________________
સમયસાર : આત્મખ્યાતિ
છારા
વિવિક્ત એવી એકરૂપ દેખો ! - ‘મથ સતતવિધિવતં દૂરયતાનેરૂ', હવે - આ ગ્રંથમાં હવે પછી પ્રતિપદે - પ્રત્યેક પદે દેખાડવામાં આવશે એવી “સતત વિવિક્ત” - સતત - સતતપણે નિરંતરપણે વિવિક્ત - વિવેક કરેલી – પૃથગૃભૂત - ભિન્ન કરેલી એવી, અત એવ “એકરૂપ” - જ્યાં બીજો કોઈ પણ દ્વૈત-ભાવ નહીં હોવાથી અદ્વૈતરૂપ - અદ્વિતીય એવી આ ઉદ્યોતમાન-ઉદ્યોતી રહેલી આત્મજ્યોતિ પ્રતિપદે દેખો ! કેવી છે આ આત્મજ્યોતિ? અત્યાર સુધી તે ક્યાં સંતાઈ ગઈ - છુપાઈ ગઈ હતી ? ‘વિરતિ
નવતત્ત્વછન્નમુન્નીયમાન - ચિરકાળ એમ નવ તત્ત્વમાં છન્ન-છૂપાયેલી હતી તે ચિર કાળથી નવતત્વમાં ઉન્નીયમાન છે એવી, “ઈતિ' - એમ એવા પ્રકારે ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ છુપાયેલી આ આત્મજ્યોતિ નવ તત્ત્વમાં “છત્ર' - આચ્છાદિત થયેલી - છૂપાઈ ગયેલી - ગુપ્ત રહેલી હતી દર્શાવાઈ રહી છે
તે. ‘ઉન્નીયમાન’ - “ઉત' - ઉત્કટપણે પ્રાબલ્યથી “નીયમાન' - શદ્ધનયથી
દોરી જવાતી - લઈ જવાતી – દર્શાવાઈ રહેલી એવી. કોની જેમ ? નનિવ નિમનું વાતાવછતારે - વર્ણમાલા કલાપમાં - સમૂહમાં નિમગ્ન કનક-સુવર્ણની જેમ. “વર્ણમાલા કલાપમાં' - અનેક વર્ણની વાન/વાળી) સુવર્ણની માલા-પરંપરાના કલાપમાં - સમૂહમાં “નિમગ્ન” - ‘નિ' - નિતાંતપણે અત્યંત મગ્ન-ડૂબી ગયેલ - છુપાઈ ગયેલ સુવર્ણ જેમ, “ઉન્નીયમાન” - ઉતુ - ઉંચે “નીયમાન” - દોરી જવાતું – “જુઓ ! આ સુવર્ણ રહ્યું એમ ઉંચે લઈને બતાવાય તેમ. અર્થાતુ - ઉપરમાં આ ગાથાની “આત્મખ્યાતિ’ ટીકાના ગદ્યભાગમાં જે કહ્યું તેનું પરમ સુંદર
દાંતથી સમર્થન કરતો આ ઉપસંહારરૂપ કળશ (૮) અત્રે પરમાર્થ વર્ણમાલામાં નિમગ્ન સુવર્ણ જેમ મહાકવીશ્વર અમૃતચંદ્રજીએ અપૂર્વ આત્મભાવોલ્લાસથી લલકારી અદ્ભુત
નવતત્વમાં છુપાયેલ પૃથક પરમાર્થ પ્રકાશ્યો છે : જેમ કોઈ અનેક વર્ણની - અર્થાતુ એક વર્ણવાળી બે આત્મજ્યોતિનું દર્શન પ્રતિપદે વર્ણવાળી પાવત સોળ વર્ણવાળી એમ - અનેક વર્ણવાળી - વિવિધ
વાનવાળી સુવર્ણ માલાના સમૂહની અંદર એકસૂત્ર રૂપ સુવર્ણ “નિમગ્ન' - નિતાંત - અત્યંત ડુબેલું પડેલું - અત્યંત છુપાયેલું હોય ને તે પ્રગટ ભિન્ન કરી, દેખાડાય તેમ નવતત્ત્વ રૂપ વર્ણમાલા કલાપમાં “નિમગ્ન” - અત્યંત ડુબેલી પડેલ એકસૂત્ર રૂપ આ આત્મજ્યોતિ “ચિરકાળથી” - લાંબા વખતથી “છન્ન” - છુપાયેલી ગુપ્ત રહેલી હતી, તે હવે સતત “વિવિક્ત” - પૃથક - ભિન્ન કરાયેલી એવી આ એકરૂપ “ઉદ્યોતમાન' - પ્રકાશમાન છે, તે અત્રે પ્રતિપદે . પ્રત્યેક પદમાં પ્રગટ દેખાડવામાં આવી રહેલી છે તે દેખો ! જેમ વિવિધવર્ણી સુવર્ણ માલાના કલાપમાં - સમૂહમાં એક સૂત્રરૂપ સુવર્ણનો વર્ણ (વાન) સૂત્રની જેમ પરોવાયેલો છે, છતાં અન્ય ધાતુના સંમિશ્રણ આડે તે છુપાયેલો હોઈ દેખાતો નથી, પણ અન્ય ધાતુને પૃથક કરી – અલગ પાડી બારીકીથી કસોટીથી કસી જોતાં તેમાંથી એકસૂત્રરૂપ સુવર્ણનો દોરો (સૂત્ર) પસાર થતો દેખાય છે, તેમ નવતત્ત્વ રૂપ સુવર્ણમાલામાં આત્મા રૂપ સુવર્ણ-સૂત્ર પરોવાયેલ છે, છતાં પરવસ્તુ રૂ૫ અન્ય ધાતુના સંમિશ્રણ આડે તે છુપાયેલો હોઈ દેખાતો નથી, પણ શુદ્ધનયરૂપ તેજાબના પ્રયોગથી પરવતુરૂપ અન્ય ધાતુને પૃથક કરી - અલગ પાડી સૂક્ષ્મપણે પરીક્ષણ કરતાં, તત્ત્વ કસોટીથી કસી અંતસ્તત્ત્વ નિરીક્ષણ કરતાં, તેમાંથી એકસૂત્રરૂપ આ આત્મા જ પસાર થતો દેખાય છે. તથાપિ નવતત્ત્વની સુવર્ણમાળામાં ચિરકાળથી, છુપાયેલું - ગુપ્ત રહેલું અને ચિરકાળથી જ્ઞાનીઓએ છુપાવેલું - ગુપ્ત રાખેલું - ગોપવેલું આ આત્મારૂપ - સુવર્ણ સૂત્ર અજ્ઞજનોની દૃષ્ટિએ પડતું નથી, તે નવતત્ત્વના પરમ ગુપ્ત રહસ્યભૂત આ આત્મારૂપ સુવર્ણ સૂત્રનું હવે અત્રે શાસ્ત્ર-સૂત્રમાં અને તેની વ્યાખ્યા કરતા “આત્મખ્યાતિ - સૂત્રમાં અને તેના વિશિષ્ટ અંગભૂત પ્રત્યેક કળશ કાવ્યમાં સતત “વિવિક્તપણે” - પૃથક - ભિન્નપણે - પૃથક ભેદજ્ઞાનપણે અમે દર્શન કરાવશું, અર્થાતુ આ શાસ્ત્ર-સૂત્રમાં નવે તત્ત્વના અધિકારમાં અને તેના ઉપસંહારરૂપ સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકારમાં પ્રત્યેક પદે એકસૂત્ર રૂપ આ “વિવિક્ત' - પૃથભૂત આત્મજ્યોતિનું દર્શન કરાવવામાં આવશે, શુદ્ધનયથી - નિશ્ચયનયથી તે પ્રત્યે દોરી જવામાં આવશે, ઉત્કૃષ્ટપણે નયન કરવામાં આવશે, ‘ત્રીયમાન ; - તે
૧૨