________________ સંયમના પંથે - સાંજ અને સવાર, સુખ અને દુઃખ, આશા અને નિરાશા, જય અને પરાજય, અમીરાઈ અને ગરીબી એમ દ્વિદ્દો જગતમાં ચાલ્યા જ કરે છે. કાળનું ચક્ર નિરંતર અવિરતપણે ઘૂમતું જ રહે છે. આયુષ્ય ક્ષણ ક્ષણ કરતું ધીરે ધીરે ને ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. અને અંતે આ જીવ કાળનો કોળિ બની જાય છે. ત્યારે માનવીના પરિવારમાંથી કોઈપણ તેની સાથે આવતું નથી. પુત્ર, પત્ની, માતા, પિતા, મિત્ર, સ્વજન એ સમયે કંઈ કામ લાગતા નથી. અને એ બધાંયને અહીં જ મૂકીને પરલેક ગમન કરવું પડે છે. તે સમયે તે આ ભવે જે કઈ સુકૃત અને દુકૃત કર્યો હોય તે જ સાથે આવે છે. બાકીનું તે બધું જ અહીને અહી જ છેડીને ચાલ્યા જવું પડે છે. - ગુરુ મહારાજ કહે છે તે સાવ સત્ય છે. સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલે ત્રણ લોકમાં પ્રસિદ્ધ એવો જૈનધર્મ જ કલ્યાણકારી છે. અને તેમાંય નિવૃત્તિ માર્ગ તો અનંત કલ્યાણકારી છે. તેની આરાધનાથી આ સમસ્ત સંસારને, આધિ, વ્યાધિ અને ઉપાધિનો, જન્મ, જરા અને મરણનો સર્વથી નાશ થાય છે. મારે પણ હવે એ જ ધર્મનું આરાધન કરવું જોઈએ. અને કાળ મારે કોળિ કરી જાય તે અગાઉ જ મારે હવે તેની સાધના કરી લેવી જોઈએ. નહિ તો આ આયુષ્યનેશે ભરોસે? આ રીતે ગુણસેને બાકીની આખી રાત આમ આત્મચિંતનમાં પસાર કરી. બીજે દિવસે સવારના તેણે પિતાના મંત્રીઓને બોલાવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust