________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” - પરમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી “નિશ્ચય દૃષ્ટિ ચિત્ત ધરીજી, જે ચાલે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જી, ભવ સમુદ્રનો પાર.” - શ્રી યશોવિજયજી પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ તત્ત્વજ્ઞાનના મેરુ શિખર સમો આ નિશ્ચયપ્રધાન સમયસાર ગ્રંથ પ્રણીત
કર્યો છે અને તે પર તાત્ત્વિકશિરોમણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ નિશ્ચય - વ્યવહારના સમુચિત “આત્મખ્યાતિ' નામક યથાર્થનામા અનુપમ અનન્ય અદ્વિતીય સૂત્રાત્મક અધિકારીની મર્યાદા અદભૂત તત્ત્વકળાથી ગૂંથી છે. આવા આ નિશ્ચયપ્રધાન શાસ્ત્રમાં પણ.
નિશ્ચયનયના અને વ્યવહારનયના યથાયોગ્ય અધિકારીની મર્યાદા કઈ કઈ છે તેની સ્પષ્ટ પ્રરૂપણા તેની આ સુપ્રસિદ્ધ બારમી ગાથામાં કરી છે - તે પરથી સાવધાન રહી આ શાસ્ત્રકારનો આશય સમજી આત્માર્થી મુમુક્ષુઓએ એકાંત નિશ્ચયના પ્રવાહમાં ન તણાતાં કે એકાંત વ્યવહારના આગ્રહમાં ન હણાતાં ઘણો ધડો લેવા જેવું છે, એટલું જ નહિ પણ આત્મનિરીક્ષણથી પોતપોતાના અધિકારની યથાયોગ્ય મર્યાદા સમજી લઈ પોતાના આત્માને ઉપકારી યથાયોગ્ય નયનું સાપેક્ષ પ્રયોજન અંગીકર્તવ્ય છે. નહિ તો સર્વ કોઈ શ્રોતાને તેમજ સર્વ કોઈ વક્તાને અનધિકાર ચેષ્ટાનો પ્રત્યેક સંભવ છે, એટલું જ નહિ પણ ઉપકારને બદલે મહા અપકાર થવાનો પૂરેપૂરો ભય છે. આ અંગે આ વિવેચનને મથાળે સંકેલું વર્તમાન યુગના સંતશિરોમણિ પરમતત્ત્વદેશ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિની સુપ્રસિદ્ધ ગાથાવાળું સંકોત્કીર્ણ વચનામૃત પ્રત્યેક મુમુક્ષુએ સતત લક્ષમાં રાખી હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે. એ જ પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું તેવું જ પરમ મનનીય બીજું પણ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – “જે જ્ઞાન મહાનિર્જરાનો હેતુ થાય છે, તે જ્ઞાન અનધિકારી જીવના
ઉદ્યોતિત કર્યો છે - પ્રકાશિત કર્યો છે એવો. એવો શાથી? શુદ્ધકાશિત - શુદ્ધ દ્રવ્યાદેશિતાથી, શુદ્ધ દ્રવ્યનું જે સ્વરૂપ છે તેની ‘આ’ - વસ્તુ મર્યાદા પ્રમાણે “દેશિતા' - દર્શાવવાપણાએ કરીને. આવો શુદ્ધનય જ પરમ ભાવ અનુભવનારાઓને પ્રયોજનવાનું છે. અને તુ યે - પણ બીજાઓ તો જેઓ પ્રથમદ્વિતીયાધવપાવપરંપરામાનીર્તસ્વરસ્થાનીયમપુરમં વમનુવંતિ - પ્રથમ - દ્વિતીય આદિ અનેક પાકપરંપરાથી પમાન સુવર્ણસ્થાનીય અપરમ ભાવને અનુભવે છે, (અર્થ પૂર્વવત) તેષાં - તેઓને, પર્યત - પાછોત્તીર્ણનાત્યકાર્તસ્વરસ્થાનીયપરમાવાનુમવનચવાતુ - પર્યત પાકોત્તીર્ણ જાત્ય સુવર્ણ સ્થાનીય પરમ ભાવના અનુભવન શૂન્યપણાને લીધે (અર્થ પૂર્વવત), વ્યવહારના પરિજ્ઞાયમાન: - વ્યવહારનય પરિજ્ઞાન કરાઈ રહેલો - સર્વથા જાણવામાં આવી રહેલો તફાવે - તદાત્વમાં ત્યારે – તે વખતે - તે વખતની દશામાં પ્રયોગનવાનું પ્રયોજનવાનું - અત્યંત પ્રયોજનવાળો, પ્રબળ પ્રયોજનભૂત છે. શાને લીધે ? વિચિત્રવાતિજાસ્થાનીયતાતુ - વિચિત્ર વર્ગમાલિકાસ્થાનીયપણાને લીધે, જેમ સુવર્ણ એક વર્ણિકાવાળું - બે વર્ણિકાવાળું પાવતુ સોળ વર્ણિકાવાળું હોય તેમ નાના પ્રકારના વિચિત્ર વર્ણમાલિકાસ્થાનરૂપ પણાને લીધે. કેવો છે આ વ્યવહારનય ? ૩૫ર્શિતપ્રતિવિશિદૈવકમાવાને માવ: - “પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકે વિશિષ્ટ - ખાસ ખાસ એક ભાવ નામ અનેક ભાવ ઉપદર્શિત કરતો એવો. એવો શાથી? અશુદ્ધકાશિતયા - અશુદ્ધ દ્રવ્યાદેશિતાથી, અશુદ્ધ દ્રવ્યનું જ સ્વરૂપ છે તેની ‘આ’ - મર્યાદા પ્રમાણે દેશિતા' - દર્શાવવાપણાએ કરાને. આવો વ્યવહારનય અપરમ ભાવ અનુભવનારાઓને તે વખતની દશામાં પ્રયોજનવાનું' - અત્યંત - પ્રબળ પ્રયોજનભૂત છે. આમ નિશ્ચયનય અને વ્યવહારનયના અધિકારીનો ભેદ શા માટે ? તીર્થતીર્થપાયોહિત્યમેવ વ્યવસ્થિતતાનું - તીર્થનું અને તીર્થફલનું આમ વ્યવસ્થિતપણું છે માટે. આ અંગે કહ્યું છે કે –ઝ નિમવું પવઝદ - જો તમે જિનમત પ્રત્યે જતા હો - અંગીકાર કરતા હો તો મન વ્યવહારનિચ્છ મુયદ - વ્યવહાર અને નિશ્ચયને મ મૂ ! કારણ? પણ વિI છિન્ન તિર્થં ોવ ૩ળ તથં - “એક વિના' - વ્યવહાર વિના તરવાના સાધન રૂપ “તીર્થ” - છેદાય છે – લોપાય છે - નાશ પામે છે અને અન્ય વિના” - નિશ્ચય વિના તીર્થફલ રૂપ “તત્ત્વ' છેદાય છે - લોપાય છે - નાશ પામે છે. તે માત્મઘાતિ” માત્મભાવના ||રા
૧૨૮