________________
૭૫
આઠમાં પ્રકાશમાં પદસ્થ ધ્યાનનું વર્ણન કરતાં જણાવે છે કે
तथा पुण्यतमं मन्त्र, जगत्रितययावनम् । योगी पंचपरमेष्ठि-नमस्कारं विचिन्तयेत् ॥१॥
-ત્રણ જગતને પવિત્ર કરનાર અને અત્યંત પવિત્ર એવા પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રને સાધકે વિશેષ પ્રકારે ચિંતવ.
अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्र', पवित्र चिन्तयेत् ततः ॥२॥ सिद्धादिकचतुष्कं च, दिपत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् ॥३॥
– આઠ પાંખડીનું વેત કમળ ચિંતવવું, તે કમળની કણિકામાં એટલે મધ્ય ભાગમાં, સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર “નમો અરિતાને ચિંતવ, પછી સિદ્ધાદિક ચાર મંત્રને દિશાઓના પત્રમાં અનુક્રમે ચિંતવવા અને ચૂલિકાના ચાર પદોને વિદિશાનાં પત્રમાં ચિંતવવા.
શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરવા માટે કણિકા સહિત અષ્ટદલ કમલમાં શ્રી નમસ્કાર મહામંત્રના નવ પદની કેવી રીતે સ્થાપના કરવી તેને ખ્યાલ આવે તે માટે અહીં તેનું ચિત્ર મૂકવામાં આવ્યું છે.
પિંડસ્થ અને પદસ્થ ધ્યાન આકૃતિ અને રંગના ખ્યાલ વિના થઈ શકતું નથી, એટલે અક્ષરે બને તેટલા સુંદર અને મરોડદાર કઃપવા અને પરમેષ્ટિઓના વર્ગ પ્રમાણે તેને દયાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org