Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૯૯ અજ્ઞાન તમન્સ પટ (તિમિર પછેડો) ઓઢી, ગયા અજ્ઞાન નિંદે પોઢી, કર્તા આત્માને જે દેખે, દ્રવ્યકર્મ કરનારો લેખે... અજ્ઞાન તિમિર પછેડો ઓઢી. ૧ મુમુક્ષુ ય તે મોક્ષ ન પામે, સામાન્ય જન શું ભવ ભામે, દ્રવ્યલિંગી કરે ખૂબ કરણી, પણ પામે ન મોક્ષની વરણી... અજ્ઞાન તિમિર. ૨ લોક લૌકિક કિરિયા કરતો, અલૌકિકતા ન ઉતરતો, મુનિ અલૌકિક કિરિયા કરતો, લૌકિકતા ન જ ઉતરતો... અજ્ઞાન તિમિર. ૩ મન વચ કાયાની કરણી, દ્રવ્ય ક્રિયા કર્મની ધરણી, દ્રવ્ય કર્મના પાકની લરણી, ક્યમ હોયે મોક્ષ વિતરણી?... અજ્ઞાન તિમિર. ૪ મન વચ કાયા છે અનાત્મા, તસ કર્મે ન દેખાય આત્મા, દ્રવ્ય કર્મ પરાશ્રિત કરતાં, મોક્ષ આત્માશ્રિત ન વરતા... અજ્ઞાન તિમિર. ૫ કર્મ કરતાં કર્મ ન છૂટે, બંધનથી બંધ ન તૂટે, ----- કર્મ છોડ્ય કર્મો છૂટે, અબંધથી બંધન તૂટે.. અજ્ઞાન તિમિર પછેડો. ૬ તેથી કર્તા જ આત્મા માને, તે પહોંચે ન મોક્ષસ્થાને, એમ ભગવાન અમૃત બોલે, અજ્ઞાન તમ પટ ખોલે... અજ્ઞાન તિમિર પછેડો. ૭.
S
-
અમૃત પદ - ૨૦૦ પદ્રવ્ય ને આત્મતત્વનો, સર્વ ન છે સંબંધ, કર્તા-કર્મપણાનો ત્યાં તો, ક્યાંથી હોય સંબંધ.. પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો. ૧ કર્તા-કર્મપણાનો જ્યાં તો, હોય સંબંધ અભાવ, ત્યાં તો તનુ કર્તુતા કેરો, ક્યાંથી હોય જ ભાવ ?... પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો. ૨ આત્મદ્રવ્યને પરની સાથે, લેવા દેવા ના જ, ભગવાન અમૃત ભાખે, તો યે મૂઢ માને કર્તતા જ !... પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો. ૩
अनुष्टुप् ये तु कर्तारमात्मानं, पश्यंति तमसा तताः ॥ सामान्यजनवत्तेणां, न मोक्षोऽपि मुमुक्षतां ।।१९९।।
नास्ति सर्वोऽपि संबंधः, परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसंबंधाभावे, तत्कर्तृता कुतः ॥२००||
૮૧૬

Page Navigation
1 ... 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016