Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 394
________________ પાપ આડે આવ્યાં 383 દૂર ઉપવન વિહાર કરવા ગયા. વનશ્રીના સૌન્દર્યનું પાન કરતાં કરતાં તેઓ નગરથી ઘણે દૂર ને દૂર નીકળી ગયા. સમયનું પણ તેઓને ભાન ન રહ્યું. ફરતાં ફરતાં બંને એક વિશાળ વાવ આગળ આવ્યા. ત્યાં તેઓ છેલ્યા. વાવનું નિર્મળ જળ પીધું અને તેના એટલે આરામ કરવા બેઠા. આ વાવથી થોડે દૂર એક જિનાલય હતું. તેનું ઉન્નત શિખર ગગન સાથે વાતો કરતું હતું. તેની વજા હવામાં મસ્ત બનીને મુક્તપણે લહેરાતી હતી. રાજાની નજર જતાં જ તે બોલી ઊઠ : “નમે જિણાણું.” આ સાંભળી મંત્રીએ પૂછયું : “રાજન ! શું મનમાં પંચપરમેષ્ટિનું સમરણ કરી રહ્યા છે કે શું ?" . “મંત્રીવર્ય ! પ્રભુનું સ્મરણ તો સતત ચાલુ જ છે. પરંતુ આ દર જિનાલયનું શિખર જોયું, તેથી શ્રી વીતરાગ પ્રભુને મનોમન અહીં બેઠા વંદના કરી.” મંત્રીએ તરત જ એ દિશામાં જોયું તો ઝાડની ઘટાઓમાં ઘેરાયેલું એક જિનચૈત્ય ત્યાં હતું. અને તેનો સુવર્ણ કળશ સહસ્ત્રશ્મિના તેજથી ઝળકી રહ્યો હતો. તો રાજન ! મને મન જ શા માટે વંદના કરવી ? ચાલોને ત્યાં જઈ સાક્ષાત્ પ્રભુના દર્શન કરી આવીએ ?' મંત્રીએ ઉત્સાહ બતાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442