________________
૨૨૭
દુઃખ અનુભવતા નથી, તેવા સમસ્વભાવમાં સ્થિર સાધુપદનું ધ્યાન કરવાથી સ્વયં આત્મા આગમથી ભાવનિક્ષેપ સાધુ બને છે. સમ્યગદર્શન –
શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહી જ આતમાં, શું હેય નામ ધરાવે છે.
વીર જિનેશ્વર મોહનીય કર્મની પ્રથમ સાત પ્રકૃતિના પશમ દ્વારા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા આદિ ગુણો પ્રગટ થાય છે. આ આત્મા તે સમ્યગદર્શન છે. સમ્યગજ્ઞાન –
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય છે, તે હુએ એહી જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે.
વીર જિનેશ્વર, આત્માના જ્ઞાન ગુણને રોકનારૂં જે કમ છે, તેને ક્ષોપશમ થવાથી આત્માને જ્ઞાન ગુણ પ્રગટ થાય છે. આવો આત્મા તે જ્ઞાન છે. ચારિત્રપદ –
જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેયા શુદ્ધ અલંકર્યો, માહ વને નવિ ભમતે રે.
વીર જિનેશ્વર આત્મા સિવાયના અન્ય પદાર્થોને મોહનું વન સમજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org