________________
૨૧૯
નથી. તે પ્રયોગની સિદ્ધિ માટે હાઈડ્રોજન અને એફસીજનનું સર્જન કરવું પડે છે. તે રીતે પરમાત્મા તેમના ઠેકાણે અને આપણે આપણા ઠેકાણે – તે પ્રમાણે વર્ષો સુધી પ્રયત્ન કરીએ તે પણ કાર્યસિદ્ધિ ન થાય. પરમાત્મા અને આપણા આત્માને મેળાપ થ જઈ એ. ધ્યાન દ્વારા, ઉપગ દ્વારા પરમાત્મા અને આપણે આત્માનું જોડાણ થાય છે ત્યારે કાર્યસિદ્ધિ થાય છે.
સમજપૂર્વક આપણો ઉપયોગ નવપદમાં જેડીએ તે વખતે નવપદમાં આત્માને અને વધુ સ્થિરતા આવતાં આત્મામાં નવપદને અનુભવ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીની જેમ આપણે પણ કરી શકીએ છીએ. - નવપદના એક-એક પદનું છૂટું ધ્યાન કરી, છેવટે નવપદનું ભેગું ધ્યાન કરવું. હદયમાં આઠ પાંખડીવાળા કમળની. આકૃતિ ક૯૫વી. તેમાં કર્ણિકામાં અરિહંત પદ, ચાર દિશાની. ચાર પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને. તપ-આ રીતે કમળાકારે નવપદનું ધ્યાન આત્માનુભવ. સુધી લઈ જશે.
શ્રીપાલ મહારાજાને જીવનમાં જે સિદ્ધિઓ પ્રાપ્તથઈ તથા નવમા ભવે મોક્ષ પર્યત પહોંચી શકશે તેના મૂળમાં પ્રભુ મહાવીરસ્વામીએ બતાવેલી આ નવપદમાં આત્મા અને આત્મામાં નવપદની પ્રત્યક્ષ અનુભવસિધિ. સાધના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org