________________
પ્રકાશકીય નિવેદન
પરમ શાસન પ્રભાવક, ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન, નસરકાર મહામંત્ર અને નવપદના પરમ આરાધક, અધ્યાત્મયોગી, પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી મહારાજની કરણદૃષ્ટિના મહાન પ્રભાવથી “સાલખન ધ્યાનના પ્રયોગો – આ પુસ્તક પ્રગટ કરતાં અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ.
પરમ પૂજ્ય સંઘસ્થવિર પૂજ્ય બાપજી મહારાજના સમુદાયના પરમાત્મભાવ સંનિષ્ઠ, આગમ વિશારદ પૂ. જ બૂવિજયજી મહારાજ સાહેબે આ પુરતકની પ્રરતાવના લખી આપી અમારા ઉપર મહાન કૃપા કરી છે. શ્રી જિન આગમના સંશોધન અને પ્રકાશનમાં સદા રક્ત શ્રી અંબૂવિજયજી મહારાજે પિતાના હૃદયમાં રહેલ ધ્યાન શક્તિને પ્રભાવ આ પ્રસ્તાવનામાં બતાવી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે.
વર્તમાન જગતમાં ઉપલબ્ધ ભૌતિકતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી, શરીરની સગવડે ઘણું મળવા છતાં માણસ આજે માનસિક રીતે પીડાઈ રહ્યો છે. સૌ કોઈ આમાંથી છુટકારો શોધે છે. સૌ કોઈ મનની પ્રસન્નતા, શાંતિ, આનંદ, સુખ, નિર્ભયતા ઈચ્છે છે. આ બધુ કેવી રીતે મળે તે જ આપણી સમક્ષ સૌથી મટે પ્રશ્ન છે, તે માટે મનની સ્થિતિ બદલવી જરુરી છે.
મનની સ્થિતિ બદલવા આપણી પાસે “સાલંબન ધ્યાનમાં એક અદ્ભુત ઉપાય છે. આ પ્ર દ્વારા ધ્યાનમાં આપણે પરમાત્માનું સાનિધ્ય અનુભવી શકીએ છીએ. પરમાત્મા અચિંત્ય, અનંત શક્તિ, પરમ આનંદ અને અવ્યાબાધ સુખના દિવ્ય ભંડાર છે. તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org