________________
૨૩૦
આત્મઅનુભવ એ જ પરમ ઈષ્ટ–પ્રાપ્તવ્ય લાગે છે, અને વિભાવ ઉપાધિથી મન પાછું ફરે છે. આત્મસ્વરૂપની અનુભવ પ્રાપ્તિના માર્ગે પ્રયાણ શરૂ થાય છે. અને તે આપણા લક્ષ્યબિન્ને સિદ્ધ કરવા માટે પ્રભુ મહાવીરસ્વામીએ આ રીતે નવપદનું ધ્યાન અને આરાધના બતાવી છે.
પ્રભુ મહાવીરની દેશનાની આ પંક્તિઓ આયંબિલની ઓળીમાં પ્રદક્ષિણા, ખમાસમણામાં સર્વત્ર ગાવામાં આવે છે. આપણા પૂર્વાચાર્યો અને તેમાં વિશેષ રીતે મહા પાધ્યાય થશેવિજયજી મહારાજાએ આવીનવપદમાં આત્મા અને આત્મામાં નવપદ જેવી ગંભીર વસ્તુ ખમાસમણાં અને પ્રદક્ષિણામાં
ઠવીને શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે. હજારે, લાખે, કરોડો વખત પ્રભુ મહાવીરની દેશનાના આ દુહા જૈનસંઘમાં ગાવાઈ રહ્યા છે. તેને મર્મ જ્યારે આપણી સમજમાં આવે ત્યારે આપણી સાધનામાં પરમાત્માને દિવ્ય પ્રકાશ પથરાય છે. આયંબિલની ઓળીમાં થતી કિયા કેટલી અદ્દભુત અને મહત્વની છે, તે હવે આપણને સમજાય છે.
સકલ જૈનસંઘમાં આયંબિલની ઓળીની વિધિ પૂર્વકની આરાધના થાય તે માટે વર્તમાન આચાર્ય ભગવતે અને ઉપકારી સાધુ-સાધ્વી ભગવતેએ ખૂબ અનુમોદીય પ્રયત્ન કર્યો છે. તેનાં મીઠાં ફળ આજે આપણે જોઈએ છીએ કે હજારો અને લાખોની સંખ્યામાં ઓળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org