Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 414
________________ પા૫ આડે આવ્યા 403 કર્યો!” પ્રજાપાલનું હૈયું રડવા લાગ્યું, વિદ્યુમ્નતિ પણ શકાતુર બની ગઈ બંનેની આ દશા જોઈ પ્રીતિમતિની દાસી દેવદત્તાએ પણ તેને સમજાવવા પ્રયત્ન કર્યો. આવા વિશ્વાસઘાતથી કંઈ સારું પરિણામ નહિ આવે. એ અલંકારો તમે નાની રાણીને પાછા આપી દે. પણ પ્રીતિમતિ ન માની, તે ન જ માની. માયા અને છળકપટ કરી પ્રીતિમતિએ આથી કમબંધ કર્યો. વિશ્વાસઘાતનું તેને પાપ લાગ્યું. પરંતુ તેને તે આ પાપની કંઈ પડી ન હતી. અલંકારે આ રીતે મેળવી લેવાથી તે ખુશખુશાલ હતી. એક દિવસ વારાણસીમાં આચાર્ય ભગવંત પોતાના શિષ્ય સમુદાય સાથે વિહાર કરતાં પધાર્યા. ' કામજિત, પ્રજાપાલ તેમજ અન્ય પરિવારજનો તે ભગવંતને વંદના કરવા માટે ગયા. આચાર્ય ભગવતશ્રીએ સૌને ધર્મલાભ આપે અને પ્રેરક ધર્મદેશના આપી. આચાર્યશ્રીએ તે દિવસે વિશ્વાસઘાત વિષે સચોટ ઉપદેશ આપ્યો. વિશ્વાસઘાત એ મહાપાપ છે. એ પાપ કરનાર દુર્ગતિ પામે છે, અને અનંતા ભવ દુઃખ પામે છે. જેઓ તેવા પાપ આચરતા નથી, તેઓ આ લેક ને પરલોકમાં નાગદત્તની જેમ સુખી થાય છે. આમ કહી ભગવંતે નાગદત્તનું દષ્ટાંત કહ્યું. આચાર્યશ્રીના આ દેશના સાંભળી કામજિત અને પ્રીતિ

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442