________________ 118 નસીબ બે ડગલાં આગળ એ હુંજ નાના વાણીસંગમાં શાંતિ ને આનંદ માન્યાં અને લેશમાત્ર પણ મે આત્મતત્વનો વિચાર કર્યો નહિ. અરેરે હું આ સંસાર સમુદ્રને હવે કેવી રીતે પાર કરી શકીશ : હે ભગવંત ! પૂર્વભવમાં તમે કોઈપણ પ્રકારનું પુણ્ય બાંધ્યું નથી. તેથી આ ભવમાં હે દુઃખ પાપે છે. આજ હું આપની અંતરના ભાવથી સ્તુતિ કરું છું, જેથી મારા ત્રણેય ભવના દુ:ખ સમાપ્ત થાય. હે પૂજય ! મારી બુદ્ધિ દુષિત થયેલી હોઈ હું આપની આગળ મારા દુશ્ચરિતનું શવર્ણન કરું ? તેમ કરવું નકામું છે. કારણ આપ તે સમસ્ત સંસારના પદાથીને હસ્તામલકવત્ જુઓ છે. હે દીનદયાળ ! આપ તો દખિયાઓના ઉદ્ધારક છી. મારું દુઃખ દૂર કરવા આ જગતમાં કોઈ જ સમર્થ નથી. અને આપના સિવાય હું હવે કાની 5 દયાની યાચના કરું ? પ્રભો હું આપની પાસે ધનની યાચના નથી કરતા. મારે તો પ્રભો ! હવે સતત્ત્વોમાં શુભરત્ન સમાન, સત્ર ઈછિત મંગલેના એકધામરૂપ એવા મોક્ષપદની જ ઈચ્છી છે. એ જ મારી આવભરી યાચના છે. હે જગદીશ ! આ મને આપે ને મારો ઉદ્ધાર કરે !" - આમ પ્રભુની સ્તુતિ કરી ભીમસેન પિતાના સ્ત્રી અને બાળક પાસે આવ્યો. આપ ના મોક્ષપદની જ છે આવભરી મને આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust