________________
નીર્
રા
स्वरुप
કે તથા અવધાન એટલે ઇન્દ્રિયાદિની અપેક્ષા વિના આત્મા પોતેજ પિ પદાર્થનું સાક્ષાત્પ્રહણ કરે તે અવધિજ્ઞાન. અર્થાત્ આ ધન જ્ઞાનનું જ્ઞાનવડે ગ્રહણ થતી વસ્તુમાં આત્માને ઈન્દ્રિયાની કે મનની જરૂર છેજ નહિ, જેથી આ જ્ઞાનવર્ડ ઇન્દ્રિયના વિષયદેશથી મહાર રહેલી વસ્તુઓ પણ જાણી શકાય છે. અથવા અધ એટલે મર્યાદા એ વ્યુત્પત્તિ પ્રમાણે અહિં દ્રવ્યમાંથી રૂપીજ દ્રવ્ય જાણવા રૂપ મર્યાદા. છે, અર્થાત્ અવધિજ્ઞાનવર્ડ ઉત્કૃષ્ટથી જગવતી' સમસ્ત પુદ્ગલાસ્તિકાયને સાક્ષાત્ જાણી શકાય છે.
તથા અઢીઢીપવતી સ'ની પહેંચેન્દ્રિય જીવાએ મનેવિચારને અર્થે કાયયેાગવડ ગ્રહેલા મનેવગણાના પુદ્ગલાને તથા એ પુદ્દગલા જે ચિ'તવન સ્વરૂપે પરિણમે છે તે ચિંતવનને જાણી શકે તે મન:પર્યંત્ર જ્ઞાન કહેવાય, અવધિજ્ઞાનમાં મનાવગણુાના પુદ્ગલે દેખી શકાય છે પરન્તુ તે પુદ્ગલાથી થતા વિચારા વિશિષ્ટ સ્વરૂપે જાણી શકાતા નથી, અને આ જ્ઞાન વડે પુદ્ગલા અને વિચારા અને સ્પષ્ટપણે જાણી શકાય છે, જો કે જ્ઞેય વિષયેાની અપેક્ષાએ અવધિજ્ઞાન અનન્તગુણ છે, અને મન:પર્યવજ્ઞાન તેથી અન'તમા ભાગ જેટલુ છે તાપણ વિશુદ્ધિની અપેક્ષાએ અવધિજ્ઞાનથી મન:પ`વજ્ઞાન (અનતગુણુ વિશુદ્ધ અધ્યવસાય વડે ઉપજતું હૉવાથી) અન’તગુણ વિશુદ્ધિવાળું છે,
તથા એજ સમયમાં ત્રણે કાળના સર્વ ભાવાનું સપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાન. આ જ્ઞાનમાં કોઈપણ વસ્તુ પ્રતિસમયે ભાસમાનજ હાય છે તેથી ઉપયાગ દેવાની કે ફેરવવાની જરૂર પડતી નથી. અને પ્રથમનાં ચાર જ્ઞાનમાં ઉપયોગ દેવાની અને ઉપયોગ ફેરવવાની પણ જરૂર પડે છે, માટે કેવલજ્ઞાન એ સ ́પૂર્ણ જ્ઞાન છે. “કૃતિ ખુ જ્ઞાનાનિ II
એ પાંચ જ્ઞાનમાં મતિજ્ઞાન અવગ્રહ–ઈહા -અપાય-ધારણા એ ભેદે ૪ પ્રકાંન્તુ છે, તેનુ સક્ષિપ્ત સ્વરૂપ ૬૨ મી ગાથામાં કહેવાશે. ૫૬૧u
॥ ॥