________________
આપણા આત્માને આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ, તે દર્શનજ્ઞાનના ઉપગપૂર્વક ૧૦મો નમસ્કાર થયે.
(૧૧) ચારિત્ર એટલે આત્મરમણુતાપૂર્વક ૧૧ મે નમસ્કાર છે. પરમાત્મા વિશુદ્ધ આત્મચેતન્ય સ્વરૂપ છે. અને આપણો આત્મા તદાકાર રૂપે તેમાં પરિણમેલો છે, એટલે કે આપણે આત્મા વિશુદ્ધ આત્મચેતન્ય રૂપે પરિ ણમેલ છે, તેમાં ચારિગુણ જોડવાથી આત્મરમણતા હવે હવે શરૂ થઈ છે. ઉપર મુજબ પરમાત્માના અને ઉપલક્ષણથી આપણા આત્મસ્વરૂપમાં રમણતાપૂર્વક ૧૧મે નમસ્કાર થયે.
(૧૨) વીર્યગુણ જેટલા અંશે ખુલ્લો છે તે ક્ષયોપશમભાવી વીર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણને સહકારી બને છે અને તેનાથી સ્વરૂપ સ્થિરત્વની શક્તિ પ્રાપ્ત થાય છે.
ક્ષાપશમિક ગુણ સર્વ થયા તુજ ગુણ રસી, સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલસી.”
વીર્યગુણ (દર્શન, જ્ઞાન, ચારિત્રને સહકારી બનવાથી) આત્મસત્તામાં રમણતા-તન્મયતા તદ્રુપતા અને એકતા માટેની શક્તિ વ્યક્ત કરે છે. અહીં આત્મસ્વરૂપમાં રમશુતા, તન્મયતા, સ્થિરતા આવે છે. તે સ્થિરતા અંતર્મુહૂર્ત ટકે તે ક્ષણશ્રેણી મંડાઈ કેવળજ્ઞાન થાય. તેથી કહ્યું કે,
હવે સંપૂરણ સિદ્ધિ તણી શી વાર છે, દેવચંદ્ર જિનરાજ જગત આધાર છે.” આ વસ્તુ પૂજ્ય શ્રી દેવચંદ્રજી મહારાજના પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org