________________
૮૦
નમસ્કારનું ઉપર મુજબ તાત્ત્વિક સ્વરૂપ કલિકાલસજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવાને ખતાવ્યું છે, તેનું રહસ્ય જ્યારે સાધના દ્વારા સમજાય છે, ત્યારે સર્વે પાપ (કર્માને) મૂળમાંથી ઊખેડી નાખવાની અને શ્રેષ્ઠ મહગલ રૂપ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિંત્ય શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે.
સભેદ પ્રણિધાનમાં પરમેષ્ઠિ પદોનું આલંબન હાય છે અને મત્ર પદામાં ચિત્તવૃત્તિની એકતાનતા સાધવાની હાય છે અથવા મંત્રો સાથે સાધકે તન્મયીભાવ સાધવાના હોય છે.
નમસ્કાર મંત્રના જાપ અને ધ્યાન દ્વારા વિશિષ્ટ અનુભવેા થાય છે, તેમાંના કેટલાક નીચે મુજબ છે.
નવકાર મંત્રનાં નવપદોને જ્યારે આપણે તીવ્ર એકાગ્રતાથી જાપ કરીએ છીએ અને મનમાં અધિષ્ઠિત પચ પરમેષ્ઠિ ભગવંતા સાથે તન્મય બની જઇએ છીએ ત્યારે કોઇ અગમ્ય પ્રદેશમાં આપણા પ્રવેશ થાય છે. પ્રારંભમાં મંત્રના અક્ષરા સફેદ ચળકતા જોવા અને તેમા એકાગ્ર બનવુ જોઇએ અને તીવ્રપણે મંત્રના અક્ષરોમાં એકાગ્ર થતાં તે અક્ષરાનાં દ્વાર ખૂલી જતાં તેમાંથી નીકળતા અમૃતના ફુવારામાં સ્નાન કરતાં આપણા સઘળા રાગ, શાક, દુઃખ, ભય, ચિંતા નાશ થઇ જતાં હોય એવું અને સુખ, શાન્તિ, આનંદ અને નિયતાથી આપણે પૂર્ણ ભરાઈ જતા હાઈ એ તેવું અનુભવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org