________________
the boundless ocean of joy within our Divine: self. “નમો અરિહંતાણું” આપણા આત્મામાં રહેલા અમર્યાદ આનંદના મહાસાગરમાં પ્રવેશ કરવાનું પરમ દ્વાર છે, “નમે અરિહંતાણું” પરમતત્વના અનુભવ માટેનું મહાન સૂત્ર છે.
નમસ્કાર મહામંત્રની આરાધનાને વિષય સરળ પણ છે અને અતિગહન પણ છે. નમસ્કાર મંત્રના જાપની. સાધનામાંથી ધ્યાન દ્વારા નમસ્કાર મંત્ર આત્માના અનુભવ સુધી કેવી રીતે લઈ જાય છે તે આપણે જોયું. પિતાની ભૂમિકા અનુસાર સાધકે આગળ વધવા પ્રયત્ન કરો.
આ વિષયમાં વધુ જાણવાની જીજ્ઞાસાવાળા મુમુક્ષુ આત્માઓએ શ્રી નમસ્કાર મહામંત્રના પરમ સાધક અધ્યાત્મ યેગી પૂજ્ય પંન્યાસજી ભદ્રકવિજયજી મહારાજનું લખેલું સાહિત્ય ખાસ વાંચવું. આ મહાપુરૂષના સાનિધ્ય દરમ્યાન નમસ્કાર વિષયક જે તાત્ત્વિક વિચારશ્રેણિ પ્રાપ્ત થયેલી તે પણ “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર લેખક બાબુભાઈ કડીવાળા” પુસ્તક રૂપે બહાર પડેલ છે.
નમસ્કાર મંત્ર વિષયક કે વિશિષ્ટ વિચારણું આ પુસ્તકમાં કરવામાં આવી છે તેમાંના કેટલાક મુદ્દા નીચે
મુજબ છે.
નમરકાર મંત્રનું ધ્યાન પ્રયોગાત્મક અભ્યાસ
(૧) પ્રાથમિક ભૂમિકા –આસન અને મુદ્રા દિશા, માળા, સંખ્યા અને સમય આ વિષયમાં લક્ષ આપી નિયન મિત નમસ્કાર મંત્રનો જાપ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org