________________
ગુરુચરણરવિંદે એન જ્ઞાન પ્રદીપેન, નિરસ્યાભ્યતર તમ:
માત્મા નિમલીચકે, તસ્મ શ્રીગુરવે નમ: પરમપૂજ્ય અધ્યાત્મયોગી નમસ્કાર મહામંત્ર સન્નિષ્ઠ, પંન્યાસજી . ભગવંત શ્રી ભદ્રકવિજયજી મહારાજ સાહેબને કેટિ કોટિ વદના !
આજથી ૩૦ વર્ષ પહેલાં ભીલડીયાજી તીર્થમાં વિ. સં. ૨૦૧૩ના ચૈત્રી ઓળીની આરાધના પ્રસંગે આપનો પરિચય થયો. ત્યારથી આપે વારંવાર ભક્તિરસના અંકુર પ્રગટાવ્યા. પાંચ વર્ષ સુધી આરંભ-સમારંભના વેપારના ત્યાગને નિયમ કરાવ્યો.
વિ. સં. ૨૦૧૪ના પાનસર તીર્થે ચૈત્રી ઓળીના પ્રસંગે આપે કૃપાળુએ શ્રી વર્ધમાન તપને પાયે નંખાવી, તપધર્મને સંયોગ શિવા તથા ધ્યાનને વિધિ બતાવી સાધનામાર્ગમાં પ્રવેશ કરાશે.
વિ. સં. ૨૦૧૪ના ડીસાના ચાતુર્માસ દરમિયાન આસાની ઓળીના પ્રસંગે આપશ્રીએ અનુગ્રહ કરીને વિધિપૂર્વક એક લાખ નવકારની આરાધના કરાવી, જપયોગ, ધ્યાનયોગ અને પ્રતિદિન સિદ્ધચક્રનું આરાધન કરવાની પ્રેરણું આપી તથા પ્રસંગે પ્રસંગે પૂજન મિત્ર, યંત્રને સમન્વય કરાવી મહાન ઉપકાર કર્યો.
ત્યારબાદ આપશ્રીની વાત્સલ્યમયી પાવન નિશ્રામાં બેડા, શંખેશ્વર અને જામનગર એમ ત્રણે સ્થળે ખીરનાં એકાસણા પૂર્વક વિધિ સહિત એક એક લાખ નવકારના જાપનું અનુષ્ઠાન કરતાં આપની કૃપાથી અપૂર્વ આનંદ અનુભવ્યો. - વળી નિત્યની આરાધના તથા સિક્યક્ર પૂજન ન થાય ત્યાં સુધી પચ્ચક્ખાણ ન પારવું તે સંક૯પ કરાવી, પરમાત્માની નિષ્ઠાપૂર્વકની આરાધનાને માર્ગ બતાવી સેવકને કૃતાર્થ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org