતિકર અને મેટી શાન્તિમાં નામે આવે છે તે જ રહિણી આદિ વિદ્યાદેવીએ અહીં સમજવાની છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શુદ્ધ આત્મસ્વરૂપમાં ટ્વીન અન. તારા સ્વરૂપમાં રુચિ, રમણુતા, તન્મયતા કર. અને તારા પરમ આનંદમય સ્વરૂપના અનુભવ કર. શરીરથી તુ ભિન્ન છે. મન, વચન, પુદ્દગલ, ક આદિ પરદ્રવ્યથી ભિન્ન છે. હું વત્સ ! તારા સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર બની, તારા આત્મામાં રહેલા પરમ દિવ્ય આનંદરસનું પાન કર. ” ( વિદ્યાદેવીએ અભિષેક કરતી વખતે આ ભાવ આપે છે. )
""
(૧૫) વાત્સલ્યપૂર્ણ વિદ્યાદેવી× “ માતા ”ના પ્રેમાળ સએધનથી આપણે આત્મા ઉત્સાહિત બને છે. બ્રહ્મરંધ્રમાં પરમ “ · પિતા પરમાત્મા અરિહતદેવ બિરાજમાન છે. પરમાત્મામાં સ`પૂર્ણ સમર્પણું કરી, ધ્યાનના અભેદ દ્વારા પરમ આનંદ રસના અનુભવ કરવા તત્પર અનેલે આપણે આત્મા નાભિક દમાંથી મધ્યમાગે ( સુષુમ્હા નાડીદ્વારા) બ્રહ્મરંધ્રમાં પહેોંચી જાય છે.
(૧૬) બારન્ત્રમાં ( સહુદલ પદ્મ એટલે મસ્તકના મધ્ય ભાગ ) મવરાજ અહ”ના વાચ્ય (અભિધેય) પરમેશ્વર પરમેષ્ઠિ અરિહંત પરમાત્મા બિરાજમાન છે, તે શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ, જ્યાતિસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવુ, એકાગ્રતાપૂર્વક પરમાત્માના સ્વરૂપમાં તન્મય, તદ્રુપ અનવું.
>
(x) માતા ની ઇચ્છા પેાતાને પુત્ર તેના પિતા ( અરિહ ંત પરમાત્મા)ને સ ંપૂર્ણ" આધીન રહી પિતાની સંપત્તિ (જ્ઞાનાદિ)ને માલિક બને તેવી હાય છે.
<
Page #343
--------------------------------------------------------------------------
________________
અહંનું ધ્યાન શક્તિજાગરણની દિવ્યપ્રક્રીયા
લ
પ્રયોગના ૩૦e Personal પૃષ્ઠ નં. ૨૮જ
Page #344
--------------------------------------------------------------------------
________________
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૮૯
(૧૭) અહીં આપણે આત્મા, પરમાત્માના સ્વરૂપમાં સંપૂર્ણ એકાગ્રતાપૂર્વક સ્થિરતા પામ્યો છે. ધ્યાનના આવે. શથી, પરમાત્મામાં સંપૂર્ણ તન્મયતા થવાથી મંત્રરાજના અભિધેય શ્રી અરિહંત પરમાત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ રૂપનું ધ્યાન થતાં ધ્યાતામાં (આપણામાં) થાનાવેશ એટલે મૂળ શ્લેકમાં નીચે લખ્યા પ્રમાણે “સોડહં” “તે જ હું” આ ભાવ જન્માવે છે. તે સમયે ધ્યાતાને પોતાનામાં રહેલું પરમાત્મરૂપનું પરમ જ્ઞાન થાય છે. પરમાત્માના ધ્યાનથી આત્મામાં રહેલ પરમાત્મ તવને અનુભવ થાય છે. આત્મસ્વરૂપમાં પરમાનંદને અનુભવ થાય છે.
(૧૮) પરમાત્માની સાથે ધ્યાનને અભેદ સિદ્ધ થતાં (મિથ્યાત્વ આદિ મોહનીય પ્રકૃતિએ ગળી જતાં) પરમાનંદમાં આપણે આત્મા સ્થિર બને છે. અને પોતાનામાં* રહેલ પરમાત્મ તત્વને અનુભવ થતાં પાપ નાશ થતાં (નિર્જરા થતાં) આત્મામાં પરમાત્મતિ સ્કુરાયમાન થાય છે..
( વિશિષ્ટ સમજ માટે પરિશિષ્ટ વાંચો ) (૧૯) આત્મામાં રહેલ પરમાનંદને અનુભવ કરવાની
* મૂળ શ્લેક આઠમે, પ્રકાશ ૧૫ના શ્લેકમાં ૬ શાળાवेशतः सोऽहं सोऽहं इति मुहुः आलपन् आत्मनः परमात्मના પાતાં નિરા વિશr" આ ભાવોને સ્પર્શવા પ્રયત્ન કરવો. (*) મૂળ શ્લોકમાં આરમાં પણ છતારના અમિi sણાના ક્યા. પ્ર. ૧૯
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૦૦
મહાન પ્રક્રિયા ચગશાસ્ત્રના આઠમા પ્રકાશના ૫ થી ૧૬ શ્લોકમાં બતાવીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આપણું ઉપર અનંત ઉપકાર કર્યો છે. તેમને અંતરથી પ્રણામ કરવા.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને આ “અહ” મંત્રના ધ્યાન દ્વારા શક્તિ જાગરણ, કુંડલિની ઉત્થાન, પરમાત્મ તત્ત્વ સમાપતિ, આતમ અનુભવ, આત્મસાક્ષાત્કાર માટે આ દિવ્ય પ્રયોગ સાધક વર્ગને અદ્દભુત બક્ષિસ છે. જગતભરમાં કુંડલિની ઉત્થાન માટે જેટલા પ્રવેગ મળે છે, તેમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાને બતાવેલ આ પ્રયોગ સર્વશ્રેષ્ઠ લાગે છે. સામાન્ય રીતે શક્તિ જાગરણ પછી અનેક પ્રકારના રિએક્શન (પ્રત્યાઘાત) સાધકને અનુભવાય છે. મનની વિકૃતિ, શરીરમાં અવ્યવસ્થા, વાસનાની જાગૃતિ વગેરે અનેક વિકૃતિઓ કુંડલિની ઉથાન સમયે થાય છે. આ એક મોટું ભયસ્થાન છે.
આ ભયસ્થાનને ધ્યાનમાં રાખીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન આ પ્રયોગમાં હસ્ય, દીર્ઘ, ડુત, સૂમ અને અતિસૂક્ષમ ઉચ્ચારણ દ્વારા ચક્રોનું ભેદન કરીને શક્તિને બ્રહ્મરંધ્રમાં લઈ ગયા. અને તે જાગૃત થયેલ આત્મ શક્તિને સોશ્ય” બનાવવા માટે નાભિમાં અમૃત સરોવરમાં ઊગેલા ૧૬ પાંખડીવાળા કમળની કર્ણિકામાં, જાગૃત થયેલ આત્મશક્તિને ૧૬ વિદ્યાદેવીના કુંભમાંથી ઝરતા અમૃતથી પ્લાવિત થતી બતાવી છે. આ રીતે અમૃત સ્નાન
Page #347
--------------------------------------------------------------------------
________________
કરવાથી જાગૃત થયેલ આત્મશક્તિ “સૌમ્ય બની જાય છે. તેથી કઈ વિકૃતિ કે પ્રત્યાઘાત ઊભા થતા નથી. તે માટે આ અદ્દભુત પ્રયોગ છે. વિદ્યાદેવી માતાના પ્રેમાળ સંબોધનથી ભાવિત બનેલ જાગૃત આત્મશક્તિમાં કોઈ વાસના કે વિકૃતિ થતી નથી. તે પછી જાગૃત આત્મશક્તિની પરમાત્મ તત્વ સાથે બ્રારંધ્રમાં સમાપત્તિ (સમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યાન, ચેયની એકતાની પ્રક્રિયા તે અતિ અદ્દભુત છે. ત્યાં સાક્ષાત્કારની અવસ્થા આવે છે. સાધકને પોતાનામાં રહેલ પરમાત્મરૂપનું દિવ્ય જ્ઞાન અને અનુભવ થાય છે. ધ્યાનાભ્યાસ પ્રયોગ નં. ૩૦ સંક્ષિપ્ત નીચે મુજબ
(૧) “અહ”ના ધ્યાન માટે પૂર્વ તૈયારી લખ્યા મુજબ કરવી.
(૨) નાભિનંદની નીચે આઠ પાંખડીવાળા કમળની કણિકામાં “અમંત્ર સ્થાપન કરી તેનું ધ્યાન કરવું.
(૩) “અહ” મંત્રના હસ્વ, દીર્ઘ, કુત, સૂમ. અતિ સૂક્ષમ ઉરચારણ દ્વારા અહમંત્ર નાભિમાંથી ઉપર જાય છે તે અનુક્રમે મણિપુર ચક (નાભિ), અનાહત ચક (હૃદય), વિશુદ્ધ ચક (કંઠ), આજ્ઞાચક્ર (મધ્ય)નું વિદારણ (ભેદન) કરી બ્રહ્મારંધમાં લય પામે છે.
(૪) બ્રહ્મરંધ્રમાં અતિ સહમ સ્વરૂપે લય પામેલા અહના ધ્યાનની તન્મયતાથી પ્રારંધ્રમાંથી અમૃતની વણી
Page #348
--------------------------------------------------------------------------
________________
અય છે. તે અમૃતવર્ષમાં આપણે આત્મા તરબોળ બને છે.
(૫) તે અમૃતનું સરોવર બને છે. તેમાં નાભિસ્થાને ૧૬ પાંખડીવાળા સફેદ કમળની કણિકામાં આપણે આત્મા છે. સેળ પાંખડીમાં રહેલ ૧૬ વિદ્યાદેવીએ સફટિક રત્નના કળશથી આપણે અભિષેક કરે છે. અને આત્મવિદ્યાનું દાન આપે છે.
(૯) આપણે આત્મા નાભિનંદમાંથી મધ્ય માર્ગ બારંધ્રમાં પહોંચી, ત્યાં બિરાજમાન શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ, જોતિ સ્વરૂપ અરિહંત પરમાત્માનું તન્મયપણે ધ્યાન કરે છે.
(૭) તે ધ્યાનાશમાં “સેડ-પરમાત્મા “તે જ હું” આવું આત્મજ્ઞાન થાય છે.
(૮) ધ્યાતા–ધ્યાન-ધ્યેયની એકતાથી પરમ તત્વને અનુભવ એટલે કે આત્મસાક્ષાત્કારને પરમાનંદ પ્રગટે છે.
(૯) આ પ્રયોગના બતાવનારા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીજીને અંતરથી પ્રણામ કરવા.
તે પછી ૧૯ મા શ્લેકમાં– ततो नीरागमद्वेषममोहं सर्वदशिनम् । सुराच्य समवसृतौ, कुर्वाणं धर्मदेशनाम् ॥ १६ ॥
(ગશાસ્ત્ર-અષ્ટમ પ્રકાશ . ૧૬)
Page #349
--------------------------------------------------------------------------
________________
સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મ દેશના આપતા ધાતાના આત્માને આ શ્લોકમાં બતાવ્યું છે. જાગૃત થયેલી આત્મશક્તિને શું ઉપગ કરે તેનું રહસ્ય અહીં બતાવ્યું છે. વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ કઈ અવસ્થા હોય તે સમવસરણસ્થ જિન છે. અને તે વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં સાધકને બતાવીને, જાગૃત આત્મશક્તિને ઉપયોગ જગતના જીવ માત્રના કલ્યાણ માટે કરવાનો છે તે માર્ગ શાસ્ત્રકાર મહાપુરૂષે બતાવ્યો છે. આ રીતે જાગૃત થયેલ આત્મશક્તિને ૧૬ વિદ્યાદેવીના અમૃત પ્લાન દ્વારા સૌમ્ય બનાવી, અને તે જાગૃત આત્મશક્તિને બ્રહ્મરંધ્રમાં પરમાત્મા સાથેના અભેદ દ્વારા આત્મા અનુભવને રસાસ્વાદ કરાવી, જગતના જીવ માત્ર માટે આ શક્તિને વાપરવી. આ અમૃત અનુષ્ઠાનરૂપ દિવ્ય પ્રયોગ સાધકો માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ બતાવ્યું છે. તેમને કોટી કોટી વંદન-નમસ્કાર કરવા દ્વારા આ પ્રયોગ અહી પૂર્ણ થાય છે.
અધ્યાત્મયોગી પૂ. પંન્યાસજી મહારાજ ભદ્રકરવિજયજી મહારાજે આ પ્રયોગ આ પુસ્તકના લેખકને ૨૦૧૯ માં શિખવાડેલે, જે તેમની કૃપાથી આજ પર્યંત ચાલુ રહી શક્યો છે.
જૈન શાસ્ત્રકારોએ શક્તિ જાગરણ, કુંડલિની ઉત્થાન, ષચક ભેદન, અને તે દ્વારા આત્મસાક્ષાત્કાર આદિ માટે બતાવેલા કેટલાક શાસ્ત્ર આધારે પરિશિષ્ટમાં લખેલા છે તે જેવાથી વિશેષ માહિતી મળી શકશે.
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પરિશિષ્ટ IIT. - કુંડલિની ઉત્થાન, શક્તિ જાગરણ માટે આ અદ્દભુત પ્રયોગ છે. ષક ભેદન દ્વારા પરમાત્મ તત્વ સાથે સમાપત્તિ અને અભેદ ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કારને આ અદ્દભુત પ્રયોગ છે.
જૈન શાસ્ત્રકાર મહર્ષિ કુંડલિનીના વિષયમાં શું કહે છે તે શાસ્ત્રના આધાર સહિત ટૂંકાણમાં જોઈએ. ध्यानाभ्यासप्रकर्षात् पधनसहचरीभूतचेतःप्रशान्ति, संप्राप्योपाध्यपायात् सहजनिरूपमानन्दसान्द्रप्रबोधैः । योगीन्द्रैः कुण्डलिन्यां नियमितमरुदापूरितब्रह्मरन्ब्रैः । ध्येयं यस्य स्वरूपं स जयति पुरुषः कोऽपि सर्वार्थवेदी॥३॥
શ્રી મુનિસુન્દરસૂરિ રચિત-સર્વજ્ઞાષ્ટક લે. ૩. સર્વજ્ઞાષ્ટકમાં પ્રાપ્ત થતે કુડલિનીને નિર્દેશ:
આચાર્ય શિરોમણિ શ્રી મુનિસુંદરસૂરિવિરચિત “સર્વ. જ્ઞાષ્ટકમાં કુણ્ડલિની શક્તિને નિર્દેશ આ રીતે મળે છે -
ચેગીન્દ્રો કે જેઓએ
૧. ધ્યાનના અભ્યાસની પરાકાષ્ઠાથી પવન સહિત ચિત્તના નિરોધને પ્રાપ્ત કરીને અને
- ૨. એ પ્રકારે માનસિક વિક્ષેપ (વિધ્યાન્તરગામિ મન)ને દૂર કરીને ૩ ૩. સહજ અને નિરૂપમ એવા આનંદથી ભરપૂર રસવાળા સ્વાનુભવરૂપ પ્રબોધને પ્રાપ્ત કરેલ છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૯૫
— તે વડે સ્વાધીન પવનથી બ્રહ્મરંધ્રને પૂરીને
-
:
જેના સ્વરૂપનું ધ્યાન કુણ્ડલિનીમાં કરાય છે, તે અચિન્હ મહિમાવાળા, સર્વજ્ઞ, પરમપુરુષ પરમાત્મા જય પામે છે.
×
*
भलते जनाय नवतस्त्वसुधां भलतेऽस्तितां नवविधांगवृताम् । नवपापकारणगणं भलते तदसौ भलीति भणिता गुणिभिः ॥ ૨૨ ૫ भले भले कुण्डलिनि श्रियं तवाद्भूतां महभूतगुणात्मिकां तदा । जाड्यान्धकारं भलसे यदा तदा संवित्तिवित्तं भलसे सनातनं ॥ ↑ | શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત સિદ્ધમાતૃકાભિધ ધર્મ་– પ્રકરણ ’માં કુણ્ડલિની અગે આ રીતે નિર્દેશ મળે છેઃ
X
×
“લેાકને નવતત્ત્વરૂપ (નવતત્ત્વના જ્ઞાનરૂપ) : અમૃત આપે છે, નવ પ્રકારના જીવાની અસ્તિતા-સત્તાને સમજાવે છે, નવ પ્રકારના પાપ કારણેાના સમૂહના નાશ કરે છે. તેથી આ કુણ્ડલિની શક્તિને ગુણવાન પુરુષા ભકિ કહે છે.” ૧૩
“ હું ભલે ! ભલે ! કુલિની ! જ્યારે તું જડતારૂપ અધકારના નાશ કરે છે, ત્યારે તું તારી અદ્દભુત એવી મહાભૂતાના ગુણેશરૂપ લક્ષ્મી આપે છે અને સાથે સાથે સનાતન એવું જ્ઞાનધન પણ આપે છે. ( કુલિનીના ધ્યાનથી સર્વ મહાભૂતો વશ થતાં. મધી સિદ્ધિએ સાધકને સ્વયં
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રાણ થાય છે. એટલું જ નહિ કિન્તુ સનાતન એવું આત્મસાને પણ પ્રાપ્ત થાય છે.)” ૧૫
બીજા પણ અનેક ગ્રંથોમાં કુંડલિની શક્તિ વિષે આધારે મળે છે. आचाशक्तिरसौ परा भगवती कुब्जाकृतिं बिभ्रती, રેલ [સુનિતિ] નાપા, ચોમાન્સવિતિના प्रेक्ष्या पुस्तिक] मातृकादि लिखिता, कार्येषु च श्रूयते, देवी ब्रह्ममयी पुनातु भवतः, सिद्धिर्भले विश्रुता ॥३॥ કાવ્યશિક્ષામાં પ્રાપ્ત થતે કુડલિનીનો નિર્દેશ :
શ્રી વિનયચંદ્રસૂરિ વિરચિત કાવ્યશિક્ષામાં કુણ્ડલિનીને નિદેશ આ રીતે પ્રાપ્ત થાય છે. “ભલિ” નામે વિશ્રત જે પરમશક્તિ છે, આદ્યશક્તિ છે, પરા ભગવતી છે, કુજાકૃતિને ધારણ કરનાર છે, તેનું રેખા અથવા કુડલિનીરૂપે વર્ણન કરવામાં આવે છે. તે દ્વાદશાંત સુધીના સમગ્ર મચિમાર્ગની વિવતિની (પ્રકાશિકા) છે, તેનું પુસ્તકોના અથવા બારાખડીના પ્રારંભમાં આલેખન કરવામાં આવે છે. કામાં મંગલાચરણમાં તેની સ્તુતિ સંભળાય છે. તે દેવતા છે, તે બ્રહ્મમયી છે, તે સિદ્ધિ છે, તે તમને પવિત્ર કરે.”
સિરોજબર દુહા તપુલ્ટિપs, पत्ता हत्पत्रकोशे तवलु च सके. तालुनि प्राणशक्तिम्
Page #353
--------------------------------------------------------------------------
________________
नीत्वा सुम्यातिशून्यां पुनरपि खगर्ति दीपमानां समन्तात् । लोकालोकाववलोकां कलयति स कलां यस्य तुटो जिनेशः
गु. ४. सी. ५४ी भi (ध्यान स्तुतिमाया त.) भले भलेरी जोगी जाणि, आगम वेद पुराण प्रमाणि । जोई लाधउ तिमहिइ तत्ता, जिणवरदेव निरंजण पत्ता ॥१॥ णाभिमूलि नागिणी भइ रूपि, वरूण ह्यासण चक समीपि। सकति कुंडलिनी तेहy नाम, कोडि बीजना.........॥३९॥ थिर आकुंची भीउउ उडीयाण,जागइ जोगिणि जिम जिग भाण। कोडि बीज जिम अबका करइ,.........न धरइ ॥ ४१ ॥ देवि कहुं कुंडलिनी सकति, तहनह नाम हुइ सषि भगति । उजमांहि दीवउ महिताण, दीप सम उज्झइ तेहन ठाण ॥४२॥
दि. मा. वृत. अ. भा., &. प्र. અધ્યાત્મમાતૃકામાં પ્રાપ્ત થતો કુડલિનીનો निश:
અધ્યાત્મમાતૃકામાં કુડલિનીને નિર્દેશ આ રીતે भणे छ :
“यो पुरषो मे ९सिनी शतिने "a" અથવા “ભલિ” નામથી ઓળખે છે. એ શક્તિનું વર્ણન વેદે, પુરાણે તેમજ આગામેથી પ્રમાણિત છે.” ' - “નાભિના મૂળ પાસે વરુણચક્ર અને અનિચક્રનીx
* स्वाधिनय, विभूय पासे छ. x मणिपूरया, रे નાભિ પાસે છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
વચ્ચે એક અત્યંત સુંદર એવી નાગિણી છે, તેનું નામ કુણ્ડલિની શક્તિ છે. - “સ્થિર આકુંચન (મૂલબંધ) કરવાથી અને ઉઠ્ઠીયાણ બંધ કરવાથી તે ગિની (કુણ્ડલિની શક્તિ) જાગે છે, જગતમાં સૂર્યની જેમ તે ઉદિત થાય છે.”
“કુંડલિની શક્તિ તે દેવી છે, તેનું સ્થાન દીપક સમાન ઉદ્યોતિત છે.”
नाभिकन्दसमुद्गता लयवती या ब्रह्मरन्ध्रान्तरे, शक्तिः कुण्डलिनीति नाम विदिता काऽपि स्तुता योगिभिः। प्रोन्मीलन्निरूपाधिबन्धुरपराऽऽनन्दामृतस्राविणी, सूते काव्यफलोत्करान् कविवरैर्नीता स्मृतेर्गोचरम् ॥४॥ - -
મુ. સં. સૂ વિરચિત શા. સ્ત. શારદાસ્તવાષ્ટકમાં પ્રાપ્ત થતે કુંડલિનીને નિદેશ –
- શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત શારદાસ્તવાષ્ટકમાં કચ્છલિનીને નિર્દેશ આ રીતે મળે છે -
તે અનિર્વચનીય પ્રભાવવાળી કુંડલિની શક્તિ ગીઓને સુવિદિત છે અને તેઓ વડે (વિવિધ રીતે) સ્તવાએલી છે. તે નાભિકંદમાંથી સમ્યગ્ર રીતે ઉદ્દગત થઈને (મધ્યમાર્ગ વડે ઊગતિને પ્રાપ્ત કરીને) બ્રહ્મરંધ્રમાં લય પામે છે. બ્રહ્મરંધ્રમાં લય પામતી તે કુંડલિની શક્તિ સતત પ્રવિકસ્વર, ઉપાધિરહિત અને પરમેહૃષ્ટ એવા પરમ આનંદરૂપ અમૃતને સવનારી (ઝરનારી) છે. આવી કુંડલિની
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૯૯ શક્તિને જ્યારે કવિવર સ્મૃતિપંથે લાવે છે, ત્યારે તે કાવ્યરૂપ ફૂલોના સમૂહને જન્મ આપે છે.”
પરિશિષ્ટ IV “ મંત્રનું દિવ્ય સ્વરૂપ.
આ પ્રયોગમાં અર્દ” નું ધ્યાન કરવામાં આવ્યું છે. “અ” નું સ્વરૂપ અતિ દિવ્ય છે. તેનું સાક્ષાત્ વર્ણન તે. કેવલજ્ઞાની સિવાય કઈ કરવાને સમર્થ નથી.
એ પરમેશ્વર પરમેષ્ઠિને વાચક છે. સર્વોત્તમ અિધર્યવાળા પરમેશ્વરનું સ્વરૂપ તે “અ” મંત્ર છે. સકલ રાગાદિમલ રૂપ કલંકથી રહિત, સવજીના વેગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિસ્વરૂપ, દેવાધિદેવ, સવજ્ઞ એવા અરિહંતદેવને વાચકમત્ર “ગઈ છે.
અ” સકલ આગમમાં ઉપનિષદ સૂત્ર છે. એટલે કે ઈલૌકિક, પરલૌકિક-સર્વ ફળ આપનાર ગણિપિટકરૂપ સમગ્ર દ્વાદશાંગી આગમનું રહસ્ય છે. સ્વપર સમયના સર્વ આગમના તત્વરૂપે અર્દ”નું પ્રણિધાન કરાય છે. આ મહામંત્ર અર્દ” ના ધ્યાનના પ્રભાવથી વિદનેનું સમૂલ ઉછેદન થાય છે. પુનઃ ઉત્પન્ન ન થઈ શકે તે રીતે વિદનોને વિછેદ થાય છે. “ अखिल दृष्टाऽदृष्ट फल संकल्पकल्पद्रुमोपम”
–સિદ્ધહેમ શબ્દાનુશાસન બહøત્તિચક્રવર્તીપણું, દેવલોથી માંડીને મેક્ષપયતની સર્વ
Page #356
--------------------------------------------------------------------------
________________
300
સપાને દેનાર આ દુષ્ટ મંત્ર કલ્પવૃક્ષથી અધિક ફળદાયી છે. આપણા પ્રાણથી પણ અધિક ભાવનાથી ભાવિત બનીને જો મર્દ' અક્ષરનું પ્રણિધાન કરવામાં આવે તે આત્મ સાક્ષાત્કારની અનુભવ પ્રાપ્તિમાં પ્રધાન હેતુ બની જાય છે. (પરમેષ્ઠિ ધ્યાનમાળા-ગાથા ૬-૭ અર્થ )
અર્દ” અક્ષરને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાનથી ભાવિત કરવામાં આવે તા માક્ષપયત લઈ જનાર અને છે.
पतेषामेकमप्यहन्नाम्नामुच्चारयन्नवैः ।
मुच्यते किं पुनः सर्वाण्यर्थज्ञस्तु जिनायते ॥ ( જિનસહસ્રનામસ્તેાત્ર) પંડિત આશાધર વિરચિત ક્ષેાક ૧૨. શ્રી તીર્થંકર ભગવાનના નામના એક જ પદ્મને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તે આત્મા સ્વય. તીર્થંકર થાય છે.
આ ધ્યાન પ્રયાગમાં ” ની વૈજ્ઞાનિક, શાસ્ત્રીય આધ્યાત્મિક સાધના બતાવી છે, જે મેક્ષપયતના સ ષ્ટ અને અષ્ટ ા આપનાર બને છે.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચ'દ્રસૂરીશ્વરજી વિરચિત સંસ્કૃત દ્વાશ્રય” મહાકાવ્યના પ્રથમ શ્લેાકમાં અતાવ્યું છે
अर्हमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः । सिद्धचकस्य सद्बीजं, सर्वतः प्रणिदध्महे ॥
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૦૧
‘અદ્ભુ’ અક્ષર એ પ્રથમ પરમેષ્ઠિ અરિહંત પરમાત્માને વાચક છે. તે અરિહંત પરમબ્રહ્મ સ્વરૂપ છે, તેથી ‘અદ્ભુ” પરમબ્રહ્મ સ્વરૂપ છે અને સિદ્ધચક્રનું મુખ્ય બીજ છે તે અનુ... અમે પ્રણિધાન કરીએ છીએ.
अर्हमित्यक्षरम् यस्य, चित्ते स्फुरति सर्वदा | પરં બ્રહ્મ તતઃ રાષ્ટ્રદ્રળ: સોધિાતિ ૨૮
ઉ. યાવિજયજી કૃત દ્વાત્રિંશમ્ દ્વાત્રિશિકા—શ્લોક ૨૮. અહ’–એવા અક્ષર જેના ચિત્તમાં સદા સ્ફુરે છે તે અહુ” સ્વરૂપ બ્રહ્માથી માક્ષને પ્રાપ્ત કરે છે.
એક જ શબ્દ ‘અને હ્રસ્વાદિ ઉચ્ચારણ ક્રમે સુષુમ્જા દ્વારા નાભિ આદિ ગ્રંથિને ભેદીને પ્રાંતે બ્રારધ્રમાં પહોંચાડવામાં આવે તે કામધેનુ કે કલ્પવૃક્ષ કરતાં અધિક ફળદાયી નીવડે છે. તેથી અહુને ઇહલેાક, પરલેાકના ફળ સ`ખ"ધી સવ સકલ્પાને પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષ સમાન કહેવામાં આવે છે. ધ્યાન પ્રક્રિયાના પ્રેકટીકલ પ્રયાગ અહી ચૈાગશાસ્ત્રના આઠમાં પ્રકાશના ૬ થી ૧૬ શ્લાકના આધારે તાન્યા છે. યાગશાસ અષ્ટમ પ્રકાશનુ' સવિસ્તર વિવરણ ભાગ-૧' પ્રકાશક જૈન સાહિત્ય વિકાસ મડળ -આ અદ્દભુત ગ્રંથના પણ આ પ્રયેાગમાં આધાર લેવામાં આવ્યેા છે. વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળા સાધકોએ આ ગ્રંથ વાંચવા ખાસ ભલામણ કરવામાં આવે છે.
6
Page #358
--------------------------------------------------------------------------
________________
बिम्बे विधृते हृदि स्फुरति न प्रागेव रुपान्तरं, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नो रूपमात्रप्रथा । तस्मात्त्वन्मदभेदबुद्ध्युदयतो नो युष्मदस्मत्पदोल्लेखः किंचिदगोचरं तु लसति ज्योतिः परं चिन्मयम् ॥
હે પ્રભુ ! તમારુ' બિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજું કોઈ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી. અને તમારા રૂપનુ` સ્મરણ થતાં પૃથ્વોમાં બીજા કાઈ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હુ” એવી અભેદ બુદ્ધિના ઉદયથી ચુગ્મત્ અને અસ્મ” પદના ઉલ્લેખ પણ થતા નથી. અને કાઈક અગેાચર પરમ ચૈતન્યમય જ્યાતિ અંતરમાં સ્કુરાયમાન થાય છે.
પ્રતિમા શતક સ્નાપન્નવૃત્તિ. શ્લાક ૮૯. ઉ. યશેાવિજયકૃત
卐
Page #359
--------------------------------------------------------------------------
________________
CRC
***********
ૐ હ્રી અહુ નમ:
સાલમન ધ્યાનના ધ્યાનના પ્રાગા
પાઠ અગિયારમા
XXX:X*XXXXXXXXX
“નામસ્મરણ” દ્વારા ધ્યાન
નામ રૂપાત્મક આ વિશ્વમાં આપણને સૌથી વધુ મહત્ત્વ આપણા પેાતાના નામ અને રૂપનું છે. પેાતાનું નામ અને રૂપ એ સ*સાર પરિભ્રમણના હેતુ છે. પેાતાના નામનું વિસ્મરણ કરવા માટે પ્રભુના નામનુ' સ્મરણ છે.
પેાતાના રૂપનું વિસ્મરણુ કરવા માટે પ્રભુના રૂપનુ ક્રેન છે.
નામ ગ્રહે આવી મળે, મન ભીતર ભગવાન; મ'ત્રમળે જેમ દેવતા, વ્હાલા કીધા આહ્વાન.
CO
ભાડા કરાર
જેમ કેાઇ મ`ત્ર-દેવતાનુ આહવાન કરવાથી મત્રદેવતાને હાજર થવુ પડે છે, તેમ પ્રભુના નામરૂપ મંત્રનું સ્મરણ કરવાથી પરમાત્મા આપણા મનમંદિરમાં મળવા માટે આવે છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૪
નામ અને નામીના કથ ચિત્ અભેદ સબંધ છે. ‘લાડુ' શબ્દ ખેલવાથી તેના દેખાવ, સ્વાદ, બધું નજર સમક્ષ આવે છે. ‘રસગુલ્લાં’ શબ્દ ખેલીએ છીએ ત્યારે કેટલાક રસલાલુપી માણસાને માઢામાં પાણી આવે છે, તે બતાવે છે કે વસ્તુના નામને વસ્તુ સાથે સીધા સબંધ છે. તેવી રીતે અરિહત' એવા નામને સાક્ષાત્ અરિહંત પરમાત્મા સાથે સીધા સંબધ છે. માટે કહ્યું છે કે,
નામ ગ્રહે આવી મળે, મન ભીતર ભગવાન.'
માટે પરમાત્માને મેળવવાની તીવ્ર ઝંખના Dynamic Desire આપણામાં ઉત્પન્ન કરવી અને તે ઝંખના પૂર્ણ કરવા માટે ચારે નિક્ષેપે ત્રિવિધ ત્રિવિધ પ્રભુભક્તિ કરવી. ( Devotion to Divinity ).
જૈનશાસનમાં ચાર નિક્ષેપેાનું અદ્દભુત તત્ત્વજ્ઞાન છે. ભાવ નિક્ષેપેા તા અતિ ઉપકારી છે જ; પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્યની પણ અતિ કિંમત છે. ઉપાધ્યાયજી યશેાવિજયજી મહારાજા પ્રતિમાશતક' નામના ગ્રંથમાં લખે છેઃ
नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव स्फुरति । हृदयमिवाऽनुप्रविशति, मधुरालापमिषऽनुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते; तेन च सर्वकल्याणसिद्धिः, तत्कथं निक्षेपत्रयादरं विना भावनिक्षेपादरः १ भाषोल्लासस्य तदधीनत्वात् ॥
ભાવાનુવાદ : નામ, સ્થાપના અને દ્રષ્ય એ ત્રણ હૃદયમાં સ્થિર થવાથી ભગવાન જાણે સાક્ષાત્ સામે દેખાય
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૫
છે, જાણે હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે, મધુરાલાપથી જાણે આપણી સાથે ખેલી રહ્યા છે, જાણે આખા શરીરમાં ભગવાન વ્યાપી ગયા હોય, જાણે તન્મય ભાવને પામ્યા હોય તેવું અનુભવાય છે. તેથી સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે. માટે ત્રણ નિક્ષેપના આદરથી જ ભાવ નિક્ષેપના આદર થઈ શકે, અને ભાવાલ્લાસ વધે છે.
મહાપુરુષોએ આ રીતે પરમાત્માને ચારે નિક્ષેપે હૃદયમાં સ્થિર કરવા અને તે દ્વારા થતા વિશિષ્ટ અનુભવેને જીવનમાં અનુભવવા ઉપદેશ આપેલ છે. ઉપરનાં શાસ્ત્રવચને સાક્ષી પૂરે છે કે ભગવાન આપણા હૃદયમાં પ્રવેશે છે, આપણી સાથે મધુર વાર્તાલાપ કરે છે, આખા શરીરમાં વ્યાપી જાય છે. આવા અમૃત અનુભવ કરવા તે જ માનવજીવનનું લક્ષ્ય છે.
પ્રભુનું નામ લેવાથી પ્રભુ આપણને મળવા માટે આવે છે. અને પ્રભુના મેળાપ છેવટે ભવથી પાર ઉતારે છે. કહ્યુ છે કે
‘તુંહી અલા ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે; પાર ભવના તેહ પામે, એહિ અચિરજ ઠામ રે. પ્રભુ તુંહી, તુંહી, તુંહી, તુંી, યુંહી ધરતા ધ્યાન રે; તુજ સ્વરૂપી જે થયા, તેને લલ્લું તાહરુ તાન રે. ( જ્ઞાનવિમલસૂરી વિરચિત
સ્તવન )
યા. પ્ર. ૨૦
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પ્રયાગ ન. ૩૧
પ્રભુનું નામસ્મરણુ એ પદસ્થ ધ્યાનની પ્રક્રિયા છે. ધ્યાતા સમક્ષ ધ્યેય વસ્તુ સ્વરૂપે પરંતુ તેને તેના એધ રૂપે ઉપલબ્ધ છે. પરમાત્મા છે, તે વાચ્ય છે. તેના વાચક અરિહંત વગેરે છે.
अहं इत्येतदक्षरम् परमेश्वरस्य परमेष्ठिनो वाचकम् | (સિદ્ધહેમ શબ્દાનુશાસન. )
વિદ્યમાન નથી, તેથી ધ્યેય જે પ્રભુનામ અહ”,
પરમાત્માનું વાચક જે નામ છે, તેના દ્વારા ધ્યેયની ઉપલબ્ધિ સાધકને થાય છે.
પરમાત્મા નામ દ્વારા ધ્યેય જે પરમાત્મા છે, તેની સાથે એકચ સધાય છે. તેનાથી ધ્યાતાને પદસ્થ ધ્યાન સિદ્ધ થાય છે.
નામના ઉચ્ચારણ સાથે નામી (પરમાત્મા)ની ઉપસ્થિતિના અનુભવ તે નામાભ્યાસની પ્રગતિનું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે.
જ
વ્યવહારમાં પણ આપણા એ છેાકરા પરદેશ ગયા હાય ત્યારે જે છેાકરાનું નામ યાદ કરીએ છીએ, તે જ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. પરમાત્માના નામસ્મરણુ વખતે પરમાત્મા સાક્ષાત્ રૂપમાં ધ્યાતાને મળે છે. પદ્મપ્રભુજીના નામને, હું જાઉં બલિહાર, ભવિજન; નામ જપતા દીહા ગમ, ભવભય ભંજનહાર, વિજન.
પદ્મ ૧ાા
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૦૭
નામ સુણતાં મન ઉલ્લસે, લેાચન વિકસિત હોય, ભવિજન; શમાંચિત હુયે દેહડી, જાણે મિલિયા સાય, વિજન.
પદ્મ ારા
પ'ચમ કાળે પામવા, દુલહેા પ્રભુ દીદાર, વિજન; તા પણ તેહના નામનેા, છે માટેા આધાર, વિજન, પમ નાણા નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન, ભવિજન; મંત્ર મળે જિમ દેવતા, વહાલા કીધા આહ્વાન, ભવિજન, પદ્મ રાજા ધ્યાન પદસ્થ પ્રભાવથી, ચાખ્યા અનુભવ સ્વાદ, ભવિજન; માનવિજય વાચક કહે, સૂકા બીજો વાદ, વિજન.
પદ્મ ાપા
(પદ્મસ્થ ધ્યાન વિષચક ઉ. માનવિજયજી કૃત પદ્મપ્રભુનુ* સ્તવન.) નામ સ્મરણ વખતે સાધકને શુ‘અનુભવ થવા જોઈએ તે અહીં અતાવ્યું છે.
(૧) નામ સ્મરણ કરતાં મન ઉલ્લસિત બને, (૨) લેાચન (આંખા) વિકસિત બની જાય, (૩) રામરાજી વિકસ્વર થઈ જાય,
(૪) સાક્ષાત પ્રભુ મળ્યા હાય તેવા અનુભવ થાય. નામ સ્મરણ વખતે ઉપરનાં ચાર લક્ષણા સિદ્ધ કરીએ તા ચેાથી કડીમાં બતાવ્યા મુજબ-નામ ગ્રહે આવી
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૦૮
મિલે, મન ભીતર ભગવાન.” તે સત્યપણે અનુભવમાં આવે. નામ દ્વારા પરમાત્માને સાક્ષાત્કાર કરી શકાય.
અને છેલ્લી કડીમાં – ધ્યાન પદસ્થ પ્રભાવથી, ચાખે અનુભવ સ્વાદ; માનવિજય વાચક કહે, મૂકે બીજે વાદ. (૫)
પ્રભુના નામનું ધ્યાન એટલે પદસ્થ ધ્યાન થવાથી આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચી શકાય છે. માટે બીજે વાદવિવાદ મૂકીને પરમાત્માના નામના ધ્યાન દ્વારા આત્માના અનુભવ રસને આપણે આનંદ ચાખીએ તે જ પરમ ઈષ્ટ છે. મહાપુરુષ કહે છે કે, નામ દ્વારા કેવી રીતે આત્મઅનુભવ થાય તે વાદવિવાદ અને તકને છોડીને, પ્રભુના. નામનું ધ્યાન કરી, આત્મસ્વરૂપને અમે અનુભવ. ર્યો છે અને તમે પણ કરો.
માટે જ કહ્યું છે કે – શુદધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુજ નામજી અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત સુખ ધામજી.
(શ્રી દેવચંદ્રજી કૃત શીતલનાથ ભગવાનનું સ્તવન.)
ધ્યેય-લક્ષની શુદ્ધિપૂર્વક એટલે કે આત્મઅનુભવ પ્રગટ કરવા માટે પ્રભુનું નામ લેવું અને આ રીતે શુદ્ધાશયપૂર્વક પરમાત્માનું ધ્યાન કરવા માટે જે સાધક પ્રભુનું નામ મરણ. કરે છે તે પરમાત્મ સ્વરૂપને અવલંબી, છેવટે પરમ અમૃતમય આત્મસ્વરૂપને પામે છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૦૯
નામ દ્વારા આત્મસ્વરૂપને અનુભવ કેવી રીતે થાય છે તે જોઈ એ -
પરમાત્માના નામ દ્વારા આત્મઅનુભવ દ્રવ્ય ગુણ પર્યાય the results atten દા. ત., સેાનાના હાર છે. તેમાં સાનુ' તે દ્રવ્ય છે. પીળાશ, ચીકાશ અને ભારેપણું તે ગુણ છે. અને હાર તે પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા. તે બદલાયા જ કરે છે. ગુણુ હુ'મેશાં દ્રવ્ય સાથે જ રહે, એટલે તે સહભાવિ છે. અને પર્યાય બદલાય છે, તેથી તે ક્રમ ભાવિ છે, ગુણ પર્યાયવત્ દ્રવ્ય” (તાર્થ સૂત્ર). દ્રવ્ય હમેશાં ગુણ પર્યાય સહિત હાય છે.
નામના સબંધ દ્રવ્ય સાથે છે, અને દ્રવ્યના સબધ ગુણ પર્યાય સાથે છે. પ્રભુનુ નામ સ્મરણ કરવાથી, પ્રભુનું આત્મદ્રવ્ય મરણપટ ઉપર આવે છે. પ્રભુનું આત્મદ્રબ્ય અનંત શુદ્ધ ગુણુ અને પર્યાયતું ધામ છે. પ્રભુ નામ સ્મરણથી પરમાત્માના દ્રવ્ય, ગુણુ અને પર્યાયનું સ્મરણ અને તેમાં લીનતા આવતાં ધ્યાન થાય છે. અને પરમામાના દ્રવ્ય, ગુણ અને પર્યાયના જેવા જ આપણા આત્માના દ્રવ્ય, ગુણ પર્યાયનું જ્ઞાન થાય છે. કહ્યુ છે કે
ધમ જગનાથના ધમ સૂચિ ગાઇએ,
આપણે આતમા તેવા ભાવીએ; જાતિ જસુ એકતા તેહ પલટે નહીં,
શુદ્ધ ગુણુ પજવા વસ્તુ સત્તા મયિ. ( શ્રી દેવચંદ્રજી વિરચિત ધર્મનાથ ભગવાનનું સ્તવન.)
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સત્તાએ આપણું સ્વરૂપ પરમાત્માના જેવું છે. તેવું જ્ઞાન પરમાત્માના સ્મરણ દ્વારા થાય છે અને છેવટે તે જ્ઞાન, ધ્યાનએકત્વમાં પરિણમે છે, ત્યારે આત્માને પરમાત્મ રૂપે અનુભવ થાય છે. નામ રૂપ ધન મળ્યા પછી સાધકની સ્થિતિ– ગીત :આજ મૈને નામ રતન ધન પાયો,
પાજી મિને નામ રતન ધન પાયે. કહા કરૂં અબ યે ધન દોલત,
કહા કરૂં અબ યે માન સન્માન, નામ હી શરન હમારે...........
પાયોજી મૈંને નામ રતન ધન પાયો. ખર્ચે ન ખૂટે એ તે, ચોર ન લૂટે,
દિન દિન બઢત સવા, પાયજી મેને લાગી લગની પ્રભુ નામકી,
પરમ આનંદ રસ પાયે; નામ જપું જલધાર પ્રભુ તુજ,
અનુભવ અમૃત રસ પાયે. પાજી મેને મન ભી તેરા, તન ભી તેરા,
તેરા પીડ ઔર પ્રાણ; સબ કુછ તેરા. તું હૈિ મેરા,
તું હી શરન આધાર. પાયેજી મેને
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૧૧
(આ ગીત અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠા વિધિમાં નામકરણ પ્રસંગે આ પુસ્તકના લેખકે જેશીનું કાર્ય કરેલું, ત્યારે સ્ટેજ ઉપર રચાઈ ગયું હતું.)
ભક્ત હૃદયની પ્રાર્થના જૈન શાસનની આગવી શિલી મુજબ નયનિક્ષેપા, સપ્તભંગી, વ્યવહાર, નિશ્ચય વગેરે સર્વ રીતે પ્રભુની સ્તુતિ કર્યા પછી, સમગ્ર કૃતસાગરને સાર જિનભક્તિ છે તે નિષ્કર્ષ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કાઢો છે.
सार मेतत् मया लब्धा, श्रुतसागर अवगाहनात् । भक्ति र्भागवती बीजं, परमानंद संपदा ।
પરમાનંદની સંપદાનું બીજ જિનભક્તિ છે તેવું અમૃત સમગ્ર શાસ્ત્રના અવગાહનથી મને મળ્યું – તેવું મહાપુરૂષનું કથન છે.
માટે જ “હે પ્રભુ! મારા મનથી એક ક્ષણ પણ તું ખસતો નહીં; તેવી પ્રાર્થના કરે છે.
હું તે શ્રતસાગરનું બિન્દુ પણ જાણ નથી, માટે જ પ્રભુને પ્રાર્થના કરું છું.
હે કરૂણામય પ્રભુ! હું મારી જાતને તારી કૃપા પર
મને સતત તારા સ્મરણમાં રાખ. મને તે કેવળ તારા પ્રેમ જોઈએ છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૧૪
આ તારા બાળ દુનિયાના પ્રલેાભનાથી માહ પાસીને તને ભૂલી ન જાય તેવુ' કરજે.
આ દુનિયાની માયાજાળ, સુવર્ણનુ આકષઁણુ, કીર્તિનું પ્રત્યેાભન, અને વાસનાનું ભૂત મને તારાથી વિખૂટા ન પાડી દે એટલું જ પ્રભુ! તારી પાસે માગુ છુ..
તારી અસીમ કૃપા વડે મને સદા સિ ́ચતા રહેજે. સિંચજે તું સદા વિપુલ કા રસે,
મુજ મને શુધ્ધ મતિ કલ્પવેલી.
હે પ્રભુ ! હુ. એટલું ઇચ્છું છું કે તારા કરૂણારસનું તું મારા ઉપર નિરંતર સિંચન કરજે, જેનાથી મારી બુદ્ધિ
શુદ્ધ થાય.
હું વાત્સલ્ય રસના ભંડાર પ્રભુ ! મારી બુદ્ધિ તે મિથ્યા માહથી વાસિત છે. અસમાં સત્ અને અતમાં તત્ સ્વરૂપને જોતી મારી મિથ્થા બુદ્ધિએ મારા પુરુષાર્થને અવળા માર્ગે વાળ્યેા છે.
દુઃખની ખાણુમાં સુખનુ સુવણ શેાધુ છું.... માયાનુ પાણી લાવી તેમાં શાંતિને શેાધુ છું. બીજાને દુ:ખી કરી, મને સુખ કયાંથી મળે ? પ્રભુ !
તારાં બાળકી સમા, તારી કરૂણાના પરમ પાત્ર જગતના જીવાને સતાપ આપીને મને શાંતિ ક્યાંથી મળે ? પ્રભુ !
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૧૩
હે દયામય ! માટે જ કહું છું કે, તારી કાનુ સૉંચન કરીને તું મારી બુદ્ધિ શુદ્ધ કર.
અને જેના ઉપર તારી કરૂણા વરસે છે, તેની બુદ્ધિ તા કલ્પવૃક્ષ સમાન બની જાય છે. માટે જ શુદ્ધ મતિને કલ્પવેલી મહાપુરૂષે કહી છે.
પ્રભુ! તને મારી અતિમ એક પ્રાના છે. વેગળે મત હારે દેવ, મુજ મન થકી, કમળના વન થકી જેમ પરાગે.” ( ઉ. યશેાવિજયજી મહારાજ કૃત ૩૫૦ ગાથાનું સ્તવન.)
એક ક્ષણ પણ પ્રભુ ! મારા મનમાંથી તું ખસતા 'નહી', જે રીતે કમળના વનથી તેની સુવાસ દૂર થઈ શકતી નથી, તેમ હે પ્રભુ ! મારા મનમંદિરમાં તું નિરંતર રહેજે, તારૂ` અખંડ સ્મરણુ મને સદા રહેા એ જ પ્રાર્થના છે.
(નામ સ્મરણ વિષયક અનેક ગ્રંથા જૈન-જૈનેતરામાં લખાઈ ગયા છે. નામના આલબને અનેક ભવ્ય આત્માઓ સસાર સમુદ્ર તરી ગયા છે. વધુ વિસ્તાર માટે સાધકાએ ખીજુ` સાહિત્ય પણ જેવુ. વિસ્તારના ભયે વધુ અહી લખ્યું નથી. )
R
Page #370
--------------------------------------------------------------------------
________________
૩% હૈ અહં નમ: આ સાલંબન ધ્યાનના પ્રયોગ
પાઠે બારમે,
યોગશાસ્ત્રના સાતમા પ્રકાશના આધારે
પિંડી ધ્યાન પ્રાગ નં. ૩૨
(૧) આગળ બતાવ્યા પ્રમાણે ધ્યાન માટે આસન આદિ સર્વ તૈયારી કરવી.
(૨) આંખ બંધ કરીને નીચે મુજબ પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણી અને તત્વભૂ – આ પાંચ ધારણ કરવી.
(૩) તિછલોક પ્રમાણે લાંબે, પહેલે એક ક્ષીરસમુદ્ર ચિંતવ. તે ક્ષીરસમુદ્રના મધ્યમાં જ બુદ્વીપ પ્રમાણ એક લાખ જન વિસ્તારવાળું એક હજાર પાંખડીવાળું કમળ ચિંતવવું. તે કમળની કર્ણિકામાં મેરૂ પર્વત એક લાખ જન ઊંચે ચિંતવવે. તે મેરૂ પર્વતની ઉપર ફટિક રત્નનું ઉજજવળ સિંહાસન છે. તે સિંહાસનમાં આપણે પોતે બેઠેલા છીએ તેવું દશ્ય જેવું......
•
•
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૧૫
આવુ દૃશ્ય ખરેખર સ્થિરતાપૂર્વક જોવું. ( આ પાર્થિવી ધારણા છે.)
(૪) ઉપર મુજબ મેરૂ પર્વતના શિખર ઉપર સ્ફટિક રત્નના સિંહાસનમાં બેઠેલા આપણા આત્મા આઠે કર્મોને મૂળથી ઊખેડી નાખવા તત્પર બન્યા છે તેવી ભાવના કરવી.
(૫) ઉપર મુજખ સ્ફટિક રત્નના સિ`હાસનમાં આપણે બેઠેલા છીએ. આપણી નાભિમાં ૧૬ પાંખડીવાળુ કમળ ચિ'તવુ'. તે કમળની પાંખડીએમાં ૧૬ સ્વર ચિંતવવા. અને નાભિમાં રહેલા કમળની કર્ણકામાં અહુ” મત્ર સ્થાપન કરવા. હૃદયમાં આઠ પાંખડીવાળું કમળ ઊંધું લટકતું રાખવું. અધેામુખવાળા આ કમળની આઠે પાંખડીમાં આઠ કમ – (૧) જ્ઞાનાવરણીય, (૨) દનાવરણીય, (૩) વેદનીય, (૪) માહનીય, (૫) આયુષ્યકર્મ, (૬) નામક, (૭) ગેાત્રકમ, (૮) અંતરાય કમ સ્થાપન કરવાં. નાભિમાં રહેલા ૧૬ પાંખડીના કમળની ઉપર જાણે અધર ઝુલતું હોય તેમ હૃદયના સ્થાને આ કમળનું મુખ નીચુ' રાખવું.
(૬) નાભિમાં રહેલા કમળની કણિકામાં અહુ” મહામંત્રનુ` ધ્યાન કરવું. ધ્યાનના પ્રભાવથી અહુના રેફ માંથી ધીમે ધીમે અગ્નિ પ્રગટ થાય છે. પછી તે અગ્નિ પ્રજવલિત થઈ જવાલારૂપ અને છે તેવું દૃશ્ય જોવું.
(૭) તે અગ્નિજવાળા હૃદયની અંદર રહેલાં આઠ ક્રમથી બનેલાં આઠ પાંખડીવાળા કમળને ખાળે છે. આઠે
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૧૬
કર્મ બળી રહ્યાં છે, તે સંકલ્પ કરે....... થડે સમય અગ્નિજવાળામાં આઠે કર્મો બની રહ્યાં છે તેવું સંકલ્પપૂર્વક અનુભવવું.
(૮) અગ્નિજવાળા આપણે આખા શરીરમાં ફેલાઈ જાય છે. તેમાં આત્મપ્રદેશોને લાગેલા ભાવ ક–રાગ, છેષ, મોહ, અજ્ઞાન – બળી રહ્યા છે – તે સંકલ્પ કરવો.
(૯) ત્રિકેણ અનિકુંડ ચિંતવવે. અને આપણે તે અગ્નિકુંડમાં બેઠેલા છીએ. ભયંકર અગ્નજવાળામાં આપણું શરીર (કર્મ), ભાવકર્મ, અને જ્ઞાનાવરણીય કર્મ આદિ આઠ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે તેવું દશ્ય સંકલ્પપૂર્વક જેવું. તે બધાં બળીને ભસમ થઈ ગયાં....
...........
આવું દશ્ય જેવું. આવું અનુભવવું............... બળવાની વસ્તુ ખતમ થવાથી અગ્નિ શાંત થાય છે....
.........
(અહીં સુધી આગ્નેયી ધારણા છે.)
(૧૦) ત્યાર પછી પર્વતને પણ ચલાયમાન કરે તે પ્રચંડ પવન આવે છે તેવું દશ્ય જેવું...
......... ................ તે પવન આપણું ઉપરથી પસાર થાય છે...............
...........(આવું અનુભવવું) તે પવનના ઝપાટામાં શરીર અને કર્મો બળી જવાથી જે
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૧૭
રાખ રહી હતી તે ઊડી જાય છે તે સંકલ્પ કર ... હવે પવન શાન્ત થાય છે...
(અહીં સુધી મારૂતી ધારણા છે.)
(૧૬) અમૃત સરખા વરસાદને વરસાવનાર વાદળથી આકાશ ઘેરાઈ ગયું છે. તેવું દશ્ય જેવું...
અર્ધ ચંદ્રાકાર વરૂણ (ર્જ) બીજનું સ્મરણ કરવું. અમૃતને વરસાદ આપણા ઉપર પડી રહ્યો છે......
................(આવું દશ્ય જેવું.) તે વરસાદમાં આપણે સ્નાન કરીએ છીએ. અમૃતના વરસાદમાં સ્નાન કરવાથી આત્મા ઉપર ચેટી રહેલી રજ દેવાઈને આત્મા શુદ્ધ-નિર્મળ બને છે.................
(અહીં સુધી વારૂણી ધારણા છે.)
(૧૨) દ્રવ્યકર્મ (જ્ઞાનાવરણ આદિ), ભાવકમ (રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આદિ) અને શરીર (કર્મ) થી રહિત શુદ્ધ, નિર્મળ, સર્વજ્ઞ સમાન આત્માનું ચિંતન કરવું..
(આ તત્ત્વભૂ ધારણ કહેવાય છે.)
અહીં પ્રથમ આત્મભાવના કરવી. પછી શુદ્ધાત્માનું ધ્યાન કરવું.
सप्तधातुविनाभूतं पूर्णेन्दुविशदद्युतिम् । सर्वज्ञकल्पमात्मानं शुद्धबुद्धिः स्मरेत्ततः ॥ २३ ॥
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ततः सिंहासनरूढं सर्वातिशयभासुरं । विध्वस्ताशेषकर्माणं कल्याणमहिमान्वितम् ॥ २४ ॥ स्वांगगर्भ निराकारं संस्मरेदिति तत्त्वभूः । साभ्यास इति पिंडस्थे योगी शिवसुखं भजेत् ॥ २५ ॥
ચાર ધારણ કર્યા પછી શુદ્ધ બુદ્ધિવાળા સાધકે સાત અધાતુ વિનાના, પૂર્ણ ચંદ્રની માફક નિર્મલ કાંતિવાળા અને સર્વજ્ઞ સરખા પિતાના આત્માને સ્મર. (ચિંતવ.) પછી સિંહાસન ઉપર આરૂઢ થયેલા સર્વ અતિશયથી સુમિત, સર્વ કર્મોને નાશ કરનારા અને ઉત્તમ મહિમાવાળા, પિતાના શરીરની અંદર રહેલા, નિરાકાર આત્માને મર. એ તત્ત્વભૂ નામની ધારણું જાણવી. આ પિંડસ્થ ધ્યાનને સદા અભ્યાસ કરનાર ચેગને સાધક આત્મા મોક્ષ સુખને પામે છે.
(યોગશાસ્ત્ર, સપ્તમ પ્રકાશ—શ્લોક નં. ૨૩, ૨૪, ૨૫)
અહીં વિશેષ રીતે તત્ત્વમ્ભ ધારણા કરવી, અને આત્મધ્યાન કરવું. હું આત્મા છું..
મારું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે...........
પુદ્ગલ દ્રવ્ય મારાથી ભિન્ન છે...................
પુદગલ દ્રવ્યનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે...
પુદ્ગલ વિનાશી છે.............
Page #375
--------------------------------------------------------------------------
________________
હું અવિનાશી આત્મા છું પુદ્દગલ રૂપી છે..........
૧૯
હું અરૂપી છુ..............
શરીર પુદ્દગલના સ્કંધ છે, હું તેનાથી ભિન્ન છું.... કમથી સર્જન પામેલા પદાર્થી અને ભાવાથી હું ભિન્ન છુ........ જગતમાં દૃશ્યમાન પુદ્દગલ પદાર્થોથી હુ· ભિન્ન છુ..... મન, વાણી, કર્મ પુદ્દગલ સ્વરૂપ છે; તેનાથી પણ હું ભિન્ન છું.
..................................
પાંચ ધારણાના ધ્યાન દ્વારા દ્રવ્યકર્મ, ભાવકમ, ના કથી હું ભિન્ન બન્યા ..........
પુદ્ગલથી ભિન્ન રૂપે ભાવિત બનેલા હુ' હવે આત્મભાવના અને આત્મધ્યાનમાં પ્રવેશુ છું.
...
હું પૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું તે ભાવ મને મારામાં સ્થિર થવા માટેનું સામર્થ્ય પ્રગટાવે છે....
આત્મા પૂર્ણ આનંદ અને સુખનું ધામ છે........
આત્મભાવના અને આત્મધ્યાન
(તત્ત્વભૂ ધારણા )
હું આત્મા છું.......... આનના કં છું.
......
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૦
અનંત સુખનું ધામ છેં. હું' મને જ જોઉં છુ
હું' મને જ જાણું છું. હું મને જ અનુભવું છું.
હું મારામાં જ રમું છું હું મારામાં જ તૃપ્ત છું.. હું' મારામાં જ ઠરીને બેઠો છું.
તેથી પરમ સુખી છુ.
..( આવી.
પરમ આન ંદને ભાગવુ' છું. (આવે અનુભવ કરવા.) આથી હું પરમ તૃપ્તિને અનુભવુ છુ........ ............( અનુભવવુ.)
ભાવના અને ધ્યાન કરવું.)
(અહીં સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું.)
આવી રીતે તૃપ્ત થયેલા મને મારા આત્મસ્વરૂપ સિવાય કાઈ ઇચ્છા નથી.....
હું મારામાં જ ઠરીને બેઠો છુ.........
મારા જ્ઞાનમાં અનેક જ્ઞેય પદાર્થ ઝળકે છે. હું તેના જ્ઞાતા-દેષ્ટા જ .
તે પર દ્રબ્યા, પર દ્રબ્યાના ભાવા મને મારી તૃપ્તિ કે સ્થિરતામાં ફેરફાર કરી શકતાં નથી. કમના ઉડ્ડયથી
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૨૧
ઉત્પન્ન થતાં વિચિત્ર નિમિત્તો વચ્ચે પણ હું માત્ર તેને જ્ઞાતા-દષ્ટ છું. તે નિમિત્તો મને સુખ-દુઃખ કે રાગ-૫ ઉત્પન્ન નહીં કરી શકે......................
હું મારા આત્માથી પરિપૂર્ણ–તૃપ્ત બન્યો છું.
આત્માના અનુભવરસના પરમ આનંદમાં તૃપ્ત બનીને હું સ્થિરતાપૂર્વક તે આનંદ અનુભવું છું........ (ાડી ક્ષણ સ્થિરતાપૂર્વક ધ્યાન કરીને આનંદ અનુભવ.)
•••••••
આ કાળની “આવલી” જે પ્રવાહથી અનંત છે, તે આત્માના જ્ઞાન અને આનંદની તૃપ્તિમાં જ વહી જાઓ તે પરમાત્માને ભાવપૂર્વકની મારી પ્રાર્થના છે
મને મારા આત્મામાં જ સદા આનંદ રહે..........
મારા આત્માનું સ્મરણ કરાવનાર પૂર્ણાનંદને પામેલા પરમાત્માનું જ મને નિરંતર સ્મરણ રહે.
સર્વ જીવોને પણ આત્મ-સ્વરૂપને આનંદ મળો. (આ રીતે પાંચ ધા રણને નિત્ય અભ્યાસ કરવો.)......
आत्माहं सच्चिदानंदो, ज्ञान दर्शन लक्षणः । शुद्धात्म द्रष्य मेवाहं, शुद्ध ज्ञान गुणो मम ।। सिद्धात्मा शुद्ध रूपोस्मि, ज्ञान दर्शन लक्षणः ।
(શુદ્ધઉપયોગ તથા જ્ઞાનસાર, ગ્રંથ) પ. પ્ર. ૨૧
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ધ્યાન પૂરૂ· થયા પછીની પરમાત્માને પ્રાથના :પ્રભુ છે ત્રિભુવનનાથ, દાસ છું તાહરા,
કરૂણાનિધિ ! અભિલાષ એ છે મુજ એ ખરશે; આતમ વસ્તુ સ્વભાવ સદા મુજ સાંભર,
ભાસન વાસન એહ ચરણ ધ્યાને ધો. ( શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.
હે ત્રણ જગતના નાથ ! કરૂણાનિધાન પરમાત્મા ! આપની પાસે મારી એક જ અભિલાષા છે. આત્માનુ શુદ્ધ ચૈતન્ય રવરૂપ મને નિરંતર યાદ રહેા. હું કદી આત્માના સ્વરૂપને ભૂલું નહીં તેવુ તમારા પ્રભાવથી થાઓ. આત્મ સ્વરૂપમાં જ તૃપ્તિ અને રમણતાના પરમ આનંદ મારા અદર નિત્ય રહેા તેવી મારી અભિલાષા છે................ પ્રાગ ન. ૩૨ આત્મ અનુભવની દિવ્ય પ્રક્રિયા
ધ્યાનાભ્યાસ
(A) એક હજાર પાંખડીવાળા કમળની કણિકામાં રહેલા મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા સ્ફટિક રત્નના સિંહાસનમાં આપણે બેઠા છીએ.
(B) નાભિમાં ‘અહુર” મંત્રનું ધ્યાન કરવું. (C) • અહ‘'ના રેકમાંથી અગ્નિજ્વાળા પ્રગટ થાય છે. (D) હૃદયમાં ઊઁ' લટકતું કમળ છે. તેમાં આઠ ક્રમ છે. ‘ અહું'ના રેકમાંથી નીકળેલી અગ્નિજ્વાળામાં ( જ્ઞાનાવરણીય આદિ) આઠે કર્મો મળે છે. આગ્ન વધુ
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૨૩
વિસ્તૃત થતાં ભાવ કર્મ (રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન) બળે છે, પ્રચંડ અગ્નિજવાળામાં આપણું શરીર બળે છે. ધ્યાના વસ્થામાં દહન થતું અનુભવવું.
(E) પ્રચંડ પવનમાં રાખ ઊડી જાય છે.
(F) ઘટાટોપ વાદળમાંથી અમૃતને વરસાદ પડે છે. તેમાં સ્નાન કરી આપણે સ્વછ-નિર્મળ બનીએ છીએ.
(G) માત્ર શુદ્ધ આત્મા રહે છે. અહીં આત્મભાવના -આત્મધ્યાન કરવું. અને આત્મસ્વરૂપને અનુભવ કરી પરમાનંદમાં લીન બનવું.
(H) છેલ્લે પ્રાર્થના કરવી. “પ્રભુ છો ત્રિભુવનનાથ..”
મનુષ્યની સૌથી પ્રબળ ઈચ્છા સુખ, શાની ને આનંદ પ્રાપ્ત કરવાની છે.
આનંદ આત્મા છે. પ્રગટ પરાકાષ્ટાએ પહોંચેલે આનંદ પરમાત્મા છે.
સાચું સુખ અને આનંદ આત્મામાં અને પરમાત્માના મિલનમાં.
Page #380
--------------------------------------------------------------------------
________________
9િ
00000000000000000000
૩% હા અહં નમ: સાલંબન ધ્યાનના પ્રયોગો
પાઠ તેરમે DUMUUUUUUUUUUUUUUUUUS સિદ્ધગિરિનું ધ્યાન અને નિત્ય દિવ્ય દેહની રચના
અને ધ્યાન પૂજા પ્રયાગ નં. ૩૩:
મેરૂ પર્વત ઉપર તત્વભૂ ધારણાનું આસ્વાદન કર્યા પછી, આત્મસ્વરૂપની વધુ નિકટતા અનુભવવા માટે મેરૂ પર્વત ઉપરથી વિશ્વ ઉપરની સિદ્ધશિલારૂપ સિદ્ધગિરિ –શત્રુંજય ગિરિરાજ ઉપર સાધક આત્મા આવે છે. ત્યાં અનુકૂળ યોગ્ય સ્થળે નીચે મુજબ ધ્યાનસ્થ બની સાધના કરવી.
સિદ્ધગિરિ એ ચિતન્ય શક્તિને ભડાર છે. અનંત સિદ્ધ પુરુષોએ પિતાની સાધના પૂર્ણ કરી, પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ અહીં સિદ્ધગિરિ ઉપર પ્રગટ કર્યું છે. ત્યાં બેસી સાધક આત્મા અનંત સિદ્ધ આત્માઓ સાથે પિતાના આત્માની એકતાને અનુભવ કરે છે -
દ્રવ્ય –જેવું સિદ્ધ ભગવંતનું આત્મદ્રવ્ય છે,
Page #381
--------------------------------------------------------------------------
________________
પ
તેવુ... જ આપણુ આત્મ દ્રવ્ય છે તેવુ ભાવિત કરી, સિદ્ધ ભગવંતા સાથે દ્રવ્યની એકતા.
ક્ષેત્ર :—આપણે જે ક્ષેત્ર ઉપર બેઠા છીએ, ત્યાં જ અનતા સિદ્ધ થયા છે તે રીતે ક્ષેત્રની એકતા,
કાળ :—વર્તમાન ક્ષણ સત્ર એક જ છે. સિદ્ધશિલા ઉપર, મહાવિદેહમાં, ભરતમાં, કે ચૌદ રાજલેાકમાં સત્ર વર્તમાન ક્ષણુ ( સ્વ સમય ) એક જ છે તે રીતે કાળની એકતા,
ભાવ :—સ્વરૂપ સ્થિરતા, સ્વરૂપ રમણુતા, સ્વરૂપ ભાતૃત્વ, સ્વરૂપાનંદ, વગેરે ભાવ સિદ્ધ પુરુષેાના સ્પ અનુભવથી આપણામાં ઉત્પન્ન થયા છે તે ભાવ એકતા.
આ રીતે અનંત સિદ્ધ ભગવંતાની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી એકતા સાધવી. અને તે ધ્યાનમાં સ્થિર બની આત્મ નુભવ કરવા.....
****...
આ રીતે સિદ્ધ ભગવંત સાથે દ્રવ્ય, ગુણુ, પર્યાયનો એકતા સાધી આત્મઅનુભવ કરવા..............
સિદ્ધગિરિ ઉપર આપણા સાધક આત્મા પસાર થાય છે. તે ચૈતન્યના મહાસાગરમાંથી પસાર થઈ રહ્યો છે. અન'ત સિદ્ધ પુરૂષોના નિર્મળ ચૈતન્ય સાથે એકમેક બનીને ચાલે છે. અને આત્મસ્વરૂપના આનંદને અનુભવતા અનુભવતા પસાર થાય છે. સત્ર ચારે તરફ તેને ચૈતન્ય જ દેખાય છે..... “ જ્યાતિ સ્વરૂપી તું જિન દીઠા, તેને ન ગમે બીજું કાંઈ રે; જ્યાં જઈએ ત્યાં પૂરણ સઘળે, દીસેતુંહી જતુંહી રે.
ન
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૨૬
(દેહ રહિત આત્મા રૂપે જ અત્યારે સાધક છે. તે હવે વિશિષ્ટ બીજા પ્રકારની આરાધનામાં પ્રવેશ કરવાને હાવાથી દિવ્ય શરીરની રચના કરે છે.) “દેવા ભૂત્વા દેવં ચજેતા ” દેવ બનીને દેવની પૂજા કરવી. શત્રુંજય ગિરિરાજ ઉપર યુગાદિ પ્રભુ આદીશ્વર દાદાની પૂજા કરવા માટે સાધક દિવ્ય શરીર અનાવે છે.
તીર્થંકર ભગવાના શરીર જેવા પુદ્દગલ પરમાણુમાંથી અને છે, તેવા જ પુદ્ગલ પરમાણુને સંકલ્પના બળથી ખેંચી લાવી, નવું શરીર બનાવે છે,
સમ્યક્ દૃષ્ટિ આત્માઓની જેવી મનની સ્થિતિ હોય છે, તેવા મનેાવણાના પુદ્ગલ દ્વારા પેાતાના મનનુ અંધારણુ કરે છે. (મન મનાવે છે.)
તીર્થંકર પરમાત્માની ૩૫ વાણીના ગુણાથી યુક્ત ભાષાવગણાના પુદ્દગલા-જે વિશ્વમાં ફેલાય છે–તે ભાષાવણાના પુદ્ગલાથી પેાતાની વાણી બનાવે છે. એટલે જગતના સર્વોત્તમ શરીર, મન અને વાણીની રચના કરી દિવ્ય દેહે આદીશ્વર દાદાની પૂજા ભક્તિ માટે જાય છે.
પરમાત્માની પૂજાના પ્રયોગ-ધ્યાન પ્રયાગ નં. ૧૫ પ્રમાણે દિવ્ય સામગ્રીથી પરમાત્માની પૂજા કરવી.
તે પછી ધ્યાન પ્રયાગ ત. ૧૮ પ્રમાણે આદર, ખહુમાન, રૂચિ, વીય સ્ફૂરણા, રમણુતા, તન્મયતા, તદ્રુપતા અને એકત્વ-આ આઠ સ્ટેજની સાધના દ્વારા પરમાત્માનુ અભેદ્ય ધ્યાન કરી. પરમાનદના અનુભવ કરવા.
Page #383
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાભ્યાસ :– (૧) મેરૂ પર્વત ઉપરની આત્મભાવના અને આત્મધ્યાન
કર્યા પછી, દેહરહિત આત્મરૂપમાં જ સિદ્ધગિરિ
ઉપર આવવું. (૨) એગ્ય સ્થળે ધ્યાનમાં રહી સિદ્ધ ભગવંત સાથે દ્રવ્ય
ક્ષેત્ર, કાળ અને ભાવથી એકતા સાધવી. દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સિદ્ધ ભગવતે સાથે
એકતા સાધવી. (૪) આ એકતામાં ધ્યાનાવસ્થામાં આત્માની સાક્ષાત્
અનુભૂતિ કરવી. (૫) તીર્થકર ભગવતના શરીર બને છે તેવા પુદ્ગલ
પરમાણુમાંથી નવા દેહની રચના કરવી. દિવ્ય મન અને
વાણીની રચના કરવી. (૬) દિવ્ય દેહથી સર્વોત્તમ દ્રવ્યથી યુગાદિ આદીશ્વર
દાદાની પૂજા કરવી. તે પછી પરમાત્માની સાથે ધ્યાનને અભેદ કર. આદર, બહુમાન, રૂચિ, વીર્યસ્કૂરણ, રમણતા, તન્મયતા, તપતા, એકત્વતા-આ આઠ સ્ટેજની સાધના
કરી, પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા આનંદ અનુભવ. कप्पदमंमि तरुणो, मणिणो चिंतामणिमि जह सध्धे । जिणभत्तीए धम्मा तप्फलदाणा तहा सवे ।
(૭)
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જેમ કલપવૃક્ષમાં તમામ વૃક્ષ સમાઈ જાય છે, ચિંતામણિરત્નમાં બધા મણિઓ સમાઈ જાય છે, તેવી રીતે તમામ ધર્મો શ્રી અરિહંત ભક્તિમાં સમાઈ જાય છે.
અરિહંત ભક્તિ તમામ ધર્મના ફળને આપનાર હવાથી અરિહંત ભક્તિમાં તમામ ધર્મો સમાઈ જાય છે.
जह बहुकालं धन्ने पुक्खलसंवट्टमेहजलबुट्ठी । तह जिणभत्ती इका जीवे सुचिरे सुहे देह ।।
જેમ પુષ્કરાવ મેઘની જલવૃષ્ટિ ઘણા કાળ સુધી ધાન્યને દે છે, તેમ એક અરિહંત ભક્તિ ને ઘણું લાંબા કાળ સુધી સુખને આપે છે.
(નમસ્કાર ચિંતામણિ શ્લેક ૬૪, ૬૫.) दिवा रात्रौ सुखे दुःखे, शोके हर्षे गृहे बहिः । क्षुधि तृप्तौ गमे स्थाने, ध्यातव्याः परमेष्ठिनः ॥
દિવસે કે રાત્રે, સુખમાં કે દુઃખમાં, શેકમાં કે હર્ષમાં, ઘરમાં કે બહાર, ભૂખ્યા કે તૃપ્તિમાં, ગમનમાં કે સ્થાનમાં (સ્થિરતામાં) પરમેષ્ઠિઓનું ધ્યાન કરવું જોઈએ. अपवित्रः पवित्रो वा, सुस्थितो दुःस्थितोऽथवा । ध्यायन् पश्चनमस्कार, सर्वपापैः प्रमुच्यते ॥
અપવિત્ર હોય કે પવિત્ર હય, સુખી હોય કે દુખી હાય, પણ જે નવકારનું ધ્યાન કરે છે, તે સર્વ પાપથી મુક્ત થાય છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૧૯
अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा । यः स्मरेत् परमात्मानं स बाह्याभ्यन्तरे शुचिः ॥
2
જે મનુષ્ય પવિત્ર હોય કે અપવિત્ર હોય, ગમે તે અવસ્થામાં રહેલા હાય, પણ જો તે પરમાત્માનું સ્મરણ કરે છે, તો તે અંદર અને બહાર સત્ર પવિત્ર જ છે,
।
परमेष्ठि नमस्कारः, सारः सद्धर्मकर्मसु । नवनीतं यथा दध्नि, कवित्वे च यथा ध्वनीः ॥ इय पश्च नमोकारो' सारो निसेसधम्मस्स ॥
"
જેમ દહીના સાર માખણ છે, કવિતાને સાર ધ્વનિ છે, તેમ જિનેશ્વરે કહેલા સર્વ ધર્મોનુષ્ઠાનાના સાર શ્રી નવકાર છે.
એ પ્રમાણે પંચ નમસ્કાર ( નવકાર) એ સમગ્ર ધર્મના સાર છે.
कर्णिकाष्टदलाढये, हृत्पुण्डरीके निवेश्य यः । ध्यायेत् पश्ञ्चनमस्कारं संसारं सन्तरेत्तराम् ॥
.
>
કર્ણિકા સહિત આઠ પત્રવાળા હૃદયકમળમાં શ્રી નવકારના નવપદને સ્થાપન કરીને જે ધ્યાન કરે છે, તે સાગરને શીઘ્રતઃ તરી જાય છે.
સસાર
:
Page #386
--------------------------------------------------------------------------
________________
ૐ હ્રી અ` નમ:
સાલમન ધ્યાનના પ્રયાગા
પાઠ ચૌદમે
પ્રયાગ ન. ૩૪ :
મહાવિદેહ ઘ્યાન
અ28:50: કાર અને
--
બીજા જન્મમાં મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા વિચરતા હાય તે ક્ષેત્રમાં આપણા જન્મ થાય, આઠમા વર્ષે પ્રભુ પાસે દીક્ષા થાય, પ્રભુ આજ્ઞા મુજબનું જીવન જીવી આપણું કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીએ-આવા આપણે સંકલ્પ કરીએ તે તે ફળીભૂત થાય? હા, જરૂર થાય. આયુષ્યના અંધ પડી ગયા હાય તા ત્રીજા ભવે અને બધ ન પડ્યો હાય તા ખીજા ભવે સાક્ષાત્ પરમાત્મા પાસે આપણે પહોંચી શકીએ છીએ. પરમાત્મા પાસે દીક્ષા લઈ શકીએ અને મેાક્ષ માગ માં આગળ વધી શકીએ. પરંતુ તે માટે આજથી જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં સિમ'ધરસ્વામી ભગવાન પાસે જવું, તેમની દેશના સાંભળવી, તદનુરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન પામી ચારિત્ર અંગીકાર કરવુ', પ્રભુની આજ્ઞાને અનુરૂપ સાધના
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૩૧
કરી, અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી, શુકલ ધ્યાન આરેહણ કરી ઘાતકર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે પ્રક્રિયા ક૯પનાથી ભાવનારૂપે આજે જ શરૂ કરવી જરૂરી છે.
પરમાત્મ-મિલનની તીવ્ર ઝંખના નિષ્ઠાપૂર્વકના સત્ય સંકલ્પ સિવાય સવસ્તુઓ જીવનમાં પ્રાપ્ત થઈ શકતી નથી. સંકલ્પને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. જ્યારે જીવને પરમાત્માની પ્રાપ્તિની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાત્માને ત્યાં આવવું પડે છે, તેવું જ્ઞાની પુરુષે કહે છે. મહાયોગી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે –
દરિશન પ્રાણજીવન મેહે દીજે, બીન દરિશન મોહે કલ ન પરત હૈ
તરફ-તરફ તનુ છીએ.” હે પરમાત્મા, હે કરુણાસાગર, દર્શન આપે.
તમારા દર્શન વિના હવે આ દેહમાં પ્રાણ ટકી શકે તેમ નથી.
મીરાંબાઈ ભજનમાં ગાય છે: મેં તે પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કઈ?
આવી તીવ્ર ઝંખના પરમાત્માનાં દર્શન માટે થાય છે ત્યારે મહાપુરુષે કહે છે કે,
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૩૨
' સાતરાજ
જઈ બેઠા,
અળગા
""
પણ ભગતે અમ મનમાંહું પેઠા,
ઉ. મોાવિજયજી મ
જ્યારે સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાત્મા ત્યાં હાજર હાય છે.
પરમાત્માનાં દર્શન કે મિલન સિવાય શરીરમાં પ્રાણ ન ટકે, તેવી પ્રભુમિલનની તીવ્ર ઝંખના આપણા જીવનમાં લાવવા માટે સંકલ્પનું બળ વધારવું જરૂરી છે. જ્યારે આપણને આવા પ્રભુમિલનના સત્ય સ'કલ્પ નિષ્ઠાપૂર્વકના થાય છે, ( Appointment with the Highest) ત્યારે પરમાત્માના અવશ્ય મેળાપ થાય છે, પણ તે માટે પ્રભુવિરહની એક ક્ષણ વરસ સમાન લાંબી લાગવી જોઈએ. સાહિમા એક ઘડી પ્રભુ તુમ વિના, જાય વરસ સમાન (૨) પ્રેમ વિરહ હવે કેમ ખમુ, જાણે! વચન પ્રમાણુ (૨) ઘડી ચે ન વિસરા હા સાહિબા, ’
પ્રભુદર્શનની આવી લગની જ્યારે મનુષ્યને લાગે છે ત્યારે જ પરમાત્મા મળે છે. પરમાત્માના વિયેાગ વખતે થયેલા ભાવા, વિચાગમાં રહેલા વિશિષ્ટ યાગને ખતાવે છે, વિયેાગ વખતે આપણે જેની ઇચ્છા કરીએ છીએ તે વસ્તુ (object) ઘણી દૂર હાય છે, પણ વિયેાગ વખતે એક વિશિષ્ટ યાગ થાય છે, જેનાથી સ્મરણ અને ધ્યાન દ્વારા વસ્તુની નિકટતા અનુભવાય છે.
રાવણુ સીતાને ઉપાડી લકામાં લઈ ગયા. રામે
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૩૩
હનુમાનને સીતાની ખબર લેવા મોકલ્યા. હનુમાન સીતાની ખબર લઈને રામ પાસે આવીને નિવેદન કરે છે કે સીતાના પ્રાણ રામના ધ્યાનમાં એવી રીતે ખોવાઈ ગયા છે કે સાક્ષાત્ યમરાજા સીતાના પ્રાણનું હરણ કરવા આવ્યા; પરંતુ સીતાના પ્રાણ તે રામના દયાનમાં બેવાઈ ગયા હતા, તેથી યમરાજને સીતાના પ્રાણ જડવા નહિ અને યમરાજા પાછા ચાલ્યા ગયા છે.
ફરીથી હનુમાન કહે છે : “રામવિષયક ધ્યાન રૂપી બારણું સીતામાં એવી રીતે બંધ થઈ ગયું છે, કે સીતાના પ્રાણ શરીરમાંથી છૂટવા માટે દ્વાર શોધે છે; પરંતુ રામના ધ્યાન રૂપી દ્વારા સીતામાં બંધ થઈ ગયેલ હેવાથી, સીતાના પ્રાણ શરીરમાંથી છૂટી શકતા નથી. રામનું ધ્યાન છૂટે તેની સાથે સીતાના પ્રાણ છૂટે તેવી પરિસ્થિતિ છે. રામ અને સીતા વચ્ચે હજારો માઈલનું અંતર છે, છતાં વિગ સમયે અંતરંગમાં સ્મરણ અને ધ્યાન દ્વારા તદ્દન નિકટતા અનુભવાય છે.
પરમાત્માના વિગ વખતે થતું આવું ધ્યાન અને સ્મરણ – પરમાત્માની તદ્દન નિકટતાને અનુભવ કરાવે છે. પરમાત્મમિલનની તીવ્ર ઝંખના (Dynamic Desire) જેને થાય છે તેને પરમાત્મા અવશ્ય મળે છે.
આપણને અત્યારે ભરતક્ષેત્રમાં ભાવ જિનેશ્વર સાક્ષાત્ રૂપે નથી મળી શકતા. સાક્ષાત ભાવ જિનેશ્વર સિમંધર
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૩૪
સ્વામી ભગવાન અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં પુખ્ખલવઈ વિજયમાં વિચરી રહ્યા છે. વિયેાગ એટલે વિશિષ્ટ ચાગ એ અર્થમાં દૂર રહેલ સિમ ધરસ્વામી પરમાત્માની નિકટતા સ્મરણ અને ધ્યાન દ્વારા અનુભવી શકાય છે.
હવે દૃઢ સંકલ્પ કરી આપણે મહાવિદેહની ધ્યાન યાત્રામાં પ્રવેશીએ.
જે વસ્તુ આપણે મેળવવા ઇચ્છીએ છીએ અગર આપણે જેવા બનવા ઈચ્છીએ છીએ, તેનું સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ સાક્ષાત્ રૂપમાં ઉપસ્થિત કરવુ' અને જેમ જેમ તે સકલ્પ દૃઢ અને ચિત્ર સ્પષ્ટ હાય છે તેમ તેમ તે વસ્તુ મળવાનાં અને તેવા બનવાના કારણેા ઉપસ્થિત થાય છે; અને કારણ ઉપસ્થિત થતાં કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે.
પ્રિય અધ્યાત્મપ્રેમી વાચક ! આપણે એકાંતમાં બેસી વિચારીએ કે આપણે શુ સાધવુ છે? એકાગ્ર થઈ આપણે વિચારીએ કે આપણે કેવા બનવું છે અને શુ પ્રાપ્ત કરવું છે ? જેવા બનવાને આપણા સ`કલ્પ છે, તેવુ' યથાર્થ ચિત્ર રચીએ. આપણી વૃત્તિએને તે ચિત્ર જોવામાં લીન અનાવીએ, આપણી કલ્પનાશક્તિ વડે રચાતુ* ચિત્ર ભવષ્યમાં થનાર આપણી સ્થિતિના નમૂના છે. તે નમૂના પ્રમાણે આપણી સ્થિતિ રચાય છે. કલ્પનાશક્તિ વડે આપણે જે કાર્યાં સિદ્ધ કરવું છે, તેનુ ઉત્તમ પ્રકારનુ` માનસિક ચિત્ર આપણે રચવાનું છે, અને તે ચિત્ર યથાર્થ રચાયુ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૩૫
એટલે ખાકીનું કાય એની મેળે થયે જ જવાનું. તેથી માનસિક રચેલા ચિત્રને સ્થૂલ રૂપમાં કેવી રીતે પ્રત્યક્ષ કરવુ' તે વિષે ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ર સ્પષ્ટ રચાતાં અને ભાવ જિનેશ્વરનું સાંનિધ્ય નિત્ય સાધનામાં અનુભવમાં આવતાં, સ્થૂલરૂપમાં આપણે કેવી રીતે ભાવ જિનેશ્વર ભગવત પાસે પહોંચીશ. તે કાર્ય ધર્મ મહાસત્તાને સોંપી દો. સાધનામાં રચેલા ચિત્રનુ સ્થૂલરૂપ પ્રગટ કરવાનુ કાર્ય ધર્મ સત્તા પોતે જ કરશે. તે માટે જે સાધના, પુણ્ય પ્રકૃતિ, સાધના વગેરેની જરૂર હશે તે બધુ જ ખેચાઈને આપણી પાસે આવવાનું જ છે. વિચાર જેટલેા સ્પષ્ટ અને શુદ્દે હશે અને જેટલા વધુ અંદર ઘૂંટાશે, તેમ સ્થૂલ સ્વરૂપ પ્રગટ કર્યા સિવાય રહેતેા નથી. આવા સેંકડો દૃષ્ટાંતા શાસ્ત્રમાં નોંધાયેલાં છે અને પ્રત્યક્ષ વ્યવહારમાં પણ આપણે જોઇએ છીએ. ( આ પુસ્તકમાં Ideal Reality-મનામય ભૂમિકા ઉપરનું સત્ય તે લેખ ફરીથી વાંચી લેવા. ) તે મુજબ આપણે મહાવિદેહની ધ્યાનયાત્રા ( ભાવયાત્રા) કરીએ છીએ, અને તે દ્વારા આપણી ચેતનાને બદલીએ છીએ. જગતના પદાર્થો મેળવવાના સેગવવાના કે ક્રોડપતિ બનવાના, ઉદ્યોગપતિ મનવાના, સ'કા કરી આપણે ઘણું સ ́સાર પરિભ્રમણ કર્યું. છે. હવે સાક્ષાત ભાવ જિનેશ્વરના દર્શન કરવાના, તેમની દેશના સાંભળવાના, તેમની પાસે ચારિત્ર લેવાના, આપણામાં દ્રવ્યરૂપે રહેલા અત્ પર્યાયને પ્રગટ કરવાના સંકલ્પ આપણે કરીએ છીએ. વમાન જીવનના નામ અને રૂપથી
Page #392
--------------------------------------------------------------------------
________________
ભિન્ન આપણે ચિતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી ભાવના પ્રતીતિ, અનુભવ પરમાત્મા સિમંધરસ્વામીના પ્રભાવથી કરીએ છીએ અને આપણું મૂળ ચિતન્ય સ્વરૂપે પ્રગટ કરવાનો સંકલ્પ (મનેરથી કરીએ છીએ. કહ્યું છે કે –
अथवा भाविनो भूता, स्वपर्यायास्तदात्मकाः । आसते द्रव्यरूपेण, सर्व द्रव्येषु सर्वदा ॥ १९२ ॥ ततोऽयमहत्पर्यायो, भावी द्रव्यात्मना सदा । भव्येष्वास्ते सतश्चास्य, ध्याने को नाम विभ्रमः ॥१९३॥
તત્વાનુશાસન સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભાવિના સવ પર્યાયે દ્રવ્યરૂપે સદા રહે છે. (અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં તેના ભૂત અને ભાવિ સર્વ પર્યાયે વર્તમાનમાં દ્રવ્યરૂપે રહેલા છે.) તેથી સર્વ ભામાં ભાવિમાં થનાર એવા આ “અહંત પર્યાય” દ્રવ્યરૂપે સદા રહેલ છે. તે પછી સદા વિદ્યમાન એવા પર્યાયનું ધ્યાન કરવામાં ક્રાંતિ શી? અર્થાત આપણા ભાવિ “અહંત પર્યાય'નું આપણે ધ્યાન કરીએ છીએ તે યોગ્ય જ છે. હવે આપણે સીમંધરસ્વામીના ધ્યાનમાં પ્રવેશ કરીએ.
(પ્રાગ નં. ૧માં ધ્યાન શરૂ કરતાં પહેલાંની પ્રાર્થના છે. તે ત્રણ પ્રાર્થના કરવી.)
(૧) “દયાસિધુ, દયાસિધુ, દયા કરજે, દયા કરજે.” આ ત્રણ કડીની પ્રાર્થના કરવી. " (૨) દર્શન દ્વારા મન શાતિને પ્રયોગ કર.
(પ્રવેગ નં. એક મુજબ.)
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૪૭
(૩) સ્થિર આસને બેસવું. વાણી અને મનને શાંત કરવાં.
(૪) પ્રાણ શુદ્ધિને પ્રયોગ કરે. (પ્રાગ નં. ૧ના પહેલાં લખેલ છે તે.)
(૫) હૃદય શુદ્ધિને પ્રયોગ કર. (પ્ર.નં. ૧માં લખેલ છે તે મુજબ)
(૬) આંખ બંધ કરી ધ્યાનમાં બેસવું.
(૭) મહાવિદેહમાં સાક્ષાત્ સીમંધરસ્વામીના દર્શન કરવાની તીવ્ર ભાવના કરવી. (૮) ધન્યક્ષેત્ર મહાવિદેહ, ધન્ય પુંડરીગિણિ સાર; ધન્ય તીહાંના માનવી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ. સીમંધર સ્વામી કહીએ રે, હું મહાવિદેહ આવીશ;
જયવંતા જિનવર કહીએ રે, હું તમને વાંદીશ. ધ્યાનમાં પ્રવેશ : પ્રાગ નં. ૩૪ :
( આંખ બંધ રાખવી.) ઉપર પ્રમાણે ભાવના આપણે ભાવીએ છીએ. ભાવના તીવ્ર થતાં આપણું કેઈ મિત્રદેવ આવ્યા છે. મોટું દેવવિમાન લાવ્યા છે. આપણને તેમા બેસાડી દે છે. મહાવિદેહની યાત્રા કરવા લઈ જાય છે. આપણે તે વિમાનમાં બેસી ગયા છીએ. આપણું વિમાન આકાશમાં ઊંચે ચઢી
રહ્યું છે.
•
આ ધ્યાન જે સાધુ-સાધ્વીજી મહારાજ કરતાં હોય ધ્યા. પ્ર. ૨૨
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૩૮
તા વિદ્યાધર મુનિરાજ પધારી, આકાશગામિની વિદ્યા આપે તેવા સકલ્પ કરવા. અને તે આકાશગામિની વિદ્યાના પ્રભાવે આકાશમાર્ગે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ તેવી ભાવના કરવી.
વિમાન આકાશમાં ઇશાન દિશામાં આગળ વધી રહ્યુ છે............
•
હિમાલયના પહાડ તરફ જઈ રહ્યું છે................. હિમાલયના હિમાચ્છાદ્વિત ગિરિશ ગા ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ..........
હિમાલય પર્યંત એળગી આપણે રશિયાના પ્રદેશ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.........(આવું દૃશ્ય જેવુ.)
ઉત્તર ધ્રુવ ઓળંગી આપણે અષ્ટાપદ પર્વત તરફ વધી રહ્યા છીએ........
અષ્ટાપદ પર્વત ઉપરના દિવ્ય મંદિરમાં ૨૪ તિર્થંકર ભગવાનના મનેાહર બિમ્બનુ આપણે દન કરીએ છીએ.
વૈતાઢથ પવ ત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ.
હિમવંત પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ..........
હિમવંત ક્ષેત્ર ઉપરથી આપણે જઈ રહ્યા છીએ........
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૩૯
•••••••
મહા હિમવંત પર્વત ઓળંગી આપણે હરીવંશ ક્ષેત્ર ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.”
નિષિદ્ધ પર્વત ઓળંગીને આપણે મહાવિદેહના કચ્છ નામના વિજય ઉપરથી પસાર થઈ રહ્યા છીએ ...
સીતા નદી એળગી આપણે મહાવિદેહના પુખલવઈ વિજય ઉપર આવી પહોંચ્યા છીએ.....
પુંડરીગિણી નગરી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.
આપણું વિમાન ધીમે ધીમે નીચે આવી રહ્યું છે....
મહાવિદેહની પરમ પવિત્ર પુણ્યભૂમિ ઉપર આપણે ઉતરાણ કર્યું છે................
અજાણ્યા પ્રદેશ છે, ભગવાન કઈ બાજુ વિહાર કરતા હશે ? કઈ દિશા તરફથી અવાજ આવતું હોય તે સાંભળવા લક્ષ્ય ખેંચ્યું.
ત્યાં તે દૂર દૂર દેવદુંદુભિને અવાજ સંભળાવા લાગે.
આનંદથી હૈયું ભરાઈ ગયું........
જે દિશામાંથી દેવદુંદુભિને અવાજ આવતો હતે તે દિશામાં આપણે પ્રયાણ શરૂ કર્યું... દૂર દૂરથી ભગવાન આવી રહ્યા છે...........
(આવું દશ્ય જેવું.)
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૪૦
વૃક્ષે નમે છે .... .....(આવું દશ્ય જેવું) પંખીઓ પ્રદક્ષિણ કરે છે(આવું દશ્ય જેવું છએ ઋતુ સમકાળે ફળેલી દેખાય છે....................
...........(આવું દશ્ય જેવું.) સુગંધિત પવન આવી રહ્યો છે............ કાંટા ઊંધા થઈ ગયા છે...........(આવું દશ્ય જેવું.)
પ્રકૃતિની મહાસત્તાના સર્વોપરી મહાસત્તાધીશ અરિ. હંત પરમાત્માને આવકારવા માટે સમગ્ર કુદરત કામે લાગી હોય તેવું દેખાય છે. (આ અને હવે પછીનું દશ્ય જેવું, આનંદવિભેર બની અનુભવવું.)
સર્વત્ર ઈતિ, ભીતિ, ચોરી, રોગ, શોક, ભય, સંતાપ, ફલેશ, દુઃખ, દારિદ્ર, દુર્ભાગ્ય, દુભિક્ષ (દુકાળ) આદિ દૂર થઈ ગયાં છે. છએ ઋતુના ફળફૂલથી વનરાજી ઉભરાઇ ગઈ છે. પાંચ વિષયે અનુકૂળ થઈ ગયા છે....................
..........(આવું દૃશ્ય જેવું.) जैनेन्द्रं धर्मचक्रं प्रभवतु सततं, सर्व सौख्य प्रदायी. ,
સકલ સુરેન્દ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર અને સમ્રાટ ચક્રવર્તીના. પણ સર્વોપરી તિર્થંકર પરમાત્મા છે તેવું દર્શાવતું, દશે દિશામાં પ્રકાશને પાથરતું ધર્મચક્ર પ્રભુની આગળ ચાલી રહ્યાં છે. એક હજાર યોજન ઊંચે દવજી ભગવાનની આગળ ચાલી રહ્યો છે.................................(આવું દશ્ય જેવું)
સકલ પ્રાણી–સંસારના પ્રાણેશ્વર, વિશ્વના મહાન વિભુ,
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૪૧
જગતના મહાન જ્ગ્યાતિર, ત્રણ ભુવનના ત્રિભુવનેશ્વર, અખિલ બ્રહ્માંડના સવભૌમચક્રાધીશ્વર, સર્વેશ્વર, જીવે શ્વર, લેાકેશ્વર, જગતના મહાન સાથે વાહ પરમાત્મા સુવના મખમલ જેવા મુલાયમ કમળ ઉપર અધિષ્ઠિત થઇને આવી રહ્યા છે........... ........ આવું દૃશ્ય જોવું. ) આપણે પેતે પણ દેવદુંદુભિને ગ‘ભીર નાદ હૈ ભવ્ય આત્માએ ! તમે જો સ`સારના ત્રિવિધ તાપથી પીડાચેલા હૈ, અને જો ભવસમુદ્રથી પાર ઉતરવા ઇચ્છતા હા તે જગતના મહાન સા વાહ, કોટાનુકાટી જવાના પરમ ઉદ્ધારક તીર્થંકર પરમાત્માનું શરણુ અ`ગીકાર કરો. ” સાંભળી કરૂણાસાગર પ્રભુની પાસે પહેાંચી ગયા. ( આવુ’ દૃશ્ય જોવુ. )
પ્રાતિહાર્યોથી યુક્ત પરમાત્માના દર્શન થતાં આનંદવિભાર બની ગયા....રામરાજી વિકવર થઈ ગઈ. ( આવુ સવેદન કરવુ.).....
પામ્યા આનંદ પૂર કે દુઃખ દૂરે ગયાં,
દીઠે તુમ દેદાર કે વાંછિત સવિ ફળ્યાં; પામ્યા નવનિધિ રિદ્ધિ કે સિદ્ધિ સવિ મિલી,
દીઠે તુમ દેદાર કે આશા સિવ ફળી. મહાપ્રભુના પ્રભાવથી અહિંસાનુ આંદોલન ઉત્પન્ન થયું છે. જન્મજાત વૈરને ધારણ કરનારા પ્રાણીએ નૈસર્ગિક વૈરભાવથી મુક્ત મની પરસ્પર વાત્સલ્ય લાગ્યાં. મત્રી ભાવના મધુર રસ
ભાવમાં વવા
સમગ્ર પૃથ્વી મંડળમાં
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૪૨
વ્યાપ્ત થઈ ગયે.... ..................(આવું દશ્ય જેવું)
આ સમયે કેવું દશ્ય ખડું થયું છે? છત્ર ચાલે આકાશમાં અરિહંતાજી,
દેવદુદુભિ વરયુત્ત ભગવતાજી. ચામર ચક્ર સિંહાસન અરિહંતાજી,
પાદપીઠ સંયુક્ત ભગવંતાજી. સહસ જન ધ્વજ શોભતો અરિહંતાજી,
પ્રભુ આગળ ચાલંત ભગવંતાજી. કનક કમલ નવ ઉપરે અરિહંતાજી,
વિચરે પાય ઠવંત ભગવંતાજી. કાંટા પણ હેય ઊંધા અરિહંતાજી,
પંચ વિષય અનુકૂળ ભગવંતાજી. ષડૂઋતુ સમકાળે ફળે અરિહંતા,
વાયુ નહીં પ્રતિકુળ ભગવંતાજી, પંખી દીએ સુપ્રદક્ષિણા અરિહંતાજી,
વૃક્ષ નમે અસરાલ ભગવંતાજી. જિન ઉત્તમ પદ પની અરિહંતાજી,
સેવા કરે સુર કેડી ભગવંતા ... વૃક્ષ, લતાઓ વિવિધ વર્ણના પુષ્પથી વિભૂષિત બની, સુમધુર રસવાળાં ફળ વડે મને રંજક બની ગઈ....
............(આવું દશ્ય જેવું.)
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૪૩
પવિત્ર પ્રાકૃતિક સૌદર્યના વાતાવરણમાં દેવેન્દ્રો, નરેન્દ્રો, ચમરેન્દ્રો, કુપેન્દ્રો, ભવનેન્દ્રો, રાજઋદ્ધિ, દેવઋદ્ધિથી પરિવરેલા મહાપ્રભુના પાદારવિંદના દર્શનાર્થે આવી રહ્યા છે............ ....(આવું દૃશ્ય જોવુ. )
આપણે સઘળાં મહાપ્રભુની સાથે જ્યાં દેવાએ સમવસરણની રચના કરી છે, તે તરફ જઇ રહ્યાં છીએ........ ............. આવુ' દૃશ્ય જોવુ. )
દેવાએ એક યાજન ભૂમિ પરિશુદ્ધ કરી, સુગધિત વાયુના સ'ચાર કરી શુદ્ધ બનાવી. તે ઉપર વામચ પીઠિકા (Plinth ) ૧૦૦૦ પગથિયાં ઊંચી બનાવી, તેના ઉપર પ્રથમ ચાંદીના ગઢ અને સેાનાના કાંગરા બનાવ્યા છે. તે ઉપર દશ હજાર પાથયાં ઊ ચે બીજો સાનાના ગઢ અને રત્નના કાંગરા બનાવ્યા છે. તે ઉપર ૫૦૦૦ પગથિયાં ઊંચે ત્રીજો રત્નના ગઢ અને મણીના કાંગરા મનાવ્યા છે...... ........... આવુ દૃશ્ય જોવુ. )
આપણે સૌથી ઉપરના ગઢમાં......
...દૈવી શક્તિ દ્વારા ક્ષણમાં ઉપર પહોંચી ગયા.........
સૌથી ઉપરના ગઢની મધ્યમાં પ્રભુની ઊંચાઇથી ૧૨ ગણું ઊચુ', એક ચેાજન વિસ્તારવાળું, મનેાહર, રમણીય અશેાકવૃક્ષ છે. જે સમગ્ર સમવસરણ ભૂમિને શીતળ છાયા આપી રહ્યુ છે.............. અશેકિવૃક્ષની નીચે વિવિધ રત્ના, હીરા, માણેક,
******
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૪૪
નીલમ આદિથી વિભૂષિત પાદપીઠ સિંહાસન છે.................(આવું દશ્ય આપણે જોઈ રહ્યા છીએ.)
ત્યાં સકલ વિશ્વના ઉદ્ધારક, દેવેન્દ્રોને દર્શનીય, સુરેદ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, યોગીન્દ્રોને આદરણીય, વિશ્વને વંદનીય, પ્રાણીમાત્રને પૂજનીય ત્રિભુવનેશ્વર, દેવાધિદેવ, કરૂણાસાગર પરમાત્મા જગતના ઉદ્ધારને અર્થે સમવસરણ ભૂમિમાં પધાર્યા..............(આવું દશ્ય જોવું.)
મહાપ્રભુને સમવસરણમાં પ્રવેશ થતાં સમગ્ર પ્રાણી સંસાર આનંદ પ્રદ–વિનિથી પ્રભુને વધાવે છે...........
...............(આવું દશ્ય જેવું.) પ્રણમામિ પરમેશ્વર, વદે વિશ્વનાયક, જય જય જગદીશ્વર, જય જય જયોતિધ૨.
સુસ્વાગતમ્, શુભાગમનમ-આવા મધુર ધ્વનિથી સૌ કેઈ પરમાત્માને વંદન, નમન, પ્રણામ કરી કૃતાર્થ બને છે. આપણે પણ બધાની સાથે જ છીએ..................
...(આ બધું દશ્ય જોઈએ છીએ.)
.......
અને તે વખતે મહાપ્રભુએ વિશ્વના સવભૌમચકાધિશ્વરના સિંહાસન પાસે પહોંચી, “તમે તિથ્થસ્સ” કહી, ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી, કરૂણનિધાન પરમાત્માએ વિશ્વેશ્વરના સિંહાસન ઉપર આરૂઢ થઈ, સકલ જગતને અનાથ બનાવ્યું. અશરણુ એવા આપણને
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૪૫
પરમાત્માએ શરણું આપ્યું. આવે સમયે આપણું ત્યાં ઉપસ્થિતિ આપણા જીવનની સુવર્ણમય ધન્ય પળ બની ગઈ. ભગવાનનું દર્શન કરી આપણે રોમાંચ અને આનંદ અનુભવીએ છીએ................................(આ અનુભવ કરે.)
તે કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર ભગવંતના મસ્તકની પાછળ સૂર્ય સમાન તેજસ્વી ભામંડળ શોભી રહ્યું છે. અનેકવિધ મણિ માણેક રત્નોથી વિભૂષિત ત્રણ છત્રો ભગવંતના મસ્તક ઉપર શેભી રહ્યાં છે. આકાશમાં દેવદુદુભિને ગંભીર નાદ ગાજી રહ્યો છે. ૧૨ા કોડ દેવડુંદુભિ તાડન કર્યા વગર વાગી રહી છે. જાનુ પ્રમાણુ પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. દેવેની જેડીઓ ચામ વિંઝી રહી છે.
ચોસઠ ઈન્દ્રો પિતાની સર્વશક્તિથી જે પરમાત્માના ડાબા ચરણનો એક અંગૂઠે પણ બનાવી શકતા નથી. પરંતુ પરમાત્માના જેવા જ અદ્દભુત બીજા ત્રણ રૂપ ત્રણ દિશામાં એક જ વ્યંતર દેવે વિરચિત કર્યા. તે ભગવાનની હાજરીને અતિશય છે. પ્રત્યેક પ્રાતિહાર્યમાં આપણને પરમાનું દર્શન થાય છે.......................(આવું દશ્ય જેવું.)
પ્રાતિહાર્યોથી યુક્ત, ૩૪ અતિશયોથી અલંકૃત પરમાત્મા કેવા શેભે છે ! જિનજી! તારા વૃક્ષ અશેકથી શેક હરે ગયે રે લોલ... જિનાજી! ભામંડલ શિર પૂછે કે સૂર્ય પરે તપે રે લોલ...
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૪૬
જિનાજી! ત્રણ છત્ર બિરાજે કે ત્રિભુવનપતિ પણે રે લોલ... જિનાજી! દેવદુંદુભિને નાદ ગભીર ગાજે ઘણે રે લોલ જિનાજી! જાનુ પ્રમાણ ગીર્વાણ કુસુમવૃષ્ટિ કરે રે લોલ... જિનાજી! ચામર કેરી હાર ચલતી એમ જાણે રે લેલ.... જિનાજી! જે નમે અમ પર તે ભવી ઉર્ધ્વગતિ લહેરે લોલ... જિનાજી! પાદપીઠ સિહાસન વ્યંતર વિરચીએ રે લોલ... જિનાજી! તિહાં બેસી જિનરાજ ભવિક દેશના દીયે રે લોલ જિનાજી! દિવ્ય દવની સૂર પૂરે કે વાંસલીએ સૂરે રે લોલ.... (આ રીતે પ્રતિહાર્યયુક્ત પરમાત્માના દર્શન કરવા.).....
બાર પર્ષદાની રચના થઈ. સૌ પિતપતાને યોગ્ય સ્થળે દેશના સાંભળવા ઉપસ્થિત થયા. આપણે પણ યથા
સ્થાન ઉપર દેશના સાંભળવા બેઠા છીએ. તે સમયે પ્રભુને નિહાળતાં આપણું હૃદય પિકારે છે –
આજ અમારું પુણ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું છે, ત્યારે જ આપનું દર્શન અમે પામ્યા છીએ. આપની વાણુનું શ્રવણ અને આજ્ઞાનું પાલન એ જ અમારા મહાન મહેદયનું કારણ છે. આપની વાણીનું શ્રવણ અમારાં સર્વ પાપોને નષ્ટ કરી, આત્માના પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ છે.”
પ્રભુના મધુર શબ્દને ઝીલવા માટે હદય અતિ તત્પર બન્યું છે...........................( આવું સંવેદન કરવું.)
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૪૭
તે સમયે અત્યંત કરૂણાવત પરમાત્માએ પ્રવચન. મુદ્રા કરી, અને સકળ પ્રાણી સંસાર શાન્ત બની ગયો. અને ૩૫ વાણના ગુણોથી યુક્ત યોજન ગામિની, સર્વ આનંદપ્રદાયિની, સર્વ પાપ પ્રણાશિની, માહ તિમિર વિનાશિની, કલ્યાણ પરંપરાવર્ધિની, કર્મકષ્ટદાહિની, ભવસંતાપ હારિણી, મેહવિષ નિવારિણી, સકલ જીવ સંજીવની,
જીવનતિ પ્રકાશિની, પરમાત્મભાવ પ્રકાશિની, અનંત કલ્યાણ કારિણી સુમધુર વાણીથી માલકેશ રાગમાં પરમામાની દેશના શરૂ થઈ. તેને દેએ વાંસળીના સુમધુર સૂરથી – “દિવ્ય ધ્વનિથી વિભૂષિત કરી.
પ્રભુની દેશના સાંભળવામાં આપણું દશે પ્રાણ, સાડા ત્રણ કોડ રોમરાજી, આત્માના અસંખ્ય પ્રદેશ લીન થઈ ગયાં. આપણી સાતે ધાતુ ભેદાઈ ગઈ. પરમાત્માની દેશનાને શબ્દ શબ્દ આપણું આત્મામાં પરિણામ પામવા લાગ્યો. આપણે રોમેરોમ વિકસિત થઈ પ્રભુના વચનને ગ્રહણ કરે છે..
. ...........( આવું સંવેદન આપણને થઈ રહ્યું છે.)
પ્રભુની વાણને એવા અતિશય છે કે સાંભળતાં જ આપણા પરિણામો-ભાવો પ્રભુની વાણીને અનુરૂપ બનવા લાગે છે. પ્રભુ કહે છે તેવું જ આપણામાં બને છે તેવી - ક વધુ આગળ આરાધનાને યોગ્ય આપણું મન કે હૃદય ન હોય તે ત્યાં બેસી જાપ, સ્મરણ, ધ્યાન, ચૈત્યવંદન આદિ કરી, પાછું જઈ શકાય છે. પણ આવી અણમોલ પળ કેણ છેડે ?
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ભાવુકતા ઉત્પન્ન થાય છે. પ્રભુ મને જ કહી રહ્યા છે તેવું દરેકને લાગે છે.
પરમાત્માની દેશના :હે ભવ્યાત્મા ! અનંતકાળ પરિભ્રમણ કર્યા પછી, પ્રાપ્ત થયેલ મનુષ્યભવ આદિ સામગ્રીને સફળ કરવા માટે તપર બન.
આ દેહ તારૂં સ્વરૂપ નથી. તારૂં જે નામ છે તે તું નથી. દેહને લગતા પદાર્થો તારા નથી. સર્વ સંયોગ સંબંધે મળ્યા છે. પરમાથે તેમાં તારું કાંઈ નથી. કર્મ પુદગલનું આ બધું સર્જન છે.
તું તે અનંત શક્તિને સ્વામી આત્મા છે. કેવળજ્ઞાન આદિ અનંત ગુણસંપત્તિને તું નિધાન છે. અવ્યાબાધ સુખને તું ભંડાર છે. તે આત્મા–અસંખ્ય પ્રદેશ, પરમાનંદ મહાસાગર, સચિદાનંદ સ્વરૂપ, નિષ્કલંક, નિરામય, શુદ્ધ, ચિદાનંદઘન સ્વરૂપ છે. (અત્યંત ભાવવિભેર બની પ્રભુની વાણી આપણે સાંભળી રહ્યા છીએ.
...................) પુદગલનું લક્ષણ સડણ પણ વિવંસન છે. તે અવિનાશી ચૈિતન્ય લક્ષણ આત્મા છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ પુદ્ગલના ગુણે છે. તારા ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય *મિથ્યાત્વ મોહનીયને કાઢયા સિવાય કશું પાછું જાય ? પ્રભુ મિથ્યાવિને ધ્વંસ કરવા માટેની, સમ્યગદર્શનની પ્રાપ્તિ માટેની દેશને શરૂ કરે છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૪૮
અને ઉપયોગી છે. પુદ્ગલ રૂપી છે, તું અરૂપી છે. કર્મકૃત ભાવોથી તું ભિન્ન છે.
ષટ દ્રવ્યના સ્વરૂપને ઓળખીને લક્ષણભેદથી પરપુદ્ગલ દ્રવ્યથી તું ભિન્ન છે તે સમજ.
નવ તરવની સહણ કરી જીવ અને અજીવને ભેદ સમજીને, અજીવ પરપુદ્ગલ દ્રવ્ય છે, તે જીવ ચેતનદ્રવ્ય છે તે વિવેક કર. તવ સમજીને પુદ્ગલથી ભિન્ન તારા ચૈિતન્ય સ્વરૂપને ઓળખ અને તેની શ્રદ્ધા કર. પર દ્રવ્ય અને પરભાવને છેડી તું તારા સ્વરૂપમાં રૂચિ કર. અનંત આનંદ અને સુખના પરમ ભંડાર તારા આમસ્વરૂપને પ્રગટ કરવાનો સંકલ્પ કર.
જેવું સિદ્ધ ભગવંતનું પ્રગટ સ્વરૂપ છે, તેવું જ શુદ્ધ આત્મચેતન્ય તારામાં રહેલું છે. તેમાં રૂચિ કરીને તે સ્વરૂપનો અનુભવ કરવા ઉદ્યમવંત બન.
માટે તત્વામૃતનું પાન કરી, પર પુદ્ગલ સંગ છોડી, તારા સ્વરૂપમાં સ્થિર બનવા માટે, જેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે તેવા પરમાત્મામાં, તારી ચેતનાને જેડીને સ્વ સ્વરૂપને અનુભવ કર.
પર વસ્તુનું રાગીપણું, કર્તાપણું, ભક્તાપણું તારું કાર્ય નથી. માટે તે છોડીને તારા સ્વરૂપમાં રૂચિ કર. (દેડ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂ૫ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે.)
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૫૦
તારા નિમ ળાનંદને અનુભવ દન રૂપ અમૃતના અનુભવ કરવા ( ભગવાનની દેશનાથી આપણા અસર થાય છે.)
સાક્ષાત્ જાણે અમૃતરસનું પાન કરતા હાઈએ તે રીતે જિનવાણી રૂપ અમૃતનું પાન થતાં આપણામાં અપૂ ભાવાલ્લાસ પ્રગટ થયા છે............,
કરવા તત્પર મન. સમ્યગ્ ઉત્સાહિત મન”
ઉપર નીચે મુજબ
શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થઈ. પરમાત્માના આવા દિવ્ય વચને સાંભળતાં, પ્રભુ કહે છે તેવુ જ આપણામાં બને છે. દ્રવ્ય કમ (જ્ઞાનાવરણી આદિ ) ભાવ કમ ( રાગ, દ્વેષ, માહ, અજ્ઞાન) અને ના ક્રમ (શરીર આદિ)થી ભિન્ન હું આત્મા છું તેવા ભાવ ઉલ્લુસ્યા.........
ચરમયથાપ્રવૃત્તિકરણની સ્થિતિએ અત્યારે આપણે છીએ. હું આત્મા જ ધ્યું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. પરમા નંદના કદ છું. સત્તાએ શુદ્ધ નિર્માંળ છુ...
........( સંકલ્પપૂવ કનું સવેદન કરવુ'.) કુ` સયેાગે આત્મા અશુદ્ધ દેખાય છે, પણ જિનવાણી રૂપ અમૃતનુ પાન થતાં તેની શુદ્ધતા
(તહેવી સત્તા ગુણે જીવ એ નિમળેા,
અન્ય સશ્લેષ જેમ સ્ફટિક નવી શામળે; જો પરાધિથી દુષ્ટ પરિણતી ગ્રહી,
ભાવ
તાદાત્મ્યમાં માહેરૂ તે નહીં. )
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૫૧
નિર્મળતા જાણી, તેની શ્રદ્ધા થઈ અને પર ઉપાધિથી દુષ્ટ પરિણતી કર્મકર્તાપણારૂપ ગ્રહીને, તાદાત્મભાવમાં તાદામ્ય સંબંધ કરી દે તે સર્વ ઉપાધિક ભાવ મારે નથી. સંગ સબંધ મળે છે, સમવાય સબંધ નથી. તદ્ઉત્પત્તિ સબંધ છે, પરંતુ તાદામ્ય સબંધ નથી. દ્રવ્યાર્થિક સંગ્રહ નયની અપેક્ષાએ મારો જીવ નિર્મળ છે. આ ભાવનાએ ચઢતાં હું આત્મા જ છું, પૂર્ણ છું, કેવળજ્ઞાન સ્વરૂપ છું, અનંત ગુણમય છું–તેવો અપૂર્વ ભાવાત્મક ઉછાળે, વીલ્લાસ થવાથી અપૂર્વકરણ રૂપ મહાસમાધિ થઈ. (અહીં ધ્યાનમાં સ્થિર બની અનુભવ કરે.)
.
.
હતા
.
.
.
.
................
00000000000000
છે
?
હું શુદ્ધ આત્મસ્વરૂપ જ છું તેવું દઢીકરણનું ભાવન ચાલુ રહ્યું. અનિવૃત્તિ કરણ થયું. તે ભાવની ધારા ચઢતી ગઈ. - * અહીં અપૂર્વ એટલે કદી નહીં અનુભવેલ અને કરણ એટલે અધ્યવસાય ઉત્પન્ન થયા છે. અપૂર્વ કરણ રૂપ મહાસમાધિ ભાવમાં થોડી ક્ષણ થિર બની અનુભવ કરવો.
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૫૨
(થડી ક્ષણ અહીં ધ્યાનમાં સ્થિર બનવું. ....”
અને પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી–તે ભાવમાં મિથ્યાત્વનું એક પણ દલિક ઉદયમાં નથી. એટલે. આત્મા સિવાયના અન્ય પદાર્થમાં અહ, મમત્વરૂપ એક પણ વિકલ્પ નથી (અંતરકરણની સ્થિતિ છે.) માત્ર શુદ્ધ ચેતન્યરૂપ અપૂર્વ કિરણ (કરણ અધ્યયસાય) ભાવમાં સ્થિરતા છે. અંતમુહૂર્ત આ ભાવમાં ધ્યાનમાં સ્થિર બનવું... •••••••••••• અપૂર્વ ઉલ્લાસ અને આનંદ અનુભવ...(ધ્યાન કરવું)
મિથ્યાત્વ મેહનીય ક્ષપશમ થતાં આત્મ. અનુભવરૂપ સમ્યગૂ દર્શન સમ્યગૂ જ્ઞાન ઉતપન્ન થયું. (આત્મજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ
પ્રભુ નિર્મળ દશન કીજીએ.) આવા ભાવે ચઢતાં નિર્મળ આનદને અનુભવ થયે. દેહથી ભિન્ન હું આત્મસ્વરૂપ છું તેવી પ્રતીતિ થઇ..••••••••••••••••••••••••••••••••••••••••••••••
પરમાત્માની અમૃતવાણું ફરીથી શરૂ થઈ
જેવું તારું આત્મચેતન્ય છે, તેવું જ ચિતન્ય જગતના જીવ માત્રમાં છે. સર્વ જી આત્મ સમાન છે. *
આતમ સર્વ સમાન નિધાન મહાસુખ કંદ, સિતતણું સાધમી સત્તાઓ ગુણવૃંદ; જેહ સ્વજાતી તેહથી કેણુ કરે વધ બંધ, પ્રગટો ભાવ અહિંસક જાણે શુદ્ધ પ્રબંધ.
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૫૩
સર્વ જી સિદ્ધ ભગવંતના સાધર્મિક, સત્તાએ અનંત ગુણના ગુંદ, મહાસુખના કંદ છે. સવજી પ્રત્યે અહિંસક ભાવ પ્રગટાવ. તેમના કલ્યાણ માટે, રક્ષણ માટે ઉત્સાહિત બન. જેને હણે છે, તે તું પતે જ છે તેવું સમજ, અને સમજીને ષટુ વનીકાયના રક્ષણ અને હિતને માટે અહિં સાદિક મહાવ્રતો માટે ઉદ્યમવંત બન.
જે રીતે દીપક ઉપર આચ્છાદન કરનારી વસ્તુ મૂકવાથી પ્રકાશનો અભાવ થતો નથી, આચ્છાદન સમયે અગર આચ્છાદન ન હોય તે સમયે દીપક તે તે જ સ્થિતિમાં છે; તે રીતે અનંત જ્યોતિ સ્વરૂપ શુદ્ધ આત્મા-દેહ સંબંધ કે કર્મ સંબંધરૂપી આચ્છાદન સમયે પણ–સત્તાએ શુદ્ધ, અને નિર્મળ છે. પરંતુ બુદ્ધિના વિપર્યાસ અને મિથ્યા ભ્રમણને કારણે તે અનુભવમાં આવતો નથી. અંતરાત્માની શુદ્ધ પ્રતીતિ અને અનુભવને આવરણ કરનાર મિથ્યાત્વ મોહનીય છે. મિથ્યાત્વ મેહનીયના ક્ષપશમથી, સમ્યગ દર્શનના પ્રકાશથી જે નિર્મળ આનંદમય આત્મસ્વરૂપને યત્ કિંચિત્ તે અનુભવ કર્યો, તે આત્માના પૂર્ણાનંદ સ્વરૂપને પ્રગટ કરવા માટે સર્વ બાહ્ય ઉપાધિક ભાવ છોડીને, બાહ્ય -અત્યંતર પરિગ્રહને પરિત્યાગ કરીને, આત્મ ઉપયોગ સ્થિર થઈ સ્વરૂપ રમણતાના પરમાનંદને અનુભવવા તત્પર બને.”
ઉપર મુજબ પ્રભુની, સર્વજીવ વિષયક અમૃત દેશના
યા. પ્ર. ૨૩
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૫૪
સાંભળી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે વર્તન તા એક માત્ર જિનેશ્વર ભગવતે કહેલા ચારિત્રધર્મમાં જ છે. તે વિચારાથી (સકલ સત્વ હિતાશય અમૃત લક્ષણ સ્વપિરણામ એવ સાધુ ધર્મ.) સકલ જીવરાશિના હિતના પરિણામ રૂપ ભાવે ઉત્પન્ન થયા. મારા એક જીવ ખાતર રાજના અસંખ્ય જીવની હિંસા થઈ રહી છે, તે હવે હું સહન નહિ કરી શકું. હું તે જીવાને હણુતા નથી, મને પેાતાને જ હણું છું. જ્યાં જ્યાં વિશ્વમાં ચૈતન્ય છે તે મારૂ' જ પેાતાનુ` સામાન્ય રૂપ છે. આ ભાવની ધારાએ ચઢતાં સાધુપણાની પ્રાપ્તિની તીવ્ર ઝંખના થઈ............. ........... સંવેદન કરવું.) (દેશનાની આપણા ઉપર અસર થાય છે તેવુ' સ'વેદન કરવું.)
પરમાત્માની દેશનામાં આત્માના સ્વરૂપ અને પરમાનંદનું અદ્દભુત વન, આત્માના અનંત જ્ઞાન, અન’ત દન, અનંત ચારિત્ર, અવ્યામાધ સુખ, અનંત ભાગ, પૂર્ણાનંદ વગેરેનું વર્ણન સાંભળી તે ઉપદેશને ભાવાત્મક રીતે ગ્રહણ કર્યાં. તે શુદ્ધ આત્મસ્વરૂપની રૂચિ થઈ, પિપાસા થઈ, વૈરાગ્ય થયા, સ'સારથી ઉદાસીનપણુ' થયું'. આ સંસારી વિભાવ ઉપાધિ મારે અઘટતી છે. પર વસ્તુનુ ગ્રહણ કરવું, રક્ષણ કરવું, કર્તૃત્વ, ભાતૃત્વ, વ્યાપકત્વ તે વિભાવ છે, મારૂ' સ્વરૂપ નથી. પરપુદ્ગલને ભાગવુ' મારા માટે ચેાગ્ય નથી. તે સર્વને ત્યજું. વિભાવ દશાને વિષ ભક્ષણ સમાન
49094
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૫૫
જાણુને વિભાવ પ્રત્યે ઉદાસીનતા થઈ. પિતાની અનંત ગુણ સંપદા, પરમાનંદ, અનંત સુખ અને કેવળજ્ઞાનની અતિ તીવ્ર અભિલાષાથી પ્રભુજીને પ્રાર્થના કરું છું. (આવી ભાવનાથી તીવ્ર રીતે ભાવિત બનવું)............
હે પ્રભુજી! હે દયાના સાગર ! હે અનાથના નાથ! હે પરમ ઉદ્ધારક! પરમ તારક ! પરમાત્મા ! આપને કોટી કોટી વંદન કરી આપની સન્મુખ ઊભું રહીને માગું છું
હે તારક ! મને તાર ! મને તાર, તાર, તાર ! ભવ બ્રમણથી ઉગાર ! હવે આ વિભાવ દશા ખમાતી નથી. મારે અનંતે સ્વાધીન આનંદ અને સુખ પરાધીન થયું છે. અને હું યુદંગલ ગ્રાહી, પુદગલ ભેગી, પરને કર્તા, પરનો ભક્તા બન્યો છું. તેથી તવગ્રાહી, આત્મતત્ત્વ ભેગી હોવા છતાં તત્ત્વને જાણી શક્યો નથી. ઔદયિક ભાવ રૂપ અશુદ્ધ પર્યાયની પરંપરાની શ્રેણીમાં પડી રહ્યો છું. તે હે નાથ ! તારા શરણે આવ્યો છું. આપના અમૃતતુલ્ય વચન સાંભળી, મારૂં વિશુદ્ધ આત્મચેતન્ય, તેના અનંતગુણ પર્યાય, પરમાનંદ અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિની અભિલાષા થઈ છે. તીવ્ર ઝંખના થઈ છે. તે સ્વરૂપનો પ્રગટ અનુભવ કરવા તીવ્ર ઈચ્છા થઈ છે. તે હે પ્રભુ ! સમ્યગ્ગદર્શન યુક્ત ચારિત્રને પ્રાસાદ કરી આ આ જીવને સનાથ બનાવો.”
(તીવ્ર ભાવે સંવેદન કરવું.) પરમાત્માના સામું જોઈ રહ્યા છીએ. પ્રભુએ ચારિત્ર
અને અ
ખના થઈ સાતની અભિ
Page #412
--------------------------------------------------------------------------
________________
३५६
માટે સંમતિ આપી. આપણે હર્ષવિભોર બની ગયા
ચતુર્મુખ પ્રભુને ત્રણ નમસ્કાર કરી નીચે મુજબ બાર નવકાર ગણવા.
(૧) ત્રણ યોગ પૂર્વક પ્રથમ નમસ્કાર. (૨) ત્રણ કરણ જેવા પૂર્વક બીજે નમસ્કાર. (૩) દશ પ્રાણુ જોડવા પૂર્વક નમસ્કાર. (૪) સાત ધાતુ ભેદાઈ જવા પૂર્વક નમસ્કાર. (૫) સાડા ત્રણ કોડ રેમરાજી વિકસિત થવા પૂર્વક
નમસ્કાર. (૬) આત્માના અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશ પ્રદેશ
ભાવપૂર્વક નમસ્કાર. (૭) ક્ષપશમ ભાવી દર્શન-જ્ઞાન ગુણને પરમાત્મ સ્વરૂપમાં જોડવા પૂર્વક નમસ્કાર.
(૮) ચારિત્ર (રમણતાને ગુણ)–પરમાત્મ સ્વરૂપમાં રમણતા પૂર્વક નમસ્કાર.
(વીર્ય ગુણ જોડવા પૂર્વક – પરમાત્મા રૂપમાં -ગુણોમાં વર્ષોલ્લાસ પૂર્વક નમસ્કાર.
(૧૦) આામસ્વરૂપમાં રૂચિ-જ્ઞાન પૂર્વક. (૧૧) આત્મસ્વરૂપમાં રમણતા પૂર્વક. (૧૨) આત્મસ્વરૂપમાં વયસ્કૂરણ પૂર્વક.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩પ૭
(વિશેષ વિગત માટે આ પુસ્તકમાં જ નવકારની સાધનાની ત્રીજી ભૂમિકા જુઓ પ્રયાગ નં. ૧૦ પાનું ૮૨.)
ઉપર મુજબ ૧૨ નવકાર ત્રણ પ્રદક્ષિણમાં ગણવા.
પ્રભુએ વાસક્ષેપ કર્યો. આશીર્વાદ આપ્યા. અને અનુગ્રહ કર્યો...
ચારિત્ર પદ અર્પણ કર્યું........ આનંદવિભોર બની આપણું હૈયું નાચી ઊઠયું................ વિશુધ્ધ ચારિત્રના ભાવે પરિણામ પામ્યા છે. સવ જીવ સાથે આત્મસમાન -ભાવપૂર્વક આત્મસમાન વર્તન છે. તિર્યમ્ સામાન્યના ભાવપૂર્વક સમગ્ર વિશ્વના અનંત જીવો સાથે ભાવાત્મક તાદામ્ય છે. દશવિધયતિધર્મ, અહિંસાદિક તેનું નિરતિચાર પાલન, સમિતિ-ગુપ્તિમાં પ્રવર્તન આદિ સમાચારીના પાલનમાં સાધક આત્મા સ્થિર બન્યા છે.....
નિરંતર પરમાત્માના સ્વરૂપમાં (૧) આદર, (૨) બહુમાન, (૩) રૂચિ (૪) વીય ફૂરણા, (૫) રમણતા, (૬) તન્મયતા, (૭) તદ્રુપતા, (૮) એકત્વતાના સતત અભ્યાસ દ્વારા અપ્રમત્ત ભાવને સ્પર્શવા સાધક પ્રયત્નશીલ છે. પરમાત્મ સ્વરૂપના અભેદ ધ્યાન દ્વારા પ્રત્યેક અંતર્મુહૂર્ત અપ્રમત્ત ગુણ સ્થાનકને સ્પર્શ કરી સાધક આત્મ સ્વરૂપના આનંદની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્નશીલ છે. (આ આઠ સ્ટેજની સાધના પ્રયોગ માટે જુઓ જિન ભક્તિની સર્વોચ્ચ ભૂમિકા. પ્રયોગ નં. ૧૮ પાનું ૧૫૪. અહીં આ પ્રમાણે પ્રયોગ કરી, ધ્યાનમાં સ્થિર બની ટકી રહેવું.)
નથી
.••••••••••••••••
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૫૮
છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકના ભાવાને સ્પર્શ, અપ્રમત્ત અવસ્થાના પરમાનંદને સાધક અનુભવે છે. વૃત્તિઓને અને મનને અનાસક્ત ભાવ દ્વારા જગતના દશ્યમાન પદાર્થોના આકારે પરિણમતી અટકાવીને પરમાત્મા અને આત્મા આકારે ઉપગને પરિણુમાવવા સદા જાગૃત છે. આત્મા આકારે. પરિણમેલે ઉપગ તે જ તેનું લક્ષ્ય છે. અને આમ ઉપગમાં રહીને પરમાનંદ અનુભવે છે. “ જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતું રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મેહ વને નવિ ભમતો રે.”
જગદાકારે, પુદ્દગલાકારે વૃત્તિને પરિણમાવવી તેને મેહનું વન સમજી તેનાથી દૂર રહે છે. અને આત્મસ્વભાવ રમણતામાં પ્રયત્નશીલ રહેવું તે જ ચારિત્ર છે તેવા ભાવમાં સાધક અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખનો અનુભવ કરે છે. (સ્વરૂપ રમણતાને ધ્યાન દ્વારા અનુભવ કરવો.)................
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૫.
( અહીં પરમાત્માના ધ્યાનના અભેદ દ્વારા સ્વરૂપ રમણતાના આનંદ સ્થિર બનીને અનુભવવા.)
તે સમયે અનંત ઉપકારી પરમાત્મા અવસ૨ જાણી ક્ષપક શ્રેણીમાં પ્રવેશ કરવા માટે દેશના આપે છેઃ
“ હું ચેતન હંસ ! તું પરભાવનેા કર્તા, ભાક્તા, ગ્રાહક નથી. તું તેા સ‘પૂર્ણાનના શુદ્ધ વિલાસી છે. અને તું જે પરભાવમાં રમી રહ્યો છે, તથા પરભાવના ભાગી થઈ રહ્યો છે તે તુજને ન ઘટે. તારૂ કા તે અનંત ગુણ પરિણામિક રૂપ સ્વરૂપ કર્તા--ભાક્તાપણું છે. તે માટે હું ચેતન ! તું યથા જિનવાણી રૂપ અમૃતનું પાન કરીને-અનાદિ વિભાવ વિષ વારીને-પેાતાનું તત્ત્વ સભાળ સ્વ અને પર દ્રવ્યનું વિભજન કરીને, દ્રવ્યક્રમ, ભાવકમ અને ને! કર્મને ભિન્ન સમજી, તારા શુદ્ધ આત્મ દ્રવ્યને ગ્રહણ કર. અને તારા સ્વરૂપમાં એકત્વ ધ્યાને પરિણમી, સહજાન ંદને તું કર. તે જ તારૂ કાર્યાં. તેનું નિમિત્ત કારણ પરમાત્મા અને ઉપાદાન કારણે તારા આત્મા અનંત શક્તિવંત છે. માટે જડ અને ચેતન્યની ભેદ જ્ઞાન ધારાથી આત્મા અને પરન્તુ' વિભજન કરી, માત્ર એક શુદ્ આત્મ ઉપયાગે સ્થિર બની, તારા પેાતાના શુ, નિળ, અખંડ અવિનાશી કેવળજ્ઞાન સ્વરૂપ પૂર્ણ આત્મ સ્વરૂપને પ્રગટ કરવા શુકલ ધ્યાનની ધારાએ ચઢી આત્મસ્વરૂપ એકત્વે પરિણામ પામ.” પરમાત્માની દેશનાની આપણા ઉપર અદ્ભુત અસર
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૬૦
થઈ છે. આપણી અનંત વીય શક્તિ ઉલ્લસિત બની છે.
રામાં.............
વિસ્મય............
ભાવાલ્લાસ............
વીયના ઉછાળા.....
આનંદનુ માજી..........
જીવનની અદ્ભુત પળ છે.........આવું અનુભવલુ) કદી નહીં અનુભવેલી અત્યંત નિર્માળ અધ્યવ સાયની ધારા છે.......... આવું અનુભવવુ. )
સ‘કલ્પશક્તિ અતિ અળવાન બની છે......... ( આવું અનુભવવુ. )
શુલધ્યાનની પૂર્વ તૈયારી.............
(દુષ્કૃત ગર્હા) આજ પર્યં ત કાઈ પણ જીવની સાથે મે જે અચેાગ્ય વહેવાર કર્યા હાય તે સર્વ જીવની ક્ષમા માગુ છુ.. આજ પર્યંત જે પર દ્રવ્યને મે' મારૂ માન્યું, પર દ્રવ્ય પ્રત્યે જે મમત્વ કર્યુ, તે મમત્વને સારૂ માન્યું –તે મારા દુષ્કૃતની ગર્હા કરી તેમાંથી હું પાછે હઠુ છું.
આગામી કાળ માટે જે પદ્રવ્ય પ્રત્યેના મમત્વ ભાવને મે' ગ્રહણ કરી રાખ્યા છે, જે પરભાવને મૈ' સારા માન્યા છે, ભાવિ કાળ માટે પર દ્રના સંગ કરવાની મેં જે ભાવના રાખી છે, તેને હું ત્યાગ કરૂ છું.
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૬૧
વર્તમાન કાળમાં જે કમ ઉદયમાં આવે, તે ગમે તેવી વિચિત્ર સામગ્રી મારી સામે ઉપસ્થિત કરે, તે સમયે તેના કારણે હું સુખ-દુઃખ કે રાગ-દ્વેષને અનુભવ નહીં કરું. હું મારા જ્ઞાન-દર્શનમાં જ સ્થિર રહીશ.
આ રીતે ત્રણે કાળના કર્મોથી ભિન્ન બનીને હું હવે ક્ષપક શ્રેણિ આરોહણની પૂર્વ તૈયારી કરું છું. હું જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મને ભેગવત નથી. મારા આત્માના જ્ઞાન આદિ અનંત ગુણને ભેગવું છું. એકાગ્રતાપૂર્વક મારા અનંત ગુણોનું સંવેદન કરું છું..........
અનુભવ કરૂં છું. ” ભગવટે કરું છું... . (એવું ધ્યાન કરવું. )
,
,
,
,
,
...... (આ અનુભવ કરે.) ક્ષપક શ્રેણીની ભાવના ક્ષપક શ્રેણિ આરહણની ભાવનામાં પ્રવેશ –
હું આમા ! જ્ઞાનાદિ અનંત ગુણ પર્યાયરૂપ છું, પર પુદ્ગલથી ત્યારે છું, નિશ્ચય નયે કરી શુદ્ધ છું,
* આ પ્રયોગની બધી જ આત્મભાવના શ્રી દેવચંદ્રજી મહારાજના સ્તવના ટબાના આધારે લખેલ છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૬૨
જ્ઞાન-દર્શન સ્વરૂપ નિમળ છું, મારા સ્વરૂપમાં જ હવે હું સ્થિર બનું છું. ચેતના ગુણ તે મારી સત્તા છે. મારા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં સર્વ કર્મને ક્ષય કરું છું. અનંત જ્ઞાનાદિ ગુણમય, શુદ્ધ, નિષ્કલંક, નિરામય છું. આ ભાવ કરૂ છું.......
•
,
,
,
-
-
-
-
............
•••••••••••
•
•
આત્મસ્વરૂપમાં એકવ ધ્યાન(આત્મ ધ્યાનમાં સ્થિર બનવું) આત્મસ્વરૂપ સ્થિરતા પામું છું...... આત્મસ્વરૂપનું તમયપણે ધ્યાન કરૂં છું.(ધ્યાન કરવું.) અનંત વીર્યશક્તિની સહાય વડે સ્વરૂપમાં સ્થિર બનું છું....
...................
*
(ધ્યાનમાં સ્થિર બની આવે અનુભવ કરવો.) પર્યાય ગુણમાં ભળી જાય છે..... ગુણ અને પર્યાય બનને દ્રવ્યમાં ભળી જાય છે......
ગુણપર્યાય અત્યારે દ્રવ્યમાં ભળી ગયા છે. તેથી,
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૬૩
આત્મદ્રવ્યમાં સ્થિરતાના પરમ આનંદ અહી પ્રવર્તે છે.
( આવી ભાવનાના અનુભવ કરવા. ) દર્શન અને ચારિત્ર અને ગુણા જ્ઞાનધારામાં એકત્વપણે પરિણમ્યા છે........
અભેદ રત્નત્રયીના પરિણામની ધારા છે.....
અહી માહના સર્વથા ક્ષયની ભાવના કરવી.....
ઘાતી કર્મોના ક્ષયની ભાવના કરવી. કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્ણ ભાવથી ભાવિત બનવું, અદ્દભુત યાગ.....
અદ્ભુત ભાવ.....
અદ્દભુત પરિણામની ધારા...
અહી ચાડી ક્ષણા આત્માની કેવળજ્ઞાન અવસ્થાથી ભાવિત બની સ્થિર અનવું.......... આવી ભાવના કરવી.) અવ્યાખાધ સુખ અને પૂર્ણ આનંદના અનુભવ કરવે.
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૬૪ ધ્યાનમાં લીન બની સ્વરૂપ સ્થિરતાને પરમાનંદ અનુભવ.......
,
,
,
•••.....
(અહીં કેવલી સમુદ્દઘાતની ભાવનાને પરમ આનંદ પણ અનુભવી શકાય. અને છેલ્લે શુકલધ્યાનના છેલા બે પાયાનું ચિંતન કરી, સિદ્ધશિલા ઉપર અનંતસિદ્ધ ભગવંતે સાથે તમાં જ્યોતિ મળી હોય તેવી ક્ષણોના અનુભવની ભાવનાને આનંદ પણ લઈ શકાય.).
અહીં છેલ્લે હવે ભાવના કરીએ છીએ – હે કરૂણાસાગર પરમાત્મા! મારે એવો સમય ક્યારે આવશે કે જ્યારે આપની આજ્ઞા મુજબ હું શુકલધ્યાન આરહણ કરીશ! અને ઘનઘાતી કર્મનો ક્ષય કરી કેવળ સ્વરૂપે પ્રગટ કરીશ ! અને અહીં જે મેં ભાવના કરી છે તે પ્રત્યક્ષરૂપે મારા આત્મામાં બને તેવી મારી તીવ્ર અભિલાષાઓ અંતર્યામી પ્રભુ ! તમે જ પૂરી કરવાને સમર્થ છો!
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૬૫
પરમાત્મા સિમંધરસ્વામીની છેલ્લી દેશના ઃ—
જ
“ હે ચૈતન્ય આત્મા ! તારી ઉત્તમ ભાવના પરિપૂર્ણ થશે ! હજી તારે થોડાં કમાઁ ભોગવવાનાં ખાકી છે. ત્યાં સુધી આરાધનામાં લીન રહેજે.
“ હું જીવાત્મા ! જીવના બે સ્વરૂપ છે. એક વિભાવ સ્વરૂપ, બીજી સ્વભાવ સ્વરૂપ. કર્મના કારણે ઉપસ્થિત થયેલુ· સ્વરૂપ તે વિભાવ રૂપ છે. કથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય તે આત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. હવે તું અહી થી જઈ રહ્યો છે, તેા તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમાનંદને કદ, અનત શક્તિના સ્વામી, અનગલ આનંદના દિવ્ય ભંડાર, કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીના માલિક આત્મા છે તે નિશ્ચય સ્વરૂપને હૃદયમાં ભાવિત રાખજે. અને શુદ્ધ વ્યવહારનું પાલન કરજે. સજીવ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરશે. જિન આજ્ઞાના પાલનમાં તત્પર રહેજે. તારા ગુણ સ્થાનકને થાયેાગ્ય ઉચિત કન્યપાલનમાં તત્પર રહેજે અને તારા યથાયેાગ્ય ધર્માનુષ્ઠાનમાં રક્ત રહેજે. જીવ માત્ર સાથે આત્મ સમાન વ્યવહાર રાખજે અને સાથે સાથે તું શુદ્ધ આત્મા છે તે ભાવને હૃદયમાં ધારણ કરી, જિન આજ્ઞાનું પાલન કરજે.''........
આ ભાવને હૃદયમાં ભાવિત કરતા આપણે હવે પરમાત્માની પ્રદક્ષિણા કરી, સમવસરણમાંથી નીચે ઉતરીએ
છીએ........
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૬૬
સમવસરણમાંથી આપણે નીચે આવી ગયા છીએ..... મિત્રદેવનું વિમાન મળી ગયું તેમાં એસી ગયા છીએ.... સાધુ-સાધ્વી મહારાજાએ આકાશગામિની વિદ્યા દ્વારા જઈ રહ્યા છે..............
આકાશમાં ઉડ્ડયન શરૂ થયું.......
સીતા નદી ઉપરથી પસાર થઇ રહ્યા છીએ.
પૂર્વ મહાવિદેહના કચ્છ વિજય ઉપરથી જઈ રહ્યા છીએ.....
નિષિધ્ધ પર્વત આળગી રહ્યા છીએ.....
હરિવ’શ ક્ષેત્ર એળગી આપણે મહા હિમવંત પર્વત ઉપરથી પસાર થઈ રહ્યા છીએ............
હિમવત ક્ષેત્ર આળંગીને હિમવંત પર્વત ઉપરથી પસાર થઈ રહ્યા છીએ............
વૈતાઢય પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ........
અષ્ટાપદ પતની પ્રદક્ષિણા કરી, આપણે ઉત્તર ધ્રુવ ઓળંગી રશિયાના પ્રદેશ ઉપરથી હિમાલય પર્વત તરફ જઈ રહ્યા છીએ.....
હિમાલય પર્વતના હિમાચ્છાદિત ગિરિશૃંગા ઉપરથી આપણે જઈ રહ્યા છીએ.....
શત્રુંજય ગિરિરાજ ઉપર યુગાદિ આદીશ્વર દાદાનું
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૬૭
દન કરી, આપણા મૂળ સ્થાને આપણે આવી પહોંચ્યા છીએ.....
( હજી આપણી આંખા બંધ છે. થાડી વધુ વાર આંખા બંધ રાખવી. )
આજે આપણે દિવ્ય અનુભવ કર્યાં. સિમ'ધરસ્વામી ભગવાને આત્મા અને પુદ્ગલ બન્નેના ભેદ કરી આપ્યા. અને મહાવિદેહમાં દેહુથી વિમુક્ત ચૈતન્ય અવસ્થાના અનુભવ કરાબ્યા.
સહાવિદેહની ધ્યાન યાત્રા પૂરી થાય તે સમયની પ્રાથના.”
મન થકી મિલનમેં તુજ કીયા, ચરણુ તુજ ભેટવા સાંઇ રે; કિજીએ જતન જિન એ વિના, અવર ન વાંછિએ કાંઇ રે. સ્વામી સિમંધરા તું જયા મુજ હાજો ચિત્ત શુભ ભાવથી, ભવાભવ તાહરી સેવ રે; યાચિએ કેાડિ યતને કરી, એહ તુજ આગળે દેવ રે. સ્વામી વળી વળી વિનવું સ્વામીને, નિત્ય પ્રત્યે તુંહી જ દેવ રે; શુદ્ધ આશયપણું મુજ હાજો, ભવેાભવ તાહરી સેવ રે. સ્વામી સ્વામી સિમંધરા વિનતિ, સાંભળેા માહરી દેવ રે; તાહરી આણુ · શિર ધરૂ, આદરૂ તાહરી સેવ ૨.
સ્વામી
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૬૮
(સવાસો ગાથાનુ` સ્તવન.. યશેાવિજયજી કૃત ઢાલ ૧૧મી ) ભાભવ સેવા રૈ તુમ પદ કમળની, દેજો દીન દયાળ, બે કર જોડી રે ઉદયરત્ન વદે, નેક નજરથી નિહાળ વિનતી માહરી રે સુણો સાહિમા....(૧)
મહાવિદેહની ધ્યાન યાત્રા કર્યા પછી, પ્રાથના કરી આપણે આંખ ઉઘાડીએ છીએ.....
દિવ્ય અનુભૂતિ, દિવ્ય ભાવ, અદ્ભુત પરિણામની વિશુદ્ધ ધારા–ધ્યાનમાં આપણે અનુભવી.................
આંખ ઉઘાડીને બહાર જોઈ એ અને જે જગત દેખાય છે, તે બહારના જગત કરતાં, અંદરનું જગત ઘણુ મોટું છે.
*****..
“પુગ્ગલ અપ્પા બિહુ પખે થપ્પા.” પુદ્દગલ અને આત્માને પરમાત્માએ જુદા પાડી આપ્યા. અને આપણે દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી સભાનતા, પ્રતીતિ, અનુભવ થયા. દિવ્ય આનંદ અને આત્મિક સુખને અનુભવ કરવાના માર્ગ આપણા માટે ખુલ્લા થઈ ગયા. આ દેહ અને તેનું નામ તે હું છું તેવા અહભાવ, અને કકૃત ભાવેામાં મારાપણાની બુદ્ધિ નાશ પામી. અને હું શુદ્ધ આત્મસ્વરૂપ છું. અનંત આનંદ અને સુખનું પરમનિધાન, અચિંત્ય શક્તિના સ્વામી, કેવળજ્ઞાન આદિ અનંત ગુણના ભડાર, ચૈતન્યરૂપ, સત્તાએ શુદ્ધ આત્મા છું-તેવા ભાવા ઉત્પન્ન થયા. દ્વીપક ઉપર આચ્છાદન ઢાંકવામાં આવે ત્યારે પ્રકાશ દેખાતા નથી. આચ્છાદન દૂર કરીએ ત્યારે
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૬૯
પ્રકાશ દેખાય છે. પરંતુ આછાદન સમયે કે આચ્છાદન દૂર કર્યું તે સમયે દીપક તે એ જ પ્રકાશિત હતે. તેમ આત્માની “આત્મ તિ” નિરંતર પ્રકાશિત જ છે. તેવું ભાન સિમંધરસ્વામી ભગવાનની કૃપાથી થયું. હજી પણ પ્રભુની દેશનાના ભાવો ઉલ્લસિત થઈ રહ્યા છે. વિભાવ દશા અને સ્વભાવ દશાને ભેદ સમજમાં આવ્યો. નિશ્ચય અને વ્યવહારને સમન્વય થયો.
“સમાધિ વિચાર” ગ્રંથમાં બારમા દેવલેકના દેવનું દષ્ટાંત આવે છે. બારમા દેવલોકને દેવ કૌતુકથી જગત ઉપર શું ચાલે છે તે જોવા માટે પૃથ્વી ઉપર આવ્યો અને રંક મનુષ્યનું રૂપ ધારણ કર્યું. એક નગરમાં નાનકડું ઘર વસાવીને પુત્ર, પુત્રી, સ્ત્રી આદિ પરિવાર સાથે રહે છે. જંગલમાંથી લાકડાં લાવી કઠિયારાનું જીવન જીવે છે. કેઈ વખત મજૂરી કરવા પણ જાય છે. કેઈક દિવસ ભીખ માંગવા પણ જાય છે. કેઈ વખત વેપાર કરવા પણ જાય છે. પરદેશી રાજાએ નગરને ઘેરો ઘાલ્યો. લોકે નગરમાંથી નાસવા લાગ્યા. આપણું આ બારમા દેવલોકના દેવ પણ નગરમાંથી નીકળીને જંગલમાં જાય છે. એક પુત્રને ખભા ઉપર લીધે, બીજાને હાથ ઉપર લીધે, સ્ત્રીના માથે સામાનનું એક પાટલું ઉપડાવ્યું, બીજું પિટલું પિતાને માથે ઉપાડીને જંગલમાંથી પસાર થઈ, એક નાનકડા ગામમાં આવી વસે છે. મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ ધ્યા. પ્ર. ૨૪
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૭૦
પ્રમાણે જગતમાં અનેક પ્રકારના ખેલ કરતી વખતે તેના મનમાં શું વિચારે છે ?
મે તે બારમા કપકે, દેવ મહા ઋદ્ધિવંત, અનુપમ સુખ વિલસું સદા, અદ્દભુત એહ વિરવંત. એ ચેષ્ટા જે મેં કરી, તે સવિ કૌતુક કાજ; રંક પર્યાય ધારણ કરી, તિનકે એ સવિ કાજ. જેમ સુર એહ ચરિત્રને, નવિ ધરે મમતા ભાવ; દીન ભાવ પણ નહિ કરે, ચિંતવે નિજ સુર ભાવ.
(સમાધિ વિચાર) આપણું આ બારમા દેવલેકના દેવ પૃથ્વી ઉપર અનેક અવસ્થામાંથી પસાર થતાં અંદર વિચારે છે કે –
હું તે બારમા દેવકનો દેવ છું.” આ પરિસ્થિતિમાંથી પસાર થતાં તેને દીનપણું નથી, અને કેઈ આસક્તિ પણ નથી. કારણ કે હું બારમા દેવલોકનો મહાન સુખી દેવ છું તેવું મનમાં ધારણ કરે છે. તેને પરિસ્થિતિનું સુખ- દુઃખ કે રાગ દ્વેષ નથી.
આ પ્રમાણે આપણે પણ પરવશપણે જ્યારે કર્મના કારણે અનેક વિચિત્ર સંગે ઉપસ્થિત થાય, તે વખતે તેમાં સુખ-દુઃખ કે રાગ દ્વેષ ન કરતાં અંદરથી વિચારીએ કે–
ભગવાન સીમંધરસ્વામી પરમાત્માએ કહ્યું છે તે મુજબ હું સત્તાએ શુદ્ધ, સચ્ચિદાનંદ સ્વરૂપ-અનંત સુખ અને આનંદનો પરમ ભંડાર છું. અચિંત્ય શક્તિને સ્વામી છું. કેવળજ્ઞાન આદિ અનંત ગુણ-લક્ષ્મીને નિધાન છું.”
Page #427
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ હમારે રૂપ છે, શેભિત સિદ્ધ સમાન; કેવળ લક્ષમી કે ધણી, અનત ગુણ નિધાન.
(સમાધિ વિચાર) બારમા દેવલોકન દેવ પૃથ્વી ઉપર વિચિત્ર સં જેગામાં હોવા છતાં તે અંદર તે સમજે છે કે હું તે બારમા દેવલોકને દેવ છું. લીલા જેવા માટે પૃથ્વી ઉપર આવ્યો છું. તે રીતે આપણે પણ પ્રભુ સીમંધરસવામીએ કહ્યું છે તેમ “અનંત સુખ, અચિંત્ય શક્તિના સ્વામી છીએ. કર્મના કારણે અનેક વિચિત્ર સંજોગો વચ્ચે અત્યારે છીએ. પણ કમ બદલાય તેમ બહારની પરિસ્થિતિ પણ બદલાય છે. તેમાં મને સુખ-દુઃખ, ગમે-અણગમે કે રાગ -દ્વેષ નથી. જ્ઞાન, દર્શન મારું કાર્ય છે. હું તે આનંદમય આત્મા છું.” આ રીતે અંતરંગમાં નિશ્ચય દૃષ્ટિ ધારણ કરી જીવન જીવવાનું છે.
સુજ્ઞ વાચક મિત્રે ! આ પ્રયોગ આપણે નિત્ય કરીશું. પ્રયોગમાં બતાવેલ સમવસરણમાં બિરાજમાન પરમાત્માને આપણી નજર સામે રાખીશું, તેમની દેશના સાંભળી આપણે સમ્યગૂ દર્શન, સમ્યગૂ જ્ઞાન, સમ્યમ્ ચારિત્ર પ્રાપ્ત કરીએ છીએ અને ક્ષેપક શ્રેણિ આરહણ કરી, કેવળજ્ઞાન સ્વરૂપે પ્રગટ કરીએ છીએ. આવી ભાવનાથી નિરંતર ભાવિત બનીશું તે ચક્કસ તે મુજબ જ સાક્ષાત ભાવજિનેશ્વર પાસે પહોંચવાનું અને કેવળજ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું કારણ આપણું જીવનમાં ઉપસ્થિત થશે. અને
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૭૨
કારણ ઉપસ્થિત થતાં કાય પણ ખનવાનું જ છે. જે વિચાર નિર'તર મનમાં ઘૂંટાય તે છેવટે ભૌતિક સ્વરૂપ પ્રગટ કરે જ છે. આપણી કલ્પનાશક્તિ વડે રચાતુ” ચિત્ર ભવિષ્યમાં થનાર આપણી સ્થિતિને નમૂના છે. અને નમૂના પ્રમાણે આપણી ભવિષ્યની સ્થિતિ રચાય છે. આટલુ જોયા પછી બીજા જન્મમાં ભગવાન સીમધરસ્વામી આદિ (વિહરમાન તિર્થંકરા ) જ્યાં વિચરે છે, ત્યાં જન્મ થાય અને આઠ વર્ષની ઉંમરે આપણે દીક્ષા લઈએ અને પ્રભુ આજ્ઞા મુજખ જીવન જીવીને આપણા કેવળજ્ઞાન સ્વભાવ પ્રગટ કરીએ તેના માટે આ જન્મમાં થ્રુ સાધના કરવી તે આપણે આ પ્રયાગ દ્વારા જોયુ. ઉપરાંત આપણી મેાક્ષમાર્ગની સાધના માટે સીમ ધરસ્વામી પરમાત્મા પાસેથી આપણને અદ્દભુત માર્ગદર્શન મળ્યુ. તે મુજબ આ જન્મમાં જ આપણે સાધના શરૂ કરીએ અને આ જન્મમાં જ આત્મઅનુભવ પ્રાપ્ત કરી, પરમ આનંદના ભાક્તા ખનીએ તે જ અભ્યર્થના. (આ કાળમાં અપેક્ષિત સામગ્રી નહી' હાવાથી ક્ષપકશ્રેણી આરહણ કરી શકવાનું સામર્થ્ય આપણામાં નથી, માટે તેવી ભાવનાથી તીવ્રપણે ભાવિત અનવું. )
સમવસરણનું સ્તવન (શ્રી દેવચંદ્ર કૃત)
આજ ગઈતી હું સમવસરણમાં, જિનવચનામૃત પીવા રે; શ્રી પરમેશ્વર વદન કમલ છબી, નિરખ નિરખ હરખવા રે. ૧
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૭૩...
તીન ભુવન નાયક શુદ્ધાતમ, તત્ત્વામૃત રસ બુઠ્ઠું' સકલ વિક વસુધાની લાણી, મારૂ મન પણ તુઠું રે. ૨ મનમેાહન જિનવર, મુજને,
અનુભવ પિયાલા દીધા રે;
પૂર્ણાનદ અક્ષય અવિચલ રસ,
ભક્તિ પવિત્ર થઈ પીધેા રે. ૩
જ્ઞાનસુધા લાલીની લહેરે, અનાદિ વિભાવ વિસાી રે; સમ્યગ્ જ્ઞાન સહજ અનુભવ રસ, શુચિ નિજ મેાધ સમાર્યા રે.૪ ભાલી સખીએ એમ શુ' જોવા, માહ મગન મત રાચેા રે; દેવચંદ્ર પ્રભુ શું એક તાને, મિલવા તે સુખ સાચા હૈ. પ
(આ સ્તવનના રચનારા શ્રી દેવચદ્રજી મહારાજ આજે વિહરમાન ભગવાનની પદામાં કેવળજ્ઞાની રૂપે બિરાજે છે. તેમને કોટી કોટી વંદના.)
પરમાત્મા સાથે સાચા હૃદયથી પ્રેમ કરી. પરમાત્મા પ્રત્યેના સાથેા પ્રેમ, જ્ઞાનનું રૂપ ધારણ કરે છે.
જિન કથિત સાચુ' જ્ઞાન પરમાત્મા પ્રત્યેના પ્રેમનું રૂપ ધારણ કરે છે.
પ્રેમ એ જ્ઞાનના રસ છે અને જ્ઞાન એ પ્રેમની ાતિ છે.
* જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણુા. (૪૫ આગમની પૂજમાંથી.)
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પ્રભુ પ્રત્યેને ગાઢ પ્રેમ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. અગાઘ જ્ઞાન, પ્રેમને ઉત્પન્ન કરે છે.
તેનું અંતિમ ફળ આ જન્મમાં આમ અનુભવ છે.
આવતા જન્મમાં આત્મસ્વરૂપનું પ્રગટીકરણ છે. (મેક્ષ છે.)
આ પ્રેમનું અમૃત અને જ્ઞાનને દિવ્ય પ્રકાશ પ્રાણી માત્રને મળે તેવી ભાવના. પ્રયાગ નં. ૩૪ : ધ્યાનાભ્યાસ– (૧) મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા ભાવજિનેશ્વર પાસે
પહોંચી શકાય તે માટેની સાધનાની દિવ્ય પ્રક્રિયા. (૨) કઈ પણ વિચાર મનમાં ઘૂંટાય છે એટલે કે ઘટ્ટ
બને છે ત્યારે ભૌતિક સ્વરૂપે પ્રગટ થાય છે. (૩) ધ્યાનની પ્રાર્થના-પૂર્વ તૈયારી લખ્યા મુજબ કરવી. (૪) ધ્યાન દ્વારા મહાવિદેહમાં પહોંચવું.
સાક્ષાત ભાવ જિનેશ્વર સીમંધરસ્વામીનું અતિશયે
અને પ્રતિહાય યુક્ત દર્શન અને ધ્યાન કરવું. (૬) સમવસરણમાં પ્રભુની દેશના સાંભળવા આપણું યથા
યોગ્ય સ્થાન ઉપર પહોંચવું. (૭) પરમાત્મા સીમંધરસ્વામીની આ સમ્ય દર્શનની
દેશના. તેની આપણું ઉપર થયેલી અસર. “હું આત્મ
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૭૫
સ્વરૂપ છું.” તેવા ભાવમાં ભાવિત બની, આત્મ ધ્યાન કરી આનંદ અનુભવ. પરમાત્માની ચારિત્ર ધર્મ માટેની પ્રેરણું સાંભળી આપણું હૃદય દાઈ જાય છે. ચારિત્રના દિવ્ય પરિણામથી ભાવિત બનવું. ચારિત્ર માટે પ્રાર્થના. ચારિત્ર
પદની પ્રાપ્તિ. (૯) વ્યવહાર ચારિત્રના ભાવમાં નિષ્ણાત બની, નિશ્ચય
ચારિત્રમાં પ્રત્યેક અંતર્મુહૂર્તે સાતમા અપ્રમત્ત ગુણ
સ્થાનકના સ્પર્શની પ્રક્રિયા. (૧૦) ક્ષપકશ્રેણી આરોહણ માટેની પરમાત્માની દેશના
સાંભળી અપૂર્વ ભાલ્લાસ. ક્ષપકશ્રેણી આરોહણની
દિવ્ય તૈયારી અને ભાવના. (૧૧) પરમાત્માની છેલ્લી દેશન-“હું આત્મચેતન્યરૂપ છું.”
ભાવથી ભાવિત બનીને શુદ્ધ વ્યવહારનું પાલન. (૧૨) હૃદયમાં ઉચ્ચ ભાવે ધારણ કરી, મિત્રદેવના વિમાન
દ્વારા આપણા મૂળ સ્થાન ઉપર પાછા આવી,
પ્રાર્થના કરવી. (૧૩) બારમા દેવલોકના દષ્ટાંતથી જીવનમાં કર્મના કારણે ઉપ
સ્થિત થતી વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે પણ “હું ચિતન્ય
આત્મા છું. તે ભાવથી ભાવિત રહેવાને સંકલ્પ. (૧૪) પરમાત્માની દેશનામાંથી ભાવિ જીવનનું પ્લાનીંગ
કરી વર્તમાનમાં સાધનાને પરમ આનંદ અનુભવ.
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૬
(૧૫) કહ્યું છે કે—ક્રિયાએ કમ, પરિણામે અંધ, ઉપયાગે ધમ અને ભાવનાએ મેાક્ષ છે. મહાવિદેહની ધ્યાન યાત્રા અનંત ફળદાયી શ્રેષ્ઠ ભાવનાના પ્રકાર છે. મારા પ્રિય વાચક આત્મા !
પરમ પૂજ્ય અધ્યાત્મયાગી પ. શ્રી ભદ્ર કરવિજયજી મહારાજના ૨૩ વર્ષના સાંનિધ્ય દરમ્યાન ધ્યાન વિષયક મળેલ પ્રયાગે અને ધ્યાન અનુભવાની કેટલીક પ્રસાદી આ પુસ્તકમાં રજૂ કરી છે. ‘ અનુભવ'ને શબ્દોમાં ઉતારવાનુ કામ કઠિન છે, છતાં તે માટે યચિત પ્રયત્ન કર્યાં છે. તેમની પાસેથી મળેલ કેટલાક અદ્દભુત ધ્યાન પ્રયાગે અને અનુભવા માત્ર વિશિષ્ટ સાધકને જ અતાવી શકાય તેવા હાવાથી, આ ગ્રંથમાં રજૂ કર્યા નથી. પૂજ્ય ગુરૂમહારાજ અનુભવજ્ઞાની મહાપુરૂષ હતા. તેમની કૃપાથી મળેલ તત્ત્વના સવ ચે!ગ્ય આત્માઓને લાભ મળે તે હેતુથી આ ધ્યાનના પ્રયાગે અહી રજૂ કર્યો છે. ખ'તપૂર્ણાંક, નિષ્ઠાવાન મનીને પૂર્ણ શ્રદ્ધા પૂર્વક જે કાઈ સાધક આત્મા આ માર્ગે પ્રયાણુ કરશે, તેને દિવ્ય અનુભવા થશે. તેનુ જીવન વામનમાંથી વિરાટમાં ઉર્ધ્વીકરણ પામશે. માટે મારા વહાલા સાધક ! હવે પ્રયાણ શરૂ કરી પુનિત પથે!
(૧) પ્રણિધાન કરો કે પરમાત્માના ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કાર આ જીવનમાં જ કરવા છે, આ જીવનમાં આત્મ અનુભવ રૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવુ છે.
પછી શરૂ કરો (૨) પ્રવૃત્તિ. નિયમિત સાધના કરી,
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૦૭
ધમાઁ મહાસત્તા તમને જરૂર સહાય કરશે. નિષ્ઠાપૂર્વકના શુભ સ`કલ્પા કાળક્રમે અવશ્ય ફળદાયી અને છે. - માટે પ્રમાદ છેડી ધ્યાન સાધવા માટેની પ્રવૃત્તિ શરૂ કરો.
વિઘ્ન જય :——વિઘ્ન આવે ત્યારે ડરા નહી. પરમાત્મા તમારી સહાયમાં છે. વિઘ્ન આવતાં, સાધના છેડી દેવી તે કાયરનુ' કામ છે, દિગ્ન્ય તત્ત્વ! તમારી સહાયમાં છે. વિઘ્ન જય અવશ્ય થશે. નિષ્ઠાપૂર્વક આગળ વધે. વિઘ્નાને હઠળ્યા સિવાય છૂટકા જ નથી. હિંમતથી
આગળ વા.
(૪) સિદ્ધિ :—દેવ-ગુરૂ કૃપાથી તમને અવશ્ય સિદ્ધિ મળશે. ખંતપૂર્વકના પ્રયત્ન સિદ્ધિ સુધી અવશ્ય પહેાંચાડે છે. સિદ્ધિ મળતાં તૃપ્તિના આનંદ અનુભવાશે. જીવન દિવ્ય ખની જશે.
(૫) વિનિયાગ :—તમને સિદ્ધિ મળે ત્યારે ચેાગ્ય પાત્રને તેની પ્રસાદી જરૂર આપેા. જેમ તમારી ઉપર કાઇની કૃપા થવાથી તમને તત્ત્વ મળ્યુ. તેમ તમે પણ યેાગ્ય પાત્રને આપજો.
સમાપ્તિ
સમાપ્તિ એટલે સમ્યગ્ પ્રકારે પ્રાપ્તિ.
અહી ગ્રંથ પૂરા થયા. સમાપ્તિ થઈ. એટલે સમ્યગ્ પ્રકારે પ્રાપ્તિ થઈ. અહીં કામ પૂરૂ ન થયુ, પણ અહીં નવી (opening) શરૂઆત થઈ. આપણા જીવ
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૮
નનું દિવ્ય પાનું ખૂલ્યું. પરમાત્માના ધ્યાનની આરાધના દ્વારા આત્મસ્વરૂપને અનુભવ અને આતમસ્વરૂપની પ્રાપ્તિ માટેનું નવું દ્વાર ખૂલ્યું
આપણું આ નાનકડી જિંદગીમાં પરમાત્મા સાથે. આપણું આત્માને ભાવસંબંધ બાંધવા માટે દેવગુરૂ કૃપાથી જે કાંઈ આ ગ્રંથમાં લખાયું છે, તેમાં જે કાંઈ સારું છે તે પૂજ્ય પંન્યાસજી મહારાજની કૃપાનું ફળ છે. જે કાંઈ ભૂલચૂક છે તે મારા છઘસ્થપણાના દેષના કારણે છે. પરમાત્મા સૌના હૃદયમાં વસે ! સૌ ભાવપૂર્વક પરમાત્મા. અરિહંતદેવને પિતાના હૃદયમંદિરમાં પધરાવે ! અને પરમે. પકારી, પરમપૂજ્ય, નમસ્કાર ભાવ સંનિષ્ઠ, પંન્યાસજી મહારાજ ભદ્રકવિજયજીની આ ભાવના સર્વત્ર જગત ઉપર પહોંચે તેવા ભાવ સાથે આ ગ્રંથ પૂર્ણ થાય છે,
લિ. સંતોની ચરણરજ સમાન ગિરનાર મહાતીર્થ, બાબુભાઈ કડીવાળાના ૨૦૪૨, વૈશાખ સુદ ૩
આ ગ્રંથના વાચકને તા. ૧૨–૫-૮૬
ભાવભર્યા વંદન. પ્રણામ. મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મં; ઈસ સેવકકી એક રગ રગડા, હે તાર તુમારે હાથમેં..
Page #435
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહ ધ્યાનના પરિશિષ્ટા પરિશિષ્ટર
શ્રી દેવલદ્રાચાય વિચીત શ્રી પાશ્ર્વનાથ ચરિત્રના આધારે
સર્વ કર્મ પ્રણાશકે
ધ્યાન વિધિ
૧. સ્મરણ
પવિત્ર આચારવાળા, પવિત્ર શરીરવાળા અને સમાધિ ( મન શાન્તિ )થી યુક્ત એવા ધ્યાતા પ્રથમ પ્રવિત્ર જગ્યાએ સુખપૂર્વક પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસે. તે પછીઃ(૧) પકાસન કરે.
* શિવદત્ત નામના મંત્રી છે. તેનું કુટુ ખ દારિદ્ર અને રાજાના અપમાનથી પીડાય છે. કુટુંબમાં ત્રણ જણ છે. મંત્રીની પત્ની, દેવપ્રસાદ નામના પુત્ર અતે પુત્રની પત્ની.
શિવદત્તને એક વખત જ્ઞાની મુનિને યાગ થાય છે. તે પોતાના દારિદ્રાદિનાં કારણ પૂછે છે. મુનિ તેનાં પૂર્વભવનું વૃત્તાન્ત કહે છે અને જણાવે છે કે પૂર્વીકૃત સાધારણ કર્મીના કારણે તમા બધાંને એક કુટુબ મળ્યું છે. તમારા બધામાં દેવપ્રસાદનું અ ંતરાયકર્મ બહુ. ભારી છે તેથી તમેા બધાને આ ાદ્રિ અને અસન્માન ઉપસ્થિત - થયુ છે.
.
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૮૦
(૨) પ્રસ્તુતમાં અનુપયેગી એવા મન, વચન અને -કાયાના વ્યાપારને નિરાધ કરે.
(૩) નાસિકાના અગ્રભાગ ઉપર નેત્રને સ્થિર કરે અથવા નેત્ર નિમીલિત (બંધ) રાખે.
(૪) શ્વાસ અને નિ:શ્વાસને મંદ કરે. (૫) પિતાના દુશ્ચરિત્રની ગહ કરે (૬) સર્વ પ્રાણીઓને ખમાવે. (૭) પ્રમાદને દૂર કરે.
(૮) શ્રી જિનેશ્વર ભગવંતના ધ્યાન માટે એકચિત્તવાળો થાય.
(૯) શ્રી ગણધર ભગવતેનું સ્મરણ કરે. (૧૦) શ્રી સદ્દગુરૂઓનું સ્મરણ કરે.
૨. વિચિંતન () તે પછી આ રીતે વિચિંતન કરે ? (૧) સમવસરણ માટેની ભૂમિ વાયુકુમારે શુદ્ધ કરે છે. (૨) મેઘકુમારે સિંચે છે.
દેવપ્રસાદ મુનિના ચરણમાં પડે છે અને તે કર્મને જલદીથી ખપાવવાનાં ઉપાયને પૂછે છે. તે વખતે મુનિ ભગવંત તેને યોગ્ય જાણીને આ ધ્યાનવિધિ દર્શાવે છે. - આ ધ્યાનવિધિ અશેષ કર્મવૃક્ષને મૂળથી ઉખેડી નાખવામાં મચંડ વાયુ સમાન છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૮૧
(૩) ઋતુદેવતાઓ જાનુ પર્યન્ત પુષ્પા વરસાવે છે. (૪) વૈમાનિક દેવતાઓ મણુિઓને રમણીય પ્રાકાર અનાવે છે.
(૫) જ્યાતિષ્ક દેવતાએ સાનાના રમણીય પ્રાકાર મનાવે છે.
(૬) ભુવનપતિ દેવતાએ રૂપાના રમણીય પ્રાકાર
અનાવે છે.
(આ) પછી તે જ ભૂમિ અનુક્રમે :
(૧) પાદપીઠ અને ત્રણ્ છત્રથી પ્રવર સિંહાસન,
(૨) ભામ`ડલ.
(૩) ચૈત્યવ્રુક્ષ,
(૪) તારા, વાપીએ, પતાકાઓ વગેરે અને (૫) ચક્રધ્વજ, સિંહુજ, ધર્મધ્વજ અને અન્ય ધ્વજાઓની પતાકાઓથી શે।ભી રહી છે, એમ ચિંતવે.
(૬) તે પછી શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે વિચિંતન કરે :
યુક્ત એવુ
(૧) પ્રભુ વ્યતરાએ રચેલા સુવર્ણકમળાની કણિ કાના મધ્યમાં ચરણ યુગલને મૂકે છે.
(૨) દેવા પ્રભુને ચામર વીઝી રહ્યા છે અને જય જય' શબ્દની ઘેાષણા કરી રહ્યા છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૮૨
(૩) પ્રભુની આગળ ચાલતા ઈન્દ્રો માર્ગમાં રહેલા લેકેને બાજુએ કરી રહ્યા છે.
(૪) પ્રભુ પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ કરી રહ્યા છે.
(૫) દેવતાઓના વાજીંત્રોના વિનિઓના સમૂહથી આકાશ ભરાઈ ગયું છે.
(૬) તે પછી આ રીતે વિચિતન કરે :(૧) ભગવાન સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે.
(૨) અન્ય ત્રણ દિશાઓમાં દેવતાઓએ રચેલું ભગવાનનું પ્રતિકરૂપ છે.
(૩) હર્ષથી પુલકિત ઈન્દ્રો, હાથવડે રત્નના દંડવાળા શ્વેત ચામર વીંઝી રહ્યા છે.
(૪) પ્રભુના પદકમલને, ચારે દિશાઓના ખૂણએમાં રહેલા ભવ્ય જી સેવી રહ્યા છે (તેઓ પ્રભુના પગ પાસે બેઠા છે).
(૫) વિવિધ પ્રકારના તિર્યંચાના સમૂહ બીજા વલયમાં છે. તેઓએ પરેસ્પર વિશે વરને ત્યાગ કર્યો છે. તેઓ પ્રભુના પદકમલની પથુપાસના કરી રહ્યા છે તેઓ બીજા વલયમાં પ્રભુ પ્રત્યેના ભક્તિભાવપૂર્વક રહ્યા છે).
- ૩. ધ્યાન () તે પછી ભગવાનનું આ રીતે ધ્યાન કરે.
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૮૩
(૧) એકી સાથે એક જ કાળે ઉદયને પામેલ બાર સૂના સમૂહ સમાન દેદીપ્યમાન સર્વ અંગવાળા,
() દેવેન્દ્રો અને અસુરેન્દ્રોના સમૂહથી યુક્ત એવા ત્રણે લોકને પિતાના રૂપથી જીતનારા,
(૩) મોહવૃક્ષને સમૂલ નાશ કરનારા, (૪) રાગરૂપ મહારોગને નાશ કરનારા, (૫) ક્રોધરૂપ અગ્નિને શમાવનારા, (૬) સર્વ દેના અવય ઔષધરૂપ,
(૭) અવિનાશી એવા કેવલજ્ઞાનવડે અશેષ વસ્તુઓના પરમાર્થને પ્રગટ કરનાર,
(૮) દુતર ભવસમુદ્રમાં પડતા જાને ઉદ્ધાર કરવા માટેના સામર્થ્યવાળા,
(૯) ત્રણે લેકના મસ્તકમણિસમાન, ત્રણે લોકના ગુરુ, ત્રણે લેક જેમના ચરણોમાં નમે છે એવા, ત્રણે લોકોને ઉદ્ધાર કરનાર જેમનું માહામ્ય છે એવા,
(૧૦) કલ્પવૃક્ષ અને છત્રત્રય નીચે સિંહાસન પર વિરાજમાન,
(૧૧) સના (જીવન) ઉપકારમાં નિરત, કલ્યાણ કારક ધમને કહેતા,
(૧૨) લેકના સર્વ પાપને પ્રણાશ કરતા, ભવ્ય જેને માટે સર્વ સંપત્તિના મૂળ કારણ,
DI
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૮૪
(૧૩) સવ લક્ષણોથી સંપન્ન, સર્વોત્તમ પુણ્યાનુબંધ પુણ્યથી નિર્મિત દેહવાળા,
(૧૪) ધ્યાન કરનારાઓનાં નિર્વાણનું સાધન, પરમ યોગીઓના મનને રંજિત કરનારા (યોગીઓના મનમાં ૨મનારા),
(૧૫) જન્મ, જરા અને રેગથી રહિત, સિદ્ધ જેવા. હોવા છતાં પણ જાણે ધર્મ માટે જ કાયામાં રહેલા,
(૧૬) હિમ, હાર કે ગાયના દૂધ જેવા નિર્મલ, (૧૭) કર્મ સમૂહોને નાશ કરનારા,
આ રીતે ધ્યાન નિશ્ચલ ચિત્તથી ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ હોય તેવા ભાસે.
તે પછી પિતાના જાનુ (ઘૂંટણ) ભૂમિ ઉપર રાખવા. અત્યંત ભક્તિપૂર્વક નમેલા શીર્ષ વડે પરમાત્માના ચરણકમલનો સ્પર્શ કરે. તે વખતે આત્મા પરમાત્માના શરણમાં. છે, એમ ભાવવું.
Page #441
--------------------------------------------------------------------------
________________
યોગશાસ્ત્ર નવ પ્રકાશ
रुपस्थध्यानम्
मोक्षश्रीसंमुखीनस्य विध्वस्ताखिलकर्मणः ॥ चतुर्मुखस्य निःशेषभुवनाऽभयपदायिनः ॥ १ ॥ इंदुमंडळसंकाशच्कृत्रत्रितयशालिनः ॥ लसद्भामंडलाभोगविडंबितविवस्वतः ॥ २ ॥ दिव्यदुंदुभिनिर्घोषगीतसाम्राज्यसंपदः ॥ रणदुद्धिरेफझंकारमुखराऽशोकशोभिनः ॥ ३ ॥ सिंहासननिषण्णस्य वीज्यमानस्य चामरः ॥ सुरासुरशिरोरत्नदीप्तपादनखातेः ॥ ४ ॥ दिव्यपुष्पोत्कराऽऽकार्णसंकापरिषद्भुवः ।। उत्कंधरं मृगकुलैः पीयमानकलध्वनेः ॥ ५ ॥ शांतवैरेभसिंहादिसमुपासितसंनिधेः ॥ प्रभोः समवसरणस्थितम्य परमेष्ठिनः ॥ ६ ॥ सर्वातिशययुक्तस्य केवलज्ञानभाखत ॥ अर्हतो रुपमालंब्य ध्यानं रुपस्थमुच्यते ॥ ७ ॥
सप्तमि कुलकम्
ध्या. प्र. २५
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૮૬
મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરવાની હવે તયારી છે, સઘાતી કને જેમણે વિનાશ કર્યો છે, દેશના દેતી વખતે (દેવોએ કરેલા ત્રણ પ્રતિબિંબેથી) ચાર મુખ સહિત છે. ત્રણ ભુવનના સર્વ જીવોને અભયદાન આપી રહ્યા છે, (કેઈ જીવોને નહિ મારવા તેવી દેશના આપનારા) ચંદ્ર મંડલ સદશ ઉજવળ ત્રણ છત્રો જેમના મસ્તક પર શેભી રહ્યાં છે, સૂર્યમંડલની પ્રભાને વિડંબન કરતું ભામંડળ જેમની પછાડી ઝળઝળાટ કરી રહ્યું છે, દિવ્ય દુંદુભિ વાજીંત્રના શબ્દો થઈ રહ્યા છે, ગીત ગાનની સંપદાનું સામ્રાજ્ય વર્તાઈ રહ્યું છે, શબ્દ કરતા ભ્રમરોના ઝંકારથી અશોક વૃક્ષ વાચાલિત થયો હોય તેમ શેભી રહ્યો છે, વચમાં સિંહાસન ઉપર તીર્થકર મહારાજ બીરાજેલા છે, બે બાજુ ચામરે વીંઝાઈ રહ્યાં છે, નમસ્કાર કરતા દેવ અને દાનવોના મુકુટના રત્નથી પગના નખેની કાંતિ પ્રદીપ્ત થઈ રહી છે. દિગ્ય પુષ્પના સમૂહેથી પર્ષદાની ભૂમિકા સંકીર્ણ થઈ ગઈ છે, ઉ ચીડેકે કરીને મૃગાદિ પશુઓના સમહા જેની મનહર દવનિનું પાન કરી રહ્યા, સિંહ તથા હાથી પ્રમુખ વિર સ્વભાવવાળાં પ્રાણિએ પિતાનું વૈર શાંત કરી નજીકની બાજુમાં બેઠેલાં છે, સર્વ અતિશયોથી પરિપૂર્ણ, કેવળ જ્ઞાનથી શોભતા અને સમવસરણમાં રહેલા, તે પરમેષ્ટિ અરિહંતના રુપનું આવી રીતે આલંબન લઈ જે ધ્યાન કરવું. તેને રુપસ્થ ધ્યાન કહે છે. ૧-૭.
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૮૭
પ્રકારતરે રૂપર ધ્યાન रागद्वेषमहामोह विकारैरकलंकितम् ।। शांतं कांत मनोहारि सर्वलक्षणलक्षितं ॥ ८॥ तीथिकैरपरिज्ञातयोगमुद्रामनोरमम् ॥ अक्ष्णोरमंदमानंदनिस्पंदे दददद्भूतं ॥ ९ ॥ जिनेद्रप्रतिमारुपमपि निर्मलमानसः ॥ निर्मिमेषदृशा ध्यायन रुपस्थध्यानवान् भवेत् ॥१० ।।
त्रिभिविशेषकम् રાગ દ્વેષ અને મહામહ અજ્ઞાનાદિ વિકારોના કલંક રહિત, શાંત, કાંત, મનહર, સર્વ ઉત્તમ લક્ષણોથી ઓળખાયેલ અન્ય દશનકારોએ નહિ જાણેલ, યોગ મુદ્રા (ધ્યાન મુદ્રા)ની મનહરતાને ધારણ કરનાર, આંખને મહાન આનંદ અને અદ્દભૂત અચપળતાને આપનાર, જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું, નિર્મલ મન કરી નિમેષ-મેષ રહિત (ખુલ્લી આંખ રાખી) એક દષ્ટિએ ધ્યાન કરનાર, રુપસ્થ ધ્યાનવાનું કહેવાય છે. ૮, ૯, ૧૦.
વિવેચન—જિનેશ્વર ભગવાનની શાંત અને આદિ મૂર્તિના સન્મુખ, ખુલ્લી આંખ રાખી, એક દષ્ટિથી જોઈ રહેવું, આંખ મીંચવી કે હલાવવી નહી, તેમ કરતાં શરીરનું પણ ભાન ભૂલી જઈ એક નવીન દશામાં પ્રવેશ કરાય છે. જેમાં અપુર્વ આનંદ અને કમની નિજેશ થાય. છે. તે દશાવાળાને રુપસ્થ માનવાન કહે છે. ગમે તે.
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૮૮
-જાતનું આલંબન હોય પણ, તેમાં કાંઈ પણ આમિક ગુણ પ્રગટ થાય છે, તેને તે આલંબન નામનું ધ્યાન કહેવાય છે.
रुपस्थ ध्यानचें फळ योगी चाऽम्यासयोगेन तन्मयत्वमुपागतः ॥ सर्वज्ञीभूतमात्मानवलोकयति स्फुटं ॥ ११ ॥ हृदयमुकुरमध्ये धीमतामुल्लसंतु । प्रचितभवशतोत्थक्लेशनिर्णाशहेतोः ॥ ८१ ॥
આ પ્રમાણે મુખ્ય ગણધરે પ્રગટ કરેલા, પ્રવચન રુપ સમુદ્રથી ઉદ્ધાર કરેલા આ તવરુપ રને, અનેક સેંકડેગમે ભવથી ઉત્પન્ન થયેલા કલેશને નાશ કરવા માટે, બુદ્ધિમાન મનુષ્યના હદય રૂપ અરિસામાં ઉલ્લાસ પામો. ૮૧.
Page #445
--------------------------------------------------------------------------
________________
યાકિનીમહત્તરાસૂનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ
ડશક પ્રકરણમાં નિરૂપિત કરેલ
પરમાત્માનું ધ્યાન સર્વ પ્રાણીઓને હિતકર, જેના શરીરાદિના સૌન્દર્યને કેઈ ઉપમા નથી એવા અનુપમ, અનેક અતિશયેથી સંપન્ન, આમપૌષધિ વગેરે નાના પ્રકારની લબ્ધિઓથી સહિત, સમવસરણમાં સાતિશય વાણુ વડે દેશના આપતા. દેવનિર્મિત સિંહાસન પર વિરાજમાન, છત્રત્રય અને કલ્પવૃક્ષ નીચે રહેલા. દેશના દ્વારા સર્વે સોના પરમ અર્થ -મેક્ષ માટે પ્રવૃત્ત, અત્યંત મનોહર, શારીરિક અને માનસિક પીડાઓનું પરમ ઔષધ, સર્વ સંપત્તિઓનું અનુપડત અવધ્ય બીજ, ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યના પરમાણુઓથી બનેલા, પૃથ્વી પર ભવ્યને માટે નિર્વાણનું પરમ સાધન, અસાધારણ, માહાત્મ્યવાળા, દે અને સિદ્ધ
ગીઓ (વિદ્યામંત્રાદિસિદ્ધ)ને પણ વંદનીય અને “વરેણ્ય શબ્દ વડે શ્રી જિનેન્દ્રના રૂપનું વિધિપૂર્વક ધ્યાન કરવું જોઈએ.
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૯૦
પ્રિય વાચક મિત્રો :—
આ પુસ્તકમાં લખેલ પ્રયોગો શીઘ્ર ફળદાયી કરવા માટે.
(૧) તમારા સંકલ્પ સ્પષ્ટ અને દૃઢ કરા. દા. ત. પ્રયાગ ન. ૧ ની સાધના વખતે ચિંતા, ભય, શેક, અશાંતિ, ટેન્શનમાંથી છૂટા થવુ અને સુખ, શાંતિ, આનં ૢ અને નિર્ભયતા મેળવવી જ તેવા સકલ્પ દૃઢપણે કરવા.
પ્રયાગ નં. ૨ ની સાધના વખતે પાપવૃત્તિઓ, મલિન વાસનાઓ, દુષ્ટ ભાવાના નાશ કરવા જ છે તેવા સ`કલ્પ રાખવા.
પ્રયાગ ન'. ૫ વખતે પરમાત્માની દિગ્ધ શક્તિના પ્રવાહ મારામાં વહેતે રાખીને મારે દિવ્ય જીવન, પ્રેમકરુણામય, સુખ-આનંદ અને શક્તિથી પરિપૂર્ણ, ગુણુ. સમૃદ્ધિથી ભરપૂર મારું જીવન બનાવવુ જ છે. એવા.. સંકલ્પ કરવા. દરેક પ્રયાગને અનુકૂળ હાય તેવા હેતુ મુજબ સકલ્પ કરવા,
(ર) પરમાત્માની અચિંત્ય શક્તિ ઉપર નિષ્ઠાપૂર્ણાંક દેઢ શ્રદ્ધા રાખવી.
(૩) પ્રયાગ મુજખતું ચિત્ર સ્પષ્ટ રાખે. આ માનસ ચિત્રમાં સર્જનાત્મક દિવ્ય શક્તિ છે.
(૪) પ્રયાગમાં બની રહેલ વસ્તુને વમાન કાળમાં અનતી જુઓ. ( ભવિષ્યમાં આવુ બનશે તેમ નહી.) (૫) આશ્ચર્યકારક રીતે તમે બદલાઈ ગયા છે તેવ
અનુભવે.
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૯૧ (૬) તમારા જીવનના ભૂતકાળને ભૂલી જાઓ. ગઈ કાલને યાદ કરી નિરાશ ન બને. આજથી નવું દિવ્ય જીવન શરૂ કરો.
(૭) ખુલ્લા મનથી, હૃદયના ભાવપૂર્વક, નમ્રભાવે, પ્રેમપૂર્વક, દઢ શ્રદ્ધા સાથે, શાંત ચિત્ત, આનંદમય રીતે, તીવ્ર ભાવે ધ્યાન કરે.
(૮) સંક૯પ શક્તિ, સર્જનાત્મક દર્શન, પરમાત્મા ઉપરની દઢ શ્રદ્ધા અને ધ્યાનની તીવ્રતા તમારા માટે કેટલું આશ્ચર્યજનક પરિણામ લાવી શકે છે તેને પ્રત્યક્ષ અનુભવ કરો.
(૯) પરમાત્મા તરફથી મળેલી સહાય માટે અંતઃકરણ પૂર્વક પરમાત્માને નમસ્કાર કરે. પરમાત્મા ઉપર શ્રદ્ધા કેન્દ્રિત કરે. પ્રભુ-ભક્તિથી સભર જીવન જીવે.
(૧૦) તમે સુંદર કલાકાર (artist) છે, તમારું જીવન તે જ તમારી કળા (art) છે. પ્રત્યેક પળે નવસર્જન કરે. ધ્યાન પ્રયોગની નિયમિત સાધના કરે. પરમાત્માની પ્રાપ્તિ થશે. સત્ય સંક૯૫પૂર્વકની સાધના આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડશે. તમારું જીવન અનેકને હિતકારક બનશે. જૈન શાસનની દિવ્ય પ્રભાવના કરી શકશો.
(૧૧) દઢ વિશ્વાસ રાખીને શ્રીપાલ અને મયણની જેમ જીવનની રંગભૂમિ ઉપર આવતા પ્રત્યેક પ્રસંગનું જિનશાસનની દષ્ટિએ મૂલ્યાંકન કરે. જિન આજ્ઞા મુજબ સત્યના માર્ગે ચાલે. જવલંત સફળતા (radiant success) તમારા હાથમાં જ છે. સાધના નિયમિત ચાલુ રાખો.
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૯૨
પરમાત્માને જીવનના કેન્દ્ર સ્થાનમાં રાખે. પછી જુઓ કે કેવું દિવ્ય પરિણામ તમે મેળવી શકે છે.
(૧૨) વિદનથી ડરે નહિ, વિદને પણ વિકાસ માટે બની જશે. દિવ્ય સંકલ્પને પૂર્ણ કરવા માટે મળતી બધી તકને જિન-કથિત માર્ગે ચાલીને સાર્થક કરે,
(૧૩) કેઈનું પડાવી લેવાના, કેઈનું જાય છે તે મને મળે, બીજાને પાછળ પાડીને હું આગળ આવું. આવા કલિષ્ટ વિચારો તથા અમેત્રી, ક્રોધ, ઘણું, ઈર્ષા, અસૂયા. ધિક્કાર, સ્વાર્થ ભરેલી માયાવી વૃત્તિ, મલિન વાસનાઓ
– આ બધાં કાર્ય સિદ્ધિના માર્ગમાં પડેલા આડા પથ્થર છે. આવા મલિન ભાવથી દૂર રહે.
(૧૪) જિનેશ્વરની આજ્ઞા મુજબનું જીવન બનાવવા પ્રયત્નશીલ રહે.
(૧૫) આ પુસ્તક અધ્યાત્મ ચગી પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી તરફથી મળેલ અણુમેલ રત્નમાં તમને સહભાગી બનાવવા લખવામાં આવ્યું છે. તે મુજબ સાધના કરી. આમ સમૃદ્ધિના અનંત ખજાનાના માલિક બને. સૌનું શુભ અને કલ્યાણ થાઓ.
સહસાવન મળે,
લિ. ગિરનાર મહાતીર્થ, સંતેની ચરણરજ સમાન સં. ૨૦૪૩ ના ફાગણ વદ ૧૨ બાબુભાઈ કડીવાલાના ગુરૂવાર, તા. ૨૬ માર્ચ ૧૯૮૭ વાંચકોને ભાવભર્યા વંદન.
Page #449
--------------------------------------------------------------------------
________________
જલંત સફળતા (Redient
Sucess )ની ચાવી .
(૧) તમારે આ જન્મમાં અને
આવતા જન્મમાં કેવા બનવું છે. તમારે શું જોઈએ છે તેની
નોંધ કરે અને સંક૯પ કરો. (૨) તમે નક્કી કરેલ સંકલ્પમાં વારં
વાર ફેરફાર ન કરો. (૩) પરમાત્માના દિવ્ય પ્રભાવે તમારો
સંક૯૫ અવશ્ય પૂર્ણ થશે તેવી દેઢ શ્રદ્ધા રાખે. પ્રભુ ઉપરની
શ્રદ્ધા સંકલ્પમાં પ્રાણ પૂરે છે. (૪) તમારા સંક૯૫ મુજબનું દ્રશ્ય
ધ્યાનમાં તમારી સમક્ષ ઉપ
સ્થિત કરો. (૫) તે દ્રશ્યમાં ધ્યાન સ્થીર કરે. (૬) તમારે સંક૯૫ વર્તમાનકાળમાં
સિદ્ધ થતે ધ્યાનમાં જુઓ. (૭) તમારા સંક૯૫ પૂર્ણ થયા હોય
તેવા ભાવમાં જીવન જીવવું શરૂ કરો. તમે એક મહાન કલાકાર છો. તમારું જીવન તે જ તમારી કળા છે. તી. બાબુભાઈ કડીવાળા
Jain Education laternational
For Fivate & Personal use only
Page #450
--------------------------------------------------------------------------
________________ انہ ફ્ટૉ જય પં.શ્રી પૂifie વિજયજી મ.સા. મહાવિદëૉંગમાં વીચરતા પ્રતીહાયો અતીહાણૉથી પુકn શ્રીસિમંધર સ્વામી પુરમાત્માનું ધ્યાન f urioso: balonal Use Onlyst