________________ ભદ્રાની ભાંડણ લીલા 139 સુશીલા ખાલી હાથે પાછી ફરી. આ જોઈને તે ગુસ્સાથી બોલી ઊઠી: “ખાલી હાથે કેમ આવી? થાળી-વાડકે લઈ આવ.” ‘ત્યાં તો કશું જ નથી. સુશીલાએ ડરતાં ડરતાં કહ્યું. ‘શું કહ્યું? ત્યાં થાળી-વાડકો નથી? તો ગયાં કયાં ? તે જ તે સવારે ત્યાં મૂકયાં હતાં. પછી જાય કયાં ?" મને શી ખબર બેન ?" સુશીલાએ કીધું. તે કોને ખબર ? મને ખબર? કુલટા ! એક તે ચોરી કરે છે ને ઉપરથી શીરોરી કરે છે? છેલ્લા કેટલાય દિવસથી ચાર પાંચ વાસણ ખૂટે છે પણ હું બોલતી નહોતી. અને શેઠને પણ કહેતી નહતી. પણ આજ તે મારાથી રહેવાયું નહિ. મેં જ તને એ થાળી-વાડકે બહાર લઈ જતા જોઈ છે ને પાછી ઉપરથી શાહકારી કરે છે કે મને ખબર નથી. આમ જ તું બધાં વાસણ ચેરી જતી લાગે છે. બોલ! એ થાળી–વાડકો તું કયાં મૂકી આવી છે? કોને આપી આવી છે? કેને વેચ્યાં છે? બેલને, મૂંગી શું મરી છે ? મેંમાં મગ ભર્યા છે?” સુશીલા તો આ સાંભળીને ડઘાઈ જ ગઈ. તે કંઈ જ ન બોલી. માથું ઢાળીને ઊભી રહી. શેઠ અને ભીમસેન પણ આ વાત સાંભળી સજજડ થઈ ગયા. સુશીલાને એમ મૌન ઊભેલી જોઈ ભદ્રા ફરીથી તાડુકી ઊઠી : “બોલે શેની બાપડી ! બોલે તે બે ખાય ને. મને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust