________________
૨૧૫
“આરાધનાનું મૂળ, જસ, આતમભાવ અહં; તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ.”
શ્રી નવપદમાં આત્મા છે, અને આત્મામાં નવપદે છે. નવપદમાં આત્મા અને આત્મામાં નવપદોને અનુભવ કરવા માટે ભગવાન દેશનામાં આગળ કહે છે કે –
યેય સમાપતિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણે તિણે નવપદ છે આતમા, જાણે કોઈ સુજાણ.”
પહેલી નજરે આપણને એવું લાગે છે કે નવપદમાં આત્માને અને આત્મામાં નવપદોને અનુભવ કરે એ બહુ કઠિન કાર્ય છે. તે અનુભવ કરવા માટે તે હિમાલયની ગુફામાં યેગી બનીને બેસવું પડે, પરંતુ તેવું કરવાની કોઈ જરૂર નથી. તે અનુભવ કરવા માટે જિનાગમ અને જિનબિંબ (મૂર્તિ)નું આલંબન લેવાની જરૂર છે. નવપદમાં આત્માને સહેલાઈથી સમજવા માટે એક દષ્ટાંત જોઈએ -
એક શેડ જિનમંદિરમાં પૂજા કરવા માટે ગયા. તેમના ઘેર મહેમાન આવ્યા. મહેમાને શેઠાણીને પૂછયું કે, શેઠ
ક્યાં ગયા છે? શેઠાણીએ કહ્યું કે શેઠ અત્યારે વકીલને ઘેર ગયા છે. છેડી વારમાં શેઠ જિનમંદિરથી પૂજાના કપડામાં પૂજાની સામગ્રી સાથે ઘેર આવ્યા. મહેમાને જિનમંદિરેથી શેઠને આવતાં જઈને શેઠાણીને કહ્યું કે શેઠ તે જિનમંદિરથી આવે છે! ત્યારે શેઠાણીએ કહ્યું કે શેઠને પૂછો ઃ જિનમંદિરમાં હતા, તે વખતે તેમનું ધ્યાન ક્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org