________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ “આત્મખ્યાતિનો સમયસાર - સાક્ષાતુકરણનો વિધિરૂપ સકલ અવિકલ ક્રમ છે, તેથી “સમ્યગુદર્શન અને જ્ઞાન એ સમયસાર જ છે.” તત: સ નં જ્ઞાનં સમયસર ઈવ, અર્થાતુ સમયસાર - શુદ્ધ આત્મા સમ્યગુ દેખાય છે – કૃતે રૂતિ સર્ષ માટે તે “સમ્યગુ દર્શન' કહેવાય છે અને સમ્યગુ જણાય છે - જ્ઞાતે તિ જ્ઞાન માટે તે “જ્ઞાન” કહેવાય છે. પણ ‘દર્શન' “જ્ઞાન” એમ કેવલ વ્યપદેશ રૂપ નામ માત્ર ભેદ પામતાં છતાં આ આત્માના - સમયસારના તત્ત્વ સ્વરૂપમાં કાંઈ અર્થભેદ પડતો નથી. સમયસાર આત્માને દર્શન નામ આપો કે જ્ઞાન નામ આપો કે ગમે તે નામ આપો પણ ત્રણે કાળમાં ન ચળે એવા અખંડ નિશ્ચયથી “કેવલ” જ્ઞાન - દર્શનમય આત્મા “સમયસાર' જ અવસ્થિત રહે છે - “અવ' - તેમ છે તેમ સ્વરૂપ મર્યાદાથી સ્થિત રહે છે.
“કેવલ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન કહેવાય.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩
પર
જીવ
પુદ્ગલ કર્મ
૭૦૨