Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 403
________________ 392 ભીમસેન ચરિત્ર એ જ સમયે પેલે વ્યંતર ત્યાં આવ્યો. તેણે રાજા અને મંત્રીને પોતાની વિદ્યાના બળથી અધર ઉપાડયા અને નાસવા માંડયું. એ જોતાં જ વિદ્યાધર તેની પાછળ દોડ. તેને પકડી પાડે. અને તેને સખ્ત રીતે માર માર્યો. વ્યંતરે વિદ્યાધરના પગે પડી ક્ષમા માંગી. અને હવે ફરીથી પોતે કયારેય એ એને હેરાન નહિ કરે, તેવી પ્રતિજ્ઞા લીધી. આથી વિદ્યારે એ યંતરને છોડી મૂક્યો. ત્યાર પછી વિદ્યારે રાજાને કંઈક માંગવાનું કહ્યું. આ તક જોઈ મંત્રીએ કહ્યું. રાજાને પુત્રની ઘણી ચિંતા સાલે છે. પુત્ર વિના તેમની જિદગી નિરસ પસાર થાય છે. વિદ્યાધરે તરત જ કહ્યું : “રાજન ! તમે ચિંતા ન કરશે. હું તમને એક મંત્ર આપું છું. તેનું તમે વિધિપૂર્વક આરાધન કરશે. એ મંત્રના પ્રભાવથી દેવીનો સાક્ષાત્કાર થશે. એ દેવી પાસે તમે પુત્રનું વરદાન માંગજો.’ આ પ્રમાણે વિદ્યારે રાજાને મંત્ર આપી પોતાની વિદ્યાથી બંનેને વારાણસી નજદીકના એક ઉદ્યાનમાં મૂકી દીધા. અને પોતાના ઉપકારીજનોને પ્રણામ કરી તેણે બંનેની વિદાય લીધી. - આ ઉદ્યાનમાં તે સમયે એક મુનિ ભગવંત કાઉસ્સગ કરી રહ્યા હતા. રાજા તથા મંત્રીએ શ્રમણને વંદના કરી. - શ્રમણ ભગવંતે પ્રસંગચિત થોડે ઉપદેશ આપ્યો. રાજાએ તેમની પાસે પરસ્ત્રી સેવન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442