________________ - 26 દેવને પરાભવ દેવોની પણ એક દુનિયા છે. આ ધરતીથી તે દુનિયા તદ્દન જુદી છે. ત્યાંની દુનિયાને સ્વર્ગ કહેવામાં આવે છે. એ સ્વર્ગમાં દેવો વસે છે. માનવથી વિશેષ શક્તિ તેઓ ધરાવે છે. પોતાના જ્ઞાન બળથી એ ઘણું બધું જોઈ શકે છે. માત્ર ઈચ્છા શક્તિથી જ તેઓ ઘણું ઉથલપાથલ કરી શકે છે. આ દેવતાઓનું પણ એક વ્યવસ્થિત શાસન હોય છે. ત્યાં પણ આપણી લોકસભાએ જે દરબાર ભરાય છે. એવા એક દરબારમાં સૌ દેવતાઓ બેઠા હતા. અલક મલકની વાતો ચાલી રહી હતી. ઈદ્ર મહારાજા સભાને કહી રહ્યા હતા. “ખરેખર આપણા કરતાં તો માનવભવ ઘણો ઉત્તમ છે. ત્યાં જે સાધના અને સિદ્ધિ મેળવી શકાય છે, એવી સાધના અને સિદ્ધિ આપણા લોકમાં મેળવવી ઘણું દુષ્કર છે. તેમાંય મુક્તિની સાધના તે દુષ્કરથી ય દુષ્કર છે. એ માટે તે માનવ જન્મ જ લેવું પડે. એ બાબતોમાં માનવ આપણાથી શ્રેષ્ઠ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust