Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 950
________________ અમૃત પદ - ૧૬૯ “પંથડો નિહાળું રે, બીજ જિન તણો રે' - એ રાગ પરનું કરે પર તે અજ્ઞાન છે રે, કહે નિશ્ચય ભગવાન, પણ અહંકાર રસે વહ્યા જતા રે, જાણે ન જન અજ્ઞાન.... પરનું કરે પર તે. ૧ એવા આ પામી અજ્ઞાનને રે, પર થકી પરના જેહ, મરણ જીવિત દુઃખ સુખ સર્વ એ રે, દેખે છે અહીં એહ... પરનું કરે પર તે અજ્ઞાન. ૨ હું કરૂં હું કરું તે અહંકૃતિ રસે રે, કરવા કર્મ ચહંત, આત્મઘાતી તે મિથ્યાદેષ્ટિઓ રે, નિયતપણે જ હવંત... પરનું કરે પર તે અજ્ઞાન. ૩ હુંકાર વિષ હોંસે પીતા રે, કરતા આત્મની ઘાત, પોતે પોતાના વૈરી બને રે, કેવી ખરી આ વાત'... પરનું કરે પર તે અજ્ઞાન. ૪ અજ્ઞાન વિષ નમાવી કરાવવા રે, પરમ જ્ઞાનામૃત પાન, ભગવાન અમૃતચંદ્ર આ કહી રે, અમૃત અમૃત વાણ... પરનું કરે પર તે અજ્ઞાન. ૫ અમૃત પદ - ૧૭૦ “પંથડો નિહાળું રે બીજ જિન તણો રે' - એ રાગ અધ્યવસાન જ બંધ નિદાન છે રે, કહે નિશ્ચય ભગવાન, અજ્ઞાનમય આ અધ્યવસાન કરે રે, મિથ્યાષ્ટિ અજ્ઞાન... અધ્યવસાન જ બંધ નિદાન. ૧ મિથ્યાદેષ્ટિને વિપર્યય થકી રે, બંધહેતુ તે હોય, અધ્યવસાન જે એનું દેખાય છે રે, અજ્ઞાનાત્મક સોય... અધ્યવસાન જ બંધ નિદાન. ૨ પરનું કરે પર જે એમ દેખતો રે, મિથ્યાદેષ્ટિ અજ્ઞાન, વસ્તુ સ્વરૂપ વિપર્યય દેખતો રે, તેથી કરે અધ્યવસાન... અધ્યવસાન જ બંધ નિદાન. ૩ ઉંધા ચશમાથી અહીં દેખતાં રે, ઉંધુ બધું દેખાય, કમળાથી અકળાતાં રોગીને રે, પીળું પીળું જ કળાય... અધ્યવસાન જ બંધ નિદાન. ૪ અધ્યવસાન આ મિથ્યાષ્ટિને, વિપર્યય થકી આમ, બંધહેતુ હોય નિશ્ચય એ વદે રે, ભગવાન અમૃત સ્વામ... અધ્યવસાન જ બંધ નિધાન. ૫ अज्ञानमेतदधिगम्य परात्परस्य, पश्यंति ये मरणजीवितदुःखसौख्यं । कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते, मिथ्यादृशो नियतमात्महनो भवंति ||१६९|| अनुष्टप मिथ्यादृष्टेः स एवास्य बंधहेतुर्विपर्ययात् । य एवाध्यवसायो यमज्ञानात्मा दृश्यते ।।१७०।। ૭૯૯

Loading...

Page Navigation
1 ... 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016