________________
પર્વતિથિલયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
૨૧
खाणं पडिकमणं तस्य निगमगणं च : जोए उदेइ सुरो, तीइ तिहीए उ कायव्यं ।। २ ।।
અર્થ–ચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક પંચમી, અષ્ટમીને માટે તે તિથિઓ લેવી કે જેમાં સૂર્ય ઉદય પામે; બીજી અનીદયિક તિથિઓ ન લેવી. જે તિથિમાં સૂર્ય ઉદય પામે તે તિથિને વિષે પૂજા, પચ્ચકખાણ, પ્રતિકમણ અને નિયમ ગ્રહણ કરવા. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે પર્વતિથિની આરાધનામાં અનીદયિક તિથિ લેવાતી નથી તેથી નવા પંથવાળા પર્વતિથિને ક્ષય માનીને અપર્વ તિથિની જ આરાધના કરે છે. પર્વતિથિનો ક્ષય કાયમ રાખીને તે પર્વની આરાધના કરવી. આ માન્યતા વૈદિક ધર્મવાલાની છે જેની નથી.
પ્રશ્ન ૧૬–પૂર્ણિમાના ક્ષયે ચૌદશ-પૂનમ ભેગી માન નારા પાક્ષિક પ્રતિકમણ ક્યારે કરે?
ઉત્તર-નવા પંથવાળા પૂર્ણિમાના ક્ષયે ચૌદશ-પુનમ ભેગી માને છે તેથી પાક્ષિક પ્રતિક્રમણ તેમણે સવારમાં જ કરવું જોઈએ કેમકે ટિપ્પણમાં ચૌદશને ભાગ સવારમાં જ હોય છે. બપોરના તે પૂર્ણિમા શરૂ થઈ જાય છે, તેથી સાંજના પાક્ષિક પ્રતિકમણ થઈ શકે નહિ કેમકે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશનું છે; પૂનમનું નથી છતાં સાંજના કરે છે તે પાક્ષિક પ્રતિક્રમણ પૂનમનું જ કહેવાય પણ ચૌદશનું નહિ, તેમની આ માન્યતા પણ શાસ્ત્રવિરુધ છે.
પ્રશ્ન ૧૭–નવાપંથવાળા સિધ્ધાનિક ટિપ્પણના અભાવે