________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૬
જ્ઞાની-જ્ઞાન ગુણસંપન્ન જીવ પુદ્ગલકર્મને જણે છે, તો પછી તે જાણતા જીવનો પુદ્ગલની સાથે
કર્તાકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? એ આશંકાનો અત્ર સ્પષ્ટ જવાબ પદગલ કર્મને જાણતા જીવનો આપ્યો છે - “જ્ઞાની અનેક પ્રકારના પગલકર્મને જાણે છે છતાં તે પગલકર્મરૂપ પદગલની સાથે કર્ણ કર્મ ભાવ પરદ્રવ્ય પર્યાયને ગ્રહતો નથી, તેવા પ્રકારે પરિણમતો નથી અને તેવા પ્રકારે શું છે? કે નથી? ઉપજતો નથી. કારણકે જ્યાં વ્યાપ્ય-વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મભાવ
ઘટે, પણ પુદ્ગલરૂપ પરદ્રવ્ય સાથે આત્માને તેવો વ્યાપ્ય-વ્યાપક ભાવ નથી, એટલે પુદ્ગલ પરિણામને જાણતાં છતાં આત્માનો પુગલ કર્મ સાથે કર્તા કર્મભાવ નથી, આ વસ્તુતત્ત્વ પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ'માં અત્યંત પરિસ્ફટ સમજવ્યું છે, પુદગલ પરિણામ કર્મને જાણતો
તે પરદ્રવ્યના પરિણામને નથી ગ્રહતો. નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથાપ્રકારે ઉપજતો. કેવું છે પુદ્ગલ પરિણામકર્મ ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું - પ્રાર્થ વિવાર્ય નિર્વત્થ ર વ્યાતિલvi - તે કર્મ કયા કર્તાથી કરાઈ રહ્યું છે? પુદ્ગલ દ્રવ્યથી. કેવાથી? તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા અને તથા પ્રકારે ઉપજતા એવાથી. કેવા પ્રકારે ? સ્વયં અંતરવ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સ્વયમંતવ્યપદેન ભૂતાનિધ્યનેષુ વ્યાણ - આમ આવા પ્રકારે કરાઈ રહેલું જાણતાં છતાં, જ્ઞાની સ્વયં – પોતે અંતરવ્યાપક થઈ “બહિ:સ્થ' - આત્માની બહારમાં સ્થિત પરદ્રવ્યના પરિણામને - કળશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહતો, નથી તથાપ્રકારે પરિણમતો ને નથી તથા પ્રકારે ઉપજતો, અર્થાત્ મૃત્તિકા જેમ કળશને આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે તેમ આ જ્ઞાની (જીવ) પરદ્રવ્ય પરિણામને આદિ-મધ્ય-અંતમાં વ્યાપતો નથી. આ ઉપરથી શું ફલિત થાય છે ? પ્રાપ્ય વિકાર્ય નિર્વત્યે એવા વ્યાપ્યલક્ષણ પદ્રવ્ય પરિણામ કર્મને નહિ કરતા જ્ઞાનીને, પુદ્ગલ કર્મને જાણતાં છતાં, પુદ્ગલ સાથે કર્તા-કર્મ ભાવ નથી.
શ્રી અમૃતચંદ્રાચાર્યજીની આ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યાનો વિશેષ આશયાર્થ આ પ્રકારે – પુદ્ગલ પરિણામરૂપ કર્મ વ્યાપ્ય છે અને પુદ્ગલ તેનું વ્યાપક છે. વ્યાપ્યલક્ષણ એવું જે આ
પુદગલ પરિણામ કર્મ છે તે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એમ ત્રણ પ્રાપ્ય, વિકાર્ય, નિર્ચ વ્યાપ્ય અવસ્થાવાળું છે, અથવા તો પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એ તેના ત્રણ લક્ષણ પુદ્ગલકર્મ : પુદ્ગલ દ્રવ્યતબકકા (stages) છે, પ્રાપ્ય એટલે પ્રાપ્ત થવા યોગ્ય, વિકાર્ય એટલે વિકાર અંતર્ વ્યાપક પામવા યોગ્ય અને નિર્વત્યે એટલે નિર્વર્તન-સર્જન પામવા યોગ્ય અર્થાત્
ઉત્પન્ન થવા યોગ્ય. પુદ્ગલ પરિણામરૂપ કર્મ બનવામાં પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એ ત્રણ અવસ્થા હોય છે ને વ્યાપ્યલક્ષણ પગલપરિણામ, કર્મની એ ત્રણે અવસ્થામાં સર્વત્ર પુદ્ગલ વ્યાપક છે; એ પુદ્ગલ પરિણામ કર્મ પ્રક્રિયામાં (Process) પ્રથમ એ પુદ્ગલ પરિણામ જ પ્રાપ્ય-પ્રાપ્ત થવા યોગ્ય - ગ્રહણ થવા યોગ્ય છે, પછી તે પુદ્ગલ પરિણામના જ વિકાર - વિશિષ્ટ પ્રકાર તે વિકાર્ય છે, અર્થાતુ તે વિશિષ્ટ પુદ્ગલપ્રકારરૂપ - કામણ વર્મણારૂપ પુદ્ગલ વિકાર પણ ઉત્તરોત્તર વિકાર પામવા યોગ્ય એવી પુદ્ગલમય પરિણામાવસ્થા છે અને તેમાંથી ઉત્તરોત્તર વિકાર - પરિણામ થતાં થતાં છેવટે નિર્વર્તવા યોગ્ય - સવા યોગ્ય - ઉત્પન્ન થવા યોગ્ય એવું છેવટનું નિર્વત્યે પુદ્ગલ પરિણામ - કર્મ ઉત્પન્ન થાય છે, નિર્વર્ત છે, સર્જાય છે. પુદગલપરિણામ કર્મની આદિ-મધ્ય-અંત આ ત્રણે અવસ્થામાં સર્વત્ર પુદ્ગલ દ્રવ્ય વ્યાપક છે.
આકૃતિ પુગલ પરિણામ વ્યાપ્ય પ્રાપ્ય વિકાર્ય નિર્વર્ય પુદ્ગલ દ્રવ્ય વ્યાપક
૪૯૭