________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧
શાસ્ત્રકાર-વ્યાખ્યાકારની
શાકાર-વ્યાખ્યાકારની
મુમુક્ષુ આત્માર્થી શ્રોતાની
ભાવ ભાષા
દ્રવ્ય ભાષા
ભાવ ભાષા
શુદ્ધોપયોગ રૂપ પુદ્ગલ વચન યોગમય (દ્રવ્યભાષા) શુદ્ધોપયોગ રૂપ કેવલજ્ઞાનમય પરિણમન મુમુક્ષુ શ્રોતાને ભાવ ભાષાનું નિમિત્ત કેવલ જ્ઞાનમય પરિણમન અર્થાત - આ બન્ને મહા આત્મજ્ઞાની વીતરાગ પરમર્ષિઓ - કે જેઓનું “સત્તમ-ઉત્તમ' આદિ
તમાંત પ્રત્યયોથી (Superlativers) જ યતુ કિંચિત વન શક્ય છે - સ્વ-પરના અનાદિ તેઓનો આ પરિભાષણ કરવાનો ઉપક્રમ ખ્યાતિ, માન, પૂજ, કીર્તિ આદિ મોહ પ્રશાંતિ અર્થે
તુચ્છ હાલાહલ વિષ જેવા પ્રયોજન હેતુએ નથી. પણ પોતાના આત્મામાં
અને આ શાસ્ત્ર તથા તેની આ વ્યાખ્યાનો સ્વાધ્યાય કરનારા બીજાના આત્મામાં રહેલો અનાદિ મોહ - દર્શનમોહ અને ચારિત્રમોહ આથી સર્વથા નાશ પામે તે જ એક શદ્ધ આત્માર્થ-પરમાર્થ હેતુએ છે, કારણકે મોહ જ આ સંસારમાં સંસરાવનાર-રખડાવનાર છે, એટલે તેનો સર્વથા સંક્ષય-પ્રલય થઈ એક શુદ્ધ આત્માર્થરૂપ પરમ “અમૃત” ફળ મળે અને સિદ્ધ ભગવાન જેવી શુદ્ધ આત્મસિદ્ધિ સિદ્ધ થાય એ જ એક અત્રે ઈષ્ટ પ્રયોજન છે.
ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતરમુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” - શ્રીમદ્ રાજચંદ્રજી, એ. ૯૫૪ આમ પરમ શ્રમણ ભગવાનું મહાવીરના શુદ્ધાત્મ સિદ્ધિરૂપ પરમ મોક્ષમાર્ગના અનુસરનારા પરમ
| મુમુક્ષુ પરમ શ્રમણ પરમર્ષિ કુંદકુંદાચાર્યજી - જેઓ “પંચાસ્તિકાય’ શાસ્ત્રની પરમ શુદ્ધોપયોગી પરમ રચના પછી “પ્રવચનસાર” શાસ્ત્રના પ્રારંભે વિતરાગ ચારિત્રરૂપ શ્રમણો કુંદકુંદાચાર્યજી સામ્યની-શુદ્ધોપયોગ રૂપ યથાર્થ ગ્રામજ્યની મહાપ્રતિજ્ઞા કરી શુદ્ધોપયોગની અને અમૃતચંદ્રાચાર્યજી દશામાં અત્યંત સ્થિર થયા હતા, અને જેઓએ તે જ પ્રવચનસારના ત્રીજા
ચારિત્ર અધિકારમાં “વયં તિામ:' ઈ. અમર શબ્દોમાં અન્ય મુમુક્ષુઓને પણ તેમ કરવા પ્રેર્યા હતા - તેઓશ્રીએ એ શુદ્ધોપયોગમય આત્મદશાની આત્યંતિક સ્થિરતા અર્થે, અને તથારૂપ શુદ્ધોપયોગની દશાને પામેલા અન્ય ઉચ્ચ અધિકારી શ્રમણોને - મહા મુમુક્ષ મુનિવરોને વા અન્ય તથારૂપ યોગ્યતાસંપન્ન આત્માર્થીઓને તે શુદ્ધોપયોગમય અનુભવાત્મક આત્મદશામાં વિશેષ સ્થિરતા અર્થે, અનુપમ શુક્લધ્યાનની દશાનો સ્વાનુભવસિદ્ધ જીવન્મુક્ત દશાનો અનુભવ કરાવવાને પરમ સમર્થ આ અલૌકિક સમયસાર શાસ્ત્રની રચના કરી છે, અને તેના પર તેવી જ શુદ્ધોપયોગમય વીતરાગ ચારિત્ર દશાને પામેલા તેવા જ પરમ મુમુક્ષુ પરમ શ્રમણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્વ-પરના આત્માર્થે, આ શુદ્ધ - શુક્લ આત્મધ્યાનના દિવ્યાનંદમાં નિમજ્જન કરાવી જીવન્મુક્ત દશાનો સાક્ષાત અનુભવ કરાવવા પરમ સમર્થ “આત્મખ્યાતિ' પરમ અદૂભુત પરમાર્થગંભીર અલૌકિક ટીકા રચી છે. અને આ ભગવતી “આત્મખ્યાતિ'ની વિખ્યાતિ અર્થે તે “અમૃત' ભગવાનના દાસ આ મહા ભાણકાર વિવેચકે (ભગવાનદાસે) તેની પર “અમૃત જ્યોતિ' મહાભાષ્ય નામનું વિસ્તૃત વિવેચન રચવાનો યથાશક્તિ ઉપક્રમ કર્યો છે, તે આ મંદમતિ ભાષ્યકાર વિવેચકને અને સુજ્ઞ વિવેકી વાચકને શુદ્ધ આત્માર્થના ઉત્કર્ષ અર્થે થાઓ એ જ અભ્યર્થના !
૩૯