________________ 13: નોકરીની શોધમાં વીતરાગ પ્રભુની સ્તુતિ કરવાથી ભીમસેનની ચિંતાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મનનો ભાર હળવે બન્યો હતો. અને હૈયામાં ઉલ્લાસ જણાતો હતો. આથી તેણે સુશીલાને કહ્યું : “પ્રિયે ! તું અને કુમારે બંને અત્રે જ આરામ કરે. હ" નગરમાં જઉં છું. ને ત્યાંથી ભેજન વગેરેનો પ્રબંધ કરી ત્વરિત જ પાછો ફરું છું.' સુશીલા અને કુમારો વાવના કાંઠે, શીતળ છાંયમાં વીતરાગ પ્રભુનું સ્મરણ કરતાં પોતાનો થાક ઉતારવા બેઠાં અને ભીમસેન નગરમાં ગયે. આ નગરના મુખ્ય બજારમાં ઘણું બધી દુકાન હતી અને ઘણી બધી ત્યાં ભીડ હતી. અનેક લોકો અનેક જાતની ખરીદી કરતા હતા. ભીમસેન એ ભીડમાંથી પસાર થતા એક વેપારીની દુકાન આગળ આવ્યું. એની જ માત્ર એક એવી દુકાન હતી કે જયાં કોઈ ઘરાક ન હતું અને એ વેપારી ગ્રાહકે સામે આતુર નયને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust