________________
આ દષ્ટાંતો ઉપરથી એક વસ્તુ સમજાય છે કે, ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય, પહેલાં તે મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે પરમાત્મા પણ પહેલાં આપણું મનમાં ઉપસ્થિત થાય છે, મેક્ષ પણ પહેલાં આપણું મનમાં ઉત્પન્ન થાય છે, પછી સાચે મોક્ષ પ્રગટ થાય છે. કેઈ મનુષ્ય સંકલ્પ કરે કે, “આવતા જન્મમાં મારે મહાવિદેહ ક્ષેત્રમાં-સીમંધરસ્વામી ભગવાન વિચરે છે, તે ક્ષેત્રમાં મનુષ્ય તરીકે જન્મ લે છે. આઠ વર્ષની ઉંમરે હું ભગવાન પાસે દીક્ષા લઈશ અને પરમાત્મા સીમંધરસ્વામીની આજ્ઞા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ.” આ મહાન સંકલ્પ સિદ્ધ કરવા માટે અત્યારે આ જનમમાં શું કરવું જોઈએ ? અત્યારે જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ ભગવાન સીમંધરસ્વામીજીના સમવસરણમાં આપણે બેઠેલા છીએ તેવું ચિત્ર સ્પષ્ટ આપણી સામે ઉપસ્થિત કરી, તેમાં સ્થિર બનવું. “ભગવાનની દેશના આપણે સાંભળીએ છીએ. તે દેશના આપણુ અણુએ અણુમાં પરિણામ પામે છે. આપણે પરમાત્મા પાસે દીક્ષા લઈએ છીએ. પ્રભુના કહેવા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. આવું સ્પષ્ટ ચિત્ર નિત્ય આપણે નજર સામે રાખીએ અને તેવા ભાવથી ભાવિત બની ધ્યાન કરીએ, તે આપણે ઉપરને સંકલ્પ સિદ્ધ થઈ શકે.
આ રીતે ભગવાન સૌથી પ્રથમ આપણા મનમાં મનેમય સત્યરૂપે, ઉપસ્થિત થાય છે. (Ideal Reality )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org