________________ દેવને પરાભવ 291 પણ આજ મને સર્વશ્રેષ્ઠ એવા ભીમસેનનું મરણ થાય છે. તેની સ્મૃતિ થતાં જ મારું મન એ ભવ્ય પુરુષને આપ આપ નામ છમાંથી એ પ રત જંગલની આહ ! કેવાં કેવાં કષ્ટોમાંથી એ પસાર થયે? રાજ ગુમાવ્યું. નાના બાળકને લઈ પત્ની સાથે રાતોરાત જંગલની વાટ પકડવી પડી. પેટ ગુજારા માટે પત્ની અને પુત્રેથી દૂર થવું પડયું, ભૂખમરો વેઠ. અપમાન અને આક્ષેપ સહન કર્યા. અનેક વિટંબણાઓ અનુભવી. છતાંય તેણે વીતરાગમાંથી શ્રદ્ધા ન ખોઈ અટલ વિશ્વાસથી એ અપરંપાર દુબેને સહન કરતો રહ્યો. ધરતી ઉપર અનેક માનવે છે. પરંતુ તેણે જે રીતે સ્વપત્ની વતને જાળવ્યું છે, તેવું કોઈએ જાળવ્યું નથી. શું તેને સંયમ! શું તેની નિષ્ઠા ! શું તેની આસ્થા ! ખરેખર ભીમસેન તે ભીમસેન જ છે! મારા તેને વારંવાર નમસ્કાર !..." “એક પામર માનવીની આટલી બધી પ્રશંસા ? છેિ !" એક દેવ તિરસ્કારથી બોલી ઊઠશે. “જેને તમે એક પામર ગણે છે, તે પામર નથી. ભડવીર છે એ તો ભડવીર. ઈન્દ્ર મહારાજાએ ભીમસેનની તરફેણ કરતાં કહ્યું. “દેવે આગળ એવા ભડવીર શી વિસાતમાં ? કયાં અનંત શક્તિ ધરાવતા દે ને કયાં અશક્તિથી ખદબદતા માનવો !" પેલા દેવતાએ ઘમંડથી કીધું. P.P.AC. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust