________________
૩૭૦
પ્રમાણે જગતમાં અનેક પ્રકારના ખેલ કરતી વખતે તેના મનમાં શું વિચારે છે ?
મે તે બારમા કપકે, દેવ મહા ઋદ્ધિવંત, અનુપમ સુખ વિલસું સદા, અદ્દભુત એહ વિરવંત. એ ચેષ્ટા જે મેં કરી, તે સવિ કૌતુક કાજ; રંક પર્યાય ધારણ કરી, તિનકે એ સવિ કાજ. જેમ સુર એહ ચરિત્રને, નવિ ધરે મમતા ભાવ; દીન ભાવ પણ નહિ કરે, ચિંતવે નિજ સુર ભાવ.
(સમાધિ વિચાર) આપણું આ બારમા દેવલેકના દેવ પૃથ્વી ઉપર અનેક અવસ્થામાંથી પસાર થતાં અંદર વિચારે છે કે –
હું તે બારમા દેવકનો દેવ છું.” આ પરિસ્થિતિમાંથી પસાર થતાં તેને દીનપણું નથી, અને કેઈ આસક્તિ પણ નથી. કારણ કે હું બારમા દેવલોકનો મહાન સુખી દેવ છું તેવું મનમાં ધારણ કરે છે. તેને પરિસ્થિતિનું સુખ- દુઃખ કે રાગ દ્વેષ નથી.
આ પ્રમાણે આપણે પણ પરવશપણે જ્યારે કર્મના કારણે અનેક વિચિત્ર સંગે ઉપસ્થિત થાય, તે વખતે તેમાં સુખ-દુઃખ કે રાગ દ્વેષ ન કરતાં અંદરથી વિચારીએ કે–
ભગવાન સીમંધરસ્વામી પરમાત્માએ કહ્યું છે તે મુજબ હું સત્તાએ શુદ્ધ, સચ્ચિદાનંદ સ્વરૂપ-અનંત સુખ અને આનંદનો પરમ ભંડાર છું. અચિંત્ય શક્તિને સ્વામી છું. કેવળજ્ઞાન આદિ અનંત ગુણ-લક્ષ્મીને નિધાન છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org