________________
૧૧૦
વ્યાપી ગયા હય, જાણે તન્મય ભાવને પામ્યા હોય તેવું અનુભવાય છે તેથી સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે. માટે ત્રણ નિક્ષેપના આદરથી જ ભાવ નિક્ષેપને આદર થઈ શકે છે, અને ભાલ્લાસ વધે છે.
મહાપુરુષોએ આ રીતે પરમાત્માને ચારે નિક્ષેપે હૃદયમાં સ્થિર કરવા અને તે દ્વારા થતા વિશિષ્ટ અનુભને જીવનમાં અનુભવવા ઉપદેશ આપેલ છે. ઉપરના શાસ્ત્રવચનો સાક્ષી પૂરે છે કે ભગવાન આપણું હૃદયમાં પ્રવેશે છે, આપણી સાથે મધુર વાર્તાલાપ કરે છે, આખા શરીરમાં વ્યાપી જાય છે. આ અમૃત અનુભવ કરવો તે જ માનવજીવનનું લક્ષ્ય છે.
ધીમે ધીમે આપણને પણ આ જ અનુભવ થશે. દર્શન પ્રયોગ નં. ૧૨ અને પ્રયોગ નં. ૧૩ નિયમિત ચાલુ રાખવાથી જરૂર આવે અનુભવ થશે.
ઉપાધ્યાયજી યશવિજયજી મહારાજા ભરૂચ બંદરે સાધના કરવા માટે ગયા. અઠ્ઠમ તપ કર્યો. દેવાધિદેવ મુનિસુવ્રત સ્વામી ભગવાનના મંદિરમાં ત્રણ દિવસ આરાધના કરી. છેલ્લા દિવસે અનુભવ થયો. તેમનું સ્તવન બનાવ્યું.
આજ સફળ દિન મુજ તણે, મુનિસુવ્રત દીઠા; ભાંગી તે ભાવઠ ભવ તણી, દિવસ દુરિતના નીઠા; આંગણે કહ૫વેલી ફળી, ઘન અમીયન વુડયા આ૫ માગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિત તુઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org