Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
“gોડ ગુમાવ: મવઝાવાવ ]:” એમ ઉપમિતિકાર કહે છે. મનમાં ધસી આવતી શુભ વિચારધારા પ્રભુની સતત કૃપાનું ચિહન છે. | * રસોઈઓ ભલે જમાડે - પીરસે, પણ ભોજનશાળાનો માલિક એ નથી. અમે પણ રસોઇઆના સ્થાને છીએ. આ બધું પ્રભુનું છે. અમે તો પીરસણીયા છીએ. પીરસવાનું પણ સારી રીતે આવડે તોય ઘણું !
* આધોઈ, કટારીયા, ભદ્રેશ્વર નહિ, પણ અહીં વાંકીમાં જ આ પ્રસંગ ગોઠવાયો તે પણ શુભ ઘટના જ છે. આસો વદ-૮ના એક કલાક પહેલા પૂછ્યું હોત તો નિર્ણય બીજે જ આવત, પણ યોગ્ય નિર્ણય કરાવનાર ભગવાન છે ને ?
તમે પ્રકૃતિ કહો છો, હું તો પ્રભુ જ કહું છું.
મદ્રાસ આદિમાં આવો ભાવોલ્લાસ ક્યાંથી આવત ? કચ્છની ધરતી અમારા પૂર્વજ આચાર્યોની છે. આ ભાવ બીજે ક્યાં જોવા મળત ?
ચડાવા બધા જ મોટા ભાગના કચ્છના છે. એક મદ્રાસનો હતો. મહેન્દ્રભાઈ પણ હવે જાપનું અનુષ્ઠાન કરાવ્યું એટલે અમારા આત્મીય થઈ ગયા છે.
ક પદવીધરોને મારી ખાસ ભલામણ છે કે કોઇપણ પ્રસંગે નિઃસ્પૃહ બનજો. જો ભગવાનનો સંદેશ લોકોને આપવો હોય તો માંગતા નહિ.
પૂ. પં.ભદ્રંકર વિજયજી મ. કહેતા : સામેથી આવે તે વધાવો. ઊભું ન કરો. કોઇપણ ગામમાં ભારરૂપ ન બનો.
વાંકીના લોકોને પૂછો : લોકોના ધસારાથી ભાર આવતો હશે, પણ અમારા તરફથી કોઇ ભાર આવ્યો ?
પૂ. કનકસૂરિજી મ. અહીંના ગામડામાં રહેતા, પણ કોઈના પર જરાય ભાર નહિ. . * આજનો દિવસ પવિત્ર છે. ભારતના જુદા જુદા ગામો -
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૯