________________ 363 આચાર્ય શ્રી હરિપેણ સૂરિજી ભીમસેન હવે એકલે પડશે. ભાઈના વિરહથી તેનું મન વ્યાકુળ બન્યું. ભાઈની યાદથી તેની આંખમાં આંસુ આવી ગયાં. પોતાનો નાનો ભાઈનાની ઉંમરમાં સંસાર છોડીને નાકળી ગયો, પણ પોતે નથી નીકળી શકતા એ વિચારથી પણ તેને પસ્તાવો થવા લાગ્યો. અને પોતાની અશક્તિને નીંદવા લાગ્યું. | નાના ભાઈને ચાલ્યા જવાથી રાજવહીવટની જવાબદારી વધી. એ બધું જ કામ કરતાં તેને હરિષણની યાદ સતત સતાવ્યા કરતી હતી. એ સમયે એ વિચારતે ? ‘સાધુ તો ચલતા ભલા. આજે આ ગામ તો કાલે બીજા ગામ. ન જાણે હવે તેમના દર્શન અને કયારે થશે?” ભીમસેને દીક્ષા તે ન લીધી. પરંતુ પોતાનું જીવન વિશુદ્ધપણે વ્યતીત કરવા લાગ્યું. ધર્મકિયા તે વધુ ને વધુ કરવા લાગે. આ બાજ હરિષણ મુનિએ પણ પોતાનું જીવન બદલી નાંખ્યું. પોતે એક સમય રાજવી સંતાન હતો, તે એ વિસરી ગયા. અને ખૂબ જ એકાગ્ર બની આત્મ સાધના કરવા લાગ્યા. - આચાર્યશ્રીની નિશ્રામાં તેમણે શાસ્ત્રોને અભ્યાસ શરૂ કર્યો. વ્યાકરણ, ન્યાય, વગેરેનું અધ્યયન કરવા લાગ્યા. જપ અને તપથી આત્માને વિશુદ્ધ બનાવવા લાગ્યા. ખૂબ જ સાવધાનીથી અપ્રમત્તભાવે જીવનના દિવસો વ્યતીત કરવા લાગ્યા. દિવસો વિતતા ગયા તેમ તેમ તેમનું જ્ઞાન વધતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust