________________
૩૮
એથી ભૂલ થયે શિક્ષા કરતાં તેમ અગ્યની ઉપેક્ષા પણ કરી શકતાં. એથી જ આગ્રહ કે દુરાગ્રહથી તે બચી ગયાં હતાં અને સર્વને પ્રેમ જીતી શક્યાં હતાં.
ગુણનુરાગ એ હતું કે નિન્દા તે કદી તેમના મુખે થતી જ નહિ. સ્વ કે પર સમુદાયના પણ ઉત્તમ આત્માઓના ગુણને આગળ કરી અને તેવું અનુકરણ કરવાને સમજાવતાં, જ્ઞાન પ્રત્યેને રાગ એ હતું કે ભણનારને જોઈ તેઓ પુલકિત થઈ જતાં, પિતાના સાધ્વીજીએાને અધ્યયન કરાવવા તે ખૂબ કાળજી ધરાવતાં, રાત્રે જાગે ત્યારે ઉઘેલાને જગાડી પાઠ કરવા બેસાડતાં, વૃદ્ધા વસ્થામાં પણ બાળકની જેમ પોતે ગેખતાં, ભણતાં, ભૂલ થતાં બીજાને પૂછતાં સંકેચ ધરતાં નહિ, અમે જે કંઈ
પણ જ્ઞાન મેળવી શક્યાં તે તેની કાળજીનું પરિણામ હતું, તેઓની ઈચ્છા સાધ્વીઓને કાયમી ભણવાની સગવડ કરી આપવાની તીવ્ર હતી, અમારા ભાગ્યે થેડું વધારે જીવ્યાં હેત તે એ સગવડ પણ જરૂર તેઓ કરી શક્યાં હેત. પોતાને સંસ્કૃત પ્રાકૃત ભાષાઓને સામાન્ય બંધ હતો, છતાં બીજાં સારે અભ્યાસ કરી યોગ્ય બને એ માટેની તેમની લાગણી કદી ન ભૂલાય તેવી હતી. આજે પણ તેમના એ ગુણને અમે જેટલો યાદ કરીએ તેટલે ઓછે છે.
વિનય વૈયાવચ્ચ તરફ તેમને પક્ષપાત હતા, કારણ કે વડીલે પ્રત્યે પૂજ્યભાવ અદ્ભૂત હતું, એથી પિતાની ક્ષતિઓને અંગે ગુર્નાદિ તરફથી ઠપકે મળતાં કે