________________ 366 ભીમસેન ચરિત્ર જે નિન્દિત આત્મા પરિવાર સહિત દુઃખથી પીડાય છે, તે શું અન્ય નિ:સહાય દુખી જીવનું રક્ષણ કરવા કયારે ય સમર્થ થઈ શકે ખરે ? અરે! યમરાજાના સુભટો જ્યારે તને લેવા આવશે. ત્યારે સ્વાથી એવા માતા, પિતા, પુત્ર, પત્ની, મિત્ર, ભાઈ, નોકર વગેરે તારું કંઈ જ રક્ષણ નહિ કરી શકે. આ જગત સ્વપ્ન સમાન છે. ક્ષણ વિનશ્વર છે. પાણીના પરપોટા જેવું આ જીવન છે. આ સઘળું મિથ્યા છે. ભ્રમણ ઉત્પન્ન કરનારું છે. આ બધું તે અલ્પ જ્ઞાનવાળાને સમજાવવા માટે છે. પરંતુ વિષમાંથી વિમુખ થયેલા સત્ય શૈભવવાળા મહાતમાઓ તે આ વિષય જન્ય ભેગની ક્ષણને ભયંકર કાળા ઝેરી સર્પ સમાન જુવે છે. - આમ અશરણ ભાવનાથી તજવા લાયક સંસારત્વને વિચારીને, ભવનો અંત કરનારા શરણ્ય એવા શ્રી જિનેશ્વરને હે ભવ્ય ! તમે ભજો. આ સંસારમાં સર્વ જીવે કર્માધીન છે. સૌ પોતપોતાના કર્મ અનુસારે સુખ દુઃખ અનુભવે છે. આ સંસારમાં કઈ જીવ સ્વર્ગથી એવે છે, જ્યારે કોઈ દુઃખી જીવ સ્વર્ગમાં જાય છે. કેઈ રંક જીવ રાજા બને છે. અને કોઈ રાજા રંક પણ બને છે. ભવ્ય ! સત્ય સ્વરૂપવાળી આ સંસાર ભાવનાને ભાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust