________________
પર
બુદ્ધિ હતી તેના બદલે પરમાત્મા અને આત્મામાં સુઇ બુદ્ધિ ઉત્પન્ન થઈ.
મનને એક સ્વભાવ છે કે જ્યાં પોતે અધિક સુખ માન્યું છે તે તરફ દોડયા જ કરે છે. નાનું ઘર હોય તે મોટું મેળવવા, થોડા પૈસા હોય તે વધુ મેળવવા, પિતાની માનેલી સુખની વધુ સામગ્રી મેળવવા મનની દેટ નિરત ચાલુ છે. પરંતુ સાલંબન ધ્યાનના પ્રયોગ દ્વારા પરમાં ત્માના દિવ્ય પ્રકાશના આલંબને મનની ગતિ (ઉપયોગી પરમ આનંદના ભંડાર આત્મા તરફ થતાં દિવ્ય આનંદને અનુભૂતિ થાય છે. આ રીતે દિવ્ય આનંદની અનુભૂતિ કરી બહાર આવેલું મન તે આનંદને ફરી ફરી ઝંખે છે કારણ કે ધ્યાન દ્વારા મળેલ પરમ આનંદ અને સુખ એટલું ઉરચ કક્ષાના હોય છે કે પાંચ ઇંદ્રિય અને કષાય જનિત સુખ જે માત્ર સુખાભાસ છે તે આત્મિક સુખની પાસે અતિ તુચ્છ ભાસે છે. તેથી આપણું મન આત્મિક સુધી અને આનંદને વારંવાર ઝંખે છે. તે આત્મિક સુખ અને આનંદ માટેના પરમ આલંબન રૂપ પરમાત્માનું સ્મરણ ધ્યાન, પૂજન, નમસ્કાર, મંત્ર જાપ-આદિ સહજ ભારે સ્થિરતાથી થાય છે. પરમાત્માની આજ્ઞા મુજબની સર્વ ધર્મ કિયામાં રસ અને ભાવ ઉત્પન્ન થાય છે. સર્વ ધર્મક્રિયામ પ્રાણપૂર્તિ થાય છે. મારો આતમા તુજ થકી નીપજે,
માહરી સંપદા સયલ મુજ સંપજે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org